Showing posts with label જન્મભૂમિ પ્રવાસી. Show all posts
Showing posts with label જન્મભૂમિ પ્રવાસી. Show all posts

Tuesday, October 27, 2015

"રોબર્ટ ફ્રોસ્ટ અને ઓસમાન સાટી" - જન્મભૂમિ પ્રવાસીની ૨૦-૯-૨૦૧૫ની 'મધુવન' પૂર્તિમાં ડો.ગીરીશ વીછીવોરાની કૉલમ 'પારિજાત'માં પ્રસિદ્ધ થયેલ લેખ


ન્મભૂમિ પ્રવાસીની ૨૦-૯-૨૦૧૫ની 'મધુવન' પૂર્તિમાં ડો.ગીરીશ વીછીવોરાની કૉલમ 'પારિજાત'માં પ્રસિદ્ધ થયેલ લેખ "રોબર્ટ ફ્રોસ્ટ અને ઓસમાન સાટી"માં કચ્છી કવિ ઓસમાન સાટીનાં કાવ્ય અને રોબર્ટ ફ્રોસ્ટનાં કાવ્યની રસપ્રદ તુલના કરાઈ છે.
આ આખો લેખ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરશો - 

રોબર્ટ ફ્રોસ્ટનાં કાવ્ય – The Road Not Taken By -ની અતિપ્રખ્યાત બે લીટીઓ
Two roads diverged in a wood, and I –
I took the one less travelled by …..
                               નો અનુવાદ ડૉ.વીછીવોરા
'વનમાં વિચરતાં રસ્તો ફંટાયો,
ને મેં ઓછી અવજવરવાળા રસ્તે પ્રયાણ કર્યું'
                                                                                          એ રીતે કરે છે.
લેખમાં રજૂ થયેલ વિવેચનમાં ડૉ. વીછીવોરા ઓસમાન સાટીના કાવ્યમાં બે મહત્ત્વના શબ્દો 'આંટી' - વળાંક -અને 'વરી વગાં - વળી જવું- વિષે ધ્યાન ખેંચતાં સાટીનાં કાવ્યની પ્રથમ બે પંક્તિઓ ટાંકે છેઃ

'જધંગી જે રા રાસ્તેમેં,
વલા વાટાડુ રે, બ વાટું થઇ કડેંક ધાર ફુટેતી પાંજી કિસ્મત,
અલગ થઇ આઉં આં વય આંટી વરે વના,
તે ધિલમેં ન કો ફરિયાદ રખજા, ફરિયાદ રખજાં'
અર્થાતઃ
'જિંદગીના રાજમાર્ગ પર ચાલનારા વહાલા વટેમાર્ગુ, આપણું નસીબ 'બે રસ્તા' બની અલગ થઇ જાય, તમારાથી છૂટો પડી હું બીજે રસ્તે વળી જાઉં, તો દિલમાં કોઈ ફરિયાદ ન રાખજો.'


 

Tuesday, August 21, 2012

ઑગસ્ટ ૧૯,૨૦૧૨નાં 'જન્મભૂમિ પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિના શ્રી શ્રીકાંત ગૌતમનો લેખ - "નથી છતાં છેની નક્કરતા"


ઑગસ્ટ ૧૯,૨૦૧૨નાં 'જન્મભૂમિ પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિના શ્રી શ્રીકાંત ગૌતમના નિયમિત કૉલમ "રાગ રંગ"માં તેમણે એક બહુ જ ફિલ્મોમાં કરાયેલા એક બહુ જ અનુઠા પ્રયોગ- નથી છતાં છેની નક્કરતા -ની વાત  કરી છે. 

આ લેખમાટે ઉદાહરણ સ્વરૂપે પસંદ કરાયેલ પાંચે પાંચ ફિલ્મોને આપણે વખાણી છે, કદાચ આ લેખના હાર્દની વાત આપણે અભાનપણે નોંધી પણ હશે, પણ તેનો ઔપચારિક પરિચય ભાઇશ્રી શ્રીકાંતભાઇ, આપણને એ વાર્તાઓમાં આપણને પસંદ આવેલાં કોઇપણ અંગ કરતાં વધારે રસપ્રદ રીતે કરાવે છે. તેથી કેસર કેરીના રસમાં અમૃતનાં ટીપાં નાખ્યાં હોય તેવો અનુભવ લેખ વાંચતાં વાંચતાં થાય તો જરા પણ નવાઇ પમાડવા જેવું નથી.

'રાગ રંગ'માં પ્રસિધ્ધ થતા દરેક લેખમાં ફિલ્મ જગતની બારીકીઓને એક નવી જ દ્રષ્ટિએ જોવામાં શ્રીકાંતભાઇની નિપુણતા અને તેમની એ નવદ્રષ્ટિને અનુરૂપ ઉદાહરણોને તેટલાં જ માધુર્યથી રજૂ કરવાની કળાને 'નથી છતાં છેની નક્કરતા' એક અનોખી ઉંચાઇએ લઇ જાય છે.

મધુવન પૂર્તિમાંનો એ લેખ અહીં વાંચી શકાશે.


 

Tuesday, March 13, 2012

આજ અને અહીં જીવવાનાં પાંચ કારણો


૧. દરેક નવાદિવસને તેનું પોતાનું એક બળ હોય છે.તેને સારીરીતે વીતાવવાથી સુંદર ભૂતકાળ અને પ્રફુલ્લ ભવિષ્યકાળનું સર્જન આપોઆપ જ થાય છે.
૨. ચિંતાના સ્થાને સંતોષને મૂકો.આજે આ ક્ષણે હું જીવંત છું,તંદુરસ્ત છું,પ્રેમભર્યા સંઅંધો અને અર્થપૂર્ણ કામ ધરાવું છું તે શું નાની વાત છે?
૩.જાતને જાણો. આપણી ઇચ્છાઓ,સ્વપ્નો,રસક્ષેત્રો સતત પરિવર્તન પામતાં હોય છે. વર્તમાનમાં જીવવાથી પોતાની જાતની વધુ નજીક જઇ શકાય છે.
૪. વર્તમાનમાં જીવવાથી વ્યક્તિ વધુ પ્રેમપૂર્ણ બને છે.જેને ચાહે છે તેનામાટે વધુ સમય અને વધુ ધ્યાન આપવાની ઇચ્છા થાય છે.
૫. આપણને એક જ જિંદગી મળી છે અને તેનો માત્ર એક કાળખંડ - આજની આ માંગરૂપે પૂરેપૂરો આપણા હાથમાં છે. તેને આશીર્વાદરૂપ બનાવવો કે શ્રાપરૂપ તે આપણે વિચારવાનું છે.

વર્તમાન ક્ષણમાં આનંદપૂર્વક અને હૃદયપૂર્વક જીવીએ અને ભવિષ્યને તેની સ્વાભાવિક રીતે આવવા દઇએ." - ગ્રીક તત્વજ્ઞાની

આજે આ ફૂલો ખીલ્યાં છે
મસ્ત સુગંધ ફેલાવતાં
પર્ણોનાં ઝુમખાંપર ઝૂમતાં
તે તારાં છે.
તે તું નહીં સમજે
તો પણ આજનો દિવસ જીવશે,
ને જો સમજશે તો પણ
સાંજ થતાં સુધી મળી જશે માટીમાં.
તું જ લખ નસીબ
તારું અને તારાં ફૂલોનું

- ૧૨ માર્ચ, ૨૦૧૨નાં જન્મભૂમિ પ્રવાસીમાં પ્રસિધ્ધ થયેલ સોનલ પરીખની કૉલમ 'રીફ્લેક્શન'ના                         'જો ભી હૈ, બસ યહી એક પલ હૈ' લેખમાંથી સાભાર

આ લેખનો અંગ્રેજી અનુવાદ અહીં છે.


