Showing posts with label મધુવન પૂર્તિ. Show all posts
Showing posts with label મધુવન પૂર્તિ. Show all posts

Tuesday, August 21, 2012

ઑગસ્ટ ૧૯,૨૦૧૨નાં 'જન્મભૂમિ પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિના શ્રી શ્રીકાંત ગૌતમનો લેખ - "નથી છતાં છેની નક્કરતા"


ઑગસ્ટ ૧૯,૨૦૧૨નાં 'જન્મભૂમિ પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિના શ્રી શ્રીકાંત ગૌતમના નિયમિત કૉલમ "રાગ રંગ"માં તેમણે એક બહુ જ ફિલ્મોમાં કરાયેલા એક બહુ જ અનુઠા પ્રયોગ- નથી છતાં છેની નક્કરતા -ની વાત  કરી છે. 

આ લેખમાટે ઉદાહરણ સ્વરૂપે પસંદ કરાયેલ પાંચે પાંચ ફિલ્મોને આપણે વખાણી છે, કદાચ આ લેખના હાર્દની વાત આપણે અભાનપણે નોંધી પણ હશે, પણ તેનો ઔપચારિક પરિચય ભાઇશ્રી શ્રીકાંતભાઇ, આપણને એ વાર્તાઓમાં આપણને પસંદ આવેલાં કોઇપણ અંગ કરતાં વધારે રસપ્રદ રીતે કરાવે છે. તેથી કેસર કેરીના રસમાં અમૃતનાં ટીપાં નાખ્યાં હોય તેવો અનુભવ લેખ વાંચતાં વાંચતાં થાય તો જરા પણ નવાઇ પમાડવા જેવું નથી.

'રાગ રંગ'માં પ્રસિધ્ધ થતા દરેક લેખમાં ફિલ્મ જગતની બારીકીઓને એક નવી જ દ્રષ્ટિએ જોવામાં શ્રીકાંતભાઇની નિપુણતા અને તેમની એ નવદ્રષ્ટિને અનુરૂપ ઉદાહરણોને તેટલાં જ માધુર્યથી રજૂ કરવાની કળાને 'નથી છતાં છેની નક્કરતા' એક અનોખી ઉંચાઇએ લઇ જાય છે.

મધુવન પૂર્તિમાંનો એ લેખ અહીં વાંચી શકાશે.