Showing posts with label ISO 9004. Show all posts
Showing posts with label ISO 9004. Show all posts

Sunday, November 18, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - નવેમ્બર, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ઓગસ્ટ, ૨૦૧૮ના આપણા બ્લૉગોત્સવના અંકમાં આપણે ISO 9004: 2018માંના ત્રણ પૈકી બે સંષોધનો વિષે વાત કરવાનું નક્કી કરેલ હતું.
આ બે સંશોધનો છે -
-     સંસ્થાની ગુણવત્તા' પર વિશેષ ભાર;
-     સંસ્થાની ઓળખ' પર ખાસ ધ્યાન
આજના આપણા નવેમ્બર, ૨૦૧૮ના અંકમાં આપણે ' સંસ્થાની ઓળખ' 'ની ચર્ચા પર વિશેષ ભાર મુકીશું.
મૅનેજમૅન્ટ શિક્ષણનાં તેમ જ સફળ સંસ્થાઓનાં સંચાલન સાથે સંબંધિત વ્યાવસાયિકો માટે 'સંસ્થાની ઓળખ' કદાચ નવો વિચાર નથી. પરંતુ ISO 9004:2018 માં તેને મહત્ત્વનું સ્થાન મળવાને કારણે આ વિચાર ગુણવત્તા વ્યાવસાયિકોનાં કાર્યક્ષેત્રમાં પણ અલગ અલગ સંદર્ભે ચર્ચાતો રહેશે.
સંસ્થાની ઓળખસંસ્થાજન્ય સિધ્ધાંતનાં કાર્યક્ષેત્રમાંનો એક અભ્યાસ વિષય છે, જે 'સંસ્થા તરીકે આપણે કોણ છીએ?' તે પ્રશ્નના જવાબની ખોજ કરે છે...વ્હેટ્ટન (૨૦૦૬) મુજબ કેન્દ્રસ્થ (central), ટકાઊ (enduring) અને આગવાપણું/વિલક્ષણતા  (distinctive/distinguishing)  (CED)એ સંસ્થાની ઓળખની ખાસીયતો છે. 
·         કેન્દ્રસ્થ ખાસીયતો દ્વારા સંસ્થાના ઈતિહાસને બદલાતો રહે છે; જો આ ખાસીયતો ન હોય તો સંસ્થાનો ઈતિહાસ કંઈક અલગ જ હોય;
·         ટકાઊ ખાસીયતો સંસ્થામાં એટલી હદે ઊંડે સુધી ઉતરી ગયેલ હોય છે કે મોટા ભાગે તેને ક્યાંતો અનુલ્લંઘનીય મનાય છે કે પછી તે સંસ્થાનાં ઈતિહાસમાં વણાઈ ગયેલ જોય છે;
·         આગવી / વિલક્ષણ ખાઈયતો સંસ્થાને અલગ સંસ્થાઓથી અલગ તારવે છે, અને સંસ્થામાટે તે માપદંડ કે અધિકૃત ધોરણ બની રહે છે.
Organizational Identity = Purpose + Philosophy - એક એકમ તરીકે પ્રયોજન અને જીવન્દૃષ્ટિ સંસ્થાની ઓળખની કેન્દ્ર્સ્થ ખાસીયતો છે જેના વડે સંસ્થાનું ચારિત્ર્ય સ્પષ્ટ બને છે અને વર્ષોવર્ષ સંસ્થાને તેનાં અસ્તિત્વનું નિમિત મળતું રહે છે. સંસ્થાની ઓળખનાં આ ઘટકો સંસ્થાનાં દરેક પાસાંઓનો પાયો બની રહે છે.
Organizational Identity- From 'Why we are' to 'Who we are - સંસ્થાની ઓળખ 'આપણે શા માટે છીએ? (સંસ્થાનાં અસ્તિત્વના ઉદ્દેશ)ને 'આપણે કોણ છીએ?' (આગવી ઓળખ)માં સ્પષ્ટ કરે છે. બહુ ઓછી સંસ્થાઓને - 'સંસ્થા તરીકે આપણે કોણ છીએ?', 'આપણે શું શા માટે કરી રહ્યાં છીએ? કે 'ભવિષ્યમાં આપણે ક્યાં પહોંચવા માગીએ છીએ ?' જેવા - સવાલોના જવાબ ખબર હોય છે. સંસ્થાની ઓળખ તેના સભ્યો તેમજ સંચાલકોનાં વ્યક્તિગત તેમ જ સામુહિક પગલાંઓ, અર્થઘટનો અને નિર્ણય-પ્રક્રિયાઓ પર પ્રભાવ પાડે છે. સંસ્થાની ઓળખનો સંસ્થાની પરિવર્તન પ્રક્રિયાઓ પર પણ બહુ મોટી અસર પડે છે.
Is your identity given or created? | Marcus Lyon | TEDxExeter : સોમોસ બ્રાઝીલ (વી આર બ્રાઝીલ), વિવિધમાધ્યમી ફોટોગ્રાફી, અવાજ અને ડીએનએ પ્રોજેક્ટ, માર્ક્સ લ્યોન આપણી સમક્ષ ચિત્રો, સ્કથાઓ અને પૌરાણિક ડીએનએ રજૂ કરીને આધુનિક બ્રાઝીલની ઓળખ ખડી કરે છે. આમ કરીને તે આપણું ચાલક બળ શું છે અને આપણે શું કરી શકીએ તે વિષે પ્રશ્ન કરે છે.

આઈકીઆ (IKEA) એક સંસ્થા તરીકે તેની બ્રાંડ સાથેની પોતાની ઓળખને અસરકારક રજૂ કરવા માટે પણ ખ્યાત છે. પોતાનં દીર્ઘદર્શન કથન - વધારેમાં વધારે લોકો માટે રોજબરોજની જિંદગી સરળ બનાવવી -ને વ્યવહારમાં અમલમાં મુકવા માટે તેઓ જ્યાં જ્યાં કામ કરે છે ત્યાંનાં લોકો અને સમાજનાં જીવનમાં પણ બદલાવ લાવવા તેઓ કાર્યરત રહે છે.  The IKEA Group - The Story of How We Work માં તેઓ આ શી રીતે કરી રહ્યાં છે તે બતાવાયું છે.


આજના વિષય પરની સંક્ષિપ્ત ચર્ચાની સમાપ્તિ Management system model to achieve sustained success   થી કરીશું.  

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Leadership Step By Step માંનો Joshua Spodekનો લેખ The 20/80 Rule, Integrity, and the Opposite of the 80/20 Rule  આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. Vince Lombardi  iનું કહેવું છે કે ઝીણી ઝીણી અંતિમ વિગતો પર ધ્યાન આપવાનું હંમેશાં ફળે છે. બીજાં માટે મહત્ત્વની ન જણાતી છેલ્લી ૧% વિગતો પર ધ્યાન આપનાર સામે લોકો દોરવણી માટે આધાર રાખવાનું પસંદ કરે છે. કોઈ કામ દરેક વખતે યોગ્ય જ રીતે કરવાની સાથે સાથે તેની બધી જ વિગતો પણ બરાબર પાર ઉતરે તે પણ મહત્ત્વનું છે.

આપણા આજના અંકમાં ASQ TV પરનાં બે વૃતાંતની નોંધ લઈશું.:
  • Risk Intelligence for the Organization - જોખમો નક્કી કરવાં, તેમનું મૂલ્યાંકન કરવું અને સારામાં સારી રીતે જોખમ અહેવાલ કેમ રજૂ કરવો એ વિષે વિચારમંથનથી આગળ કેમ જવું તે ટાટા હાઉસિંગ ડેવલપમેન્ટ કંપની લિ.ના મૅનેજમૅન્ટ અસ્યોરરન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ કોશે સમજાવે છે.
  • Big Dataવિશાળ માહિતી સામગ્રી (બીગ ડૅટા), માહિતી-સામગ્રી વિશ્લેષકો (ડેટા એનાલિટીક્સ) અને ભાવિસૂચક નમૂના ઘડતર (પ્રિડીક્ટીવ મૉડેલીંગ)ની પ્રાથમિક સમજ અને સંસ્થાઓ તેમ જ ગુણવત્તા વ્યાવસાયિકો તેનો શી રીતે ઉપયોગ કરી શકે તેની સમજણ આપવામાં આવી છે. વધારાની માહિતી: The Deal With Big Data

 Jim L. Smithનાં ઓક્ટોબર, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:
  • Pursuit of Excellenceવેગીલી દોડનો લાંબું ન ટકી શકતો એક તીખારો નહીં પણ કાચબા અને
    સસલાંની વાર્તા જેમ ઉત્કૃષ્ટતા માટેની ધીમી શોધ પણ હરીફાઈમાં જીત અપાવી શકે છે. અનુભવે મેં જોયું છે કે સંપોષિત સુધારણા માટે સંસ્થાનાં વાતાવરણમાં બદલાવ આવશ્યક છે. સતત સુધારણા માટે તકનીકને બદલે સખત મહેનત અને શિસ્ત વધારે અગત્યનાં છે. એ જ ઉત્કૃષ્ટતાની શોધ છે.

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, October 21, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓક્ટોબર, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓક્ટોબર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ઓગસ્ટ, ૨૦૧૮ના આપણા બ્લૉગોત્સવના અંકમાં આપણે ISO 9004: 2018માંના ત્રણ પૈકી બે સંષોધનો વિષે વાત કરવાનું નક્કી કરેલ હતું.
આ બે સંશોધનો છે -
-     સંસ્થાની ગુણવત્તા' પર વિશેષ ભાર;
-     સંસ્થાની ઓળખ' પર ખાસ ધ્યાન
આજના આપણા ઑક્ટોબર, ૨૦૧૮ના અંકમાં આપણે 'સંસ્થાની ગુણવત્તા'ની ચર્ચા પર વિશેષ ભાર મુકીશું.
ISO 9000:2015ની ગુણવત્તાની વ્યાખ્યાનો આધાર લઈને ISO 9004: 2018  'સંસ્થાની ગુણવત્તા'ની વ્યાખ્યા કરતાં કહે છે કે, 'સંસ્થાની ગુણવત્તા એટલે સંસ્થાની સહજ લાક્ષણિકતાઓ દ્વારા સંસ્થની સંપોષિત સફળતામાટે કરીને સંસ્થાનાં ગ્રાહકો અને અન્ય હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓની જે માત્રામાં સંતુષ્ટિ થવી તે.'…બીજા શબ્દોમાં કહીએ તો સંસ્થાની ગુણવત્તાની કામગીરીનું એક મહત્ત્વનું સૂચક છે સંસ્થાની સંપોષિત સફળતા.
બહુ જ જટિલ,મહેનત માગી લેનાર અને સદાય બદલતાં રહેતાં વાતાવરણમાં સંપોષિત સફળતા માની લેવી એ ખોટું છે. જેમકે. the 2018 Corporate Longevity Forecast માં એમ ધારણા કરાઈ છે કે ૨૦૨૩ સુધીમાં Standard & Poor’s 500માં જોવા મળતી સંસ્થાઓની, આવરદા આ આંકમાં, સરેરાશ ૧૨ વર્ષ રહેશે. નવી ટેક્નોલોજીઓ, આર્થિક ઝટકાઓ, વિધ્વંસકારી હરીફો અને, તે બધાં ઉપરાંત,  ભવિષ્યના પડકારોને પારખવા અને તેમની સાથે કામ પાર પાડવાની અક્ષમતા આ શરતી સંપોષિતા માટે કારણભૂત બની રહેશે.
આ ચર્ચાને ISO 9001: 2015માં જણાવાયેલ આવશ્યકતાઓ સાંકળીશું તો જણાશે કે સંસ્થાના સંદર્ભ અને સંસ્થના હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ સમજવામાં સંસ્થાની પોતાની સંસ્કૃતિ અને જ્ઞાનનો ઉપયોગ કેટલી અસરકારકતાથી સંસ્થા કરે છે. તે ઉપરાંત સંસ્થાની ગુણવત્તાને ચકાસવામાટે સંસ્થાનાં જોખમો અને તકો માટે કરીને સંસ્થાએ લીધેલાં પગલાંઓની અસરકારકતાના સંદર્ભમાં સંસ્થાની કામગીરીની પરિપક્વતા એક બહુ જ ઉપયુક્ત સૂચકાંક બની રહે છે. 
The Top 10 Characteristics of a Healthy Organizationમાં Rose Johnson સંસ્થાની સંસ્કૃતિમાં વણાઈ ગયેલ કેટલીક લાક્ષણિકતાનું વર્ણન કરે છે, જેને ઓળખવાથી અને સમજવાથી સંસ્થા કેવા પ્રશ્નોનો સામનો કરશે અને એતેની સામે ટકી રહેવ અમાટે કેવાં કેવાં સુધારણા પગલાંઓ ભરી શકશે તેનો અંદાજ લગાવી શકાય છે.
તંદુરસ્ત, સક્ષમ સંસ્થાના વિષયને લગતા બીજા પણ કેટલાક લેખો આલેખની સાથે જોવા મળી શકે છે
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Essential Management for Doers, Doubters and Darers માંનો Jim Champy નો લેખ When a Company Goes Astrayઆપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. તાજેતરની કેટલીક ઘટનાઓને વર્ણવતાં વર્ણવતાં લેખક સાચા સવાલ પૂછવાનાં મહત્ત્વને ફરી એક વાર દોહરાવે છે. તેમાં પણ, જ્યારે કંપની લથડીયાં ખાવાની સ્થિતિ હોય ત્યારે તો ખાસ. તેઓ આ ચાર સવાલને સૂચવે છે :
·         સંસ્થાની મૅનેજમૅન્ટ ટીમ પાસે પરિવર્તન માટે આવશ્યક કૌશલ્ય, મનોવૃત્તિ અને ભૂખ છે?
·         બજારની બદલતી રહેતી જરૂરિયાતોનો પડઘો કંપનીનાં ઉત્પાદનો અને સેવાઓમાંકેવો પડે છે?
·         કંપનીએ વિજાણુકરણને કૅટલી હદે અપનાવેલ છે ?
·         કંપનીની કામગીરીઓ કેટલી અસરકારક અને નક્કર રહેતી આવી છે?
આપણા આજના અંકના ASQ TV પરનાં વૃતાંત, Why Continuous Improvement Teams Fail માં સતત સુધારણા ટીંઅની ભૂમિકા શું હોવી જોઈએ, તેમાં કોને કોને સમાવવાં જોઈએ અને તેઓએ શું શું પ્રકારનાં કામ કરવાં જૉઇએ તે સમજાવાયેલ છે.
Jim L. Smithનાં સપ્ટેમ્બર, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:

  • Soft Skills are Underrated - ગુણવત્તા વ્યાવસાયિકોપાસે ટીંમનાં અન્ય સભ્યો સાથે આપસી આદાનપ્રધાન માટે જરૂરી હોય એ કક્ષાનું પ્રબળ કૌશલ્ય હોવું જરૂરી છે. - સંસ્થાને તેની કામગીરીની શ્રેષ્ઠ કક્ષાએ લઈ જવા માટે ગુણવત્તા વ્યાવસાયિકોપાસે ગુણવત્તા તકનીકો અને સાધનો પાસે સારૂં એવું પ્રભુત્વ હોય તે તો આવશ્યક છે જ. પરંતુ આજના સમયમાં એટલું પૂરતું નથી. આપસી આદાનપ્રદાન પ્રક્રિયાઓમાં માહિર ન હોય એવાં વ્યાવસાયિકોને ટીમનાં સારાં સભ્યો નથી માનવામાં આવતાં. જે વ્યાવસાયિક પોતાની ટીંમ સાથે હળી મળીને કામ કરી શકે છે તે સામાન્ય રીતે પોતાની સાથે એક સકારાત્મ્ક વાતવરણ પણ લાવે છે. ઉત્કૃષ્ટ ઉત્પાદકતા માટે આવાં સકારાત્મક વાતાવરણનું ઘણું મહત્ત્વ હોય છે. આ પ્રકારની મનોસ્થિતિવાળાં વ્યાવસાયિકો વધારે રચનાત્મક અભિગમ દર્શાવ્તાં હોય છે, અને અન્ય સભ્યોને ઉપાયો શોધવામાં સક્રિયાત્મકપણે મદદરૂપ બનતાં હોય છે. આપસી આદાનપ્રદાન પ્રક્રિયાને લગતી ખાસીયતોની યાદી તો બહુ લાંબી બની શકે, પરંતુ કેટલીક મહત્ત્વની બાબ્તો કહેવી હોય તો સાથસહકારથી કામ કરનાર, ભરોસાપાત્ર, સામી વ્યક્તિને માનની નજરે જોનાર, કળથી કામ લેનાર, મૈત્રિપૂર્ણ,
    સહાનુભૂતિ દાખવનાર, પ્રમાણીક, મદદગાર, (બોલેલે, લખેલ, બોલ્યા સિવય )મુક્ત સંવાદમય રહેવું, ખુલ્લાં મનનું હોવું, સકારાત્મ્ક રહેવું જેવી બાબતો આવરી લઈ શકાય...આમાંથી પોતાની અંદર ખૂટતી કોઈ પણ બાબતને ચોક્કસ પ્રયત્નો દ્વારા વિકસાવી શકાય છે, બસ એના માટે જોઈએ  સંન્નિષ્ઠ પ્રતિબધ્ધતા અને કડી મહેનત.
  • Impulse Decisions - આવેગ એ આમ તો કંઈ પણ કરવાની પ્રબળ ઈચ્છા કહી શકાય. આપણાં અર્ધચેતન મનમાંથી કોઈ એક સ્ફુરણા (અચાનક) જાગે છે જે ચેતન મગજને કંઈક કરવાની સુચના રૂપે સમજાય છે.  મોટા ભાગે આવેગને કારણે વર્તન કરવું એ નકારાત્મ્ક સ્વરૂપે જોવામાં આવતું હોય છે, કેમકે તેની સાથે જરૂરી તર્ક ન હોવાથી તેનાં પરિણામોનો વિચાર ન કરાયો હોય એવી શક્યતાઓ વધારે રહેતી હોય છે. આવેગથી કામ કરતાં લોકો ભલે પરિણામનો વિચાર ન કરતાં હોય, પણ લીધેલું કામ પૂરૂં જરૂર કરે તે પણ સારી જ વાત છે. આવાં લોકો લાગણી શીલ જરૂર વધારે હશે,પણ તેમનાં લક્ષ્યની બાબતે જરૂર ચોક્કસ કહી શકાય. લક્ષ્ય સિધ્ધિમાં તર્ક ન હોય પણ લાગણીનો જુસ્સો હોય તો પણ લક્ષ્ય સિધ્ધિની સંભાવનાઓ વધી તો જતી જ હોય છે.આવેગને તર્કની એરણે ચકાસવા જરૂર પણ તર્કનાં દબાણ હેઠળ દબાવી ક્યારે પણ દેવા જોઈએ.

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.