Showing posts with label Transliterations. Show all posts
Showing posts with label Transliterations. Show all posts

Monday, October 31, 2011

અપેક્ષાનો વિરોધાભાસ - સેથ ગૉડીન


અલ્પ અપેક્ષા સામાન્યતઃ સ્વયં-પૂર્ત ભવિષ્યકથન બની રહેતી હોય છે.આપણે નિષ્ફળતાથી મોઢું ફેરવી લેતા હોઇએ છીએ,કસીને મહેનત નથી કરતા, સહુથી ખરાબ થશે તે માટે તૈયાર રહીએ છીએ,અને અવારનાર તે મેળવીએ પણ છીએ.
સામે પક્ષે,ઉંચી અપેક્ષા ખચીત નિરાશાને નોતરે છે. તમારી અપેક્ષા વધારતા જાઓ તો વહેલી કે મોડી [લગભગ તો વહેલી જ]તે ફળીભૂત નથી થવાની.અને આપણે જાણીએ છીએ કે આપણે કલ્પેલ ઉંચાં પરિણામની સરખામણીમાં સામાન્ય સારૂં પરિણામ આવે તો આપણને તે નિષ્ફળતા જ અનુભવાય છે.
ક્દાચ, કોઇ અપેક્ષા ન રાખવા વિષે વિચારવું જોઇએ.જોરદાર પ્રયત્નો પછીથી જે પરીણામ આવે તેને સ્વિકારી લઇએ. આ કદાચ સારી જાહેરાત ન હોઇ શકે ,પણ આ શિસ્તથી સારા વ્યાવસાયિક જરૂર થવાશે.
-          સેથ ગૉડીનની ઑક્ટૉબર 30, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા ગુજરાતીમાં ભાષાંતરણ
[कर्मण्ये वाधिकारस्ते, मा फलेशु कदाचन – गीताबोध]
n  મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/the-paradox-of-expectations.html

Saturday, October 29, 2011

સફળતા સાથે દલીલબાજી - સેથ ગૉડીન


"સફળતા સામે દલીલ ન કરવી"
તમારે જરૂરથી દલીલ કરવી જોઇએ.
પ્રણાલિકાગત ડહાપણમુજબ તો પરવા ન કરવી જોઇએ. પરંતુ, નિષ્ફળતાસામે દલીલ કરવી તો મૂર્ખામી છે. નિષ્ફળતાસામે દલીલ કરવાનો કોઇ અર્થ નથી, કારણકે તે તો ખતમ થઇ ચુકેલ છે.
સફળતાસામે દલીલ કરવામાટે કુનેહ જોઇએ, કુનેહ તેમ જ આંતરસૂઝ. જે છે તેને વધારે સારૂં  કરવાનો આ ઉત્તમ ઉપાય છે.
-          સેથ ગૉડીનની ઑક્ટૉબર ૨૮, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા ગુજરાતીમાં ભાષાંતરણ
મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/arguing-with-success.html

Wednesday, October 12, 2011

નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં - બ્રાયન ટ્રેસી



કોઇ નવી ટેવ પાડતાં કેટલો સમય જોઇએ? આ સમયગાળો એક સેકંડથી થોડાં વરસોનો હોઇ શકે! નવી ટેવનાં એક ઢાંચામાં સ્થાઇ થવાની ગતિ, જે રીતે નિર્ણય લેવાયો હોય તે, લાગણીની ઉત્કટતાપર આધાર રાખે છે. ઘણા લોકો વરસો સુધી વજન ઘટાડવા તેમ જ ચુસ્ત રહેવા અંગે વિચારતા કે વાત કરતા કે નિશ્ચય કરતા રહે છે. અને એક દિવસ અચાનક જ ડૉક્ટર જાહેર કરે છેઃ 'જો તમે તમારૂં વજન નહીં ઘટાડો અને સ્વાસ્થ્ય સુધારશો નહીં તો વહેલાં મૃત્યુને આવકારશો."
મૃત્યુનો ખયાલ એટલો ડરામણો અને પ્રબળ હોય છે, કે અચાનક જ વ્યક્તિ તેનો આહાર બદલી નાંખે છે, કસરત શરૂ કરી દે છે, ધુમ્રપાન બંધ કરી દે છે અને એક  તંદુરસ્ત અને ચુસ્ત વ્યક્તિ બની જાય છે.માનસશાસ્ત્રીઓ આને 'સૂચક લાગણીશીલ અનુભવ' [Significant Emotional Experience - S E E] કહે છે. કોઇપણ વર્તન સાથે જોડાયેલ ઉત્કટ આનંદ કે પીડા, જીવનપર્યંત ટકી રહે તેવી સ્વાભાવીક, ટેવ બની જાય છે.
દાખલા તરીકે, ગરમ સ્ટવ કે  વીજળીના જીવંત તારનો સ્પર્શ  થોડીક ક્ષણોમાટે ખુબ જ તિવ્ર અને અચાનક જ પીડા અને આઘાત આપે છે. આ અનુભવ થોડીક ક્ષણ માટેનો જ હોય છે. પરંતુ, બાકીની આખી જીંદગી, આપણને ગરમ સ્ટવ કે વીજળીના જીવંત વાયરને હાથ ન અડાડવાની ટેવ પડી જાય છે. ટેવ પડે છે થોડી ક્ષણોમાં પરંતુ ટકે છે હંમેશમાટે.
નિષ્ણાતોનું માનવું છે કે મધ્યમ કક્ષાની જટીલતાવાળી ટેવ સામાન્યતઃ ૨૧ દિવસમાં રૂઢ થઇ જતી હોય છે, જેમ કે કોઇ ચોક્કસ સમયે વહેલા ઉઠવું, કામે ચડતાં પહેલાં સવારે કસરત કરવી, ગાડીમાં કાર્યક્રમો સાંભળવા, ચોક્કસ સમયે ઉંઘી જવું, મુલાકાત માટે નિશ્ચિત સમયે પહોંચવું, દરરોજનું આગોતરૂં આયોજન કરવું, દિવસની શરૂઆત મહત્વનાં કામોથી કરવી, કે પછી, નવું કામ હાથમાં લેતાં પહેલાં હાથપરનું કામ પુરૂં કરવું. આ બધી ૧૪થી ૨૧ દિવસના અભ્યાસ અને પુનરાવર્તનથી વિકસી તેવી મધ્યમ કક્ષાની ટેવો છે.
ટેવને વિકસાવવાની રીત કઇ? આટલાં વરસો દરમ્યાન,ટેવ વિકસાવવામાટે એક સરળ, જોરદાર અને સિધ્ધ, વાનગી બનાવવાના નુસ્ખા જેવી, પધ્ધતિ સુનિશ્ચિત થયેલ છે. તમે તેનો કોઇ પણ ટેવ વિકસાવવામાટે પ્રયોગ કરી શકો છો. આ પધ્ધતિ વડે તમે તમારાં વ્યક્તિત્વના વિકાસમાટેની ટેવો સરળતાથી વિકસાવતા થઇ જશો.
નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં
પહેલું, નિર્ણય લો.
જ્યારે જ્યારે કોઇ ચોક્કસ વર્તનની જરૂર પડે ત્યારે ત્યારે હરહંમેશ એક ચોક્કસ રીતે જ વર્તશો તેમ નક્કી કરો. દાખલા તરીકે સવારે ચોકકસ સમયે ઉઠી જવું અને કસરત કરવી, તમારાં ઘડીયાળનાં ઍલાર્મને નિશ્ચિત સમય માટે ગોઠવવું અને જેવું ઍલાર્મ વાગે તેવું તરત જ ઉઠી જઇ કસરતનો પોષાક પહેરીને કસરત શરૂ કરી દેવી.
બીજું, ટેવ ઘડતરના સમયે તેમાં કોઇ અપવાદની જગ્યા ન રાખશો.
કોઇ બહાનાં કે તાર્કિક કારણો ન શોધી કાઢશો.તમારી જાતને ચુંગાલમાંથી છોડાવશો નહીં. જો સવારે ૬ વાગ્યે ઉઠવાનું નક્કી કર્યું હોય, જ્યાં સુધી આપમેળે દરરોજ સવારે ઉઠી ન જવાય ત્યાં સુધી તો નિયમિત રીતે ૬ વાગ્યે ઉઠી જવાનું શિસ્ત પાળવું જ.
ત્રીજું, અન્યોને કહો કે તમે એક ચોક્કસ વર્તનની ટેવ પાડી રહ્યા છો.
બહુ નવાઇ લાગશે કે આપણને જ્યારે કોઇ જોતું હોય, કે તમારામાં તમારા નિશ્ચયને પાર ઉતારવાની માનસીક તાકાત કેટલી છે, ત્યારે આપણે  કેટલા શિસ્તબધ્ધ અને કૃતનિશ્ચયી થઇ જતા હોઇએ છીએ.
ચોથું, તમારાં મન સમક્ષ તમારી જાતને કોઇ ચોક્કસ સંજોગોમાં એક નિશ્ચિતરીતે જ વર્તન કરતા હો તેવી કલ્પના કરો.
જેટલી વધારે  તમને આ ટેવ પડી જ ગઇ છે તેવી પરિકલ્પ્ના તેમ ધારણા કરશો, તેટલીજ ઝડપથી તમારી સુષુપ્ત ચેતના એ વર્તનને સ્વીકારી લેશે અને સ્વયંસચાલિત કરી દેશે.
પાંચમું,તમારી આંખો સમક્ષ ફરી ફરીને આવ્યા કરે તેવું કલ્પના-ચિત્ર બનાવો.
આવી પુનરોક્તિથી વર્તનનું ટેવમાં નાટકીય ઝડપથી રૂપાંતર થતું જણાશે. દાખલા તરીકે, દરરોજ સુતાં પહેલાં 'હું ૬ વાગ્યે ઉઠીને તરત જ તૈયાર થઇ જઇશ' વાક્ય બોલવાથી તમે ઍલાર્મ વાગ્યા પહેલાં જ આપમેળે ઉઠી જઇ શકશો. થોડા સમય પછીથી ઍલાર્મની પણ જરૂર પડવાનું બંધ થઇ જશે.
છઠું, નવાં વર્તનને ત્યાં સુધી વળગી રહો, કે તે એટલી હદે સ્વાભાવીક અને સરળ બની જાય કે તે પ્રમાણે ન કરવાથી તમે અસ્વસ્થ બની જાઓ.
સાતમું, અને મહત્વનું,નવાપ્રકારનાં વર્તનમાં ભાગીદાર થવા માટે તમારા માટે કોઇ પુરસ્કાર રાખો.
તમે જ્યારે જ્યારે તમને પુરસ્કૃત કરશો ત્યારે ત્યારે તમારા નિર્ણયને તમે વધુ સુદ્રઢ્ઢ કરશો તેમ જ નવાં વર્તનને વધુ ઘૂંટશો.પછીથી તુરંત તમે પુરસ્કારના આનંદની સાથે તમારાં વર્તનને અજાણતાં જ જોડી દેશો. આમ તમે અજાણ્યે જ એ નક્કી કરેલ વર્તણૂક કે ટેવ પ્રમાણે વર્તવા ઇચ્છવા લાગો તે પ્રકારની શક્તિનું આવરણ તમારી આસપાસ રચાઇ જશે.
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ તારીખઃ ૧૩ ઑક્ટોબર,૨૦૧૧

