Sunday, March 27, 2011

અપ્રેક્ષીત અસર - એક સક્ષમ માધ્યમ

ગયે અઠવાડિયે મેં શ્રી આર ગોપાલક્રિશ્નનનું '.......The Bonsai Mamanger' વાંચ્યું.
તેમાં લેખકે 'અપ્રેક્ષીત અસર'ના બદલાવની પ્રક્રિયા માં એક ખુબજ અસકારક માધ્યમ તરીકે ઉપયોગ /શક્યતાઓ વિષે મનનીય, તેમજ સચોટ, ઉદાહરણ ટાંક્યું છે.
'હિંન્દિ'ને સમગ્ર ભારત દેશની રાષ્ટ્રભાષા તરીકે પ્રચલિત કરવી તેવા 'અપેક્ષીત' આશય માટે બંધારણીય સુધારાની રાજકીય નિતિનો પ્રયોગ યોજવામાં આવ્યો.પરંતુ, અમલીકરણની આડઅસર દેશને ભાગલા પડી જઈ શકે તે હદસુધી લઇ ગઇ.
કારણ માત્ર એટલું જ કે તે સમયનાં [રાજકીય] નેતૃત્વ પાસે આવી બદલાવની પ્રક્રિયાનાં અસરકારક અમલીકરણમાટે ,ક્દાચ, એવો અથવા પુરતો અનુભવ નહોતો કે નિર્ણયની સીધી તેમ જ અનઅપેક્ષીત કે અપ્રેક્ષીત અસરો અંતિમ પરિણામને કેટલે અંશે પ્રભાવીત કરી શકે.જેમકે, બધાજ પક્ષકારો જ્યાં સુધી આવા બદલાવને સ્વાભાવિક બદલાવ તરીકે સ્વિકારે નહીં ત્યાં સુધી આ પ્રકારના બદલાવો ન ધાર્યાં હોય તેવાં પરિણામો પણ લાવી શકે; આવું પણ થઇ શકે એમ પણ કલ્પી પણ શકવા નો અનુભવ નહોતો.
આવાં વિખવાદીત રાજકીય વાતાવરણ સમયે પણ હિંદિ ચલચિત્રો દક્ષિણ રાજ્યોમાં ખુબજ પ્રચલિત થયાં હતાં.શા માટે? માત્ર, કદાચ એટલાં જ કારણસર કે હિંદિ ચલચિત્રો દક્ષિણ ભાષાનાં ચલચિત્રો સાથે મનોરંજનનાં માધ્યમ તરીકે સ્પર્ધામાં હતાં. તેમની આ ધંધાકીય સફળતાની એક અપ્રેક્ષીત [સફળ]અસર થઇ - હિંદિ ભાષાની સામાજિક [અભાન] સ્વિકૄતિ. રાજ્યભાષા તરીકે અછૂત, પરંતુ મનોરંજનની ભાષાતરીકે સ્વભાવિક સ્વિકૃતિ.

જોકે અહીં મુદ્દો એ નથી કે અમલીકરણની નિતિ શું હોવી જોઇતી હતી. તાત્પર્ય એ છે કે આટલાં hostile વાતાવરણ વચ્ચે પણ અપ્રેક્ષીત અસરનું પરીબળ તો, જાણ્યેઅણજાણ્યે,પોતાની કમાલ તો કરી જ રહ્યું હતું.

આજે, આકસ્મીક જ,હિંદી ચલચિત્રની આવી જ 'અપ્રેક્ષીત અસર'ની એક સબળ [સંભવિત] માધ્યમતરીકેની શક્યતા બતાવી શકે તેવું ચલચિત્ર જોયું - 'જાગો' [દિગ્દર્શકઃ મેહુલ કપુર , ૨૦૦૪].ફિલ્મમાં અંધારીઆલમના એક 'નેતા'નો સંવાદ છે -- " જ્યાં સુધી ગુન્હો કરતાં જેટલો સમય લાગે છે, તેટલા જ સમયમાં અદાલતમાથી ન્યાય નહીં મળે, ત્યાં સુધી સામાન્ય નાગરીકને ન્યાયતંત્રમાં શ્રધ્ધા નહીં આવે".

આપણા સમાજની એટલી કમનસીબી કે આ ફિલ્મને વ્યાપારીક સફળતા ન મળી, નહીંતર આ સંવાદ પણ 'શોલે'ના ગબ્બરસિંહના કે 'વક્ત' અથવા 'પાકીઝા'ના રાજ કુમારના સંવાદો જેટલો જ પ્રચલિત થઇ શક્યો હોત! અને જો એવું થયું હોત તો બળાત્કારના કિસ્સાઓ અંગે બહુચર્ચિત સામાજીક માન્યતાઓમાં કે તે અંગેના કાયદાઓમાં સુધારાઓની સ્વાભાવિક સ્વિકૃતિ અથવા તો ન્યાયતંત્રની કાર્યપ્રણાલીઅંગેના સુધારાઓની પૃષ્ઠભુમિકાનાં ઘડતરમાં આ સંવાદની પ્રભાવકારક અસર કલ્પી શકાય છે?

રાજ કપુરનાં 'શ્રી ૪૨૦, આવારા, જાગતે રહો',જીસ દેશમેં ગંગા બહતી હૈ' કે 'No one killed Jessica' કે અમિતાભ-અભિનીત 'પા' જેવાં અનેક ચલચિત્રની આ પ્રકારની 'અપ્રેક્ષીત અસર'નો કેટલો લાભ જે તે સમયની માન્યતાઓપર એટલી ઉંડી અસર કરવામાં લઇ શકાયો હોત.

રાજકીય કે સામાજીક કે ન્યાયતંત્ર કે જાહેરજીવનનાં કોઇ પણ ક્ષેત્રમાં સુધારાના વિષયોઅંગે કાર્યરત વ્યક્તિઓ કે સંસ્થાઓ જો બદલાવનાં એક સબળ માધ્યમતરીકે આ પ્રકારની 'અપ્રેક્ષીત અસર'ના પ્રભાવોની શક્યતાઓને પ્રલંબીત અસરકારક ઉદ્દીપકનાં સાધનતરીકે વાપરી શકવાનો નુસ્ખો શોધી નાખે તો?

No comments: