Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

Tuesday, September 27, 2011

કચ્છઃ વિહંગાવલોકન -- અવલોકન


 પહેલી આવૃત્તિ ઃ જુલાઇ ૨૦૧૧
લેખકઃ હરેશ ધોળકિયા                       hareshdholakia@yahoo.com
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય     goorjar@yahoo.com
ISBN 987 -81-8480-596-3


શ્રી હરેશ ધોળકિયાએ કચ્છવિશે ભુતકાળમાં પણ ઘણાં પુસ્તકો અને લેખો લખ્યા તેમજ પ્રકાશિત કરેલ છે. એ દ્રષ્ટિએ 'કચ્છઃ વિહંગાવલોકન'એ તેમની લેખન અને સંપાદનની અવિરત પ્રક્રિયાનું અનુસંધાન કહી શકાય.

આથી ૨૧ નોંધ-પ્રકરણોની મદદથી આ પુસ્તક કચ્છનાં ઘણાં પાસાંઓ, જેવાં કે  ભૂ-સાંસ્કૃતિક ઇતિહાસ તેમ જ રીપોર્ટ્સ; રાજકારણસાથે સંકળાયેઅલ ઘટનાઓ; તત્કાલિન ઘટનાઓ પર પ્રભાવ પાડી શકેલ અથવા તો ન પાડી શકેલ કચ્છી વ્યક્તિત્વો; કચ્છમાં શિક્ષણની તવારીખ તેમજ ૨૦૦૧ના ધરતીકંપ પછીનાં સાંપ્રત કચ્છનું વિશ્લેષણ વિ.ને આવરી લે છે.

આમ લેખકે વ્યાપક વિષયોને આવરી લેવા છતાં પુસ્તક અંગે તેમના બે મુખ્ય ઉદ્દેશ્યને પુસ્તકની પ્રસ્તાવનામાં જ કહી દીધા છેઃ કચ્છ અંગેની ભુતકાળની તેમ જ વર્તમાન ઘટનાઓને ગ્રંથસ્થ કરવી અને ભવિષ્યનાં સંશોધનોને મદદરૂપ થવું.

'કચ્છઃ વિહંગાવલોકન’,એ લેખકની 'કચ્છમિત્ર'માટેની નિયમિત કટારમાટેના સમયાંતરે લખાયેલ લેખોનું સંપાદન હોવા છતાં, તેના બંન્ને ઉદ્દેશ્યોની કસોટીએ ખરૂં નીવડે છે.

પુસ્તકના ૧૧મા પ્રકરણ - કચ્છના ઇતિહાસના લેખન સંદર્ભે - [પૃષ્ઠ૬૯]માં લેખકે કચ્છના ઇતિહાસને ગ્રંથસ્થ કરવામાં રહેલી અડચણો સમજાવી છે. તેથી આપણે લેખકના આ પુસ્તક ના વિહંગાવલોકનના દ્રષ્ટિકોણનેપણ સમજી શકીએ છીએ.

સમગ્રપણે, પુસ્તક સાચી દિશામાં યોગ્ય પ્રયાસ છે, તેમજ લેખકના કચ્છપ્રત્યેના રાગ અને પ્રેમને પ્રતિબિંબીત કરે છે.
કચ્છસાથે કોઇપણરીતે સંકળાયેલ વ્યક્તિમાટે આ પુસ્તક વાંચવું તેમ જ વસાવવું આવશ્યક ગણાય.૨૦૦૧ના ધરતીકંપબાદ કચ્છનો વ્યાપ જે રીતે કચ્છી અને ગુજરાતી સીમાડા પાર કરી ગયેલ છે તે દ્રષ્ટિએ આ પુસ્તકનો અંગ્રેજીમાં પણ અનુવાદ થવો જોઇએ.

      -- અશોક વૈશ્નવ, અમદાવાદ, સપ્ટેમ્બર ૨૬, ૨૦૧૧