Showing posts with label Management. Show all posts
Showing posts with label Management. Show all posts

Tuesday, February 24, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી ૨૦૧૫

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ મહિનાનાં આપણા બ્લૉગોત્સવનાં આ સંસ્કરણ માટે 'સુધારણા' વિષય વિષેની શોધખોળ કરતાં કરતાં ઇન્સ્ટિટ્યુટ ફૉર હેલ્થકૅર ઈમ્પ્રુવમેન્ટની બ્લૉગ સાઈટ ધ્યાન પર આવી ગઇ. તેનું દીર્ઘદર્શન કથન "વિશ્વભરમાં આરોગ્ય અને આરોગ્યસંભાળ સુધારણા'ને પ્રાધાન્ય આપે છે. આ સાઈટ પરની ઘણી રસપ્રદ સામગ્રી પૈકી તેના 'રીસોર્સીસ' વિભાગ પર આપણે આજે વધારે ધ્યાન આપીશું. આ વિભાગમાં 'સાધનો, પરિવર્તનના આઈડિયા, સુધારણા માપણી માટેના માપદંડ, IHI શ્વેત પત્રો, દૃશ્ય અને શ્રાવ્ય ક્લિપ્સ, સુધારણા કહાનીઓ અને એવી અનેકવિધ સામગ્રી રજૂ કરાઇ છે.

'સુધારણા માટેનાં મૉડેલ' વડે સુધારણાને લગતી પ્રવૃત્તિઓને IHI દિશા આપે છે. Associates in Process Improvement દ્વારા વિકસાવાયેલ The Model for Improvement એ સુધારણાને પ્રવેગ બક્ષવા માટે બહુ સરળ, પણ ખાસું પ્રભાવશાળી સાધન છે. આ મૉડેલ સંસ્થાઓનાં પોતાનાં પરિવર્તન મૉડેલના વિકલ્પ તરીકે નથી રજૂ કરાયેલ, તેનો આશય તો સુધારણાનાં શરૂ કરાયેલ પરિવર્તનને પ્રવેગ આપવાનો છે. clip_image002[4]Model for Improvement અને નાના પાયા પર પરિવર્તનોની ચકાસણી કરવા માટેની મૂળભૂત બાબતો વિષે જાણવા માટે, Plan-Do-Study-Act (PDSA) cyclesની પણ મદદ લઇ શકીએ છીએ:
આપણે અહીં મૂકાયેલ કેટલાક વિડિયો પર પણ નજર કરીશું:

• ડૉ. માઇક ઈવાન્સ - વિડિયો - An Illustrated Look at Quality Improvement in Health Care
આ વિડિયોમાં ડૉ. ઈવાન્સ 'ગુણવત્તા સુધારણા સાથે આપણે શી લેવાદેવા?' એવા સીધા સવાલથી કરે છે. ગુણવત્તા સુધારકોના 'માઉંટ રશમૉર' સહીત ગુણવત્તા સુધારણાના સંક્ષિપ્ત ઇતિહાસથી શરૂ કરીને સીસ્ટમ ડિઝાઈન, અને 'આવતા મંગળવાર સુધી શું કરી શકાય?'ના જાણીતા પડકારને તેમણે ૯ મિનિટથી પણ ઓછા સમયમાં આવરી લીધેલ છે !
• Deming's System of Profound Knowledge (Part 1) અને (Part 2)
કામગીરી સુધારણાના IHI ખાતેના નિયામક, રોબર્ટ લ્લૉઈડ તેમનાં વિશ્વાસુ સફેદ પાટીયાં ની મદદથી સુધારણાનાં વિજ્ઞાનની છણાવટ કરે છે. આ બંને ટુંકા વિડિયોમાં તેમણે ડેમિંગની System of Profound Knowledgeથી લઇને PDSA cycle અને run charts સુધીના વિષય આવરી લીધા છે.
• The Model for Improvement (Part 1) અને (Part 2)
The Model for Improvementને વિકસાવવાનું શ્રેય Associates in Process Improvementને ફાળે જાય છે.
આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ, NDCBlogger,ની મુલાકાત કરીશું. આ બ્લૉગનાં લેખિકા,ડેબૉરાહ મૅકીન, The Team-Building Tool Kit શ્રેણીનાં પણ લેખિકા તેમજ New Directions Consultingનાં સ્થાપક છે. ઉત્પાદન ગુણવત્તા અને સંસ્થાકીય ઉત્કૃષ્ટતા તેમના અનુભવોની પશ્ચાદભૂમિકામાં રહેલ છે.

તેમના બ્લૉગમાં ડોકીયું કરવા માટે આપણે બે પૉસ્ટ પસંદ કરેલ છે:
- A Manufacturing Floor Operator’s Experience with High Performance Teams and What It’s Meant To Him - મેથ્યુ હૅર્રીંગ્ટન
યુટ્યુબ પર આ વિડિયો જોવા જતાં ઉચ્ચ કામગીરી કરતી ટીમના વિષય પર બે બીજા વિડિયોમાં પણ રસ પડ્યો:
- Why Change When Things Have Been Successful in the Past?

“આપણે કંઈક ભૂલ કરી રહ્યાં છીએ માટે ટીમની પરિકલ્પનામાં આપણે ફેરફાર નથી કરી રહ્યાં.હકીકતે તો અત્યાર સુધી આપણે જે કામ કર્યું છે તેના પરિણામ સ્વરૂપ જ આપણી સફળતાઓ રહી છે.આપણે આપણાં ક્ષેત્રમાં અગ્રણી સ્થાન ભોગવીએ છીએ.આપણે એ સ્થાન જાળવી રાખવા પણ માગીએ જ છીએ, અને એટલે જ કામ કરવાની આપણી પધ્ધતિમાં સુધારણા લાવવા માટે પરિવર્તન જરૂરી બની રહે છે.”

અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy ભારત, મેક્ષિકો અને ચીન ઑફિસ તેમજ બ્રાઝીલ , ક્વાલીનાં પ્રતિનિધિઓની વડાં મથકની મુલાકાતના સંદર્ભમાં ,“ Why Should Quality “Go Global”?વિષે ચર્ચાનો દોર ઉપાડી લે છે.
તે ઉપરાંત બિલ ટ્રોયને ૨૦૧૩ના જુરાન પદકવિજેતા, અમેરિકાના પૂર્વ ટ્રેઝરી સેક્રેટરી અને અગ્રણી ગુણવતા વિચારક પૌલ ઑ'નીલને મળવાનું થયું. પૌલ ઑ'નીલ ૧૯૮૭થી ૧૯૯૯ દરમ્યાન અલ્કોઆના અધ્યક્ષ અને મુખ્ય સંચાલન અધિકારી પણ હતા, ત્યાંથી નિવૃત્તિ બાદ હવે ગુણવત્તાના સિદ્ધાંતોને તેઓ અમેરિકાના આરોગ્ય સંભાળ ક્ષેત્રની સમસ્યાઓનાં નિવારણમાં કામે લગડાવામાં ખૂંપી ગયા છે.આરોગ્ય સંભાળ અર્થશાસ્ત્રના સ્વીકૃત નિષ્ણાતની રૂએ, અલ્કોઆમાં જે ગુણવત્તા સિદ્ધાંતોને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું તેને જ આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પણ ઉપયોગમાં લઇ, વ્યયમાં ઘટાડો કરવામાં અને અસરકારકતા તેમ જ સલામતી વધારવામાં સંચાલકોને સહાય કરી રહ્યા છે.

આ મુલાકાતની વિગતે ચર્ચા Finding Inspiration form Quality Leadersમાં કરવામાં આવી છે, જેમાંથી મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે :

પહેલું તો એ કે , અલ્કોઆમાં તેમણે જાહર કરેલી ટોચની પ્રાથમિકતા વડે તેમણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધેલ. માલિકીઅંશધારકોનાં મૂલ્યમાં વધારો કે બજાર હિસ્સાને વધારવો કે નફાકારકતાને વધારવી જેવા મુદ્દાઓને બદલે તેમણે કામદારોની સલામતીને પ્રાથમિકતા આપી. આમ કરવાનું કારણ સમજાવતાં તેઓ જણાવે છે કે આપણાં લોકો જ આપણી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, જ્યારે તેમને ઈજા થાય છે, ત્યારે માત્ર કામકાજમાં વિક્ષેપ જ નથી પડતો પણ, આપણને ખરાં દિલથી પીડા થાય છે' જેને કોઇ નફા સાથે સરખાવી ન શકાય.

બીજો મુદ્દો પણ પહેલા મુદા જેટલો ધ્યાન ખેંચે છે - દરેક સાથે ગરિમા અને સન્માનપૂર્વકનો વ્યવહાર કરો.

ત્રીજો મુદ્દો દેખાય છે બહુ સરળ, પણ તેની અસરો બહુ વ્યાપક અને જરા પણ ઢીલ ન ચલાવી લેનાર બની રહે છે - આપણે જે કંઈ કરીએ તેમાં વિશ્વનું શ્રેષ્ઠ સ્તર જ સિદ્ધ કરીએ. સુધારણા અંગેના આપણા સામાન્ય વિચારોથી આ ખયાલ સાવ જ અલગ પડે છે. ગયા વર્ષથી સારૂં કે બીજાંથી આટલું વધારે સારૂં એવી વાત અહીં નથી. વિશ્વનાં શ્રેષ્ઠ થવાની વાત બાબતે તેઓ બહુ જ સ્પષ્ટ છે. વધારે વિગતમાં જોઇએ તો અહીં સૈધ્ધાંતિક ઉત્કૃષ્ટતા નક્કી કરવાની, તે માપદંડની સામે આપણી કામગીરીની સમીક્ષા કરવાની અને પછી ત્યાં સુધી પહોંચવાની વાત છે. જ્યાં સુધી આ સૈદ્ધાંતિક કક્ષાએ પહોંચી નહીં ત્યાં સુધી એ સ્તરે પહોંચવામાં આવતાં દરેક વિઘ્નોને દૂર કરવા, કામગીરીને ચકાસવા મડી પડવું રહ્યું. (મારૂં) માનવું છે કે આટલા કપરા નિશ્ચયને સિદ્ધ કરવામાં પૌલ ઑ'નીલ જેવા અગ્રણી પણ તેમના અનુયાયીઓ ગુમાવી બેસવાની શકયતાઓ નકારી ન શકે. આ બાબત વિષે સંન્નિષ્ઠપણે માનવું ખરેખર લોઢાનાં ચણા ચાવવા બરાબર છે. પણ, પૌલ ઑ'નીલના કહેવા મુજબ, ખરી મજા પણ તેમાં જ છે ! ....... (કેટલે વીસે સો થાય તે તો નીવડ્યે જ ખબર પડે!)
Julia McIntosh, ASQ communications તેમના January Roundup: Quality Inspirationsમાં નોંધ લે છે કે ગુણવત્તામાટેનું આદર્શ કોઇ ગુરુથી લઈને માર્ગદર્શક સુધીની, ગુણવત્તા ક્ષેત્ર સાથે સંકળાયેલ કે ન સંકળાયેલ, કોઇ પણ વ્યક્તિ હોઈ શકે છે, બસ તે ગુણવત્તાના આદર્શોને મૂર્ત કરતી હોવી જોઇએ. તે કુટુંબ, વ્યાવસાયિક માર્ગદર્શક કે સીમાચિહ્ન સ્વરૂપ વ્યક્તિ કે તેની પારની વ્યક્તિ પણ હોઇ શકે. પૉસ્ટમાં ASQ Influential Voices bloggersના વિવિધ સ્તરના પ્રતિભાવની નોંધ લેવાઇ છે. આ માસનું ASQ TVવૃતાંત છે:

New To Quality, જેમાંseven quality toolsઅને Quality Body of Knowledge ® વિષે પણ જાણવા મળે છે.

આ મહિનાનાં ASQ’s Influential Voice છે – મનુ વોરા
clip_image002ASQ Fellow મનુ વોરા બીક્ષનેસ એક્ષલન્સ, Inc ના અધ્યક્ષ અને પ્રમુખ છે. તેઓ સંસ્થાગત ઉત્કૃષ્ટતાના અને બાલ્ડ્રીજ પર્ફોર્મન્સ એક્ષલન્સ પ્રોગ્રામના નિષ્ણાત છે. Thoughts on Quality એ તેમનો બ્લૉગ છે જેમાં ASQ Influential Voiceના મંચ પર થતી ચર્ચાઓ પર તેમના વિચારોની તેઓ વિગતે રજૂઆત કરતા રહે છે.
આપણે તેમની એક પૉસ્ટ - A Clear Vision–નાં ઉદાહરણ વડે તેમના બ્લૉગની સામગ્રીનો પરિચય કરીશું.
ઑક્ષફર્ડ ડિક્ષનરી દીર્ઘ દર્શનની વ્યાખ્યા "કલ્પના શક્તિ કે બુદ્ધિ ચતુર અનુભવ વડે ભવિષ્યનો વિચાર કરવો કે તે વિષેનું આયોજન કરવું” એમ કરે છે. સંસ્થાને દીર્ધ દર્શનની જરૂર કયાં અને ક્યારે પડે? દીર્ઘ દર્શન ઉદ્દેશ્ય, દિશા અને ધ્યાનકેન્દ્ર પુરૂં પાડે છે જે સંસ્થાને નવી ઊંચાઇઓ સર કરવામાં મદદરૂપ થાય છે.તત્વતઃ એ ભવિષ્યનું સ્વપ્ન છે...…દીર્ઘ દર્શન કથન યાદગાર, ટુંકું અને ઉત્કર્ષ પ્રેરતું હોવું જોઇએ...બહારના કન્સલટન્ટની મદદથી લખાયેલા, દિવાલ પર ચોંટાડવા માટેના ફકરાઓ ન જ હોવા જોઇએ … લેખમાં આ બાબતની પુષ્ટિ કરતાં,વિવિધ ક્ષેત્રોમાંના બાલ્ડ્રીજ પરફોર્મન્સ એક્ષસલન્સ પારિતોષિક વિજેતાઓનાં કથન ટાંકવામાં આવ્યાં છે.
આ મહિને આપણને બોનસ સ્વરૂપે Top 8 Books Every Quality Professional Should Read મળેલ છે :
1. The Quality Toolbox, Second Edition, by Nancy R. Tague

2. Juran’s Quality Handbook, Sixth Edition, by Joseph M. Juran and Joseph A. De Feo

3. Root Cause Analysis: The Core of Problem Solving and Corrective Action by Duke Okes

4. Making Change Work by Brien Palmer

5. The Essential Deming, edited by Joyce Nilsson Orsini PhD

6. Organizational Culture and Leadership by Edgar H. Schein

7. Economic Control of Quality of Manufactured Product by Walter A. Shewhart

8. Practical Engineering, Process, and Reliability Statistics by Mark Allen Durivage
આપણા બ્લૉગોત્સવનાં સંસ્કરણનાં આ નવાં સ્વરૂપ વિષે આપના પ્રતિભાવો જરૂરથી જણાવજો……

Saturday, September 20, 2014

કાળો હંસઃ સાવ જ અસંભવ શક્યતાની અસરો - નસ્સીમ નિકોલસ તાલેબ

clip_image001ઑસ્ટ્રેલિયાની શોધ થઇ તે પહેલાંની જૂની દુનિયા તો એમ જ માનતી હતી કે બધા હંસ ધવલ જ હોય. આપણાં સરસ્વતી દેવીનાં વાહનને યાદ કરીએ? કોઇ પક્ષીવિદે જ્યારે પહેલી જ વાર "કાળો હંસ' જોયો હશે ત્યારે તેને જે અકલ્પ્ય આશ્ચર્ય થયું હશે, તે આશ્ચર્યની વાત નસ્સીમ તાલેબ નથી કરવા માગતા. તેઓ તો સદીઓથી થતાં રહેતાં અવલોકનો પરથી ઘડાતા આપણા અનુભવો, અને તેના પરથી સર્જાતાં આપણાં જ્ઞાનનાં તકલાદીપણું અને મર્યાદાઓની વાત માડે છે.

સફેદ હંસોને જ જોઇ જોઇને રૂઢ થયેલી આપણી માન્યતાઓ અને એના પરથી ઘડાયેલી આપણી સમજને આધારે કરેલી આગાહીઓથી સાવ જ અલગ જ એવી, સાવ જ કદરૂપા એવા કાળા હંસનાં દેખાઇ પડવાની એક જ ઘટના, આપણાં લાખો સફેદ હંસ દર્શનનાં મહાત્મ્યને તહસનહસ કરી નાખી શકે છે.

આ તાત્વિક-તાર્કીકતાને પેલે પાર જઇને તેઓ આકસ્મિક ઘટનાને એક આનુભાવિક {empirical} વાસ્તવિકતા તરીકે રજૂ કરે છે.

"ઘટનાની આકસ્મિકતાથી આગળ જઇને,"કાળા હંસ'ને એક સિદ્ધાંત તરીકે, ખાસ ભારપૂર્વક, રજૂ કરતાં નસ્સીમ તાલેબ તેમના આ સિદ્ધાંતની ત્રણ આગવી ખાસિયતો નોંધે છે -
એક, તો છે એનું પરાયાપણું, તેનાં હોવાની સામાન્ય અપેક્ષાઓ. ભૂતકાળની કોઇ જ ઘટનાઓની સીમાની બહાર છે.

બીજું, તેની અસરો બહુ જ ગંભીર, આત્યંતિક હોય છે. અને

ત્રીજું, આપણી માન્યતાની સાવ જ બહાર હોવા છતાં, જેવી આ પ્રકારની ઘટના બને તે સાથે જ આપણે તાર્કિક ખુલાસાઓ વડે તે હોવાની શકયતા સમજાવી અને ભાખી શકાય છે એવી રજૂઆતો કરતાં થઇ જઇએ છીએ.

આ ત્રિપાંખી ખાસીયતોને વિરલતા, આત્યંતિક અસર અને પાર્શ્વવર્તી (ભવિષ્યવર્તી તો નહીં જ) આગાહીક્ષમતા {predictability} વડે યાદ રાખી શકાય.

કોઇ સિધ્ધાંત કે ધર્મની સફળતા, ઐતિહાસિક ઘટનાઓનાં ગતિવિધાનો, આપણા અંગત જીવનમાં થતી ઘટનાઓ આ "કાળા" હંસ"ના સિધ્ધાંતનાં વિવિધ ઉદાહરણો છે. જેમ આપણે પ્રગતિ(!) કરતાં ગયાં છીએ, તેમ તેમ, સંખ્યા, જટીલતાઓ અને આત્યંતિક અસરોના પરિમાણોના સંદર્ભે "કાળો હંસ" ઘટનાઓ વધારે પ્રવેગથી થતી જણાય છે. આને પરિણામે "સામાન્ય" સંજોગોમાં બનતી રહેતી ઘટનાઓનું મહત્વ પણ ઓછું થતું જઇ રહ્યું છે.

લોકજુવાળને કારણે ઇજીપ્તમાં, ચાર વર્ષમાં બે વાર સત્તાપલટો થશે એવું કોઇએ કલ્પ્યું હતું? હિટલરની ચડતી અને તે પછીનાં યુધ્ધ અને એ યુધ્ધની વ્યાપકતા, કે પછી ઇન્ટરનેટનો આટલી હદે ફેલાવો, કે ૨૦૦૮ના સબપ્રાઇમ કડાકામાં અમેરિકાની થોકબંધ બેંકોનું બેસી જવું, કે સંયુક્ત સોવિયેત રશિયાનું આયુષ્ય એક સદી પણ નહીં રહે એ બધું ક્યાં કોઇ કલ્પી શક્યું હતું ! આપણી આસપાસ થતી બધી જ 'બહુ મહત્વ'ની લગભગ બધી જ ઘટનાઓ હવે તો "કાળા હંસ"ના સિધ્ધાંતને જ અનુસરે છે એમ કહેવું પણ વધારે પડતું નથી જણાવા લાગ્યું.

ઓછી આગાહીક્ષમતા અને બહુ વધારે અસરની જોડીદારીને કારણે "કાળો હંસ" એક મહાકોયડો બની રહેલ છે. જો કે નસ્સીમ તાલેબનાં પુસ્તકનો કેન્દ્રવર્તી મુદ્દો આ પણ નથી. આ મેળવણીમાં આટલું ઓછું હોય તેમ ‘હજુ જાણે એ છે જ નહીં’ એવી આપણી માન્યતાનો રંગ ઉમેરો ! માત્ર આપણે કે આપણો કોઇ ભાઇ ભત્રીજો કે કોઇ આપણો ગામવાસી જ નહીં, પણ છેલ્લી એક સદીથી પોતે વિકસાવેલ સાધનોથી કોઇ પણ અનિશ્ચિતતાને માપી શકાય એવી સજ્જડ માન્યતા ધરાવતા "સમાજ વિજ્ઞાનીઓ' પણ એના અસ્તિત્વને સ્વીકારતાં નથી. નાણાં અને અર્થશાસ્ત્રના તજજ્ઞ વિશ્લેષકો 'કાળા હંસ'ની ઘટનાનાં "જોખમ'ની વ્યાખ્યા કરતી વખતે આપણને જે માપદંડો આપશે તેમાં "કાળા હંસની સંભાવિતા'ને બાકાત રાખતા માપદડોની જ વાત જોવા મળશે. એટલે હવે આ વાત તો જ્યોતિષશાસ્ત્રની સચોટતા જેટલી જ ચોક્કસ ગણી શકાય. આપણા જ જીવનકાળમાં બનેલી મહત્વની ટેક્નોલોજીને લગતી શોધ કે કોઇ પણ મહત્વની સામજિક ઘટના, આપણી કારકિર્દીના મહત્વના વળાંકોને યાદ કરીને વિચારો કે શું તે કોઇ એક પૂર્વ નિયત (ભાખેલા) સમય પ્રમાણે થયું હતું? ભાત ભાતની તૈયારીઓ છતાં આતંકવાદી હુમલાની સામે આપણી પાસે કોઇ રક્ષણ અનુભવાય છે ખરું?

આ પુસ્તકની કેન્દ્રવર્તી ચિંતા યાર્દચ્છિકતા તરફ આપણી દૃષ્ટિવિહિનતા છે.

આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે નથી જાણતાં તેને "કાળા હંસ"નો તર્ક વધુ પ્રસ્તુત બનાવે છે. આપણા વિરોધીને જેવી ખબર પડે કે તેની મહત્વની ચાલની આપણને ખબર છે તેવું જ તે ચાલનું મહત્વ ધુળધાણી થઇ જાય છે. એટલે કે, આવી વ્યુહાત્મક સાઠમારીમાં આપણે જે કંઇ જાણતાં હોઇએ છીએ તે બધું જ બીનમહત્વનું બની રહે છે.

આવું જ વ્યાપાર ઉદ્યોગ જગતમાં પણ છે. કોઇ પણ વ્યૂહાત્મક ચાલની સફળતા એટલી જ વધારે, જેટલી એ ઓછામાં ઓછા લોકોએ કલ્પી શકેલ હોય. સામાન્ય રીતે, કોઇ પણ માનવીય પુરુષાર્થનું વળતર તેનાં ફળનાં મહત્વની અપેક્ષાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તરાખંડ દેવભૂમિમાં કુદરતનાં તાંડવને આવતું જોઇ શકાયું હોત, તો તેને કારણે થયેલું નુકસાન બહુ જ ઓછું હોત. આપણને જેના વિશે ખબર છે, તેનાથી આપણને બહુ મોટાં નુકસાન નથી થતાં, જેમ કે બહુ જ વારંવાર થતા ભૂકંપ કે વાવાઝોડાંઓ પ્રભાવિત ક્ષેત્રોમાં માનવ જાનહાનિનું પ્રમાણ ઘણી હદે ઘટાડી નાખી શકાયું છે.

તજજ્ઞોના પોકળ દાવા

પરાયાપણાં વિશે અનુમાન કરી શકવાની આપણી અશક્તિ એ ભવિષ્યની ઘટનાઓની આગાહી કરી શકવાની આપણી અશક્તિ દર્શાવે છે. પણ આપણે તો માત્ર તે આગાહી કરવા જ નહીં પણ તે ઘટનાઓને બદલી શકવાની બડાશ મારતાં પણ ખચકાતાં નથી. આર્થિક અને સામાજીક ઘટનાઓનાં ભૂતકાળનાં વલણોને આધારે હવે પછી શું થશે તે વિષે આપણે નિશ્ચિત આગાહીઓ કર્યે રાખીએ છીએ. સાવ નાનાં બાળકના હાથમાં મશાલ પકડાવી દેવા જેટલું જ જોખમ આપણી નીતિઓ અને તેનાં અમલીકરણના અનિયત જોડાણ વિશેની આપણી ગેરસમજમાં સમાયેલું છે.

"કાળો હસં" એટલી હદે અણધારેલ રહે છે કે તેની આગાહી કરવી એ વધારે પડતું ભોળપણ છે. તેની સાથે ગોઠવાઇ જવું જ હિતાવહ છે. જો "કાળા હંસ'ની સાથે સંકળાયેલ પ્રતિ-જ્ઞાન કે અજ્ઞેય પર ધ્યાન આપીએ તો બહુ ઘણું કરવાનું મળી રહેશે. અને તેઓ સહુથી મોટો એક ફાયદો તો એ કે 'કાળા હંસ' સાથે ઘરોબો વધારવાથી બગાસાં ખાતાં પતાસાં ખાવા મળી જાય તેવી મજા માણવા મળે.

શીખવાનું શીખવું

આપણે જે જાણીએ છીએ તેના પર જ બહુ વધારે ધ્યાન આપવું એ વળી એક વધારાની માનવીય નબળાઇ છે - આપણા માટે જ્ઞાન એટલે કોઇ એક વિષય વિશે ચોક્કસ, ગહન, વિશિષ્ટ જાણકારી હોવી, નહીં કે તેના વિશે વિશાળ ફલક પર ફેલાયેલ માહિતીને એક સૂત્રે બાંધી શકવાની ક્ષમતા.

આતંકવાદની બનતી ઘટનાઓમાંથી પોતાની આગવી ગતિશીલતાને કારણે કેટલીક ઘટનાઓની આગાહી કરવી બહુ જ મુશ્કેલ છેતેમ આપણે શીખ્યાં ખરાં? કે પછી આપણાં પરંપરાગત 'ડહાપણ'ની મર્યાદાઓ ખબર પડી? કે પછી ફલાણી ફલાણી ઓળખ હોય તો તે "આતંકવાદી" ગણાય એવી કોઇ સમજ પડી ખરી? કે પછી, આવી દિવાલોના વાડા જ બાંધવાનું શીખ્યાં? આપણે શીખવાનું નથી જ શીખતાં એ શીખવાની જરૂર છે તેવા પૂર્વેત્તર-સિદ્ધાંતો (જેમ કે સિધ્ધાંતો ન જ શીખવાની આપણી પ્રકૃત્તિ)તો આપણે નથી જ શીખતાં. કોઇપણ અમૂર્ત પરિકલ્પના કે સિધ્ધાંત માટે આપણે ગજબનાક સૂગ છે.

એવું માની શકાય કે આપણાં મગજને પોતાની અંદર વિસ્તુત કક્ષાએ વિચાર કરતાં જ રહેવા માટે આપણે કદી તૈયાર જ નથી કર્યું. દેવભૂમિના પૂર જેવી ઘટ્નાઓ સમયે સમાધિ લગાવીને આ કોને કારણે થયું તેવા વિચારોમાં ગુંચવાતાં રહીને તણાઇ જવું કે ઉંધું ઘાલી ને ભાગી કોઇ ઉંચી ટેકરી પર ચડી જવું? હજારો વર્ષ સુધી વિચાર ન કરતાં પ્રાણીની જેમ રહ્યા પછીના ઇતિહાસના પલકારામાં આપણે પરિઘિ-વિષયો વિશે વિચારતાં - જો ખરેખર વિચારીતાં હોઇએ તો (!?) - તો થઇ ગયાં. પણ એ ઇતિહાસ જ ગવાહ છે કે, આપણે માનીએ છીએ તેટલું આપણે વિચારતાં નથી.

નવા જ પ્રકારની અકૃતજ્ઞતા

જેમ આપણે જાણતાં અને ન જાણતાં વચ્ચેના તફાવતને બદલતાં નથી, તે જ રીતે સારવાર કરતાં નિવારણનું મહત્ત્વ બધાં સમજે છે, પણ નિવારણને જોઇએ એટલું મહત્ત્વ કોઇ નથી આપતું. તેમનાં યોગદાનને કારણે જેટલાં ઇતિહાસને પાને ચડી ગયાં છે, તેનાં વખાણ કરતાં આપણે થકીશું નહીં, અને જેમનાં યોગદાનની નોંધ નથી લેવાઇ તેવાંઓને યાદ પણ નહીં કરીએ. માનવ જાત તરીકે આપણે માત્ર ઉપરછલ્લાં તો છીએ જ - જો કે તેનો તો કંઇક પણ ઉપાય થાય - પણ તેથી વધારે તો આપણે બહુ જ અન્યાયી છીએ.

જીંદગી બહુ વિલક્ષણ છે

નસ્સીમ તલેબની દ્રષ્ટિએ જવલ્લે જ બનતી ઘટના એ જ અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતાની સાથે બે રીતે પનારો પાડી શકાય - એક તો 'અસામાન્ય'ને અલગ કરી અને જે રોજીંદું, વારંવાર , સામાન્યપણે થતું રહે છે તેના પર ધ્યાન આપવું. અને બીજો વિકલ્પ છે જેની સરવાળે બહુ વધારે અસર થતી હોય એવી "અસામાન્ય" ઘટનાઓને પહેલાં સમજવી. લેખક તો જો કે ચોખ્ખા શબ્દોમાં કહે છે કે "સામાન્ય વલણો"ને સમજવા માટે પણ ખરેખર તો "અસાધારણ" ઘટના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

સામાન્યપણે, જોવા મળતી માનસિકતા(અને વર્તણૂક)માટે તાલેબ જેને 'રમતિયાળ તર્કદોષ'\ ludic fallacy કહે છે તેવી માન્યતાને જવાદદાર ઠેરવે છે. આ પ્રકારની માન્યતા એટલે - રમત ગમતમાં જોવા મળતી સંરચિત ઉર્દચ્છિકતા વાસ્તવિક જીવનની અનૌપચારિક ઉર્દચ્છિકતા જેવી જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો ભૂતકાળના અનુભવોના આધાર પર અનઅપેક્ષિત ઘટનો વિષે આગાહી કરવી. નોકરી માટેના ઇન્ટરવ્યુ માટે ૧૦૦ લોકોએ અરજી કરી હોય એટલે સંભાવના સોમાંથી એકની ગણીને આપણે એકલાં જ ઇન્ટરવ્યુમાં હોઇએ તેના સોમા ભાગની જ તૈયારી કરવી? જેના વિષે આપણે કંઇક જાણીએ છીએ તેવું માનીને જે અજ્ઞાત છે તેની આગાહી કરવી અને જેની અજ્ઞેયતા વિષે પણ અજાણ છીએ તેવાં અજ્ઞાતની આગાહી કરવી એમાં કાંઇ ફરક ખરો?

તાલેબ અજ્ઞાત જોખમની સાથે કામ પાડવા માટે પ્રતિતથ્યાત્મક વિચારધારા \counterfactual reasoningનો ઉપયોગ કરવાનું પણ સૂચવે છે. ઘટના જે રીત થઇ તે સિવાય બીજું શું શું થઇ શક્યું હોત તેમ વિચારવાથી ઘણી વાર ઘટનાનાં આકસ્મિકપણે થવાના સમયે જોઇતી તૈયારીઓ કરી શકવના માર્ગ મળી રહેવાની શક્યતાઓ વધી જાય છે.

જેમ સંબંધોની સાચી ઓળખ તો ક્યારેક થતા વિપરીત સંજોગોમાં જ થાય છે, તબીયતની કસોટી મોટી બિમારીમાં જ રહેલી છે. સામાન્ય ઘટનાઓનો અભ્યાસ 'ક્વચિત થતી, અનિશ્ચિત' સંભાવનાને બાજુએ જ રાખી દે છે, અને તેમ છતાં અનિશ્ચિતતા પણ આપણે નિયંત્રણ મેળવ્યું છે, તેવા તરંગમાં આપણે રાચતાં રહીએ છીએ. તેથી જ આ પુસ્તકને "મહાન બૌધ્ધિક છેતરપીંડી"નાં ઉપનામની ઓળખ પણ મળેલી છે.

‘ધ બ્લૅક સ્વાન’ની બીજી આવૃતિમાં તેઓ જણાવે છે કે જથ્થાત્મક અર્થશાસ્ત્ર [Quantitative Economics] નો પાયો જ ખામીયુક્ત અને સ્વ-સંદર્ભીય છે. તેઓ આંડાશાસ્ત્રને પણ મૂળભૂત રીતે ખામીયુક્ત ગણે છે કારણકે જે દરથી અને સંખ્યામાં આક્સ્મિક ઘટનાઓ થતી રહે છે તેની સરખામણીમાં એવી ઘટનાઓ થવાની અને તેનાં જોખમનાં મહત્ત્વની આગાહી કરવા માટેનાં માતબર પ્રાવધાનો તેમાં નથી. ગણિતશાસ્ત્રી રાફૈલ ડૌડીની સાથે તેઓ આ સમસ્યાને આંકડાકીય અનિર્ણાયત્મકતા[statistical undecidability] કહે છે.

કાળા હંસ-પ્રતિરોધક વિશ્વ માટેના દસ સિદ્ધાંતો

અહીં નસ્સીમ તાલેબ, તેમના તીખા તમતમતા શબ્દોમાં, આપણને આપમેળે મૂડીવાદ ૨.૦ તરફ જવાના માર્ગની દુહાઇ દે છે. તેમની જડીબુટ્ટી છે - આપણી આર્થિક જીવન શૈલીને કુદરતની શૈલી માફકનાં જીવન તરફ વાળ્યે રાખવી, જ્યાં કંપનીઓ નાની હોય, પર્યાવરણ સમૃદ્ધ હોય અને બેહદ ફાયદાઓની વાત ન હોય. તેમનાં આવાં વિશ્વમાં બેંકરો નહીં , પણ ઉદ્યોગ સાહસિકો જોખમ લેતા હોય અને કંપનીઓનાં જન્મમરણ એ સમાચાર ન હોય.

૧. જે નાજુક જ છે તે હજુ નાનું હોય ત્યારે જ બટકી પડે તે જ સારું.
બહુ મોટું થયા પછી જે નિષ્ફળ જાય તે તો ખોટું, કારણ કે આર્થિક ઉત્ક્રાંતિ જેમાં સહુથી બધારે જોખમો છુપાયેલાં છે તેવાં અતિનાજુકને મોટાંમસ થવામાં પોસે છે.
૨. નુકસાનનું સામાજીકરણ નહીં અને નફાનું ખાનગીકરણ નહી
જેને પણ જાહેર નાણાંની મદદથી બચાવવું પડે તેનું રાષ્ટ્રીયકરણ કરી નાખવું જોઇએ, અને જેને બચાવવાની જરૂર નથી તેવાં આર્થિક સાહસોને મુક્ત, નાનાં અને જોખમ સહન કરી શકે તેવાં રાખવાં જોઇએ.
૩. આંખો બંધ કરીને શાલાની બસ ચલાવનારાં (અને ભટકાવી મારનારાંઓ)ને ફરીથી નવી બસ પર તો બેસાડવાં જ નહીં.
યુનિવર્સિટીઓ, નિયમનકારો, બેંકો, સરકારી બાબુશાહી જેવી આર્થિક સંસ્થાઓને સ્પર્શતી બાબતોમાં જે લોકોની નીતિઓ અને કાર્યપધ્ધતિઓના સંદર્ભમાં જેમના હાથ ચોખ્ખા હોય, અને જેમને આક્સમિક આથિક જોખમોની સાથે કામ લેવાની ફાવટ છે ,તેવાં લોકોને આ પ્રકારની સંસ્થાઓ ચલાવવાનું કામ સોંપવું જોઈએ.
૪.જેમને 'પ્રોત્સાહન બોનસ' મળતું હોય તેમને આણ્વીક ઉર્જાએકમો ચલાવા ન દેવાય.
'બચત' કરીને નફો બતાવવાની લ્હ્યાયમાં તેઓ સલામતી જેવા અતિમહત્ત્વના વિષયોમાં કરકસર કરી બેસે તો નવાઇ ન કહેવાય ! આર્થિક બાબતોમાં જો પ્રોત્સાહન અને બોનસ હોય તો નુકસાની સમયે, ન્યાયિકપણે,દંડ પણ હોવો જોઇએ.
૫. જટિલતાની સામે સરળતાના ધડા(Counter balance)નો ભાર સરખો બનાવો.
વૈશ્વીકરણ અને એકબીજાંમાં બહુ મોટે પાયે સંમિલિત થઇ ગયેલ આર્થિક તંત્રની જટિલતાની સામે બહુ જ સરળ નાણાંકીય વ્યવહારોથી કામ થાય તેવી વ્યવસ્થા બનાવ્યે રાખવી જોઇએ. જાત જાતના સિદ્ધાંતોના તરંગો અને તેને કારણે સર્જાતા પરપોટાઓને મૂડીવાદમાં સાવેસાવ તો રોકી ન શકાય, પણ તેનાથી થનાર અવળી અસરો વિષે પણ સજાગતા તો કેળવવી જ જોઇએ.
૬. ભલેને ડાયનેમાઇટના ટેટા પર સલામતીની સુચનાઓ છાપી હોય, તેથી બાળકોના હાથમાં તેનું જોખમ ઘટી નથી જતું.
રોજ રોજ બહાર પડતી નાણાંકીય પ્રોડક્ટ્સ એ ડાયનેમાઈટના ટેટા છે તે વાત તો સમજી લેવી જ જોઇએ.
૭. વિશ્વાસને ભરોસે તો 'એકના ડબલ' જેવી યોજનાઓ જ ચાલે.
સરકારનું કામ આર્થિક ઘટનાઓને લગતી અફવાઓ ફેલાતી અટકાવીને 'વિશ્વાસ પેદા' કરવાનું નથી. તેણે તો અફવાઓની આંધી વચ્ચે પણ સ્પષ્ટ રહે તેવી નીતિઓ ઘડવાની અને અમલ કરવાની રહે છે.
૮. દારૂડીયાને દારૂની લત છોડાવવા વધારે દારૂ ન અપાય.
જાહેર દેવાંની સમસ્યાનો ઉપાય વધારેને વધારે દેવાં નથી. તેનાં મૂળમાં જઇને બીનપોષાણક્ષમ તુક્ક્કાઓ વિષે ફેરવિચારણાઓ થતી રહેવી જોઇએ.
૯. માત્ર નાણાંકીય અસ્કમાયતો પર નાગરિકોનાં નિવૃત જીવનની નાવને તરતી ન મૂકવી જોઇએ.
પોતાના અંકુશમાં નથી તેવાં નાણાંકીય રોકાણોનાં વળતરના આધાર પર નિવૃતિનું આયોજન ન કરાય. દરેક નાગરિકે કંઇને કંઇ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા બાબતે તૈયારી રાખવી જ જોઇએ.
૧૦. કોપરૂં ખાવું હોય તો નાળીએર ફોડવું જ પડે.

કોઇ પણ સમસ્યાના થગડથીગડ ઉપાયો સમસ્યાને વધુ વિકરાળ જ બનાવવાનું કામ જ કરશે. આકસ્મિક ઘટનાઓ - ખાસ કરીને આર્થિક ઉથલપાથલો-નો સામનો કરવા માટે નિશ્ચિતતા પર ભરોસો ન રાખવાનું શીખવું જ રહ્યું.
સંલગ્ન સંદર્ભ :
એપ્રિલ ૧૦, ૨૦૧૨ના રોજ વુડરૉ વિલ્સન સ્કૂલના ઉપક્રમે યોજાયેલ વ્યાખ્યાન શ્રેણી "આર્થિક સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ - સંકટો, રાજકારણ અને શક્યતાઓ'ના ઉપક્રમે આપેલું વ્યક્ત્વય
આડ વાતઃ
"ધ બ્લેક સ્વાન'નામક અંગ્રેજી ફિલ્મો અને તેને લગતી કેટલીક રસપ્રદ વાતો

Black Swan - ૨૦૧૦માં રજૂ થયેલી મનોવૈજ્ઞાનિક થ્રીલર / હોરર ફિલ્મ, જેની પરિચયાત્મક સમીક્ષા, હૉલીવૂડ હન્ડ્રેડ : Film 80 : ‘બ્લેક સ્વાન’, પણ ફિલ્મને પૂરો ન્યાય કરે છે.

The Black Swan (૧૯૪૨)માં રજૂ થયેલી ફિલ્મ, રાફૈલ સબાતીનીની એ જ નામની, ૧૯૩૨માં પ્રસિદ્ધ થયેલી નવલકથા પરથી બનાવાઇ હતી. અને આ નવલકથા લેખકની જ નવલિકા The Duel on the Beach પરથી લખાઇ છે.

આ વિષય પર નસ્સીમ તાલેબના કેટલાક વિચારપ્રેરક લેખો, તેમ જ ‘બ્લૅક સ્વાન' ફિલ્મ જેવી સામગ્રી આ ફૉલ્ડરમાં એકત્રીત કરેલી છે.

Wednesday, August 27, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઑગસ્ટ, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઑગસ્ટ, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ પહેલાં આપણે બિન-સંવાદિતા / બિન-અનુપાલનનો વિષય પસંદ કરેલ. માર્ચ ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે “બિન સંવાદિતા” વિષે, એપ્રિલ ૨૦૧૪ના અંકમાં “બિનઅનુપાલન વિષે મે ૨૦૧૪ના અંકમાં "સવાદિતા'વિષે, જૂન ૨૦૧૪ ના અંકમાં 'અનુપાલન'ની અને જુલાઇ ૨૦૧૪ના અંકમાં આપણે એ બધાંની ગુણવત્તા સંચાલનના સંદર્ભે વાત કરી હતી.

એક વાર બિન-અનુપાલન (કે બિન-સંવાદીતા) નક્કી થયા પછી બિન-અનુપાલન (કે બિન-સંવાદિતા)ની એ સ્થિતિમાંથી બહાર આવવાનું પગલું લેવાનું થાય. ગુણવત્તા સંચાલનની પરિભાષામાં એ પગલું સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે.

આ મહિનાનાં સંસ્કરણમાં આપણે સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિ વિષે વિગતે વાત કરીશું.

સુધારો અને સુધારાત્મક પ્રવૃત્તિ\Correction versus Corrective Action
ખબર પડ્યા પછીનાં બિન-અનુપાલનને ઠીક કરવું એ 'સુધારો' કર્યો કહેવાય. જ્યારે એ બિન-અનુપાલન માટેનું કારણ ફરીથી ન થાય તે માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે 'સુધારાત્મક પ્રવૃત્તિ' છે.
આ માટે વધારે માહિતી માટેના લેખ માટે
સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ\ Corrective vs. Preventive Action - રસ વેસ્ટકૉટ્ટ
[ISO 9001]ની કલમ 8.5.2માં જણાવ્યા મુજબ સુધારાત્મક પ્રવૃત્તિને પરિણામે બિન-અનુપાલન માટેનું કારણ દૂર કરીને તે ફરીથી થવાની સંભવાના દૂર થાય છે, અને કલમ 8.5.3 મુજબ નિવારણ પ્રવૃત્તિને પરિણામે બિન-અનુપાલન માટેનાં સંભવિત કારણને જ પહેલેથી ખોળી કાઢીને દૂર કરવામાં આવે છે જેથી બિન-અનુપાલનની ઘટનાને નિવારી શકાય.

જેને પરિણામે બહુ મોટું નુકસાન ન થાય હોય તેવી બિન-અનુપાલનની છુટપુટ ઘટનાને સમાન્ય સુધારા વડે નિપટાવી શકાય. આવાં પગલાંની વિધિપુરઃસરની નોંધ ન લેવાય તો પણ ચાલે. જ્યારે સારૂં એવું નુકસાન થવાનાં જોખમને અનુરૂપ બિન-અનુપાલનની ઘટના બને ત્યારે તે ઘટના થવા માટેનાં કારણને ખોળી અને દૂર કરવા માટે થતી પ્રવૃત્તિઓ સુધારાત્મક પ્રવૃત્તિ કહેવાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓની વિધિપુરઃસરની દસ્તાવેજી નોંધ રખાવી જ જોઇએ. નિવારણ પ્રવૃત્તિઓ એ સુધારાઓ માટેની એવી પ્રવૃત્તિઓ છે જેને કારણે બિન-અનુપાલનની ઘટના થયા પહેલાં નિવારવામાં આવે છે.આ પ્રવૃત્તિઓની પણ નોંધ રખાવી જ જોઇએ. વિકાસશીલ સુધારાની પ્રવૃત્તિ એ વ્યૂહાત્મક ઉદ્દેશ્યોના સંદર્ભમાં નવી પ્રક્રિયા કે ઉત્પાદનનાં પૂર્વનિશ્ચિત આયોજન કે અમલ વિષેની (એક પ્રકારની) નિવારણ પ્રવૃતિ છે.
સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ \ Corrective and preventive action (CAPA, also called corrective action / preventive action, or simply corrective action) સંસ્થામાં બિન-અનુપાલન કે એવી કોઇ અન્ય અનિચ્છનીય પરિસ્થિતિઓનાં કારણો દૂર કરવાની પ્રવૃત્તિ છે. ઉત્પાદનની સારી પ્રથા (GMP)અને અનેક ISO માનકોમાં તે સ્વીકૃત સિદ્ધાંત છે. ખોળી ચૂકાયેલ સમસ્યાઓ કે જોખમોનાં મૂળ કારણોની તપાસ તેનાં કેન્દ્રસ્થાને છે, જેથી કરીને તે પરિસ્થિતિઓ ફરીથી પેદા ન થાય (સુધારાત્મક પ્રવૃત્તિ) કે તે પરિસ્થિતિઓને નિવારી શકાય (નિવારણ પ્રવૃત્તિઓ). ગ્રાહકની ફરિયાદો કે હદ બહારનાં ઉત્પાદનને લગતાં બિન-અનુપાલન પરિણામો, આંતરિક ઑડીટ સમયે જોવા મળેલ અસંગતતાઓ કે ઉત્પાદન કે પ્રક્રિયાઓ પરની આંકડાકીય ગુણવત્તા નિયમન (SPC) પ્રકારની દેખરેખ સમયે નજરે પડેલ પ્રતિકુળ કે અસ્થાયી વલણો જેવી પરિસ્થિતિઓનાં નીરાકરણ માટે સુધારાત્મક પ્રવૃત્તિઓ મહત્ત્વનાં સાધનો બની રહે છે. જ્યારે બિન-અનુપાલનનાં સંભવિત કારણોને પહેલેથી જ દૂર કરવાના સંદર્ભમાં નિવારણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
અસફળ પરિણામોનાં મૂળભૂત કારણોની પદ્ધતિસરની તપાસ સુધારાત્મક અને નિવારણ પ્રવૃત્તિઓના અસરકારક અમલ માટે બહુ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

સુધારાત્મક પ્રવૃત્તિની યોજના શું છે ? - વ્યાખ્યા, પધ્ધતિઓ અને ઉદાહરણો \ What is a Corrective Action Plan? - Definition, Procedures & Examples - કંપનીના ઉદ્દેશ્યોને વધારે સારી રીતે સિદ્ધ કરવા માટે કોઇ એક ચોક્કસ પરિસ્થ્તિમાં શું ફેરફાર કરવો જોઇએ તેનું વર્ણન સુધારાત્મક પ્રવૃત્તિની યોજનામાં આવરી લેવાયેલ રહે છે.

સુધારાત્મક પ્રવૃત્તિની દેખરેખ \ Monitoring corrective action - (મૂળ લેખમાં દર્શાવેલ) કોષ્ટકમાં ઇલેક્ટ્રોલક્ષમાં જ્યારે પણ પુરવઠાની સાંકળમાં બિન-અનુપાલનની પરિસ્થિતિઓ જોવા મળે ત્યારે લેવાતાં પગલાંઓ દર્શાવાયાં છે. તારણોને ગંભીરતાના હિસાબે સ્વીકાર્ય તારણોથી માંડીને 'બિલકુલ નહીં ચાલે' જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કરી નાખવામાં આવે છે.

સુધારાત્મક પ્રવૃત્તિનો પડકાર \Corrective Action Challenge - સમસ્યા-નિરાકરણની ખડતલ પ્રક્રિયા કેમ કરીને ઘડવી ? - આર.ડૅન રૈડ
ISOનાં તકનીકી માનક (TS) 16949નાં દુનિયાભરનાં પ્રમાણીકરણ ઑડીટનાં સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે સુધારાત્મક પ્રવૃત્તિની કલમ 8.5.2 મહત્ત્વનાં બિન-અનુપાલન માટે સહુથી વધારે ઉલ્લેખવામાં આવી છે. ગૌણ બિન-અનુપાલન કિસ્સાઓમાં તેનું સ્થાન આઠમું રહ્યું છે.
ISO 9001ની જરૂરીયાતો ઉપરાંત ISO/TS 16949 આ કલમ માટે નીચે મુજબની વધારાની જરૂરિયાતો સૂચવે છે:
  • સમસ્યા નિરાકરણ.
  • ભૂલ ફેરતપાસ અને સુધારા.
  • સુધારાત્મક પ્રવૃત્તિનો પ્રભાવ.
  • રદ્દ ઉત્પાદનોની કસોટીઓ અને વિશ્લેષણ.

ISO/TS 16949ની કલમ Clause 8.5.2.1 મુજબ સંસ્થા પાસે 'સમસ્યા નિવારણની સુનિશ્ચિત પ્રક્રિયા હોવી જોઇએ જે મૂળભૂત કારણને ખોળી અને તેને દૂર કરી શકે.
અસરકારક સુધારાત્મક પ્રવૃત્તિ યોજનાનું લખાણ \ Writing an Effective Corrective Action Plan
પહેલું પગલું : સમસ્યા કે કચાશ તેમજ તેને સંબંધિત મૂળભૂત કારણનું સ્પષ્ટ કથન.

બીજું પગલું : સુધારાત્મક પ્રવૃત્તિનાં પરિણામો માટે ઉત્તરદેય વ્યક્તિઓની યાદી

ત્રીજું પગલું : મૂળભૂત કારણને સ્પર્શતાં સરળ, માપી શકાય તેવા ઉકેલ.

ચોથું પગલું : દરેક ઉકેલ માટે ઉત્તરદેય વ્યક્તિ.

પાંચમું પગલું : દરેક ઉકેલ માટે સિદ્ધ થઇ શકે તેવી સમય મર્યાદા.

છઠ્ઠું પગલું : યોજનાની પ્રગતિની દેખરેખ.
સુધાર, સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ જેવા બહુ ચર્ચિત, અનેક પાસાંઓ વાળા વિષયને બ્લૉગોત્સવ જેવા એક લેખમાં પૂરેપૂરો ન્યાય આપવો શકય નથી. તેથી આટલી પ્રાથમિક ચર્ચા બાદ આજના આ સંસ્કરણમાં આપણે આ વિષય પર થોડો વધારે પ્રકાશ ફેંકતા કેટલાક અન્ય, નમુના સ્વરૂપ, લેખની નોંધ લઇશું:
આ સાથે હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ નજર કરીએ
ASQ Influential Voicesના બ્લૉગીંગ સભ્યોએ બ્લોગ લખવાના અને સામાજિક માધયમોના ઉપયોગના ફાયદાઓ તેમ જ જેમને પણ આ બાબતે રસ હોય તેમણે ક્યાંથી શરૂઆત કરવી તે વિષે પોતાના વિચારો Learning About Social Media With ASQ Bloggers માં જણાવ્યા છે. આ વિષે વધારે ઊંડાણથી જાણવા માટે Quality Progressના જુલાઇ મહિનાના અંકમાં “Blog Boom” લેખ વાંચવો જોઇશે. આ લેખમાં ASQ Influential Voicesના ડૅન ઝ્રીમિયાક, જેનીફર સ્ટેપનીઓવસ્કી, માર્ક ગ્રૅબન, જિમેના કાલ્ફા અને જોહ્ન હન્ટર પોતાના વિચારો લંબાણથી રજૂ કરે છે.

ઉત્કૃષ્ટતાનાં વાતાવરણની સ્થાપના : અરૂણ હરીહરન સાથે ચર્ચા \Establishing a Culture of Excellence: A Conversation With Arun Hariharan માં સતત સુધારણાને અનુકુળ વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં મળેલા મુખ્ય બોધપાઠની વાત કરાઇ છે.

જુલાઇ ૨૦૧૪ના Blogger Round Upમાં દૂરંદેશીનું પ્રયોજન શું છે ? \ What’s the Purpose of Vision?ની ચર્ચામાં ASQ’s Influential Voicesના બ્લૉગમિત્રો વોલ્વો અને આઈકીઆમાં સંસ્થાના ઉદ્દેશ્ય ની સિદ્ધિ અને સ્પષ્ટીકરણમાં કેન્દ્રીય વિચારધારાનાં મહત્ત્વ વિષે પૂછાયેલ સવાલના પ્રતિભાવ કહ્યા છે.

અને હવે આપણે ASQ TV ના Quality in Athletics તરફ ધ્યાન કરીએ, જેમાં ગુણવત્તા, ખેલકૂદ અને વ્યાયામ અને સ્વાસ્થ્ય સજ્જતા વચ્ચેની કડીને સમીક્ષા કરાઇ છે.
સંલ્ગન વિડીઓ:
ISO 9001 સૉકર ટીમને દરેક ક્ષેત્રે સુધાર લાવવામાં મદદરૂપ થયેલ છે \ISO 9001 Helps Soccer Team Improve All-Around - મેક્ષીકન ફુટબૉલ ફેડરેશનની ટીમ Monarcas Morelia સાવ છેવાડાના ક્રમે રહેતી હતી, અને તેથી ખોટ પણ કરતી હતી. ગુણવત્તા સંચાલન તંત્રના અમલ અને ISO 9001 પ્રમાણિત થવાથી તેની કામગીરીમાં જે ફેર આવ્યો તે અંગે આ વિડીયોમાં વર્ણવાયેલ વાત ઉપરાંત તેની પૂરી વાત પણ વાંચીએ.

અ મહિનાના આપણા ASQ’s Influential Voice છે ડૉ. માઇકૅલ નોબલ.

Making Medical Lab Quality Relevant ડૉ. માઇકૅલ નોબલનો બ્લૉગ છે. ડૉ. નોબલ વૅન્ક્યુવર, કેનેડાની બ્રિટીશ કોલંબિયા યુનિવર્સિટીનાં રોગ વિજ્ઞાન અને પ્રયોગશાળા ચિકિત્સા વિજ્ઞાન વિભાગમાંના તબીબી સૂક્ષ્મજીવાણુવિજ્ઞાનવિદ છે. તેઓ પોતાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનકોના વિકાસમાં પ્રવૃત્ત ને ગુણવત્તા-ઉન્મુખ શિક્ષણ અને પ્રયોગશાળામાંનાં ગુણવતા આકારણી કરનાર'તબીબી ગુણવત્તાવિદ' કહે છે.

Making Medical Lab Quality Relevant “ચિકિત્સા પ્રયોગશાળાઓની ગુણવત્તા સુધારવામાં રસ હોય તેવાં લોકો માટે છે. વિવિધ દૃષ્ટિકોણ ધરાવતી, સંકુલ અને મૂળભૂત પ્રયોગશાળાઓ, વિકસીત અને વિકાસશીલ દેશોમાં પ્રવૃત્ત વ્યક્તિના વિચારો અને મનોવલણોનો રસથાળ અહીં જોવા મળશે." બ્લૉગ પરનું વસ્તુ વૈવિધ્ય
જેવાં પાનાંઓમાં ગ્રંથસ્થ થયેલ છે.
આ મહિને પણ Curious Cat Management Improvement Carnival હેઠળ કોઇ લેખ મુકાયો નથી. જો કે આપણે તો તાજેતરમાં પ્રકાશિત થયેલ લેખની મજા તો માણી જ લેતાં હોઇએ છીએ.
આ મહિને આપણી પસંદ Children are Amazingly Creative At Solving Problems પર ઢોળીશું.
રસેલ અક્કૉફ્ફનું આ કથન લેખનો સાર કહી જાય છે : “શાળાજીવનમાં દાખલ થયાં પહેલાં બધાં લગભગ દરેક વાતે જિજ્ઞાસા હોય છે; શાળાજીવન બાદ લગભગ કોઇ વાતે જિજ્ઞાસા રહી નથી હોતી."

સંલગ્ન: Taking Risks Based on EvidenceNaturally Curious ChildrenLearn by Seeking Knowledge, Don’t Only Learn from MistakesEncouraging Curiosity in KidsExtrinsic Incentives Kill Creativity

આપણા બ્લૉગોત્સવને વધારે રસપ્રદ, માહિતીપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, પ્રતિભાવો અને વિવેચનોની અપેક્ષા સાથે....

Thursday, August 1, 2013

"વેબ ગુર્જરી"નાં નવી દિશામાં પ્રયાણ - "સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ"

ઘોષણાપત્ર
શિર્ષકઃ
સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ
લક્ષ્ય અને વ્યાપઃ
વેબ ગુર્જરી પર શરૂ થતો સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ વિષય સામુદાયિક મૅનેજમૅન્ટ તંત્રના, વિચારસરણીના વિજ્ઞાનથી લઈને અમલીકરણકૌશલ્યના આધુનિક સિદ્ધાંતો અને સાંપ્રત વ્યવહારો વિષે પ્રસિદ્ધ થઈ રહેલા સંરચિત જ્ઞાનને ગુજરાતી ભાષામાં એક છત્ર હેઠળ રજૂ કરશે.
'મૅનેજમૅન્ટ' શબ્દ, સહુથી વધારે વેપાર અને ઉદ્યોગજગતની ગતિવિધિઓ જોડે સંકળાયેલો માની લેવામાં આવે છે. તેથી, વ્યાપાર-ઉદ્યોગના મૅનેજમૅન્ટમાં ચર્ચામાં રહેતા સિદ્ધાંતો અને તેના વ્યવહારમાં થતા અમલની વાત તો આપણે કરીશું જ, પણ આપણો ઉદ્દેશ એટલા સુધી સીમિત થવાનો નથી. જીવનના દરેક ક્ષેત્રમાં, જાણ્યે અજાણ્યે, કોઈને કોઈ સ્તરે, મૅનેજમૅન્ટ વણાયેલું તો છે જ. ક્યાંક તે પ્રબુદ્ધ સાહિત્ય સ્વરૂપે ઉજાગર થયું છે, તો ક્યાંક તે ઇતિહાસમાં કે લોકકથાઓ કે પૌરાણિક ગ્રંથોમાં તેનો સંદર્ભ જોવા મળે છે. તો વળી કોઠાસૂઝ અને હૈયા ઉકલતોમાં પણ મૅનેજમૅન્ટ અભિપ્રેત હોય જ છે. આ દરેક ક્ષેત્રમાં મૅનેજમૅન્ટ સાથે સંકળાયેલ વ્યાવસાયિકો માટે, "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ના આ મંચ પર રજૂ થનાર સામગ્રી આપણી માતૃભાષામાં માણવા માટેનો રસથાળ બની રહેશે. તદુપરાંત, વેગુના અન્ય વાચકો માટે અહીં રજૂ થનારી વાંચનચિંતન સામગ્રીનું  વૈવિધ્ય તેમનાં જ્ઞાન અને રસની ક્ષિતિજને વિસ્તારવામાં મદદરૂપ થઈ શકે. 
આ પ્રસ્તાવની બીજી બાજુએથી જોતાં એમ કહી શકાય કે, આપણે આપણી અંગત અને વ્યાવસાયિક જિંદગીમાં ' મૅનેજમૅન્ટના પ્રયોગો'ને "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ના આ મંચ પર રજૂ કરતાં રહીશું.
કેટલાંક અખબારો કે સામયિકો કે મૌલિક કે અનુવાદિત પુસ્તકો દ્વારા મુદ્રિત પ્રકાશન માધ્યમ પર મૅનેજમૅન્ટનું ગુજરાતી ભાષામાં ખેડાણ નવી વાત નથી. પરંતુ, ઇન્ટરનેટ કે ડિજીટલ માધ્યમો પર આ વિષય પર 'ગુજરાતી' ભાષામાં બહુ કામ થયેલું જોવા નથી મળતું.
"સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" આ બધા જ પ્રયાસો અને પ્રયોગવીરોને એક સૂત્રે પરોવાયેલા રાખવાની ભૂમિકા પણ ભજવવાનો એક પ્રયાસ બની રહેશે.
મૅનેજમૅન્ટના સિદ્ધાંતોની ટૅકનિકલ ચર્ચાથી લઈને તે સિદ્ધાંતોના વ્યવહારમાં થતા અમલીકરણના કૌશલ્ય સુધીના ફલકને આ મંચ પર આવરી લેવાશે.
તે સાથે પોતાની વ્યાવસાયિક જીંદગીની રોજબરોજની સ્પર્ધાત્મક હરીફાઇઓની તાણમાં અટવાઇ પડેલ સર્જનાત્મકતાને ખીલી શકવાની તક આ મચપર સક્રિય યોગદાન કરનાર  'મેનેજમેન્ટ વ્યાવસાયિક' પૂરી પાડી શકશે. તેમ જ સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ"નાં વાચક માટે આ મચ તાણમુક્તિ મા્ટેનું  આ સરળ માધ્યમ બની રહેશે.
માળખું:
કોઈ એક કેન્દ્રવર્તી વિષય કે વિચારના આધારે, વેગુના "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" શીર્ષકથી પ્રકાશિત થતી સામગ્રી અલગ અલગ વિભાગમાં વર્ગીકૃત કરીશું. દરેક 'વિભાગ' હેઠળ, જરૂર મુજબ, કોઈ ચોક્કસ, વધારે કેન્દ્રિત વિષયને લગતી સામગ્રીને તે 'વિભાગ'ના પેટા વિભાગરૂપે ગોઠવીશું.
પ્રકાશિત થયેલ દરેક પોસ્ટના લેખક, એ વિભાગના સંકલનકાર, પોસ્ટનો વિષય વગેરે જેવી માહિતી ટૅગ દ્વારા અંકિત કરીશું. તે ઉપરાંત દરેક પોસ્ટમાં તે પોસ્ટના યોગદાતાનાં વેબ-વિશ્વ અને ઇ-મેલ સંપર્કસૂત્રો તેમજ સંદર્ભોની હાયપર લિંક પણ હશે.
કેટલાક સૂચિત વિભાગો / પેટા-વિભાગો
વ્યવહારમાં સંચાલન સિધ્ધાંતો
સ્વવિકાસની વાટે
સાંપ્રત સંચાલન સાહિત્ય
-         પુસ્તક, સામયિક, લેખ, વીડીયો, ફિલ્મ, બ્લૉગ, વેબસાઇટ્ની સમીક્ષા
પરિચય {જ્યાં સુધી શક્ય હોય ત્યાંસુધી ગુજરાતી, તે પછીથી ભારતીય અને તે પછી આંતરરાશ્ટ્રીય સમુદાય એ ક્રમમાં પ્રાથમિકતા પણ આપવાનું વિચારી શકાય.]
-         સંસ્થાઓ
-         વ્યક્તિઓ -ઉદ્યોગસાહસિકો, સંચાલકો, કેળવણીકારો, શિક્ષકો, પ્રશિક્ષકો,લેખકો
-         દ્રશ્ય-શ્રાવ્ય મુલાકાતો
અધિવેશનો, સમારંભો અને પરિસંવાદોના અહેવાલો
શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રની ગતિવિધિઓ
-         મૅનેજમૅન્ટ શિક્ષણ અને પ્રશિક્ષણ
-         તકનીકી શિક્ષણ
-         વ્યાવસાયિક શિક્ષણ અને પ્રશિક્ષણ
બીનવર્ગીકૃત / પ્રકીર્ણ સામગ્રી
મુખ્ય સંકલન ટીમઃ
હાલના તબક્કે કેટલાક મિત્રોએ પોતાની પ્રાથમિક વ્યસ્તતાઓ વચ્ચે પણ કોઈ ને કોઈ વિભાગ સંભાળવાની તૈયારી બતાવી છે. પરંતુ, આપ સહુને વિદિત છે તેમ, વેગુનું 'સંસ્થાગત' માળખું એ સૂર્યમાળાના મૉડલ પર વિકસાવાઈ રહેલું છે. એ મુજબ, 'વેગુ'ની મુખ્ય ધરીની આસપાસ, વેગુનાં પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ની "મુખ્ય સંકલન ટીમ", વેગુની 'કોર સમિતિ'ના સહયોગમાં કાર્યરત રહેશે.
દરેક વિભાગનું સંચાલન જે તે વિભાગના સંલકનકાર કરશે. દરેક વિભાગ જરૂર મુજબ સક્રિય સહયોગીઓની પેનલ  બનાવશે.
"સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ" ના મંચ પર યોગદાન:
"સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" પર આપ વાચક અને/અથવા યોગદાતા એમ બે ભૂમિકામાં આપનું યોગદાન આપી શકો છો.
શક્ય હોય તો વાચકને બદલે "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ની લિંકને આપ 'ફેવરિટ્સ'માં બુકમાર્ક કરીને આપ નિયમિત વાચક બની શકો છો.
તેથી આગળ વધીને, અહીં પ્રસિદ્ધ થતી સામગ્રી આપની પાસે, આપનાં ઇનબોક્સમાં નિયમિત પહોંચતી રહે તે માટે, જમણી બાજુએ ઉપર દર્શાવેલા "ઇ-મેઇલ દ્વારા વે.ગુ. સંપર્કમાં તમારું ઇ-મેઇલ સરનામું લખીને વેગુસભ્ય બની શકો છો.
'સક્રિય વાચક' તરીકે અહીં પ્રસિદ્ધ થતા દરેક લેખ પર આપ આપના પ્રતિભાવો કૉમેન્ટદ્વારા જણાવી શકો છો અથવા આ સમુદાય માટે સીધા પત્રસંપર્ક માટે શરૂ કરેલા ઇ-સરનામે[webgurjarim@gmail.com ] પણ જણાવી શકો છો. આપનાં મંતવ્યો, વિષય પર અન્ય ઉપલબ્ધ સામગ્રીની રજૂઆત વગેરે પ્રતિભાવોને એક બહુ જ મૂલ્યવર્ધક ચર્ચાના સ્તરે લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
આ માધ્યમો ઉપરાંત ગુગલ+ પર "અર્વાચીન મૅનેજમૅન્ટ વિશ્વ પ્રવાહો", ગુગલ પેજ અને લિંક્ડ ઇન પર "વેબ ગુર્જરી"નું 'અર્વાચીન મૅનેજમૅન્ટ વિશ્વ' ગ્રુપનું ગઠન પણ કરેલું છે. ત્યાં પણ ચર્ચામાં ભાગ લઈને આપ  "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" અને તેના પર રજૂ થતા વિચારો અને સામગ્રીનો પ્રસાર કરવામાં પણ આપનું યોગદાન આપી શકો છો. 
તે જ રીતે, આપના 'યોગદાતા' તરીકેના સહયોગ વડે આપ "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ને વધારે પ્રભાવશાળી બનાવી શકો છો.
આપ જો કોઈ વિભાગ સંભાળી શકો તેમ હો તો તેમ અથવા ક્વચિત કે નિયમિત લેખક તરીકે "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ની આપણી આ સફરના સક્રિય યાત્રી બની શકો છો. એ માટે webgurjarim@gmail.com    અથવા web.gurjari@gmail.com  પર આપના સંપર્ક કરી શકાશે.

Saturday, July 6, 2013

દરેક ઉદ્યોગ સાહસિકે જોવા જ જોઇએ એવા યુ ટ્યુબ પરના ૧૦ વિડીયો

"નાના  ઉદ્યોગકારોમાટે વ્યાવસાયિક સ્રોત"ની ટૅગ લાઇન ધરાવતાં Inc.  પર  આજે 10 YouTube Videos Every Entrepreneur Should Watch   લેખ જોયો, ગમ્યો.

એટલે થયું કે  Inc.  સાઈટ અને આ લેખ, બંને,ને હું અહીં નોંધી લઉં, તો મારા માટે પણ હાથવગી નોંધ બની રહેશે અને કોઇ અન્ય મિત્રને પણ એક વધારે સાધન મળી રહેશે.

 આ લેખનાં શિર્ષક્થી 'શોધ" કરી, તો   સાઈટ પર આવા જ વિષયપરના અન્ય લગભગ 9,070  લેખોની યાદી સમું એક પાનુંજ બની ગયું. એ પાનાંની લિંક પણ અહીં મૂકું છું -  http://www.inc.com/search?q=10+YouTube+Videos+Every+Entrepreneur+Should+Watch 

Tuesday, March 26, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - માર્ચ, ૨૦૧૩


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં માર્ચ, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે. 

કોઇ એક મુખ્ય વર્ગીકરણ હેઠળ લેખનાં શિર્ષકને મૂળ લેખ સાથે હાયપરલિન્કથી સાકળીને, તેનો સારાંશ લેખના શબ્દોમાં જ રજૂ કરવાનો પ્રયોગ આ સંસ્કરણમાં અજમાવીશું.

બાહ્ય વાતાવરણનું વિહંગાલોકન - 

કાર્યરત અમેરિકા \ The America that works 

"નિયંત્રણ, નવીનીકરણ, આંતરમાળખું, શિક્ષણ એ બધાં જ સ્પર્ધાત્મકતા માટે મહત્વનાં છે. રાજ્યોમાં બની રહેલી નાની ઘટનાઓનો સરવાળો બહુ મોટો બની રહે છે... બસ, એ છે કાર્યરત અમેરિકાનું હાર્દ."

"સારા" થવાના ઘણા ફાયદા છેઃ વ્યવસાયમાં અને અંગત જીવનમાં ૨૧મી સદીનાં મૂલ્યો એ વિજયી વ્યૂહરચના છે \ Being “Good” Pays Off Big: 21st Century Values are a Winning Strategy in Business and Personal Life - પીટર જ્યૉર્જૅસ્કુ \ Peter Georgescu - [આનો DOWNLOAD ઉપયોગ કરીને આખું શ્વેતપત્ર મેળવો]. 

“૨૧મી સદીનાં પહેલાં બાર વર્ષમાં જ ખ્યાલ આવી ગયો છે કે વેપાર-વ્યવસ્થા એ કેટલું કપરૂં કામ બની રહ્યું છે. અને હજૂ એ શક્યતાઓ પણ પૂરે પૂરી છે કે આવનારાં વર્ષોમાં વેપાર-વ્યવસાય હજૂ વધારે કપરાં, અને વધારે સ્પર્ધાત્મક, બની રહેવાનાં છે. એટલે આપણે આ બેરહમ સ્પર્ધાત્મક દુનિયા સામે કમર કસવી જ રહી. કેમ ખરૂંને? 

હં…અ, ના. ૨૧મી સદીનાં વિશ્વમાં વિજયી વ્યૂહરચના ખોળી કાઢવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે વાણિજ્ય-વિશ્વ આ થોડાં વર્ષોમાં શી રીતે નાટકીય રીતે પલટી ગયું છે." 

અને [પ્રમાણમા] સિંહાવલોકન... 

“પરીવર્તનની ઝડપે ઉત્પાદન" \ Manufacturing at the Speed of Change - આ શ્વેતપત્ર ડાઉનલૉડની લીંક મૂળ લેખનાં પાનાં પરથી મળી શકશે - 

“આજની પડકારભરી વૈશ્વિક અર્થાવ્યવસ્થામાં ઉત્પાદન તંત્રએ પરીવર્તનને ગળે લગાવવું રહ્યું, તે પરીવર્તનોને સાનુકુળ કામગીરીનું વાતાવરણ સર્જતા, અને નવી તકો અને ગ્રાહકની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ચાપલ્યથી સજ્જ રહેવું રહ્યું. ભવિષ્ય તરફ નજર રાખનાર ઉત્પાદકોએ જે મહત્વનાં કદમ લેવાં જોઇએ, જે પૈકી એક છે હવે-પછીની આવૃત્તિઓના ERP નિરાકરણો એવી આધુનિક ટેક્નૉલૉજીઓને માટે સાનુકુળ બની રહેવું, જે વધારે પ્રતિભાવશીલ અભિગમ બનાવવામાં અને ઝડપને સ્પર્ધાત્મક સરસાઇનું સબળ શસ્ત્ર બનાવવામાં મદ્દરૂપ બની રહે.” 

સંચાલન પ્રતિબધ્ધતા અને ઉદ્યોગ સાહસીકનો જુસ્સો 

પોતાના દરરોજના સંઘર્ષોની કહાણીના સૂર રેલાવતા ૯ સાહસિકો \ 9 Entrepreneurs chime in on their daily struggles

“સમય, કેન્દ્રીત ધ્યાન, ટીમનું બંધારણ કરવું અને લાગણીઓ, વગેરે તો હિમશીલાની ટોચ માત્ર છે - શેની સાથે સહુથી વધારે સંઘર્ષ કરતાં રહેવું પડે છે તે શોધી કાઢો અને પછી જીવનને સરળ બનાવી શકે તે રીતે પ્રક્રિયાઓ બને તેટલી કાર્યક્ષમ બનાવો.” 

'લીન\Lean' અવતરણઃ અગ્રણીઓ તેમના અનુયાયીઓમાં પ્રેરણા ખોજતા નથી, તેને અનાવૃત કરે છે. \ Lean Quote: Leaders Don't Invent Motivation In Their Followers, They Unlock It -જ્હૉન ડબ્લ્યુ ગાર્ડનર 

“આપણા સમગ્ર જીવનકાળ દરમ્યાન આપણને કેટલાંય સંપર્ક થાય છે અને તેમાંના ઘણાં આપણને ડહાપણના બે શબ્દો પણ કહી જાય છે. આપણા માટે તે નવુ શીખવાનો સ્ત્રોત પણ બની રહે છે , તેમ જ વિચારવા કરવા માટે થોભવાની એક એવી ક્ષણ પણ બની રહે છે જે ઘડીએ આપણે જે પાઠ ભણ્યા છીએ તેના પર વિચાર કરી શકાય. 'લીન\Lean'ની સક્રિય શીખવાની પ્રક્રિયામાં આ એક મહત્વની બાબત છે; કારણકે નવું નવું શીખ્યા સિવાય સુધારણા કરતાં રહેવું અશક્ય છે. 

મારા અનુભવ મુજબ, પ્રેરણા વિશે શીખવા માટે ત્રણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે: 

પહેલું એ કે જો કોઈને કંઈ નહીં જ કરવું હોય તો તમે એન કોઈ રીતે પ્રેરિત નહીં કરી શકો. પ્રેરણા આંતરિક છે, નહીં કે બાહ્ય પરીબળ.
બીજી વાત એ છે કે દરેક વ્યક્તિ પ્રેરિત હોય જ છે. વહેલી સવારે ઊઠીને પથારી છોડીને નોકરીએ ન જનારને પથારીમાં પડી રહેવાની વધારે પ્રેરણા હોય છે. તેમની પ્રેરણા નકારાત્મક હોઈ શકે છે, પણ તે પ્રેરિત તો છે જ.
ત્રીજી વાત એ છે કે લોકો, તમારી ખાતર નહીં પણ, પોતાનાં કારણોથી કંઈ પણ કરે છે. તેમનાં એ કારણો શોધી કાઢવામાં ખૂબી છે. 

પ્રેરિત, પ્રતિબધ્ધ અને પ્રવૃત્ત કર્મચારીઓને તેઓ જે કંઈ, અને જે માટે, કરે છે તેની પરવા હોય છે. તેઓ દરરોજ ઊઠીને કામે એટલે આવે છે કે તેમને તે વાતની પરવા છે. એ કંઈ ટુંકા ગાળાનો શક્તિનો ઉભરો નથી; તે જીવન પધ્ધતિ છે. 

પ્રેરણા અંદરથી જ આવે છે. દરેક વ્યક્તિમાં પોતાને પ્રેરિત કરવાની.- કે હતોત્સાહ કરવાની -. શક્તિ રહેલી હોય છે. તેઓ પોતાની શ્રેષ્ઠ ક્ષમતાસાથે દરરોજ કામ પર આવી શકે/કરતાં રહી શકે એ માટે જરૂરી બધાજ પ્રકારની સ્થિતિઓ નિર્માણ કરતાં, અને ટકાવી, રાખવાના બધાજ રસ્તા તેમને દેખાતા રહેવા જોઇએ. માન, સક્રિય અને પ્રમાણિક સંવાદ અને સક્ષમ અને તેમની સાથે ભળી ગયેલ નેતૃત્વ - એ એવાં ઘટકો છે જે પ્રવૃત્ત અને ઉત્સાહીત કાર્યસ્થળ બનાવી રાખે છે.” 

નવીનીકરણ માટે ચોથો વિકલ્પ જોવાનું શીખીએ \To Create Innovation, Learn How To See A Fourth Option - કૈહન ક્રીપ્પૅન્ડૉર્ફ \ Kaihan Krippendorff 
“જ્યારે જ્યારે જીવનના માર્ગમાં અડચણ આવે ત્યારે,આપણે આ ચાર પૈકી કોઇ એક ઉપાય અજમાવતાં હોઇએ છીએઃ 

પહેલો વિકલ્પઃ આપણે તે પરિસ્થિતિની અસરને, પરાણે પણ, સ્વીકારીને બેસી રહીએ છીએ.
બીજો વિકલ્પઃ આપણી પાસે હા/નાની પસંદગી છે - ક્યાં તો પરિસ્થિતિ સ્વીકારીએ અથવા હાથ ઊંચા કરીને ભાગી છૂટીએ.
ત્રીજો વિકલ્પ: એવું માનીને બેસી રહેવું કે આપણી પાસે પસંદગી કરવા માટે બધા જ વિકલ્પો છે, કારણકે આ ત્રણેય વિકલ્પ માટે વિચારવું એ ખાસું સમય અને મહેનત માગી લે એવું છે.
ચોથો વિકલ્પ: 'સામાન્ય રીતે ઉપલબ્ધ' એવા આ ત્રણ વિકલ્પોની પાર જઇને વિચારીએ અને સાવ નવો જ માર્ગ, નવો ઉપાય ખોળી કાઢીએ. 

આ પહેલા ત્રણ વિકલ્પોની પાર જઇને ચોથા વિકલ્પની દિશામાં વિચાર કરવાની ક્ષમતા કેળવવી એ બહુ મોટી સ્પર્ધાત્મક સરસાઇ માટેનો સ્રોત બની શકે છે. “

સંચાલન પ્રતિબધ્ધતા :પ્રક્રિયાઓના અમલમાટેનું એક મહત્વનું પરીચાલક બળ \ Management Commitment: The Key to Getting Procedures Used – 

સંસ્થાની આંતરીક પ્રકિયાઓ (જ્યાં પ્રક્રિયાઓ બંધ બેસતી હોય છે) પર વરિષ્ઠ સહયોગીઓ દ્વારા સાવ ધ્યાન ના આપવામાં આવે, કે નહિવત્ ઘ્યાન આપવામાં આવે, તો સંસ્થાના અન્ય સભ્યો તો એ બાબતે ક્યાંથી જ તેના પર ધ્યાન આપે? 

પ્રક્રિયાઓના ઉપયોગ બાબતે એક મોટું રહસ્ય હાથ લાગ્યું છે - આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાને સ્પષ્ટ અને હાથવગી રહે તે રીતે લખી રાખવી એ મહત્વનું છે. તે અંગેની જાણકારી, અને તેની સ્વિકૃતિ, ઊભી કરવામાટે તેનું પ્રશિક્ષણ પણ થતું રહેવું જોઇએ. ઑડીટ કરતાં રહેવાથી પ્રક્રિયાના અમલનું મહત્વ ઘુંટાતું રહે છે. પણ આ બધું ત્યારે જ થતું રહે છે, જો વરિષ્ઠ સંચાલકો એ બાબતે પ્રતિબધ્ધ હોય.” 

વ્યાવસાયિક તેમ જ અંગત સ્તરે - ગુણવત્તાની મનોભાવના 

સુધારણાઓને આડે આવતી અડચણોને પાર કરવી \Overcoming Improvement Barriers 

“લગભગ બધી જ સંસ્થાગત કચાશો તંત્ર-રચના વ્યવસ્થાને કારણે જ હોય છે, અને તેથી જ વરિષ્ઠ સંચાલન મંડળ જ તેના ઉપાય કરી શકે છે. “ 

અને તેનો સંલગ્ન લેખ - ગુણવત્ત સુધારમાં આવતી અડચણો \ Barriers to Quality Improvement

માહિતિ-અધાર-સામગ્રી? તેના શા ફાયદા? ચોક્કસપણે - કંઇક તો ખરૂં જ \ Data? What is it good for? Absolutely … something – 

“આજ કાલ મોટા સ્તરની માહિતિ-સામગ્રી પસંદ કરવાની કે તેને બદનામ કરવાની લગભગ ફૅશન બની ગઈ છે. આપણી અંગત માન્યતા કંઈ પણ રહી હોય - કે રહેવાની હોય - માહિતિ-સામગ્રીના ફાયદા શું છે તે પ્રશ્ન ચર્ચાને ચકડોળે ચડતો રહ્યો છે, અને રહેશે.
જેમ જેમ ડીજીટાઇઝેશન અને નૅટવર્કનું આવરણ વધતું રહેશે તેમ તેમ આપણી અંગત તેમ જ વ્યાવસાયિક જીંદગીમાં માહિતિ-સામગ્રીની માત્રા વધતી જ રહેશે. પણ મૂળ મુદ્દો માહિતિ-સામગ્રીની માત્રાનો નથી; પણ, 'માહિતિ-સામગ્રીનું આપણે શું કરીએ છીએ' તે હવે પછીની ઉભરતી અર્થ-વ્યવસ્થામાં મહત્વનું બની રહેવાનું છે. 

આ વાતને સમજાવવા માટે હું તમને ત્રણ દ્રષ્ટાંત- કથાઓ કહીશ...... “ 

તકની સમસ્યા\ The Problem With Opportunities - સમસ્યાને 'તક' કહેવાનાં ખરાં જોખમો - 

કરીન હર્ટ સાથેની એક મુલાકાત દ્વારા કરૅન માર્ટીન સમજાવે છે કે "જ્યારે સમસ્યાને 'તક'ની છાપ લગાડી દેવામાં આવે છે, ત્યારે '"તત્કાલિકતા ખતમ થઇ જાય છે". એ પ્રયોગથી સલામતીની ભાવના દાખલ થઇ જાય છે, જેમકે, કંઇ સમસ્યાકારક વાતનો ઉકેલ લાવવો જોઇએ એવું માનવાને બદલે જે કંઇ થશે તે સારૂં થશે તેમ માનવા લાગવું. .

સફળ સંસ્થાઓના અગ્રણીઓ બન્ને કરે છે. તેઓ આજે ઉભરતા પ્રશ્નો માટે સલામત વાતાવરણ પેદા કરે છે અને તે સાથે જ જેમ જેમ અપેક્ષિત ભવિષ્ય તરફ સફર આગળ વધવાનું થતું રહે તેમ તેમ જે તક ઉભરતી રહી શકે છે તેને ખોળતાં રહેવાનું કરતાં રહે છે.” 

માર્ગ શીખવા મળતા પાઠ: વ્યયને હેતુપૂર્વક દૂર કરો \ Lessons from the Road: Eliminate Waste with Purpose - જૅમી ફ્લીનચબાઉ\Jamie Flinchbaugh 

"વધારે કરો" એ 'લીન'\leanનું હાર્દ છે: જેમ કે, ગ્રાહકનમાટે વધારે મૂલ્ય, એ વધારે મૂલ્ય પહોંચાડવા માટે વધારે શક્તિ અને સંસ્થામાં વધારે સામર્થ્ય. અહીં વાત માત્ર ઓછી ચરબીની નથી, પણ વધારે તકાતની છે. 

પોતાની નિયતિનું ઘડતર પોતાનાં નિયંત્રણમાં રાખી શકે તેવી સંસ્થાનું નિર્માણ એ રીતે જ થઇ શકે. .... 

'લીન'\leanનાં મૂળમાં વ્યયને દૂર કરવાનું જ નથી, પણ તે ખરેખર બહુ જ અસરકારક જરૂર પરવડી શકે. બસ, ધ્યાન એ રાખાવાનું છે કે વ્યયને દૂર કરવા માટે કોઇ ચોક્કસ ઉદ્દેશ્ય હોવો જરૂરી છે.” 

કામના ન હોય તેવા વિચારોને શા માટે નિષ્ફળ થવા દેવા જોઇએ \ Why You Should Let Bad Ideas Fail

જો તમે તણાવભરી સ્થિતિમાં મુકાઈ ગયાં હો અને પોતે ન ખોદેલા ખાડામાં ફસાઇ ગયાં હો, અને તમને આવા સવલ મુંઝવતા હોય, તો બે ઘડી થંભી જઇને પોતાની જાતને આ સવાલો પૂછોઃ 

• મારૂં જીવન જે દિશામાં જઇ રહ્યું છે તેનાથી હું ખુશ છું
• અત્યારે જે કરૂં છું તે જ કરતા રહેવાથી કયાં પહોંચાશે
• શું મારી જીવનશૈલી ટકાવી રાખી શકાય તેમ છે
• અત્યારની જ ઢબ ચાલુ રાખાવાથી મારાં જીવનમાં સુધાર આવી શકે તેમ છે 

જો તમને તમારા જવાબોથી (સાચા અર્થમાં) સંતોષ થાય, તો માનવું કે ગાડી પાટા પર છે. પણ જો જવાબ ગળે ન ઉતરે, તો જીવનમાં શું ફેરફાર કરવાથી ગાડી પાટે ચડી શકે તે વિચારવાનો સમય પાકી ગયો છે.” 

પ્રગતિ માટે સુદર (પાગલ) વિચારોની જરૂર છે \Progress Needs Beautiful (Absurd) Ideas - મૅક્ષ મૅક્‍ક્યૉન \ Max McKeown 

“કોઇ પણ સંભવિત સુંદર વિચાર લોકપ્રિય ન પણ હોઇ શકે અને તેને ગંદા, કોઇ મુદ્દા વિનાના, અમલ ન થઇ શકે એવા કે અવાસ્તવિક કે સાવ ગાંડીયા વિચાર તરીકે પણ જોવામાં આવે તેવું પણ બને. ઐનસ્ટાઇઅને તેના એક સાથીને કહ્યું હતું કે જ્યાં સુધી કોઇ વિચારમાં વિચિત્રતા ન હોય, ત્યાં સુધી તેમાંથી કંઇ નીપજશે તેવી આશા રાખવી નકામું છે. એવા જ પ્રતિભાશાળી, એવા ડેન્માર્કના ભૌતિકશાસ્ત્રી, નીલ બૉહ્‍રનું પણ કહેવું છે કે ઘણા વિચારો સાચા ઠરવામાટે પૂરતા તરંગી નથી હોતા. 

                                  -- સારી સ્થિતિમાં હોય કે, જે ગમે ત્યારે પડી ભાંગશે એટલી હદ સુધીચિંતાજનક હોય, તેવી કોઇ પણ પરિસ્થિતિમાં સુધારો કરવા માટે દેખીતું હોય તેનાથી ઉપરવટ જઇ શકે તેવી કલ્પનાશક્તિ જોઇએ -- 

પ્રગતિ માટે દેખીતા પ્રશ્નોના અસાધારણ જવાબો જરૂરી છે, અને તેથી, અસ્વિકાર્ય ડહાપણના વિચારોનો વિરોધ કરવાને બદલે, કે તેના વિશે ગેરસમજ કરવા બદલે, કે તેમને અવગણવાને બદલે, આપણાં પૈકી ડાહ્યા લોકો તેને સ્વિકારશે, અથવા કમ સે કમ, તે વિશે વિચારશે તો ખરાં, જેથી કરીને સહુ સાથે મળીને એક સુંદર ભવિષ્યની રચના કરી શકીએ.” 

કામગીરી - સદા ચર્ચામાં અને વિવાદમાં રહેતો વિષય 

કર્મચારીની કામગીરી અને તેની સરખામણીમાં તેની ક્ષમતાઓનું મૂલ્યાંકન \Assessing Employee Performance vs. Potential - બૅથ મિલર\ Beth Miller 

“એક અગ્રણી હોવાને નાતે આપણી ફરજ છે કે આપણે આપણી ટીમની કામગીરી પર અસર પાડી શકીએ. જો આપણી ટીમ ઉચ્ચ કક્ષાની કામગીરી ન કરતી રહેતી ટીમ હોય, તો તેમની કામગીરી સુધારવા કોઇ પ્રકારનાં આક્રર્ષણો વિચારી શકાય. પણ ટીમનાં કોઇ એક ખાસ સભ્યની ક્ષમતા પર અસર પાડવી આસાન નથી. ટીમના વડા તરીકે આપણી એ ફરજ જરૂર છે કે આપણે ટીમનાં સભ્યને તેમની ક્ષમતાને સિધ્ધ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપીએ. 

એક વાર માર્ગદર્શન આપી દીધા પછી તેઓ તેમની ક્ષમતા અને તકોને સિધ્ધ કરી શકે એ વિશે શું કરી શકાય? 

 (આ લેખમાં લેખકે ચર્ચેલ) ૯ ખંડકીય આધારક\ 9 Box Matrix ટીમનાં સભ્યની પહોંચ માં રહે તેવી વ્યવસ્થા કરી રાખીએ.
 જરૂરથી વધારે અસર પાડવાનું ટાળીએ
 આપણે કલ્પેલ તેમની ક્ષમતા નહીં પણ, તેમને સ્વિકૃત છે તેવી પોતાની ક્ષમતાને, તેઓએ સિધ્ધ કરવાની છે. 

કામગીરી અને ક્ષમતા આધારકનો શક્ય તેટલો ઉપયોગ જરૂર કરીએ, પણ સાથે સાથે એ પણ સમજી લઈએ દરેક વ્યક્તિ તેની ક્ષમતાને અલગ અલગ રીતે સિધ્ધ કરી શકે છે. હું તો એવું હંમેશાં એવું ઇચ્છું કે કે કોઇ મારા જેવું જ બીજું કોઇ બનવાને બદલે, પહેલાં પોતાની મહત્તાને આંબે.” 

શું આધારકો ગેરમાર્ગે દોરવાયેલ છે? \Are Metrics Misguided?- ઇવા \Eva 

“એવું કહે છે કે જેની માપણી ન કરો, તેનું સંભાળીને સંચાલન પણ ન કરી શકો. 

પણ એ માપ જ સફળતાનું એક માત્ર નિર્ધારક છે એમ માની બેસવું તેનાથી પણ વધારે જોખમકારક છે.” 

શું મુખ્ય જવાબદારી ક્ષેત્રો\KRA અને કામગીરીનો બદલો ગુણવત્તાને મદદ કરી શકે છે?\ Do KRA’s and Rewards Help in Quality? 

ગુણવતાનાં ત્રણ અંગ \Three C’s of quality છે - પસંદગી \choice, સહયોગ \collaboration અને વસ્તુ \content. 

પસંદગી \Choice એટલે કર્મચારીઓને તેમનાં કામ અંગેના નિર્ણયો લેવામાં ભાગ લેવા મળવો.
સહયોગ \ Collaboration એટલે તેઓ અસરકારક ટીમમાં સાથે રહીને કામ કરી શકતાં રહે.
વસ્તુ \ Content એટલે તેમનાં કાર્યક્ષેત્રનાં કામ.સારૂં કામ કરવા માટે, લોકોને સારું કામ કરવા પણ મળવું જોઇએ. 

નવીનીકરણ\ INNOVATION 

નવીનીકરણ ક્યારે (ખરા અર્થમાં) ‘નવીનીકરણ’ પરવડે? \ When is an Innovation an Innovation? 

[સંપાદકની નોંધઃ આ પૉસ્ટ- "નવીનીકરણને ઉદ્દેશ્ય હોવો જોઇએ?"- શ્રેણીનો ભાગ છે. જે માટે અહીં ક્લિક કરો.] 

“ગ્રેગ સૅટલ અને હું ચર્ચા કરી રહ્યા છીએ કે, શું નવીનીકરણને ઉદ્દેશ્ય હોવો જોઇએ? અમે ઘણી બાબતોએ સહમત છીએ,પણ બે બાબતે અમરા વચ્ચે અલગ વિચાર જોઇ શકાય છે. મારૂં કહેવું છે કે એક સંસ્થાની અંતર્ગત તો નવીનીકરણ ને ઉદ્દેશ્ય બહુ જરૂરી છે.
એ સાચું નથી કે જો કોઇ નવું ઉત્પાદન અસ્તિત્વમાં ન આવે તો નવીનીકરણ નથી થયું,પણ નવીનીકરણના પ્રયાસોનાં પરિણામે કોઇ વળતર તો મળવું જોઇએ એટલું તો ખરૂં. 

આમ કરી શકવું હોય તો નવીનીકરણની બધી જ પ્રવૃત્તિઓ પરના પ્રયાસોને ૭૦/૨૦/૧૦ના ભાગે વહેંચી નાખવા જોઇએ. ૭૦% પ્રયાસો આપણા વ્યવસાયના હાર્દને ક્રમિક નવીનીકરણવડે સુધારે, જેથી કરીને હાલના વેપાર વ્યવસાયમાં ટકી રહેવાય; ૨૦% પ્રયાસો હાલનાં બજારસાથે સંલગ્ન સંભવિત બજારોના વિકાસમાટે થવા જોઇએ. અને, બાકીના ૧૦% એવા હવાઈ વિચારોને સમર્પિત કરવા જોઇએ, જેનાં દુનિયાને બદલી નાખેતેવાં શક્ય પરિણામો આપણે આજે જોઇ નથી શકતાં.” 

ગુણવતા - મૂળ મુદ્દા\ CORE “QUALITY” ISSUES 

વ્યવસાય પ્રક્રિયા સંચાલન શું છે?\ What is Business Process Management?– 

શા માટે વ્યવસાય પ્રક્રિયા સંચાલન આટલું અઘરૂં છે? જરૂર છે કેટલાક ભવિષ્યદર્શી દિશાસૂચકો, જેમ કે નવા ગ્રાહકો બનવું, પુનરાવર્તી વેપાર(જે જીવનપર્યંત ગાહક મૂલ્ય આપે છે) અથવા તો વેચાણ-સોદા અંકે કરવાનો આવર્તી સમય. 

અને આ વિષયને લગતો લેખ - વ્યવસાય પ્રક્રિયા સંચાલન માટેનો પ્રક્રિયા અભિગમ \Process Approach to Business Process Management 

SIPOC + PDCAને સાથે જોડીને ચલાવવાથી, વ્યાવસાયિક પ્રક્રિયાઓ (અસરકારક રીતે) સંચાલિત થઇ રહી છે તે જાણવા માટે જરૂરી બધાં ધટક યાદ કરાવાતાં કરી શકાય છે. વ્યવસાય પ્રક્રિયા સંચાલન માટેનો પ્રક્રિયા અભિગમ એટલે PDCA અને SIPOCની મદદથી જેમનું સ્પષ્ટ નિરૂપણ થયું છે, જેની કામગીરીનું મૂલ્યાકંન અને નિયંત્રણથઇ રહ્યું છે, એવી નિયંત્રીત પ્રક્રિયાઓ બનાવવી. અને એ છે વાસતવિક સ્તરે અમલ થયેલ વ્યવસાય પ્રક્રિયા સંચાલન

અસ્થિર પ્રક્રિયા પ્રવાહનાં બાહ્ય ચિહ્નો\Outward Signs of Unstable Process Flow - લૉની વિલ્સન \Lonnie Wilson 

જે કોઇ સંસ્થાઓ લીન સંચાલન વ્યવસ્થા અમલ કરવમાં અસફળ થતી જોવા મળે છે , તે સંસ્થાઓમાં નબળી ગુણવતા તંત્ર વ્ય્વસ્થા જોવા મળતી હોય છે.ખાસ તો, તેઅહીં સ્થિર પ્રક્રિયા પ્રવાહ પ્રસ્થાપિત નથી થયેલ જોવા મળતા. 

અને તેનો સંલગ્ન લેખ – ‘સતત સુધારણા - એટલે માત્ર પ્રવાહ’ \ Continuous Improvement -- It's All About Flow - રાલ્ફ કૅલર\Ralph Keller 

નકદ-થી-નકદ ઘટના ચક્રને ઘટાડતાં રહેવા માટે માહિતિ અને માલ, બન્નેનો, પ્રવાહ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. 

અન્ય બ્લોગોત્સવને માણીએ 

The Knowledge Center - @ Quality Quotesદ્વારા પીરસાતાં ગુણવતા વિશેની જ્ઞાન-વર્ધક કણીકાઓ દરરોજ માણો 

અને અંતમાં

દૂરંદેશી એટલે સામાન્ય રીતે જે નજરે નથી પડતું તે જોઇ શકવાની કળા - જૉનાથન સ્વિફ્ટ 

આ બ્લોગૉત્સવને વધારે રસપ્રદ અને જ્ઞાનવર્ધક બનાવવામાટેનાં આપનાં સૂચનો આવકાર્ય છે.