Sunday, October 9, 2011

વિસર્જનનો સમય - દેવદત્ત પટ્ટનાઇક




આપણે દરેક વરસનાં ઢળતાં ચોમાસે, તેની મૂર્તિને ઘરે લાવીએ છીએ, સ્થાપન કરીએ છીએ,ધૂપ- અગરબત્તીથી ભક્તિ કરીએ અને પ્રસાદ ધરાવીએ અને પછી, સમુદ્રમાં પધરાવી દઇએ છીએ.

વરસો વરસ, આપ્ણે દેવાદિધેવને આમંત્ર્યા બાદ ચુસ્ત દક્ષતાથી તેમને વિદાય પણ કરીએ છીએ.દર વરસે આપણે તેમની માટીની મૂર્તીનાં સ્થાપનને અને પછીથી, ચંદ્રની ઢળતી કળાની ચૌદમી તિથિએ, રાજવી ઠાઠવાળી એ મૂર્તીઓના અવશેષોને સમુદ્રમાં જોઇએ છીએ.દસ દિવસ ના સંગીત, ન્રુત્ય અને ભક્તિ-પ્રાર્થનાઓના ઉત્સવ પછીથી શાંતિ. ભક્તિભાવથી પૂર્વજોને યાદ કરવાના દિવસો.

હવે પછીનું પખવાડીયું મૃત વડીલોને પૂજવામાં વીતશે.આ પિતૃઓનું પખવાડીયું છે, જ્યારે આપણે તેમને યાદ કરીએ છીએ અને તેમને પુનઃજન્મની ફરીથી હૈયાધારણા આપીએ છીએ.

ભારતમાં ઉદભવેલા ધર્મોના મુળમાં "સર્વનો અંત છે" તે સિધ્ધાંત રહ્યો છે. કંઇ જ શાશ્વત નથી. દરેક વખતે નિશ્ચેતન વસ્તુનું સ્વરૂપ બદલે છે. ચેતન સ્વરૂપનું મૃત્યુ નિશ્ચિત છે.મૃત્યુ, બદલ્લવ અને પરિવર્તન એ કુદરતના ક્રમ છે. માત્ર આનું જ અનુમાન કલ્પી શકાય તેમ છે. બદલાવસાથે તાલ મેળવી શકવું તે જ જીંદગી. નિર્જીવ પહાડો કે નદીઓને મૃત્યુનો અહસાસ નથી, તેથી તેઓ પરિવર્તનને અવરોધતાં નથી. સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુથી વાકેફ છે, માટે તેઓ મૃત્યુનો પ્રતિકાર કરે છે. તેમની અસ્તિત્વમાટેની મથામણ તેમને સતત દોડતાં અને લડતાં રાખે છે.માત્ર મનુષ્ય જ મૃત્યુવિષે વિચારી શકે છે, જીવનના અર્થની શોધ કરી શકે છે, ઉત્કટતાથી જાણવા માંગી શકે છે કેઃ આ બધાંનો અર્થ શો? કુદરત કોઇ જવાબ નથી આપતી.ધર્મો અનુમાનોને રજૂ કરે છે તો વિજ્ઞાન પણ હતોત્સાહ થઇને હાર માનતું જણાય છે.કોઇને કશી ખબર નથી. આ સ્થિતિ નિરાશાજનક છે.તેથી આપણે અસ્તિત્વવાદી ગુસ્સાને બાજુએ મુકીને એવી ક્ષુલ્લક યોજનાને આધીન થઇ જઇએ છીએ જેમાં આપણાં જ સર્જેલ લક્ષ્ય કે ધ્યેયને આપણે આપણાં જીવનનો અર્થ ઘોષિત કરી દઇએ છીએ.
મહાભારતમાં યક્ષના જગતની સૌથી મહાન અજાયબી કઇ તે પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિર કહે છેઃ "દરરોજ કેટલાંયે લોકો મૃત્યુ પામે છે, પરંતુ બીજાં બધાં જાણે મૃત્યુ કદી આવવાનું જ નથી તેમ જીવવાનું ચાલુ રાખે છે.આ છે મહાન અજાયબી". આપણે દર વરસે ગણેશને સમુદ્રમાં પધરાવીએ છીએ, માટીને ધીમે ધીમે પાણીમાં ઓગળતી જોઇએ છીએ, આંખસામે મૂર્તિને ઓજલ થતી પણ જોઇએ છીએ.શું આપણા વડવાઓએ આવી વિગતવાર વિધિ આપણને જીવનની ક્ષણભંગુરતા યાદ રહે તે માટે જ ઘડી કાઢેલ છે?કંઇ જ શાશ્વત નથી. તેથી,જીંદગીનો મકસદ કશું મેળવવાનો નહીં, પરંતુ બેસીને ઠંડે કલેજે, બધાંનો શો અર્થ છે તેમ વિચારવાનો છે. માટે જ,ભારત તેના સાધુ, સંતો અને ફિલસૂફોમાટે જાણીતું છે.અને એટલે જ આપણામાટે બાહરી ભૌતિક સિધ્ધિઓ કરતાં ધનની જેમ વહેંચી ન શકાય પણ અંદરથી પ્રજ્વલિત થતાં ડહાપણરૂપી આંતરીક આધ્યાત્મીક અનુભુતી વધારે મહત્વની બની રહે છે.વિદ્વતા, આપણને ક્રોધીત ક્રાંતિકારી નહીં પણ, વધુ નમ્ર અને સૌમ્ય બનાવે છે, કારણકે આખરે તો દરેક ક્રાંતિનો પણા ખચિત વિલય થવાનો જ  છે.
સામાન્યતઃ આપણે ભૂલી જઇએ છીએ કે ગણેશની સાથે લક્ષ્મી અને સરસ્વતીનું સ્થાન હોય છે જ.લક્ષ્મીનું ત્યારે આગમન થાય ત્યારે ગણેશ વિદાય લેતા હોય તો જ્યારે ગણેશ વિદાય લઇ રહ્યા હોય છે ત્યારે સરસ્વતીનું આગમન થતું હોય છે.આ બંન્ને દેવીઓનો પ્રવેશ અનુક્રમે ચડતીના સમયમાં  ધનદોલત અને પડતીના દિવસોમાં ડહાપણનાં સ્વરૂપે થાય છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, લક્ષ્મી આપણો બાહ્ય વિકાસ કરે જ છે,જ્યારે સરસ્વતી આપણો આંતરીક વિકાસ કરે છે, પરંતુ જો આપણી ઇચ્છા હોય તો જ. બેમાથી કોઇ એક દેવીની જ પંસદગી થઈ શકે છે.ગણેશજી સદાય સ્મિત રહેલાવતા રહે છે, કારણકે તેમની પાસે છે માનવતામાં શ્રધ્ધા અને અથાગ ધીરજ.
              'દેવલોક, સન્ડે મિડ ડે, સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૧’માં પ્રકાશિત થયેલ
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ

Friday, October 7, 2011

પસંદ ન કરેલ રસ્તા -- સેઠ ગૉડીનની ઑક્ટૉબર ૭, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ ગુજરાતીમાં ભાષાંતરણ



તમારી જાતને મૂર્ખ જેવી કોઇ વાત કરવી કે કોઇ છબરડો વાળવો કે વાયદૉ  પાળી ન શકવો જેવી બાબતો માટૅ કોસ્યા કરવું તે તો સામાન્ય વાત છે.
પણ શું તમે પેલો શૅર ન ખરીદ્યો કે એ નવા અભિગમને ન અનુસર્યા કે પેલી મુબારકબાદી નથી આપી તેનો વિચાર કર્યો છે?
મારી દ્રષ્ટિએ કંઇ ને કંઇ નવું કરતા રહેવામાટે પોતાની જાતને આસપાસની દુનિયામાં ભળવા દેવી જોઇએ, નહીં કે તેનાથી પોતાની જાતને સંતાડવાની વૃત્તિને પસવારવી.
આપણે આપણી નજરમાં હોય તેનો જ પ્રતિભાવ આપતાં હોઇએ છીએ. કેટલી ભુલોની આપણી આગાહી ખોટી પડી કે કેટલા નવા અભિગમ આપણાં ધ્યાનમાં જ ન આવ્યા કે આપણે દેખીતી રીતે જોખમી લાગતાં કેટલાં પગલાંઓ લીધાં જ નહીં તેનો હિસાબ નથી રાખતા તે જ દુઃખદ છે.
              સેઠ ગૉડીનની ઑક્ટૉબર ૭, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ ગુજરાતીમાં ભાષાંતરણ

Monday, October 3, 2011

હવે પછી શું? -- સેઠ ગૉડીનની ઑક્ટૉબર ૨, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ ગુજરાતીમાં ભાષાંતરણ


તમારી કારકીર્દી [કે તમારા જીવન]માટેનો આ અતિમહત્વનો નિર્ણય છે.
જો કે પહેલાં આવું નહોતું. હવે શું પ્રશ્નનો જવાબ તમારા ઉપરી કે ગ્રાહક આપતા.
હવે મળતી આટલી બધી તકો કે આટાઅટલી મર્યાદાઓને કારણે હવે પછી શું તે  સફળતાથી નક્કી કરવું તે જીવનની સર્વોચ્ચ ઉચ્ચાલક ઘડી બની રહે છે. તેથી એને સામાન્યરીતે અપાતા સમય કે ધ્યાન કરતાં વધારે સમય કે ધ્યાન આપવાં જોઇએ.
જો તમે પસંદગીની ઉંડાઇઓમાં જવા તૈયાર ન હો , તો નિશ્ચિતપણે તમને તક સાથે નૃત્ય કરી શકવામાટે પુરતો સમયપણ નહીં મળે.
Here is the original blog post:
This is the most important decision in your career (or even your day).

It didn't used to be. What next used to be a question answered by your boss or your clients.
With so many opportunities and so many constraints, successfully picking what to do next is your moment of highest leverage. It deserves more time and attention than most people give it.
If you're not willing to face the abyss of choice, you will almost certainly not spend enough time dancing with opportunity.

http://sethgodin.typepad.com/seths_blog/2011/10/what-to-do-next.html


Friday, September 23, 2011

સ્ત્રી દેહ -- દેવદત્ત પટ્ટનાઇક

માનવ ઇતિહાસએ સ્ત્રી દેહનાં ભૌતિક કે દેખાવનાં સ્વરૂપને સામાન્યતઃ પુરૂષની મિલ્કત ગણી છે.તેથી ,વ્યભિચાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર છે) અને  બળાત્કાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર નથી)ને પુરૂષ માટે માનહાનીજનક ગણેલ છે.

પરશુરામની કથામાં, તેમની માતા, રેણુકા, થોડા સમયમાટે અન્ય પુરુષનો સહવાસ ઝંખે છે. આ 'વૈચરિક' અપરાધનાં પરિણામરુપે, પિતા - જમદગ્નિ-ના આદેશથી તેનો પુત્ર તેનો શિરચ્છેદ કરે છે. અંતે તો તેને ગણીકાઓની દેવી યેલમ્મા સાથે પણ સાંકળી લેવાયેલ છે.

રામની કથામાં, રાવણદ્વારા સીતાનું અપહરણ તેમની આબરૂને ડાઘ લાગી જાય તે હદસુધીની લોકચર્ચાને ચકડોળે ચડાવે છે કે રામ તેમનો ત્યાગ કરી દે છે.

આ બંન્ને કથાઓમાં સ્ત્રી પર સીધો કોઇ હુમલો નથી થયો.સ્ત્રીશાલિનતાપરનું ગ્રહણ માત્ર આઘાત્ પેદાકારક છે. જે કંઇ તમારૂં છે તેના પર કોઇ પોતાની માલિકી કરી શકે તે 'વિચાર' [રેણુકાની કથા] કે કોઇએ માલિકી કરી લીધી છે તેવી 'માન્યતા'[સીતાની કથા]ના ખયાલમાત્રથી તમારી માનહાની થઇ જઇ શકે છે.

જ્યારે પણ આપણે હિન્દુધર્મને બચાવપક્ષનાં પાંજરાંમાં ઉભો કરવા માગતા હોઇએ છીએ કે હિન્દુ સામાજીક રિવાજોને પુરૂષપ્રધાન સાબિત કરવા હોય છે ત્યારે આપણે આ કથાઓને આ સ્વરૂપે રજૂ કરીએ છીએ, પરંતુ આ જ ગ્રંથોમાં આ કથાઓનાં એ સ્વરૂપોનો ઉલ્લેખ માત્ર પણ કરતા નથી  જેમાં આ કથાઓનાં બીજાં પાસાંઓ પણ અસરકારકરીતે કહેવામાં આવ્યાં હોય.

કેટલીક કથાઓમાં જેમાં અહલ્યાનો એક પ્રમાણિત વ્યભિચારિણી અથવા બળાત્કારીત સ્ત્રી તરીકેનું વર્ણન છે, જેને કારણે જેના પતિએ તેને પથ્થરની શિલા બની જવાનો શ્રાપ આપ્યો હતો, પરંતુ રામના પાદસ્પર્શથી જે પવિત્ર અને શ્રાપમુક્ત થઇ હતી તેવી કથા આપણે કહેતા નથી. આ એજ રામ છે જે સીતાનો ત્યાગ કરશે.આવા પુરૂષપ્રધાન રામ એક વ્યભિચારિણીને પવિત્ર શા માટે કરે છે? આનું કોઇ સ્પષ્ટીકરણ જોવા નહીં મળે! શા માટે આવા રામ કલંકિત સીતાના ત્યાગ પછીથી ફરીથી લગ્ન નથી કરતા? કોઇ સ્પષ્ટીકરણ નહીં! શા માટે આ કથાઓમાં સ્ત્રીઓ પ્રત્યે દાક્ષિણ્ય કે ક્ષમા [અહલ્યાની મુક્તિ]કે પ્રતિબધ્ધત્તા [સીતાત્યાગ પછીથી પુનઃલગ્ન ન કરવાં] જેવાં સ્વરૂપને બદલે સમાજના પુરૂષપ્રાધાન્યને ઉભારતાં કથાતત્વને વધુ પ્રસિધ્ધિ મળે છે?

