Friday, October 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૦ /૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ' ૧૦ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

આ મહિને તો એક નવી શોધની વાત સહુથી પહેલી કરીએ.'શોધ' શબ્દ વાપરવાનું કારણ તો એ કે આ બ્લોગ પુનઃજીવીત થયો છે ફેબ્રુઆરી ૨૦૧૪માં, પણ નજર કોણ જાણે કેમ આ મહિને પહેલી વાર પડી.

આપણે વાત કરીએ છીએ Songs, Stories, Books and More… Random Musings ની. કાર્નીવલના આ મહિનાન અંકમાં તો આપણે આ અંકમાં સામાન્યતઃ જે સમયને આવરી લેતાં રહ્યાં છીએ, તે સમયની જ આ બ્લૉગપરની પૉસ્ટની વાત કરીશું, પણ સમયોચિત તક મળ્યે થોડા પાછળના સમયની પૉસ્ટની મુલાકાત પણ રસપ્રદ બની રહેશે.

આ અંકની શરૂઆત (૨૮ સપ્ટેમ્બરના રોજ) લતા મંગેશકરનાં જન્મદિવસની યાદને ઉજાગર કરતી બે પૉસ્ટથી કરીશું. નોંધપાત્ર વાત એ છે કે બંને પૉસ્ટ એક બીજા છેડેથી આ વિષયને સ્પર્શે છે, જો કે લતા મંગેશકરની વાત હોય એટલે છેલ્લે તારણ તો એક સરખું રહે તે સ્વાભાવિક જ છે. Happy Birthday, Lata ji એ આશા ભોસલેનાં ચાહક દ્વારા લતા મંગેશકરનાં ગીતોને યાદ કરતાં કરતાં લતા મંગેશકરનાં દીર્ઘાયુની કામના છે. The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas, એ SoYની પરંપરાની પૉસ્ટ છે, જેમાં અનિલ બિશ્વાસ ને લતા મંગેશકરનાં ૩૦ ફિલ્મોના ૧૨૩ ગીતોનાં સહકાર્યમાંથી ચૂટેલાં ગીતોની સ-રસ રજૂઆત છે.

October sets in… oh yes, Happy Birthday Asha Parekh… માં ‘ફિર વહી દિલ લાયા હૂં’નાં ગીતો પસંદ કરયાં છે. જેમાનાં લાખોં હૈ નિગાહમેં સનમ હસીં જવાં સાંભળતાં ‘તુમસા નહીં દેખા’નું જવાનીયાં હૈ મસ્ત મસ્ત બીન પિયે યાદ આવે. લેખક કહે છે કે ગીતો બંને ગમે જ છે, પણ તુમસા નહીં દેખાનું ગીત જોવાનું અને ફિર વહી..નું ગીત સાંભળવાનું ગમે.

Gungunaoonga Yehi Geet Main Tere Liye – Remembering Sachin Dev Burman and Majrooh Sultanpuri – સચીન દેવ બર્મનની ૧૦૮મી અને મજરૂહ સુલ્તાનપુરીની ૯૫મી જન્મ જયંતિની યાદમાં લખાયેલ છે. લેખકને એવું વાંચ્યું હોવાનું યાદ આવે છે કે આ ધુનમાં તલત મહમુદની કંપન પસંદ ન હોવાને કારણે બર્મનદા આ ગીત માટે મોહમ્મદ રફીની તરફેણમાં હતા. પણ તે સમયના તેમના મદદનીશ જયદેવે તેમને તલત મહમૂદ માટે મનાવી લીધા હતા. રહીના ભલભલા ચાહકો ને જલતે હૈં જીસકે લિયેમાં તલત મહમૂદ બહુ જ ગમે છે એ વાતમાં શક નથી.

ગીતા દત્ત અને આશા બોસલેનાં બબ્બે ગીતોની પણ બહુ જ મજેદાર પૉસ્ટ પણ વાંચવાની અને માણવાની મજા આવશે.

Chali Re Chali Re Main toh Des Parayee (Saranga, 1961)માં સરાદાર મલિકે આશા ભોસલેનો બખૂબી ઉપયોગ કર્યો છે. Thank you for the music and memories, Asha ji! માં આશા ભોસલેના જન્મ દિવસના ઉપલક્ષમાં કેટલાંક ગીતો રજૂ કરાયાં છે, જેમાંથી 'કાશ્મીરકી કલી (૧૯૬૪)માં આશા ભોસલેએ જે લહેકથી આ ગુનગુનાહટને લહેરાવી છે તે ફરી ફરીને સાંભળાવાનું મન થશે.

ગીતા દત્તે ગાયેલું ગીત - ઋત ફિરે દિન હમારે - પ્યાસા (૧૯૫૭)માં સમાવાયું નથી, પણ સાહિર લુધ્યાનવી પર એક લેખ તો દરેક અઠવાડીયે કરવો જ એવી નીતિના પરિપાકરૂપે અહીં . Rut Phire Par din Hamare Phire Na (Pyaasa, 1957) સમાવાયેલ છે. નસરીન મુન્ની કબીરનાં Conversations with Waheeda Rehman'માં આ ગીત વિષેની વાત લેખક યાદ કરે છે. ફિલ્મ માટે ગીતનું શુટીંગ પણ કરી લેવામાં આવ્યું હતું,
બધાંને પસંદ પણ આવ્યું હતું, પણ વહીદા રહેમાનથી બોલી જવાયું હતું કે આ ગીત ફિલમની ગતિને ધીરી પાડી દેશે. ગુરૂદત્તે આ વાત સાંભળી હતી, એટલે પહેલાં જ સ્ક્રીનીંગ વખતે લોકોને આ ગીત વખતે ચા પાણી કરવા નીકળી પડતાં જોઇ, તેમણે ગીતને ફિલ્મમાંથી હટાવી નાખ્યું. આ પુસ્તકમાંના કેટલાક અંશ Excerpt | Conversations With Waheeda Rehmanમાં પણ વાંચી શકાય છે. ગીતા દત્તનું બીજું ગીત છે 'કાલા બાઝાર (૧૯૬૦)નું ગીતા દત્ત અને સુધા મલ્હોત્રાના યુગલ અવાજમાં ગવાયેલું ભજન - ના મૈં ધન ચાહું ના રતન ચાહું . Na Main Dhan Chahun Na Ratan Chahun (Kala Bazaar, 1960)માં લેખક યાદ કરે છે કે આ ગીત મૂળ તો જયદેવની રચના છે તેમ કહેવાય છે. અને આ વાતે નવાઇ ન લાગે, કારણ કે જયદેવે તે પછી હમ દોનો (૧૯૬૧)માં 'અલ્લાહ તેરો નામ" અને પ્રભુ તેરો નામ, જો પાયે ફલ પાયે..' જેવાં અમર ભજનો આપણને આપ્યાં જ છે.

ગુરુ દત્તની ૫૦મી મૃત્યુ તિથિના ઉપલક્ષમાં San San San Woh Chali Hawa – Kaagaz Ke Phool, 1959 માં તેની બહુ જ કરૂણ ફિલ્મનું એક મોજમસ્તીનું ગીત એટલે યાદ કરવું છે કે મૃત્યુ સમયે ગુરુ દત્ત માત્ર ૩૯ વર્ષના જ હતા.

તિથીઓની વાતમાં આગળ વધીએ

Happy 88th Birthday, Madam Noor Jehan!માં ૨૦૦૯થી દર વર્ષે નુરજહાંના જન્મદિવસે રજૂ થતી પોસ્ટની લિંક તો છે જ, તે ઉપરાંત '૯૦ના દાયકામાં બીબીસી પર રજૂઅ થયેલા નૂરજહાંના ઈન્ટરવ્યુની પણ ક્લિપ્સ પણ છે તેમાં તેમની ફિલ્મોની વાત તેમની નજરે જોવા/સાંભળવાનો અનેરો મોકો મળી રહે છે.

On Begum Akhtar's birth centenary, a musical tribute at her grave.માં બેગમ અખ્તરનાં જન્મનાં સો વર્ષ
બાદ હવે તેમની મઝારને ફરીથી મરમ્મત કરાઇ છે અને તેમની યાદને લગતા કાર્યક્રમ પણ નિયમિતપણે કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે.

How Begum Akhtar changed my life: a tribute on the singer's 100th birth anniversaryમાં નાનપણમાં સાંભળેલ બેગમની ગાયકીનાં પ્રેમ, આશ્ચર્યો, ઝટકા, એકલતા, જીવન સાથેનો આગવો રોમાંસ કે પોતાની જ ટેવો પર હસી નાખવાના છૂપા અનુભવોને આજે ૪૦ વર્ષની ઉમરે તિષા શ્રીવાસ્તવ ફરીથી જીવે છે.

The Lonely Ghazal Queen: Begum Akhtar સખેદ નોંધે છે કે બેગમ અખ્તર બહુ જ નની વયમાં ખ્યાતિ પામી ચૂક્યાં હતાં. મહેંદી હસન, તલત મહમૂદ, મદન મોહન, પંડિત જસરાજ, અને પંડિત રવિશંકર જેવા દિગ્ગજો સહિત કેટલીય પેઢીઓને ગઝલો માણવાના અનેરા અવસર આપી ચૂક્યાં હતાં, એવાં બેગમ અખ્તરનું અંગત જીવન દુઃખ, પીડા, પોતાનાં જ લોકોના છેહ કે અતિ કષ્ટદાયક સંબંધોનાં કળણમાં ફસાયેલું રહ્યું હતું.

Unfathomable greatnessમાં સલીમ કીદવાઇ નોંધે છે કે ગાતી વખતે શબ્દોને તોડવા કે જોડવાની બાબતે બેગમ અખ્તરની સ્વાભાવિક કુશળતાથી સમજી શકાય છે કે તેઓનું ઉર્દુ ભાષા પર કેવું અદ્‍ભૂત પ્રભુત્વ હતું. ઉર્દુ ભાષા પર આટલું જ પ્રભુત્વ તેમનાં પછીના મહેંદી હસન કે ઇકબાલ બાનો કે ફરીદા ખાનુમ જેવાં કેટલાંક ગાયકોમાં જોવા મળ્યું છે.

Kishore Kumar’s duets by SD Burman - સચીન દેવ બર્મને બીજા કોઇ પણ પુરુષ ગાયક કરતાં વધારે (૧૧૫ ગીતો) કિશોર કુમાર સાથે કર્યાં છે. Surjit Singh’s siteઅનુસાર આમાંથી ૫૩ સોલો છે જ્યારે ૫૧ સ્ત્રી_પુરુષ યુગલ ગીતો, ૮ પુરુષ યુગલ ગીતો અને ૩ અન્ય ગીતો છે. આરાધના (૧૯૬૯) પહેલાંનાં આ પૈકી ઘણાં યુગલ ગીતો બહુ જ મધુર, મસ્તીભર્યાં અને એસ ડી બર્મન તેમ જ કિશોર કુમારાની કળાનાં વૈવિધ્ય જ્યાય આપી શકનારાં હતાં તે તો મોહમ્મદ રફીના અઠંગ ચાહકો પણ સ્વીકારે.

Geet Gaya Paththaron Ne – Rajakamal Studioમાં વી. શાંતારામની ફિલ્મોને બહુ પ્રેમથી યાદ કરાઇ છે. પોસ્ટને અંતે રાજકમલ સ્ટુડિયોની શકુંતલા(૧૯૪)૩થી પિંજરા (૧૯૭૩) સુધીની ફિલ્મોમાંથી એક એક ગીતની લિંક મૂકીને લેખનું મૂલ્ય અનેક ગણું વધારી દીધું છે..

My Favourites: Songs of Yearning - "કોઇક"નો ખ્યાલ બહુ ધુંધળો છે. સામાન્ય રીએ આપણને ખબર નથી હોતી એ વ્યક્તિ કોણ હશે, ક્યાં અને ક્યારે મળી જશે, અરે કદી મળશે કે કેમ તે પણ ખબર નથી હોતી.પણ આપણાં સ્વપ્નો, સંજોગો કે તક઼્દીર કોઇને તો આપણાં જીવનમાં 'વિશિષ્ટ' બનાવી જરૂર રાખે છે, જેની શોધ આપણો જીવન મંત્ર બની જતો હોય છે. અહીં આવી મીઠી તડપનાં ગીતો રજૂ થયાં છે.

Ten of my favourite string instrument songs માં કોઇ વિધિસરનું વાદ્ય વૃન્દ તંતુ વાદ્યો વગાડતું હોય તેમ નહીં, પણ વ્યાવસાયિક વાદ્ય કલાકારનો પાઠ ન ભજવી રહેલ અભિનેતા, કે અભિનેત્રીએ તંતુ વાધ વગાડતાં વગાડતાં ગાયેલાં ગીતોને યાદ કરાયાં છે.

Radio Playback Indiaમાં પંડિત હરિપ્રસાદ ચૌરસીઆની રાગ હંસધ્વનિની રજૂઆત મુકાઇ છે. રાગ હંસધ્વનિ સાથેનું મારૂં મૂળ મુદ્દે સંધાણ 'પરિવાર' (૧૯૫૬)નાં લતા મંગેશકર અને મન્નડેનાં બેનમૂન યુગલ ગીત "જા તો સે નહીં બોલું કન્હૈયા,રાહ ચલત પકડી મોરી બૈંયા'થી છે. તો વળી આ ગીતેને કારણે હંસધ્વનિમાં ગાયેલા તરાનાને કારણે ઉસ્તાદ અમીરખાં સાહેબ માટેનો આદર પણ અનેક ગણ્યો વધ્યો હતો. મજાની વાત તો એ છે કે હંસધ્વનિના આટલા અમથા પરિચયે જ મારી બહુ જ શરૂઆતની એક પોસ્ટના ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩ પણ લખાયા છે.

આપણે દર મહિને શ્રી સુરેશ ચાંદવણકરના લેખની પણ મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. ઑક્ટોબર ગાંધીજીના જન્મનો મહિનો છે, જેના માટે શ્રી ચાંદવણકરે When Bollywood maestros collaborated to put a Gandhi prayer to melody. લેખમાં વસંત દેસાઇઅનાં સંગીતમાં મન્નાડે અને સાથીઓના સ્વરમાં ગાંધીજીની જ કાવ્ય રચનાને સ્વરબદ્ધ કરી તે (૭૮ આર પી એમની) રેકર્ડને યાદ યાદ કરાવી આપી છે.

How a goatherd and Mozart inspired the score for Bimal Roy’s 'Madhumati',માં બિમલ રોયનાં દીકરી રીન્કી રોય ભટ્ટાચાર્યએ લખેલ પુસ્તક Bimal Roy’s Madhumati: Untold Stories from Behind the Scenesમાંથી કેટલીક રસપ્રદ વાતો સંક્ષિપ્તમાં મુકાઇ છે.

