Sunday, October 16, 2011

બત્રીસીની બારાત - સ્નેહલ ન મઝુમદાર

૯મી ઑક્ટૉબર ૨૦૧૧નાં જન્મભુમિ પ્રવાસીની મધુવન પુર્તીમાં તીર કીટ ધા કોલમમાં શ્રી સ્નેહલ ન મઝુમદારની સાથે બત્રીસીની બારાતમાં સહેલ માણવા જેવો અવસર હતો.
હાલમાં બહુ ગવાઇ ગયેલ આયોજન પંચની દરર્રોજની રુ.૩૨ની આવકની મદદથી આપણા દેશની ગરીબીનિ વ્યાખ્યા કરતી ઍફૅડેવીટનો હોબાળૉ વાચતી વખતે ૩૨ના આંકડામાં ૩૨ ખુબીઓ છે તેવું કલ્પ્યું ન હોતું.પણ શ્રી સ્નેહલભાઇનો આ લેખ જે સરળતાથી ૩૨નું મહત્વ સ્મજાવ્યું છે તે તો જરુર નવાઇ પમાડે.
બત્રીસની સંખ્યાની બત્રીસ ખુબીઓ વર્ણવ્યાબાદ છેલ્લી લીટીમાં બત્રીસનો ઉપયોગ આ લેખમાં બત્રીસ વખત  થયો છે કે નહિં તે સવાલ એટલો ખુબીથી પુછ્યો છે કે દરેક વાંચકે લેખમાંના બત્રીસના ઉલ્લેખ જરુરથી ગણ્યા હશે જ.
જેમનાથી આ લેખ તે દિવસનાં અખબારપત્રમાં ન વાંચી શકાયો હોય તેમણે જન્મભુમિ પ્રવાસીની વેબસાઇટ, www.janmabhoominewspapers.com,પરની digital આવ્રુત્તિમાં આ લેખ વાચવાનું અને માણવાનું ચુકવું ન જોઇએ.
બત્રીસનું આવું મહાત્મ્ય આટલી ખુબીથી સમજાવવામાટે શ્રી સ્નેહલભાઇનો ૩૨વખત આભાર પણ માનવો જોઇએ.

No comments: