Showing posts with label Meaningful life in digital world. Prabudhha Bharata. Show all posts
Showing posts with label Meaningful life in digital world. Prabudhha Bharata. Show all posts

Sunday, January 23, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - જાન્યુઆરી ૨૦૨૨

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  જાન્યુઆરી ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

આમ કરવા પાછળનો આશય ગુણવત્તા (મૅનેજમૅન્ટ) વ્યાવસાયિકોને આધ્યાત્મ તરફ વાળવાનો નથી, પરંતુ જે વિષયને આપણે, આપણી સતત અભ્યાસથી ઘડાયેલી સહજ વૃત્તિથી, ટેક્નોલોજિને લગતા કે પ્રચલિત મેનેજમૅન્ટ પ્રણાલીના વિવિધ દૃષ્ટિકોણોથી જોવા ટેવાયેલાં છીએ તેમાં એક સાવ નવો દૃશ્ટિકોણ ઉમેરવો.

૨૧મી સદીના બીજા દશક સુધીમાં તો આપણાં જીવનનાં દરેક પાસામાં ડિજિટલ ટેક્નોલોજિઓની ભૂમિકા મહત્ત્વની બનતી ગઈ છે.કેવિન કેલી પોતાનાં પુસ્તક What technology wants?'માં કહે છે કે દસ હજાર વર્ષ પહેલાં માનવ સમાજ એવા વળાંકે પહોંચ્યો જેમાં સૃષ્ટિમંડળમાં ફેરફાર કરવાની આપણી ક્ષમતા પૃથ્વીના આપણા પર અસર કરતા ફેરફારો કરવની ક્ષમતા કરતાં વધી ગઈ. આ એક એવો પડાવ હતો જે  Technium તરીકે ઓળખાતાં માણસ જાતે ખોળી કાઢેલી શોધોનો એવો સંગ્રહ છે જે ખુદ એક સૂક્ષ્મ જીવની જેમ જ વર્તે છે. આપણે હવે  બીજા ઉફાળના એવા વળાંક પર આવી પહોંચ્યાં છીએ જ્યાં પરિસ્થિતિ હવે ઊલટી બની ગઈ છે, એટલે કે Techniumની આપણને બદલી શકવાની ક્ષમતા આપણી તેમનાં પરનાં નિયમનની ક્ષમતા કરતાં વધી ગઈ છે.

આજનાં અનેકવિધ પ્રવાહોની અસર હેઠળ ઘેરાયેલ વિશ્વમાં દરેક વ્યક્તિનો હેતુ કૃતકૃત્ય - જે કરવું જોઈતું હતું તે કરી શકાયું - જીવન જીવવાનો હોવો જોઈએ. થોડા અલગ શબ્દોમાં કહીએ તો, દરેક વ્યક્તિનું લક્ષ્ય, ટેક્નોલોજિને લગતી કે અન્ય કોઈ પણ એવી પ્રવૃત્તિઓ કરતાં રહેવાનું હોવું જોઈએ જેના થકી શું વાસ્તવિક છે અને શું આભાસી છે તે અલગ પાડતાં રહેવાની વિવેક બુદ્ધિ કેળવાતી રહે તેવું જ્ઞાન (કે અનુભવો) થાય, જે સવેદનાઓને એટલી પ્રજ્વલિત રાખે કે મૂળભૂત માનવીય નૈતિક અને બિનભૌતિક મૂલ્યો સાથે જમીન પર આપણાં પગ ખોડેલ રાખે અને આભાસી દુનિયાની ક્ષણજીવી સગવડદાયક ચકાચૌંધ સિદ્ધિઓથી અંજાઈ જતાં રોકે.

(આ અભિગમની સર્વગાહી રજૂઆત સ્વામી વિરેશાનન્દના અગ્રીમ લેખ, Living a Meaningful Life in a Digital World,માં કરાઈ છે, જે હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાય છે.)

૨૦૨૨ સંસ્કરણના બાકીના અંકોમાં પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦રરના આ ખાસ અંકમાંથી પસંદ કરેલા લેખોમાંના વિચારોની સંક્ષિપ્તમાં રજૂઆત કરીને ગુણવત્તા (મૅનેજમૅન્ટ) વ્યાવસાયિકો આજનાં આ ટેક્નોલોજિના ફેરફારોની ભરતીવાળાં વિશ્વમાં પોતાની જીંદગી અર્થપૂર્ણ રીતે જીવવા શું શું કરી શકે તે જાણીશું.


જે કોઈને આ અંક પોતાની રીતે સંપૂર્ણ સ્વરૂપે વાંચવો હોય તે Read Online ની મુલાકાત કરી શકે છે કે https://shop.advaitaashrama.org/product/prabuddha-bharata-jan-2022/ પરથી તેને ખરીદી શકે છે. આ ખાસ અંકની સંક્ષિપ્ત  રૂપરેખા વાંચવા માટે https://youtu.be/JpeWb69RneA ની મુલાકાત લો.

આ વિષય પર વધારાનું વિશેષ વાંચન 

૨૦૨૨ના સંસ્કરણમાં આપણે આપણા નિયમિત વિભાગો ચાલુ જ રાખીએ છીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Dr. Deming's Legacy and Continued Relevancy for Quality Professionals - ડબલ્યુ એડવર્ડ ફ્લેમિંગના વિચારોનો ૨૦મી સદીની ગુણવત્તા મૅનેજમૅન્ટ વિચાર્સરણી પર વ્યાપક પ્રભાવ રહ્યો. ASQ Fellow અને કૉલેજ ઇન્ટ્રક્ટર સ્ટીવ પ્રૅવૅટ્નું તો કહેવું છે ડેમિંગની વિચારધારા આજે - અને આવતી કાલે - પણ એટલી જ પ્રસ્તુત છે...

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

  • Leadership Traits - આજના વાતાવરણમાં સફળ નેતૃત્વની ચાવી સત્તા નહિં પણ પ્રભાવ છે. મોટા ભાગના વ્યાવસાયિક સહમત થશે કે નેતૃત્વ એ કળા છે જેના વડે એ અગ્રણી લોકો પાસે, આપમેળે અને શ્રેષ્ઠ શક્ય રીતે, એ બધું કરાવી શકે છે જેની તેને અપેક્ષા છે. આ પ્રકારનાં નેતૃત્વની કેટલીક સહજ ખાસીયતો આ મુજબ છે -

૧. નૈતિકતા- નૈતિકતા ભરોસાપાત્રતા અને પ્રમાણિકતાથી કંઈક વિશેષ છે. નૈતિક વ્યક્તિની કથની અને કરણી બન્નેમાં, ગમે તેટલા કસોટીભર્યા સમયમાં પણ, તેનાં ઉચ્ચ નૈતિક ધોરણો અને સિદ્ધાંતો સમાન ભાવે જ જોવા મળે છે.

૨. ભરોસાપાત્રતા - અસરકારક નેતૃત્વ લોકો સાથેના વ્યવહારોમાં પ્રમાણિકપણે થતાં વર્તનમાં રહેલ છે. એ અગ્રણીઓ તેમણે સ્વીકારેલ જવાબદારી સંન્નિષ્ઠપણે નિભાવે છે.તેમનો બોલ એ જ તેમની પ્રતિબધ્ધતાનું પારદર્શક પ્રતિબિંબ છે. 

૩. વ્યાવસાયિક ચારિત્ર્ય - લોકો સાથે સન્માનીય અને ગૌરવપ્રદ વર્તન રાખવું. લોકોનું મૂલ્ય તેનાં પદ કે તેમના માટેની ગરજ અનુસાર નહીં પણ એ વ્યક્તિની ક્ષમતા પરથી આંકવું. અસરકારક નેતૃત્વ તેમનાં સાથીઓની અપેક્ષાઓ અને લાગણીઓની કાળજી રાખે છે અને તેના માટે આવશ્યક સમય પણ ફાળવે છે.

૪. તટસ્થતા - નિષ્પક્ષ નિયમો, વ્યાજબી કામો, ઉચિત સ્પર્ધા, ન્યાયોચિત શિસ્ત, વગેરે.

૫. કુનેહ -  જો અણીના સમયે લોકો સાથે, જાણ્યે અજાણ્યે પણ, થોડોક પણ અણછાજતો વ્યવહાર થઈ જાય તો પછી બધાં જ લોકો પાસેથી સ્વયંપ્રેરિત સહકાર અને સમજણ મેળવવાં મુશ્કેલ બની જાય છે. એ ઘડીને અને એવાં વર્તનન્ર પહેલેથી જ પારખવું એટલે કુનેહ.

૬. ખંત - અસરકારક અગ્રણીઓ મહત્ત્વના મુદ્દાઓને, કોઇપણ કારણોસર, અધવચ્ચે પડતા નથી મુકતાં અને જો ખરેખર જરૂર ન હોય તો અમુક મુદ્દાઓને વળગી પણ નથી બેસતાં.

૭. સાતત્ય = અસરકારક અગ્રણીઓ માનસિક, લાગણીશીલતા અને શારીરિક ખાસીયતોમાં સંતુલિત સુમેળ સાચવે છે, જે તેમનાં અન્ય સાથીઓની પણ શૈલી પર સકારાત્મક અસર કરે છે.

૮. રસ દાખવવો - અસરકાર અગ્રણીઓ તેમના લોકોના અવિકાઅસ, અંગત પ્રશ્નો અને આયોજનો, અપેક્ષાઓ અને સિદ્ધિઓ , વિચારો , માન્યતાઓ અને ગમાણગમા જેવી વૈયક્તિક બાબતોમાં મદદરૂપ થવાની ભાવનાથી રસ લે છે.

૯. પોતાનાં ઉદાહરણથી દોરવણી પુરી પાડો - અસરકારક અગ્રણી તેનાં વાણી અને વર્તનથી તેમનાં સાથીઓ માટે આદર્શરૂપ ઉદાહરણ પુરૂં પાડે છે.  

૧૦. સંવાદ - અસરકારક અગ્રણીનું સંવાદ કૌશલ્ય તેમને તેમનાં સાથીદારો સાથે જોડતો પુલ છે, જે તંદુરસ્ત સંબંધો અને દ્વિપક્ષી વ્યવહારો માટે રાજમાર્ગ બની રહે છે.

૧૧. સકારાત્મકતા  - 'આપણે કરી શકીશું'ની ભાવનાથી દિવસની શરૂઆત અને અંત લાવવાથી લોકોના આત્મવિશ્વાસ અને ઉત્સાહને અનેરૂં બળ મળે છે.

૧૨. કૃતજ્ઞતા = લોકોના સહકાર અને સિદ્ધિઓનાં યોગદાનોને અસરકારક અગ્રણી વિના સંકોચ, મુક્ત મને સ્વીકારે છે અને તેની લોકોને પારદર્શકપણે જાણ પણ કરે છે.

૧૩. ઉત્તરદાયીત્વ - ટીમના કોઈ પણ સભ્યની કચાશને કારણે થતી કાર્યસિદ્ધિની ઉણપને અસરકારક અગ્રણી (કમસે કમ જાહેરમાં) પોતા પર લઈ લે છે અથવા તો તેને માટે બહાનાં નથી શોધતાં.

૧૪. અપેક્ષા અને નિષ્ઠા - શક્ય એટલી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની હિંમત અને ધૈર્યનો પાયો અગ્રણીની અપેક્ષા અને નિષ્ઠાની વાસ્તવિકતા પર નિર્ભર છે. એ હિંમત અને ધૈર્યની ખરી કસોટી તે જ્યારે એકલો હોય ત્યારે જ થાય..

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • The Benefits of Automation - યાંત્રિકી સ્વયંસંચાલન વિશે દસકાઓથી સ્વીકારાતાં રહેલ અને હજુ પણ વિચારવાલાયક, પાંચ કારણો - 

૧. સમય અને શક્તિમાં બચત

૨. લાંબે ગાળે કિફાયતી.

૩. ચોકસાઈપૂર્ણ પુનરાવર્તતા

૪. ઉપાદન કાર્યપ્રવાહમાં સુધારણા

૫. ઓછો વ્યય.

[સંકલનકારની નોંધ - ટેક્નોલોજિ અને મૅનેજમૅન્ટના પ્રભાવોથી ઘડાયેલ આ દૃષ્ટિકોણ બહુ વ્યાપકપણે સ્વીકારાતો રહ્યો છે. વર્ષ ૨૦૨૨ દરમ્યાન આ દૃષ્ટિકોણની સાથે અન્ય કયાં પરિબળો પણ ધ્યાનમાં લેવાં જોઈએ તે વિશે વધારે વિચારપ્રેરક ચર્ચા રજૂ કરવાની નેમ છે.]

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.