Showing posts with label My personal views. Show all posts
Showing posts with label My personal views. Show all posts

Thursday, September 24, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - પુરુષ સૉલો ગીતો : મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો

 ૧૯૪૫નાં પુરુષ સૉલો ગીતોમાં સુવર્ણ યુગના ત્રણ ગાયકોનાં અને વિન્ટેજ એરાના દસ ગાયકોનાં એકેક ગીતો જ છે. આ ગીતોમાંથી પહેલાં સાંભળેલ હોય એવું એક જ ગીત જગમોહનનું ઓ વર્ષા કે પહલે બાદલ (મેઘદૂત સંગીતકારz: કમલ દાસગુપ્તા) છે. સુવર્ણ યુગનાં ગાયકોમાંથી એકથી વધારે ગીતો જેમના સ્વરમં છે એવા મોહમ્મદ રફીનું અયે દિલ-એ-નાકામ તમન્ના, અબ જીને કી તમન્ના છોડ દે (હમારા સંસાર – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ) અને મુકેશનું દિલ જલતા હૈ તો જલને દે (પહલી નજ઼ર સંગીતકાર: અનિલ બિશ્વાસ) ખુબ જ જાણીતં રહેલાં ગીતો છે. તે જ રીતે કે એલ સાયગલનું જનમ જનમકા દુખિયા પ્રાણી (કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ) પણ ખુબ પ્રખ્યાત થયેલાં ગીતોમાંનું છે. એટલે આ ગીતોને અહીં પસંદગી કરવાની યાદીમાંથી બાજુએ કરીને બાકીનાં લગભગ પ્રથમ વાર જ સાંભળેલાં ગીતોમાંથી ૧૯૪૫નાં વર્ષનાં પુરુષ સૉલો ગીતોમાં મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો અહીં રજૂ કર્યાં છે.

મોહમ્મદ રફી - બહુત મુખ્તસર હૈ હમારી કહાની - શરબતી આંખેં – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: તન્વીર નક઼્વી

વિન્ટેજ એરાની ગાયન શૈલીમાં ગવાયું હોય એવું મોહમ્મદ રફીનું વીરલ ગીત, જેમાં મોહ્હમ્મદ રફીની ગાયન શૈલી ઊભરતી જોઈ શકાય છે.

મુકેશ - હસીનો કો હસીનો સે મોહબ્બત હો હી જાતી હૈ - મૂર્તિ - ગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર

વિન્ટેજ એરાની ગાયકી અસર હેઠળનું ગીત હોવા છતાં મુકેશના આગવા સ્વરની ઓળખને  આ ગીત છતી કરે છે.

અશોક કુમાર - આંખેં તો હુઈ બંદ, મગર દર્દ જગા રે – બેગમ - સંગીતકાર એચ પી દાસ - ગીતકાર જી એસ નેપાલી

અશોક કુમારનં એ સમયનાં ગીતો જે કંઈ સાંળ્યાં છે તેના કરતાં કંઈક નવી કેડી પરનું આ ગીત લાગે છે.

જી એમ દુર્રાની - ફલક કે ચાંદ કા હમને જવાબ દેખ લિયા – એક દિન કા સુલ્તાન - સંગીતકાર શાંતિ કુમાર - ગીતકાર વલી સાહબ

વિન્ટેજ એરાનું હોવા છતાં સુવર્ણ યુગનાં રોમાંસનાં ગીતો જેવી ગીતની બાંધણી છે.

સુંદર - મુદ્દત કે બાદ આયે હો, કહાં કૈસે મિઝાજ઼ હૈ - ઝિદ્દ - સંગીતકાર જી એ ચિશ્તી - ગીતકાર શાંતિ સ્વરૂપ માથુર

વિન્ટેજ એરાની સંગીત શૈલીનું ગીત-સંગીત હોવા છતાં ગીતનો હળવા મિજાજ અને એટલી જ હળવી ગીત બાંધણી ગીતને કર્ણપ્રિય બનાવી રહે છે.

કે એલ સાયગલ - આયી હો તૂ તો કૈસે દિલ અપના દીખાઉં - કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ – ગીતકાર: જ઼મિલ મજ઼્હરી

કે એલ સાયગલની ગાયન શૈલીની પૂરી છાપ ધરાવતું આ ગીત તેની બાંધણી અને રજૂઆતમાં કંઈ નવી ભાત પાડે છે.

મને સૌથી વધારે પસંદ પડેલ ગીત, બેશક, હસીનો કો હસીનો સે મોહબ્બત હો હી જાતી હૈ,  જ છે.

સોંગ્સ ઑફ યોરની ૧૯૪૫નાં પુરુષ સૉલો ગીતોની સમીક્ષામાં દિલ જલતા હૈ તો જલને દે (મુકેશ  - પહલી નજ઼ર - સંગીતકાર અનિલ બિશ્વાસ)  ને શ્રેષ્ઠ ગીત તરીકે પસંદ કરાયું છે.

હવે પછી, ૧૯૪૫નાં વર્ષનાં સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે લઈશું.

ચર્ચાની એરણે - ૧૯૪૫નાં ગીતો - પુરુષ સૉલો ગીતો ને એક જ ફાઈલ્માં વાંચવા / ડાઉનલોડ કરવા માટે અહીં સંકલિત કરેલ છે.

Monday, February 27, 2012

કચ્છડો - ૧૨એ માસ કે ૨૨એ વિમાસ


શ્રી જગ સુરૈયા શ્લેષના ચબારકીયા પ્રયોગની મદદથી તેમના મુદ્દાની સરકારક રજૂઆત કરવામાં માહેર ગણાય છે.
૨૩ જાન્યુઆરી,૨૦૧૨ના ToIની તેમની કૉલમ JUGULARVEIN  [આ તેમનો પહેલો શ્લેષ  punch!]માં તેમણે ફરી એક્વાર તેમની શ્લેષ કળાનો સ-રસ પ્રયોગ કર્યો છે.તેમનો Kutch-22 લેખ કચ્છીયતની સાંપ્રત,ગંભીર કશ્મકશને હળવી શૈલિમાં રજૂ કરે છે.
લેખનું શિર્ષક એ માત્ર Catch 22ના શ્લેષનો શાબ્દીક પ્રયોગ જ નથી. ઉલમાંથી નીકળવા જાઓ તો ચૂલમાં ફસાઓ જ તેવાં બંધનોમાં ફસામણી માટે Catch 22 શબ્દપ્રયોગ બહુ પ્રચલીત છે. ક્ચ્છીઓની ભયમાં આવી પડેલી કચ્છી તરીકેની આગવી ઓળખાણની આવી જ Catch 22 સમાજિક મનોસ્થિતિની વાત શ્રી સુરૈયાએ તેમની માર્મીક શૈલિમાં કહી છે.

શ્રી સુરૈયાની સમસ્યાને સમજવા માટે પહેલાં આપણે Catch-22 ને સમજી લઇએ. સમસ્યામાંથી છુટકારો મેળવવા જતાં તે સમસ્યામાં વધારે ફસાઇ જવાય તે પરિસ્થિતિમાટે હવે આ શબદપ્રયોગ બહુ પ્રચલીત બની ગયો છે. જૉસૅફ હૅલરની ૧૯૫૩માં લખાયેલી અને ૧૯૬૧માં પ્રકાશીત થયેલ નવલકથાનું આ શિર્ષક છે. કથામાં Catch [છટકું] એ છે કે અતિ ખતરનાક બૉમ્બીંગ મીશનમાંથી છુટકારો મેળવવામાટે અયોગ્ય ઘોષીત થવા માટે માનસીક યોગ્યતા કસોટી કરાવડાવવાની અરજી કરવી પડે. આ અરજી જ આમ તેના ડાહ્યા હોવાનો પુરાવો પાડે. આમ પાગલ જાહેર થવા માટેની તમારી અરજી જો તમારા ડાહ્યા હોવાનું પ્રમાણ બની જાય તો બધા'પાગલ' 'ડાહ્યા' જ હોય ને! અને એ ભયથી જો તે અરજી જ કરે તો તે ડાહ્યો તો રહ્યો જ, એટલે તેનું બોમ્બમારાનાં મિશનમાં જવું પણ નક્કી જ.એટલે કોઇ પણ પાયલટ ખરેખર પાગલ હોય તો પણ તે માટેની અરજી કરતાંની સાથે જ 'ડાહ્યો' ગણાઇ જાય. આમ Catch-22ને કારણે ખરો પાગલ પાયલટ પણ ઘરે બેસી ન શકે!

જો કે છટકાનાં સાખ્યીક ક્રમ - ૨૨ - માટે કોઇ ખાસ કારણ નથી. સહુ પહેલાં તો કથાનું પહેલું પ્રકરણ Catch-18  ના નામથી પ્રસિધ્ધ પણ થઇ ચૂક્યું હતુંપરંતુ, પુસ્તકનાં પ્રકાશનના થોડા સમય પહેલાં જ Mila 18  નામે એક નવલકથા પ્રકાશીત  થ ઇ ચુકી હતી એટલે સારો પ્રાસ બેસતો હોવાથી ૨૨ના આંકડાની પસંદગી કરવામાં આવી હતી.
૧૯૭૦માં માઇક નીકૉલસના નીર્દેશનમાં Catch -22 ના નામ થી જ તેનું ફીલ્માંકન પણ થયું છે.
તો, હવે આપણે એક તરફ ખાઇ તો બીજી તરફ ખીણ જેવી  સ્થિતિને કચ્છ અને કચ્છીયતની સાથે શું લાગે વળગે છે તે તરફ કદમ ઉઠાવીએ?

નૈસ્રર્ગીક રીતે જે ૪૫,૬૫૨ ચો.કી.મીંમાં ફેલાયેલ દેશનો સહુથી મોટો જીલ્લો હોવા ઉપરાંત આ પ્રદેશ બહુ બધી રીતે આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. એક વિશિષ્ઠ પ્રકારનું રણ, દર ૫૦ /૬૦ વર્ષે મોટા ધરતીકંપ, અને અત્યાર સુધી વણખેડાયેલ રહેલ ખનીજ સંપત્તિ, ખુબ જ લાંબો દરીયાકિનારો હોવા છતાં વ્યાપારીક કુનેહમાં મહાકુશળ એવા કચ્છીઓ વિશ્વમાં ચારેકોર ફેલાઇ જવાની હિંમત સદીઓથી કરતા રહ્યા પણ પોતાના ઘરના  વિકાસ માટે અકળરીતે ઓછો રસ ધરાવતા દેખાયા છે. '૬૦ના દશકાના મધ્ય ભાગથી કંડલા બંદરના વિકાસને પરિણામે કચ્છનું ગાંધીધામ મહદ અંશે ઉત્તર ભારત સાથે માત્ર વ્યાપારીક જ નહીં પણ ગાંધીધામને ઘર બનાવીને ઉત્તર ભારતીયોનાં સ્થાઇકરણને કારણે સાંસ્કૃતિક રીતે પણ જોડાતું ગયું.

અખંડ ભારતના ભાગલા સમયે કચ્છનો એક ભાગ નવાં જન્મી રહેલ પાકીસ્તાનમાં ભેળવાઇ ગયો તો આઝાદી પછી મુંબ ઇ રાજ્યનાં ભાષાવાર વિભાજન સમયે તે ગુજરાતમાં ભેળવી દેવાયું. આમ આઝાદી પહેલાં હંમેશ એક અલગ રાજ્યની પ્રજા તરીકે જીવવા ટેવાયેલ પ્રજાને એક તરફ તેમની આગવી ઓળખાણના ક્ષયની ફીકર હતી તો બીજી તરફ આર્થિક અને ભૌતિક વિકાસમાટેનાં ઓરમાયાં વર્તનનો અસંતોષ હતો. કચ્છની Catch-22 નવલકથાનું આ પહેલું પ્રકરણ કહી શકાય.

જો કે ૨૦૦૧ના મહાધરતીકંપ બાદ પરિસ્થિતિ એ એક નવો જ વળાંક લીધેલો જણાય છે. જાનમાલની પારાવાર ખુમારીની સીધી જ અસર ઉપરાંત કચ્છનાં આંતરીક ભૌતિક અને બહારના વિશ્વ સાથેના ભૌતિક તેમજ સાંસ્કૃતિક સમીકરણોમાં આમુલ પરિવર્તન થઇ ગયાં છે. ધરતીકંપને પરિણામે કચ્છનાં ઘણાં શહેરો અને ગામોને ઘણે મોટે પાયે ભૌતિક નુકસાન થયું હતું. ભુજ, અંજાર, ભચાઉ જેવાં શહેરો તો એટલી હદે ભાંગી ચુક્યાં હતાં કે તેમની લગભગ નવી કાયાપલટ જ થઇ ગઇ છે.સામખીયાળી - ભચાઉ - ગાંધીધામ -અંજાર - મુંદ્રાનો પટ્ટો તો ગુજરાતના અમદાવાદ-વડોદરા-સુરત-વાપીના 'સોનેરી પરસાળ'ની જોરદાર હરીફાઇ કરતો ઔદ્યોગિક વિસ્તાર બની ગયો છે. નળીયા - અબડાસા વિસ્તાર ભારતનું સીમેન્ટ કેન્દ્ર બની રહેવાને ઉંબરે આવી રહ્યો છે. ૪૦૦૦ હજાર મેગાવૉટ્ના બે અતિમહાકાય વીજળી મથકો અને લગબહગ ૨૫૦૦ મેગાવૉટ વીજળી પેદા થઇ શકે તેવી અને તેટલી પવનચક્કીઓથકી ગુજરાત આવનારાં કેટલાંય વર્ષો સુધી વીજળીની પુરાંત ધરાવતું રાજ્ય બની રહેશે.

આને પરિણામે એક તરફ ઉત્તર ભારત સાથે દ્વી-માર્ગીય રેલ લાઇન અને  ૬-માર્ગીય આધુનિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તો બીજી તરફ ગુજરાત અને દેશના અન્ય ભાગો સાથે જોડતો રેલ, રૉડ અને વિમાન વ્યવહાર તો અસ્તિત્વમાં આવી ગયો છે, જે અમારા જેવા કંડલા-નવલખી લૉંચની કડીથી મુસાફરી કરનરી પેઢીમાટે તો પોતના જ જીવનકાળ દરમ્યાન સાચાં પડેલાં એક સ્વપનાં જેવું લાગે છે.
એક જમાનામાં જે પ્રદેશની પ્રજા નિકાસ થતી હતી તે પ્રદેશ આજે બધી જ પ્રજાની આયાતમાટેનું આકર્ષણ બની ગયેલ છે.અને તેમ છતાં એ જ કચ્છનાં માંડવી / મુંદ્રા જેવાં શહેરોમાં આજે કેટલાંય ઘરો વર્ષોનાં તાળાં લાગેલાં જોવા મળે છે તો કેટલાંય ગામોમાં આંગળિના વેઢે ગણી શકાય તેવી વસ્તીની હાજરીની ઝાખપ જોવા મળે છે. 'વિકાસ'નું આ અસંતુલન, હાલના પ્રજા જીવનને પણ અસંતુલીત કરતું જણાય છે. કચ્છની Catch-22  કથાનો આ બીજો તબક્કો છે.

'૬૦ના દાયકામાં આવી ને ગાંધીધામમાં વસેલા 'પરપ્રાંતિયો'ની આજે જેમ ત્રીજી અને ચોથી પેઢી કચ્છને પોતાનું વતન બનાવી ચૂકી છે. તે જ રીતે આ દશકામાં નવા ઉદ્યોગોને કારણે આવીને અહીં સ્થિર થઇ રહેલ એક બહોળી વસ્તી પણ કચ્છના આ વિસ્તારનાં પ્રજાજીવનને કાયમમાટે પચરંગી કરી નાખશે. અને આ વલોણાંમાં કચ્છ્ની બહાર વસી ગયેલા કચ્છીની કચ્છીયતને ભેળવો તો જે નવરંગ સંયોજન પ્રસ્રરતું જશે તેને આપણે કચ્છની  Catch-22 નું ત્રીજું પ્રકરણ ગણીશું.

આમ પરંપરાગત  કચ્છમાંથી જ ઉદભવતી કચ્છીયત, '૬૦માં ગુજરાતના મહત્વના સીમાંત જીલ્લા તરીકેની ઓળખથી મહા-ભુકંપ,૨૦૦૧ ને કારણે વીજાણુ માધ્યમો ને કારણે સમગ્ર વિશ્વમાં ઓળખા સુધીની કચ્છીયત અને હવે ૨૦૦૩ પછીનાં સાંપ્રત ઔદ્યોગીક કચ્છ તેમ જ હવે પછીના એક કે બે દાયકનાં ભાવિ કચ્છની કચ્છીયતનો ભાતીગળ સંયોજીત રંગપટ જેવા ચોરાહા  પર કચ્છની રસમય ગાથા આ સમયે આવીને ઉભેલી દેખાય છે.

આ છે કચ્છીયત-૨૨ની ઐતિહાસીક નિર્ણાયત્મક ઘડી! કચ્છીયતે ભૂતકાળની ભવ્યતા(!)માં રાચવું છે કે ભવિષ્યમાં તેની હજૂ વધારે આગવી,[પરાણે પણ]માન અને પ્રેમ આપવાલાયક પહેચાન ઉભી કરવી છે તે કચ્છીયતની વર્તમાન વિચારધારાની ગતિશીલતા પર આધારીત છે.


n  ૨૩ જાન્યુઆરી,૨૦૧૨ ના ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના બ્લૉગ પર પ્રસિધ્ધ થયેલ શ્રી જગ સુરૈયાના મૂળ લેખ  Kutch -22  પર નો પ્રતિભાવ

Wednesday, December 28, 2011

ઉત્પાદન આવરદા ચક્રના સંદર્ભમાં -- "કેવી હતી આપણી ગઇકાલ?" [‘ચિત્રલેખા’, ૨-૧-૨૦૧૨] - બિમલ મહેશ્વરી


તારીખ ૨-૧-૨૦૧૨ના હિસાબે પ્રસિધ્ધ થયેલ 'ચિત્રલેખા'ના અંકમાં શ્રી બિમલ મહેશ્વરીનો "કેવી હતી આપણી ગઇકાલ" લેખ વાંચતાં પેદા થયેલ વિચાર વમળમાં મૉપૅડ અને ઇન્ડીપૅન યાદ આવી ગયાં. આ પ્રતિભાવાત્મક લેખ તેમની યાદમાં લખ્યો છે.
વેચાણ સંચાલન [Marketing Management]ના એક આદ્યગુરૂ ફીલીપ કૉટલર વ્યવસાયનાં કે ઉત્પાદન /સેવાનાં વેચાણનાં અસરકારક સંચાલનમાટે ઉત્પાદન આવરદા ચક્ર [Product Life cycle]ની સમજણપર બહુ જ ભાર આપે છે. આ વિભાવનાની મદદથી ઉત્પાદન /સેવાની આવરદાની તંદુરસ્તી માટે આવરદાના અલગ અલગ તબક્કામાટે યોગ્ય કસરતો, 'આહાર-વિહાર' તેમ જ પથ્યાપથ્યના પ્રયોગ અને ઉપયોગથી ઉત્પાદન / સેવાને હરહંમેશ ગ્રાહકભોગ્ય રાખી શકવામાં મદદ મળે છે.
તેમ છતાં અહીં પણ 'બાળમરણ' કે 'લીલી વાડી મૂકી ગયા', 'ભરયુવાનીમાં ફાટી પડ્યો' જેવી ઘટનાઓ પણ મનુષ્ય જીવનની જેમ જ બનતી રહે છે.
 જો પ્રાવૈધાનિક વિજ્ઞાનની પ્રગતિ [Technological advancements] ઉત્પાદનની આવરદાને થતું કેન્સર છે તો ગ્રાહકની બદલતી પસંદ/નાપસંદ આવરદાને થતું ગ્રહણ કહી શકાય. તે જ રીતે ઉત્પાદન કે સેવાના ઉપયોગ કરવાની રીત પણ ઉત્પાદનની આવરદાની તબિયતને અસર કરે છે.
દૂરસંદેશ વ્યવહારનાં સાધન તરીકે મોબાઇલ [સેલ્યુલર (સેલ)] ફૉન એ ખુદ જ પ્રાવૈધાનિક પ્રગતિનું પ્રતિક છે, જેણે વિશ્વનાં ભૌતિક અંતરને ઘટાડી નાખવામાં 'પાસા-પલટી નાખનાર' [Game-changer] પરિબળ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ તો અંકે કરી જ લીધું છે. એક સાધન તરીકે તે હાથ કે કોઇપણ ઘડીયાળનાં અસ્તિત્વામાટે ભયની ઘંટડી છે તો વૈભવ કે પ્રતીષ્ઠાનું કે પછી વય જૂથનું એક પ્રતિક પણ બની જ ગયું છે. તેમાં વપરાતી પ્રૌદ્યોગિકીય પ્રક્રિયામાં ઉપગ્રહ દ્વારા તરંગોનાં વહનની ગૃહસ્થી ઑપ્ટીકલ ફાઇબરના કૅબલ્સ[OFC] અને રૅડીયો-તરંગો [RF waves]ના ઉપયોગની પ્રક્રિયાએ ઉપપત્નીની જેમ પચાવી પાડી.
તો એક અજ કુટુંબમાં [હીરો સાયકલ્સ અને ઍટલસ સાયક્લ્સનાં ઉત્પાદન-ગૃહો] મૉપૅડનો જન્મ થતાં જ મોટી બહેન (બાઈ)સાયકલના 'ભાવ ગગડી' ગગડી જવાનું શરૂ થઇ ગયું હતું. દૂધનાં મોટાં કૅન [બોઘરણાં]ની હેરફેર કરવા કે સ-પત્ની સહેલ કરવા જેવા સાઇકલના જન્મજાત ઉપ્યોગ પર મૉપૅદ શહેરોથી માંડી ગામડાંઓ સુધી છવાઇ ગયેલ.અમારા એક સંબંધી જામનગરમાં લગ્નમાં હાજરી આપવા રાજકોટથી 'લુના' પર નીકળ્યા તો હતા પણ રસ્તામાં પોતાની પૂરી તાકાત લગાડવા છતાં સામેથી આવતા પવનને કારણે તે સ્થિતપ્રજ્ઞ થઇ ગયેલ. આગળ જવાનો ભ્રમ થાય પણ જ્યારે પવન પડી જાય અત્યારે જ તે આગળ વધી શકતું. થોડું ચઢાણ આવે અને બે હટ્ટીકટ્ટી સવારીને વટથી હાંફતાં લઇ જતું 'સુવેગા' રસ્તામાં જ સુઇ ન જાય એટલે બન્ને જણાં નીચે ઉતરીને ખેંચી જતાં. આમ છતાં શ્રી ચામુંડી મૉપૅડ નામક કંપની  ૭૦ના દાયકાના અંતમાં કે ૮૦ના દાયકાની શરૂઆતમાં તેનું જાહેર ભરણું અનેક ગણું છલકાઇ જવા પછી પણ ઉત્પાદન શરૂ કરતાં પહેલાં જ બંધ થઇ ગઇ. કારણ! આ જ કુળનાં પિત્રાઇ ઉત્પાદન મૉટર સાઇકલમાં ૧૦૦ સીસીનું પદાર્પણ!

આ મૉટર સાઇકલ [એટલે Fill It, Shut It, Forget It વાળી હીરોહોન્ડા]ને કારણે તો જેની દહેજમાં માગવા સુધીની ઇજ્જત હતી તે ગીયરવાળાં સ્કુટર [એટલે કે 'વૅસ્પા' અથવા 'ચેતક']ના જન્મદાતા [બજાજ લિ.]એ રાતોરાત કાવાસાકી આશ્રમમાંથી કિશોરવસ્થામાં પહોંચી ગયેલ મૉડેલ્સને દત્તક લેવાં પડેલ. જો કે પાંચ છ ઉત્પાદકોની લીલી વાડીની કક્ષાએ પહોંચેલ સ્કુટરનો ગીયર વગરનાં સ્કુટર તરીકે બીજાં ઘરોમાં પુનર્જન્મ થયો છે. ફરક માત્ર એટલો પડ્યો કે પહેલાં જે કન્યાનાં લગ્નમાં દહેજ તરીકે મૂછાળો પુરૂષ તેનો સવાર ગણાતો તેને બદલે એ જ કન્યાનું તે ફૅશન કથન બની ગયું.

મૉપૅડના વિકાસને કારણે સાયકલને 'ક્ષય' લાગૂ પડી ગયો, એ તો ભલું થજો કસરતની સાયકલ કે રેસીંગ જેવી રમતગમતમાટેનાં બહુ-ગીયર્ડ સ્વરૂપ કે બાળકોનાં રમક્ડાં તરીકે રંગરંગીન સ્વરૂપ જેવી દવાઓનું કે જેને કારણે 'સાયકલ' ખોળિયું તો બચી ગયું પણ રૅલૅ [Releigh]  કે હર્ક્યુલસ જેવી બ્રાંડ અને તેના પ્રણેતા મદ્રાસ [હવે ચેન્નઇ]ની ટીઆઈ સાયકલ્સ નામ તો 'ભવ્ય' ભૂતકાળ થઇ ગયાં.

એક એવી પણ બ્રાંડ છે જે વસ્તુનું ઉત્પાદન તેના ઉત્પાદકે વર્ષો પહેલાં બંધ કરી દીધું છે, જે કંપનીનાં નામમાંથી કરારની શરતોને આધીન તેનાં નામોનિશાન ભુંસી નાખવાં પડ્યાં છે, જેનું વાસ્તવિક અસ્તિત્વ બહારનાં ઉપકરણોની મદદથી જીવંત દેખાતાં માનવ શરીર જેવું છે [કારણકે તેને એ રીતે આપણી આગવી જુગાડ કળા જ ચાલતું રાખી રહી છે]. આપણે વાત કરીએ છીએ ત્રિ-ચક્રી મીની-બસ 'ટેમ્પો'ની, જે આજે પણ ઉત્તર ભારતનાં કેટલાક ભાગમાં મસ્તીથી ટેમ્પો ટેક્ષીનું કામ કરે છે. માનવામાં ના આવતું હોય તો ઝી ટીવી પર આવતી સિરિયલ 'અફસર બિટિયા' આટલા સારૂ પણ જોશો.

આ બધી ચર્ચામાં યાતાયાતનું સહુથી પહેલું સાધન - ઘોડાગાડી- જે એકવીસમી સદીના બીજા દશકમાં કોઇ રડીખડી જૂના સમયપર આધારીત ફિલ્મ જોઇએ તો જ જોવા મળે તેની તવારીખ કોણ યાદ કરે.
આટલી જ રસપ્રદ અને વૈવિધ્યપૂર્ણ છે કલમ [પેન]ની જીવનસફર.

શાહીના ખડીયામાં થોડીથોડીવારે બોળીને લખી આપતી લેખણી કલમ  તરીકે ઓળખાઇ હતી. ઍટલે જ્યારે પેનમાં જ શ્યાહી ભરીને તેને ખડીયાથી સ્વતંત્રતા અપાવી ત્યારૅ તેને  Independent Pen[Indi Pen] કહી.પુરૂષના ડ્રેસ-કૉડમાં તે આભુષણ તો સ્ત્રીમાટે તે ફૅશન કથન પણ બની. મૉં બ્લાં [Mount Blanc], પીયર કાર્ડીન[Pierre Cardin] અને પાર્કર [Parker] કે ક્રૉસ [Cross]જેવી બ્રાંડ તો જેને ભેટમાં મળે તે પોતાને ધન્ય ગણે તે કક્ષાની બની રહી.

પરંતુ બૉલ-પેનનાં આગમનથી  Independent Pen[Indi Pen]નું અસ્તિત્વ સરકારી કે કાયદાકીય દસ્તાવેજપર કાળી શ્યાહીથી કે અમુક વર્ષોસુધી પરીક્ષામાં પ્રશ્નપૅપરના જવાબ જેટલું પરાણે રહી ગયું.જો કે શ્યાહી લીક થવાને કારણે હાથ બગડતા બંધ થઇ ગયા, હોળીને દિવસે શાળામાં મિત્રને પેન છટકોરીને 'રંગી' નાખવાનું બંધ થઇ ગયું.

શ્યાહીની ટેક્નૉલૉજીમાં થયેલ પ્રગતિએ જેલ-પેનના અવતરણ બાદ તો હવે Indi Penના દિવસો ભરાઇ ગયા.
આવીજ રસપ્રદ જીવનસફર છે અવાજ કે દ્રષ્યને મુદ્રિત કરી અને વિતરણમાં વપરાતી લાકહ કે પ્લાસ્ટીકની રેકર્ડ્સ કે ફિલ્મની રીલની છે.સીડી , પછી થી ડીવીડી અને બ્લુ-રૅ ડિસ્કને mp કે mpeg  જેવાં સ્વરૂપે ઇન્ટરનૅટ પર ચડાવવાનું કે તેનાપરથી ઉતારી લેવાનું એટલું સરળ કરી આપ્યું કે વચગાળામાં મૅગ્નૅટીક ટૅપ જેવું કોઇ માધ્યમ હતું તે દંતકથા લાગે.

Saturday, December 10, 2011

નવનીત સમર્પણ, ડીસેમ્બર,૨૦૧૧ ના અંકના ત્રણ લેખવિષે મારા વિચારો


નવનીત સમર્પણ [http://www.bhavans.info/periodical/samarpan.asp]નો હું પાંત્રીસ - ચાલીસ વર્ષથી હું [માત્ર] વાંચક અને [અદમ્ય] ચાહક રહ્યો છું.મને એવું યાદ નથી આવતું કે તેના કોઇપણ અંકમાંનું ઓછામાં ઓછાં એક ઘટક - લેખ કે કાવ્ય કે નવલિકા કે 'અને છેલ્લે'નો એકાદ ટૂચકો- પરનો પ્રતિભાવ કોઇ સાથે share ન કર્યો હોય.
ડીસેમ્બર,૨૦૧૧ ના અંકમાં પણ બધું જ વાંચવાની મજા તો પડી જ, પરંતુ તેમાંના ત્રણ લેખ આ પૉસ્ટમાટેનું પ્રેરકબળ બની રહ્યા.
શ્રી હસમુખ વ્યાસે "ડાયરો" ['શબ્દચર્ચા', પૃ. ૨૨] જમાવતાંવેંત જ આપણને સમજાવી દીધું કે પાંચ સાત ડાહ્યા લોકોના એકઠા થવાના મંચને 'ડાયરો' કહેવાય.મનમાં ને મનમાં આપણેપણ એ પાંચ સાતમાં છીએ તેવું માની લઇએ ત્યાં સુધીમાં તો લેખક સાફ શબ્દોમાં ચોખવટ કરી નાંખે છે કે ન તો આ અર્થઘટન કે ન તો આ વ્યુત્પતિ બરાબર છે. મૂળ "[અ.] દાયર  દાઇરહ  દાઇરાહ દાહિરાડાયરા ડાયરો [ગુ.]" સાચું ગણાય. જો કે 'ડાયરા' શબ્દની મારી સહુથી પહેલી ઓળખાણ તો બાળપણમાં શ્રીઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર'ના ગામના રાજવીઓને ત્યાં ભરાતા દરબાર તરીકેની છે. તે વખતે ચારણો પોતાનાં પદ્ય દુહાને સ્વરૂપે સંભળાવે, કસુંબાપાણી થાય અને રાજના સમાચારની આપલે થાય. એટલે એ દ્રષ્ટિએ તે એક વર્તુળાકારની બેઠક જરૂર હોય અને તેમાં ડહાપણ, સાંપ્રત સમાજ અને સાહિત્યને સ્થાન પણ રહેતું. તેથી આજના સૌરાષ્ટ્રના લોકસંગીત અને લોકકળાના જાહેર કાર્યક્રમોને 'ડાયરો' કહેવાયા તે પણ સમજ તો પડે. અચરજ માત્ર એ વાતનું રહ્યું કે મૂળ અરબી કુળનો શબ્દ માત્ર સૌરાષ્ટ્રની લોકકળાનાં એક પ્રકારનાં પ્રદર્શન સુધી કઇ રીતે પહોંચ્યો હશે?
તે ઉપરાંત હિન્દીમાં दायरेमें रहेना કે होना તેમ [અંગ્રેજી 'purview'ની સમકક્ષ (equivalent)] વપરાતો શબ્દ  दायरा આ શબ્દચર્ચાના દાયરામાં આવે કે નહીં? અને જો આ 'દાયરા' અને સૌરાષ્ટ્રનો 'ડાયરો'એક જ અરબ શબ્દની ઉપજ હોય તો તેમના ઉપયોગમાં આટલું અંતર કેમ હશે? લેખકે રજૂ કરેલ ત્રીજા ઉપયોગમાં આ કડી શોધીએ? તેમણે અરબીના 'દાઇ'નૉ એક અર્થ ધર્મ પ્રચારક [કે ઉદેશક] થાય છે તેમ જણાવીને તે સબબ એકઠા થતા સમુદાયને 'દાયરા' એમ સમૂહવાચક ઓળખાણ મળી તેવી વ્યુત્પતિ સમજાવી છે.
…                            …                                                              
શ્રી દિનકરભાઇ જોષીની જીવન પ્રત્યેની સંતુલિત આસક્તિ [કે અનાસક્તિ]ની લાગણીનો માર્મિક ધબકાર "જો આ હોય મારું અંતિમ પ્રવચન"માં [પૃ. ૩૯-૪૯]માં અનુભવી શકાય છે. યોગેશ્વરજીના દેહત્યાગની ઘડીનું તાદ્દશ્ય વર્ણન આપણને પણ જીવનની ક્ષણભંગુરતાની વાસ્તવિકતાની,તેમણે અનુભવી હશે તેટલી જ ઉત્કટતાથી,અનુભૂતિ કરાવી આપે છે. અને તેમ છતાં 'સંસારી' હોવું આવી શારિરીક મૃત્યુ કે મા-અપમાનના માનસિક મૃત્યુ જેવા અનુભવોને 'બધિર' ચેતાતંત્રથી સહન કરી જવા કે 'ક્યાંય ફોટો' ન થઇ જવાના 'સંન્યસ્ત' મર્મમય જીવી જાણવું તેવી શક્તિ કેળવવી તેવો સંદેશ પણ આપણને મળે છે.શ્રી મહેશભાઇ શાહે તેમને ૨-૧૦-૨૦૧૧ના રોજ યોજાયેલાં આ પ્રવચનના પરિચય દરમ્યાન શ્રી જોષીને 'દરેક પાત્રોનાં ઉંડાણ સુધી જઇને તેનો મર્મ' પારખી શકે તેવા 'કવિ'કેમ કહ્યા છે તે કેટલું યથાર્થ છે તે સમજી શકાય છે.
દરેક દુઃખનું ઓસડ દહાડા છે તે આદિકાળનુ કથન આપણે બધા જ જાણીએ છીએ અને તે રીતે [કોઇપણ] યાદ(memory)કે લાગણીની આવરદા ટુંકી હોય છે તે પણ સમજતા હોઇએ છીએ. તેમ છતાં તેમનો "માણસ અમરત્વના અભિશાપને શીદને શોધતો હશે" સવાલ આપણને યુધિષ્ઠીરને યક્ષે પૂછેલા પ્રશ્નની યાદ અપાવડાવે છે.
                                                                                        
ભારતીય કંઠ્ય શસ્ત્રીય સંગીતમાં અમીરખાં સાહેબ શા માટે મારી [લગબગ એક માત્ર] પસંદ રહ્યા છે તે પણ સમજી કે સમજાવી ન શકું તેટલું પણ મારું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી એમ સ્વિકારવામાં હું જરાપણ શરમાતો નથી, અને તેમ છતાં મારી શ્રવણેન્દ્રીય તેને સ-રસ સાભળી અને મગજનો સંલગ્ન ભાગ તેને સમજી અને માણી જરૂર શકે છે તેમ કહેવામાં હું ખોટું નથી કહી રહ્યો.
શ્રી સરોજ પોપટનો "પં. મહેન્દ્ર ટોકે" લેખ બીજા રસપ્રદ લેખોની જેમ જ વાંચી ગયો હોત, પરંતુ શરૂઆતમાં જ 'ઉસ્તાદ અમીરખાં'ના નામના વજનદાર ઉલ્લેખની સાથે સાથે તેમની 'અદ્વિતિય ગાયકીનો પ્રભાવ ... ફિલ્મ સંગીતમાં પણ.. પાથર્યો હતો' જેવી ટીપ્પણીના ખટકાને કારણે આખો લેખ જીણવટથી વાંચવાનું મન થયું. આગળ જતાં શ્રી મહેન્દ્રા ટોકેએ અમીરખાં સાહેબની ગાયકી પસંદ કરવા પાછળ આપેલ કારણ - "ઘરમાં ચોવીસે કલાક ઉસ્તાદ અમીરખાંની ગાયકી ગૂંજ્યા કરતી.એ ગાયકી એક પ્રકારની અધ્યાત્મ સાધના જેવી છે. તમે ક્યારે સ્વરસમાધિમાં સરકી પડો એનો તમને પોતાને પણ ખ્યાલ ન રહે" - એ હવે તે વ્યક્તિત્વમાં પણ રસ બની ચૂક્યો હતો.
એટલે પછીથી Googleપરની શોધ પરથી તેમની LinkedInની link [http://in.linkedin.com/pub/mahendra-toke/18/71a/388] જોવા મળી એટલે તેમના  પરની બે રાગ - ભટિયાર 










અને લલિત ની clip 





સાંભળી. 
મારાં સંગીતનાં મર્યાદીત જ્ઞાનને કારણે તેમની ગાયકી પર કંઇ ન કહેવામાં શાણપણ છે.
                                                                          
પૂર્ણતાના આગ્રહી એક વાચકે દિવાળી અંક વાચતાં પહેલાની પહેલી નજરે જ 'શરદ ઋતુના રાગો -રોગો'માં કેટલીક હકીકત ત્રુટિઓ ગણાવી દીધી છે. જેના જવાબમાં તંત્રીશ્રીએ આ બાબતે તેમનાં [સ્વાભાવિક જ] અજ્ઞાનને દરગુજર કરવાની ક્ષમા અરજી પણ કરી દીધી. જો કે કોઇપણ લેખમાંની આવી ટેકનિકલ  ક્ષતિઓમાટે તો લેખક જવાબદાર હોવા જોઇએ.ખરેખર, નવનીત સમર્પણ જેવાં સામયિકના તંત્રી થવું એ કંઇ ખાંડાના ખેલ નથી!

Sunday, December 4, 2011

દિવ્ય ભાસ્કર, અમદાવાદ, ૨૩-૧૧-૨૦૧૧ની 'કળશ' પૂર્તી - ભાગ - ૨


આની પહેલાંની આ વિષયની પૉસ્ટના સંદર્ભમાં  જે લેખની જે જે બાબતે લખવું છે તે તેનાં સ્વાભાવિક થઇ પડેલાં લંબાણને કારણે તેને અહીં અલગથી રજૂ કર્યું છે. લેખ અંક્માં જે ક્રમે પ્રસિધ્ધ થયેલ છે તે જ ક્રમ મેં પણ જાળવ્યો છે.

'કૅચફ્રૅઝઃ સકસેસકા સુપરહિટ ફોર્મ્યૂલા' [‘વિહાર - કાના બાટવા]માં હાલમાં જેનું ચલણ વધારે છે તેવી જાહેરાતોની મદદથી એડ્વર્ટાઇઝીંગની દુનિયાની જાની-પહેચાની ઘટનાઓને ખુબ જ રસદાર માહિતિનાં સ્વરૂપમાં રજૂ કરાઇ છે.શ્રી બાંટવાએ અતિ પરિચિત ઉદાહરણોની મદદથી માર્કેટીંગ મૅનૅજમૅન્ટના વર્ગોમાં કે એડ્વર્ટાઇઝીંગ વિશ્વના નવોદિતોને વર્ષોથી શીખવાડાઇ રહેલ 'ટૅગલાઇન'નું મહત્વ લેખની શૈલિ અને વસ્તુમાં  બખૂબી વણી લીધું છે. કૅચફ્રૅઝના રાજકારણ, વ્યવસાય અને રોજબરોજનાં જીવનમાં થતા પ્રયોગોના ઉલ્લેખથી લેખ સભર બન્યો છે. બીજી એક વાત, કૅચફ્રૅઝના સમાનાર્થ તરીકે રૂઢપ્રયોગનો પ્રયોગ જામ્યો નહીં!

શ્રી જ્વલંત છાયાએ "આર.કે.લક્ષ્મણ - અનકોમન મૅન" ['સંવાદ']માં શ્રી લક્ષ્મણના આમ આદમીની અસામાન્ય બાબતોને ખાસી જીણવટથી આવરી લીધી છે. આ રીતે તેઓ શ્રી લક્ષ્મણની શૈલિ અને ફિલૉસૉફીને તેમ જ વાંચકોની અપેક્ષાએ ખરા ઉતર્યા છે. શ્રી લક્ષ્મણએ 'આપાતકાલ'ના દિવસોમાં TOIમાંની 'You Said It’ની ચોક્કસ જગ્યાને ખાલી રાખીને આગવીરીતથી તેમનો વિરોધ નોંધાવેલ.તેમ છતાં તેમનાં કાર્ટૂનમાં પ્રદર્શીત થવું એ બહુ સન્માનીય ધટના ગણાતી. TOIના અસંખ્ય વાંચકો, 'અસામાન્ય' આર કે લક્ષ્મણના આપના આ 'સામાન્યચાહક સુધ્ધાં,નો દિવસ 'You Said It' વાચ્યાવગર આખો દિવસ બગાસાં ખાતાં જતો.

"રાજ્યોનું વિભાજનઃ સારા વહીવટની ચાવી" ['તડ ને ફડ']માં શ્રી નગીનદાસ સંઘવીની સુખ્યાત શૈલિથી અતિક્રમીને તેમણે પ્રસ્તુત વિષયની ચર્ચામાંઅન્ય ઉદાહરણોપણ ટાંક્યાં છે.જો કે આ અન્ય ઉદાહરણોનાં પરિણામોમાટેનાં કારણભૂત પરીબળો સમાન હોય તે જરૂરી નથી.

શ્રી અનિલ જોશીએ "એ લોકો બૌધ્ધિક નહીં, હોશીયાર હોય છે.."['કાવ્ય વિશ્વ']માં મીઠાંનાં પાણીમાં પકવેલા કવિતાના કોરડા મારવામાં જરા પણ શરમ નથી ભરી.એકબીજાની પીઠ થાબડીને 'હું સારો, તું સારો'ની [આજના] બૈધિકોની મનોદશાપર સૌમ્ય ભાષામાં આનાથી વધરે તિક્ષ્ણ કટાક્ષ પહેલાં નથી વાચ્યા.

તે જ રીતે વર્ષા[બેન] પાઠકે પણ ખુશામતખોરીસામે સામે બંડ જ પોકાર્યું છે.["પપૂ,ધધુ,સંશિ, ,ખ .. ઝ,જ્ઞ?"-'આપણી વાત'] વખાણને ચમચાગીરીમા ઢળી જતાં કેમ વાર નથી લાગતી તે આ લેખના વાચકોને સટાસટ સમજાઇ જશે.[મુકેશભાઇ મોદીના પ્રયત્નો એળે તો નહીં જાયને? ( "છત્રીસની છાતી જોઇએ વખાણ કરવા!" - 'Small સત્ય')] ખુશામતનાં આ સાધનોનો ત્યાગ તો ગૌતમના ગૃહત્યાગથી પણ વધારે કઠીન પરવડી શકે છે.

"બેંડ - બાજા - બારાત" ['La-ફ્ટર' - વિનય દવે]વાંચતાં વાંચતાં  આજનાં લગ્નોપાછળના ખર્ચા અને મહેનત એક આંખમાં હાસ્ય તો બીજી આંખમાં આંસુ લાવી દે છે. આશા રાખીએ કે આ 'વૈભવી' વ્યર્થ ખર્ચાને બદલે પ્રસંગોચિત ઉજવણી દ્વારા આ લેખને સફળતા મળે!

શ્રી મનોજ શુક્લએ ["માતા પ્રત્યેનો પ્રેમઃ આપણા સંસ્કારી હોવાનો પુરાવો" ('ખુલ્લી વાત ખૂલીને')] 'મા'ના પ્રેમથી ભલભલા "પુરૂષો"ને દિલમાંતો રોવડાવ્યા હશે,ભલે સ્ત્રી-ભૃણ બાબતે તે લાગણી બાષ્પીભવન થઇ જતી હોય.

"વ્યાવસાયિક ક્ષેત્રમાટે વર્કફૉર્સ તૈયાર કરતીઃ ટિમલીઝ" ['સ્ટ્રૅટૅજી & સક્સેસ']માં શ્રી પ્રકાશ બિયાણી આ વખતે પહેલી પેઢીના સફળ વ્યવસાય-સાહસિકોની વાત રજૂ કરવાની સાથે સાથે Unemployable youthના બહુ જ સમયોચિત વિષયપર આપણું ધ્યાન ખેંચી રહ્યા છે. એક તરફ માધ્યમિક શિક્ષણપછીનો તરૂણ અને ઉચ્ચ શિક્ષણ પછીના યુવાનને નોકરીના બજારમાં 'સેલ'માં વેંચાવામાટે લાઇન લગાડવી પડે છે તો બીજી બાજૂ સ્નાતકની પદવીપછીથી ન છૂટકે અનુસ્નાતકની છાપ મરાવવામાટે આવેલા માલથી યુનિવર્સીટીઓ છલકાય છે. આમ જેનાં ઉત્પાદનો બજારની અપેક્ષાએ ઉણાં પડી રહ્યાં છે તે ખનગીકરણ થયેલ શિક્ષણ વ્યવસાય 'સૂર્યોદય' ઉદ્યોગ ગણાય અને તે ગંગામાં હાથ ધોવામાં હાથ ધોવામાટે પણ લાઇન લાગે તે સમજાય છે?

પડોશના "સોફિયાને મળવું ગમશે?"માં ['સાયબર સફર'] શ્રી હિમાંશુ કીકાણીએ 'સોફિયા' જેવી એપ્પલીકેશનની મદદથી આશાનું કિરણ તો કરી આપ્યું છે,પણ લેખના અંતમાં તેમનો 'જો'નો ઉપયોગ ફરીથી ચિંતામાં નાખી દે છે.
'કળશ'ના આ અંકમાટેના વિચારોને લિખિત પ્રતિભાવનું સ્વરૂપ આપવાની પ્રેરણાનું શ્રેય "છત્રીસની છાતી જોઇએ વખાણ કરવા!"ને ['Small સત્ય' - મુકેશ મોદી] પણ આપવું જોઇએ.વખાણની જરૂર તેમણે સુપેરે સમજાવી છે તો સાથે સાથે ચાપલુસીની ભેદરેખા પણ દોરી બતાવી છે.માનસશાસ્ત્રનાં 'પ્રશંસા'પર ગ્રંથસ્થ થયેલાં સંશોધનો ઉપરાંત પણ બહુ થોડા લોકોએ પ્રશંસાને, પ્રોત્સાહનનાં માન્ય સાધન તરીકે કે ચમચાગીરીનાં દેખીતાં હથીયાર તરીકે,લલિત કળાના દરજ્જાનું સ્થાન આપ્યું છે. પરંતુ તે જણાય છે તેટલું સરળ કેમ નથી તે આ લેખ વાંચીને સમજાઇ જશે.

પુનરાવર્તનનાં પુનરાવર્તન જેવા સાહિત્યના વિજ્ઞાનના સિધ્ધાંતની શુશ્ક્તા શ્રી મધુ રાય [ઠાકર]ને રસપ્રચુર કરીને માખણની જેમ ગળેથી ઉતારી દેવામાં જરૂર  સફળ રહ્યા છે.["ગફલત તે ગફલતને ગફલત છે" - 'નીલે ગગન કે તલે' - મધુ રાય]. મને તો તેમની અંગ્રેજીની ભેળસેળીયા છાંટ વગરની (ગુજરાતી, માત્ર ગુજરાતી અને ગુજરાતી સિવાય કંઇ જ નહીં) ભાષાપણ એટલીજ અસરકારક, આધુનિક અને રમતિયાળ હતી તેવું બરાબર યાદ છે.સીતાફળની બાસુંદીમાં જેમ તેના ઠળીયા કઠે તેમ (મારી દ્રષ્ટિએ) બીનજરૂરી અંગ્રેજી ભાષા વાપરીને તેઓ શું સિધ્ધ કરી રહ્યા છે તે સમજાયું નથી. જો કે શ્રી ચંદ્રકાત બક્ષી પણ ભારેખમ ઉર્દુ શબ્દોનો પ્રયોગથી તેમની અન્યથા આધુનિક, પ્રભાવશાળી શૈલિને (કદાચ) બીનપરંપરાગત સિધ્ધ કરતા હતા તેમ પણ મારૂં માનવું છે.

"બેઇલઆઉટઃ મા, મને કોઠીમાંથી કાઢ!" ['શબદ કીર્તન']માં તો શ્રી પરેશ વ્યાસે આપણાં ‘Bail out’નાં જ્ઞાનને વિના અરજીએ ‘Bail out’ કરી આપ્યું છે.

શ્રી બકુલ દવે "ઘરડા નહીં, પરિપક્વ થઇએ"માં ['અક્ષયપાત્ર'] ઘડપણને બહુ સલુકાઇથી વૃધ્ધત્વમાં નીખારી નાખે છે, તો શ્રી અજય નાયક "મને ઓળખે છે તું?!"માં ['નાવીન્ય'] અહંકારનાં પડળ ચપટીમાં સાફ કરી નાખે છે.આખી જીંદગી નીકળી જાય તો પણ આપણે કોણ છીએ તે યક્ષપ્રશ્નનો જ્વાબ ન મળે તે વિધાન તો આજનાં guided missileની જેમ તેનું નિશાન પાર પાડે છે.
પણ ખરા નસીબદાર તો કહેવાવા જોઇએ શ્રી ચેતન ભગત. શ્રી વિનોદ મહેતાની ખુબજ પૂર્વ-પ્રસિધ્ધિનાં ડંકાનિશાનથી સવાર પુસ્તકને 'જરૂર વાચવું'જેવી નવાજીશ પણ પાનાંની પાદનોંધમાં શોધવી પડે, જ્યારે શ્રી ચેતન ભગતની 'રિવોલ્યૂશન ૨૦૨૦'ને  મજા ન આવી જેવી ભારેખમ ટીકામાટે શ્રી જયેશ્ભાઇની પૂરી કૉલમ બબ્બે વાર મળે.[ "રિવોલ્યૂશન ૨૦૨૦'ને  એક ભ્રમ છે'- ચેતન ભગત" - 'મૂડ ઇન્ડિગો' - જયેશ અધ્યારુ] જો કે ‘Outlook’ નો તો હું તેની શરૂઆતથી જ વાચક છું અને ચેતન ભગતના TOIપરના લેખ/ બ્લૉગ પણ મારામાટે રસપ્રદ વાંચન રહેલ છે, તેમ મારે અત્રે કહેવું તો જોઇએ..

ઇશ્વરની સર્વવ્યાપકતાને "તમે ક્યાં છો અને ક્યાનૂ સરનામું આપો છો"ની મદદથી શ્રી સંજય છેલ કેવી આસાનીથી સમજાવી જાય છે.["ભગવાન ભવનમેં ભીડ હૈ ભારી, સુણો અરજ હમારી" - અંદાઝે બયાં]. આટલા ગહન વિષયને એટલા જ મુશ્કેલ સિધ્ધાંતની સાથે જોડીને એટલી જ સરળતાથી  ડૉ. જે.જે.રાવળએ 'જન્મભૂમિ પ્રવાસી'માની તેમની લેખમાળામાં થોડાં અઠવાડીયાં પહેલા સમજાવ્યું છે.