Monday, November 28, 2011

૨૩-૧૧-૨૦૧૧નો 'કળશ'નો અંક - એક અનેરો અનુભવ - ભાગ - ૧

૨૩-૧૧-૨૦૧૧નો 'કળશ'નો અંક એક અનેરો અનુભવ રહ્યો.
લગભગ દરેક લેખ પોતપોતાનાં ક્ષેત્રમાં તેની પરકાષ્ઠાની કક્ષાએ જણાયો.
સમાન્ય રીતે, દરેક અંકમાં થોડા લેખ આટલા સારા થયા હોય તેમ થતું હોય.એટલે, તે લેખોને આનંદીએ અને અંદરોઅંદર,મિત્રોસાથે કે કુટુંબીજનોસાથે,સક્રિય ઉત્સાહથી ચર્ચાઓ કરીએ એટલે વાત થાય પૂરી.
પરંતુ આ અંકની મજાને કારણે પેદાથયેલાં વિચારવમળ તમારી સાથે પ્રતિભાવનાં સ્વરૂપે પહોંચાડવા માંગું છું.
તમે અને તમારી તંત્રી ટીમ મૅનૅજમૅન્ટની અખબારના - રોજ બ રોજ તેમ જ વરસો વરસ, ફેલાવા અને અન્ય સ્પર્ધામાંનાં અખબારોની સરખામણીમાં બજારનો હિસ્સો જેવી નિતિવિષયક માર્ગદર્શિકાઓ, અખબારની જ અન્ય પૂર્તિઓ તેમ જ અન્ય અખબારોની સમકક્ષ પૂર્તિઓ તેમ જ આ જ પ્રકારનાં અન્ય પ્રકાશનો સાથે સ્પર્ધાત્મક તેમ જ ગુણાત્મક સરખામણી; તમારી પોતાની વ્યક્તિગત તેમ જ તમારી તંત્રી ટીમની તમારી પોતાની સર્જનાત્મક અપેક્ષાના સદર્ભે કામગીરીની તેમ જ આ ક્ષેત્રના માન્ય લોકોદ્વારા ઔપચારિક તેમ જ અનૌપચારિક મુલવણી, સમગ્ર અંક નાં આયોજીત સ્વરુપ તેમ જ આવરી લેવાતી સામગ્રી તેમ જ કોઇ એક લેખના સદર્ભે  તમારા વ્યાવસયિક ક્ષેત્રની તેમ જ સાહિત્ય ક્ષેત્રના અન્ય માન્ય લોકોની દ્રષ્ટિમાં તમારૂ સ્થાન જેવા અનેક પરિબળોના પરિપ્રેક્ષ્યને કારણે થતાં દબાણોની હું સારીરીતે કલ્પના કરી શકું છું.
આ બધી દ્રષ્ટિકોણથી વિચારીએ તો ,કમ સે કમ,તમારા લગભગ બધા જ પ્રકારના વાચકોમાટે 'કળશ'ની આગવી ઓળખ જરૂર થઇ ચૂકી છે.
જો કે હું તમારા કેટલાક લેખકોની સરસ લખાયેલાં ગુજરાતીમાં કારણ વગરનાં અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરવાની શૈલી સમજી નથી શક્યો. જ્યાં ગુજરાતી શબ્દનો પ્રયોગ શ્રી ભદ્રંભદ્રની યાદ અપાવે અથવા તો અંગ્રેજી શ્બ્દ કોઇપણ સામાન્ય ગુજરાતીની વાતચીતની ભાષામાં પણ સહજરીતે વપરાતો હોય ત્યાં અંગ્રેજી શબ્દ વાપરવામાં આવે  તે સમજી શકાય અને સ્વિકાર્ય છે. સિવાય કે '૮૦ પછીનીઅડધાંપડધાં અંગ્રેજી માધ્યમમાં ભણ્યાં અને હવે તેમનાં બાળકોસાથે ગુજ્જુગ્રેજીમાં વાત કરે તો જ મૉડર્ન  કહેવાવાય એ પેઢીને ધ્યાનમાં રાખીને આ શૈલિ પ્રયોગ કરાતી હોય તો પછી કંઇ કહેવામાટે રહેતું નથી.
'કળશ' તેના વાચકના રસને કેળવી શકે એવાં અન્ય પ્રકાશનો, જેવાં કે ચિત્રલેખા,ની કક્ષાએ પહોંચી ચૂક્યું છે. એટલે 'કળશ' ઇચ્છે તો તે તેના વાચકોને 'સારાં' ગુજરાતીની ટેવ જરૂર પાડી શકે. જો કે ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવી તેવા બીન-વ્યાવસાયિક ઉદ્દાત આદર્શો સેવવા કે નહીં તે તમારી એડીટોરિયલ ટીમ તેમ જ દિવ્ય ભાસ્કર મૅનૅજમેન્ટનો અબાધિત હક છે, તેથી મારા જેવા વાચકે તે અંગે માત્ર પોતાની લાગણીને વાચા આપી અટકી જવું જોઇએ.
તમને, તમારી તંત્રીગણ ટીમ અને તમારા લેખકોને સાંપ્રત વિષયો, આધુનીક ભાષામાં ઉચ્ચ વ્યાવસાયિક માપદંડથી સજ્જ શૈલિમાં સરસ ગુજરાતી વાંચન, દર અઠવાડીએ પીરસવામાટે અભિનંદન અને અભાર.


આશોક વૈષ્ણવ

P.S.
-- 'કળશ'નાં તંત્રીમંડળને લખેલો પત્ર
--- આ અંકના જે લેખની જે જે બાબતે લખવું છે તે તેનાં સ્વાભાવિક થઇ પડેલાં લંબાણને કારણે તેને આ સાથે અલગથી પૉસ્ટ કરીશ. લેખ અંક્માં જે ક્રમે પ્રસિધ્ધ થયેલ છે તે જ ક્રમ મેં પણ જાળવ્યો છે.

Tuesday, November 15, 2011

'પરિચય પુસ્તિકા’ - ૧૨૬૪: ‘ચિત્રલેખા'


'પરિચય પુસ્તિકા’ - ૧૨૬૪ ને ‘ચિત્રલેખા'ના ઇતિહાસ અને વિકાસનો સ-રસ અને માહિતિસભર ગ્રંથનાં સ્થાને મુકી પણ શકાય. ને તેમ છતાં ધારીએ તો એક બેઠકે વાચી પણ જઇ શકાય તેમ છે.
ભારતમાં અખબાર અને મૅગૅઝિન પ્રકાશનક્ષેત્રે કુટુંબદ્વારા સંચાલનથી શરૂ થયેલ, પણ સમયની માંગ પ્રમાણે વાણિજ્યિક તેમ જ તંત્રી વિભાગોમાં વ્યાવસાયિક પ્રતિભાને વિકસવામાટેની પૂરતી તકો આપવી તે પ્રણાલિકા તો જોવા મળે જ છે. જો કે સામાન્ય રીતે અન્ય પ્રકાશનગૃહો કોઇને કોઇ ઔદ્યોગિકગૃહનો હિસ્સો જ હોય છે.એટલે, ત્યાં ઔદ્યોગિક સંચાલનની કુનેહનો લાભ પ્રકાશન સંસ્થાને પણ મળી રહે.
જ્યારે 'ચિત્રલેખા' ની શરૂઆતની ભાત થોડી અલગ છે. એક વ્યાવસાયિક પ્રથમ જ વાર ઉદ્યોગસાહસિકના સ્વાંગમાં મંચ પર આવ્યા હતા, પ્રકાશનો હજૂ સયંસંચાલનના વેગમાં પહોંચે તે પહેલાં અકાળે મંચ છોડી પણ દીધો.તે પછીથી ગૃહિણિમાંથી વ્યવસાય સંચાલન, અને તે પણ મૅગૅઝીન પ્રકાશન જેવું સંકુલ સંચાલન મધુરીબેને સંભાળ્યું,હરકિશનભાઇ જેવા શુભચિંતક વ્યાવસાયિકને એવા કપરા સંજોગોમાં સંસ્થામાં જોડવા માતે પ્રેરિત કરવા એ બધું 'ચિત્રલેખા'ને અન્ય પ્રકાશનોથી સંજોગોના પ્રભાવની બાબતે તેટલાં પૂરતું અલગ પાડી દે છે.
અને તે પછીનો ઇતિહાસ આ પુસ્તિકામાં જીવંત સ્વરૂપે લખાયો છે.
ચિત્રલેખાની તવારીખના ઉતાર-ચડાવ તૉ હરકિશન મહેતાની નવલકથાનું વાંચન યાદ કરાવી દે.
ચિત્રલેખાના આજ સુધીની આ સફલયાત્રા માટે તેમની મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ યશનું હકદાર છે. જે સંસ્થાને ઉત્તરોત્તર આવું બાહોશ અને નિષ્ઠાવાન નૅત્રુત્વપુરું પાડે તેવી વ્યક્તિઑ મળી રહે તે સદ્‌ભાગ્ય તૉ ખરું જ,પરંતુ દરેક પુરોગામી નેતાની દુરંદેશીભરી દ્રશ્ટિ સિવાય આવું ભાગ્ય સદ્‌ભાગ્ય સુધીની કક્ષાએ પહોંચે નહીં તેમ પણ સ્વિકારવું જોઇએ. 
ચિત્રલેખા કુટુંબ - ટીમની દરેક વ્યક્તિ તરફ હું એક વાચક્ની દ્રષ્ટિથી ખુબ જ અહોભાવ અનુભવું છું.

Saturday, November 12, 2011

BBC Hindi - मनोरंजन - ‘टिनटिन’ के लिए अमरीका से पहले भारत

BBC Hindi - मनोरंजन - ‘टिनटिन’ के लिए अमरीका से पहले भारत:

'via Blog this'

સ્ટીવન સ્પિલબર્ગનાં ટીનટીન પરનું ઍનીમૅશન ચલચિત્ર ભારતમાં, તેની અહીં વધારે લોકચાહનાને કારણે, પહેલાં રજૂ કરાઈ રહ્યું છે તે જેટલી આનંદની વાત છે તેટલી મારે માટે નવાઇની પણ વાત છે.
ટીનટીનનું બંગાળીમાં અને હિન્દીમાં ભાષાંતર પણ થયું છે તે પણ મારામાટે તો 'સમાચાર' જ છે. ભાષાંતર વિશે તેમ જ ટીનટીનની ભારત ની બે સફર [એક વધુ અચરજ!] 'બીબીસી ન્યુઝ'પરના તેમના દિલ્હીના સંવાદદાતા શ્રી સૌતિક બિશ્વાસનો સ-રસ લેખ [http://www.bbc.co.uk/news/15680397] પણ વાંચવા યોગ્ય છે.

ટીનટીનના લેખક ની સંશોધનની મહેનતની વાત આપણા લેખકોએ બોધ લેવાપાત્ર છે.....

Tuesday, November 8, 2011

'मिर्झा गालिब' सीरीयलके लिये जगजीत सिंहकी गायी एक गझल


न था कुछ तो खुदा था, कुछ न होता तो खुदा होता
डुबोया मुझको होने ने, न होता मैं तो क्या होता
हुआ जब गमसे युं बेहिस, तो गम क्या सर कटने का
न होता गर जुदा तनसे, तो झानों पर धरा होता
हुइ मुद्दत के 'गालिब'मर गया,पर याद आता है
वो हर इक बात पे कहते के, यूं होता तो क्या होता.

Saturday, November 5, 2011

મમળાવવાની મજા આવશે......


મોટા ભાગના લોકો હૈયામાં એક ગીતનો ડૂમો દબાવીને મૂંગે મોંઢે અંતિમયાત્રા સમેટી લે છે, તેમના ઓરતા અધૂરા રહી જાય છે. -- હેન્રી ડૅવિડ થોરો
ભય આવે છે,દરવાજો ખટખટાવે છે, એજ વખતે આસ્થા, શ્રધ્ધા એટલે ભરોસો આવે છે, અને દરવાજો ખોલે છે અને જુએ છે તો ત્યાં કોઇ નથી હોતું. - અંગ્રેજી કહેવત
 સાભાર ---- 'ગુફ્તગૂ' - લેખક રમેશ પુરોહિત -- મધુવન , જન્મભૂમિ પ્રવાસી, ૨-૧૦-૨૦૧૧

આજના જમાનામાં,
કશુંય મફત નથી મળતું,
હાર્ટ ઍટેક પણ મફત નથી મળતો.
એ માટે કિંમત ચૂકવવી પડે છે.
રાત-દિવસ તાણ વેઠો,
ખાવામાં જબરી બેદરકારી રાખો,
શરીરનું વજન વધતું રહે
એ માટે બેઠાડુ કલાકો ગાળો;
પછી હૃદયરોગનો હુમલો થાય તો થાય!
મને હાર્ટ એટેક આવે
એ માટે મેં ભારે તૈયારી કરી હતી.
હૃદય રોગને પણ સ્વમાન હોય છે
એ વગર બોલાવે નથી આવતો!
-- ગુણવંત શાહ, 'કાર્ડિયોગ્રામ', ચિત્રલેખા, ઑક્ટોબર, ૨૦૧૧

 ઇર્ષાળુ માણસની ખામોશી પણ ખુબ કોલાહલ ભરેલ હોય છે. - ખલીલ જિબ્રાન
 ૧૪મી નવેમ્બર,૨૦૧૧નાં 'ચિત્રલેખા'ની 'એલચી' કૉલમમાંથી સાભાર


આજથી વીસ વર્ષ પછી, તમે જે કર્યું છે તેના કરતાં તમે જે પ્રયત્ન નથી કર્યા તેના લીધે વધુ દુ:ખી હશો.

માટે તમારી હદોને ફેંકી દો, તમારા સુરક્ષિત સીમાડાઓમાંથી બહાર આવો, સ્વપ્ન જુઓ, પ્રયત્ન કરો અને સફળતા મેળવો
માર્ક ટ્વેઇન

સર્વસમાવેશક વિકાસ આવો હોય! - સનત મહેતા -- દિવ્ય ભાસ્કર, અમદાવાદ આવૃત્તિ, ૩જી નવેમ્બર, ૨૦૧૧


શ્રી સનત મહેતા તેમના સમયના 'સાચા' સમાજવાદી ગણાતા, તેમ જ તેમના જાહેર રાજકીય જીવનમા તેમણે ખુબ‌ તડકી છાયડી જોઇ છે. તેથી તેથી તેમની અનુભવસિધ્ધ વિચારસરણીની પ્રક્રિયાની કસોટીમાથી પસાર થયેલ અભિપ્રાય કે મતવ્યની તરફેણમા કે સામે દલીલમા કહી કહેવાનો અત્રે આશય નથી.
ખાનગી સાહસની ભાગીદારી ઉચ્ચ શિક્ષણના પ્રમાણમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સ્તરે વહેલી થઇ છે. પરંતુ, તેનાથી જરૂરી માત્રામાં શાળાઓની ઉપલબ્ધીનો આશય સિધ્ધ થયેલો ગણી શકાય. પરંતુ, એ સ્તરનુ શિક્ષણ આર્થિક કે નાત-જાતના કોઇ જ ભેદભાવવગર સાચા અર્થમાં સમાન રીતે સમાજના દરેક વર્ગને ઉપલબ્ધ છે તેમ કહેવુ અતિવિવાદાસ્પદ વિધાન બની રહે.
'શિક્ષણને બંધારણીય હક્કનો દરજ્જો મળ્યા પછી પણ જાહેર-સંચાલનહેઠળની શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામ્ય શાળાઓનાં શૈક્ષણિક માળખાંને એ સ્તરે લઇ જવામાટે હજૂ ઘણું અંતર કાપવાનુ બાકી જણાય છે કે જયારે તે શાળાઓ સમાજના 'ઉપલા' વર્ગને પણ શિક્ષણની ગુણવત્તાના આધારે પોતાતરફ ખેંચી શકે.
આપણું ખાનગી સાહસ હજૂ પણ આર્થિક લાભોથી દોરાતું વધારે દેખાઇ રહ્યું છે, તો બીજી બાજૂએ સરકારી તંત્ર પણ હજૂ તેની 'કાયદો પળાવવાવાળાં ઇન્સપેક્ટર રાજની મનોદશા'માથી બહાર આવી અને અપેક્ષીત પરિણામો અને તે માટે ફાળવાયેલ સાધનોનાં કાર્યદક્ષ અને અસરકારક અમલીકરણનો  proactive watchdog બની શકેલ નથી જણાતું.
આ પરિસ્થિતિમાં ઘઉંમાંથી કાંકરા અલગ કરવાની જવાબદારી, જાણ્યે અજાણ્યે, મુક્ત બજાર વ્યવસ્થાની પ્રક્રિયાથી થવા દેવી જ ઉચિત નથી જણાતી? હા, જંગલના ન્યાય પ્રમાણે, તેમાં સુકાં ભેગું થોડું લીલું બળે તેટલું જોખમ લેવું પડે અને તેના પરિણામે ભાગે પડતી ખોટ પણ સહન કરવાની તૈયારી રાખવી જોઇએ.

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

૧૯૭૦ના દાયકામાં તેમની 'અસૂર્યલોક' વાંચી ત્યારથી શ્રી ભગવતીકુમાર શર્મા મારા પહેલી પસંદના સામ્પ્રત ગુજરાતી લેખક હતા. તેમનું પદ્ય 'નવનીત સમર્પણ'માં તેમ જ 'કવિતા' વાંચવાનું થતું રહ્યું છે, તે જ રી તે તેમની નવલિકાઓ પણ [સામાન્યતઃ] કોઇ ને કોઇ દીપોત્સવી અંકમાં વાંચાઅનું થતું રહ્યું છે, પરંતુ તે હું સંગ્રહી નથી શક્યો. તે ઉપરાંત તે પછીથી તેમની અન્ય ગદ્ય- નવલકથાઓ કે વિવેચનો સાથે પણ ખાસ સંપર્ક નથી રહ્યો તે મારાં કમનસીબ.

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

'૬૦ના દાયકા પછીનાં ગુજરાતી સાહિત્યને ઇન્ટરનેટ અને digitizationનો લાભ કઇ રીતે મળે?


આજે ઑગસ્ટ'૧૧ના નવનીત-સમર્પણના અંક્માં શ્રી ભગવતીકુમાર શર્માની કવિતાઓ વાંચી.
તે અમારી યુવાનીના - '૬૦ થી '૮૦ - ના સમયગાળાના એવા સર્જક છે જેઓએ ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યને વિષયો, ગુજરાતી ભાષાના પ્રયોગ  તેમ જ વિચાર વૈવિધ્યથી સાંપ્રત બનાવીને ત્યારે વધુ પ્રચલિત અને પ્રસારીત અંગ્રેજીની ટક્કરમાં ઉણું ન ઉતરવા દીધું.
તેમની સાથે મને મારા તે સમયના પ્રિય એવા અન્ય ગુજરાતી સાહિત્યના સર્જકો - શિવકુમાર જોશી, ચન્દ્રકાત બક્ષી, અનિલ જોશી, હરિન્દ્ર  દવે ,મોહમ્મદ માકડ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ; તે સમયનાં માતબર સામયિકો - ચાંદની, નવચેતન,અખંડ આનંદ , કુમાર કે બાળસાહિત્ય જગતના તારલાઓ વિજયગુપ્ત મૌર્ય, હરિપ્રસાદ વ્યાસ, ગાંડિવ, રમકડું પણ ખુબ યાદ આવે છે.
તે પછીનાં વરસોમાં ગુજરાતી સાહિત્યનાં print mediumના limited પ્રસારને કારણે આ બધાંની તત્કાલિન ગતિવિધિઓની સાથે ન રહી શકાયું.
૨૧મી સદીથી જ ઇન્ટરનેટના વધતા પ્રભાવની સાથે આ માધ્યમથી પરિચિત પેઢીદ્વારા થએલ કાર્યને હવે digital સ્વરૂપે નેટપરથી  access કરવું સરળ બન્યું છે.
પરંતુ તે પહેલાંના ખજાનાને પણ , certainly subject to safeguarding commercial and IPR interests, ટેક્નોલૉજીની મદદથી નવપલ્લવીત કરવામાટે સર્જકો, પ્રકાશકો અને technology-savvy બધા જ ગુજરાતીઓએ વ્યક્તિગત તેમ જ સામુહિક પ્રયાસ કરવાની તાતી જરુરીયાત જણાઇ રહી છે.

The following is the English version of this message ----- 
How can the post-60s Gujarati literature benefit from Internet and digital technology?
I was reading poems of Shri Bhagawati Sharma today in Navneet-Samarpan’s August’11 issue.
He is one of those contributors of Gujarati prose and poetry who enable Gujarati literature to stand up to the then popular trend of English literature by the range of subjects, use of the modern form of gujarati language as well as the themes.
My memory also recalls some of favourite Gujarati writers -  Shivkumar Joshi, Chandrakant Baxi, Anil Joshi, Harindra Dave, Mohammad Mankad, Raghuvir Chaudhari, Madhav Ramanuj; stellar mgazines – Chandani, Akhand Anand , Kumaar or Stars of Children literature – Vijaygupta Maurya, Hariprasad Vyas, Gandiv, Ramakadun.
I, and many more like me, have not been able to maintain contact with these in the subsequent years, probably on account of limited reach of Gujarati print medium.
With advent of internet and digital technology from the start of 21st century, access to the new, techno-savvy, generation’s literary work has been easier.
However, it it seems that need of the hour is collaboration of individual and collective efforts of Writers , Publishers and all techno-savvy Gujaratis to revitalize the treasure of Gujarati Literature, subject of course to due respects to commercial and IPR interests,  with the help of the digital technology.

Friday, November 4, 2011

એક દુ:સ્વપ્ન – વિપિન પરીખ

એક દુ:સ્વપ્ન – વિપિન પરીખ

શ્રી વિપિન પરીખ નવી દ્રષ્ટિથી જોઇ અને કવિતાનાં સ્વરૂપમાં ઢાળવામાં માહીર છે.

Wednesday, November 2, 2011

ધ્રુવ ભટ્ટની નવલકથા 'કર્ણલોક'

ધ્રુવ ભટ્ટની નવલકથા 'કર્ણલોક'

ધ્રુવ ભટ્ટ ઉપર કોઇ એ સંશોધનાત્મક નોંધ કરવી જોઇએ, તેઓ આટલી વિવિધતા - શૈલિ, વિષયો અને સાહિત્યના પ્રકાર - પર એક સાથે કેમ સર્જન કરીશકતા હશે ......

Tuesday, November 1, 2011

જન્મભૂમિ પ્રવાસીની ૩૦મી ઑક્ટૉબર,૨૦૧૧ની મધુવન પૂર્તિ અને માનવ સંબંધો અંગેનું પ્રશિષ્ઠ મૅનૅજમૅન્ટ સાહિત્ય


