Showing posts with label Vintage Era of Film Music. Show all posts
Showing posts with label Vintage Era of Film Music. Show all posts

Saturday, November 28, 2015

અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્રનાથનાં યુગલ ગીતો – ઉત્તરાર્ધ

પૂર્વાર્ધમાં આપણે અનિલ બિશ્વાસ અને સુરેન્દ્ર(નથ)ની જોડીનાં બીબ્બો અને માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો સાંભળ્યાં હતાં. આજના આ ઉત્તરાર્ધમાં આપણે હવે તેમનાં વહીદન બાઈ, જ્યોતિ, હુસ્ન બાનો, સરદાર અખ્તર અને મિસ શારદા પંડિત સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.
વહીદન બાઈ સાથે યુગલ ગીતો
imageimage


મૂળ કિનારી બાઝાર (આગ્રા)નાં વહીદન બાઈએ ૧૯૩૮-૧૯૪૦ના સમયમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ આજે તેમને એ ફિલ્મો દ્વારા યાદ કરવાને બદલે '૫૦ –‘૬૦ના દાયકાની એક સફળ નાયિકા નિમ્મીનાં મા તરીકે કદાચ વધારે યાદ કરાઈ રહ્યાં છે.

તેરી ઈન આંખોંને બીમાર કિયા હૈ - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી

આ ધૂન ‘અલીબાબા’ની પંજાબી આવૃત્તિમાં પણ વાપરવામાં આવી હતી, જેના શબ્દો હતા ‘ચૂભ ગયે કલેજે વીચ નૈના દે તીર હાયે[2]

હમ ઔર તુમ ઔર યે ખુશી - વહીદન બાઈ સાથે - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી

હિંદી ફિલ્મોમાં પાશ્ચાત્ય નૃત્ય શૈલીની એક પ્રધાન ધારા, વૉલ્ત્ઝ, પર આધારિત અનેક ગીતો બનતાં રહયાં છે. પ્રસ્તુત ગીતને આ પ્રવાહનું સૌથી પહેલું ગીત ગણી શકાય.
આડવાતઃ

કોઈ હોવે તૂં મેરે યાર - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી -પંજાબી ગીત

'અલી બાબા' પંજાબીમાં પણ બની હતી. એટલે યુ ટ્યુબ પર હવે કેટલીક ક્લિપ એ પંજાબી વર્ઝનની પણ સાંભળવા મળે છે, જેમ કે આ ગીત હિંદી વર્ઝનનાં 'હમ ઔર તુમ ઔર યે ખુશી'નું પંજાબી સ્વરૂપ છે.
કેટલીક ક્લિપ એવી પણ છે જે પંજાબી ગીતોનાં હિંદી સ્વરૂપ નથી જોવા મળતાં. એક શક્યતા એવી પણ હોઈ શકે કે હિંદી અને પંજાબી વર્ઝનમાં કેટલાંક ગીતો સાવ અલગ ધુન પરથી જ બનાવાયાં હતાં. અનિલ બિશ્વાસે પોતાની આત્મકથા ‘ઋત આયે ઋત જાયે’માં નિખાલસપણે એકરાર કર્યો છે કે તેમને હિન્‍દી કરતાં પંજાબી આવૃત્તિનાં ગીતો વધુ પસંદ હતાં.

પંજાબની એક અતિ લોકપ્રિય લોકધુન, હીર, પરનું આ ગીત. 

દિલકા સાઝ બજાયે જા - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી

છેક ૧૯૪૦માં પણ અનિલદા સાઝ સજ્જામાં ખાસ્સા આધુનિક હતા !

https://youtu.be/Qfjq-aoB-ps
     [We need a fresh link in place of this one or an audio clip]

દિલ છીનકે જાતા હૈ, ઓ મસ્ત નઝરવાલે ક્યૂં આંખ ચુરાતા હૈ - અલી બાબા (૧૯૪૦) - ડૉ.આહ સીતાપુરી


જ્યોતિ સાથે યુગલ ગીતો
imageimage

જ્યોતિ (મૂળ નામ - અપરિચિત) વહીદન બાઈનાં નાનાં બહેન હતાં. ૧૯૩૯થી શરૂ થયેલ તેમની ફિલ્મસફરમાં તેમણે ૧૯૪૯ સુધી લગભગ વીસેક ફિલ્મોમાં કામ કર્યું. હિંદી ફિલ્મના એ સમયના બહુ જાણીતા ગાયક જી એમ દુર્રાની સાથેનાં તેમના નિકાહ બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું.

આન બસે પરદેસ સજનવા - કોમરેડ્સ (જીવનસાથી)(૧૯૩૯) - ગીતકાર

ગીતમાં પ્રયોગ કરાયેલ પ્રદીર્ઘ પ્રીલ્યુડ ગીતને સાવ અનોખો નિખાર આપી જાય છે.

તુમ રૂઠ ગઈ રૂઠ ગઈ બૈરી સજનિયાં - ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી

'ઔરત' એ સમયના ખેડૂત પરિવારની પરિસ્થિતિનું બહુ જ તાદૄશ્ય ચિત્રણ હતું. ફિલ્મના નિર્માતા નિર્દેશકને એ વિષય કેટલો હૃદયથી સ્પર્શી ગયો હશે કે ૧૭ વર્ષ બાદ તેમણે એ વિષય પર ફરીથી ફિલ્મ બનાવી. એ ફિલ્મ 'મધર ઈન્ડિયા'ને પણ એટલી જ સફળતા મળી હતી.

ઊઠ સજની ખોલ કિવાડે, તેરે સાજન આયે દ્વારે - ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી

ઘણા સમય પછી પાછા ફરેલા પતિની રૂઠી ગયેલી પત્નીને મનાવવા માટેની મીઠી નોક ઝોક.....

અપને મસ્તોંકો બેશુદ્ધ બના દે, હે પિલા દે હે પિલા દે પિલા દે પિલા દે- ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી

શેરડીના સાંઠાની મિઠાશની જેમ સહચર્યની ઘડીઓની મિઠાશ માણવાની મજા કેવી અનેરી હોય...

બોલ રે બોલ મનકે પંછી બોલ- ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી
પાની દે પાની દે - ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી


હુસ્ન બાનો સાથે યુગલ ગીતો
imageimage

હુસ્ન બાનોનો જન્મ ૧૯૨૨માં સિગાપોરમાં થયો હતો. તેમનાં મા શરીફાં પણ બહુ મોટાં ગજાંના અભિનેત્રી ગણાતા હતાં. જવાની (૧૯૪૨) તેમની સૌથી વધારે જાણીતી રહેલી ફિલ્મ છે.

બદનામ ન હો જાના ઓ પ્રેમ કે દિવાને - જવાની (૧૯૪૨) - ગીતકાર વઝાહત મિર્ઝા


આયી વસન્ત ઋતુ મદમાતી મન લલચાતી - જવાની (૧૯૪૨) - હુસ્ન બાનો સાથે - ગીતકાર વઝાહત મિર્ઝા[1]

"બીત ગયી,બીત ગયી, રૈન મિલનકી બીત ગયી"[2]
આડવાતઃ

નુરજહાંએ સૌ પ્રથમ વાર કોઈ અભિનેત્રી માટે પાર્શ્વ ગાયન કર્યું હોય તો તે કદાચ હુસ્ન બાનો (ફિલ્મ - દોસ્ત -૧૯૪૪) હતાં.
સરદાર અખ્તરનું યુગલ ગીત
સુનોં પંછીકે રાગ - ઔરત (૧૯૪૦) - ગીતકાર ડૉ. સફદર 'આહ' સીતાપુરી

લણણીના સમયે ખેડૂતનાં કુટુંબને ખેતરમાં પંખીઓનાં ગીતો મીઠાં લાગે એ તો સ્વાભાવિક જ વાત છે...આ ભાવને બહુ જ મધુરપણે આ ગીતમાં રજૂ કરાયો છે

ખુર્શીદ સાથે મંઝધાર (૧૯૪૭)નું યુગલ ગીત 'મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે' આપણે "અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ'સુરેન્દ્રનાથ -સૉલો ગીતો - ઉત્તરાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ તેથી અહીં ફરી વાર મૂક્યું નથી.
મિસ શારદા પંડિત સાથે ગૈરફિલ્મી યુગલ ગીતો
અનિલ બિશ્વાસ અને સુરેન્દ્રની જોડીના નામે મિસ શારદા પંડિત સાથે ગવાયેલ ચાર ગૈરફિલ્મી યુગલ ગીતો પણ બોલે છે.

આયી જવાની બીત ગયે દિન - ગીતકાર ઝીઆ સરહદી [2]

મિસ શારદા પંડિત સાથેનાં આ ગૈરફિલ્મી ગીતો મળી શક્યાં નથી.
તૂ બનકી ચિડિયા ન હોતી
કૈસે બીગડી બાત બનાયે
કાહે કોઈ પ્રીત કરે
સાભાર નોંધઃ
  • 'આયી વસન્ત ઋતુ મદમાતી મન લલચાતી'.[1]ગીત શિકાગોથી સુમન્તભાઈ (દાદુ) અને ચૂભ ગયે કલેજે વીચ નૈના દે તીર હાયે [2], આયી જવાની બીત ગયે દિન[2], બીત ગયી,બીત ગયી, રૈન મિલનકી બીત ગયી[2] તેમ જ અહીં રજૂ થયેલી ઘણીક તસ્વીરો બીરેન કોઠારીના ખજાનામાંથી પ્રાપ્ત થઈ શક્યાં છે.
  • આ લેખ માટે Songs of Yoreના Anil Biswas’s songs for Bombay Saigal: Surendra લેખનો આધાર લીધો છે.

Friday, November 6, 2015

અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્રનાથનાં યુગલ+ ગીતો - પૂર્વાર્ધ

imageimage
અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્ર(નાથ)નાં અનોખાં સહકાર્ય સ્વરૂપ સૉલો ગીતો (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) નો આપણે વિગતે પરિચય કરી ચૂક્યાં છીએ.
આપણી ફિલ્મોમાં યુગલ ગીતોનું સ્થાન હંમેશાં બહુ મહત્ત્વનું રહ્યું છે. ફિલ્મમાં સીચ્યુએશનની જરૂરિયાત મુજબ પ્રેમના ઇઝહાર, પરિણયની ખુશી કે વિરહની વેદના વ્યક્ત કરવામાં સૉલો ગીતો જેટલી જ ચીવટ ગીતકારો અને સંગીતકારો યુગલ ગીતમાટે પણ દાખવતા રહ્યા છે. યુગલ ગીતોમાં પુરુષ અને સ્ત્રી ગાયકોનાં ગીતો, સ્વાભાવિક રીતે, વધારે પ્રચલિત રહ્યાં છે. પુરૂષ અને સ્ત્રી ગાયિકાના અવાજની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓમાં રહીને ગીતની ધુનની સજાવટ કરવામાં આવતી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં યુગલ ગીતો પણ બહુ જ સફળ થતાં રહ્યાં છે. સુરેન્દ્રનાં કેટલાંક યુગલ ગીતોએ તેમને અઢળક લોકચાહના અપાવી છે.

સુરેન્દ્રએ અનિલ બિશ્વાસનાં સંગીતમાં ૪૬ જેટલાં ગીતો ગાયાં છે, જેમાં તેમનાં સૉલો તેમજ યુગલ+ ગીતોની સંખ્યા લગભગ સરખી કહી શકાય. બીબ્બો (૬ ગીતો), માયા બેનર્જી (૩ ગીતો), વહીદન બાઈ (૪ ગીતો) જ્યોતિ (૬ ગીતો), હુસ્ન બાનો (૩ ગીતો), સરદાર અખ્તર (૧ ગીત) અને ખુર્શીદ સાથે મંઝધાર (૧૯૪૭)નું યુગલ ગીત 'મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે' એમ છ ગાયિકાઓ સાથેનાં કુલ ૨૪ યુગલગીતો પૈકી ગાયિકા-અભિનેત્રી બીબ્બો સાથેનાં અને માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો આપણે આજે આ પૂર્વાર્ધમાં માણીશું.

બીબ્બો સાથેનાં યુગલ ગીતો
Surendra and Bibbo in Dynamite (1938)

લાહોરના એક ધનપતિ શાંતિ સાગર દ્વારા ‘ક્રેક ક્લબ’નો આરંભ કરવામાં આવ્યો હતો. બપોરથી રાત સુધી તે ધમધમતી રહેતી. સાંજના સમયે મોટે ભાગે ગાયનનો કાર્યક્રમ થતો, જેમાં સુરેન્‍દ્રના ભાગે ગાવાનું આવતું. એક વખત આ મિલનમાં કોઈકના નિમંત્રણથી એક યુવતીનું આગમન થયું. તેનું નામ હતું ઈશરત સુલતાના. પહેલવહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’માં તેણે એક ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી ‘રંગીલા રાજપૂત’(૧૯૩૩), ‘સૈરે પરીસ્તાન’(૧૯૩૪), ‘પ્યાર કી માર’(૧૯૩૫) જેવી ફિલ્મોમાં તેણે નાયિકાની ભૂમિકા કરી હતી. એ પછી મુંબઈ છોડીને તે લાહોર આવી ગઈ હતી.
લાહોર આવ્યા પછી તેણે પોતાના ‘રેઈનબો પિક્ચર્સ’નો આરંભ કર્યો હતો અને ‘કઝ્ઝાક કી લડકી’(૧૯૩૭)નું નિર્માણ કર્યું હતું. પોતાના સૌંદર્ય અને મધુર અવાજ માટે તે આખા લાહોરમાં જાણીતી હતી. આધુનિક અભિગમ અને ખુશમિજાજને કારણે તે ‘કૉલેજ બૉય’ના ઉપનામે ઓળખાતી હતી. તેનું મૂળ નામ હતું બેગમ બીબ્બો.
થોડા સમય પછી સુરેન્‍દ્રને ફિલ્મોમાં તક મેળવવા માટે મુંબઈ આવવાનું થયું. યોગાનુયોગે બીબ્બોએ પણ મુંબઈના ફિલ્મક્ષેત્રે પુન:પ્રવેશ કર્યો. 'મનમોહન'માં બન્ને નાયક-નાયિકા તરીકે ચમક્યાં અને તેમની જોડી અતિ લોકપ્રિય બની રહી.

'મનમોહન' (૧૯૩૬)માં સંગીતકાર અશોક ઘોષના અનિલ બિશ્વાસ મદદનીશ હતા, એ દૃષ્ટિએ સુરેન્દ્ર અને અનિલ બિશ્વાસનાં જોડાણનો પાયો અહીં ઘડાયો. આ ફિલ્મમાં સુરેન્દ્ર અને બીબ્બોનાં એક યુગલ ગીત -'તુમ્હીંને મુઝકો પ્રેમ સિખાયા' - ની શરૂઆતમાં બીબ્બો જે અદાથી 'મૈં અંદર આ સકતી હૂં' કહે છે તેને કારણે - પણ અનહદ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મનું આ જોડીનું બીજું યુગલ ગીત 'ખીઝાંને આકે ચમનકો ઉજ઼ાડા' સાવ જ અલગ વતાવરણ ખડું કરે છે. 'મનમોહન'માં સુરેન્દ્ર અને બીબ્બો - એક રંગીન પોસ્ટકાર્ડ તસ્વીર
પુજારી મોરે મંદિરમેં આઓ – જાગીરદાર (૧૯૩૭) - ગીતકાર ઇન્દ્ર

આ ગીતમાં ૧૯૩૦ના દાયકાનાં ગીતની પૂરેપૂરી છાંટ છે - સંગીતનો ઉપયોગ માત્ર ગાયકો અને ધુનને સંગત આપવા જેટલો જ છે.

પ્રેમકા પુષ્પ ખિલા ઘર મેરે, પ્રેમકી આઈ હવા ઘર મેરે - મહાગીત (૧૯૩૭) - ગીતકાર ઝીયા સરહદી

કલિયાં રસીલી સૈયાં, ભંવરા જવાન હૈ - ડાયનેમાઈટ (૧૯૩૮) - ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર

ઓ જાદુગર મતવાલે, યે કૈસે ઢંગ નિરાલે - ડાયનેમાઈટ (૧૯૩૮) - ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર

બ્રિંદાબનમેં કભી ન જાના - ગ્રામોફોન સિંગર (૧૯૩૮)- ગીતકાર - ઝીયા સરહદી


સુરેન્દ્ર અને બીબ્બો - 'ગ્રામોફોન' સિંગરનાં એક દૃશ્યમાં


મૈં તેરે ગલેકી માલા - ગ્રામોફોન સિંગર (૧૯૩૮)- ગીતકાર - ઝીયા સરહદી

માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો
સુરેન્દ્ર અને માયા બેનર્જી - 'મહાગીત'

૧૯૧૪માં જન્મેલાં, માયા બેનર્જીએ મુંબઈ આવ્યા બાદ ૧૯૩૭થી ૧૯૩૯ સુધીની સાગર મુવીટોનની ફિલ્મોમાં અભિનય કરવાની સાથે પોતાનાં ગીતો પણ ગાયાં હતાં. ૧૯૪૦ પછી કરેલી ફિલ્મોમાં તેમણે અન્ય ગાયિકાઓના અવાજને પ્લેબેકમાં લીધો હતો.

આયેં હૈ ઘર મહારાજ, મૈં લાઉં ફૂલોકે હાર - મહાગીત (૧૯૩૭) - ગીતકાર ઝીયા સરહદી

જા રે સખી સાજનસે કહ દે - ડાયનેમાઈટ (૧૯૩૮) - ગીતકાર પંડિત ઈન્દ્ર ચંદ્ર

મધુર મિલનકા ચિત્ર બનાયે,પ્રેમકે રંગસે રંગ ડાલે - કોમરેડ્સ (જીવનસાથી)(૧૯૩૯) – ગીતકાર: કન્હૈયાલાલ ચતુર્વેદી

અનિલ બિશ્વાસ અને સુરેન્દ્ર(નથ)ની જોડીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોની સફરમાં આપણે મધ્યાંતર પાડીશું. ૨૮ નવેમ્બર, ૨૦૧૫ના ઉત્તરાર્ધમાં આપણે હવે તેમનાં વહીદન બાઈ, જ્યોતિ, હુસ્ન બાનો સરદાર અખ્તર અને મિસ શારદા પંડિત સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.
સાભાર નોંધઃ
  • આ લેખને શ્રી બીરેન કોઠારીએ તેમના ખજાનામાંની તસ્વીરો અને માહિતી વડે બહુ જ સમૃદ્ધ કરી આપેલ છે.
  • Songs of Yoreના લેખ -Anil Biswas’s songs for Bombay Saigal: Surendra -ની ભૂમિકા મૂળ પ્રેરણાસ્ત્રોતની રહી છે.

Saturday, August 30, 2014

હિંદી ફિલ્મ સંગીતનાં અનોખાં ભાઇ-બહેન : અનિલ બિશ્વાસનાં સંગીત નિર્દેશન હેઠળ પારૂલ ઘોષનાં ગીતો

અનિલ બિશ્વાસ જન્મ શતાબ્દી વર્ષમાં - પારૂલ ઘોષનો સ્વર, અનિલદાનાં સંગીતમાં
clip_image001પારૂલ ઘોષનો જન્મ સંગીતપ્રેમી માતાની કૂખે, અનિલ બિશ્વાસના જન્મ પછી બે વર્ષે, ૧૯૧૬માં, થયો હતો. અનિલ બિશ્વાસે જે રીતે ફિલ્મ સંગીત પર એક અમીટ છાપ છોડી, એ દૃષ્ટિએ એમ કહી શકાય કે બંને ભાઇ બહેનને સંગીતના સંસ્કાર તો ગળથૂથીમાંથી જ મળ્યા હતા. વિખ્યાત વાંસળીવાદક પન્નાલાલ ઘોષ સાથે લગ્ન થવાને કારણે સંગીત સાથેનો તેમનો નાતો લગ્ન પછી પણ ચાલુ રહ્યો.
કલકત્તાનાં ન્યુ થીયેટર્સ દ્વારા તેમનો ફિલ્મ જગતમાં પ્રવેશ થયો. 'ધુપ છાંવ (૧૯૩૫)નાં રાયચંદ (આર સી) બોરાલનાં સંગીતમાં ફિલ્મ સંગીતનાં પહેલાં રેકોર્ડ થયેલાં પાર્શ્વગીત - મૈં ખુશ હોના ચાહૂં - તેમણે સુપ્રોભા સરકાર અને હરિમતી દુઆ સાથે ગાયું હતું. આટલાં જોરદાર આગમનના પ્રમાણમાં તેમની શરૂઆતની કારકીર્દી કંઇક અંશે ધીમી રહી એમ કહી શકાય. અનિલ બિશ્વાસનો સાથ થયા પછી તેઓ મુખ્ય ધારાનાં ગાયિકા તરીકે પ્રસ્થાપિત થઇ ગયાં. લતા મંગેશકર સિવાયની પાર્શ્વગાયિકાઓમાં પારૂલ ઘોષે અનિલ બિશ્વાસનાં સહુથી વધારે ગીતો ગાયાં છે. ફિલ્મ 'આંદોલન' (૧૯૫૧)માં મન્ના ડે અને સુધા મલ્હોત્રા સાથેનું ગીત 'વંદે માતરમ' તેનું આખરી ગીત ગણાય છે.
૧૩ ઑગસ્ટ ૧૯૭૭ના રોજ લાંબી બિમારી બાદ તેમનું મુંબઇ માં નિધન થયું.
અનિલ બિશ્વાસનાં સંગીતમાં પારૂલ ઘોષે ગાયેલાં ગીતો વડે તેમને આપણી અંજલિ સમર્પિત કરીએ.
૧. તુમકો મુબારક હો ઊંચે મહલ યે, હમકો હૈ પ્યારી હમારી ગલિયાં - બસંત (૧૯૪૨) - ગીતકાર : પી એલ સંતોષી
clip_image003
'બસંત'ના પ્રોડ્યુસર નેશનલ સ્ટુડિયો સાથેના કરારની ગુંચને કારણે, ફિલ્મના સંગીતકાર તરીકે ચોપડે પન્નાલાલ ઘોષનું નામ ચડેલ છે.
૨. ઉમ્મીદ ઉનસે ક્યા થી ઔર કર વો ક્યા રહેં હૈ - બસંત (૧૯૪૨) - ગીતકાર : પી એલ સંતોષી
'આયે થે ઇશ્ક બનકર, અશ્ક બનકર ચલે ગયે વો' જેવા બહુ જ અર્થપૂર્ણ, કાવ્યમય, શબ્દો એ સમયનાં ગીતોની આગવી ઓળખ હતી.
૩. પપીહા રે મોરે પિયા સે કહિયો જા - કિસ્મત (૧૯૪૩) - ગીતકાર : પ્રદીપ
કાયદાની દૃષ્ટિએ અનિલ બિશ્વાસ - પારૂલ ઘોષનાં સહકાર્યનું પહેલું ચરણ 'કિસ્મત' ગણી શકાય. જો કે આ એક ગીત સિવાયનાં આ ફિલ્મનાં બધાં જ ગીત અમીરબાઇ કર્ણાટકીએ ગાયેલ છે. એ સમયે એક જ થિયેટરમાં સળંગ ત્રણ વર્ષ સુધી ચાલવાનો રેકર્ડ પણ 'કિસ્મત'ને અંકે છે, જે પછીથી લગભગ ૩૦ વર્ષ બાદ 'શોલે'એ તોડ્યો હતો.
૪. મૈં ઉનકી બન જાઉં રે - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
આ ફિલ્મમાં સુરૈયાએ પોતાનાં ગીતો ગાયાં હતાં, તેથી પારૂલ ઘોષનો સ્વર પરદા પર દેવિકા રાણીએ અભિનિત કર્યો હશે.
અય બાદ-એ-સબા ઇઠલાતી તો ન આ - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
નરેન્દ્ર શર્માની ખ્યાતિ હિંદી ભાષાના કવિ તરીકેની રહી છે, પણ આ ગીતમાં તેમની ઉર્દુ પરની ફાવટ કંઇ કમ હોય તેમ જણાતું નથી.
૬. હમસે ક્યા પૂછતે હો દર્દ કહાં હોતા હૈ - લેડી ડૉક્ટર (૧૯૪૪) – ગીતકાર :વલી સાહેબ
ગીતની રજૂઆતમાં કેવી તાજગી અનુભવાય છે !
૭. મોરે આંગનમેં છીડકી ચાંદની, ઘર આ જા સનમ - જ્વાર ભાટા (૧૯૪૪) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
સાજનને ઘર આવવાનાં ઇજનને કેટ કેટલાં કારણોથી સજાવેલ છે..
૮. ભૂલ જાના ચાહતી હું,ભૂલ પાતી નહીં - જ્વાર ભાટા (૧૯૪૪) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
પોતાના પ્રિતમને ન ભૂલી શકવાની વ્યથા પારૂલ ઘોષ કેટલી લાગણીથી રજૂ કરી શક્યાં છે...
૯. જિસને બનાયી બાંસુરી ગીત ઉસીકે ગાયે જા - મિલન (૧૯૪૬) - ગીતકાર : આરઝૂ લખનવી
જેટલું માધુર્ય અનિલ બિશ્વાસનાં સંગીતના સૂરમાં છે તેટલો જ ભાવ પારૂલ ઘોષના સ્વરમાં પણ છલકે છે.
૧૦. મૈં કિસકી લાજ નિભાઉં - મિલન (૧૯૪૬) - ગીતકાર : આરઝૂ લખનવી
'મિલન'નાં ગીતો ભાઇ-બહેનનાં સહકાર્યની ચરમ સીમા સ્પર્શતાં જણાય છે.
૧૧. સુહાની બેરિયાં બીતી જાય - મિલન (૧૯૪૬) - ગીતકાર : પી એલ સંતોષી
clip_image005

વેગુ પર પ્રકાશીત કર્યા તારીખઃ ૩૦ ઑગસ્ટ, ૨૦૧૪