Thursday, January 26, 2012

પરિવર્તન તરફ - નાનાં કદમ


પરિવર્તન તરફ હરણફાળ ભરીને પણ આગળ વધી શકાય અને  નાનાં કદમ મુકતાં મુકતાં પણ આગળ વધી શકાય.

મહિન્દ્ર.કૉમપરની એક બ્લૉગપૉસ્ટ -- The Greenagers: Small Steps towards Change -- માં શ્રી સંજય  સોંધીએ ખુબ જ સાદા શબ્દોમાં તેમની વ્યથા કહી છેઃ આપણી આસપાસના સમાજમાં નાનો સરખો પણ  ફેર્ફાર કરવા માટે આપણે શું કરી શકીએ? એ કામ તો બીજાનું છે, હું એકલો /એકલી એમાં શું કરી શકીએ? [મારાં આંગણાંમાં નહીં - NIMPY - Not In My Personal Yard]

તેઓ એ દિવસની રાહ જૂએ છે જ્યારે આઇઆઇટી -ખડગપુરના અમિત જૈન જેવા - નવયુવાનો- આવા સરેક સામજીક પ્રશ્નોવિષે નાનાં, પણ નક્કર , કદમ ભરવાનુ શરૂ કરશે.

Sunday, January 15, 2012

નવનીત - સમર્પણ જાન્યુઆરી,૨૦૧૨ના અંકમાંથી વધારે પસંદ પડ્યું તેની નોંધ

નવનીત - સમર્પણ જાન્યુઆરી,૨૦૧૨ના અંકમાં 'જો મારું આ છેલ્લું પ્રવચન હોય તો' શ્રુંખલામાં શ્રી અમૃતલાલ વેગડે [પૃ.૫૦ -૫૪]તેમનાં જીવનની ચાર માળ - વત અને પિતા, શંતિનિકેતન, નર્મદાની પહેલી પરિક્રમા અને નર્મદાની બીજી પરિક્રમા-ની વાત જે લાગણીસભર મધુર લાઘવથી કહી છે તે પોતે તો અસરકારક પ્રત્યાયનનું અનુસરણીય ઉદાહરણ તો છે જ, સાથે સાથે જીવનસાફલ્યવિષે પણ કેટકેટલું કહી જાય છે.
નર્મદાની પરિક્રમાને તેમણે તેઓએ સારા માણસ બનવાની કૉલૅજ કહી છે.શ્રધ્ધા અને વિનમ્રતા તેમ જ સાદગી અને સરળતા જેવા ભાવનાત્મક ગુણોને તેમણે આ યાત્રાઓમાં અનુભવથી આત્મસાત કર્યા અને આપણને પરિચિત કર્યા છે.
વ્યક્તિએ જીવનમાં producer  વધુ અને consumer ઓછા થવું જોઇએ તેવા મહત્વના જીવન સિધ્ધાંતની તેમની રજૂઆત મર્મસ્પર્શી છે. સમાજ પાસેથી જેટલું લઇએ તેના કરતાં વધારે પાછું આપવું અથવા જેટલું આપી શકીએ તેના કરતાં ઓછું લઇએ એવી સાદી સમજ જો આપણે દરેકે અપનાવી હોત તો ૨૦મી સદીના અંત સુધીમાં આપણે જે  global warming કે વૈશ્વિક મંદી કે ઠેક્ઠેકાણે નાનાંથી મોટાં વિદ્રોહનાં પ્રદર્શનો જોયાં તે કદાચ કદિ પણ થયાં જ ન હોત.
શ્રી અમૃતલાલભાઇએ જીવનમાં સાદગી કેટલી હદ સુધી ઉતારી હતી તે તો તેમણે અઠવાડીયાં પહેલાં જ લગ્ન થયેલ પત્નીને પણ પોતના મિત્રને જવા આવવાના થઇને છ કિલોમીટર ચલાવ્યાં તેનાપરથી સમજી શકાશે.["પરિક્રમાનું ભાથું બંધાઇ રહ્યું છે" - ઉપરોક્ત પ્રવચન પહેલાં શ્રીઅમૃતલાલ વેગડનો એમનાં પત્ની શ્રીમતિ કાન્તાબહેને આપેલો પરિચય - પૃ.૪૮-૪૯]
આ સંદર્ભે પૃ.૯૭ પર આલ્બર્ટ સ્વાઇત્ઝરનું કથન -" હું દ્રઢતાપૂર્વક માનતો આવ્યો છું કે જગતનાં દુઃખોના એકાદ અંશ્નો પણ અંત લાવવા માટે આપણામાંની દરેકવ્યક્તિ જરાક અજેટલો પુરૂષાર્થ તો કરી શકે જ"- વિચારીએ તો એમ લાગે કે આજે પણ જો આપણે મનથી નક્કી કરીએ તો છેલ્લી બે-ત્રણ સદીઓથી કરેલાં પર્યાવરણનાં નુકસાનને આપણે આ સદીમાં જ ભરપાઇ કરી દઇ શકીએ.

સાદગીના સિધ્ધાંતને અનુસરવાથી આ કક્ષાના બદ્લાવ શક્ય છે તેમ માનવા માટે શ્રધ્ધા જરૂરી છે. શ્રી અમૃતલાલભાઈ જીવનપ્રત્યે અને જીવનમાં શ્રધ્ધા મેળવી નર્મદાની પરિક્રમાઓથી. તો શ્રી મકરંદ દવે જેવા તેમની નૈસર્ગીક શ્રધ્ધાને આ રીતે સમજાવે છેઃ
                  “કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક.
          કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જૂદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅંક બેઠી છે આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ."
["કુન્દનિકા કાપડીઆ - એક મુલાકાત" - લેખિકાઃ અનુરાધા ભટ્ટ; પૃઃ ૩૪-૪૨]
આ લેખનાં પહેલાં જ પાને [પૃ.૩૪]પર કુન્દનિકાબહેનનો ફોટોગ્રાફ તેમનાં "વધુ સૌમ્ય, વધુ શાંત અને .. કેટલેક અંશે અંતર્મુખ થઇ" રહેલ વ્યક્તિત્વને અનેરી અસરકારકતાથી પ્રતિબિંબીત કરે છે. કોઈ જગ્યાએ ફોટોગ્રાફરનાં નામ ને ફોટોગ્રાફ લીધાના સમયની નોંધ જોવા ન મળી એટલે હાલ પૂરતું તે અનામી કલાકારને આપણી સલામ આપણે તંત્રીશ્રી દ્વારા મોકલીએ. તંત્રી શ્રી દિપકભાઇને આ ફોટોગ્રાફની પસંદગી અને તેને આ સ્થાને મૂકવા બદલ અભિનંદન અલગથી પાઠવીએ.

અને હવે, આ અંકમાંનાં કેટલાંક Quotable Quotes:
" જગત દેખાય છે તેવું નથી અને બોલે છે તેમ ચાલતું નથી." - "કાર્ટૂનની કલા" - ડૉ. જયંતી પટેલ 'રંગલો'ઃ પૃઃ ૧૩૫
"... મેં લાંબા કાળથી ધન (મધ) એકઠું કર્યું હતું પણ મેં ન ખાધું! અન્ય કોઇને ખાવા ન આપ્યું. પરિણામે લૂંટનારા લૂંટી ગયા. આવા વિચારથી મધમાખી પગ - માથું ઘસી રહી છે." -- "એક ઘડી આવી ઘડી .." - સં. રમેશ સંઘવી;પૃ. ૮૪
"પ્ર્ભાતના સૂર્યની ઉષ્મા પામીને હૃદય સૂરજમુખીની જેમ ખીલી ઉઠે ઃએ ત્યારે વીતી ગયેલ રાતનું એકાદ આંસુ એની ઉઘાડી રહેલી પાંખડી પર ઝિલાતેલું તો હોય છે જ.પછી સૂર્ય એને વીખેરી નાખે ખરો, પણ તે પહેલાં એ આખાય સૂર્યને પોતાની ભંગૂર સીમાઓ વચ્ચે પૂરી દે છે ખરું! આંસુ તથા સૂર્યને સહોદરની જેમ ઉછેરવા જેટલું શક્તિશાળી આપણું હૃદય હોવું જોઇએ." - સુરેશ જોશી - પૃ. ૬૦
અને મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા તો આ બ્લૉગ પર, નવનીત નો આ અંક હાથમાં આવ્યો તેના બે-એક દિવસ પહેલાં જ શ્રી તન્મય વોરાની એક પૉસ્ટ આજ વિષયપર વાંચી હતી એટલે તે સમયે જ પ્રસિધ્ધ કરી દીધેલ છે. [મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા [નવનીત સમર્પણ, જાન્યુઆરી ૨૦૧૨]]

Wednesday, January 4, 2012

कवि 'नीरज'की जन्म तिथि - ४ जनवरी - को उनकी यादमें


फिल्म - नयी उम्रकी नई फसल - संगीतः रोशन; गायकः मोहम्मद रफी

खुशी जिसने खोजी वो धन लेके लौटा
हसीं जिसने खोजी वो चमन लेके लौटा
मगर प्यारको खोजने जो चला वो
न तन लेके लौटा न मन लेके लौटा

सुबह न आई, शाम न आई
जिस दिन तेरी याद न आई, याद न आई
सुबह न आई, शाम न आइ.
कैसी लगन लगी ये तुझसे,कैसी लगन ये लगी,
जिस दिन तेरी याद न आई,याद न आई
हसीं खो गई,खुशी खो गई
आंसु तक सब रहन हो गयें
अर्थी तक सब निलाम हो गई [२]
दुनियाने दुश्मनी निभाई,याद न आई
सुबह न आई, शाम न आई
तुम मिल जाते तो होती पूरी अपनी राम कहानी
धर धर ताज महल बन जाता,गंगाजल आंखोंका पानी
सांसोने हथकडी लगाई, याद न आई
सुबह न आई, शाम न आई
जैसे भी हो, तुम आ जाओ,
आग लगी है तनमें और मनमें [२]
एक तारकी दूरी है [२]
बस दामन और कफनमें
हुई मौतके साथ सगाई, याद न आई.

आ जाओ,        जाओ,                 जाओ

फिल्म - चा चा चा - संगीतः इकबाल कुरेशी ; गायकः मोहम्मद रफी

Monday, January 2, 2012

મેનેજમેન્ટનું પંચતંત્ર


આજકાલ મેનેજમેન્ટની બોલબાલા છે. જેમ જૂના જમાનામાં ધર્મ પાસે બધા પ્રશ્નોના ઉકેલ હતા તેમ આજે મેનેજમેન્ટ વિજ્ઞાન પાસે જગતનાં તમામ દુ:ખોનો રામબાણ ઇલાજ છે. જેમ ધર્મ કહેતો કે ગરીબી માટે માણસનાં કર્મો જવાબદાર છેતેમ મેનેજમેન્ટ કહે છે કે ગરીબી એ મેનેજેરિયલ પ્રોબ્લેમ છે. જૂના જમાનામાં કોઇ બાવો પોતાને ઇશ્વરની કક્ષા સુધી પહોંચાડી દેતો તેમ એક વાર મેનેજમેન્ટની કંઠી બાંઘ્યા પછી કેટલાયે માણસો મેનેજમેન્ટ ગુરુ બની જાય છેસૂંઠને ગાંગડે ગાંધી થઇ જાય છે. જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો
.- - - - -
સરકસમાં વાંદરો-વાંદરી પરણી ગયાં. થોડા સમય પછી વાંદરીને સારા દિવસો જવા લાગ્યા. સરકસના પ્રાણી ડોક્ટરે વાંદરીને તપાસીને પૂછ્યું, ‘કેવું બાળક જોઇએ-છોકરો કે છોકરી?’ પ્રસૂતાએ જવાબ આપ્યો, ‘તેના પગ સાઇકલ ચલાવવા જેટલા લાંબા હોય અને માથું તોપના નાળચામાં સમાઇ શકે તેવું હોય એમ કરજો. પછી છોકરો હોય કે છોકરી તેનો કોઇ ફેર પડતો નથી.’-કથાબોધ : કર્મચારી પુરુષ છે કે સ્ત્રી તે મહત્વનું નથી. જે કામ તેને સોંપાયું છે તે બરાબર કરે છે કે નહીં તે વાત અગત્યની છે... 
.- - - - -
બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું. બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતોબીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે,પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છેએક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બેતેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.)
- - - - -
રાજાની ભેંસ વિયાણી ને પાડો જન્મ્યો. રાણીને પાડો જોવાનું મન થયું તેથી પહેલા માળે જનાનખાનામાં નરબચ્ચાંને લાવવાનો હુકમ કર્યો. દાસી તાજા જન્મેલા પાડાને માવજતથી પહેલે માળે લઇ ગઇ. પછી રાણીને બચ્ચું ગમી જતાં તેને રોજ એક વાર ઉપર લાવવું તેવો હુકમ કર્યો. આ નિયમિત ક્રમમાં બચ્ચું અલમસ્ત પાડો બની ગયુંછતાં ક્રમ ચાલુ રહ્યો. એક વાર રાજાના દરબારમાં એક પહેલવાન આવ્યો. તેણે પડકાર ફેંક્યો કે તે સૌથી વધુ વજન ઊચકી શકે છે. તેની સામે રાજાના બધા પહેલવાનો હારી ગયા. રાજા મૂંઝાયો ત્યારે રાણી મદદે આવી. તેણે પાડાવાળી વાત કહી પહેલવાનને પાડો ઊચકીને એક માળ ચડી જવાનો પડકાર ફેંકવા સલાહ આપી. બીજે દિવસે દરબારમાં રાજાએ પહેલવાનને પડકાર ફેંક્યો. પહેલવાને મહા મહેનતે પાડાને ઊચક્યો તો ખરોપરંતુ દાદર ન ચડી શક્યો. ત્યાં દાસી આવીપાડાને ઊચકીને પહેલે માળે સડસડાટ ચડી ગઇ.(કથાબોધ : રોજના મહાવરાથી સામાન્ય કારીગરો જે મુશ્કેલ કામ કરી શકે છેતે નિષ્ણાતો કરી શકતા નથી. દરેક ઉદ્યોગ સંગઠને વ્યૂહાત્મક કામના મહાવરાવાળા કારીગરો તૈયાર કરવા જોઇએ. તેમના વડે હરીફને જીતી શકાય.)
- - - - -
એક કુંભાર પાસે એક ગધેડો હતોજે માલવહનનું કામ કરતો. કુંભાર તેને ખૂબ મારતો અને પૂરું ખાવાનું ન આપતાં બિચારો માયકાંગલો બની ગયો હતો. એક હૃષ્ટપુષ્ટ ગધેડાએ તેને પૂછ્યું, ‘તું આ શેઠને છોડી કેમ નથી દેતોમાયકાંગલા ગધેડાએ જવાબ આપ્યો, ‘શેઠ તેની એકની એક તોફાની દીકરીને કહ્યા કરે છે કે તે બહુ તોફાન કરશે તો તેને મારી સાથે પરણાવી દેશે. હું એ દિવસની રાહમાં આ બધું સહન કરી લઉ છું. પછી તો શેઠની બધી મિલકત મારી જ છે ને!’(કથાબોધ: કારીગરો કામ કરે તે માટે પ્રેરણા (મોટીવેશન) અથવા પોષણ (ઇન્સેન્ટિવ) અપાય છે. પ્રેરણા શાબ્દીક પ્રોત્સાહન છેજ્યારે પોષણ એ ભૌતિક વસ્તુ આપીને કરાય છે. ડાહ્યા લોકો ઇન્સેન્ટિવથી કામ કરે છેગધેડાઓ પ્રેરણાથી કામ કરે છે.)
- - - - -
રવિવારને દિવસે સિંહ તેની બોડ બહાર સુસ્તાતો હતો. પસાર થતાં એક શિયાળે પૂછ્યું, ‘સમય કહેશોમારી ઘડિયાળ બગડી ગઇ છે.’ સમય કહેતાં સિંહે કહ્યું, ‘હું તમારી ઘડિયાળ રિપેર કરી દઇશ.’ શંકા દર્શાવતાં શિયાળે કહ્યું, ‘આ યંત્રરચના અઘરી છે. વળી તમારો હાથ લાગતાં ઊલટી વધારે બગડી જશે.સિંહે કહ્યું, ‘લાવો તો ખરાહું રિપેરિંગની ગેરંટી આપું છું.’ ઘડિયાળ લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વાર પછી રિપેર થઇને બરાબર ચાલતી ઘડિયાળ સાથે પાછો ફર્યો. શિયાળ આદર સાથે નવાઇ પામ્યો. સિંહ પાછો સુસ્તાવા લાગ્યો.થોડી વારમાં એક વરુ આવ્યું. તેણે સિંહને પૂછ્યું, ‘મારું ટીવી બગડી ગયું છે તેથી હું તમારે ત્યાં વન ડે મેચ જોઇ શકું?’ સિંહે કહ્યું, ‘લાવો તમારું ટીવી રિપેર કરી આપું.’ વરુએ કહ્યું, ‘સિંહને તે વળી ટીવી રિપેર કરતાં આવડતું હશે?’ સિંહે વળતાં કહ્યું, ‘પ્રયત્ન કરવામાં વાંધો શું છે?’ વરુ ટીવી લઇ આવ્યો. ટીવી લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વારે રિપેર થયેલું ટીવી લઇને પાછો આવ્યો. વરુ નવાઇ પામ્યું અને રાજી થયું.હવે ગુફાની અંદરનું દ્રશ્ય જુઓ. એક ખૂણામાં નાના અને બુદ્ધિશાળી સસલાઓ બેઠા હતા અને સાધન-સરંજામની મદદથી ફ્રીઝટીવીવોશિંગ મશીન વગેરે રિપેર કરતા હતા. સામેના ખૂણામાં એક સિંહ પોતાના પંજા ચાટતો બેઠો હતો.(કથાબોધ : કોઇ બુદ્ધુ માણસને પ્રગતિ કરતો જોઇ તમને નવાઇ લાગે ત્યારે તેના અનુચરો તરફ જોવુંતે બધા બુદ્ધિશાળી હશે. જે મેનેજરના કારીગરો કુશળ હોય તે મેનેજરને લાયકાત વિના પણ બઢતી મળે છે. પાઠ નંબર બેસસલાને મારીને ખાઇ જવા કરતાં તેમની પાસે કામ લેવાથી વધારે ફાયદો થાય છે.)
- - - - -
એક સસલો તેની બોડ બહાર બેઠોબેઠો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. ત્યાંથી પસાર થતા એક શિયાળે પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં શિયાળને કઇ રીતે મારી પાડવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.શિયાળે કહ્યું, ‘સસલો તે કદી શિયાળને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. થોડી વારમાં સસલો શિયાળના હાડકાંનો ટુકડો ચાટતો બહાર આવ્યો. થોડી વાર પછી ત્યાંથી વરુ પસાર થયો. સસલો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. વરુએ પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં વરુને કઇ રીતે ખતમ કરવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.વરુએ કહ્યું, ‘સસલો તે કદી વરુને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું.બંને અંદર ગયા. થોડી વારમાં સસલો વરુના હાડકાંનો ટુકડો ચાટતાં બહાર આવ્યો. છેલ્લે એક રીંછ આવ્યું. કમ્પ્યૂટર પર કામ કરતાં સસલાને પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં રીંછને કઇ રીતે પતાવી દેવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’ રીંછે કહ્યું, ‘સસલાની શી મજાલ કે તે રીંછને પતાવી દઇ શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. અંદર એક ડાલામથ્થો સિંહ પંજા ચાટતો બેઠો હતો.(કથાબોધ : તમારી તાકાત કેટલી છે તે મહત્વનું નથી. ધંધામાં પાર્ટનર કોણ છે તે મહત્વનું છે.)
- - - - -
એક નિરીશ્વરવાદી (ભગવાનમાં ન માનનાર) જંગલમાંથી પસાર થતાં ભૂલો પડ્યો. આમતેમ અટવાતો હતો ત્યાં પાંચ બચ્ચાં સાથે એક ભૂખી રીંછણ આવી ચડી. માણસને જોઇને રીંછણ ઘુઘવાટા કરવા લાગી. તે વિકરાળ હતીતેના નહોર ચપ્પુ જેવા તીક્ષ્ણ હતા. ડરનો માર્યો માણસ દોડવા લાગ્યો. રીંછણ પાછળ દોડી. ગભરાયેલા માણસથી બોલાઇ ગયું, ‘હે ભગવાનબચાવ.’ આકાશમાં ગડગડાટી થઇ. ઈશ્વર બોલ્યા, ‘તમે નિરીશ્વરવાદીઓએ મને ગાંડો કરી નાખ્યો છે. આમ તો મને માનતા નથી ને પાછી મારી મદદ માગો છો?’ ‘હું ભૂલ કબૂલ કરું છુંપણ આ ઉંમરે હવે વિચાર બદલવો શક્ય નથી. પણ રીંછણ નાની વયની છેભગવાનતેના વિચાર બદલીને તેને આસ્તિક બનાવી દો તો હું બચી જાઉ,’ નિરીશ્વરવાદી બોલ્યો. ઈશ્વરે કહ્યું, ‘તથાસ્તુ.’ થોડે દૂર રહેલી રીંછણ નજીક આવીમાણસનું ગળું દબોચીને બોલી, ‘આજનું ભોજન આપવા બદલ ઈશ્વરનો આભાર.’(કથાબોધ : ઈશ્વરમાં માનવાથી ધંધામાં અહિંસક બનાતું નથી.)
- - - - -