Sunday, February 1, 2026

જેલ જવાના વિકલ્પની રૂખ્માબાઈની પસંદગીના પડઘા આજે પણ ગૂંજે છે !

 

૧૮૮૭માં, બહુ લાંબા અને અનેક વળાંકોમાં પસાર થયેલ 'ભીખાજી વિ. રૂખ્માબાઇ, ૧૮૮૫'ના મુકદ્દમામાં અંગ્રેજ ન્યાયાધિશની  એક કોર્ટે રૂખ્માબાઈ નામની એક યુવતીને બે વિકલ્પો આપ્યા.

પતિ સાથે જાઓ. અથવા જેલમાં જાઓ.

ત્રેવીસ વર્ષની એ ભારતીય યુવતીએ જેલ પસંદ કરી.

યુવતીના એ જવાબે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું. આ મુકદ્દમાની ચર્ચા ભારતથી માંડીને ઈંગ્લેન્ડ સુધી ચર્ચા શરૂ ગઇ. આ ચર્ચાના મહામંથનને પરિણામે ભાવિ પેઢીની લાખો છોકરીઓ માટે કાયદો બદલવામાં મદદ મળઈ.

કેવી રીતે એક મહિલાના ઇનકારથી રૂઢિચુસ્ત સમાજ અને 'જ્યાં સુરજ ક્યારેય ડુબતો નથી' એવું એક સામ્રાજ્ય ઘૂંટણિયે પડી ગયું તેની આ એક એવી વીસરાઈ ગયેલી કહાણી છે.

+                       +                      +

રૂખ્માબાઈનો જન્મ ૨૨મી નવેમ્બરે ૧૮૬૪માં બોમ્બેમાં થયો હતો. તેમના મા, જયંતિબાઈ, પણ બાળ લગ્નની ક્રૂરતામાં તવાઈ ચુકેલાં હતાં. ચૌદ વર્ષની ઉંમરે જયંતિબાઈનાં લગ્ન  થયા, પંદર વર્ષની ઉંમરે મા બન્યાં અને સત્તર વર્ષે તો વિધવા થયાં.

જ્યારે રુખ્માબાઈ આઠ વર્ષની હતી, ત્યારે તેમના માએ ડૉ. સખારામ અર્જુન નામના પુરુષ સાથે ફરીથી લગ્ન કર્યાં  સખારામ અર્જુન એક પ્રખ્યાત ચિકિત્સક અને સમાજ સુધારક હતા. એમના સમયના અન્ય પુરુષોથી તેઓ અલગ હતા. તેઓ માનતા હતા કે છોકરીઓને શિક્ષિત કરવી જોઈએ. તેમનું પોતાનું ઘર પુસ્તકોથી ભરેલું હતું. રુખ્માબાઈને પણ તેમણે ભણવા  માટે પીઠબળ પુરૂં પાડ્યું. 

પરંતુ ૧૮૭૦ના દાયકાના ભારતમાં આવું અલગ તરાહ પર વિચારનારાઓ પાંખી લઘુમતિમાં હતા અને સમાજની રૂઢીઓની મર્યાદાને હજુ આધીન હતા. .

અગિયારમા વર્ષે રુખ્માબાઈના લગ્ન ઓગણીસ વર્ષના દાદાજી ભીખાજી સાથે થયા. સદીઓથી ભારતીય સમાજ પર નાગચુડ બનીને ફેલાયેલા રિવાજોને રૂખ્માબાઈના નાનાજીનું અનુસરણ કંઈ નવું નહોતું. 

રૂખ્માબાઈ તો બાળકી હતી. તેને તો શું એના માને પણ આ વિશે કંઈ પુછવાનું ન હોય. અને પુછાય તો તેમણે કંઈ કહેવાપણું પણ ન હોય. 

તે સમયના રિવાજો મુજબ, રુખ્માબાઈએ લગ્ન પછી તરત જ તેના પતિને ઘેરે રહેવા જવાનું નહોતું. તે તેની માતા અને સાવકા પિતા સાથે રહીને ખાનગીમાં પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું.

તેનો કિશોર પતિ એ સમયના સમાજના પ્રવાહો મુજબ મરદ બની રહ્યો હતો..

જ્યારે રૂખ્માબાઈ એક બુદ્ધિશાળી, સંસ્કારી યુવતી બની રહી હતી - અકરાંતિયાંની જેમ વાંચતી, વ્યાખ્યાનોમાં હાજરી આપતી અને સુધારકો સાથે પત્રવ્યવહાર કરતી, ત્યારે તેને 'પતિ' દાદાજી આળસ અને દેવામાં ડૂબી રહ્યો હતો. એણે ભણવાનું છોડી દીધું અને તેના કાવતરાબાજ કાકાના પ્રભાવમાં આવીને પોતાની બાળ કન્યાને પત્ની બનીને પોતાને ઘરે આવે એમાં પોતાની નાણાકીય સમસ્યાઓના અંતની રાહ જોઈ રહ્યો હતો.

૧૮૮૪માં, જ્યારે રુખ્માબાઈ વીસ વર્ષનાં થયાં ત્યારે દાદાજીએ માગની કરી કે હએ પોતાની પત્ની તેની સાથે રહે.

રૂખ્માબાઈએ ના પાડી.

દાદાજી તેની પત્નીને કોર્ટમાં ઘસડી ગયો.

દાદાજી ભીખાજી વિરુદ્ધ રૂખ્માબાઈનો કેસ ઓગણીસમી સદીના ભારતમાં સૌથી વધુ પ્રસિદ્ધ કાનૂની લડાઈ બની ગયો. દાદાજીનો દાવો "લગ્ન અધિકારોની પુનઃસ્થાપના (Restitution of conjugal rights)" માટે હતો. "લગ્ન અધિકારોની પુનઃસ્થાપના" કાનૂની શબ્દપ્રયોગનો અર્થ, મૂળભૂત રીતે, કોઈ પણ જાતનાં પુરતાં કારણ વિના પતિકે પત્ની એકબીજાને વૈવાહિક અધિકારો ભોગવવા ન દઈ શકે એવો હતો. જોકે મોટા ભાગના કિસ્સાઓમાં તો આ દાવાઓમાં પતિની દલીલ રહેતી કે પત્ની તેની મિલકત છે અને કોર્ટે પત્નીને પતિની સાથે રહેવા માટે અને વૈવાહિક અધિકારો ભોગવવા દેવા માટે દબાણ કરવું જોઈએ.

રૂખ્માબાઈનો બચાવ અભૂતપૂર્વ હતો.

તેમણે દલીલ કરી હતી કે તેમના લગ્ન એક નાસમજ બાળક તરીકે થયા હતા, તે ઉંમરે તો તેઓ લગ્નનો અર્થ પણ સમજી શકે તેમ ન હતાં તેમણે એમ પણ દલીલ કરી હતી કે તેમણે ક્યારેય સંમતિ આપી ન હતી. તેમણે તો આગળ વધીને એમ પણ  દલીલ કે સ્ત્રીને દાવો કરી શકાય એવી મિલકત ગણવી જોઈએ નહીં.

ભારતીય કોર્ટમાં આ પહેલાં આવી દલીલો કોઈએ કરી ન હતી.

૧૮૮૫માં, ન્યાયાધીશ રોબર્ટ પિન્હેએ તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે જાહેર કર્યું કે અંગ્રેજી કાયદો સંમતિ આપનારા પુખ્ત વયના લોકોને લાગુ પડે છે, હિંદુ કાયદામાં તો વળી આવા કિસ્સાઓનો કોઈ પૂર્વાધાર જ નથી.  - રુખ્માબાઈનાં લગ્ન તો તેમની 'અસહાય શિશુવય'માં કરવામાં આવ્યાં હતાં, આવી સ્ત્રીને તેઓ (કાયદા હેઠળ) ફરજ નથી પાડવા માગતા.

રૂઢિચુસ્ત ભારતમાં તો વિરોધનો દાવાનળ ફાટી નીકળ્યો.

પરંપરાવાદીઓએ કોર્ટ પર હિન્દુ રિવાજોની પવિત્રતાને સમજ્યા વિના જ તેના પર હુમલો કરવાનો આરોપ મૂક્યો. રાષ્ટ્રવાદી નેતા બાલગંગાધર તિલકનાં અખબાર 'કેસરી' જેવા સમાજ સુધારકો પણ એ લખ્યું હતું કે રૂખ્માબાઈનો વિરોધ ખૂબ વધારે અંગ્રેજી શિક્ષણનું પરિણામ હતું. ધાર્મિક નેતાઓએ ચેતવણી આપી હતી કે હિન્દુ ધર્મ પોતે જ ખતરામાં છે.

આ કેસની ફરી સુનાવણીની અરજી કરવામાં આવી..

એ સમયના કાયદાની અદાલતમાં કે સામાજિક વાતાવરણમાં 'એ ઉમરની બાળકી પોતાના વિચારો રજૂ કરી શકવા સમર્થ હોય' કે 'શરીરથી પક્વ ન બને ત્યં સુધી કાચી ઉમરની સ્ત્રી માટે વૈવાહિક સંબંધ યાતના નીવડી શકે' જેવી દલીલો રૂખ્માબાઈનો બચાવ કરવામાં વામણી નીવડી.

અને ૧૮૮૬માં, એક ઉચ્ચ અદાલતે નિર્ણય ઉલટાવી દીધો.

માર્ચ ૧૮૮૭માં, ન્યાયાધીશ ફરાનએ પોતાનો ચુકાદો આપ્યો: રૂખ્માબાઈ ક્યાં તો તેના પતિ સાથે રહે, અને નહીં, તો, છ મહિનાની જેલની સજા ભોગવે..

રૂખ્માબાઈ એ પોતાનો ફેંસલો સંભળાવ્યોઃ 'જે લગ્ન સાથે હું સંમત નથી તેને આધીન થવાને બદલે હું જેલમાં જવાનું પસંદ કરીશ.

આ વિધાનનાં અદોલન સમુદ્રોને પાર કરી ગયાં બ્રિટિશ અખબારોએ આ કેસને વ્યાપકપણે આવરી લીધો. ઇંગ્લેન્ડના મહિલા સામયિકોએ તેમના પક્ષમાં રેલી કાઢી. પ્રખ્યાત વિદ્વાન મેક્સ મુલરે લખ્યું કે રૂખ્માબાઈના શિક્ષણે તેમને પોતાની પસંદગી પોતે કરવા યોગ્ય બનાવ્યાં 

Rukhmabai Raut's 153rd Birthday Doodle ...

રૂખ્માબાઈના ૧૫૩મા જન્મદિવસે પ્રકાશિત થયેલ ગુગલ ડુગલ

દરમિયાન, રૂખ્માબાઈએ પોતાની કલમ ઉપાડી.

રૂખ્માબાઈએ હવે પોતાની લડત કાયદાના દાયરામાંથી હટાવીને એક સ્ત્રી તરીકે પોતાની ઓળખ માટેની લડતમાં ફેરવી નાખી.

'એક હિન્દુ મહિલા' તરીકે, તેમણે ધ ટાઇમ્સ ઑવ ઈન્ડીઆમાં લખ્યું કે, "બાળ-લગ્નના ક્રૂર રિવાજે મારા જીવનના બધાં જ સુખ છીનવી લીધાં હતાં. મારી જિંદગીમાં મારાં શિક્ષણ અને મારી ઈચ્છા મુજબ મારાં મનનું ઘડતર અને સંવર્ધન જેવી મારી પાયાની બે બાબતોમાં તે અવરોધ બનીગયું હતું. મારા કોઈ વાંક ગુના વગર એકલી પાડી કાઢવામાં આવી છે.  (મારી લાખો) અજ્ઞાની બહેનોથી ઉપર ઉઠવાની મારી મહત્વાકાંક્ષાને શંકાની નજરે જોવામાં આવે છે અને તેના વિશે અભદ્ર ટીકા કરવામાં આવી રહી છે."

રૂખ્માબાઈના આ વલણે હવે આખી ચર્ચાને બાળ લગ્નના શારિરીક અપરિપક્વતા અને અને માનસિક ત્રાસના મુદ્દાને બદલે એક સ્ત્રીનાં સમગ્ર જીવન પર એવાં લગ્નના વ્યાપક પરિણામો તરફ વા ળી દીધી. 

તેમનો વિરોધ ફક્ત વ્યાવહારિક રિવાજોને લગતી દલીલોથી આગળ વધીને, મહિલાઓની સ્વતંત્રતા અને ગૌરવને જાળવી રાખવાના દૃષ્ટિકોણ પર ભાર મુકી રહ્યો હતો.

પુરુષ સમાજ સુધારકોની વિચારસરણીથી વિપરીત, રૂખ્માબાઈના વિરોધમાં વ્યક્તિગત અસ્તિત્વ અને સ્વાયત્તતા માટે જીવનભરના સંઘર્ષને પ્રતિબિંબિત કરતું ઊંડાણ હતું. તેમણે  'સ્ત્રીઓનાં આગવાં સ્થાન' ની વિભાવનાનાં બીજ ભારતના તે સમયનાં સામાજિક પરિપ્રેક્ષ્યમાં વાવ્યાં. એક પારંપારિક રૂઢિચુસ્ત પિતૃસત્તાક સમાજમાં તેમણે મહિલાઓના અધિકારો અને ઓળખની હિમાયત કરી.

રૂખ્માબાઈએ ન્યાય માટે અપીલ માટે એ સમયનાં સુઅથી શક્તિશાળી સ્ત્રી, બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાને પત્ર લખ્યો. એ પત્રમાં તેમણે હિન્દુ કાયદામાં એક સાવ સીધો સાદો ફેરફાર કરવાની માંગ કરી: છોકરાઓ માટે વીસ વર્ષની ઉંમર અને છોકરીઓ માટે પંદર વર્ષની ઉંમર પહેલાં કરવામાં આવતા લગ્ન કાયદેસર રીતે બંધનકર્તા ન હોવાં જોઈએ."

૧૮૯૧માં બ્રિટિશ હિંદમાં સંમતી માટેની વય, ૧૮૯૧ (Age of Consent, 1891) શીર્ષક હેઠળ છોકરીની લગ્ન માટેની લઘુતમ ઉમર ૧૦ને બદલે ૧૨ વર્ષ થઈ.

જુલાઈ ૧૮૮૮માં, આખરે સમાધાન થયું. દાદાજીએ, ૨૦૦૦ રૂપિયાના વળતરના બદલામાં લગ્નની સાંકળ તોડી પાડવા અને રૂખ્માબાઈ પ્રત્યેના બધા દાવા છોડી દેવા માટે પોતાની સંમતિ આપી.

રૂખ્માબાઈ હવે મુક્ત હતાં.

પણ તમની લડાઈ હજુ પુરી નહોતી થઈ.

એક અગ્રણી બ્રિટિશ ચિકિત્સક ડૉ. એડિથ પેચેની મદદથી, રૂખ્માબાઈ તબીબીશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા. ૧૮૯૪માં, તેઓ લંડન સ્કૂલ ઓફ મેડિસિન ફોર વુમનમાંથી સ્નાતક થયા.

તે દેશના ઇતિહાસમાં પ્રેક્ટિસ કરતાં બીજાં મહિલા ડૉકટર[1] તરીકે આગામી પાંત્રીસ વર્ષ સુધી, રૂખ્માબાઈએ સુરત અને રાજકોટની મહિલા હોસ્પિટલોમાં મુખ્ય તબીબી અધિકારી તરીકે સેવા આપી. તેમણે દરેક વર્ગ અને જાતિના દર્દીઓની સારવાર કરી.

જ્યારે અન્ય લોકો ભાગી ગયા ત્યારે તેમણે મહામારીઓમાં પણ કામ કર્યું.

તેમણે ક્યારેય લડવાનું બંધ કર્યું નહીં.

નિવૃત્તિ પછી પણ, તેમણે પડદાની પ્રથા પર પ્રહારો કરતી પત્રિકાઓ પ્રકાશિત કરી. તેમના વસિયતનામામાં, તેમણે છોકરીઓના શિક્ષણને આગળ વધારવા માટે પોતાનું ઘર લખી આપ્યું. 

તેમણે લડેલી કાનૂની લડાઈના પરિણામોના પડઘા આવનારી  પેઢીઓ સુધી લડતા રહ્યા છે.

૨૫ સપ્ટેમ્બર, ૧૯૫૫ના રોજ રૂખમાબાઈનું અવસાન થયું. તેઓ નેવું વર્ષના હતા.

તેઓ તેમના પર દાવો કરવાનો પ્રયાસ કરનારા પતિ કરતાં વધુ જીવ્યાં હતાં. તેઓ તેમના દેશ પર શાસન કરતા સામ્રાજ્ય કરતાં પણ વધુ જીવ્યાં હતાં. તેઓ હોઠ અને વિચારોને સીવી લે એવા રિવાજો કરતાં પણ વધુ જીવ્યાં હતાં .

તેમનાં જીવન પર બહુ સંશોધનના પરિપાક રૂપે Rukhmabai: The Life And Times Of A Child Bride Turned Rebel-Doctor (લેખકઃ સુધીર ચંદ્ર  - પ્રકાશકઃ Pan Macmillan India) પુસ્તક પ્રકાશિત થયું છે. તેમના જીવન પર અનન્ત મહાદેવન દિગ્દર્શિત મરાઠી ફિલ્મ ડૉક્ટર રૂખ્માબાઈ ફિલ્મ પણ બની છે.



[1] (ભારતનાં સૌ પ્રથમ પ્રેક્ટીસીંગ મહિલા ડૉકટર કાદમ્બિની ગાંગૂલી હતાં, જેમણે ૧૮૮૬માં પ્રેક્ટીસ શરૂ કરી હતી.)

Saturday, January 31, 2026

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૪ – મણકો : ૧_૨૦૨૬

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૪ મા સંપુટના મણકા - _૨૦૨૬માં આપનું સ્વાગત છે.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  –

OP Nayyar at 100: How his music set a young India’s heart beating with rhythm and desireSuanshu Khurana - ઓ પી નય્યરની જન્મ શતાબ્દીના તેમનાં સંગીત દ્વારા હિંદી ફિલ્મોનાં ગીતોમાં સાંભળવા મળેલી રોમાંચની અભિરૂચિને યાદ કરતાં નોંધ લઈએ કે તેમણે આશા ભોસલેની એવી આગવી ઓળખ ઊભી કરી કે સમયની બદલતી તાસીર સાથેની પસંદનાં ગીતો માટે લતા મંગેશકરની જરૂર ન પડી. 

OP Nayyar: The Composer Par Excellence - OP Nayyarની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપ શ્રેણીના પાંચમા અને છેલ્લા લેખ[1]માં તેમની કારકિર્દી પર નજર કરવાની સાથે તેમના જીવનનાં વિવિધ રંગોની વાત કરાઈ છે.

Mehefil Mein Meri O P Nayyar’s Birth Centenary ની ઉજવણી ઓપી નય્યરે Geeta Dutt, Asha Bhosle, Rafi, Shamshabad Begum, Kishore Kumar, અને Mahendra Kapoor જેવા ગાયકોનાં ગીતોને યાદ કરીને કરી. આ ઉપરાંત પણ ઓ પી નય્યરે ૩૦+ગાયકો સાથે કામ કર્યું તે પૈકી સી એચ અત્મા, રાજકુમારી, તલત મહમૂદ, મુકેશ, સુરૈયા, મન્ના ડે, હેમંત કુમાર, ઉસ્તાદ અમીરખાં સાહેબ, ઉસ્તાદ અમાનત અલી અને ઉસ્તાદ બડે ફતેહ અલી, સુમન કલ્યાણપુર, ઉષા અંગેશકર, નિર્મળા દેવી, સુધા મલ્હોત્રા, એસ ડી બાતિશ અને જગમોહન સાથે કરેલાં ગીતો આ પહેલા ભાગમાં યાદ કરાયાં છે.

पी नैयर @100 : धुनों के जादूगर का अनोखा अंदाज़ઓ પી નય્યરનો પ્રભાવ સમજવા માટે એક ઉદાહરણ જ પુરતું થઈ રહે - દો ઉસ્તાદ (૧૯૫૯)નાં નિર્માણ દરમ્યાન ઓ પી નય્યર અને રાજ કપૂર વચ્ચે કંઈ મતભેદ થયો. એ વિશે રાજ કપૂરને સમજાવતી વખતે શેખ મુખ્તારે કહ્યું કે હું અને ઓ પી નય્યર આ ફિલ્મના બે ઉસ્તાદ છીએ. .

A Heartfelt Tribute to O. P. Nayyar : A Composer Who Broke the Rules


When Geetmala Ruled Hindi Film Music - Ratnottama Sengupta એ બુધવારો, શુક્રવારો અને રવિવારો યાદ કરે છે જ્યારે શાળા જતી વિદ્યાર્થીનીઓ અને કૉલેજ છાત્રો પોતાનાં જન્મ દિવસોની અને બીજી પાર્ટીઓ અમીન સાયાની માટે જતી કરવા તૈયાર ન થતાં. રેડીયો અને બિનાકા ગીતમાલાના સુવર્ણ યુગની એક સફર અહીં માણી શકાય છે.

Salil Chowdhury: Creating Music ‘Outside the Rules’ - NS Rajan - સલીલ ચૌધરીના આ કાવ્યમય ચરિત્રાલેખનમાં તેમની ક્રાન્તિકારી શરૂઆત, ભારતીય અને પાશ્ચાત્ય સંગીત સાથેનો સંગમ, તેમનાં ચીરકાલીન ગીતો, કળાત્મક ગહન મૈત્રીઓ અને ભાષા, સમય અને ગીતોના પ્રકારને અતિક્રમતો વારસો જોવા મળે છે. બંગાળના ફુટબૉલ સાથેના દિવાનગી સમક્ક્ષ લગાવ સાથે પોતાનાં સંગીતને સરખાવતાં તેમણે એક વાર કહેલું કે  ફૂટબૉલની રમતમાં નિયમો છે, પણ પેલે જેવા ખેલાડીઓ નિયમોની અંદર રહીને પણ નિયમોની બહાર રમે છે. હું સંગીતનો પેલે છું.

Shakti Samanta centenary: ‘There wasn’t a moment when he wasn’t thinking of films’ - Nandini Ramnath - શક્તિ સામંત જોખમ ખેડનાર સાહસિક દિગ્દર્શક હતા.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·   Mohammed Rafi, Lata Mangeshkar had a ‘cold war’ after he addressed her ‘maharani’ sarcastically; banned each other for 3 years - મોહમ્મદ રફી રોયલ્ટીના આગ્રહી નહોતા અને લતા મંગેશકર મુદ્દે રફી તેમનો સાથ આપે એવો આગ્રહ રાખતાં હતાં. પરિણામે, બન્ને વચ્ચે 'શીત યુદ્ધ'ની રેખા તણાઈ ગઈ હતી.

Learning with Mani Kaul: ‘He unlocked something you did not yet know you knew’- ફિલ્મ નિર્માતા અને સાક્ષર Soudhamini લખે છે:તેમણે મારા વિચારોમાં એક પ્રકારની સુસંગતતા લાવી આપી, જે મનની સુસંગતતા પણ હતી.

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૧મા સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૬ના જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : 'રામનગરીઅને 'સમીરા (૧૯૮૨) નાં ગીતોને યાદ કર્યાં. અત્યાર સુધી આપણે 

·       ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

·       ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

·       ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

·       ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને,

·       ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને,

·       ૨૦૨૩માં વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭ની ફિલ્મો લૈલા મજનુઆલાપ અને ઘર્રૌંદામાં  જયદેવની બીજી ઈનિંગ્સ નવપલ્લિત થતી રચનાઓ,

·       ૨૦૨૪માં ૧૯૭૮નાં વર્ષની ફિલ્મો ગમનસોલવાં સાવન અને તુમ્હારે લિયેનાં ગીતોઅને

·       ૨૦૨૫માં ૧૯૭૯ની ફિલ્મ ‘દુરિયાંનાં અને ૧૯૮૦ની ફિલ્મ ‘આઈ મેરી યાદનાં ગીતો

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Book Review: “Soulfully Yours – Ravi” - રવિની જીવનકથા, “Soulfully Yours: Ravi” ની શરૂઆત માણેક પ્રેમચંદ Overview: Composer Ravi – The Man, and His Music,થી કરતાં રવિનાં કેટલાંય કાલાતીત ગીતો સહિતનાં હિટ ગીતોની વણઝાર રજૂ કરે છે અને સવાલ કરે છે, 'આવો વિરોધાભાસ કેમ - રવિનું સંગીત નીખરે પણ તેમનું નામ ઝાંખું પડે?

Soulfully Yours: Ravi | Author: Manek Premchand
Published by: Blue Pencil, Delhi 2025 | ISBN: 978-81-943921-4-9
| Price: ₹675 (Paperback on Amazon) | Pages: 455

Khuda Nigehban Ho Tumhara: An Unforgettable Farewell - મુગ઼લ - આઝમનાં ગીતને યાદ કરતાં Shirish Waghmode  લખે છે કે ફિલ્મનાં ચિત્રાંકનની દૃષ્ટિએ ભવ્ય કૃતિ અને યાદગાર સંગીત હોવા છતાં ખુદા નિગેહબાન હો તુમ્હારા નું મૂલ્ય ઓછું અંકાયું.

Book Review: Anirudha Bhattacharjee and Parthiv Dhar’s ‘Kishore Kumar: The Ultimate Biography’ માત્ર કિશોર કુમારનાં ગીતો, ફિલ્મો પુરતું નથી પણ ભાઈ, દીકરા, પતિ, પિતા, બૉસ, સહકાર્યકર, મિત્ર, અને જુલમી સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવનાર ગુસ્સાવાળા નાગરિક તરીકે તેનાં મત પાસાંઓનું પણ ચિત્રણ છે.

The Lost Heart Songs! - દિલ ખોવું, તેમાં પણ કોઈ ખાસ વ્યક્તિ માટે, તો કદાચ બહુ સારું થયું કહેવાય.

Madhabi Mukherjee autobiography: ‘That face makes you want to take care of her’ - Madhabi Mukherjee  - 'માધબીકનન' શીર્ષક હેઠલ ૨૦૧૨માં બંગાળીમા પ્રકાશિત થયેલ માધવી મુખર્જીની આત્મકથાના અરૂણવ સિન્હાએ કરેલ અનુવાદમાંથી

Songs Ordering the Agents of Nature - અમુક ગીતોમાં કુદરતી પરિબળોને માત્ર સંદેશવાહક બનાવતાં ક્યારેક મનાવી ને તો ક્યારેક આદેશ આપીને સંદેશવાહક બનવા માટે કે થવા માટે કહેવાતું હોય છે. સારી વાત છે કે કુદરત માનવીની આવી વાતો પર ધ્યાન નથી આપતી, નહિતર તો બહુ ઉથલ પાથલ મચી જાય.

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:

જાન્યુઆરી ૨૦૨૬માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

એક કલાકાર: ગાયકો એકથી વધુ [૩]

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની સુનયના (૧૯૭૯) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને તાલવાદ્યો ઃ (૩) ઢોલક ને  લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

દિપક સોલીયાની શ્રેણી 'ધિક્કારનાં ગીતો' માં ભૂતકાળ ખરડાયેલો છે એવું જાણવા મળે એટલે હીરો માની લે કે બધી જ સ્ત્રીઓ ખરાબ હોય છે એટલે તે  તેરી બેવફાઈ પે હંસે જગ સારા  જેટલી મનમાં આવે એટલી ખરી ખરી ખોટી સંભળાવી દે છે

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૫માં આપણે ઓ પી નય્યર રચિત  મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હમણાં મોહમ્મદ રફીએ આશા ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં યુગલ ગીતો સાંભળી રહ્યાં છીએ. ......

જો વક઼્ત પર કામ આ જાયે વોહી સહારા અચ્છા હુઆ - ફરિશ્તા (૧૯૫૮) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી


દેખ કે તેરી નઝર બેક઼રાર હો ગયે - હાવરા બ્રિજ (૧૯૫૮) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી



ગોરા રંગ ચુનરિયા કાલી મોતીયોંવાલી હોયે હોયે હોયે કે દિલ મેરા લૂટ લિયા - હાવરા બ્રિજ (૧૯૫૮) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી 



મોહબ્બત કા હાથ જવાની કા પલ્લા સુભાન અલ્લા - હાવરા બ્રિજ (૧૯૫૮) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી