અમારા પેઢી, જેમણે હવે આવી રહેલ નવી પેઢીને ઉછરતી અને પાંગરતી જોવાની છે, પણ જેમાં અમારું સીધું યોગદાન હોય પણ અથવા ન પણ હોય, માટે તો બાળકોનું બાળપણ વેડફાઇ જતું જોવું એ એક અકથ્ય વેદના છે.
ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
Saturday, October 15, 2011
Friday, October 14, 2011
Jhaverchand Meghani
Jhaverchand Meghani:
'via Blog this'
'via Blog this'
મેઘાણી પરિવારે માત્ર શ્રી ઝવેરચંદ મેઘાણીનો જ સાહિત્ય વારસો નહીં, ગુજરાતી સાહિત્યનો વારસો જાળવવામાં બેનમૂન ,અવર્ણીય અને અમુલ્ય સેવા કરી છે.
તે સૌને મારી શત શત સલામ......
Labels:
Gujarati Literature,
I Liked these
Location:
Ahmedabad, Gujarat, India
Wednesday, October 12, 2011
નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં - બ્રાયન ટ્રેસી
કોઇ નવી ટેવ પાડતાં કેટલો સમય જોઇએ? આ સમયગાળો એક સેકંડથી થોડાં વરસોનો હોઇ શકે! નવી ટેવનાં એક ઢાંચામાં સ્થાઇ થવાની ગતિ, જે રીતે નિર્ણય લેવાયો હોય તે, લાગણીની ઉત્કટતાપર આધાર રાખે છે. ઘણા લોકો વરસો સુધી વજન ઘટાડવા તેમ જ ચુસ્ત રહેવા અંગે વિચારતા કે વાત કરતા કે નિશ્ચય કરતા રહે છે. અને એક દિવસ અચાનક જ ડૉક્ટર જાહેર કરે છેઃ 'જો તમે તમારૂં વજન નહીં ઘટાડો અને સ્વાસ્થ્ય સુધારશો નહીં તો વહેલાં મૃત્યુને આવકારશો."
મૃત્યુનો ખયાલ એટલો ડરામણો અને પ્રબળ હોય છે, કે અચાનક જ વ્યક્તિ તેનો આહાર બદલી નાંખે છે, કસરત શરૂ કરી દે છે, ધુમ્રપાન બંધ કરી દે છે અને એક તંદુરસ્ત અને ચુસ્ત વ્યક્તિ બની જાય છે.માનસશાસ્ત્રીઓ આને 'સૂચક લાગણીશીલ અનુભવ' [Significant Emotional Experience - S E E] કહે છે. કોઇપણ વર્તન સાથે જોડાયેલ ઉત્કટ આનંદ કે પીડા, જીવનપર્યંત ટકી રહે તેવી સ્વાભાવીક, ટેવ બની જાય છે.
દાખલા તરીકે, ગરમ સ્ટવ કે વીજળીના જીવંત તારનો સ્પર્શ થોડીક ક્ષણોમાટે ખુબ જ તિવ્ર અને અચાનક જ પીડા અને આઘાત આપે છે. આ અનુભવ થોડીક ક્ષણ માટેનો જ હોય છે. પરંતુ, બાકીની આખી જીંદગી, આપણને ગરમ સ્ટવ કે વીજળીના જીવંત વાયરને હાથ ન અડાડવાની ટેવ પડી જાય છે. ટેવ પડે છે થોડી ક્ષણોમાં પરંતુ ટકે છે હંમેશમાટે.
