Showing posts with label General Thoughts. Show all posts
Showing posts with label General Thoughts. Show all posts

Saturday, November 3, 2012

ગુજરાતીલેક્સિકોન અને ગુજરાતી સાહિત્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત 5 વિવિધ સત્રની કાર્યશાળા અંગેનો એક વિસ્તૃત અહેવાલ

ગુજરાતી ભાષાને પ્રવર્તમાન સમય સાથે કદમ મેળવવામાટે સક્ષમ રાખવામાં ગુજરાતી ભાષાનું ડીજીટાઇઝએશન બહુ જ મહત્વની ભૂમિકા ભજવશે તે આપણે બધાં સ્વિકારીએ છીએ.

ગુજરાતી લેક્ષિકોને, ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગમાં આ કાર્યશાળાઓ યોજીને એ બાબતે એક મહત્વનું પગલું ભર્યું છે.

હવે ગુજરાતી ભાષાનાં ડીજીટાઇઝેશનનો પ્રસાર વધારવાની બાબતે બધાં જ ગુજરાતી, ખાસ તો ગુજરાતી નૅટનાગરિકોએ, વિચારીને , પોતપોતાનું યોગદાન ઉમેરતા રહેવાની જરૂર છે.ટીપે ટીપે પણ સરોવર ભરીએ.

આ બાબતે,તેમના બ્લૉગ પર આ કાર્યશાળાઓના કાર્યક્રમોની લિંક આપીને સ્તુત્ય કામ કર્યું છે. 

ગુજરાતી સાહિત્ય પરિષદની સાઈટ પર 'ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતા' શિર્ષક હેઠળ આ કાર્યશાળા ઓનલાઇન પણ માણી શકાશે.




 

Monday, February 27, 2012

કચ્છડો - ૧૨એ માસ કે ૨૨એ વિમાસ


શ્રી જગ સુરૈયા શ્લેષના ચબારકીયા પ્રયોગની મદદથી તેમના મુદ્દાની સરકારક રજૂઆત કરવામાં માહેર ગણાય છે.
૨૩ જાન્યુઆરી,૨૦૧૨ના ToIની તેમની કૉલમ JUGULARVEIN  [આ તેમનો પહેલો શ્લેષ  punch!]માં તેમણે ફરી એક્વાર તેમની શ્લેષ કળાનો સ-રસ પ્રયોગ કર્યો છે.તેમનો Kutch-22 લેખ કચ્છીયતની સાંપ્રત,ગંભીર કશ્મકશને હળવી શૈલિમાં રજૂ કરે છે.
લેખનું શિર્ષક એ માત્ર Catch 22ના શ્લેષનો શાબ્દીક પ્રયોગ જ નથી. ઉલમાંથી નીકળવા જાઓ તો ચૂલમાં ફસાઓ જ તેવાં બંધનોમાં ફસામણી માટે Catch 22 શબ્દપ્રયોગ બહુ પ્રચલીત છે. ક્ચ્છીઓની ભયમાં આવી પડેલી કચ્છી તરીકેની આગવી ઓળખાણની આવી જ Catch 22 સમાજિક મનોસ્થિતિની વાત શ્રી સુરૈયાએ તેમની માર્મીક શૈલિમાં કહી છે.

શ્રી સુરૈયાની સમસ્યાને સમજવા માટે પહેલાં આપણે Catch-22 ને સમજી લઇએ. સમસ્યામાંથી છુટકારો મેળવવા જતાં તે સમસ્યામાં વધારે ફસાઇ જવાય તે પરિસ્થિતિમાટે હવે આ શબદપ્રયોગ બહુ પ્રચલીત બની ગયો છે. જૉસૅફ હૅલરની ૧૯૫૩માં લખાયેલી અને ૧૯૬૧માં પ્રકાશીત થયેલ નવલકથાનું આ શિર્ષક છે. કથામાં Catch [છટકું] એ છે કે અતિ ખતરનાક બૉમ્બીંગ મીશનમાંથી છુટકારો મેળવવામાટે અયોગ્ય ઘોષીત થવા માટે માનસીક યોગ્યતા કસોટી કરાવડાવવાની અરજી કરવી પડે. આ અરજી જ આમ તેના ડાહ્યા હોવાનો પુરાવો પાડે. આમ પાગલ જાહેર થવા માટેની તમારી અરજી જો તમારા ડાહ્યા હોવાનું પ્રમાણ બની જાય તો બધા'પાગલ' 'ડાહ્યા' જ હોય ને! અને એ ભયથી જો તે અરજી જ કરે તો તે ડાહ્યો તો રહ્યો જ, એટલે તેનું બોમ્બમારાનાં મિશનમાં જવું પણ નક્કી જ.એટલે કોઇ પણ પાયલટ ખરેખર પાગલ હોય તો પણ તે માટેની અરજી કરતાંની સાથે જ 'ડાહ્યો' ગણાઇ જાય. આમ Catch-22ને કારણે ખરો પાગલ પાયલટ પણ ઘરે બેસી ન શકે!

જો કે છટકાનાં સાખ્યીક ક્રમ - ૨૨ - માટે કોઇ ખાસ કારણ નથી. સહુ પહેલાં તો કથાનું પહેલું પ્રકરણ Catch-18  ના નામથી પ્રસિધ્ધ પણ થઇ ચૂક્યું હતુંપરંતુ, પુસ્તકનાં પ્રકાશનના થોડા સમય પહેલાં જ Mila 18  નામે એક નવલકથા પ્રકાશીત  થ ઇ ચુકી હતી એટલે સારો પ્રાસ બેસતો હોવાથી ૨૨ના આંકડાની પસંદગી કરવામાં આવી હતી.
૧૯૭૦માં માઇક નીકૉલસના નીર્દેશનમાં Catch -22 ના નામ થી જ તેનું ફીલ્માંકન પણ થયું છે.
તો, હવે આપણે એક તરફ ખાઇ તો બીજી તરફ ખીણ જેવી  સ્થિતિને કચ્છ અને કચ્છીયતની સાથે શું લાગે વળગે છે તે તરફ કદમ ઉઠાવીએ?

નૈસ્રર્ગીક રીતે જે ૪૫,૬૫૨ ચો.કી.મીંમાં ફેલાયેલ દેશનો સહુથી મોટો જીલ્લો હોવા ઉપરાંત આ પ્રદેશ બહુ બધી રીતે આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. એક વિશિષ્ઠ પ્રકારનું રણ, દર ૫૦ /૬૦ વર્ષે મોટા ધરતીકંપ, અને અત્યાર સુધી વણખેડાયેલ રહેલ ખનીજ સંપત્તિ, ખુબ જ લાંબો દરીયાકિનારો હોવા છતાં વ્યાપારીક કુનેહમાં મહાકુશળ એવા કચ્છીઓ વિશ્વમાં ચારેકોર ફેલાઇ જવાની હિંમત સદીઓથી કરતા રહ્યા પણ પોતાના ઘરના  વિકાસ માટે અકળરીતે ઓછો રસ ધરાવતા દેખાયા છે. '૬૦ના દશકાના મધ્ય ભાગથી કંડલા બંદરના વિકાસને પરિણામે કચ્છનું ગાંધીધામ મહદ અંશે ઉત્તર ભારત સાથે માત્ર વ્યાપારીક જ નહીં પણ ગાંધીધામને ઘર બનાવીને ઉત્તર ભારતીયોનાં સ્થાઇકરણને કારણે સાંસ્કૃતિક રીતે પણ જોડાતું ગયું.

અખંડ ભારતના ભાગલા સમયે કચ્છનો એક ભાગ નવાં જન્મી રહેલ પાકીસ્તાનમાં ભેળવાઇ ગયો તો આઝાદી પછી મુંબ ઇ રાજ્યનાં ભાષાવાર વિભાજન સમયે તે ગુજરાતમાં ભેળવી દેવાયું. આમ આઝાદી પહેલાં હંમેશ એક અલગ રાજ્યની પ્રજા તરીકે જીવવા ટેવાયેલ પ્રજાને એક તરફ તેમની આગવી ઓળખાણના ક્ષયની ફીકર હતી તો બીજી તરફ આર્થિક અને ભૌતિક વિકાસમાટેનાં ઓરમાયાં વર્તનનો અસંતોષ હતો. કચ્છની Catch-22 નવલકથાનું આ પહેલું પ્રકરણ કહી શકાય.

જો કે ૨૦૦૧ના મહાધરતીકંપ બાદ પરિસ્થિતિ એ એક નવો જ વળાંક લીધેલો જણાય છે. જાનમાલની પારાવાર ખુમારીની સીધી જ અસર ઉપરાંત કચ્છનાં આંતરીક ભૌતિક અને બહારના વિશ્વ સાથેના ભૌતિક તેમજ સાંસ્કૃતિક સમીકરણોમાં આમુલ પરિવર્તન થઇ ગયાં છે. ધરતીકંપને પરિણામે કચ્છનાં ઘણાં શહેરો અને ગામોને ઘણે મોટે પાયે ભૌતિક નુકસાન થયું હતું. ભુજ, અંજાર, ભચાઉ જેવાં શહેરો તો એટલી હદે ભાંગી ચુક્યાં હતાં કે તેમની લગભગ નવી કાયાપલટ જ થઇ ગઇ છે.સામખીયાળી - ભચાઉ - ગાંધીધામ -અંજાર - મુંદ્રાનો પટ્ટો તો ગુજરાતના અમદાવાદ-વડોદરા-સુરત-વાપીના 'સોનેરી પરસાળ'ની જોરદાર હરીફાઇ કરતો ઔદ્યોગિક વિસ્તાર બની ગયો છે. નળીયા - અબડાસા વિસ્તાર ભારતનું સીમેન્ટ કેન્દ્ર બની રહેવાને ઉંબરે આવી રહ્યો છે. ૪૦૦૦ હજાર મેગાવૉટ્ના બે અતિમહાકાય વીજળી મથકો અને લગબહગ ૨૫૦૦ મેગાવૉટ વીજળી પેદા થઇ શકે તેવી અને તેટલી પવનચક્કીઓથકી ગુજરાત આવનારાં કેટલાંય વર્ષો સુધી વીજળીની પુરાંત ધરાવતું રાજ્ય બની રહેશે.

આને પરિણામે એક તરફ ઉત્તર ભારત સાથે દ્વી-માર્ગીય રેલ લાઇન અને  ૬-માર્ગીય આધુનિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તો બીજી તરફ ગુજરાત અને દેશના અન્ય ભાગો સાથે જોડતો રેલ, રૉડ અને વિમાન વ્યવહાર તો અસ્તિત્વમાં આવી ગયો છે, જે અમારા જેવા કંડલા-નવલખી લૉંચની કડીથી મુસાફરી કરનરી પેઢીમાટે તો પોતના જ જીવનકાળ દરમ્યાન સાચાં પડેલાં એક સ્વપનાં જેવું લાગે છે.
એક જમાનામાં જે પ્રદેશની પ્રજા નિકાસ થતી હતી તે પ્રદેશ આજે બધી જ પ્રજાની આયાતમાટેનું આકર્ષણ બની ગયેલ છે.અને તેમ છતાં એ જ કચ્છનાં માંડવી / મુંદ્રા જેવાં શહેરોમાં આજે કેટલાંય ઘરો વર્ષોનાં તાળાં લાગેલાં જોવા મળે છે તો કેટલાંય ગામોમાં આંગળિના વેઢે ગણી શકાય તેવી વસ્તીની હાજરીની ઝાખપ જોવા મળે છે. 'વિકાસ'નું આ અસંતુલન, હાલના પ્રજા જીવનને પણ અસંતુલીત કરતું જણાય છે. કચ્છની Catch-22  કથાનો આ બીજો તબક્કો છે.

'૬૦ના દાયકામાં આવી ને ગાંધીધામમાં વસેલા 'પરપ્રાંતિયો'ની આજે જેમ ત્રીજી અને ચોથી પેઢી કચ્છને પોતાનું વતન બનાવી ચૂકી છે. તે જ રીતે આ દશકામાં નવા ઉદ્યોગોને કારણે આવીને અહીં સ્થિર થઇ રહેલ એક બહોળી વસ્તી પણ કચ્છના આ વિસ્તારનાં પ્રજાજીવનને કાયમમાટે પચરંગી કરી નાખશે. અને આ વલોણાંમાં કચ્છ્ની બહાર વસી ગયેલા કચ્છીની કચ્છીયતને ભેળવો તો જે નવરંગ સંયોજન પ્રસ્રરતું જશે તેને આપણે કચ્છની  Catch-22 નું ત્રીજું પ્રકરણ ગણીશું.

આમ પરંપરાગત  કચ્છમાંથી જ ઉદભવતી કચ્છીયત, '૬૦માં ગુજરાતના મહત્વના સીમાંત જીલ્લા તરીકેની ઓળખથી મહા-ભુકંપ,૨૦૦૧ ને કારણે વીજાણુ માધ્યમો ને કારણે સમગ્ર વિશ્વમાં ઓળખા સુધીની કચ્છીયત અને હવે ૨૦૦૩ પછીનાં સાંપ્રત ઔદ્યોગીક કચ્છ તેમ જ હવે પછીના એક કે બે દાયકનાં ભાવિ કચ્છની કચ્છીયતનો ભાતીગળ સંયોજીત રંગપટ જેવા ચોરાહા  પર કચ્છની રસમય ગાથા આ સમયે આવીને ઉભેલી દેખાય છે.

આ છે કચ્છીયત-૨૨ની ઐતિહાસીક નિર્ણાયત્મક ઘડી! કચ્છીયતે ભૂતકાળની ભવ્યતા(!)માં રાચવું છે કે ભવિષ્યમાં તેની હજૂ વધારે આગવી,[પરાણે પણ]માન અને પ્રેમ આપવાલાયક પહેચાન ઉભી કરવી છે તે કચ્છીયતની વર્તમાન વિચારધારાની ગતિશીલતા પર આધારીત છે.


n  ૨૩ જાન્યુઆરી,૨૦૧૨ ના ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના બ્લૉગ પર પ્રસિધ્ધ થયેલ શ્રી જગ સુરૈયાના મૂળ લેખ  Kutch -22  પર નો પ્રતિભાવ

Sunday, April 24, 2011

સુખનું બારણું

જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.

---- હેલન કેલર
જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે જયાં આપણે વિચારથી કામ કરવું જોઇએ ત્યાં આપણે લાગણીશીલ થઇ જઇએ છીએ અને જયાં લાગણીની આવશ્યકતા હોય છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ.
--- www.gujarati.nuમાં પ્રકાશિત એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી-શ્રી કૃષ્ણકાંત ઉનડકટ'બ્લોગપરથી સાભાર

તમારી લાગણીઓ પર કોનો અંકુશ?

'તમને શું લાગણી થઇ રહી છે, તે્વું કોઇ બીજું શા માટે નક્કી કરે?

તમને ખુદ અપમાનની લાગણી ન થાય, તો તમને કોઇ કદાપિ અપમાનિત કઇ રીતે કરી શકે?

તમારી લાગણીને જો ઠેંસ ન લાગે, તો તમને કોઇ ક્યારે પણ દુઃખી કઇ રીતે કરી શકે?

- એપ્રિલ ૨૪, ૨૦૧૧ નાં Sunday Timesનાં TimesLifeનો
વિનિતા દાવડા નાંગીયા ના
"Let 'butter’ sense prevail!" લેખનો અંશ

Sunday, April 3, 2011

"પણ મને તો ખબર છે"

એક સમર્પિત શિલ્પિએ 'મંદિરનાં ઉંચાં શિખરમાટે એક સુંદર મુર્તી બનાવી. મુર્તી પુરી થઇ રહેવા આવી હતી તેવા અંતિમ તબક્કે શિલ્પિને તેમાં એક સુક્ષ્મ ખામી ધ્યાનમાં આવી. તેણે તરતજ એ મુર્તીને ત્યાંથી હટાવી લીધી અને નવા પથ્થરપર ફરીથી તરાશવાનું શરુ કરી દીધું. તેના મિત્રએ સાશ્ચર્ય પુછ્યુંઃ " આટલી ઉંચાઇએ જ્યારે આ મુર્તીની સ્થાપના થશે, ત્યારે આવી સુક્ષ્મ ખામી કોની નજરે પણ ચડશે?" શિલ્પિએ મર્મીલાં સ્મિતમાં જવાબ આપતાં કહ્યુંઃ
"પણ મને તો ખબર છે."

