Sunday, February 15, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - ફેબ્રુઆરી ૨૦૨૬

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના ફેબ્રુઆરી ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.

આ કેન્દ્રવર્તી વિષયની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું.

આજના મણકા માટે આપણે પરિવરર્તનસક્ષમ પૂરવઠા સાંકળ  ની ટુંકમાં વાત કરીશું.

પરિવર્તંનસક્ષમ લવચીકતાની વિભાવનાનાં મૂળ, ૧૯૭૩ માં સૌપ્રથમ વખત પરિવર્તંનસક્ષમ પારિસ્થિતકી તંત્ર વ્યવસ્થાની લાક્ષણિકતાઓ અંગેની નોંધ  લેનારા સી.એસ. હોલિંગના કાર્યમાં જોવા મળે છે. ત્યારથી, પરિવર્તનઝક્ષમ લવચીકતાની વિભાવના મનોવિજ્ઞાન, તંત્ર વ્યવસ્થા વિચારસરણી, આપત્તિ વ્યવસ્થાપન અને હવે પૂરવઠા સાંકળ સંચાલન જેવાં વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવતી રહી છે.

કેટલાક લોકો માટે, પરિવર્તંનસક્ષમ લવચીકતા પ્રતિક્રિયાશીલ ક્ષમતા છે જે વિક્ષેપ થયા પછી કે આંચકો લાગ્યા પછી વિચારાધીન થાય છે. અન્ય કેટલાંક લોકો પરિવર્તંનસક્ષમ લવચીકતાને સંસ્થાને વિક્ષેપ નીવારવા માટે તૈયાર કરવામાં મદદ કરવા માટેના વધુ સક્રિય પ્રયાસો તરીકે જુએ છે. અલગ-અલગ અવલોકનોના પરિપ્રેક્ષ્યમાં, મુખ્ય ખ્યાલની આસપાસ જે ગુંચવાડો જોવા મળે છે તે આશ્ચર્યજનક નથી.[1]


પુરવઠા સાંકળની પરિવર્તનસક્ષમતા કુદરતી આફતો, રોગચાળો અથવા અન્ય અણધારી ઘટનાઓ જેવા વિક્ષેપો માટે તૈયાર રહેવા, તેન્મની સાથે અનુકૂલન સાધવા અને તેમાંથી ફરીથી મૂળ સ્થિતિમાં પાછાં આવવાનીક્ષમતાનો ઉલ્લેખ કરે છે.

પુરવઠા સાંકળની પરિવર્તનસક્ષમતા સામાન્ય રીતે ચાર મુખ્ય ઘટકો દર્શાવે છે: આકસ્મિકતા, લવચીકતા, દૃષ્ટિગોચર થવાની શક્યતા અને સહયોગ.

ઘણીવાર, પરિવર્તનસક્ષમ વ્યૂહરચનાઓ આગાહી, માલસામાનના જથ્થાનું સંચાલન, પુરવઠાકારોનું સંચાલન અને ચીજવસ્તુઓનું વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ પુરવઠા સાંકળ પ્રણાલિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પરિવર્તનસક્ષમ પુરવઠા સાંકળની અસરકારકતા માપવા માટે, કંપનીઓ મુખ્ય કાર્યસિદ્ધિ મેટ્રિક્સ પર નજર રાખી શકે છે. ત્રણ મુખ્ય મેટ્રિક્સ છે:

ટકી રહેવા માટેનો સમય  - પુરવઠા સાંકળના વિક્ષેપ દરમિયાન  કામકાજની અથવા નાણાકીય ગંભીર અડચણોનો અનુભવ કર્યા વિના વ્યવસાય કેટલો સમય ચાલુ રાખી શકે છે તેનો ઉલ્લેખ કરે છે.
બહાર આવવા માટેનો સમય - એવો સમયગાળો છે જે  વિક્ષેપ થયા પછી વ્યવસાયને સામાન્ય કામગીરીમાં પાછા ફરવા માટે જરૂરી રહે છે.
ફરીથી વધુ સારાં થવા માટેનો સમય  - એવો સમયગાળો છે જે પુરવઠા સાંકળને  માત્ર ફરીથી બેઠા થવા માટે નહીં પણ વિક્ષેપ પછી તકોનો લાભ લેવા માટે પણ જરૂરી બની રહે છે.[2]


અનિશ્ચિતતા દરમ્યાન પણ ખરા અર્થમાં મૂલ્યવર્ધક બની રહેવા માટે, પુરવઠા સાંકળ માટે નાજુક કાઠાંમાં (fragile)થી પરિવર્તનસક્ષમ અને તે પછીથી નાજુકતા પ્રતિરોધક સ્થિતિ (antifragile)માં પરિવર્તિત થવું આવશ્યક છે. પરિવર્તન માટે પુરવઠા સાંકળ આયોજન (સપ્લાય ચેઇન પ્લાનિંગ SCP) ના અગ્રણીઓએ સમજવું જરૂરી છે કે અનિશ્ચિતતા પુરવઠા સાંકળ આયોજન અને નિર્ણય લેવા પર કેવી અસર કરે છે, અને નાજુકતા પ્રતિરોધક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શું બદલવાની જરૂર છે. [3]



વધારાનું વાંચનઃ

What Is Supply Chain Resiliency?


How to create a resilient supply chain strategy


Course for Change: Mastering supply chain resilience in an unconventional world

 

હવે પછીના અંકોમાં આપણે પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

All Things Quality: An ASQ Podcast - AI-Fundamentals-QA-with-author-Jayet-Moon

Quality Mag માંથી

·             First Things First — Or Second, or Third? - Darryl Seland - 'પહેલાં મહતવની વાત' મૂળભૂત બાબતોને પ્રાથમિકતા આપે છે. ચાલતા પહેલા તમારે ભાખોડીયાં ભરવાં પડશે, દોડતા પહેલા ચાલવું પડશે.

જોકે, સમય વ્યવસ્થાપનના સાધન તરીકે, ખાસ કરીને, "તમારા ડેસ્ક" પરનાં કામોને સાફ કરવાના પ્રયાસની શરૂઆત કરવાંમાં, જટિલ બાબતોને હાથ પર લેતાં પહેલાં સરળ બાબતોનો વારો કાઢવાની ફિલસૂફી છે. આમ કરવાથી વધુ મહત્વપૂર્ણ બાબતોને પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં, "પહેલાં મહત્વની વાત" રૂઢિપ્રયોગને પાયાનો સિદ્ધાંત કહી શકાય, જે પ્રક્રિયા નિયંત્રણ, જોખમ વ્યવસ્થાપન અને લીન મેન્યુફેક્ચરિંગ જેવી મુખ્ય પદ્ધતિઓમાં સીધો લાગુ પડે છે.  વ્યવસાય અને ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રથાઓની વાજબી ચર્ચામાં, આ વાક્ય વધુ ઉપરની કક્ષાનાં પગલાંનો પ્રયાસ કરતા પહેલા પાયાના પગલાં અને પૂર્વજરૂરીયાતોને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મૂકે છે. વધુમાં, સશક્ત પ્રક્રિયાઓ બનાવવા, ભૂલો ઘટાડવા અને સુસંગત ઉત્પાદન ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે આ સિદ્ધાંતનું પાલન મહત્વપૂર્ણ છે.

તેના સૌથી મૂળભૂત સ્તરે, "પહેલાં મહત્વની વાત' નો અર્થ ઉત્પાદન વધારતા પ્રક્રિયા સ્થિર બની રહે તેમ સુનિશ્ચિત કરવાનો છે. પ્રારંભિક તપાસને અવગણવાથી ઘણીવાર પ્રણાલીગત સમસ્યાઓ રહી જાય છે, જેના પરિણામે ઉત્પાદન ચક્રમાં પાછળથી ખર્ચાળ પુનઃકાર્ય કરવાની કે પાછું લેવું પડવાની જરૂર પડે છે. સ્થાયી આધારરેખા ન હોય તો, પ્રક્રિયામાંથી એકત્રિત કરવામાં આવેલ ડેટા અવિશ્વસનીય બનીરહી શકે છે અને કોઈપણ સુધારાઓ કામચલાઉ અથવા ગેરમાર્ગે દોરનારા હોઈ શકવાની શક્યતાઓ વધે છે.

આ ફિલસૂફી જોખમ-આધારિત વિચારસરણીમાં પણ ઊંડે સુધી જડાયેલી છે. ઉત્પાદકો સૌથી વધુ જોખમી વસ્તુઓને પહેલામ હાથ પર લે છે, જેથી ખાતરી કરી શકાય કે જે સૌથી વધુ અસર ધરાવતું પરિબળ હોય તે થાય તેને પહેલાં ઘટાડી દેવામાં આવે.

વધુમાં, "પહેલાં મહત્વની વાત" લીન મેન્યુફેક્ચરિંગમાં જેમ્બા વોક ફિલસૂફી સાથે સંકળાયેલ છે - મૅનેજમૅન્ટ વાસ્તવિક પરિસ્થિતિનું અવલોકન કરવા માટે અને સમજવા માટે જ્યાં કામ થતું હોય તે વાસ્તવિક સ્થળે છે. કોઈપણ ફેરફારોને સૂચવતાં પહેલા પ્રક્રિયાની વર્તમાન સ્થિતિને સમજવી એ પ્રાથમિકતા છે. આ સ્થળ પર પ્રત્યક્ષ કરેલું અવલોકન ખાતરી કરાવી શકે છે કે  જે ઉપાયો સૂચવવાઈ રહ્યા છે તે  ધારણાઓ કરતાં વાસ્તવિકતા પર આધારિત છે.

ગુણવત્તા ઉદ્યોગમાં, "પહેલાંમહત્વની વાત" એક સશક્ત કાર્યકારી માર્ગદર્શિકા છે. તેમાં શિસ્ત અને દૂરંદેશીની આવશ્યકતા મહત્વની બની રહે છે. તે ખાતરી કરે છે કે દરેક પ્રયાસ મજબૂત પાયા પર આધારિત હોય, અને જેનાથી વ્યય ઓછો થાય, કાર્યક્ષમતા વધે અને અંતે ગ્રાહકો અપેક્ષા રાખે છે તે શ્રેષ્ઠ ગુણવત્તા તેમના સુધી પહોંચે.  ગુણવત્તા સંચાલનના પાયાના તત્વોને પ્રાથમિકતા આપીને, ઉત્પાદકો સમપોષિત સફળતા માટે સક્ષમ પરિવર્તનસક્ષમ તંત્ર વ્યવસ્થા સ્થાપિત કરી શકે છે.

આ અભિગમનો બીજો ફાયદો સુધારેલ કાર્યપ્રવાહ છે. જીમ સ્મિથ નોંધે છે તેમ, "ડિઝાઇન પ્રક્રિયાને વધુ સારી કરવાથી હેઠવાસમાં બધું સુધારવામાં મદદ મળે છે."


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.