આપણે ઉપનિષદની એ કથા પણ નથી કહેતા જેમાં ગૌતમ ઋષિ તેમનીપાસે શિષ્ય થવા આવેલ બાળકને પૂછે છેઃ " તારા પિતાનું નામ શું છે?" જેના જવાબમાં બાળક કહે છેઃ "મારી માતા એ આપને એમ કહેવાનું કહેલ છે કે તે એક દાસી છે અને તેણે અનેક પુરૂષોની સર્વ પ્રકારે સેવા કરી છે, તેથી તેને મારા પિતા કોણ છે તે ખબર નથી. માટે મને જાબાલાના પુત્ર, જાબાલી, તરીકે સ્વિકારો." આવા સાચા અને પ્રમાણિક જવાબની ભેટ રૂપે ઋષિ બાળકને સત્યકામ [સત્યનો ચાહક] નામથી શિષ્ય તરીકે આવકારે છે.

આપણે મહાભારતની શ્વેતકેતુની એ કથા પણ નથી કહેતા જેમાં તે તેની માતાને પરપુરૂષની સાથે જોતાં ચોંકી ઉઠીને તેના પિતા ,ઉદ્દાલક,ને શિકાયત સ્વરૂપે જાણ કરે છે, ત્યારે તેના પિતા જવાબમાં કહે છેઃ "સ્ત્રીને જે પસંદ હોય તે કરવાની સ્વતંત્રતા છે." આના પ્રતિભાવમાં પુત્ર જ્યારે પોતાના પિતાઅંગે શંકા કરે છે ત્યારે ઉદ્દાલક કહે છેઃ "મારો પ્રેમ તને મારું સંતાન બનાવે છે, નહીં કે મારું પુરૂષ-બીજ."

આમ એક પક્ષે સ્રીને મિલ્કત ગણાવતી જેટલી કથાઓ છે તો બીજે પક્ષે સ્ત્રીને પોતાનાં જીવનપર પુરો અધિકાર હોય અને સ્ત્રી મિલ્કત સ્વરૂપે ન જોવાઇ હોય તેવી કથાઓ પણ છે. આપણી શાળાઓ કે કૉલેજોમાં કે પછી આપણા જમણેરી કે ડાબેરી ધર્મનિર્પેક્ષ બૌધ્ધિકોદ્વારા આવી બીજા પ્રકારની કથાઓ શા માટે કહેવાતી નથી?

મારા મત મુજબ, પૌરાણિક સમયમાં સ્ત્રીને સન્માન મળતું ન હતું જેને આધુનિક ધર્મનિરપેક્ષ કાયદાની મદદથી સુધારી શકાશે, તેવી માન્યતા રૂઢ થતી જણાય છે. જો કે આ માન્યતા બે-વજૂદ જણાય છે. ખાપ કે ઇન્ડિયન પીનલ કોડ [ઇ.પી.કૉ.] હોવા છતાં પણ સામાન્યતઃ લોકોને, અને ખાસ કરીને સ્ત્રીઓને, અવમાનિત કરતા જડસુઓ ત્યારે પણ હતા, આજે પણ છે, અને [મને આ લખતાં કમકમાતી થઇ આવે છે કે] આવતીકાલે પણ હશે.

આપણે આવા જડસુઓને કેન્દ્રમાં રાખતી પ્રસિધ્ધિઓ ક્યારે બંધ કરીશું?


n  'દેવલોક, સન્ડે મિડ ડે, ઑગષ્ટ ૭, ૨૦૧૧'માં પ્રકાશિત થયેલ

n  Originally Titled: A Woman’s Bodyhttp://devdutt.com/a-womans-body/