નિષ્ણાતોનું માનવું છે કે મધ્યમ કક્ષાની જટીલતાવાળી ટેવ સામાન્યતઃ ૨૧ દિવસમાં રૂઢ થઇ જતી હોય છે, જેમ કે કોઇ ચોક્કસ સમયે વહેલા ઉઠવું, કામે ચડતાં પહેલાં સવારે કસરત કરવી, ગાડીમાં કાર્યક્રમો સાંભળવા, ચોક્કસ સમયે ઉંઘી જવું, મુલાકાત માટે નિશ્ચિત સમયે પહોંચવું, દરરોજનું આગોતરૂં આયોજન કરવું, દિવસની શરૂઆત મહત્વનાં કામોથી કરવી, કે પછી, નવું કામ હાથમાં લેતાં પહેલાં હાથપરનું કામ પુરૂં કરવું. આ બધી ૧૪થી ૨૧ દિવસના અભ્યાસ અને પુનરાવર્તનથી વિકસી તેવી મધ્યમ કક્ષાની ટેવો છે.
ટેવને વિકસાવવાની રીત કઇ? આટલાં વરસો દરમ્યાન,ટેવ વિકસાવવામાટે એક સરળ, જોરદાર અને સિધ્ધ, વાનગી બનાવવાના નુસ્ખા જેવી, પધ્ધતિ સુનિશ્ચિત થયેલ છે. તમે તેનો કોઇ પણ ટેવ વિકસાવવામાટે પ્રયોગ કરી શકો છો. આ પધ્ધતિ વડે તમે તમારાં વ્યક્તિત્વના વિકાસમાટેની ટેવો સરળતાથી વિકસાવતા થઇ જશો.
નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં
પહેલું, નિર્ણય લો.
જ્યારે જ્યારે કોઇ ચોક્કસ વર્તનની જરૂર પડે ત્યારે ત્યારે હરહંમેશ એક ચોક્કસ રીતે જ વર્તશો તેમ નક્કી કરો. દાખલા તરીકે સવારે ચોકકસ સમયે ઉઠી જવું અને કસરત કરવી, તમારાં ઘડીયાળનાં ઍલાર્મને નિશ્ચિત સમય માટે ગોઠવવું અને જેવું ઍલાર્મ વાગે તેવું તરત જ ઉઠી જઇ કસરતનો પોષાક પહેરીને કસરત શરૂ કરી દેવી.
બીજું, ટેવ ઘડતરના સમયે તેમાં કોઇ અપવાદની જગ્યા ન રાખશો.
કોઇ બહાનાં કે તાર્કિક કારણો ન શોધી કાઢશો.તમારી જાતને ચુંગાલમાંથી છોડાવશો નહીં. જો સવારે ૬ વાગ્યે ઉઠવાનું નક્કી કર્યું હોય, જ્યાં સુધી આપમેળે દરરોજ સવારે ઉઠી ન જવાય ત્યાં સુધી તો નિયમિત રીતે ૬ વાગ્યે ઉઠી જવાનું શિસ્ત પાળવું જ.
ત્રીજું, અન્યોને કહો કે તમે એક ચોક્કસ વર્તનની ટેવ પાડી રહ્યા છો.
બહુ નવાઇ લાગશે કે આપણને જ્યારે કોઇ જોતું હોય, કે તમારામાં તમારા નિશ્ચયને પાર ઉતારવાની માનસીક તાકાત કેટલી છે, ત્યારે આપણે કેટલા શિસ્તબધ્ધ અને કૃતનિશ્ચયી થઇ જતા હોઇએ છીએ.
ચોથું, તમારાં મન સમક્ષ તમારી જાતને કોઇ ચોક્કસ સંજોગોમાં એક નિશ્ચિતરીતે જ વર્તન કરતા હો તેવી કલ્પના કરો.
જેટલી વધારે તમને આ ટેવ પડી જ ગઇ છે તેવી પરિકલ્પ્ના તેમ ધારણા કરશો, તેટલીજ ઝડપથી તમારી સુષુપ્ત ચેતના એ વર્તનને સ્વીકારી લેશે અને સ્વયંસચાલિત કરી દેશે.
પાંચમું,તમારી આંખો સમક્ષ ફરી ફરીને આવ્યા કરે તેવું કલ્પના-ચિત્ર બનાવો.
આવી પુનરોક્તિથી વર્તનનું ટેવમાં નાટકીય ઝડપથી રૂપાંતર થતું જણાશે. દાખલા તરીકે, દરરોજ સુતાં પહેલાં 'હું ૬ વાગ્યે ઉઠીને તરત જ તૈયાર થઇ જઇશ' વાક્ય બોલવાથી તમે ઍલાર્મ વાગ્યા પહેલાં જ આપમેળે ઉઠી જઇ શકશો. થોડા સમય પછીથી ઍલાર્મની પણ જરૂર પડવાનું બંધ થઇ જશે.
છઠું, નવાં વર્તનને ત્યાં સુધી વળગી રહો, કે તે એટલી હદે સ્વાભાવીક અને સરળ બની જાય કે તે પ્રમાણે ન કરવાથી તમે અસ્વસ્થ બની જાઓ.
સાતમું, અને મહત્વનું,નવાપ્રકારનાં વર્તનમાં ભાગીદાર થવા માટે તમારા માટે કોઇ પુરસ્કાર રાખો.
તમે જ્યારે જ્યારે તમને પુરસ્કૃત કરશો ત્યારે ત્યારે તમારા નિર્ણયને તમે વધુ સુદ્રઢ્ઢ કરશો તેમ જ નવાં વર્તનને વધુ ઘૂંટશો.પછીથી તુરંત તમે પુરસ્કારના આનંદની સાથે તમારાં વર્તનને અજાણતાં જ જોડી દેશો. આમ તમે અજાણ્યે જ એ નક્કી કરેલ વર્તણૂક કે ટેવ પ્રમાણે વર્તવા ઇચ્છવા લાગો તે પ્રકારની શક્તિનું આવરણ તમારી આસપાસ રચાઇ જશે.
મુળ લેખ અહીંયાં છે: http://www.briantracy.com/blog/personal-success/seven-steps-to-developing-a-new-habit/
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ તારીખઃ ૧૩ ઑક્ટોબર,૨૦૧૧
Labels:
Brian Tracy,
Transliterations,
ભાવાનુવાદ
Location:
Ahmedabad, Gujarat, India
Monday, October 10, 2011
જગજિતસિંઘની વિદાયઃ એક કૃતજ્ઞ કલાકારને અંજલિ by Urvish Kothari
gujarati world:
'via Blog this'
'via Blog this'
જગજીતસિંઘ એ ગઝલગાયકીને class અને mass એમ બંન્ને સ્તરપર એક ખાસ સ્થાન અપાવી દિધું તે નિઃશંક જ છે.
પ્રસિધ્ધિના મોહમાં તેમણે ગુણવત્તા કે પ્રયોગશીલતાને પ્રાધાન્ય ના આપ્યું હોય તેવું પણ થવા નહોતું દીધું.
સ્ટૅજ-શૉ કે જાહેર મહેફીલ હોય,શ્રોતાઓના રસને તેઓ તેમ્ની ગાયકીની ઉંચાઇ એ લઇ જવાનું સંયોજન સ-રસ ગોઠવી શકતા; શ્રોતાગણની પસંદ કે નાપસંદની અસર તેમની ગાયકીને કે ગઝલોની પસંદગીપર ન પડતી.
કળાના આટલા સંન્નિષ્ઠ સેવકને તેમની આખરી લડાઇમાં વિધિની પસંદની સામે અંતે નમતું જોખવું પડ્યું.
Labels:
I Liked these,
Jagjit Singh
Location:
Ahmedabad, Gujarat, India
Sunday, October 9, 2011
વિસર્જનનો સમય - દેવદત્ત પટ્ટનાઇક
આપણે દરેક વરસનાં ઢળતાં
ચોમાસે, તેની મૂર્તિને ઘરે લાવીએ
છીએ, સ્થાપન કરીએ છીએ,ધૂપ- અગરબત્તીથી ભક્તિ કરીએ અને પ્રસાદ ધરાવીએ અને પછી, સમુદ્રમાં પધરાવી દઇએ છીએ.
વરસો વરસ, આપ્ણે દેવાદિધેવને આમંત્ર્યા બાદ ચુસ્ત દક્ષતાથી તેમને
વિદાય પણ કરીએ છીએ.દર વરસે આપણે તેમની માટીની મૂર્તીનાં સ્થાપનને અને પછીથી, ચંદ્રની ઢળતી કળાની ચૌદમી તિથિએ, રાજવી ઠાઠવાળી એ મૂર્તીઓના અવશેષોને સમુદ્રમાં જોઇએ છીએ.દસ
દિવસ ના સંગીત, ન્રુત્ય અને
ભક્તિ-પ્રાર્થનાઓના ઉત્સવ પછીથી શાંતિ. ભક્તિભાવથી પૂર્વજોને યાદ કરવાના દિવસો.

હવે પછીનું પખવાડીયું મૃત વડીલોને પૂજવામાં વીતશે.આ
પિતૃઓનું પખવાડીયું છે, જ્યારે આપણે તેમને યાદ
કરીએ છીએ અને તેમને પુનઃજન્મની ફરીથી હૈયાધારણા આપીએ છીએ.
ભારતમાં ઉદભવેલા ધર્મોના
મુળમાં "સર્વનો અંત છે" તે સિધ્ધાંત રહ્યો છે. કંઇ જ શાશ્વત નથી. દરેક
વખતે નિશ્ચેતન વસ્તુનું સ્વરૂપ બદલે છે. ચેતન સ્વરૂપનું મૃત્યુ નિશ્ચિત છે.મૃત્યુ, બદલ્લવ અને પરિવર્તન એ કુદરતના ક્રમ છે. માત્ર આનું જ
અનુમાન કલ્પી શકાય તેમ છે. બદલાવસાથે તાલ મેળવી શકવું તે જ જીંદગી. નિર્જીવ પહાડો
કે નદીઓને મૃત્યુનો અહસાસ નથી, તેથી તેઓ પરિવર્તનને
અવરોધતાં નથી. સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુથી વાકેફ છે, માટે તેઓ મૃત્યુનો પ્રતિકાર કરે છે. તેમની અસ્તિત્વમાટેની મથામણ તેમને સતત દોડતાં અને લડતાં
રાખે છે.માત્ર મનુષ્ય જ મૃત્યુવિષે વિચારી શકે છે, જીવનના અર્થની
શોધ કરી શકે છે, ઉત્કટતાથી જાણવા માંગી
શકે છે કેઃ આ બધાંનો અર્થ શો? કુદરત કોઇ જવાબ નથી
આપતી.ધર્મો અનુમાનોને રજૂ કરે છે તો વિજ્ઞાન પણ હતોત્સાહ થઇને હાર માનતું જણાય
છે.કોઇને કશી ખબર નથી. આ સ્થિતિ નિરાશાજનક છે.તેથી આપણે અસ્તિત્વવાદી ગુસ્સાને
બાજુએ મુકીને એવી ક્ષુલ્લક યોજનાને આધીન થઇ જઇએ છીએ જેમાં આપણાં જ સર્જેલ લક્ષ્ય
કે ધ્યેયને આપણે આપણાં જીવનનો અર્થ ઘોષિત કરી દઇએ છીએ.
મહાભારતમાં યક્ષના જગતની
સૌથી મહાન અજાયબી કઇ તે પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિર કહે છેઃ "દરરોજ કેટલાંયે
લોકો મૃત્યુ પામે છે, પરંતુ બીજાં બધાં
જાણે મૃત્યુ કદી આવવાનું જ નથી તેમ જીવવાનું ચાલુ રાખે છે.આ છે મહાન અજાયબી".
આપણે દર વરસે ગણેશને સમુદ્રમાં પધરાવીએ છીએ, માટીને ધીમે ધીમે પાણીમાં ઓગળતી જોઇએ છીએ, આંખસામે મૂર્તિને ઓજલ થતી
પણ જોઇએ છીએ.શું આપણા વડવાઓએ આવી વિગતવાર વિધિ આપણને જીવનની ક્ષણભંગુરતા યાદ રહે
તે માટે જ ઘડી કાઢેલ છે?કંઇ જ શાશ્વત
નથી. તેથી,જીંદગીનો મકસદ કશું
મેળવવાનો નહીં,
પરંતુ બેસીને
ઠંડે કલેજે, આ બધાંનો શો અર્થ છે તેમ
વિચારવાનો છે. માટે જ,ભારત તેના સાધુ, સંતો અને ફિલસૂફોમાટે
જાણીતું છે.અને એટલે જ આપણામાટે બાહરી ભૌતિક સિધ્ધિઓ કરતાં ધનની જેમ વહેંચી ન શકાય
પણ અંદરથી પ્રજ્વલિત થતાં ડહાપણરૂપી આંતરીક આધ્યાત્મીક અનુભુતી વધારે મહત્વની બની
રહે છે.વિદ્વતા,
આપણને ક્રોધીત
ક્રાંતિકારી નહીં પણ, વધુ નમ્ર અને
સૌમ્ય બનાવે છે,
કારણકે આખરે તો
દરેક ક્રાંતિનો પણા ખચિત વિલય થવાનો જ છે.
સામાન્યતઃ આપણે ભૂલી જઇએ
છીએ કે ગણેશની સાથે લક્ષ્મી અને સરસ્વતીનું સ્થાન હોય છે જ.લક્ષ્મીનું ત્યારે આગમન
થાય ત્યારે ગણેશ વિદાય લેતા હોય તો જ્યારે ગણેશ વિદાય લઇ રહ્યા હોય છે ત્યારે
સરસ્વતીનું આગમન થતું હોય છે.આ બંન્ને દેવીઓનો પ્રવેશ અનુક્રમે ચડતીના સમયમાં ધનદોલત અને પડતીના દિવસોમાં ડહાપણનાં સ્વરૂપે
થાય છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, લક્ષ્મી આપણો
બાહ્ય વિકાસ કરે જ છે,જ્યારે સરસ્વતી
આપણો આંતરીક વિકાસ કરે છે, પરંતુ જો આપણી
ઇચ્છા હોય તો જ. બેમાથી કોઇ એક દેવીની જ પંસદગી થઈ શકે છે.ગણેશજી સદાય સ્મિત
રહેલાવતા રહે છે,
કારણકે તેમની
પાસે છે માનવતામાં શ્રધ્ધા અને અથાગ ધીરજ.
'દેવલોક, સન્ડે મિડ ડે, સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૧’માં પ્રકાશિત થયેલ
ભાવાનુવાદઃ અશોક
વૈશ્નવ
Labels:
Devdutt Pattnaik,
Mythology,
Transliterations,
ભાવાનુવાદ
Location:
Ahmedabad, Gujarat, India
ડો.પ્રજ્ઞા પૈ – એક પ્રખ્યાત લેખક -એક વિરલ વ્યક્તિત્વ
ડો.પ્રજ્ઞા પૈ – એક પ્રખ્યાત લેખક -એક વિરલ વ્યક્તિત્વ:
'via Blog this'
'via Blog this'
યાદ નથી તેટલાં વરસોથી ડૉ.પૈના લેખો ને માણ્યા છે.
સ્રળ ભાષામાં મુશ્કેલ વિષયને ગદ્યલેખનનાં સ્વરૂપે રજૂ કરવાની તેમની કળા અનુકરણીય છે, પરંતુ તેમનું તેમના વ્યાવસાયીક ક્ષેત્ર ઉપરાંત્નું આ યોગદાન તો અમુલ્ય છે.
Labels:
Dr. Pragna Pai,
I Liked these
Subscribe to:
Posts (Atom)