Tuesday, February 21, 2012

૧૯ ફેબ્રુઆરી,૨૦૧૧નાં જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તીમાંના કેટલાક લેખપરના પ્રતિભાવ


'લાફાલાફીંગલાલિત્યલહરી'ની [તીર કીટ ધા - શ્રી સ્નેહલ ન.મુઝુમદાર] મજા માણતાં વિચાર આવ્યો કે શું તમાચો એ TheMacho દ્વારા થયેલ હાથના બળપ્રયોગ માટે વપરાયેલ ભાવવાચક નામ છે? તો તે જ રીતે જ્યારે કોઇ લલના એ બળપ્રયોગ કરે તો તેને 'તમાચી' કહેવાય?
સ્વામી વિવેકાનંદે અપેક્ષ્યા છે તેમાંના ન હોઇએ તો લાફાને 'લાફી'(હસી)ને માણવો પડે?
થપ દઇને પડે તે થપ્પડ? તે જ રીતે થપાટ શબ્દ સાંભળતાંની સાથે જ તેના પડઘમ પરની થાપ જેવા નાદ ના પડઘાઓ પડઘાયા નથી કરતા?
આમ જૂઓ તો વીજળીના વેગે આવીને પડે તે તમાચો, વેગ ઓછો પણ બળ વધારે તે થપ્પડ અને પ્રેમથી ગાલ પસરાવે તે ટપલી? અને મશ્કરીના ભાવથી વિરોધ પ્રદર્શનમાટે ટપલીદાવથી વધારે અસરકારક સજા સાંભળી છે?
        * * * *
ડૉ. અજય કોઠારીએ પણ એક પ્રગલ્ભ ડૉકટરને છાજે તેવી ગંભીરતાથી જાણે 'વર્ચ્યુઅલ' - સમજો તો  રામબાણ - તેવાઓને તેમણે ઉદાહરણ પ્રસંગોમાં વાપર્યા તે, તમાચા ખાનાર ગાલ છૂપાવતાં જરૂર ફરે. પરંતુ, એ ઉદાહરણોમાંનાં પાત્રો તો આવા કંઇ કેટલાય તમાચાઓ અને તેની પૂર્વજ પેઢીઓને પચાવી ને બેઠેલા ખરાને, એટલે તેઓ તો તમા(રે)ચા પીએ અને કરે ધનાધન! લપડાક વ્હાલની હોય તેમ ઠપકાની કે નિષ્ફળતાની સ્વ-શેહની હોય, તો તે ખાધા પછીથી તેમાંથી શીખેલાઓએ તો સફળતાનાં શિખરો સર કરે, બાકીના બધા તો સમયની લપડાકો ખાઇ ખાઇને અશ્મિભૂત થવાને જ લાયક.  [દે ધનાધન -પોલું છે તે બોલ્યું - ડૉ. અજય કોઠારી]
* * * * *
તારીખીયાંના દટ્ટાનાં દરરોજનાં પાનાંનો એક બહુ જ અસ્રકારક ઉપયોગ અમે અમારાં એક સંબંધી કુટુંબમાં જોયો છે. ઘરનાં એક વડીલ માવતર તેની પાછળ તે દિવસની તેમને ત્યાં થયેલ ઘટના ટપકાવી રાખે. અઠવાડીયાંના અંતે જ્યારે તેઓ પોતાનાં કુટુંબીજનોને પૉસ્ટ્કાર્ડ લખવા બેસે ત્યારે તે દિવસવારની થપ્પી લઇને બેસે અને તેમાંથી જોઇ જોઇને [અચૂક] વિગતો લાગતાં વળગતાં સંબંધીના કાર્ડમાં ઠલવાઇ જાય.
કૅલૅન્ડરનું[તળપદી] સકક્ષ તારીખીયું તે તવારીખીયુંનો અપભંશ હશે? પણ તવારીખ તો રોજ બરોજ થતી ઘટનાઓનાં વલણ [trend]નું દસ્તાવેજીકરણ,દરરોજ ની ઘટનાઓની નોંધ તો રોજનીશી [diary]માં રહે ને? એટલે તવારીખ પરથી તારીખીયું ઉતરી આવવા માટે શું કારણ હશે? [મોસમ આયે .. મોસમ જાયે.. -- કૉફી હાઉસ - શ્રી અનિલ જોષી]
* * * * *
ભાઇશ્રી શ્રીકાંત ગૌતમની કોલમ 'રંગરાગ'નો 'નદી, નાવ અને નાદલેખ વાંચતાં જ 'આવારા'માં 'દમ ભર ઇધર જો મુંહ ફેરે'નું ચિત્રીકરણ યાદ આવી જાય.

નરગીસની રાજ પ્રત્યેના પ્રેમની ઉત્કટતા, રાજનું ચોર હોવાનું સભાનપણું [મૈં ચોર હું કામ હૈ ચોરી] અને ગીતનું માધુર્ય આપણને ચિત્રીકરણમાં સૅટ પર શુટીંગ કર્યું હોવાની દેખાઇ આવતી રાજ કપુરનાં નિર્દેશનની ક્વચિત નબળાઇ નઝર અંદાઝ કરવા પ્રેરે છે.

આપના આની પહેલાંના બે અઠવાડીયાંના લેખ પણ વિષયની 'નવી જ ભાત'ની પસંદ અને તેને અનુરૂપ લેખની સામગ્રીની દ્ર્ષ્ટિએ બહુ જ પસંદ પડ્યા હતા.

Tuesday, November 1, 2011

જન્મભૂમિ પ્રવાસીની ૩૦મી ઑક્ટૉબર,૨૦૧૧ની મધુવન પૂર્તિ અને માનવ સંબંધો અંગેનું પ્રશિષ્ઠ મૅનૅજમૅન્ટ સાહિત્ય


૩૦મી ઑક્ટૉબર,૨૦૧૧ની જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તીના ચાર લેખ,સીધી યા આડકતરીરીતે, (કોઇપણ પ્રકારની) સંસ્થાની સુખાકારી અને સ્વાસ્થ્ય જાળવવામાં માનવ સંબંધોનું શું મહત્વ છે તેની ખુબ જ અસરકારક વાત કહી જાય છે. આ લેખોની ખાસ વાત એ છે કે તેમાં વ્યક્તિ-થી-કુટુંબ-થી-સમાજ-થી-દેશ સુધીના સંબંધોનો રંગપટ તેમાં આવરી લેવાયો છે.
"અમીરી અને ગરીબી યુગોથી ચાલી આવતી દાસ્તાન છે.. પણ આ બે વચ્ચેની સૌથી ઉંડી ખીણ વર્તમાન યુગમાં છે." પરાપૂર્વથી ચાલ્યાં આવતાં આ અંતર માટે લેખિકા ["ગરીબાઇ ક્યાં સુધી" / સમાજદર્પણ // મીરા ભટ્ટ] આપણાં,"પ્રજાનાં કે સમાજનાં સંવેદનવિહોણાં" હોવાની સ્થિતિને જવાબદાર ગણાવે છે. "દુઃખી જનતા અબ ન સહેગી" જેવા વણસેલા સંબંધના ચિત્કારને વિનાબાજી જેવા દ્વારા કરાયેલ સુધારા - "સુખી જનતા ન સહેગી" - થકી અરણ્યરૂદન ભાસતી [આપણા આ લેખના સંદર્ભે, ભૌતિક સુખ કે દુઃખની] વેદનાથી પણ વિસંવાદી સંબંધનો મનમાં જ ધરબાઇ રહેલો સુક્ષ્મ નિઃસાસો વધુ મર્મભેદી પરવડે છે.
સમગ્રા પ્રજામાં જ્યારે વણસેલ કે વિસંવાદીત સંબંઘ લાંબા સમયથી ઘુંટાયા કરે તો તે ઇજીપ્ત કે લિબ્યા જેવા લોહીયાળ અથવા વૉલ સ્ટ્રીટ જેવા અહિંસક સામુહીક દેખાવો કે ફ્રૅન્ચ ક્રાન્તિ જેવા  હીસક  બળવાનું, પરંતુ સંપૂર્ણપણે સ્વયંભૂ, સ્વરૂપ લઇ લે છે. ચીનગારી જ્વાળા ક્યારે બની જાય તે ખબર પડે તે પહેલાં તો આગ વા વેગે ફેલાઇ જતી હોય છે. શ્રી કુંદન વ્યાસ તેમની કૉલમ 'રાજકીય પ્રવાહો'ના 'મૂડીવાદ અને પડકાર' લેખથી સમયોચિત ધ્યાન દોરી રહ્યા છે.
'પૂંછડી એ પૂંછડી છે, માથું નથી' - કૉફી હાઉસ, અનીલ જોષી લેખ, સંબંધની અસંવેદનાની, સંસ્થાપરની અસર સચોટતાથી સમજાવે છે. હકીકતે તો, લેખનું શિર્ષક જ અસંવેદનાની આત્યંતિક તુમાખીવાળી મહાજડ વ્યક્તિને પણ ખળભળાવી મુકવામાટે પૂરતું છે. લેખની શરૂઆતમાં જ જેનો 'કોઇ સંસ્થામાં પગ ટકતો નથી' તેવી 'બહુ સ્વતંત્ર મિજાજની' સૉફીની વાત હળવાશથી કહી દીધી છે. 'સૉફીને તેના બૉસ જોડે ફાવ્યું નહીં' એટલે 'નોકરી છોડી" ... કારણકે 'The worst mistake a boss can make is not to say: Well done.' વિપ્રૉના શ્રી અજીમ પ્રેમજીનું પ્રખ્યાત ઉદબોધન,'An employee does not leave the organization, but leaves the boss' પણ સંસ્થાના નાયકોને આ જ સંદેશ કહી જાય છે.
એ જ લેખના અંતમાં એક એનજીઓની પાયામાં કામ કરતી સમાજસેવિકાની, તેનાં કામની અસગવડો અને અસમાન શરતો[a.k.a. Hygiene factors in the classic OB literature] તેમ જ સ્વાભિમાનને ખુંચતી બૉસની વ્યવ્હાર શૈલિ [a.k.a. Higher level needs of Maslow's Theory of Motivation]કારણે ધુંધવાયેલ વ્યથા આક્રોષના સૂરમાં વાચા પામે છે. આ જ સિક્કાની બીજી બાજૂ જેવો બૉસનો અતિ તુમાખીવાળો અસહિષ્ણુ અભીગમ - "પૂંછ પૂંછ હી હોતી હૈ ઔર સિર સિર્ફ સિર હોતા હૈ" [a.k.a. Haves and Have-nots class divide], "પૂંછકો સિર બનનેકા સપના નહીં દેખના ચાહીએ" [a.k.a. feudalistic mind set of 'Leaders are born and Followers are made'] - છે.
તેના પડોશી લેખ [જીવનનો આનંદ - ગુફ્તગૂ - રમેશ પુરોહિત]આ સ્થિતિસુધી ન પહોંચી  જવાની નોબત ન આવે તે માટેનો રસ્તો બતાવે છે."કોઇ પણની સાચી કિંમત તેની સુખ આપવાની શક્તિથી થાય છે... આપણે તમામ મનુષ્યો એવું કામ કરીએ, એવી (રીતે) વાચા આપીએ કે તેનાથી આપણને, બીજાઓને સુખ"(જ)મળે.આમને સામને દરેક વ્યવહારમાં આ રીતે સામાંનાં સુખનિ ચાહના અને દુઃખની પરવા રાખવામાં આવે તો સમગ્રા સમાજમાંથી કટુતાનો નાશ થઇ જાય!
આ આધ્યાત્મિક,પારલૌકિક  ભાસતા સિધ્ધાંતને તેમણે એક ખુબ જ અસરકારક ઉદાહરણથી સમજાવેલ છે. એક મહિલા મૅનૅજરને તેમના પુરૂષ બૉસએ તેમને પોતાથી નીચી [લાગતી] પાયરીનું કામ સોંપ્યું. પ્રથમ પ્રતિભાવરૂપે તો તેઓ [ખુબ જ ગુસ્સે થઇ અને અકળાઇને]"ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં." પરંતુ, પછીથી "ધરપત રાખીને વિચાર" કર્યા બાદ તેમણે "એવો રસો કાઢ્યો જેમાંથી બન્ને પક્ષોને સંતોષ થયો. મુશ્કેલ અને વિમાસણભર્યા સંજોગોમાં - થોડી ક્ષણો થોભીને,તાત્કાલિક પ્રતિભાવ આપવાની (સાહજીક વૃત્તિને થોડી સંકોરી લેવાથી) - માર્ગ કાઢીએ તો સુખનો રસ્તો સામે જ પડ્યો હોય છે."
