Showing posts with label Devdutt Pattnaik. Show all posts
Showing posts with label Devdutt Pattnaik. Show all posts

Sunday, October 9, 2011

વિસર્જનનો સમય - દેવદત્ત પટ્ટનાઇક




આપણે દરેક વરસનાં ઢળતાં ચોમાસે, તેની મૂર્તિને ઘરે લાવીએ છીએ, સ્થાપન કરીએ છીએ,ધૂપ- અગરબત્તીથી ભક્તિ કરીએ અને પ્રસાદ ધરાવીએ અને પછી, સમુદ્રમાં પધરાવી દઇએ છીએ.

વરસો વરસ, આપ્ણે દેવાદિધેવને આમંત્ર્યા બાદ ચુસ્ત દક્ષતાથી તેમને વિદાય પણ કરીએ છીએ.દર વરસે આપણે તેમની માટીની મૂર્તીનાં સ્થાપનને અને પછીથી, ચંદ્રની ઢળતી કળાની ચૌદમી તિથિએ, રાજવી ઠાઠવાળી એ મૂર્તીઓના અવશેષોને સમુદ્રમાં જોઇએ છીએ.દસ દિવસ ના સંગીત, ન્રુત્ય અને ભક્તિ-પ્રાર્થનાઓના ઉત્સવ પછીથી શાંતિ. ભક્તિભાવથી પૂર્વજોને યાદ કરવાના દિવસો.

હવે પછીનું પખવાડીયું મૃત વડીલોને પૂજવામાં વીતશે.આ પિતૃઓનું પખવાડીયું છે, જ્યારે આપણે તેમને યાદ કરીએ છીએ અને તેમને પુનઃજન્મની ફરીથી હૈયાધારણા આપીએ છીએ.

ભારતમાં ઉદભવેલા ધર્મોના મુળમાં "સર્વનો અંત છે" તે સિધ્ધાંત રહ્યો છે. કંઇ જ શાશ્વત નથી. દરેક વખતે નિશ્ચેતન વસ્તુનું સ્વરૂપ બદલે છે. ચેતન સ્વરૂપનું મૃત્યુ નિશ્ચિત છે.મૃત્યુ, બદલ્લવ અને પરિવર્તન એ કુદરતના ક્રમ છે. માત્ર આનું જ અનુમાન કલ્પી શકાય તેમ છે. બદલાવસાથે તાલ મેળવી શકવું તે જ જીંદગી. નિર્જીવ પહાડો કે નદીઓને મૃત્યુનો અહસાસ નથી, તેથી તેઓ પરિવર્તનને અવરોધતાં નથી. સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુથી વાકેફ છે, માટે તેઓ મૃત્યુનો પ્રતિકાર કરે છે. તેમની અસ્તિત્વમાટેની મથામણ તેમને સતત દોડતાં અને લડતાં રાખે છે.માત્ર મનુષ્ય જ મૃત્યુવિષે વિચારી શકે છે, જીવનના અર્થની શોધ કરી શકે છે, ઉત્કટતાથી જાણવા માંગી શકે છે કેઃ આ બધાંનો અર્થ શો? કુદરત કોઇ જવાબ નથી આપતી.ધર્મો અનુમાનોને રજૂ કરે છે તો વિજ્ઞાન પણ હતોત્સાહ થઇને હાર માનતું જણાય છે.કોઇને કશી ખબર નથી. આ સ્થિતિ નિરાશાજનક છે.તેથી આપણે અસ્તિત્વવાદી ગુસ્સાને બાજુએ મુકીને એવી ક્ષુલ્લક યોજનાને આધીન થઇ જઇએ છીએ જેમાં આપણાં જ સર્જેલ લક્ષ્ય કે ધ્યેયને આપણે આપણાં જીવનનો અર્થ ઘોષિત કરી દઇએ છીએ.
મહાભારતમાં યક્ષના જગતની સૌથી મહાન અજાયબી કઇ તે પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિર કહે છેઃ "દરરોજ કેટલાંયે લોકો મૃત્યુ પામે છે, પરંતુ બીજાં બધાં જાણે મૃત્યુ કદી આવવાનું જ નથી તેમ જીવવાનું ચાલુ રાખે છે.આ છે મહાન અજાયબી". આપણે દર વરસે ગણેશને સમુદ્રમાં પધરાવીએ છીએ, માટીને ધીમે ધીમે પાણીમાં ઓગળતી જોઇએ છીએ, આંખસામે મૂર્તિને ઓજલ થતી પણ જોઇએ છીએ.શું આપણા વડવાઓએ આવી વિગતવાર વિધિ આપણને જીવનની ક્ષણભંગુરતા યાદ રહે તે માટે જ ઘડી કાઢેલ છે?કંઇ જ શાશ્વત નથી. તેથી,જીંદગીનો મકસદ કશું મેળવવાનો નહીં, પરંતુ બેસીને ઠંડે કલેજે, બધાંનો શો અર્થ છે તેમ વિચારવાનો છે. માટે જ,ભારત તેના સાધુ, સંતો અને ફિલસૂફોમાટે જાણીતું છે.અને એટલે જ આપણામાટે બાહરી ભૌતિક સિધ્ધિઓ કરતાં ધનની જેમ વહેંચી ન શકાય પણ અંદરથી પ્રજ્વલિત થતાં ડહાપણરૂપી આંતરીક આધ્યાત્મીક અનુભુતી વધારે મહત્વની બની રહે છે.વિદ્વતા, આપણને ક્રોધીત ક્રાંતિકારી નહીં પણ, વધુ નમ્ર અને સૌમ્ય બનાવે છે, કારણકે આખરે તો દરેક ક્રાંતિનો પણા ખચિત વિલય થવાનો જ  છે.
સામાન્યતઃ આપણે ભૂલી જઇએ છીએ કે ગણેશની સાથે લક્ષ્મી અને સરસ્વતીનું સ્થાન હોય છે જ.લક્ષ્મીનું ત્યારે આગમન થાય ત્યારે ગણેશ વિદાય લેતા હોય તો જ્યારે ગણેશ વિદાય લઇ રહ્યા હોય છે ત્યારે સરસ્વતીનું આગમન થતું હોય છે.આ બંન્ને દેવીઓનો પ્રવેશ અનુક્રમે ચડતીના સમયમાં  ધનદોલત અને પડતીના દિવસોમાં ડહાપણનાં સ્વરૂપે થાય છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, લક્ષ્મી આપણો બાહ્ય વિકાસ કરે જ છે,જ્યારે સરસ્વતી આપણો આંતરીક વિકાસ કરે છે, પરંતુ જો આપણી ઇચ્છા હોય તો જ. બેમાથી કોઇ એક દેવીની જ પંસદગી થઈ શકે છે.ગણેશજી સદાય સ્મિત રહેલાવતા રહે છે, કારણકે તેમની પાસે છે માનવતામાં શ્રધ્ધા અને અથાગ ધીરજ.
              'દેવલોક, સન્ડે મિડ ડે, સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૧’માં પ્રકાશિત થયેલ
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ

Friday, September 23, 2011

સ્ત્રી દેહ -- દેવદત્ત પટ્ટનાઇક

માનવ ઇતિહાસએ સ્ત્રી દેહનાં ભૌતિક કે દેખાવનાં સ્વરૂપને સામાન્યતઃ પુરૂષની મિલ્કત ગણી છે.તેથી ,વ્યભિચાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર છે) અને  બળાત્કાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર નથી)ને પુરૂષ માટે માનહાનીજનક ગણેલ છે.

પરશુરામની કથામાં, તેમની માતા, રેણુકા, થોડા સમયમાટે અન્ય પુરુષનો સહવાસ ઝંખે છે. આ 'વૈચરિક' અપરાધનાં પરિણામરુપે, પિતા - જમદગ્નિ-ના આદેશથી તેનો પુત્ર તેનો શિરચ્છેદ કરે છે. અંતે તો તેને ગણીકાઓની દેવી યેલમ્મા સાથે પણ સાંકળી લેવાયેલ છે.

રામની કથામાં, રાવણદ્વારા સીતાનું અપહરણ તેમની આબરૂને ડાઘ લાગી જાય તે હદસુધીની લોકચર્ચાને ચકડોળે ચડાવે છે કે રામ તેમનો ત્યાગ કરી દે છે.

આ બંન્ને કથાઓમાં સ્ત્રી પર સીધો કોઇ હુમલો નથી થયો.સ્ત્રીશાલિનતાપરનું ગ્રહણ માત્ર આઘાત્ પેદાકારક છે. જે કંઇ તમારૂં છે તેના પર કોઇ પોતાની માલિકી કરી શકે તે 'વિચાર' [રેણુકાની કથા] કે કોઇએ માલિકી કરી લીધી છે તેવી 'માન્યતા'[સીતાની કથા]ના ખયાલમાત્રથી તમારી માનહાની થઇ જઇ શકે છે.

જ્યારે પણ આપણે હિન્દુધર્મને બચાવપક્ષનાં પાંજરાંમાં ઉભો કરવા માગતા હોઇએ છીએ કે હિન્દુ સામાજીક રિવાજોને પુરૂષપ્રધાન સાબિત કરવા હોય છે ત્યારે આપણે આ કથાઓને આ સ્વરૂપે રજૂ કરીએ છીએ, પરંતુ આ જ ગ્રંથોમાં આ કથાઓનાં એ સ્વરૂપોનો ઉલ્લેખ માત્ર પણ કરતા નથી  જેમાં આ કથાઓનાં બીજાં પાસાંઓ પણ અસરકારકરીતે કહેવામાં આવ્યાં હોય.

કેટલીક કથાઓમાં જેમાં અહલ્યાનો એક પ્રમાણિત વ્યભિચારિણી અથવા બળાત્કારીત સ્ત્રી તરીકેનું વર્ણન છે, જેને કારણે જેના પતિએ તેને પથ્થરની શિલા બની જવાનો શ્રાપ આપ્યો હતો, પરંતુ રામના પાદસ્પર્શથી જે પવિત્ર અને શ્રાપમુક્ત થઇ હતી તેવી કથા આપણે કહેતા નથી. આ એજ રામ છે જે સીતાનો ત્યાગ કરશે.આવા પુરૂષપ્રધાન રામ એક વ્યભિચારિણીને પવિત્ર શા માટે કરે છે? આનું કોઇ સ્પષ્ટીકરણ જોવા નહીં મળે! શા માટે આવા રામ કલંકિત સીતાના ત્યાગ પછીથી ફરીથી લગ્ન નથી કરતા? કોઇ સ્પષ્ટીકરણ નહીં! શા માટે આ કથાઓમાં સ્ત્રીઓ પ્રત્યે દાક્ષિણ્ય કે ક્ષમા [અહલ્યાની મુક્તિ]કે પ્રતિબધ્ધત્તા [સીતાત્યાગ પછીથી પુનઃલગ્ન ન કરવાં] જેવાં સ્વરૂપને બદલે સમાજના પુરૂષપ્રાધાન્યને ઉભારતાં કથાતત્વને વધુ પ્રસિધ્ધિ મળે છે?

આપણે ઉપનિષદની એ કથા પણ નથી કહેતા જેમાં ગૌતમ ઋષિ તેમનીપાસે શિષ્ય થવા આવેલ બાળકને પૂછે છેઃ " તારા પિતાનું નામ શું છે?" જેના જવાબમાં બાળક કહે છેઃ "મારી માતા એ આપને એમ કહેવાનું કહેલ છે કે તે એક દાસી છે અને તેણે અનેક પુરૂષોની સર્વ પ્રકારે સેવા કરી છે, તેથી તેને મારા પિતા કોણ છે તે ખબર નથી. માટે મને જાબાલાના પુત્ર, જાબાલી, તરીકે સ્વિકારો." આવા સાચા અને પ્રમાણિક જવાબની ભેટ રૂપે ઋષિ બાળકને સત્યકામ [સત્યનો ચાહક] નામથી શિષ્ય તરીકે આવકારે છે.

આપણે મહાભારતની શ્વેતકેતુની એ કથા પણ નથી કહેતા જેમાં તે તેની માતાને પરપુરૂષની સાથે જોતાં ચોંકી ઉઠીને તેના પિતા ,ઉદ્દાલક,ને શિકાયત સ્વરૂપે જાણ કરે છે, ત્યારે તેના પિતા જવાબમાં કહે છેઃ "સ્ત્રીને જે પસંદ હોય તે કરવાની સ્વતંત્રતા છે." આના પ્રતિભાવમાં પુત્ર જ્યારે પોતાના પિતાઅંગે શંકા કરે છે ત્યારે ઉદ્દાલક કહે છેઃ "મારો પ્રેમ તને મારું સંતાન બનાવે છે, નહીં કે મારું પુરૂષ-બીજ."

આમ એક પક્ષે સ્રીને મિલ્કત ગણાવતી જેટલી કથાઓ છે તો બીજે પક્ષે સ્ત્રીને પોતાનાં જીવનપર પુરો અધિકાર હોય અને સ્ત્રી મિલ્કત સ્વરૂપે ન જોવાઇ હોય તેવી કથાઓ પણ છે. આપણી શાળાઓ કે કૉલેજોમાં કે પછી આપણા જમણેરી કે ડાબેરી ધર્મનિર્પેક્ષ બૌધ્ધિકોદ્વારા આવી બીજા પ્રકારની કથાઓ શા માટે કહેવાતી નથી?

મારા મત મુજબ, પૌરાણિક સમયમાં સ્ત્રીને સન્માન મળતું ન હતું જેને આધુનિક ધર્મનિરપેક્ષ કાયદાની મદદથી સુધારી શકાશે, તેવી માન્યતા રૂઢ થતી જણાય છે. જો કે આ માન્યતા બે-વજૂદ જણાય છે. ખાપ કે ઇન્ડિયન પીનલ કોડ [ઇ.પી.કૉ.] હોવા છતાં પણ સામાન્યતઃ લોકોને, અને ખાસ કરીને સ્ત્રીઓને, અવમાનિત કરતા જડસુઓ ત્યારે પણ હતા, આજે પણ છે, અને [મને આ લખતાં કમકમાતી થઇ આવે છે કે] આવતીકાલે પણ હશે.

આપણે આવા જડસુઓને કેન્દ્રમાં રાખતી પ્રસિધ્ધિઓ ક્યારે બંધ કરીશું?


n  'દેવલોક, સન્ડે મિડ ડે, ઑગષ્ટ ૭, ૨૦૧૧'માં પ્રકાશિત થયેલ

n  Originally Titled: A Woman’s Bodyhttp://devdutt.com/a-womans-body/