તમિળનાડુનાં (માજી) મુખ્યંત્રી, જે. જયલલિતા, પણ ઑક્ટોબર માસમાં સમચારમાં ગાજ્યાં.એટલે તેમનાં ફિલ્મોને યાદ કરતો કોઇ લેખ ન થાય તો જ નવાઇ લાગે. Four dance sequences from classic Jayalalithaa moviesમાં તેમનાં બહુ જ પ્રચલિત એવાં ચાર નત્ય ગીતોને યાદ કરી તેમની નૃત્યકળાની યાદને (પણ) તાજી કરાઈ છે. આપણે તેમાંથી હિંદી ફિલ્મ ઇઝ્ઝત (૧૯૬૭)નું નૃત્ય ગીત - જાગી બદનમેં જ્વાલા, સૈયાં તૂને ક્યા કર ડાલા"ને અહીં યાદ કરીશું.

ચરિત્ર અભિનેતા મનમોહન કૃષ્ણ અચ્છા ગાયક પણ છે. MANMOHAN KRISHNA SINGS FOR OP NAYYAR માં તેમણે ગાયેલાં, ઓ પી નય્યરે સ્વર બદ્ધ કરેલાં બે, અનોખાં, ગેરફિલ્મી ગીતો યાદ કરાયાં છે. બંને ગીતો સરોજ મોહિની નય્યરે લખ્યાં છે.બુઝે દિયે હુઆ અંધેરા તો તેઓ બધાં લાહોર હતાં ત્યારે રેકોર્ડ થયું હતું. જ્યારે દિયા તો જલા સબ રાત રે બાલમ પછીથી ફિલ્મ ‘ઢાકે કી મલમલ’માં સી એચ આત્માના અવાજમાં પણ રજૂ થયું છે.

આ અંકની શરૂઆત આપણે Songs..Books….and Moreથી કરી અને અંત પણ ત્યાં જ મુકાયેલ મોહમ્મદ રફીનાં, એક બહુ અનોખા સંજોગોમાં ગવાયેલાં, ગીતથી કરીશું. Sabhi Kuch Lutakar (Singer – Mohd Rafi, Movie Indrani, 1958) - એ બહુ જ મજાનું રોમેન્ટીક ગીત છે, જે બંગાળી ફિલ્મમાં હિંદી ગીતનાં સ્વરૂપે ફિલ્મમાં મુકાયું છે.

ઑક્ટોબર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
‘બંદીશ એક, સ્વરૂપ અનેક’ –(૨) : વૈષ્ણવજન
ફિલ્મી ગીતોમાં પત્રો (૧)
કાનનદેવી
દુર પપીહા બોલા… – ઉત્તરાર્ધ
                                                             પ્રકાશિત થયેલ છે.

Saturday, October 25, 2014

દુર પપીહા બોલા...અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો - ઉત્તરાર્ધ

"દુર પપીહા બોલા..."ના પૂર્વાર્ધમાં આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલ સુરૈયાની અભિનય અને ગાયનની ભૂમિકાવાળી પાંચમાંથી ત્રણ ફિલ્મોનાં ગીતોની વાત કરી હતી. આજે હવે બાકી રહેલ બે ફિલ્મોનાં અનેરાં ગીતો સાંભળીશું.
clip_image001
પૂર્વાર્ધમાં આપણે ૧૯૪૦ના દાયકાં રજૂ થયેલી ફિલ્મોનાં ગીતની વાત કરી. આપણે તે સમયે પણ જોઇ શકયાં હતાં કે ૧૯૪૩માં થયેલાં ગીતો અને પછીથી ૧૯૪૮ /૪૯માં સંગીતબદ્ધ થયેલ ગીતોમાં અનિલ બિશ્વાસ સ્વરગુંથન અને વાદ્ય-વ્યવસ્થામાં પાશાત્ય શૈલીની ખૂબીઓનો સુપેરે ઉપયોગ કરતા થઇ ગયા છે. વાદ્યવૃંદની સજાવટમાં તેમણે કરેલા પ્રયોગોની બહુ જ ઊંડી અસર પછીના સંગીતકારોમા જોવા મળે છે.

આજના ઉત્તરાર્ધની બંને ફિલ્મો ૧૯૫૦ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોની છે, જ્યારે નૌશાદ, સચીન દેવ બર્મન જેવા ગત દાયકાના ના મધ્ય ખંડમાં 'નવા' ઉભરેલ સંગીતકારોની સાથે (તથાકથિત "નવી" પેઢીના) સી. રામચંદ્ર, રોશન, શંકર જયકિશન, મદન મોહન જેવા સંગીતકારો એ ફિલ્મ સંગીત શીકલ ફેરવી કાઢી હતી.

સો જા રે સો જા બેટે - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

આપણાં ફિલ્મ સંગીતમાં હાલરડાંઓ પણ એક બહુ જ મહત્ત્વનો ગીત-પ્રકાર રહ્યો છે, જેને દરેક સંગીતકારે બહુ જ અલગ અલગ રીતે રજૂ પણ કરેલ છે.

હો મેરે દિલકી ધડકનમેં યે કૌન સમા ગયા - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

પ્રેમમાં ડૂબેલી યુવતીનાં મનની અવઢવને કેવી સુંવાળપથી રજૂ કરી છે !

આ ફિલ્મ રજૂ થતાં સુધીમાં સુરૈયા અને દેવ આનંદનાં પ્રેમ પ્રકરણને 'જાલિમ' જમાનાની નજર લાગી ચૂકી હતી. બંનેએ સાથે કામ કરેલ આ છેલ્લી ફિલ્મ હતી.

મુઝે તુમસે મોહબ્બત હૈ, મગર અબ તક કહાં થે તુમ શિકાયત હૈ - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

પ્રેમનો એકરાર તો છે, પણ તેમાં થોડી શિકાયતનો રંજ પણ છે..

ઓ સાજન દેખ ઈસ દુનિયાસે ક્યા ક્યા - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

કરૂણ ભાવમાં ઊઠતી શિકાયતની તિવ્ર લાગણીને સૌરૈયાએ બહુ અસરકાર રીતે રજૂ કરેલ છે.

રાહી મતવાલે તૂ આ જા એક બાર - વારીસ (૧૯૫૪) - તલત મહમૂદ સાથે- ગીતકારઃ કમર જલાલાબાદી

મૂળ રવીન્દ્ર સંગીતની ધૂનને અનિલ બિશ્વાસે અહીં બહુ જ અભિનવ રીતે ઉપયોગ કર્યો છે. આ યુગલ ગીત મૂલતઃ ટ્રેનની લય અને ગતિની ધ્વનિઅસરનું વાતાવરણ ખડું કરી દેવાયું છે.

ફિલ્મમાં ગીત ત્રણ અલગ અલગ સ્વરૂપે રજૂ થયેલ છે. પહેલું સ્વરૂપ ટ્રેનની સફર દરમ્યાન નાયકના મનમાં ફૂતી રહેલા આનંદના ભાવને ઝીલે છે. અકસ્માતે ટ્રેનના એ જ ડબ્બામાં મળી ગયેલ નાયિકાને પણ એ ભાવ મુગ્ધ કરી નાખવામાં સફળ રહે છે clip_image003
ઉપરની ક્લિપમાં ગીતનું બીજું સ્વરૂપ પણ સામેલ છે, જેમાં પહેલી મુલાકાતની યાદ વિરહની વેદનાને સંકોરે છે.
clip_image005
અને ત્રીજાં સ્વરૂપમાં એકલી પડી ગયેલી નાયિકાની વ્યથા વ્યકત થાય છે.
clip_image007
'હિંદી ફિલ્મ ગીત કોશ'માંની પાદનોંધમાં આ ગીત અનિલ બિશ્વાસે પોતે લખ્યું છે તેવી ટાંક જોવા મળે છે.
આડવાતઃ
મૂળ રવીન્દ્ર સંગીતની ધૂન પરથી રજૂ થયેલ રવિન્દ્રનાથ ઠાકુરનાં કાવ્યને પણ અનેક ગાયકોએ પોતપોતાની રીતે રજૂ કરવાના પ્રયોગો કરેલા છે. તેમાંનો એક અહીં રજૂ કરેલ છે.

૧૯૭૨ માં રજૂ થયેલ, ઉત્તમ કુમાર અને અપર્ણા સેન અભિનીત ફિલમ 'મૅમ સાહેબ'માં સંગીતકાર આશીમ ભટ્ટાચાર્યએ પણ આ ધૂનને રજૂ કરેલ છે. અહીં તેને બંગાળની બાઉલ લોકધૂન પરંપરાનાં સ્વરૂપે રજૂ કરાયેલ છે.
ઘર તેરા અપના ઘર લાગે - વારીસ (૧૯૫૪) - તલત મહમૂદ સાથે- ગીતકારઃ કમર જલાલાબાદી
clip_image009

નાયક અને નાયિકા પરણી ચૂક્યાં છે અને હવે કૌટુંબીક સહજીવનની પળોને માણે છે.

દૂર નહીં હોતે જો વો દિલમેં રહા કરતે હૈં - વારીસ (૧૯૫૪) - તલત મહમૂદ સાથે- ગીતકારઃ કમર જલાલાબાદી clip_image011

'રાહી મતવાલે'ની ઘૂમ લોકપ્રિયતાએ આ ગીતની ખૂબીઓને ઢાંકી દીધી છે એમ કહી શકાય.

દુનિયાકો નહીં મંઝૂર તેરા દર્દ - વારીસ (૧૯૫૪) - ગીતકારઃ કમર જલાલાબાદી

પતિ લડાઇમાં ગૂમ થઇ ગયો છે તેવી પત્ની પોતાના ગમને એકલી એકલી સહન કરે છે. આ વ્યાકુળતાને અલગ અલગ ભાવમાં વાચા આપવા અંતરાને જૂદાં સ્વરૂપે પેશ કરાયો છે. clip_image013


તારોંકી નગરીએ ચન્દાને - વારીસ (૧૯૫૪) - ગીતકારઃ કમર જલાલાબાદી

આ લેખની શરૂઆત પણ આપણે એક હાલરડાંથી કરી હતી. હવે અંત પણ હાલરડાંથી જ કરીશું.
બાળકને સુવરાવી રહેલી માનાં દિલમાં પતિના યુદ્ધમાં ખોવાઇ જવાને કારણે જે દુઃખ છે તેની છાંટ વર્તાય છે. clip_image015

Friday, October 24, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઑક્ટોબર, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઑક્ટોબર, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલનનાં હાર્દને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોની ચર્ચા રૂપ શરૂ કરેલી શ્રેણીમાં આપણે બિનઅનુપાલનનાં વિવિધ પાસાંઓ અને તે પછીનાં સુધારણાત્મક પગલાંની ચર્ચા કરતા અંક અગાઉના મહિનાઓમાં જોઈ ચૂક્યાં છીએ. આ મહિને આપણે હવે તેના પછીનાં સ્વાભાવિક કદમ - પુનરાવૃત્ત સતત સુધારણા-ની વાત માંડીશું.

ગુણવત્તા સંચાલનનાં વિદ્યાર્થી હોય કે પ્રશિક્ષક હોય કે વ્યાવસાયિક હોય, “સતત સુધારણા” શબ્દ, અને વિષય, તરીકે અજાણ્યો નથી જ. એટલે આપણે કોશીશ એ કરીશું કે અહીં જે કંઇ સામગ્રી આ વિષયે રજૂ કરીએ તેમાં કંઇક નવો દૃષ્ટિકોણ હોય.

પુનરાવૃત્ત સતત સુધારણા એટલે શું? What is CONTINUAL IMPROVEMENT?- ફરી ફરીને ઉછાળની જેમ થતી રહેતી સુધારણા.
CONTINUAL IMPROVEMENT WITHIN THE QUALITY MANAGEMENT SYSTEMSમાં આ વિષયની વિવિધ બાજૂઓનું નિરૂપણ છે.
પુનરાવૃત્ત સતત સુધારણા
પુનરાવૃત્ત સતત સુધારણા માટે નેતૃત્વ, પ્રત્યાયન, સંસાધનો,સંસ્થાગત સ્થાપત્ય, લોકો અને પ્રક્રિયાઓ જેવાં સંસ્થામા લાગૂ પડતાં પ્રત્યેક કાર્યક્ષેત્રમાં તેને સંભવિત કરી શકનારાં પરિબળો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. વિભાગીય સુધારણાઓ અવરોધો કે સમસ્યાઓને સમગ્ર પ્રક્રિયા સાંકળમાં એકથી બીજી જગ્યાએ ખસેડે છે.
સુધારણા એ થોડાં સાધનો કે તકનીકોનો પ્રયોગ માત્ર પણ નથી. કે નથી તે માત્ર સુધારણા ટીમોનાં ગઠન કરવાં કે સભ્યોને પ્રશિક્ષણ આપવું. સુધારણા એ પરિણામ છે, એટલે નક્કર ફાયદાકારક બદલાવની અસર સંસ્થાની કામગીરી પર લાંબા સમય સુધી ટકી રહેલી સિદ્ધ થાય તો જ સુધારણા થઇ છે એમ કહી શકાય.
શા માટે સતત સુધારણાને પડતી મૂકવી પડે ? \ Why Continuous Improvement May Need To Be Discontinued - રૉન એસ્કૅનસ
નવીનીકરણ ચિંતક વિજય ગોવિંદરાજનનું કહેવું છે કે "જેમ જેમ કંપની સમગ્ર ગુણવત્તા સંચાલનમાં વધારે ને વધારે વણાતી જાય, તેમ તેમ મોટા પાયા પર થતાં નવીનીકરણને નુક્સાન થતું રહેશે. બીનસાતત્ય નવીનીકરણ માટે જે અભિગમ જોઇએ, જે ક્ષમતાઓ જોઇએ, મપણી માટેનાં જે કોષ્ટકો જોઇએ, સમગ્રપણે જે વાતાવરણ જોઇએ તે જ મૂળભૂત રીતે સાવ અલગ પડે છે."

આ પરિસ્થિતિમાં આપણા દૃષ્ટિકોણને ઝીણી ઝીણી બાબતોથી ઘડવાની જરૂર રહે છે:
§ સતત સુધારણ ક્યાં અને કેમ લાગુ કરવી તેને સ્થિતિની માંગ મુજબ નક્કી કરો. કંપનીના દરેક વિભાગમાં દરેક સમયે એક જ લાકડીથી કામ ન લેવાય.

§ પ્રક્રિયાઓને સુધારવાની જરૂર છે, કે દૂર કરી નાખવાની, કે અટકાવી દેવાની જરૂર છે તે વિષે પ્રશ્ન કરો. એટલી બધી સતત સુધારણા પરિયોજનાઓનું ધ્યાન કાર્યદક્ષતા વધારવા પર કેન્દ્રીત થ ઇ જતું હોય છે કે મૂળ મુદ્દે શું કરવું જોઇએ તે અનુમાનો વિષે વિચારવાનું તો કોઇને યાદ જ નથી આવતું.

§ કંપનીની સંસ્કૃતિપરની અસરોનો પણ ક્યાસ કાઢતાં રહો.
જ્યારે આપણી જ ભૂતકાળની સફળતા આપણા માર્ગમાં અવરોધ બની જાય \ When Your Past Success Becomes An Obstacle - કેરૉલ કીન્સી ગોમં
નવી નવી વિચારધારાઓ કે વર્તણૂકોને ઝડપથી અપનાવાતી રહીને, બદલતા સમયમાં પણ પોતાની ટીમ સફળતાને જ વરેલી રહે,તે માટે ભૂતકાળની કઈ પ્ર્ણાલિકોઆ અને કાર્યપદ્ધતિઓને હટાવવી જરૂરી છે તે નક્કી કરવું એ કોઇપણ સંસ્થાનાં નેતૃત્વ માટે મોટો પડકાર છે.એ માટે તમારી ટીમે આ પાંચ સવાલોને સતત નજર સમક્ષ રાખવા જોઇએ:

૧. આપણી શ્રેષ્ઠતા શેમાં છે ? (કયાં કૌશલ્યો, કૈ ક્ષમતાઓ કે કયા દૃષ્ટિકોણોમાટે આપણને ગર્વ છે ?)

૨. એ પૈકી કયાં કૌશલ્યો , કે ક્ષમતાઓ કે દૃષ્ટિકોણો આપણને ભવિષ્યમાં પણ સફળ રહેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં રહ્શે?

૩. શું અણશીખ્યું કરવાની જરૂર છે (ક્યાં કૌશલ્યો અપ્રચલિત બની ચુક્યાં છે ? ગઇ કાલ સુધી જે કામ આવી એવી દૃષ્ટિકોણ, વર્તણૂકો, કાર્યનીશીઓ વગેરે જેવી પ્રણાલિકાઓ આજે, અને ભવિષ્યમાં, નુકસાનકારક પુરવાર થઇ શકે છે ?)

૪. આપણી કઇ ક્ષમતાઓ નવી ઢબથી કામ કરવામાં રૂકાવટ પરવડતી જણાય છે ? (કોઠે પડી ગયાં હોય, કે બહુ જ વધારે પડતાં ફાવી ગયાં હોય, એવાં કયાં ક્ષેત્રો છે જેને છોડતાં આકરૂં પડે છે?)

૫. સંસ્થામાં મૂલ્યવાન અને પ્રસ્તુત રહેવા માટે કયાં નવાં કૌશલ્યો પર નિપુણતા સિદ્ધ કરવાની જરૂર છે ?
આપણે ક્યાં તો બહેતર થતાં જઇએ અને ક્યાં તો બદતર - બહેતેર થવાના રસ્તા \ You Are Either Getting Better Or You Are Getting Worse - પૌલ બી બ્રાઉન
બહેતર થતાં જ રહેવું જોઇએ - એમ સ્વીકારે તો બધાં જ છે, પણ કદાચ સૈદ્ધાંતિક રાહે જ.વાસ્તવિકતામાં જ્યારે બધું સમુંસુતરૂં ચાલતું હોય છે ત્યારે જ બધુ ખોરંભે ચડી જતું હોય છે...ફરજ પડે ત્યાં સુધી રાહ જોવી એ ક્યારે પણ હિતાવહ નથી….દરરોજ કંઇને કંઇ, થોડું થોડું પણ, સુધારણાને ચાકળે ફરતું રહે તે જ ઇચ્છનીય છે.

બ્લૉગ કાર્નીવલની એક જ પોસ્ટમાં સતત સુધારણાનાં વિવિધ પાસાંઓ અને શોધખોળમાંથી નોંધપાત્ર લાગેલા મોટા ભાગના લેખોને સમાવવું અશક્ય છે. એટલે આપણે હવે પછીના બે અંકમાં પણ આ વિષય પર જ આગળ વાત કરતાં રહીશું.

તે દરમ્યાન આપણા નિયમિત વિભાગો તરફ નજર કરવાનો સમય પણ પાકી ગયો છે.

ASQના મુખ્ય પ્રબંધક બીલ ટ્રૉય ગુણવત્તા માટેની વ્યૂહરચના અને તેની પેલે પાર વિષેની ચર્ચા Charting A Strategy For Quality–And Beyondમાં, છેડે છે
“આખરે વ્યૂહરચાનો આશય તો આ સવાલોનો જવાબ આપાવાનો જ છે : જ્યાં છીએ ત્યાંથી જ્યાં જવું છે ત્યાં પહોંચવું કેમ કરીને? કયો માર્ગ અપનાવવો ? ત્યાં શી રીતે પહોંચીશું,કયા ક્રમમાં શું શું પગલાં ભરવાં પડશે ?

“વ્યૂહરચના અંગે અંગે વિચાર કરવલાયક પાંચ પ્રશ્નો હું રજૂ કરીશ :

૧. મુદ્દાની હકીકતઓ અને અનુમાનો કયાં છે ?

૨. જીત માટેનો આપણો સિદ્ધાંત શું છે ?

૩. વ્યૂહરચનાનાં દરેક પાસાંને સિદ્ધ કરવું શક્ય છે ખરૂં?

૪. તમારી વ્યૂહરચનાની બહાર હોય એવાં કામ થઇ રહ્યાં છે ખરાં?

૫. વ્યૂહરચનાને ચકાસી જોવા માટે જરૂરી સમય આપણાં આયોજનમાં છે ખરો?

“એક તાકીદ: વ્યૂહરચના માટે કેટલો સમય ફાળવી શકાય તેમ છે નક્કી કરી લેવું જોઇએ અને તે પ્રમાણે જ વર્તવું જોઇએ. કામ તો થતાં જ રહેવાં જોઇએ, જેથી વિચારણાનાં વમળમાં કેદ ન થઇ જવાય. પ્રશ્નોથી એક મર્યાદામાં જ અભિભૂત થવાય. લશ્કરમાં અને બે તૃતીયાંશ , એક તૃતીયાંશનો નિયમ પાળતા - વ્યૂહરચનને સમજવા, અમલ કરવા અને તેનથી આગળ જવા માટે બે તૃતીયાંશ સમય તો બીજાં માટે છોડી દેવો જ જોઇએ.

ASQ communicationsનાંજુલીઆ મૅકીન્તોશ September Roundup: What’s the Best Approach to Strategy? માં ASQ Bloggersના એ વિષય પરના રજૂ કરે છે.

અને હવે આપણે ASQ TVનાં વૃતાંત તરફ સુકાન ફેરવીએ. આ મહિને આપણી પાસે બે અલગ અલગ વિષયો પરના વિડીયો સમૂહ અને તેને લગતા અન્ય લેખ જોવા મળશે

Quality Improves Government

દુનિયાભરની સરકારો ગુણવત્તાનાં સાધનો અને પદ્ધતિઓના ઉપયોગ વડે નોંધપાત્ર અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવી સુધારણાઓ કરે છે. ASQ TVના આ વૃતાંતમાં, સરકારનાં કામકાજમાં ગુણવત્તાનાં મહત્ત્વને લગતાં બે સકારાત્મક ઉદાહરણોની વાત છે. તે ઉપરાંત મનુ વોરાના મિલ્વાઉકી પબ્લીક હેલ્થ લેબના ઇન્ટરવ્યુ વિષે પણ વાંચશો.

સંલગ્ન વિડીયોઃ
મનુ વોરા અને વી કે અગ્નિહોત્રી ભારત સરકારમાં હાલમાં, અને ભવિષ્યમાં, ગુણવત્તાની ભૂમિકાની વાત કરવાની સાથે સરકારનાં કામકાજમાં ગુણવત્તાની હિમાયત કરે છે.
Soft Skills-Leadership and Management

આપણા વ્યવસાય કે ઉદ્યોગની અંદર કે બહારની બધી બાબતોમાં પ્રાવીણ્ય હોવું જરૂરી છે, પણ એટલું જ પૂરતું નથી. સફળ નેતૃત્વ માટે અને આપણાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનમાટે અસરકારક દોરવણી પૂરી પાડવા માટે નાની નાની બાબતોનાં કૌશલ્યોમાં નિપુણતા મેળવવી એટલી જ જરૂરી છે. ASQ TVનું આ વતાંત એવાં કૌશલ્યો કયાં છે અને તેમાં નિપુણતા કેમ મેળવવાથી રોજબરોજના સંબંધો માં, અને તેના થકી પોતાની કારકીર્દીમાં કેમ સફળ થવું તેની ચર્ચા કરે છે.

સંલગ્ન વિડીયોઃ
Rosemarie Christopher's Career Corner columns

બીજા સંલગ્ન વિડીયો
લેખક અને વકતા સીમોન ટી.બૈલીનાં કહેવા મુજબ અગ્રણીઓએ પરિવર્તન લાવા માટે બૃહદ ચિત્ર પણ નજર સમક્ષ રાખવું જોઇએ. આ વિડીયોમાં અગ્રણીઓએ પોતાની વાત કઇ રીતે કહેવી જોઇએ, પોતાનાં નેતૃત્વને શી રીતે ટકાવી શકાય અને ગુણવત્તા ક્ષેત્રનાં અગ્રણીઓએ તેમની સંસ્થાઓમાં પહેલ લેવા શું કરવું જોઇએ તેની વાત છે. બૈલીએ ૨૦૧૪ની વિશ્વ પરિષદમાં આપેલ ગુણવત્તા અને સુધારણા પર આપેલ વ્યક્તવ્ય on demand ઉપલ્બધ છે.
કર્મચારીઓને પ્રેરણા પૂરી પાડવા અને ઉચ્ચ કામગીરીનાં સંબંધોને વિકસાવવા માટે અગ્રણીઓએ સમજવું જરૂરી છે કે દરેક લોકોની કંઇને કંઈ જરૂરીયાતો તો કામનાં સ્થળે સંતોષાવી જોઇએ. આ ક્લિપમાં દરેક વ્યક્તિની જરૂરિયાત સમજી અને તેમની સાથે કામ સંબંધી  અર્થપૂર્ણ અને લાંબા ગાળાની ઉત્પાદકતાને જોડતા સંબંધો કેમ બાંચવા તેની વાત કરવામાં આવેલ છે.
Read the Quality Progress article
Listen to the full interview

આ મહિનાના આપણા ASQ’s Influential Voice છે – જોહ્ન પ્રીબે.

જોહ્ન પ્રીબે NBCUniversalમાં વ્યાપાર ગુણવત્તાના વાઈસ પ્રેસીડેન્ટ છે. પ્રક્રિયા સુધારણા, નવીનીકરણ અને
ગુણવત્તા નિયમનનાં ક્ષેત્રમાં તેમને બહોળો અનુભવ છે. તેઓ લીન સિક્ષ સીગ્મા બ્લૅક બેલ્ટ પણ ધરાવે છે. તેમના બ્લૉગ, JohnPriebe.com,ની ટેગલાઇન છે Innovation | Quality | Leadership.
તેમના બ્લૉગ પર ASQ Influential Voices પર ચર્ચાતા વિષયો પર તેમના વિચારોની રજૂઆતની સાથે સાથે વચ્ચે અન્ય રસપ્રદ વિષયોની પણ ચર્ચા જોવા મળે છે.એવી એક પૉસ્ટ છે : The Emergent Culture: Be the Change You Wish to See.. લેખમાં પક્ષીના સમુહમાં 'ઉભરતી વર્તણૂક'ની કુદરતી જૈવિક ઘટનાને સમાંતર જ રચાતી માનવ સમુદાયની વર્તણૂકની વાત કરી છે. માનવ સમુદાય માટે એ કક્ષાએ પહોંચવાનો માર્ગ લાંબો તો છે, પણ "દુનિયાને જે રીતે જોવી છેતેનાં પરિવર્તનની શરૂઆત પોતાથી જ કરીએ"થી સફરની શરૂઆત તો કરી જ શકાય.
આ મહિને પણ Curious Cat Management Improvement Carnivalમાં કોઇ નવી પૉસ્ટ નથી. તેથી હંમેશની જેમ આપણે ત્યાં પ્રસિધ્ધ થયેલી કોઇ એક પોસ્ટની પસંદગી કરીશું . આમ મહિને આપણી પસંદ છે : Take Advantage of the Strengths Each Person Brings to Work.
સંચાલકોએ સંસ્થાની દરેક વ્યક્તિનાં સબળ પાસાંઓનો મહત્તમ ફાયદો ઊઠાવવાની સાથે સાથે તેમનાં નબળાં પાસાંની અવળી અસર ઓછામાં ઓછી થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

આને માટે 'નિષ્ફળતાનો સદંતર અસ્વીકાર"નો અભિગમ અપનાવવો જોઇએ, જેથી કરીને
"એવી તંત્ર વ્યવસ્થા તૈયાર થાય જે કૌશલ્યો ઘડે અને તેના થકી કાર્યરત રહે અને લોકોની શક્તિઓ અને શ્રેષ્ઠ કામ કરવાની ભાવનાનો ભરપૂર ઉપયોગ કરે.'

ડબ્લ્યુ એડવર્ડ્સ ડેમિંગ નું કહેવું છે કે “નેતૃત્વનો ઉદ્દેશ્ય લોકોની ભૂલો શોધી કાઢીને ચોપડે ચડાવવાનો નહીં, પણ નિષ્ફળતાઓનાં કારણો દૂર કરવાનો અને લોકો ઓછી મહેનતે વધારે સારાં કામ કરી શકે તે હોવો જોઇએ.”
આપણા બ્લોગોત્સોવને વધારે માહિતિપ્રદ અને રસપ્રદ બનાવવામાં આપ સહુનાં સૂચનો મળતાં રહેશે, તે સાથે નવાં વર્ષમાટે શુભેચ્છાઓ .....

Monday, October 20, 2014

'કલમ કાંતે કચ્છ': ગ્રંથ - ૫: જળ - મૃગજળ

શ્રી કીર્તિ જયંત ખત્રીનાં 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળના અનુભવોને માનવીય ભાષામાં શબ્દદેહે રજૂ કરતા લેખોનું સંકલન ૮ +૧ ગ્રથમાં શ્રી માણેકલાલ પટેલે કર્યું છે.

"જળ-મૃગજળ" આ સંપૂટનું પાંચમું પુસ્તક છે.

શક્ય છે કે સંકલન સમયે દરેક પુસ્તકના વિષયને કોઇ ક્રમમાં મૂકીને પુસ્તકોના ક્રમાંક નક્કી થયા હોય. પરંતુ આ પરિચયકર્તા પોતાને જે પ્રશ્નોની અગત્ય સમજાય છે તે ક્રમમાં આ પુસ્તક સંપુટને વાચક સમક્ષ રજૂ કરી રહેલ છે.

આ સમગ્ર પુસ્તકશ્રેણીમાં સમાવાયેલા કીર્તીભાઈના લેખો જે તે સમયે જે સ્વરૂપે લખાયા હતા તે જ સ્વરૂપે અહીં ગ્રંથસ્થ થયેલ છે.આને કારણે ઘણી જગ્યાએ પૂર્વાપર વિગતો ખૂટતી કે તૂટતી જણાય છે. તે જ રીતે મૂળ વિષય, તેમાંના પેટા વિષયોની રજૂઆતમાં પણ ક્યાંક એકસૂત્રતા કે સમયક્ર્માનુસારતા પણ ચુકાતી હોય તેવું પણ અનુભવાય છે. જો કે પુસ્તક્શ્રેણીના સંપાદક્શ્રી તેમનાં સંપાદકીય નિવેદનમાં કહે છે, "ગ્રામીણ પત્રકારત્વના અભ્યાસીઓને જે તે સમયે સ્થિતિનો ખ્યાલ આવે એ માટે (લેખોને... અલબત્ત)સંપાદિત જરૂર કર્યા છે, પણ એમાં કોઈ સુધારા વધારા (અપડેટ) કર્યા નથી'”, તે મર્યાદા સ્વીકારીને આપણે આ પુસ્તકોને વાંચવાં અને સમજવાં રહ્યાં.

ગ્રંથ ૫નું શીર્ષક "જળ-મૃગજળ" કચ્છના એક બહુ જ મહત્ત્વના પ્રશ્નને 'ઊંડાણપૂર્વક જોવાનો" પ્રયાસ છે.

'જળ-મૃગજળ'ના સમય કાળની શરૂઆત તકનીકી રીતે તો કીર્તિભાઈની 'કચ્છમિત્ર'ની ઈનિંગ્સના સમયથી પણ પહેલાંથી થાય છે. સ્વાભાવિક છે કે આટલું મહત્ત્વ ધરાવતો, પુસ્તકનો પહેલો જ, લેખ "કાળમુખા દુકાળની ચપેટ" (૨૭-૯-૧૯૭૪ )નો જ હોય. લેખનું પહેલું જ વાકય - કચ્છ માટે દુષ્કાળ એ કંઈ નવી બાબત નથી....પણ (વીસમી સદીના) સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળના સિતમગર સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો..માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બની રહ્યું છે - પ્રશ્નનાં મહત્વની સાથે સાથે તેના કચ્છનાં જનજીવન પર સમગ્રતયા પડતી અસર બહુ જ સ્પષ્ટ કરી મૂકે છે.

પુસ્તકના વિષયોનાં ફલકને સમજવાનો પ્રયાસ કરતાં એમ જોઈ શકાય છે કે 'દુકાળ' શબ્દ લેખનાં શીર્ષકમાં જ હોય તેવા ૧૨ લેખોનો સમયકાળ ૧૯૭૪ થી ૨૦૧૩ સુધીનો જોવા મળે છે. તે પૈકી ૧૯૭૪ના વર્ષના ફેલા લેખ પછીથી કીર્તિભાઇના'કચ્છમિત્ર'ના સમય સાથે શરૂ થતાં ૧૯૮૭ના વર્ષના ત્રણ, ૧૯૯૬,૧૯૯૭ ના દર વર્ષના એક, ૧૯૯૮ના વર્ષના બે , ૨૦૦૨ અને ૨૦૦૩ના દરેક વર્ષના એક અને છેલ્લે ૨૦૧૨ અને ૨૦૧૩નાં વર્ષનો એક લેખ છે. આમ એમ સમજી શકાય છે કે ૧૯૮૭થી લગભગ ૨૦૦૩ સુધી મોટા ભાગના સમયમાં ઓછે વત્તે સમયે દુકાળની પરિસ્થિતિ રહ્યા બાદ, અચાનક જ ૨૦૦૩ પછી સળંગ એક દસકા સુધી ચોમાસાં સારાં ગયાં. તેમ શરુઆતના લેખ '૮૦ના દાયકાના છે તેનું કારણ એ સમયમાં જ કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ની કારકિર્દીની શરૂઆત સમજીએ તો પછી લગભગ દસ વર્ષનો ગાળો કેમ પડી જાય છે તે ક્ચ્છના સમયકાળની તવારીખથી પરિચિત ન હોય તેવા વાચકને માટે, લેખો વાંચવા માત્રથી કદાચ ન સમજાય.

કચ્છની એક ચિરંતર સમસ્યા,અનિયમિત અને અપૂરતાં ચોમાસાં અને તેને સંલગ્ન અન્ય બાબતોનો વ્યાપક ચિતાર રજૂ કરવાનો પુસ્તકનો મૂળ આશય છે. કેટલાક લેખોમાંના અવતરણો વડે આપણે પણ અહીં પુસ્તકમાંની રજૂઆતોનું વિહંગાવલોકન કરીએઃ

'ક્ચ્છ કાળમુખા દુષ્કાળની ચપેટમાં' (૨૭-૯-૧૯૭૪)
"સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળોના..સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો...માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બન્યું છે.

"ધાવણહીન માતા જેવી ધરતી પર મીટ માંડતા, માભોમના સૂકાભઠ્ઠ બદનમાંથી ઊઠતા ફળફળતા નિઃસાસા જેવી લૂ હજૂયે ક્યાંક વાતી રહે છે. દુષ્કાળના રાક્ષસી પંજાએ પહેલા મરણતોલ ફટકામાં દોઢ બે માસના ટૂંકાગાળામાં અંદાજે ૧૩થી ૧૫ હજાર ઢોરોને મોતના ખપ્પરમાં હોમી દીધાં છે.(પૃ. ૩૭)

"રાહત કામ પર મજૂરી કરતા...લોકોના ચહેરા જોઈએ છીએ તો...તેમની આંખોના ડોળામાં સફેદ રંગ તો ભાગ્યે જ જોવા મળે છે, માટી ખોદી ખોદીને તેમની આંખો ધગધગતા અંગારા જેવી લાલચોળ બની ગઇ છે.શરીર પર પહેરેલાં કપડાં તો જાણે કોઇ હાડપિંજર પર લટકી રહેલાં દેખાય છે...કદાચ એટલે જ રતાંધળાપણાના કેસો...ક્ષયરોગનું પ્રમાણ ચોકાવનારું છે." (પૃ. ૬૮)

"જ્યાં જૂઓ ત્યાં અછત બસ અછત. છત છે માત્ર ભૂખ્યાંતરસ્યા જીવની લાશો જેવા માનવીઓની, ઘાસપાણી વિના મોત તરફ આગેકદમ કરતા હજારો ઢોરોની, પોષણયુક્ત આહાર વિના મૂરઝાતાં માસૂમ બાળકોની અને મરેલાં ઢોરોના દેહ ચૂંથતાં ગીધ-કાગડા-કૂતરાંઓની." (પૃ. ૩૯)
'ખુદાકી શાન આપ હમારે ઘર આયે, કભી હમ અપને આપકો કભી ઘરકો દેખતે હૈં' (તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીની ૨૧-૩-૧૯૮૬થી ત્રણ દિવસની મુલાકાત સમયે)
"આવું છે અમારૂં વતન : આઝાદી પછીના ચાર પૈકી ત્રણ દાયકા અછતમાં વીતાવ્યા છે...માનવી કરતાં ઢોરોની સંખ્યા વધુ છે....અફસોસ અપેક્ષિત અને સમતોલ વિકાસ એક યા બીજા કારણસર થઈ શક્યો નથી તેનો છે... રાજય અને કેન્દ્રની કેટલીક યોજનાઓ અમલમાં મુકાઇ પરંતુ તેના પ્રામાણિક અને ઝડપી અમલના અભાવે યા તો રકાસ થયો છે અગર તો તેનાં ફળ છેવાડાનાં આદમીના મોં સુધી પહોંચ્યાં નથી. (પૃ. ૪૮)

"એશિયાના ઉત્તમ ધાસિયા મેદાન તરીકે જાણીતા બનેલા બન્ની વિસ્તારમાં શરૂ થયેલું ગાંડા બાવળોનું આક્રમણ રોકવા હજુ કોઇ પગલાં જ વિચારાયાં નથી (પૃ. ૪૯)

"કચ્છના ૯૬૭ ગામોમાંથી પચાસ ટકા ગામોંમાં સસ્તા અનાજની દુકાન નથી... જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ પૈકી જો ૨૮૦ પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષક્થી ચાલતી હોય અને ૧૦૮૮ ઓરડા તેમજ ૧૩૨ શિક્ષકોની ઘટ હોય....(પૃ. ૪૯)
'ક્ચ્છમાં ચોથા દુકાળનાં ડાકલાં : ઘાસની બૂમ ‘ (૨૫-૭-૧૯૮૭)
"..અમે જોયું તો ત્રણ ઓરતો માથે પાનની ભારી નાખી જઈ રહી હતી.અમે એમને કંઇ પૂછીએ એ પહેલાં જ એમાંની એકે ભારી ફેંકી ચાલતી પકડી. બીજી યુવતીની આખોમાં ભય નજરે ચડ્યો. વાત એમ હતી કે, ઢોરો માટે કંઇ ન મળતાં આ ત્રણ ઓરતો કોઇની વાડીમાં ઘૂસી જઇ રજા લીધા વિના આંબાના ઝાડનાં પાન ઉતારી ઢોરોને ખવડાવવા લઇ જઇ રહી હતી. કેવી લાચારી ! સામાન્ય સંજોગોમાં આ ઓરતો પોતાના ગામમાં કોઇ બહારનો આદમી આવે તો ઘરની બહાર પગ ન મૂકે. અને આજે કુદરતની ક્રૂરતાને પરિણામે પોતાના ઢોર માટે પાંદડાની ચોરી કરવા ગઇ!" (પૃ.૫૭)

'ઢોરવાડાનો વિકલ્પ' (૨૩-૯-૧૯૯૭)
"દુષ્કાળ પડે ત્યારે દાતાઓ દાનની પુનિત ગંગા વહેવડાવે છે. તેઓ જો આ નાણાં સારા વર્ષમાં ઘાસ બૅંક માટે ખર્ચે તો એક જ વારના ખર્ચમાં હંમેશની મુશ્કેલી દૂર થઇ શકે." (પૃ. ૧૧૦)

'દુકાળ આપત્તિને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં સમાવી લો.' (દીપોત્સવી : ૨૦૦૨)
"દુકાળના કાયમી નિવારણ માટે કૂવા રિચારજીંગની, જળ સંરક્ષણ અને સંચય, ઘાસ બેંક, જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ કાર્યક્રમ, ખેત તળાવડી વગેરે યોજનાઓ છે અને બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી લોકભાગીદારીથીતેનો અમલ રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યો છે. લોકોમાં પણ જાગૃતિ આવી છે....ક્ચ્છમાં દશમાંથી સાત વર્ષ દરમ્યાન (દુકાળ રાહતકામ અને) પશુરક્ષા પ્રવૃત્તિ કરવી જ પડે છે.. તેન કારણે સમયાંતરે સ્થાપિત હિત ઊભાં થયાં છે...ભ્રષ્ટાચાર સામે તમામ તાકાત સાથે લડવાનું મનોબળ કોઇ પણ સરકાર દાખવી શકી નથી એ આપણા જાહેરજીવનની સૌથી મોટી કમનસીબી છે."

'દુકાળ સાથેનો પનારો ભૂલીને આપણે મોટી ભૂલ કરી છે' (૨૩-૦૮-૨૦૧૨)
"ભૂકંપ પછી ૨૦૦૨માં અછત સર્જાઈ ત્યારે અગાઉની જેમ ફરી દુકાળ નિવારણ કાર્યક્ર્મ ઘડાયો, પણ પછી સતત વરસાદ પડતાં બધું ભૂલાઇ ગયું.... જોકે જળ સંચય-સંરક્ષણના કામ સારાં થયાં છે...હવે પ્રજા, સંસ્થાઓ અને સરકારે અભિગમ બદલવો પડશે." (પ. ૧૫૫)

'અતિવૃષ્ટિની શક્યતા વિચારાય તો દુકાળની કેમ નહીં ?' (૨-૬-૨૦૧૩)
"કચ્છમાં ૨૦૧૩માં અછતનું વર્ષ એના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂક્યું છે... ૧૯૮૪થી ક્ચ્છમાં દુકાળની પરંપરા શરૂ થઈ તે સમયે પણ આવી જ સ્થિતિ હતી....પૂર અને અતિવૃષ્ટિના તો સીધા અણસાર મળતા હોય છે,છતાં આગોતરી તૈયારી કરાય, પણ જેના અણસાર મળતા નથી અને અનિશ્ચિતતાઓ છવાઇ રહેલી હોય એના સામનાની કે શક્યતાની કોઇ વિચારણા જ કરાય નહી...અછત, દુકાળ કે અર્ધદુકાળ વખતે એની વ્યાખ્યા..તો અંગ્રેજોના સમયના નિયમો છે....સાચી વાત એ છે કે અંગ્રેજોએ આપેલી આનાવારી પદ્ધતિથી અછતનું પ્રમાણ નક્કી કરવાની પ્રથા જ ભૂલભરેલી છે....ખરેખર તો આજના ઇન્ટરનેટ અને (અવકાશ વિજ્ઞાનના યુગમાંઅત્યાધુનિક ઢબે વરસાદ, ખેતી અને ઘાસનો અંદાજ કાઢીને આનાવારી નક્કી થઇ શકે છે....સરકાર જૂની પદ્ધતિને તિલાંજલી આપે એ સમયની માંગ છે." (પૃ. ૧૬૦-૧૬૩)

દુકાળને લગતા વિષયની આ ચર્ચા પછીથી સીધી કોઇ ચર્ચા જોવા નથી મળતી.

અહીં સુધીના લેખોમાં વચ્ચે વચ્ચે પાંજરાપોળો, ઘાસ બેંક, ઢોરવાડા, રાહતકામો , જળસંરક્ષણ જેવા સંલ્ગન વિષયોને સ્પર્શતા લેખો પણ આવરી લેવાયા છે.

અહીંથી હવે પછી કચ્છમાં પાણીના પ્રશ્નનાં નર્મદા જળનાં નવાં પરિમાણનાં મંડાણ 'નર્મદાનાં મૃગજળ ' (૧-૨-૧૯૮૬) લેખમાં ‘દુકાળીયા મુલકને ધોરીધરાર અન્યાય ‘ (પૃ. ૧૭૧)ની તીખી રજૂઆતથી થાય છે.

તે પછી લેખ ૬-૮-૧૯૯૨, ૬-૮-૧૯૯૩ના છે, જ્યાં સુધી પણ સૂર 'અન્યાયોની વણઝાર'નો જ જણાય છે. ૨૫-૯-૧૯૯૪ના લેખ 'નર્મદા પ્રશ્ને સંવાદની પહેલ' શરૂ થવાથી "સરકારનું મન ખુલ્લું છે એની પ્રતીતિ" થતી જણાય છે. ૨૮-૭ -૧૯૯૫ના 'પાઇપલાઇન યોજના અને કચ્છ'માં પાઈપલાઇન કે કેનાલ વડે પાણી પહોંચાડવાની દ્વિધામાં પણ આશાવાદ જીવંત જણાય છે.

૨૪-૮-૧૯૯૬ના લેખ 'ગ્રેવિટી ફ્લોથી નર્મદાનું પાણી'માં ગ્રેવિટી ફ્લોની માગણીની ગાડી પાટે ચઢી છે તેની સહર્ષ નોંધ લેવાની સાથે અંતિમ પરિણામ સુધી જાગૃત રહેવાની ટકોર પણ છે.

૧૨-૭-૨૦૦૨ના લેખ 'કચ્છનાં નર્મદાનાં નીરહરણ માટે જવાબદાર કોણ?'માં "'વિતતી નથી વેદનાની એક પણ, પણ વર્ષો પળવારમાં વીતી ગયાં' જેવા મરીઝની ગઝલના શેરને ટાંકીને ૨૦૦૧ના ધરતીકંપ પછીના બચાવ-રાહતથી નવસર્જન સુધીનાં વિ સ્તૃત લેખાંજોખાં (કરવાના સમયે લેખક નોંધે છે કે) ૧૭મી સદીમાં ગુલામ શાહ કલોરાએ સિંધુનું કચ્છનું વહેણ અટકાવવા બંધ બાંધ્યા હતા, પછી ધરતીકંપે 'અ લ્લાહબંધ' સર્જી દીધો. ૨૦મી સદીમાં નર્મદાનાં પૂરતાં પાણી કચ્છ તરફ વહેડાવવામાં રાજ્ય સરકારોની નિષ્ફળતાની નોંધ પણ, પચાસ સાઠ વર્ષ પછી ઇતિહાસમાં કદાચ એ જ રીતે લેવાશે." (પૃ. ૨૧૫થી ૨૧૭)

૧૭-૫-૨૦૦૩ના લેખ 'ક્ચ્છમાં નર્મદાનાં જળ અને મૃગજળ'માં "વર્ષ ૨૦૦૩માં ૬૫૦ કિ.મી.નો ...પંથ કાપીને… નર્મદાનાં નીરના કચ્છ આગમનને ઉમળકાથી (વધાવતાં) સિંચાઇનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં આવે ત્યાં સુધી એ મૃગજળ જ રહેવાનું છે' એ ફરિયાદનો સૂર કાયમ રહે છે.

નર્મદાનાં પાણીની ફાળવણી કે તેને કચ્છ સુધી પહોંવાડવાના મુદ્દા પર બીજા લેખોમાં ચર્ચાઓનો આવો જ દૌર ચાલતો જોવા મળે છે.

વર્ષ પ્રમાણે ગોઠવાયા હોત તો પુસ્તકના અંતમાં હોય તેવા ૧૨-૧-૨૦૧૪ના લેખ 'નર્મદા કેસના ચુકાદામાં સુપ્રીમની ટકોર ગળે ઉતરે તેવી નથી'માં પણ ઉકેલ અસંતુષ્ટ સ્તરે જ રહેલો જણાય છે.

પણ જો કચ્છને વરસાદની અનિયમિતતા કે બાહ્ય સ્ત્રોતની અપૂરતી અને સમયસર ન હોય તેવી આપૂર્તિ ન કનડે તો કચ્છનું સ્વરૂપ કેવું હોઇ શકે તેનું વર્ણન 'મેઘરાજાની અસીમ કૃપાએ ધીણોદરને હિમાલય જેવું સૌંદર્ય બક્ષ્યું છે...લીલુંછમ કચ્છઃ મૃગજળ નહીં હકીકત'માં જોવા મળે છે : "કચ્છના એકમાત્ર ભાગ્યવિધાતા મેઘરાજા છ-છ દાયકામાં ન વરસ્યા હોય એવી ઠાવકી અદાથી વર્ષ ૧૯૯૪ના ઓક્ટોબરમાં વરસી પડતાં કચ્છની નખશિખ કાયાપલટ થઇ ગઇ...દૂર દૂર રણના કાંધીએ ખારી જમીનમાં પણ રામમોલ લહેરાઇ રહ્યો છે. ડુંગરો પર ઉતરી આવેલી હરિયાળીએ કાળમીંઢ પથ્થરોનેય સૌંદર્ય બક્ષી દીધું છે..ઝરણાં દોડવા લાગ્યાં છે...ડુંગરોને બબ્બે મહિના સુધી બાથ ભીડનાર ભારેખમ વાદળ હવે હલકાંફૂલ બની ગયાં છે. એ હવે વરસાદનાં નહીં ઝાકળનાં (સફેદ) વાદળ બની ગયાં છે...કચ્છના વિખ્યાત ડુંગર ધીણોદર..ને વીંટળાઇ વળેલાં ઝાકળનાં વાદળ.. સોળે શણગાર સજેલી નવોઢાના ગળાંમાં લટકતા હાર જે(વાં ભાસે છે.)...જેમ જેમ ઉપર ચડતા જઇએ તેમતેમ ઝાકળ-ઝંઝા (હા, ઝાકળનાં ઝાંઝવાં)નો પ્રત્યક્ષ અનુભવ થતો જાય...વધુ કંઇ વિચાર કરીએ એ પહેલાં જ તો પશ્ચિમ દિશાએથી હવાનું એક જોરદાર ઝોકું આવી જાય છે અને એના પર સવાર થઇને આવેલું ધુમ્મસ ડુંગર સાથે અથડાઇ પડે છે. એવું લાગ્યું જાણે ઝાકળની ડમરી ઊઠી અને કાળમીંઢ પથ્થરો સાથે અથડાઇને ચૂપકીથી સરી ગઇ.....માતૃભૂમિ આવી લીલીછમ બને એ જ આપણું સપનું છે...પણ મેઘરાજા તો આવી છટાથી આઠ વર્ષમા એકવાર રીઝે છે, તેનું શું કરવું?....આ સવાલનો જવાબ કચ્છીઓ જળસંરક્ષણનાં કામોને આગળ ધપાવીને અને કોટિવૃક્ષ અભિયાન સફળ બનાવીને આપી શકે છે." (૯-૧૦-૯૪)

કચ્છનાં જનજીવન પર પર્યાવરણ અને તેની વિષમતાઓની અસર રૂપે, એક તરફ માનવ સર્જીત ભાતીગળ હસ્તકળા તો બીજી તરફ વનસ્પતિ કે પ્રાણીસૃષ્ટિની અચરજ સમાણી કુદરતી વ્યવસ્થાઓ અને તેને અનુરૂપ પશુપાલન જેવા વ્યવસાયોની જીવનનિર્વાહની સકારાત્મક અસરોનું ચિત્રણ આ પુસ્તકમાંથી દૃષ્ટિગોચર થતું રહે છે. તેની સાથે સાથે રાજકીય તંત્રની દૂરંદેશિતાનો અભાવ, તેમાંથી જન્મતી અમલીકરણની શિથિલતા અને સત્તા તેમ જ પ્રજાની 'ખાયકી' અને 'ઓછી દાનત' જેવા નકારાત્મક રંગ પણ પ્રામાણિકતાથી સંકોરાયેલા છે. આનંદ સાથે આશ્ચર્ય પમાડે તેવાં ઉદાહરણો અને કુદરતની મહેરનાં દિલખુશ કરે તેવાં વર્ણનો વાચકમાં પણ આશાવદનાં કિરણો જગાડી મૂકવામાં સફળ રહે છે.



'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી || ગ્રંથ - ૫: જળ –મૃગજળ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
પૃષ્ઠ : ૩૧૨ મૂલ્ય : રૂ. ૨૩૦/-
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 7, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

Wednesday, October 15, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ - રામચરણ



clip_image003


પૂરૂં નામ : રામચરણ
જન્મઃ ૧૯૩૯, ઉત્તર પ્રદેશ, ભારત


પરિચયાત્મક પૂર્વભૂમિકા:


ઉત્તર પ્રદેશના એક નાના શહેરમાં રામચરણનો જન્મ થયો હતો. સાત ભાંડરુઓના કુટુંબમાં તેમનું બાળપણ પાંગર્યું. કુટુંબની આર્થિક હાલત બહુ સારી નહીં; એટલે કૂવેથી પાણી ભરવાં, ઘરની ગાયોની દેખભાળ કરવી અને રાતના ફાનસના ટમટમિયા પ્રકાશમાં ભણવું એ સંજોગોએ તેમના ઘડતરનો પાયો ઘડ્યો. ૧૯૪૭ના સમયે થયેલાં કોમી હુલ્લડોમાં તેમના પિતા અને કાકાની કાપડની દુકાન બાળી નાખવામાં આવી. તે પછીથી એ ભાઈઓએ ચામડાનાં પગરખાંની દુકાન શરૂ કરી. શાળાએ જતાં પહેલાં અને શાળાએથી છૂટીને રામચરણ એ દુકાને જઈને નાનાંમોટાં કામોમાં મદદ કરતો. ગલ્લે બેસીને દરરોજના વકરાની ગણત્રી કરતાંકરતાં રામચરણને નાણાં પ્રવાહ [Cash Flow]ના વ્યવસાયની 'ધોરી નસ' તરીકેના મહત્ત્વની સમજના પાઠ ભણવા મળ્યા. આજે પણ તેમનાં કન્સલ્ટીંગનાં કામે જાય, ત્યારે તેમના પહેલા સવાલો કંપનીના નાણાંપ્રવાહને સમજવાને લગતા હોય છે.

શાળાના અભ્યાસ દરમ્યાન રામચરણને તે જે કંઈ ભણે તેને એક પાનાના સારાંશમાં ટપકાવી લેવાની એક બીજી પણ આદત પડી. પછીથી તેમના કન્સલ્ટીંગના કામમાં પણ તેઓ તેમના ક્લાયન્ટ મુખ્ય સંચાલકોને એક પાનામાં નોંધ આપતા. શાળામાં તેઓ ભય, ક્રોધ અને આળસ એ માણસનાં સહુથી મોટાં શત્રુ છે તેમ પણ શીખ્યા.

એમના મોટા ભાઈઓ તો ધીમેધીમે કૌટુંબિક વ્યવસાયમાં જોડાતા ગયા, પણ ૧૫ વર્ષની વયે રામચરણ બનારસ હિંદુ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ વિદ્યાશાખાના સ્નાતક અભ્યાસક્રમમાં જોડાયા. દિવસે કામ કરવું અને રાતે ભણવું તેમનો એ ક્રમ. તેઓ કૉલેજ પછી કામ વિનિમય કાર્યક્રમ હેઠળ ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે પણ એ ક્રમચાલુ જ રહ્યો.

ચાર વર્ષ પછી જ્યારે હાવર્ડમાં એમબીએનું ભણવા આવ્યા, ત્યારે પણ તેમનો મહેનતકશ અભિગમ તેમને મદદગાર થયો. હાવર્ડમાં ઉનાળુ વેકેશન દરમ્યાનના પ્રોજેક્ટ માટે તેઓ હોનોલુલુની એક ગેસ કંપનીમાં કામે રહ્યા હતા. ત્યાં પણ તેમણે કંપનીના હિસાબોનો અભ્યાસ કરીને નોંધ્યું કે કંપની ડિવિડંડ આપવામાં કાચી પડી રહી હતી. આ સમસ્યાનું સમાધાન કરવાનું પણ તેમને જ સોંપાયું. છ અઠવાડીયાં પછી તેમણે જણાવ્યું કે રાતના ૧૦થી વહેલી સવારે ૪ વાગ્યા સુધી ગેસની પાઈપલાઈનું દબાણ થોડું ઓછું રાખવામાં આવે તો ગેસનાં ગળતરમાં જે બચત થશે તેનાથી ડિવીડંડ આપી શકાશે. આ વાત તેમણે મોડી રાતના પંમ્પીંગ સ્ટેશનમાં જઈને જોઈ હતી. તે સાથે તેમણે એ સમયે એ પણ જોયું કે કંપનીના ઑપરેશન્સના કર્મચારીઓ ગેસવહેંચણી ખાતાના કર્મચારીઓ સાથે વાતચીત નહોતા કરતા. આમ સંસ્થામાં એક વિભાગ બીજા વિભાગ સાથે સંવાદ ન જાળવે, તો સામાન્ય જણાતા પ્રશ્નો પણ કેવા વિકટ બની જઈ શકે છે તેનો પાઠ પણ તેઓ ભણ્યા.

હાવર્ડમાં તેઓ પહેલા ૩%માં રહીને અનુસ્નાતક થયા, ત્યાં જ ડૉકટેરેટની પદવી પણ લીધી અને પછીથી ત્યાં જ શિક્ષણકાર્યમાં પણ જોડાયા. શૈક્ષણિક સંશોધન સાથે તેમને જામી નહીં. તેઓ તો વાસ્તવિક જગતની સમસ્યાઓના નિવારણમાં વધારે રસ ધરાવતા હતા, એટલે શિક્ષણની સાથેસાથે કન્સલ્ટીંગમાં તેમની પાંખો ફેલાતી ગઈ. ડલાસમાં તેમણે તેમના કન્સલ્ટીંગ વ્યવસાયનાં મૂળિયાં વાવ્યાં.

એક સમયે તે 'સહુથી વધારે ભમતા રહેતા કન્સલટન્ટ' તરીકે પંકાઈ ગયા હતા. દુનિયાભરની હૉટેલો જ તેમનું ઘર બની રહી હતી અને તેમ છતાં જીઈ, ડ્યુ પૉન્ટ અને એવા કેટલાય ક્લાયન્ટ્સ સાથે તેમનો ૨૦થી ૩૦ વર્ષનો વ્યાવસાયિક સંબંધ બંધાયેલો રહે એ બાબત બહુ જ સામાન્ય બની રહી.

પગરખાંની દુકાનથી માંડીને હાવર્ડની સમર સ્કૂલ સુધીના અનુભવોમાંથી પરિસ્થિતિઓની જટિલતાને તેનાં નાનાં, જરૂરી એકમોમાં વહેંચી નાખીને તેમાંથી સરળ સમાધાન ઘડી કાઢવાની જે હથોટી તે શીખ્યા, તે તેમની આગવી ઓળખ બની રહી. આ ઉપરાંત ફરી ફરીને લોકો તેમને શોધતા આવતા હતા, તેમની તેમનાં કામ માટેની બેસુમાર લગનને કારણે. ૧૯૯૯માં તેમના પર ત્રેવડી બાયપાસ શસ્ત્રક્રિયા થઈ, પણ ૧૧ દિવસ પછી તે તેમનાં કામ પર આવી ગયા હતા.રામચરણની વિચારધારા
"કંઈ ખાસ કરતા નથી"
clip_image005આમ જુઓ તો તેમણે અન્ય મેનેજમૅન્ટ ગુરૂની જેમ કોઈ ચોક્કસ સિધ્ધાંત ઘડ્યો નથી કે પ્રચલિત પણ કર્યો નથી. પરંતુ કોઈ ચોક્કસ વિચારધારા ન હોવી એ જ એમની વિશિષ્ટતા બની રહી. કંપનીની સામે દેખાતી મોટી સમસ્યાને ચોક્કસ રીતે અમલ કરી શકાય તેવાં પગલાંઓમાં પરિવર્તિત કરવાની તેમની સૂઝ જ એક મહત્ત્વનો મેનેજમૅન્ટ સિધ્ધાંત અને પ્રણાલિકા બની રહી.
દરેક ઘટનાને બહુ જ નજદીક્થી નિહાળવી, સાચા સવાલો પૂછવા કે સાચા સવાલો કેમ પૂછવા તે જ તેમનાં આગવાં પ્રદાન છે. એક કન્સલટન્ટ તરીકે કોઈપણ કંપનીની સમસ્યામાં સીધા જોડાઈ જવાને બદલે તે એક આદર્શ ઉદ્દીપકની ભૂમિકા ભજવે અને જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ તેમને સંતોષ થાય તે સ્તરે ન થાય ત્યાં સુધી તેનો કેડો પણ ન મૂકે. કોઈને પણ તેઓ પગભર થવાની મદદ જરૂર કરે, પણ હાથ પકડીને ચલાવે નહીં. આમ એમાં ભારતમાંનાં તેમનાં કુટુંબીજનો પણ આવી જાય. તેમને તે સાચી દિશા પકડવા સુધીની જ મદદ કરે.
તેઓ બહુ જ ખ્યાત બહુરાષ્ટ્રીય કંપનીઓના નિયામક મંડળ પર સેવાઓ આપે છે, તેમ જ 'થીંકર્સ ૫૦' જેવી મૅનેજમૅન્ટ ગુરૂઓની વૈશ્વિક યાદીઓમાં વર્ષો સુધી માન્યતા મેળવતા રહ્યા છે.
'દેખીતી અર્થવિહીન બાબતોમાંથી અર્થ તારવીને, શાંતિથી અસરકારક રીતે સમજાવી દેવો'
પોતાના અનેકવિધ અનુભવોના પાઠ તેમણે તેમનાં પુસ્તકો અને લેખોમાં ઉતાર્યા છે. વૈશ્વિક પરિવર્તનો અને ટેક્નોલોજિના હરણફાળસમા વિકાસની દોડમાં પોતાનું અસ્તિત્વ ટકાવવાની સાથેસાથે આવનારા ભવિષ્યમાં સ્પર્ધાત્મક સરસાઈ કેમ જાળવી રાખવી એ બાબત હંમેશાં તેમની વિચારધારાના કેન્દ્રમાં રહી છે.
વૈશ્વિક ઝુકાવમાં વ્યવસાયને સફળતાથી કેમ દોરવણી પૂરી પાડવી
clip_image007૨૧મી સદી બેસતાં સુધીમાં વિશ્વના અતિવિકસિત દેશોની પકડમાંથી આર્થિક પ્રભાવ ખૂબ જ ઝડપથી વિકસી રહેલ ચીન, ભારત, બ્રાઝીલ, કોરિયા કે મધ્ય પૂર્વના અને આફિકાના કેટલાક દેશો તરફ ઢળી ચૂક્યો હતો. આ પરિવર્તન આમ તો નરી આંખે દેખાય જ છે, પણ તેમ છતાં ઘણા વ્યાપર-ઉદ્યોગના અગ્રણીઓ તેને નહોતા જોઈ શકતા (કે નહોતા જોવા માગતા). આ પરિસ્થિતિમાં તેમની સલાહ છે કે -
- ભૂતકાળની સફળતાનો જ જેના પર મદાર રહ્યો છે તેવી મૂળભૂત ક્ષમતા પર જ નિર્ભર ન થશો, જો એ ક્ષમતા ભાવિ પડકારોને ઝીલવા માટે સક્ષમ ન હોય. ભવિષ્યની સંભાવનાઓના પડકારોને પહોંચી વળવા માટે જે કોઈ ક્ષમતા ઘડી કાઢવી પડે તેને વાસ્તવિકતામાં ઉતારવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
- વ્યૂહાત્મક ઘડી ઝડપી લેવા તત્પર રહો - આજના યુગમાં થઈ રહેલા ફેરફારોની ગતિ એટલી ઝડપી છે કે ફેરફારો આવતા જોઈ શકાતા હોય, તો પણ જરૂરી સાધનો એકઠાં કરવાં કે તેમને મેદાનમાં કામે લગાડવા માટે જે ચપળતા જોઈએ તે વિષે જરા પણ ગાફેલ રહેવું પાલવે નહીં.
- ટૂંકા ગાળાનાં ધ્યેયમાં લપેટાઈ ન જશો - લાંબા ગાળાની જરૂરિયાતોના સંદર્ભમાં ટૂંકા ગાળાનાં પગલાં લેવા માટેનું કૌશલ્ય અને હામ આજના વ્યાપાર અગ્રણીઓએ કેળવવાં રહ્યાં.
આ દિશામાં વિચાર શરૂ કરવા માટે તેઓ આ સવાલ પૂછે છે - આજના બજારના સંદર્ભના દૃષ્ટિકોણને ભાવિ મહત્ત્વનાં ચિત્રની દિશા તરફ ગોઠવવા માટે તમે શું કરો છો ? બીજા શબ્દોમાં કહીએ તો, જૂની પૂર્વમાન્યતાઓ ત્યજીને આપણા વર્તમાન વ્યવસાયની ભાવિ ક્ષિતિજને આંબવા માટે શી રીતે નજર માંડશો ?
ધ્યાનપૂર્વક સાંભળવાની શિસ્ત
રામચરણનું કહેવું છે કે તેમના અનુભવે દર ચારમાંથી એક વ્યાપાર-ઉદ્યોગઅગ્રણી ધ્યાનથી સાંભળવાની બાબતે ઊણા ઉતરતા જણાય છે. પરંપરાગત રીતે તો એમ કહેવાય કે કાન સરવા રાખવા માટે મગજને ભાવનાત્મક રીતે ચપળ રાખો અને હાથવગું રાખો. પરંતુ ભવિષ્યના ઝડપી ફેરફારોને પહોંચી વળવા આટલાથી થોડું વિશેષ પણ કરવું જરૂરી છે -
- કોઈ પણ ચર્ચા કે સંવાદમાંથી મહત્વના 'ગાંગડા'ને અંકે કરો : કોઈપણ ચર્ચામાં મહત્ત્વની બાબતને કોઈને કોઈ જાણીતા કે નવા શબ્દસમૂહમાં કહી દેવાતી હોય છે. એવા શબ્દસમૂહોને પકડી લો અને પછીથી તેના વિષે એકબીજાની સમજને સ્પષ્ટ કરી લો.
- માહિતીના સ્ત્રોત પર ધ્યાન આપો : કોઈ પણ ચર્ચામાં ભાગ લઈ રહેલ સાથીઓના દૃષ્ટિકોણ અને સંદર્ભને પણ સમજવા જોઈએ., ખાસ કરીને જ્યારે ચર્ચામાં સહમતી ન બની રહી હોય. સામેની વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાથી ભલે સહમતી ન સધાય, પણ એકબીજાના વિચાર અને દૃષ્ટિકોણને બહુ જ સારી રીતે સમજી શકાય છે.
- અંગારને વધારે હવા આપો : હાલમાં જે સંદર્ભમાં ચર્ચા થઈ રહી હોય તેને વધુ વિશાળ ફલક પર લઈ જવા માટે નવા આયામ ઉમેરો. ટીમની વિચારધારાને પ્રવર્તમાન સીમાઓની બહાર ખેંચી જઈ ભાવિ સમસ્યાઓનાં સમાધાન માટે, અત્યાર સુધી ન પ્રયોગ કરાયેલ ઉપાયો કામે લગાડવા માટે પ્રોત્સાહન આપો.
- ધીમા પડો : ઝડપના જમાનામાં વાતને સાંભળી ન સાંભળી કરી તેમાંના સંદેશના અણસારને ઝડપી લેવાની ટેવ પડી જવી એ સામાન્યપણે ઘટના ગણાય. જો આવું થતું હોય, પ્રતિભાવ આપતાં કે નિર્ણય લેતાં પહેલાં સામેની વ્યક્તિને પૂરેપૂરી સાંભળી લેવા જેટલી રાહ જુઓ. વાતનું હાર્દ બંને પક્ષે એ જ સ્તરે સમજાયું / સ્વીકારાયું છે તે નક્કી થઈ ગયા બાદ જ પ્રતિભાવ આપો.
- સંનિષ્ઠપણે વ્યક્તિગત પ્રમાણિકતા જાળવી રાખો : કોઈ પણ ટેવના કોચલામાંથી બહાર નીકળવા માટે શિસ્ત, સતત પ્રતિભાવ અને અભ્યાસ જરૂરી છે. ધ્યાનપૂર્વક સાંભળવાની ટેવને કોઠે પાડવા માટે પણ શિસ્ત, સાથીદારોના સાચા પ્રતિભાવ અને નિયમબધ્ધ અભ્યાસ માટેની પોતાની પ્રતિબધ્ધતા માટે સંનિષ્ઠ પ્રમાણિકતામાં કોઈ જ શરતચૂક ન થવા દેવી એ તમારી અંગત નૈતિક જવાબદારી છે.
પોતાના વિકાસને અગ્રીમતા આપવી જ રહી

પોતાના વ્યવસાયનાં ધ્યેય સિદ્ધ કરવાની હોડમાં પોતાના વિકાસને શહીદ ન થવા દેવો જોઈએ. બજારનાં વલણોમાં કે ટેક્નોલોજિ કે વૈશ્વિક સ્તરે આવી રહેલાં પરિવર્તનોને કારણે આજની તારીખમાં ખૂબ જ સજ્જ અને સફળ જ્ઞાન-કાર્યકર્તા પોતાનાં જ્ઞાન અને અનુભવનાં શિખરપરથી ગમે ત્યારે ગબડી પડી શકે છે. પ્રૌઢાવસ્થાએ પહોંચેલા સંચાલકોને તો તેમના પછી આવી રહેલી યુવા પેઢીની ડીજીટલ ટેક્નોલોજિની સાથેની ફાવટનો પણ ફાયદાકારક ઉપયોગ કરતાં શીખવાનું છે. આમ, વર્તમાન તથા ભાવિ એમ બંને પેઢીઓએ પોતાનાં જાણકારીનાં ક્ષેત્ર ઉપરાંત સંચાલન અને નેતૃત્વનાં સ્તરે પણ પુનઃશોધખોળ પણ કરતાં રહેવું પડશે.

પોતાની જાતને પૂછજો કે પોતાના વિકાસ માટે આપણે કેટલો સમય ફાળવીએ છીએ ?

અંગત વિકાસને પ્રાથમિકતા આપવા માટેના ત્રણ રસ્તા :

૧. પોતાના વિકાસની જવાબદારી પોતાના જ હાથમાં રાખો - કંપની આ બાબતે જે કંઈ કરતી હોય, તેટલા માત્રથી સંતોષ ન માનો. ભવિષ્યે કઈ બાબત માટે આપણે વધારે સજ્જ થવું પડશે, તેનું બહુ જ સ્પષ્ટ ચિત્ર નજર સામે રાખતા રહો અને તે માટે જરૂરી સમય અને સાધનો ફાળવવામાં કચાશ ન રાખશો.

૨.પોતાનું નસીબ જાતે જ ઘડો - પોતાના વિકાસ માટે માત્ર સમય જ ફાળવવાથી કામ નહીં બને, તકો પણ ઊભી કરવી પડશે અને તેમને ઝડપી પણ લેવી પડશે

૩. તમારા વિકાસમાં મદદરૂપ થાય તેવા ઉપરીઓ / માર્ગદર્શકોનો સંગાથ કરો. જરૂર પડ્યે નોકરી બદલતી વખતે આ પરિબળને અગ્રિમ મહત્ત્વ પણ આપો.

યાદ રહે, અહીં વિકાસ એટલે દરેક સંજોગમાં પ્રસ્તુત રહેવું.

ઝડપથી બદલાતા જતા સમયના સંદર્ભમાં, તેમનાં પુસ્તક '“Know-How”: The 8 Skills T hat Separate People Who Perform from Those Who Don’t'માં તેમણે ભાવિ અગ્રપ્રબંધકને લખેલો પત્ર બહુ રસપ્રદ વિચારસરણીને રજૂ કરે છે, જેમ કે "૨૧મી સદીમાં તો તમારો અંગત વિકાસ એ સતત વહેતો પ્રવાહ છે. મારી તો તમને એ જ આગ્રહભરી વિનંતી છે કે જાણે દુનિયાનું અસ્તિત્વ આ જ વાત પર ટકી રહ્યું છે, તેમ જ વિચારતા અને માનતા રહો. અને આમ જુઓ તો, છે પણ એવું જ ને ! દેશના આર્થિક માપદંડો આર્થિક સિધ્ધાંતો કે શોધખોળો કે ટૅક્નૉલોજિથી નથી નક્કી થતા. જુદા જુદા વિષયોના નિષ્ણાતોનાં સામંજસ્ય વડે, ટેકનોલોજિ માટે નાણાંકીય સંસાધનો ફાળવીને અને તેમને યથોચિત વપરાશમાં લઈને કે શોધખોળોના વાણિજ્યિક વપરાશ માટેનાં જોખમો ખેડીને નેતાઓ, ખાસ કરીને વ્યાવસાયિક અગ્રણીઓ, એ માપદંડોને ઘડે છે. તમારા અંગત નેતૃત્વના ઘડતરને તમે આ પ્રક્રિયાનો હિસ્સો બનાવી શકો છો." પુસ્તકો:
1. Boards At Work: How Corporate Boards Create Competitive Advantage (J-B US non-Franchise Leadership) by Ram Charan (Mar 25, 1998)
2. Every Business Is a Growth Business: How Your Company Can Prosper Year After Year by Ram Charan and Noel Tichy (Apr 4, 2000)
What the CEO Wants You to Know : How Your Company Really Works by Ram Charan (Feb 13, 2001)
4. Learn from street vendors in India! Secret of business, (overseas series) (2001) ISBN: 404791391X [Japanese Import... (2001)
5. Execution: The Discipline of Getting Things Done by Larry Bossidy, Ram Charan and Charles Burck (Jun 4, 2002)
Profitable Growth Is Everyone's Business: 10 Tools You Can Use Monday Morning by Ram Charan (Jan 20, 2004)
7. Boards That Deliver: Advancing Corporate Governance From Compliance to Competitive Advantage by Ram Charan (Feb 3, 2005)
Confronting Reality = Ima genjitsu o tsukamaero : shinsedai yuryo kigyo no bijinesu hosoku [Japanese Edition] by Larry Bossidy, Ram Charan and Yuko Takato (2005)
9. Leaders at All Levels: Deepening Your Talent Pool to Solve the Succession Crisis by Ram Charan (Dec 21, 2007)
What The Customer Wants You To Know – How Everybody Needs to Think Differently about Sales by Ram Charan (Dec 27, 2007)
The Game Changer – How You Can Drive Revenue and Profit Growth with Innovation by A G Lafley and Ram Charan (April 8, 2008)
12. Know-How: The 8 Skills that Separate People who Perform From Those Who Don't by Ram Charan (Dec 2, 2008)
Leadership in the Era of Economic Uncertainty: Managing in a Downturn by Ram Charan (Dec 22, 2008)
14. Owning Up: The 14 Questions Every Board Member Needs to Ask by Ram Charan (April 13, 2009)
15. Confronting Reality: Master the New Model for Success by Larry Bossidy and Ram Charan (Jul 6, 2010)
The Leadership Pipeline – How to Build the Leadership-Powered Company by Ram Charan, Stephen Drotter and Jim Noel (Jan 11, 2011)
The Talent Masters: Why Smart Leaders Put People Before Numbers by Ram Charan and Bill Conaty (Feb 28, 2011)
18. Global Tilt: Leading Your Business Through the Great Economic Power Shift by Ram Charan (Feb 26, 2013)
19. Boards That Lead: When to Take Charge, When to Partner, and When to Stay Out of the Way by Ram Charan, Dennis Carey and Michael Useem (Dec 10, 2013)
રામચરણનાં વ્યક્તવ્યો (વીડિયો ક્લિપ્સ)
1. At Learderonomics .tv
2. Leadership During Times of Crisis -
3. Building A Successful Business - http://youtu.be/s8aGEU9hgk8
4. Guest Speaker @ the international Pilosio "Building Peace" Award, 2011 -
5. Leading in Uncertain Times – Keynote speech @ NAASCOM 2013 - http://youtu.be/BwkTbAJrjKY
6. Mr. Analjit Singh, Chairman, Max India discusses business strategies with eminent management guru Mr. Ram Charan in a never before exclusive on ET Now  - Part 1 | Part 2 | Part 3
7. Exceptional Leadership for India Inc- Mr. Ram Charan's talk on marketing  - Part - 1 | Part - 2 | Part - 3
clip_image001 આ લેખ વેબ ગુર્જરી પર ૧૮ જુલાઇ ૨૦૧૪ના રોજ પ્રસિધ્ધ થયેલ.

૨૧મી સદીમાં તો તમારો અંગત વિકાસ સતત વહેતો પ્રવાહ છે. જાણે દુનિયાનું અસ્તિત્વ વાત પર ટકી રહ્યું છે, તેમ વિચારતા અને માનતા રહો. - રામચરણ


Saturday, October 11, 2014

ફિલ્મી ગીતોમાં પત્રો (૧) - કન્વર્ઝેશન્સ ઑવર ચાય


એક સમય હતો જ્યારે માધ્યમિક શાળા કક્ષા સુધીનાં ભાષાનાં પ્રશ્નપત્રોમાં વિધવિધ વિષયો પર પત્રલેખન એ બહુ મહત્ત્વનો પ્રશ્ન હતો. તેને કારણે કેટલીયે પેઢીઓને પત્ર લખવાનું શાસ્ત્રીય જ્ઞાન મળ્યું હશે, જેને લોકોએ પોતાનાં મિત્રો, પ્રેમીજનો, વ્યાવહારિક કારકીર્દીમાં લખેલા પત્રો દ્વારા એક કળા તરીકે પણ વિકસાવ્યું. પત્રોના સંકલન પરથી કેટલાંય બેનમૂન પુસ્તકોએ 'પત્રલેખન'ને સાહિત્યના એક મહત્ત્વના પાસા તરીકે બહુ જ આગવો દરજ્જો પણ અપાવ્યો છે.

પૉસ્ટ કાર્ડ, આંતર્દેશીય પત્રો કે નોટબુકોમાંથી ફાડેલાં પાનાંઓથી માંડીને ખૂબ જ કળાત્મક રીતે બનાવાયેલ કાગળો પર ઘસડી મારવાથી માંડીને મોતીના દાણા જેવા અક્ષરોમાં, ખાસ સમય લઇને પત્ર લખવા બેસવું તે એ પત્રોને વાંચવા જેવો જ એક લ્હાવો હતો. દરરોજ એ પત્રો માટે ટપાલીની કાગ ડોળે રાહ જોવી એ પણ એક સમયની સંસ્કૃતિનું એટલું જ રસપ્રદ પાસું પણ હતું.

ઇન્ટરનેટને કારણે ઘણા ફાયદાઓ તો થયા પણ, બહુ પ્રચલિત થયેલ કારણે પત્ર લેખન / વાંચન અને આપલે એ ભૂતકાળની ગર્તાઓમાં અશ્મિભૂત થઇ ચુક્યું છે. તેમાં વળી હવે મોબાઈલ ટેક્નોલોજીએ ટુંકા સંદેશાઓની જે લત લગાડી છે, તેણે તો 'હા'ને બદલે 'હ'થી કેમ કામ લેવું તેની એક નવી જ સંદેશા વ્યવહાર પદ્ધતિ અને શબ્દકોષમાં તેના માટેના પારિભાષિક શબ્દોની એક માતબર શ્રેણી વિકસાવી દીધી છે.

પત્ર લેખનની આ મીઠી યાદ વાગોળવાનું કારણ એ કે ફિલ્મી ગીતોમાં પણ પત્રોની આગવી ભુમિકાને ઉજાગર કરતાં કેટલાંક યાદગાર ગીતોની આજે વાત કરવી છે.

અફસાના લીખ રહી હૂં દિલ-એ-બેકરારકા - દર્દ (૧૯૪૭)- ગાયિકાઃ ઉમા દેવી | સંગીતકાર : નૌશાદ |ગીતકાર : શકીલ બદાયુનીimage
ઉમા દેવીએ આના સિવાય કોઈ બીજું ગીત ન ગાયું હોત તો પણ તેમનું નામ ફિલ્મ સંગીતની પરોઢની પાર્શ્વગાયિકાઓમાં પ્રથમ હરોળમાં રહ્યું હોત તે વિષે કોઇ શંકા ન હોઈ શકે.

અને તેમાં વળી પત્ર લખવા માટે સદાબહાર એવો પ્રિયજનના ઈતઝારનો વિષય મળે, પછી કંઈ પૂછવાપણું થોડું રહે !

ભગવાન તુઝે મૈં ખત લિખતા પર તેરા પતા માલૂમ નહીં - મનચલા (૧૯૫૩) - ગાયક અને સંગીતકાર : ચિત્રગુપ્ત | ગીતકાર : રાજા મહેંદી અલી ખાન

ઈશ્વર માટે ફરિયાદોની યાદી લાંબી તો ઘણી છે, પણ તે કહેવા માટે ખત લખવો હોય તો ક્યાં લખવો…….

દિલકી શિકાયત નઝર કે શીકવે - ચાંદની ચૌક (૧૯૫૪) - ગાયિકા લતા મંગેશકર | સંગીતકારઃ રોશન | ગીતકાર શૈલેન્દ્રimage
મૃત્યુ પામેલા મનાતા પતિના ઊડતા ઊડતા ખબર મળ્યાથી નાયિકાનાં દિલમાં પહેલી વાર જ ખુશીની લહેર દોડી ગઈ છે. પત્રમાંનાં તેનાં અરમાનો, સપનાંઓ, તેની નાની નાની શિકાયતોને, ખતમાં જ્યાં આંસુનું ટીપું દેખાય ત્યાં મારો પ્રેમ નજર સામે કરજે અને થોડું લખ્યું ઝાઝું સમજજે; છૂપ્યાં છુપાય નહીં અને કહ્યાં કહેવાય નહી એવાં યુવાન થઇ ચૂકેલાં દરદ જેવા, માત્ર તેનો પતિ જ સમજી શકે તેવા, ભાવ આ પત્રમાંથી છલકે છે.

તેરા ખત લે કે સનમ, પાંવ કહીં રખતે હૈ હમ - અર્ધાંગિની (૧૯૫૯) - ગાયિકા લતા મંગેશકર | સંગીતઃ વસંત દેસાઇ | ગીત લેખક : મજરૂહ સુલ્તાનપુરીimage

ટપાલીની સાઇકલની ઘંટડી વાગતાં જ મનમાં આપણી અપેક્ષાઓની વાગી ઊઠતી ઘંટડીઓના રણઝણાટને આ ગીત વાચા આપે છે. પ્રિયજનના પત્રમાં શું શું લખ્યું હશે તેની કલ્પનાઓને કારણે હવે તો પગલાં પણ અહીં રાખવાં છે પણ પેલી બાજુ પડવા લાગ્યાં છે. પત્રમાં શું લખ્યું છે તે જાણવાની ઉત્સુકતાને કારણે વધી ઉઠેલી હૃદયની ધડકનો અને આમતેમ ફરકતી નજરને શાંત રાખવા હૈયું બિચારું કેટલાય પ્રયાસો કરીને બે ઘડી હોશમાં આવવા મથી રહ્યું છે.

પય્યામ-એ-ઈશ્ક-ઓ-મુહબ્બત હમેં પસંદ નહીં - બાબર (૧૯૬૦) ગાયિકા - સુધા મલ્હોત્રા સંગીતકાર : રોશન ગીતકાર : સાહિર લુધ્યાનવી

image મુગલ સલ્તનતના પાદશાહ બાબરનો શાહજાદો હુમાયું બાબરની દાસી મિરઝા સાહિબની બેટી હમીદા બાનુ સાથે ગળાડૂબ પ્રેમમાં છે. સામાન્ય લોકોમાં સમજ પણ વધારે ઝડપથી ઘડાઇ જતી હોય છે એ ન્યાયે હમીદા સમજે છે કે તખ્ત અને મોહબ્બતની લડાઈમાં મોહબ્બતો હંમેશાં શહીદ જ થતી આવી છે. બસ, 'હુઝૂર યે ઈનાયત હમેં પસંદ નહીં' જેવા શબ્દોમાં વાસ્તવિકતાની એ સમજના ભાવ એ આ પત્રમાં ઠાલવે છે.

તુમ એક બાર મુહબ્બતકા ઈમ્તિહાન તો લો - બાબર (૧૯૬૦) - ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : રોશન ગીતકાર : સાહિર લુધ્યાનવી

image આની પહેલાંના ગીતના સંદેશના જવાબમાં દિલનાં ઊંડાણમાંથી ઊઠેલી એક ટીસ છે આ ગીતમાં - આજે મારી જાન તને કુરબાન કરું ,તો જ તને ઐતબાર થશે કે ઝિંદગીમાં તારાથી વધારે મને કશું જ નથી. ચાલો, એમ તો એમ; મારી ચાહતની એક પરીક્ષાની તક તો મને આપ !

દુનિયાની સમજદારીની થપ્પડો ખાઈને ગમે તેટલું દિલ બુઠ્ઠું થઇ ગયું હોય તો પણ મોહમ્મદ રફીના અવાજમાં રહેલ માર્દવની કસકભરી દિલકશ આજીજીઓના પ્રવાહમાં પીગળ્યે જ છૂટકો છે...

ઓ નિર્દયી પ્રીતમ..પ્રણય જગાકે...હૃદય ચુરાકે ચુપ હુએ ક્યોં તુમ - સ્ત્રી (૧૯૬૧) - ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર સી. રામચંદ્ર | ગીતકાર : ભરત વ્યાસ image
પ્રણય જગાડી હૃદય ચોરી કરીને ચુપ થઈ ગયેલા પ્રીતમ દુષ્યંતને વિરહિણી શકુંતલા સમજાવે છે કે તારી સાથે જે જે પ્રેમનાં મધુરાં રૂપ દેખાતાં હતાં તે બધાં જ રૂપકોની પીડા તને નિર્દયી તરીકે સંબોધન કરવા સુધી મજબૂર કરી ચૂકી છે.

યે મેરા પ્રેમ પર પઢકર, કે તુમ નારાઝ ના હોના, કે તુમ મેરી ઝીંદગી હો કે તુમ મેરી બંદગી હો - સંગમ (૧૯૬૪) - ગાયક : મોહમ્મદ રફી | સંગીતકારઃ શંકર જયકિશન | ગીતકાર: હસરત જયપુરી

ફિલ્મી ગીતોમાં પ્રેમની અભિવ્યક્તિ માટેની ખુબજ કળાત્મક રજૂઆત માટે આ ગીત નમૂનારૂપ ગણાય છે.

image સિતારના રૂમઝૂમતા સૂર પ્રેમપત્રથી ઝણઝણી ઊઠતી લાગણીઓને લગભગ સો એક વાયોલિન અને પિયાનાઓની સંગતથી બાગ બાગ કરી આપતું પ્રીલ્યુડનું સંગીત અને છેક છેલ્લે નાયિકાનું એ પત્રરૂપે લતા મંગેશકરના અવાજમાં ગણગણવું, ક્લિપના અંત ભાગમાં ફિલ્મનાં અંતિમ દૃશ્યમાં ગંગા-જમુનાના સંગમ પર મિત્રનાં અસ્થિ વિસર્જન કરતી વખતે 'તુમ નારાઝ ના હોના' સ્વરનું ફાની વિદાયની કરૂણાથી ભરી દેવું, રાજ કપુરનાં 'શ્રેષ્ઠ શૉમેન'ના બિરુદને એક વધારે વાર બિરદાવી રહે છે.

ઉન્હે કિસ્સા-એ-ગમ લીખને બૈઠે તો - નયા કાનુન (૧૯૬૫) - ગાયિકાઃ આશા ભોસલે | સંગીતકાર : મદન મોહન | ગીતકાર હસરત જયપુરી

image ચિઠ્ઠી લખવા માટેની વેદના કહેવા બેઠાં તો દિલની કલમ મુરઝાઇ ગઇ, હવે આંસુઓમાં છુપાએલાં તોફાનોને સમજાવવાં તો સમજાવવાં કેમ કરીને....

પત્ર વાંચવાની એક ખાસિયત એ છે કે લાંબો હોય કે ટુંકો તેને વારંવાર વાંચવાની મજ કંઇક ઑર જ હોય. જો કે આપણે તો લેખને સુવાચ્ય બનાવી રાખવા માટે આપણી પત્રલેખનની આ સફરમાં અહીં 'મધ્યાંતર' વિરામ પાડીએ છીએ.
પત્ર લેખનની આપણી સફર ૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ આગળ ચલાવીશું.....






વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૧૧ ઑક્ટોબર, ૨૦૧૪

Wednesday, October 8, 2014

'કલમ કાંતે કચ્છ' : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમિયાન લખેલા લેખોનો ૧+૮ પુસ્તકોનો સંપાદિત સંપુટ 'કલમ કાંતે કચ્છ' શ્રેણી હેઠળ તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ સંપુટની છડી પોકારે છે,પહેલો ગ્રંથ "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી'.સમગ્ર પણે જોઇએ તો, આખા સંપુટને શ્રી કીર્તિ ખત્રીની 'કચ્છમિત્ર'ની ત્રણ દાયકા ઉપરાંતની સફરનું વિવરણ છે. એમની અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટા કલમમાંથી નીકળેલા ૩૦૦૦થી વધારે લેખોમાંથી ચૂંટેલા ૬૩૯ લેખોને દસ્તાવેજીકૃત સાહિત્ય ગણી શકાય.

'કલમ કાંતે કચ્છ'માં જે અન્ય આઠ ગ્રંથ પણ સમાંતરે જ પ્રકશિત થયા છે તેમનાં નામો પણ તે દરેક ગ્રંથના વિષયની પહેચાન છે:
ગ્રંથ : ૨ - જોયું, જાણ્યું ને લખ્યું
ગ્રંથ : ૩ - રણના રંગ બેરંગ
ગ્રંથ : ૪ - દરિયાની આંખે આંસુ
ગ્રંથ : ૫ - જળ મૃગજળ
ગ્રંથ : ૬ - ધરતી તાંડવ
ગ્રંથ : ૭ - પાંજી પીડા પાંજી ગાલ
ગ્રંથ : ૮ - પાંજા પ્રશ્ન પાંજી ગાલ
ગ્રંથ : ૯ - વાહ કચ્છીયતને
આ પુસ્તકો કચ્છની પીડા, પ્રશ્નો, ખૂબી અને ખાસિયતોની તવારીખ માત્ર નથી. તેમાં શ્રી કીર્તિ ખત્રીના વૈયક્તિક અને વ્યાવસાયિક વ્યક્તિત્વના નીખારની સાથે સાથે જાગૃત પત્રકારની નિષ્પક્ષ, નીડર અને વેધક દૃષ્ટિએ થયેલ કચ્છના પ્રશ્નોની છણાવટ પણ છે.

આ આઠ પુસ્તકોનો પરિચય આપણે આગળ ઉપર કરીશું. આજે વાત માંડીશું આ ગ્રંથમાળાના પહેલા પુસ્તક "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી”ની.

'કલમ કાંતે કચ્છ'ના ઉપર નોંધેલાં આઠ પુસ્તકોમાં કીર્તિભાઇનો દૃષ્ટિકોણ છે, જ્યારે ‘માણસ વલો કચ્છીમાડુ’માં, તેમની પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન તેમની સાથે સંપર્કમાં આવેલાં નામી અનામી લોકોના દૃષ્ટિકોણ છે. ૧૦૫ સ્વતંત્ર લેખો અને 'પ્રસ્તાવના' અને 'આવકાર' એમ મળીને કુલ ૧૦૭ પીંછીઓએ કરેલા લસરકાઓથી કીર્તિ જયંત ખત્રીનાં વ્યક્તિત્વનું અનેક આયામી ચિત્ર અહીં સાકાર થાય છે.

કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ના તંત્રી, કચ્છના મંત્રી અને સરહદના તંત્રીની ત્રિગુણાકાર ભૂમિકાને 'તંત્રી, મંત્રી અને સંત્રી: ત્રિગુણાકારમ્' શીર્ષસ્થ'પ્રસ્તાવના'માં ઉજાગર કરવાની સાથે સાથે, ‘જન્મભૂમિ’ અખબારજૂથના મૅનેજિંગ એડિટર કુન્દન વ્યાસ કીર્તિભાઇની ઓળખ 'કચ્છના ઇતિહાસ અને જનજીવન તેમ જ કચ્છની ધરતીની અંદર ધરબાયેલ ખનીજ સંપત્તિની માહિતી'ના કુબેર તરીકે કરાવે છે..

સમયની સાથે સાથે વધતી ગયેલી વાણિજ્યિક હરીફાઈની દોડમાં 'ક્ચ્છમિત્ર'નાં મૂલ્યોનાં ઊંડાં મૂળિયાંને દૂરનું જોનારા, વિચારશીલ કીર્તિભાઈની સંપૂર્ણ પરિપક્વતા તેમ જ ભારોભાર સામાજિક નિસ્બતના વિવેક અને વિનયની માવજત મળી. અને તેથી જ, ગ્રામીણ પત્રકારત્વ કે જિલ્લા કક્ષાના પત્રકારત્વ કે પ્રાદેશિક પત્રકારત્વનાં અલગ અલગ પરિમાણોનાં અલગ અલગ ખાનાંઓમાંથી ઊઠાવીને 'કચ્છમિત્ર'ને રાષ્ટ્રીય કક્ષાના દૈનિકના મુકામે પહોંચાડવાનાં કીર્તિ ખત્રીનાં પ્રદાનની બહુ જ સ્પષ્ટ નોંધ ગુજરાતી પ્રત્રકારત્વ જગતના અગ્રણી એવા રમેશ તન્ના તેમના "આવકાર" લેખ, 'જિલ્લા કક્ષાના અખબારના રાષ્ટ્રીય તંત્રી’માં લે છે.

'મૈત્રી એજ કીર્તિ' (રઘુવીર ચૌધરી), 'લક્ષ્મણરેખાના માણસ' (વીનેશ અંતાણી), 'કચ્છીયતની સંસ્કાર પ્રતિમા' (પ્રભાશંકર ફડકે), 'ક્ચ્છીયતનું ઝનૂન અને પર્યાય'(કેશુભાઇ દેસાઇ), કીર્તિભાઈનો પ્રકૃતિ પ્રેમ' (શાંતિલાલ એન વરૂ), 'અમારા અને સૌના સ્વજન' (રજનીકાંત સોની), 'જીવદયાની પ્રવૃત્તિના પોષક' (તારાચંદ છેડા), 'આમ લોકના ખાસ જણ' (ડૉ. દર્શના ધોળકિયા),'હસ્તકળાના હામી'(નિરંજન શાહ), ‘દ્રોણાચાર્ય સરીખો મિત્ર' (જયકુમાર લક્ષ્મીચંદ શાહ),'એ લેખોની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે’ (ભાસ્કર અંતાણી) જેવા ૯૮ લેખોનાં શીર્ષકો અને લેખકોનાં નામ વાંચીએ તો પણ કીર્તિભાઇનાં અનેકવિધ પાસાંદાર વ્યક્તિત્વને કેટ કેટલાં વિવિધ ક્ષેત્રોનાં લોકોએ જોયું, જાણ્યું અને અનુભવ્યું છે તેનો ચિતાર તો આપણને આવી જ જાય.

આ દરેક ચિત્રણને વિગતે તો પુસ્તકના વાચન દ્વારા જ જાણી શકાય તેમ છે, પણ પુસ્તકના અંતમાં કીર્તિભાઇનાં પરિવારજનોએ જે કંઇ તેમના વિષે લખ્યું છે, તેનું અહીં વિહંગાવલોકન કરી લેવાનું આકર્ષણ રોકી નથી શકાતું :

'લાગણીના તાણાવાણાથી ગૂંથાએલો પરિવાર' - જીતુભાઇ ખત્રી (મોટાભાઈ)

પોતાના 'સમજુ, લાગણીશીલ અને કર્તવ્યનિષ્ઠ' નાનાભાઇને 'ગુસ્સો કરતાં પણ આવડે છે' તેની સાથે જ તેનામાં 'ગુસ્સાને ફટાફટ ઓગાળવાની પણ ક્ષમતા' પણ છે.

'પારિવારિક ભાવનાના હિમાયતી' - મુક્તા જિતેન્દ્ર ખત્રી ('કચ્છમિત્ર'ની 'મહિલા જગત' કટારનાં અગ્રલેખિકા અને કીર્તિભાઇનાં ભાભી)

'મારા દિયર, જેની સાથે ભાભી તરીકે મારો મજાક-મસ્તીનો સંબંધ છે એ મારી પાસેથી માના સ્નેહના હકદાર છે.'

'એમના માટે ઓફિસના કર્મચારી હોય, કટાર લેખક હોય કે પરિવારનો સભ્ય હોય, બધા જ સરખા જ રહ્યા છે. એ વાત કુંટુંબના સભ્ય અને કટાર લેખિકા તરીકે મેં સારી રીતે જાણ્યું છે.'
'હોદ્દાના ભાર વિનાના પપ્પા' - નેહા અમોલ ધોળકિયા (નાની દીકરી)

'લોકો શું કહેશે એના કરતાં દ્દીકરી શું ઈચ્છે છે એવું વિચારીને પપ્પાએ અમને પિતાની પૂર્ણ હૂંફ આપી છે.'

'ધરતીકંપ વચ્ચે પપ્પા ભુજની શાક માર્કેંટની વચ્ચોવચ્ચ ફસાયા હતા. વડીલોના અને એમના પોતાના પુણ્યે બાલબાલ બચી ગયા.'

'તંત્રી જેવા હોદ્દા પર હોવા છતાં...અમારા એડમિશન લેવાની વાત હોય.. ત્યારે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરતા... સ્કૂટર કે મોટર પર 'પ્રેસ'નું લેબલે ક્યારેય લગાડ્યું નથી.'
'સફળ 'બ્લાઈન્ડ' ગેમ' - ભાનુ (ભાગ્યવતી) કે. ખત્રી (“અનેક તડકી છાંયડીમાં જેની ઓથે જીવન હર્યું ભર્યું છે”..”ત્રણ એક્કાવાળી 'બ્લાઈન્ડ' બાજી” સમાં સહધર્મચારિણી)

'સગાઈ પૂર્વે અમે મળ્યા જ નહીં કે ન તો કોઈ વાતચીત કરી...અંધેરી સ્ટેશને અકસ્માતે એમને મોટા બેન અને કાકી સાથે જોયા હતા....પણ વડીલોના વિશ્વાસ સાથે (એમની) "બ્લાઈન્ડ"ની સામે "બ્લાઈન્ડ"..(એવો)_..અનેક તડકી-છાંયડીથી ભરેલો અમારો....ઘરસંસાર.. અત્યારે નિવૃત્તી પછી ઢળતી સંધ્યાના અવનવા રંગોનોય લહાવો' (ભરી રહ્યો છે).

એમનુ મનોબળ.. મક્કમ.. જે ધારે તે પૂરૂં કરે.'

'ખૂબ ચીવટથી કામ કરવાના આગ્રહી..રાતે બે વાગે ઊઠી લખવા બેસી જાય અને આવું જ્યારે બને ત્યારે મને ખાતરી જ હોય કે કોઇ સુંદર પીસ લખાયો હશે એટલે સવારે ઊઠીને વાંચી લઉં....એકનું એક લખાણ જુદા જુદા એંગલથી લખે. કાગળ ફાડી નાખે અને ફરી લખે. આવું વર્તન કરે ત્યારે હું સમજી જાઉં એ કોઈ અસામાન્ય મુદ્દો છે. એટલે લખી લે કે તરત જ જાતે જઇને વાંચી લઉં. ....જેમ એમના પિતાજીની વાર્તાઓ સંધાડા ઉતાર કૃતિ લાગે એમ એમના કેટલાક લેખ પણ એવા જ લાગે છે.'

'વ્યવસાય પ્રત્યે વફાદાર અને લોકોના હિતની ચિંતા કરનાર કોઇ પત્રકાર, ઉચ્ચ અધિકારી કે અન્ય એમના સંપર્કમાં એકવાર આવે તો કાયમી સંબંધ રાખતા થઇ જાય.... એમની યાદશક્તિ એટલી તીવ્ર કે એક વાર એમને મળેલી વ્યક્તિ બીજી વાર પાંચ વર્ષે મળે તોયે સ્થળ અને સમય એમને યાદ હોય.'

'ન્યાય મેળવવા હંમેશાં ભોગ આપે અને અન્યાય સામે અડગ કદમે ઊભા રહે એવો એમનો સ્વભાવ.'

'એમની એક આદત એ પણ ખરી કે ઓફિસની કોઇ પણ વાત એ ઘરમાં ક્યારેય ન કરે અને ઘેર શકય હોય ત્યાં સુધી કોઈનેય બોલાવેય નહી.. ઘરમાં આવે ત્યારે ચિંતા કે કામનો બોજ ક્યારેય ચહેરા પર લાવે નહીં.'

'આર્થિક લાભ માટે ટૂંકો રસ્તો અપનાવવો કે પોતાના પદનો ગેરલાભ લેવો એવો તો વિચાર પણ ક્યારેય એમને સ્પર્શ્યો નથી.'

'માનવીના તમામ સ્વરૂપની ચરમસીમાઓ જોયા પછી એમને એ કૂર વાસ્તવિકતા અને સત્ય હકીકત આધારિત નોવેલ' લખવાની એમની ઇચ્છા છે, 'પણ લખી શક્યા નથી. આ કામ હાથ ધરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.'

અને પુસ્તકનાં સમાપનમાં કીર્તીભાઇ ખત્રીએ, કોઈ નસીબવંતાને જ મળે એવો, પોતાની (વિશેષ) કેફીયત લખવાનો મોકો ઊઠાવી લીધો છે. 'લક્ષ્ય વિહોણા વેધ'એ '૬૮ વર્ષની ઉંમરે જીવનસંગ્રામ તેમજ વ્યાવસાયિક ક્ષેત્રની સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા, શું શું કર્યું અને શું ન કરી શક્યો, કેટલું સાચું કર્યું અને કેટલું ખોટું, એનાં લેખાંજોખાની સાક્ષીભાવે' થયેલી બહુ જ નિખાલસ રજૂઆત છે.

૧૯૭૦થી ૨૦૧૩, પત્રકાર તરીકે, ક્ષણવારમાં પસાર થયેલ જણાતાં,૪૩ વર્ષપૈકી ૧૯૭૦થી ૧૯૭૩ દરમ્યાન મુંબઈના ફ્રી પ્રેસ જર્નલનાં ગુજરાતી અખબાર'જનશક્તિના સબએડિટર, ૧૯૭૩થી ૧૯૮૦ દરમ્યાનઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક 'જનસત્તા'માં સબએડિટર અને, ૧૯૮૦થી ૨૦૧૩ના માર્ચ સુધી જન્મભૂમિ અખબાર જૂથના ભુજથી પ્રગટ થતા 'કચમિત્ર'માં બે વર્ષ મદદનીશ તંત્રી, ૩૧ વર્ષ તંત્રી અને હાલમાં સલાહકાર તંત્રી તરીકેના ત્રણ તબક્કામાં વહેંચાયેલી કારકિર્દીના વળાંકો, અવઢવો, ખાટા મીઠા અનુભવો, અપેક્ષાઓની પૂર્તિઓ અને અધૂરાશોની તેમની દાસ્તાનને તો જાતે વાંચ્યે જ માણી શકાય તેમ છે.

સરવાળે મૂળ વાત એ કે વ્યાવસાયિક ક્ષેત્રે મેળવેલી સફળતાઓની સમીક્ષા-કદર જે તે વ્યક્તિની હયાતિમાં જ થાય તે એકથી વધુ રીતે ઇચ્છનીય અને ઉચિત છે. તે સાથે તે સમયની કચ્છની સમસ્યાઓ અને એના ઉકેલ અંગે અગ્રલેખોમાં કરેલી છણાવટનું દસ્તાવેજીકરણ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીમાં થયું છે.


'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ: કીર્તિ ખત્રી

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;

વિવેકગ્રામ પ્રકાશન

શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,

નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,

જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,

નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯

ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  September 17, 2014ના રોજ પ્રકાશિત થયેલ.