સ્ટીફન કૉવીના ૯૦ઃ૧૦ સિધ્ધાંત [10% of life is made up of what happens to you. 90% of life is decided by how you react.]નો વ્યવહાર જગતમાં , સિધ્ધાંતનાં અસ્તિત્વથી કદાચ અજાણ અવસ્થામાં પણ, કેટલો અસરકારક  ઉપયોગ!!!
આ દ્રષ્ટિએ જોતાં  આ બધા જ લેખ, નેતૃત્વની શૈલીઓપરનાં સંસ્થાગત વર્તણુંક પરનાં પ્રશિષ્ઠ સાહિત્ય[a.k.a. Classic Literature of Organizational Behaviour on Leadership styles] નો પ્રમાણિત ઉપયોગ [a.k.a. classic application] કરવા માટે, પુસ્તકો વાંચી વાંચીને આંખો ફોડવાને બદલે વ્યાવહારીક વિવેકબુધ્ધિને થોડી પણ અસામાન્ય માત્રામાં ઉપયોગની જ જરૂર છે તેમ સમજાવવા માટે, પુરતા થઇ રહેતા જણાય છે.
પ્રસ્થાપિત [રાજકીય] સરમુખત્યાશાહી વ્યવસ્થા સિવાય અત્યારની લગભગ બધી જ સંસ્થાના (પ્રબુધ્ધ) નાયક સામાન્યતઃ સહભાગી [a.k.a. participative] ે કાર્ય-સોંપણી [a.k.a. delegated] પ્રકારની નેતૃત્વ શૈલી જ અપનાવતા હોય છે. એ સંજોગોમાં, મોટે ભાગે, આગળ ચર્ચેલા લેખોમાંની અસંવેદન વલણથી ઉત્પન્ન થતી માનસીક વિફલતાની અકળામણ [a.k.a. agonising frustration] ેદા થવાની શક્યતાઓ મહદ અંશે ઓછિ થવી જોઇએ. જો કે માનવ સંબંધો તેના સ્વાભાવીક ગુણધર્મ પ્રમાણે, સુસ્પષ્ટ કે અવ્ય્કત, વિચારો અને લાગણીઓની ગતિશીલ આંતરપ્રક્રિયા [a.k.a. dynamic interplay of, explicit and implicit ,thoughts and emotions] છે એટલે દ્રષ્ટિભેદનો ગાળો પુરેપુરો તો ટાળી ન શકાય. વળી,નેતા અને અનુસર [a.k.a. Leader and Follower] કે એવું કોઇ પણ સંયોજન [a.k.a. combination],જેમ કે માલિક-નોકર , સુપરવાઇઝર- કારીગર કે શાસક - પ્રજા, સ્વાભાવીક રીતે તો એક સિકકાની બે અલગ બાજૂઓ જ જોવાની સાહજીક વૃત્તિ ધરાવે. અને તેથી જ, તેમનો માત્ર દ્રષ્ટિકોણ [a.k.a. point of view] જ નહીં પણ પરિપ્રેક્ષ્ય [a.k.a. perspective] પણ જૂદો પડવાનો જ. દ્રષ્ટિકોણ અને પરિપ્રેક્ષ્યના આ તફાવતનું જો થોડા થોડા સમયાંતરે પરિપક્વ શાણપણથી સમાધાન [a.k.a. judiciously mature reconciliation] ન થતું રહે તો તે તફાવત આંખના પલકારા જેવા સમયમાં જ આંબી ન શકાય તેવું અંતર બની રહે.
અંતે સંક્ષેપમાં, જીવંત, સ્વસ્થ,ટકાઉ [a.k.a. Live, healthy, lasting] સંબંધની ચાવી છે તેનાં અંગોનું સ્વાભાવીક ખુશીમાં રહેવું. અને જીવંત, સ્વસ્થ,ટકાઉ સંબંધ જ જરૂરી છે કોઇપણ સંસ્થાની લાંબાગાળાની સુખાકારી માટે.