Sunday, March 27, 2011

સંસ્થાનો ઉદ્દેશ્ય અને સાધનોની ઉપલબ્ધી

આજની મારી આ નોંધ ૨૭મી માર્ચ,૨૦૧૧નાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલ શ્રી જગદીશ ભગવતીનો “The ‘real’ truth behind Yunus’s Grameen Story”- મનનીય અને માર્ગદર્શક - લેખ છે.
પ્રસ્તુત લેખમાં NGOs - દરેક પ્રકારના કાયદાકીય પરિમાણોની પુર્તતા કરીને પણ - સફળ સાતત્યસહ લાંબાગાળા નાં સંચાલન વિષે વિચારણીય રજૂઆત કરવામાં આવી છે.
NGOsની કાર્યપધ્ધતિનો સીધો મારો અનુભવ નથી તે મર્યાદા સ્વિકારતાં, મારા અંગત અભિપ્રય પ્રમાણે જે NGOsનાંસચાલન મૂળભુત મુલ્યોને જ આધાર રાખીને - સરખામણી માટે [કહેવાતાં] professional મુલ્યોપર આધારીત - સંસ્થા્ની કાર્યશૈલી નથી રહેલી જણાતી, તેવી સંસ્થાઓ લાંબાગાળે મુળ ઉદ્દેશ્યોથી ચલિત થયેલી જણાઇ છે.
તદુપરાંત, સાધનોની જરુર કરતાં વિપુલપ્રમાણમાં ઉપલબ્ધિને કારણે તો સામાન્યતઃ દરેક ક્ષેત્રની સંસ્થાઓ લાંબાગાળે તેમની હરીફાઇ-પ્રતીક્રામક કાર્યદક્ષતા અને અસરકારકતા ગુમાવતી જ હોય છે જ!
સરકાર કે પછી NGOs કે ખાનગી વ્યપારિક સંસ્થાઓમાં મુલ્યોથી વિપરીત ખર્ચાળ કાર્યશૈલીઓ,સર્વસ્વિકૃત નૈતિક સિધ્ધાંતોથી વિપરીત મુલ્યાંકન પરિમાણો અને વ્યક્તિ-આધારીત નિર્ણય પ્રણાલિઓ [કદાચ અજાણપણે પણ]ધીરે ધીરે ઘર કરી જાય છે, જેનું અંતિમ પરિણામ સંસ્થાનું મરણતોલ અસ્તિત્વ કે કદાચ મરણ જ થઇને રહી જતું હોય છે. સાથે સાથે માનવકલ્યાણ કે સમાજસુધારણા કે ઉદ્દાત વ્યાવસાયિક ઉદ્દેશ્યોનું પણ અસ્તિત્વ પણ જોખમાય જ છે.
અંતે સમાજપાસે રહી જાય છે માત્ર સડી ગયેલ ખોખલાં અશ્મિઓ, જેને ઐતિહાસિક ઉપયોગમાં લેવું પણ પાલવે નહીં અને ઇતિહાસમાંથી તેને નામશેષઃ પણ કરી શકાતું નથી.
કોઇપણ વ્યક્તિ કે સંસ્થાની સાર્થકતા કે યથાર્થતા તરફ અનાયાશ પણ અંગુલીનિર્દેશ ન કરતાં અત્યારે આ સંદર્ભમાં સદવિચાર પરિવાર, નર્મદા બચાવો આંદોલન,રજનીશજીનો ઑશૉ સંપ્રદાય જેવી સંસ્થાઓ યાદ આવે છે.
આજ વિચારોની સાથે સાથે હાલમાં ખુબ જ ચર્ચામાં છે તેવો પર્યાવરણની જાળવણી વિરુધ્ધ કુદરતી-સંશાધનો-આધારીત-ઔદ્યોગિકરણ વિષય પણ ધ્યાન પર આવે છે.ઉભય પક્ષોની તરફેણ કે વિરોધની દલીલો અને માન્યતાઓ જે તે સમય અને સંજોગોને એરણે [સંપૂર્ણપણે ન હોય તો પણ] સાચી છે અથવા સાચી હોઇ શકે છે તે વિરોધાભાસી પરિપ્રેક્ષ્યમાં નિર્ણય કરવાની જેના પર જવાબદારી આવી પડે તેનામાટે તો એક તરફ ખાડો તો બીજી તરફ ખાઇ એવી વિકટ સમસ્યા મોં ફાડને ઉભી થઇ જતી હોય છે.
આની સામે આશાનું કિરણ એ છે કે કેન્દ્ર સરકારના આ વિભાગના વર્તમાન પ્રધાન શ્રી જયરામ રમેશ એક એવી વ્યક્તિ ગણાય છે કે જે નિશ્પક્ષપણે એવી મુલ્યાંકન પધ્ધતિ વિકાસવામાટે સક્ષમ જણાય છે.
હાલપુરતું એ આશાથી આ વિચારનો હાલપુરતો અંત કરીએ કે આપણી વર્તમાન પેઢી ભવિશ્યને એરણે ખરી ઉતરે તેવું આ બાબતે ઐતિહાસિક પ્રકરણ લખશે!
અસ્તુ.

No comments: