Friday, September 30, 2011

The forever recession (and the coming revolution) - Seth Godin

Seth's Blog: The forever recession (and the coming revolution)


માહિતી યુગમાં આદ્યોગિક કે કૃષિસંલગ્ન હુન્નર કે આવડતને ઓછું પ્રાધાન્ય મળતું જણાઇ રહ્યું છે. લેપટોપ કે આઇ-પૅડ આજનાં મોભાનાં બોલકાં ચિહ્નો જરૂર હોઇ શકે અને તેથી એક પ્લમ્બર કે ટેક્નીશીયન કરતાં દેખીતી રીતે ઓછી આવક પેદા કરતા હોઈ શકે, પણ તેમની જગ્યા લેવી હોય તો જાતે એ કામની આવડત શીખવી પડે પણ માઉસના ક્લિક કે સ્ક્રીનના સ્પર્શથી કામ થઈ તો નહીં જ જાય.

કોમ્પ્યુટરથી થઇ  ન શકે તેવો હુન્નર જો ન કરી શકાય તેમ હોય તો નવી આવડત કેળવવાની અથવા તો નવી રીતે પહેલાનું કામ કરવાની આવડત તો શીખવી જ રહી.

 દેખીતી રીતે બહુ અઘરું લાગે છે?

શરૂની થોડી અગવડો કે અ-સફળતાઓને ગણકાર્યા વગર, દિલથી સંન્નિષ્ઠ મહેનત કરીએ તો આ કક્ષાએ પહોંચવું અશક્ય તો નથી જ...........

I landed on the following satirical story, just as I had finished this post.


"Lesson for all Salaried People - funny story! ?
A shopkeeper watching over his shop is really surprised when he sees a dog coming inside the shop, He shoos him away. But later, the dog is back inside again. So he goes over to the dog and notices that it has a note in its mouth. He takes the note and it reads "Can I have 12 soaps and a shampoo bottle, please. The money is with the dog." The shopkeeper looks inside the dogs mouth and to his surprise there is a 500 rupees note in his mouth. So he takes the money and puts the soap, shampoo and change in a bag, and then places it in the dogs mouth.

The shopkeeper is so impressed, and since it is the closing time, he decides to follow the dog. The dog is walking down the street, when it comes to the zebra crossing, he waits till the signal turns green. He walks across the road till the bus stop. He waits on the stop and looks up the timetable for the bus. The shopkeeper is totally out of his mind as the dog gets into the bus and sits on a vacant seat. The shopkeeper follow the dog. The dog waits for the conductor to come to his seat. He gives the change to the conductor and shows him the neck belt to keep the ticket. The shopkeeper is almost fainting at this sight and so are the other people in the bus.

The dog then moves to the front exit of the door and waits for the bus stop to arrive, looking outside. As soon as the stop is in sight he wags his tail to inform the driver to stop. Then not even waiting for the bus stop to arrive the dog jumps out and runs to the house nearby. It opens an big iron gate and rushes towards the door. As it approaches the door, he changes his mind and walks towards the garden. The dog walks up to the window and beats his head several times on the window. It then walks back to the door and waits. The shopkeeper maintaining his senses walks up to the door and watched a big guy open the door.

The guy starts beating, kicking and abusing the dog. The shopkeeper is surprised and runs to stop the guy. The shopkeeper questions the guy "What in the heaven are you doing? The dog is a genius he could be famous in life."

The guy responds "You call this clever? This is the 3rd time in this week that the dog has forgotten the door keys."

The moral of the story: "You may continue to exceed onlookers expectations, but will always fall short of the boss' expectation"

The salary Axiom: The pay raise is just large enough to increase your taxes and just small enough to have no effect on your take-home pay.

Isaac's Strange rule of staleness: Any food that starts out hard will soften when stale. And food that starts out soft will harden when stale.

Lampner's Law of Employment: When leaving work late, you will go unnoticed. When you leave work early, you will meet the boss in the parking lot. "


No one will ever wish to identified with the dog of this story, isn't it?

Thursday, September 29, 2011

Jabberwock: Rafa: the pros and cons of a mid-career memoir

Jabberwock: Rafa: the pros and cons of a mid-career memoir: [ Okay, this is my last piece on tennis for some time - a review I did of Rafael Nadal's autobiography for Business Standard . Some earlier ...

Tuesday, September 27, 2011

કચ્છઃ વિહંગાવલોકન -- અવલોકન


 પહેલી આવૃત્તિ ઃ જુલાઇ ૨૦૧૧
લેખકઃ હરેશ ધોળકિયા                       hareshdholakia@yahoo.com
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય     goorjar@yahoo.com
ISBN 987 -81-8480-596-3


શ્રી હરેશ ધોળકિયાએ કચ્છવિશે ભુતકાળમાં પણ ઘણાં પુસ્તકો અને લેખો લખ્યા તેમજ પ્રકાશિત કરેલ છે. એ દ્રષ્ટિએ 'કચ્છઃ વિહંગાવલોકન'એ તેમની લેખન અને સંપાદનની અવિરત પ્રક્રિયાનું અનુસંધાન કહી શકાય.

આથી ૨૧ નોંધ-પ્રકરણોની મદદથી આ પુસ્તક કચ્છનાં ઘણાં પાસાંઓ, જેવાં કે  ભૂ-સાંસ્કૃતિક ઇતિહાસ તેમ જ રીપોર્ટ્સ; રાજકારણસાથે સંકળાયેઅલ ઘટનાઓ; તત્કાલિન ઘટનાઓ પર પ્રભાવ પાડી શકેલ અથવા તો ન પાડી શકેલ કચ્છી વ્યક્તિત્વો; કચ્છમાં શિક્ષણની તવારીખ તેમજ ૨૦૦૧ના ધરતીકંપ પછીનાં સાંપ્રત કચ્છનું વિશ્લેષણ વિ.ને આવરી લે છે.

આમ લેખકે વ્યાપક વિષયોને આવરી લેવા છતાં પુસ્તક અંગે તેમના બે મુખ્ય ઉદ્દેશ્યને પુસ્તકની પ્રસ્તાવનામાં જ કહી દીધા છેઃ કચ્છ અંગેની ભુતકાળની તેમ જ વર્તમાન ઘટનાઓને ગ્રંથસ્થ કરવી અને ભવિષ્યનાં સંશોધનોને મદદરૂપ થવું.

'કચ્છઃ વિહંગાવલોકન’,એ લેખકની 'કચ્છમિત્ર'માટેની નિયમિત કટારમાટેના સમયાંતરે લખાયેલ લેખોનું સંપાદન હોવા છતાં, તેના બંન્ને ઉદ્દેશ્યોની કસોટીએ ખરૂં નીવડે છે.

પુસ્તકના ૧૧મા પ્રકરણ - કચ્છના ઇતિહાસના લેખન સંદર્ભે - [પૃષ્ઠ૬૯]માં લેખકે કચ્છના ઇતિહાસને ગ્રંથસ્થ કરવામાં રહેલી અડચણો સમજાવી છે. તેથી આપણે લેખકના આ પુસ્તક ના વિહંગાવલોકનના દ્રષ્ટિકોણનેપણ સમજી શકીએ છીએ.

સમગ્રપણે, પુસ્તક સાચી દિશામાં યોગ્ય પ્રયાસ છે, તેમજ લેખકના કચ્છપ્રત્યેના રાગ અને પ્રેમને પ્રતિબિંબીત કરે છે.
કચ્છસાથે કોઇપણરીતે સંકળાયેલ વ્યક્તિમાટે આ પુસ્તક વાંચવું તેમ જ વસાવવું આવશ્યક ગણાય.૨૦૦૧ના ધરતીકંપબાદ કચ્છનો વ્યાપ જે રીતે કચ્છી અને ગુજરાતી સીમાડા પાર કરી ગયેલ છે તે દ્રષ્ટિએ આ પુસ્તકનો અંગ્રેજીમાં પણ અનુવાદ થવો જોઇએ.

      -- અશોક વૈશ્નવ, અમદાવાદ, સપ્ટેમ્બર ૨૬, ૨૦૧૧

Sunday, September 25, 2011

મન્સુર અલી ખાન 'ટાઇગર' - "પટૌડી"ના નવાબ




૧૯૬૦ના દાયકાના અન્ય ક્રિકેટ-ચાહકોની જેમ અમે પણ પટૌડીની ક્રિકેટ કરામતોને રેડીયો કોમેન્ટરીદ્વારા તેમ જ તેમની વ્યુહરચનાઓ જેવી ક્રિકેટનાં જ્ઞાનઅંગેની વાતો અખબારો કે મૅગૅઝીન્સના અહેવાલોદ્વારા માણતા. તેમની કપ્તાનીહેઠળની ભારતીય ટીમની સફળતાઓને અહોભાવથી જોવામાં ગર્વ અનુભવતા, તો ગમે તેવા શક્તિશાળી હરીફની આંખોમાં આંખો મેળવી શકવાનું તેમનું ખમીર અમારું આદર્શ બની રહેતું.
લગભગ ૧૯૬૬/૬૭ના અરસામાં અમદવાદનાં સરદાર પટેલ સ્ટેડીયમપર રમાયેલ દુલિપ ટ્રોફી મૅચમાં તેમને નજરે રમતા જોવાનું સદભાગ્ય પણ મને મળ્યું હતું.
જો કે પટૌડીનો આ પરિચય કિશોરાવસ્થાની મુગ્ધસમજ્થી વધારે ન કહેવાય.
પટૌડીની ક્રિકેટક્ષમતાની ઇમારત જે પાયા પર બંધાઇ હતી તેવી, તેમની ટીમ સંગઠન કે નેતૃત્વના ગુણોસાથે સંકળાયેલ, નૈસર્ગિક ખુબીઓની ઓળખ તો મને તે લગભગ ૨૫/૩૦ વર્ષ પછીથી થઇ.
ઇન્ડસ્ટ્રી મેનેજમેન્ટમાં વીસેક વર્ષની પ્રેક્ટીસબાદ જ્યારે મારા યુવાન સાથીદારોસાથે - ટીમ મેનેજમેન્ટ, ડેલીગેશન કે નેતૃત્વ જેવા વિષયોપર - પ્રશિક્ષણનાં શિબીર કે ચર્ચાઓ સમયે આ સિદ્ધાતોની સરળ સમજની ભુમિકા તરીકે તેમને કેટકેટલા વિવિધ વિષયોના સંદર્ભે યાદ કર્યા. ક્રિકેટમાંથી તેમની નિવૃત્તિ બાદ પણ અમે મેનેજમેન્ટના પણ કેટલાયે પાઠ તેમની જીવનશૈલીમાંથી શીખ્યા.
તેમની આવી નૈસર્ગીક શક્તિઓને અહીં સાદર રજૂ કરું છુંઃ
૧] લડ્યા વગર કોઇ પણ લડાઇ હારવી ન જોઇએ. 
પટૌડીએ આપણી ટીમનું નેતૃત્વ ખુબજ આઘાતજનક સંજોગોમાં તો સંભાળ્યું જ હતું, પણ તેમની પસંદગી તેમની તે સમયની ઉમર અને અનુભવની દ્રષ્ટિએ થોડી નવાઇ પમાડે તેવી પણ હતી. કોઇ તરવરીયા યુવાનને અચાનક જ આવી મોટી અને કપરી જવાબદારી સંભાળવાની આવી પડે તો શરૂમાં થોડો ખચકાટ જોવા મળે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝ્ના બાકીના સમગ્ર પ્રવાસ દરમ્યાન પટૌડીના અભિગમમાં એવી કોઇ જ દ્વિધા હોય તેવું જોવા નહોતું  મળ્યું.
૨] સમકક્ષોમાં પહેલો એટલે ટીમનો નેતાઃ
વેસ્ટ ઇન્ડિઝ્ના એ પ્રવાસ દરમ્યાન કોઇને એવો કોઇ જ અંદેશ સુધ્ધાં ન આવ્યો કે પટૌડી તે સમયે ટીમના સૌથી નાના ખેલાડી હતા કે તેમના અન્ય સાથીઓ તેમનાથી વયમાં કે અનુભવમાં મોટા હતા. તે જ રીતે, પછીનાં વર્ષોમાં કોઇ નવા ખેલાડીને આટલી પ્રતિભાવાન વ્યક્તિસાથે સુમેળ સાધવામાં અંતર જણાયાનું પણ જાણવામાં આવ્યું નથી. આમ ટીમના એક અવિભાજ્ય હિસ્સો હોવા છતાં ,જેટલો કોઇ પણ મહત્વના નિર્ણયમાં તેમનો શબ્દ આખરી ગણાતો તેટલા જ તે પ્રેરણાના સ્રોત પણ ગણાતા હતા.
૩] ઉચ્ચ-કક્ષાની ટીમનું સંયોજન કરવા કરવા માટે ટીમના સભ્યોની પસંદગી નેતાની મરજીમુજબ જ હોવી જોઇએ તેવું જરૂરી નથી.
પટૌડી હંમેશ એવું કહેતા કે રાષ્ટ્રીય ટીમમાં પસંદ થયેલ ખેલાડી દેશના અન્ય ખેલાડી કરતાં વધારે સારો ખેલાડી હશે તેમ કપ્તાને સ્વિકારીને જ આગળ વધવું જોઇએ. તેઓ એમ પણ માનતા કે વિશ્વનો શ્રેશ્ઠ સ્પીનર શ્રેશ્ઠ ફીલ્ડર પણ હોય કે સારો ફીલ્ડર એક સારો બોલર કે બેટ્સમેન પણ હોય તેમ જરૂરી નથી. તેથી કપ્તાનનાં આયોજન કે વ્યુહરચનામાં ટીમના દરેક સભ્યનાં સબળાં પાસાંઓનો સરવાળો તેઓનાં નબળાં પાસાંઓના સરવાળા કરતાં વધારે થવો જોઇએ.
૪]સકારક અભિગમ
કોઇ પણ મેચની હારનાં વિષ્લેશણના કારણોમાં ખરાબ પીચ કે પ્રવાસનાં આયોજનમાં ખામી કે ટીમની ન સુધરતી નબળી ફિલ્ડીંગની ટેવ તેઓ ક્યારે પણ ન લાવતા. તો સારાં ક્રિકેટના ભોગે  હાર કે ડ્રૉ ના રેકર્ડ્સમાટે કરીને તેમણે રક્ષણાત્મક વ્યુહરચનાઓ કદી પણ ન અપનાવી.
] તમારી પોતાની તેમ જ તમારા સાથીઓની શક્તિઓપર ભરોસો રાખો
ફીલ્ડપર કે બહાર, તેમનું કોઇ પણ ઉચ્ચારણ કે વર્તન - દરેક સેસનમાં મેદાનપર જતી વખતે ટીમને સવિશ્વાસ દોરી જવું કે ફીલ્ડીંગની આક્રમક વ્યુહરચનાઓ કે  તત્કાલીન પરિશ્થિતિને ધ્યાન્માં લઇને કોઇ બૉલરને આક્રમણ્માં લાવ્યા પછી થોડા વધારે રન થતા દેખાય તો પણ બૉલરને પુરો સાથ અને ટેકો આપવો – તેમના, પોતાની તેમજ પોતાના સહયોગીની શક્તિઓ પરના, ભરોસાને વ્યક્ત કરતાં.
તદુપરાંત તેઓ એમ પણ માનતા કે ટેસ્ટ ટીમમાં સ્થાન પામેલ ખેલાડીને તે સમયની પરિસ્થિતિને પારખીને કેમ બૉલીંગ કે બૅટીંગ કે ફીલ્ડીંગ કરવી તેવી સામાન્ય સુચનાઓ આપવાની જરૂર ન હોવી જોઇએ. તેઓ તે પરિસ્થિતિઅંગે તેમનું વિષ્લેશણ કે વ્યુહરચના સમજાવી તેનો અમલ તે ખેલાડી પર છોડી દેતા.
ડેલીગેશનના સિધ્ધાંત શીખવાડવામાટે આનાથી સારા કેસ-સ્ટડી ક્યાંય જોવા નહીં મળે.
૬] ધ્યેય હંમેશાં ઊંચું રાખો અને સમસ્યાનું નિરાકરણ સામે ચાલીને શોધો
ત્રણ સ્પીનરને ટીમમાં રાખવા કે બેટ્સમેન સાથે હાથ મેળવી શકાય તેવી ફીલ્ડીંગની આક્રમક છત્રી- ગોઠવણ કે બે એક વિકેટ ઉપરાઉપરી પડી ગઇ હોય ત્યારે ફીલ્ડરની ઉપરથી કુદાવીને શૉટસ લગાવવા તે તેમનાં નેતૃત્વમાં પરિણામમાં થોડી કચાશ કદાચ  સ્વિકાર્ય પણ ઓછો પ્રયત્ન જરા પણ નહીં ચાલે તેવા જીવનઅંગેના ઉન્નત અભિગમનાં બોલતાં પ્રમાણ રહ્યાં.
૭] વ્યાવસાયિક જીવનમાં પ્રગતિમાટે શિસ્તનો આગ્રહ
પોતે રઇશ ખાનદાનના હોવા છતાં કે તેમનો ઉછેર પાશ્ચ્ચાત્ય વાતાવરણમાં થયો હોવા છતાં ક્રિકેટ પ્રવાસ દરમ્યાન નિયમિત દિનચર્યા જેવી શિસ્તના તેઓ આગ્રહી હતા. આ બાબતે તેઓ તેમના ઉત્કૃષ્ટ ખેલાડીને પણ બક્ષતા નહોતા.

આવા આ શ્રી મન્સુર અલી ખાન 'ટાઇગર' , પટૌડીના નવાબને મારી એક ઉત્કૃષ્ટ ખેલાડી કે અનુકરણીય કપ્તાન ઉપરાંત ટીમ મેનેજમેન્ટ કે નેતૃત્વની કળાની best-practicesના પથદર્શક તરીકે મારી સાદર અંજલિ છે.
n  અશોક વૈશ્નવ, અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૧

Friday, September 23, 2011

સ્ત્રી દેહ -- દેવદત્ત પટ્ટનાઇક

માનવ ઇતિહાસએ સ્ત્રી દેહનાં ભૌતિક કે દેખાવનાં સ્વરૂપને સામાન્યતઃ પુરૂષની મિલ્કત ગણી છે.તેથી ,વ્યભિચાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર છે) અને  બળાત્કાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર નથી)ને પુરૂષ માટે માનહાનીજનક ગણેલ છે.

પરશુરામની કથામાં, તેમની માતા, રેણુકા, થોડા સમયમાટે અન્ય પુરુષનો સહવાસ ઝંખે છે. આ 'વૈચરિક' અપરાધનાં પરિણામરુપે, પિતા - જમદગ્નિ-ના આદેશથી તેનો પુત્ર તેનો શિરચ્છેદ કરે છે. અંતે તો તેને ગણીકાઓની દેવી યેલમ્મા સાથે પણ સાંકળી લેવાયેલ છે.

રામની કથામાં, રાવણદ્વારા સીતાનું અપહરણ તેમની આબરૂને ડાઘ લાગી જાય તે હદસુધીની લોકચર્ચાને ચકડોળે ચડાવે છે કે રામ તેમનો ત્યાગ કરી દે છે.

આ બંન્ને કથાઓમાં સ્ત્રી પર સીધો કોઇ હુમલો નથી થયો.સ્ત્રીશાલિનતાપરનું ગ્રહણ માત્ર આઘાત્ પેદાકારક છે. જે કંઇ તમારૂં છે તેના પર કોઇ પોતાની માલિકી કરી શકે તે 'વિચાર' [રેણુકાની કથા] કે કોઇએ માલિકી કરી લીધી છે તેવી 'માન્યતા'[સીતાની કથા]ના ખયાલમાત્રથી તમારી માનહાની થઇ જઇ શકે છે.

જ્યારે પણ આપણે હિન્દુધર્મને બચાવપક્ષનાં પાંજરાંમાં ઉભો કરવા માગતા હોઇએ છીએ કે હિન્દુ સામાજીક રિવાજોને પુરૂષપ્રધાન સાબિત કરવા હોય છે ત્યારે આપણે આ કથાઓને આ સ્વરૂપે રજૂ કરીએ છીએ, પરંતુ આ જ ગ્રંથોમાં આ કથાઓનાં એ સ્વરૂપોનો ઉલ્લેખ માત્ર પણ કરતા નથી  જેમાં આ કથાઓનાં બીજાં પાસાંઓ પણ અસરકારકરીતે કહેવામાં આવ્યાં હોય.

કેટલીક કથાઓમાં જેમાં અહલ્યાનો એક પ્રમાણિત વ્યભિચારિણી અથવા બળાત્કારીત સ્ત્રી તરીકેનું વર્ણન છે, જેને કારણે જેના પતિએ તેને પથ્થરની શિલા બની જવાનો શ્રાપ આપ્યો હતો, પરંતુ રામના પાદસ્પર્શથી જે પવિત્ર અને શ્રાપમુક્ત થઇ હતી તેવી કથા આપણે કહેતા નથી. આ એજ રામ છે જે સીતાનો ત્યાગ કરશે.આવા પુરૂષપ્રધાન રામ એક વ્યભિચારિણીને પવિત્ર શા માટે કરે છે? આનું કોઇ સ્પષ્ટીકરણ જોવા નહીં મળે! શા માટે આવા રામ કલંકિત સીતાના ત્યાગ પછીથી ફરીથી લગ્ન નથી કરતા? કોઇ સ્પષ્ટીકરણ નહીં! શા માટે આ કથાઓમાં સ્ત્રીઓ પ્રત્યે દાક્ષિણ્ય કે ક્ષમા [અહલ્યાની મુક્તિ]કે પ્રતિબધ્ધત્તા [સીતાત્યાગ પછીથી પુનઃલગ્ન ન કરવાં] જેવાં સ્વરૂપને બદલે સમાજના પુરૂષપ્રાધાન્યને ઉભારતાં કથાતત્વને વધુ પ્રસિધ્ધિ મળે છે?

આપણે ઉપનિષદની એ કથા પણ નથી કહેતા જેમાં ગૌતમ ઋષિ તેમનીપાસે શિષ્ય થવા આવેલ બાળકને પૂછે છેઃ " તારા પિતાનું નામ શું છે?" જેના જવાબમાં બાળક કહે છેઃ "મારી માતા એ આપને એમ કહેવાનું કહેલ છે કે તે એક દાસી છે અને તેણે અનેક પુરૂષોની સર્વ પ્રકારે સેવા કરી છે, તેથી તેને મારા પિતા કોણ છે તે ખબર નથી. માટે મને જાબાલાના પુત્ર, જાબાલી, તરીકે સ્વિકારો." આવા સાચા અને પ્રમાણિક જવાબની ભેટ રૂપે ઋષિ બાળકને સત્યકામ [સત્યનો ચાહક] નામથી શિષ્ય તરીકે આવકારે છે.

આપણે મહાભારતની શ્વેતકેતુની એ કથા પણ નથી કહેતા જેમાં તે તેની માતાને પરપુરૂષની સાથે જોતાં ચોંકી ઉઠીને તેના પિતા ,ઉદ્દાલક,ને શિકાયત સ્વરૂપે જાણ કરે છે, ત્યારે તેના પિતા જવાબમાં કહે છેઃ "સ્ત્રીને જે પસંદ હોય તે કરવાની સ્વતંત્રતા છે." આના પ્રતિભાવમાં પુત્ર જ્યારે પોતાના પિતાઅંગે શંકા કરે છે ત્યારે ઉદ્દાલક કહે છેઃ "મારો પ્રેમ તને મારું સંતાન બનાવે છે, નહીં કે મારું પુરૂષ-બીજ."

આમ એક પક્ષે સ્રીને મિલ્કત ગણાવતી જેટલી કથાઓ છે તો બીજે પક્ષે સ્ત્રીને પોતાનાં જીવનપર પુરો અધિકાર હોય અને સ્ત્રી મિલ્કત સ્વરૂપે ન જોવાઇ હોય તેવી કથાઓ પણ છે. આપણી શાળાઓ કે કૉલેજોમાં કે પછી આપણા જમણેરી કે ડાબેરી ધર્મનિર્પેક્ષ બૌધ્ધિકોદ્વારા આવી બીજા પ્રકારની કથાઓ શા માટે કહેવાતી નથી?

મારા મત મુજબ, પૌરાણિક સમયમાં સ્ત્રીને સન્માન મળતું ન હતું જેને આધુનિક ધર્મનિરપેક્ષ કાયદાની મદદથી સુધારી શકાશે, તેવી માન્યતા રૂઢ થતી જણાય છે. જો કે આ માન્યતા બે-વજૂદ જણાય છે. ખાપ કે ઇન્ડિયન પીનલ કોડ [ઇ.પી.કૉ.] હોવા છતાં પણ સામાન્યતઃ લોકોને, અને ખાસ કરીને સ્ત્રીઓને, અવમાનિત કરતા જડસુઓ ત્યારે પણ હતા, આજે પણ છે, અને [મને આ લખતાં કમકમાતી થઇ આવે છે કે] આવતીકાલે પણ હશે.

આપણે આવા જડસુઓને કેન્દ્રમાં રાખતી પ્રસિધ્ધિઓ ક્યારે બંધ કરીશું?


n  'દેવલોક, સન્ડે મિડ ડે, ઑગષ્ટ ૭, ૨૦૧૧'માં પ્રકાશિત થયેલ

n  Originally Titled: A Woman’s Bodyhttp://devdutt.com/a-womans-body/