જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.
---- હેલન કેલર
ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
Sunday, April 24, 2011
જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે જયાં આપણે વિચારથી કામ કરવું જોઇએ ત્યાં આપણે લાગણીશીલ થઇ જઇએ છીએ અને જયાં લાગણીની આવશ્યકતા હોય છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ.
--- www.gujarati.nuમાં પ્રકાશિત એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી-શ્રી કૃષ્ણકાંત ઉનડકટ'બ્લોગપરથી સાભાર
--- www.gujarati.nuમાં પ્રકાશિત એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી-શ્રી કૃષ્ણકાંત ઉનડકટ'બ્લોગપરથી સાભાર
Labels:
General Thoughts
તમારી લાગણીઓ પર કોનો અંકુશ?
'તમને શું લાગણી થઇ રહી છે, તે્વું કોઇ બીજું શા માટે નક્કી કરે?
તમને ખુદ અપમાનની લાગણી ન થાય, તો તમને કોઇ કદાપિ અપમાનિત કઇ રીતે કરી શકે?
તમારી લાગણીને જો ઠેંસ ન લાગે, તો તમને કોઇ ક્યારે પણ દુઃખી કઇ રીતે કરી શકે?
- એપ્રિલ ૨૪, ૨૦૧૧ નાં Sunday Timesનાં TimesLifeનો
વિનિતા દાવડા નાંગીયા ના
"Let 'butter’ sense prevail!" લેખનો અંશ
તમને ખુદ અપમાનની લાગણી ન થાય, તો તમને કોઇ કદાપિ અપમાનિત કઇ રીતે કરી શકે?
તમારી લાગણીને જો ઠેંસ ન લાગે, તો તમને કોઇ ક્યારે પણ દુઃખી કઇ રીતે કરી શકે?
- એપ્રિલ ૨૪, ૨૦૧૧ નાં Sunday Timesનાં TimesLifeનો
વિનિતા દાવડા નાંગીયા ના
"Let 'butter’ sense prevail!" લેખનો અંશ
Labels:
General Thoughts
Sunday, April 3, 2011
"પણ મને તો ખબર છે"
એક સમર્પિત શિલ્પિએ 'મંદિરનાં ઉંચાં શિખરમાટે એક સુંદર મુર્તી બનાવી. મુર્તી પુરી થઇ રહેવા આવી હતી તેવા અંતિમ તબક્કે શિલ્પિને તેમાં એક સુક્ષ્મ ખામી ધ્યાનમાં આવી. તેણે તરતજ એ મુર્તીને ત્યાંથી હટાવી લીધી અને નવા પથ્થરપર ફરીથી તરાશવાનું શરુ કરી દીધું. તેના મિત્રએ સાશ્ચર્ય પુછ્યુંઃ " આટલી ઉંચાઇએ જ્યારે આ મુર્તીની સ્થાપના થશે, ત્યારે આવી સુક્ષ્મ ખામી કોની નજરે પણ ચડશે?" શિલ્પિએ મર્મીલાં સ્મિતમાં જવાબ આપતાં કહ્યુંઃ
"પણ મને તો ખબર છે."
જ્યારે તમને કોઇ જ જોઇ નથી રહ્યું અથવા કોઇ બાબતે તમા્રાથી વિશેષ નથી જાણતું, તમારી એ જાણની પળ તમારી નિતિમત્તાની કસોટીની ઘડી છે. તમારા આત્માના અરીસા સામે તમે બેનકાબ નગ્ન ઉભા હો કે વિશ્વામિત્રની સમક્ષ મેનકા જેવી મોહચલિત થઇ જવાય તેવી ક્ષણ એ તમારાં ખમીરની અગ્નિપરીક્ષાની ઘડી છે.
જે સમયે "પણ મને તો ખબર છે" એમ તમારા અંતરાત્માને ખબર હોય, તે પછીની જ ક્ષણની તમારી લાગણી કે વિચાર કે વર્તન એ તમારાં અંગતનિતિમુલ્યો કથીર છે કે કનક છે તેનું પારખું છે.
૩ અપ્રિલ '૧૧ નાં
Sunday Times - TIMESLIFE!ના
વિનિતા દાવર નાંગિયાના
"Would you like to walk like Sachin" લેખપરથી સાભાર
"પણ મને તો ખબર છે."
જ્યારે તમને કોઇ જ જોઇ નથી રહ્યું અથવા કોઇ બાબતે તમા્રાથી વિશેષ નથી જાણતું, તમારી એ જાણની પળ તમારી નિતિમત્તાની કસોટીની ઘડી છે. તમારા આત્માના અરીસા સામે તમે બેનકાબ નગ્ન ઉભા હો કે વિશ્વામિત્રની સમક્ષ મેનકા જેવી મોહચલિત થઇ જવાય તેવી ક્ષણ એ તમારાં ખમીરની અગ્નિપરીક્ષાની ઘડી છે.
જે સમયે "પણ મને તો ખબર છે" એમ તમારા અંતરાત્માને ખબર હોય, તે પછીની જ ક્ષણની તમારી લાગણી કે વિચાર કે વર્તન એ તમારાં અંગતનિતિમુલ્યો કથીર છે કે કનક છે તેનું પારખું છે.
૩ અપ્રિલ '૧૧ નાં
Sunday Times - TIMESLIFE!ના
વિનિતા દાવર નાંગિયાના
"Would you like to walk like Sachin" લેખપરથી સાભાર
Labels:
General Thoughts
Subscribe to:
Posts (Atom)