જ્યારે તમને કોઇ જ જોઇ નથી રહ્યું અથવા કોઇ બાબતે તમા્રાથી વિશેષ નથી જાણતું, તમારી એ જાણની પળ તમારી નિતિમત્તાની કસોટીની ઘડી છે. તમારા આત્માના અરીસા સામે તમે બેનકાબ નગ્ન ઉભા હો કે વિશ્વામિત્રની સમક્ષ મેનકા જેવી મોહચલિત થઇ જવાય તેવી ક્ષણ એ તમારાં ખમીરની અગ્નિપરીક્ષાની ઘડી છે.

જે સમયે "પણ મને તો ખબર છે" એમ તમારા અંતરાત્માને ખબર હોય, તે પછીની જ ક્ષણની તમારી લાગણી કે વિચાર કે વર્તન એ તમારાં અંગતનિતિમુલ્યો કથીર છે કે કનક છે તેનું પારખું છે.
૩ અપ્રિલ '૧૧ નાં
Sunday Times - TIMESLIFE!ના
વિનિતા દાવર નાંગિયાના
"Would you like to walk like Sachin" લેખપરથી સાભાર

Sunday, March 27, 2011

સંસ્થાનો ઉદ્દેશ્ય અને સાધનોની ઉપલબ્ધી

આજની મારી આ નોંધ ૨૭મી માર્ચ,૨૦૧૧નાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલ શ્રી જગદીશ ભગવતીનો “The ‘real’ truth behind Yunus’s Grameen Story”- મનનીય અને માર્ગદર્શક - લેખ છે.
પ્રસ્તુત લેખમાં NGOs - દરેક પ્રકારના કાયદાકીય પરિમાણોની પુર્તતા કરીને પણ - સફળ સાતત્યસહ લાંબાગાળા નાં સંચાલન વિષે વિચારણીય રજૂઆત કરવામાં આવી છે.
NGOsની કાર્યપધ્ધતિનો સીધો મારો અનુભવ નથી તે મર્યાદા સ્વિકારતાં, મારા અંગત અભિપ્રય પ્રમાણે જે NGOsનાંસચાલન મૂળભુત મુલ્યોને જ આધાર રાખીને - સરખામણી માટે [કહેવાતાં] professional મુલ્યોપર આધારીત - સંસ્થા્ની કાર્યશૈલી નથી રહેલી જણાતી, તેવી સંસ્થાઓ લાંબાગાળે મુળ ઉદ્દેશ્યોથી ચલિત થયેલી જણાઇ છે.
તદુપરાંત, સાધનોની જરુર કરતાં વિપુલપ્રમાણમાં ઉપલબ્ધિને કારણે તો સામાન્યતઃ દરેક ક્ષેત્રની સંસ્થાઓ લાંબાગાળે તેમની હરીફાઇ-પ્રતીક્રામક કાર્યદક્ષતા અને અસરકારકતા ગુમાવતી જ હોય છે જ!
સરકાર કે પછી NGOs કે ખાનગી વ્યપારિક સંસ્થાઓમાં મુલ્યોથી વિપરીત ખર્ચાળ કાર્યશૈલીઓ,સર્વસ્વિકૃત નૈતિક સિધ્ધાંતોથી વિપરીત મુલ્યાંકન પરિમાણો અને વ્યક્તિ-આધારીત નિર્ણય પ્રણાલિઓ [કદાચ અજાણપણે પણ]ધીરે ધીરે ઘર કરી જાય છે, જેનું અંતિમ પરિણામ સંસ્થાનું મરણતોલ અસ્તિત્વ કે કદાચ મરણ જ થઇને રહી જતું હોય છે. સાથે સાથે માનવકલ્યાણ કે સમાજસુધારણા કે ઉદ્દાત વ્યાવસાયિક ઉદ્દેશ્યોનું પણ અસ્તિત્વ પણ જોખમાય જ છે.
અંતે સમાજપાસે રહી જાય છે માત્ર સડી ગયેલ ખોખલાં અશ્મિઓ, જેને ઐતિહાસિક ઉપયોગમાં લેવું પણ પાલવે નહીં અને ઇતિહાસમાંથી તેને નામશેષઃ પણ કરી શકાતું નથી.
કોઇપણ વ્યક્તિ કે સંસ્થાની સાર્થકતા કે યથાર્થતા તરફ અનાયાશ પણ અંગુલીનિર્દેશ ન કરતાં અત્યારે આ સંદર્ભમાં સદવિચાર પરિવાર, નર્મદા બચાવો આંદોલન,રજનીશજીનો ઑશૉ સંપ્રદાય જેવી સંસ્થાઓ યાદ આવે છે.
આજ વિચારોની સાથે સાથે હાલમાં ખુબ જ ચર્ચામાં છે તેવો પર્યાવરણની જાળવણી વિરુધ્ધ કુદરતી-સંશાધનો-આધારીત-ઔદ્યોગિકરણ વિષય પણ ધ્યાન પર આવે છે.ઉભય પક્ષોની તરફેણ કે વિરોધની દલીલો અને માન્યતાઓ જે તે સમય અને સંજોગોને એરણે [સંપૂર્ણપણે ન હોય તો પણ] સાચી છે અથવા સાચી હોઇ શકે છે તે વિરોધાભાસી પરિપ્રેક્ષ્યમાં નિર્ણય કરવાની જેના પર જવાબદારી આવી પડે તેનામાટે તો એક તરફ ખાડો તો બીજી તરફ ખાઇ એવી વિકટ સમસ્યા મોં ફાડને ઉભી થઇ જતી હોય છે.
આની સામે આશાનું કિરણ એ છે કે કેન્દ્ર સરકારના આ વિભાગના વર્તમાન પ્રધાન શ્રી જયરામ રમેશ એક એવી વ્યક્તિ ગણાય છે કે જે નિશ્પક્ષપણે એવી મુલ્યાંકન પધ્ધતિ વિકાસવામાટે સક્ષમ જણાય છે.
હાલપુરતું એ આશાથી આ વિચારનો હાલપુરતો અંત કરીએ કે આપણી વર્તમાન પેઢી ભવિશ્યને એરણે ખરી ઉતરે તેવું આ બાબતે ઐતિહાસિક પ્રકરણ લખશે!
અસ્તુ.

અપ્રેક્ષીત અસર - એક સક્ષમ માધ્યમ

ગયે અઠવાડિયે મેં શ્રી આર ગોપાલક્રિશ્નનનું '.......The Bonsai Mamanger' વાંચ્યું.
તેમાં લેખકે 'અપ્રેક્ષીત અસર'ના બદલાવની પ્રક્રિયા માં એક ખુબજ અસકારક માધ્યમ તરીકે ઉપયોગ /શક્યતાઓ વિષે મનનીય, તેમજ સચોટ, ઉદાહરણ ટાંક્યું છે.
'હિંન્દિ'ને સમગ્ર ભારત દેશની રાષ્ટ્રભાષા તરીકે પ્રચલિત કરવી તેવા 'અપેક્ષીત' આશય માટે બંધારણીય સુધારાની રાજકીય નિતિનો પ્રયોગ યોજવામાં આવ્યો.પરંતુ, અમલીકરણની આડઅસર દેશને ભાગલા પડી જઈ શકે તે હદસુધી લઇ ગઇ.
કારણ માત્ર એટલું જ કે તે સમયનાં [રાજકીય] નેતૃત્વ પાસે આવી બદલાવની પ્રક્રિયાનાં અસરકારક અમલીકરણમાટે ,ક્દાચ, એવો અથવા પુરતો અનુભવ નહોતો કે નિર્ણયની સીધી તેમ જ અનઅપેક્ષીત કે અપ્રેક્ષીત અસરો અંતિમ પરિણામને કેટલે અંશે પ્રભાવીત કરી શકે.જેમકે, બધાજ પક્ષકારો જ્યાં સુધી આવા બદલાવને સ્વાભાવિક બદલાવ તરીકે સ્વિકારે નહીં ત્યાં સુધી આ પ્રકારના બદલાવો ન ધાર્યાં હોય તેવાં પરિણામો પણ લાવી શકે; આવું પણ થઇ શકે એમ પણ કલ્પી પણ શકવા નો અનુભવ નહોતો.
આવાં વિખવાદીત રાજકીય વાતાવરણ સમયે પણ હિંદિ ચલચિત્રો દક્ષિણ રાજ્યોમાં ખુબજ પ્રચલિત થયાં હતાં.શા માટે? માત્ર, કદાચ એટલાં જ કારણસર કે હિંદિ ચલચિત્રો દક્ષિણ ભાષાનાં ચલચિત્રો સાથે મનોરંજનનાં માધ્યમ તરીકે સ્પર્ધામાં હતાં. તેમની આ ધંધાકીય સફળતાની એક અપ્રેક્ષીત [સફળ]અસર થઇ - હિંદિ ભાષાની સામાજિક [અભાન] સ્વિકૄતિ. રાજ્યભાષા તરીકે અછૂત, પરંતુ મનોરંજનની ભાષાતરીકે સ્વભાવિક સ્વિકૃતિ.

જોકે અહીં મુદ્દો એ નથી કે અમલીકરણની નિતિ શું હોવી જોઇતી હતી. તાત્પર્ય એ છે કે આટલાં hostile વાતાવરણ વચ્ચે પણ અપ્રેક્ષીત અસરનું પરીબળ તો, જાણ્યેઅણજાણ્યે,પોતાની કમાલ તો કરી જ રહ્યું હતું.

આજે, આકસ્મીક જ,હિંદી ચલચિત્રની આવી જ 'અપ્રેક્ષીત અસર'ની એક સબળ [સંભવિત] માધ્યમતરીકેની શક્યતા બતાવી શકે તેવું ચલચિત્ર જોયું - 'જાગો' [દિગ્દર્શકઃ મેહુલ કપુર , ૨૦૦૪].ફિલ્મમાં અંધારીઆલમના એક 'નેતા'નો સંવાદ છે -- " જ્યાં સુધી ગુન્હો કરતાં જેટલો સમય લાગે છે, તેટલા જ સમયમાં અદાલતમાથી ન્યાય નહીં મળે, ત્યાં સુધી સામાન્ય નાગરીકને ન્યાયતંત્રમાં શ્રધ્ધા નહીં આવે".

આપણા સમાજની એટલી કમનસીબી કે આ ફિલ્મને વ્યાપારીક સફળતા ન મળી, નહીંતર આ સંવાદ પણ 'શોલે'ના ગબ્બરસિંહના કે 'વક્ત' અથવા 'પાકીઝા'ના રાજ કુમારના સંવાદો જેટલો જ પ્રચલિત થઇ શક્યો હોત! અને જો એવું થયું હોત તો બળાત્કારના કિસ્સાઓ અંગે બહુચર્ચિત સામાજીક માન્યતાઓમાં કે તે અંગેના કાયદાઓમાં સુધારાઓની સ્વાભાવિક સ્વિકૃતિ અથવા તો ન્યાયતંત્રની કાર્યપ્રણાલીઅંગેના સુધારાઓની પૃષ્ઠભુમિકાનાં ઘડતરમાં આ સંવાદની પ્રભાવકારક અસર કલ્પી શકાય છે?

રાજ કપુરનાં 'શ્રી ૪૨૦, આવારા, જાગતે રહો',જીસ દેશમેં ગંગા બહતી હૈ' કે 'No one killed Jessica' કે અમિતાભ-અભિનીત 'પા' જેવાં અનેક ચલચિત્રની આ પ્રકારની 'અપ્રેક્ષીત અસર'નો કેટલો લાભ જે તે સમયની માન્યતાઓપર એટલી ઉંડી અસર કરવામાં લઇ શકાયો હોત.

રાજકીય કે સામાજીક કે ન્યાયતંત્ર કે જાહેરજીવનનાં કોઇ પણ ક્ષેત્રમાં સુધારાના વિષયોઅંગે કાર્યરત વ્યક્તિઓ કે સંસ્થાઓ જો બદલાવનાં એક સબળ માધ્યમતરીકે આ પ્રકારની 'અપ્રેક્ષીત અસર'ના પ્રભાવોની શક્યતાઓને પ્રલંબીત અસરકારક ઉદ્દીપકનાં સાધનતરીકે વાપરી શકવાનો નુસ્ખો શોધી નાખે તો?

Sunday, October 19, 2008

We need to have Liesure which is enjoyed and adds Life

Normally Liesure is helps as a stress buster.
I aim, through this blog, to create a coomunity who use thier leisure for:
  • Enriching personal and family lives;
  • Creating a community of like minded persons for community services;
  • Creating an additional stream of income;
  • Making Life more enjoyable and livable.

This is an invitation to join in my pusrsuits