૩૦મી ઑક્ટૉબર,૨૦૧૧ની જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તીના ચાર લેખ,સીધી યા આડકતરીરીતે, (કોઇપણ પ્રકારની) સંસ્થાની સુખાકારી અને સ્વાસ્થ્ય જાળવવામાં માનવ સંબંધોનું શું મહત્વ છે તેની ખુબ જ અસરકારક વાત કહી જાય છે. આ લેખોની ખાસ વાત એ છે કે તેમાં વ્યક્તિ-થી-કુટુંબ-થી-સમાજ-થી-દેશ સુધીના સંબંધોનો રંગપટ તેમાં આવરી લેવાયો છે.
"અમીરી અને ગરીબી યુગોથી ચાલી આવતી દાસ્તાન છે.. પણ આ બે વચ્ચેની સૌથી ઉંડી ખીણ વર્તમાન યુગમાં છે." પરાપૂર્વથી ચાલ્યાં આવતાં આ અંતર માટે લેખિકા ["ગરીબાઇ ક્યાં સુધી" / સમાજદર્પણ // મીરા ભટ્ટ] આપણાં,"પ્રજાનાં કે સમાજનાં સંવેદનવિહોણાં" હોવાની સ્થિતિને જવાબદાર ગણાવે છે. "દુઃખી જનતા અબ ન સહેગી" જેવા વણસેલા સંબંધના ચિત્કારને વિનાબાજી જેવા દ્વારા કરાયેલ સુધારા - "સુખી જનતા ન સહેગી" - થકી અરણ્યરૂદન ભાસતી [આપણા આ લેખના સંદર્ભે, ભૌતિક સુખ કે દુઃખની] વેદનાથી પણ વિસંવાદી સંબંધનો મનમાં જ ધરબાઇ રહેલો સુક્ષ્મ નિઃસાસો વધુ મર્મભેદી પરવડે છે.
સમગ્રા પ્રજામાં જ્યારે વણસેલ કે વિસંવાદીત સંબંઘ લાંબા સમયથી ઘુંટાયા કરે તો તે ઇજીપ્ત કે લિબ્યા જેવા લોહીયાળ અથવા વૉલ સ્ટ્રીટ જેવા અહિંસક સામુહીક દેખાવો કે ફ્રૅન્ચ ક્રાન્તિ જેવા  હીસક  બળવાનું, પરંતુ સંપૂર્ણપણે સ્વયંભૂ, સ્વરૂપ લઇ લે છે. ચીનગારી જ્વાળા ક્યારે બની જાય તે ખબર પડે તે પહેલાં તો આગ વા વેગે ફેલાઇ જતી હોય છે. શ્રી કુંદન વ્યાસ તેમની કૉલમ 'રાજકીય પ્રવાહો'ના 'મૂડીવાદ અને પડકાર' લેખથી સમયોચિત ધ્યાન દોરી રહ્યા છે.
'પૂંછડી એ પૂંછડી છે, માથું નથી' - કૉફી હાઉસ, અનીલ જોષી લેખ, સંબંધની અસંવેદનાની, સંસ્થાપરની અસર સચોટતાથી સમજાવે છે. હકીકતે તો, લેખનું શિર્ષક જ અસંવેદનાની આત્યંતિક તુમાખીવાળી મહાજડ વ્યક્તિને પણ ખળભળાવી મુકવામાટે પૂરતું છે. લેખની શરૂઆતમાં જ જેનો 'કોઇ સંસ્થામાં પગ ટકતો નથી' તેવી 'બહુ સ્વતંત્ર મિજાજની' સૉફીની વાત હળવાશથી કહી દીધી છે. 'સૉફીને તેના બૉસ જોડે ફાવ્યું નહીં' એટલે 'નોકરી છોડી" ... કારણકે 'The worst mistake a boss can make is not to say: Well done.' વિપ્રૉના શ્રી અજીમ પ્રેમજીનું પ્રખ્યાત ઉદબોધન,'An employee does not leave the organization, but leaves the boss' પણ સંસ્થાના નાયકોને આ જ સંદેશ કહી જાય છે.
એ જ લેખના અંતમાં એક એનજીઓની પાયામાં કામ કરતી સમાજસેવિકાની, તેનાં કામની અસગવડો અને અસમાન શરતો[a.k.a. Hygiene factors in the classic OB literature] તેમ જ સ્વાભિમાનને ખુંચતી બૉસની વ્યવ્હાર શૈલિ [a.k.a. Higher level needs of Maslow's Theory of Motivation]કારણે ધુંધવાયેલ વ્યથા આક્રોષના સૂરમાં વાચા પામે છે. આ જ સિક્કાની બીજી બાજૂ જેવો બૉસનો અતિ તુમાખીવાળો અસહિષ્ણુ અભીગમ - "પૂંછ પૂંછ હી હોતી હૈ ઔર સિર સિર્ફ સિર હોતા હૈ" [a.k.a. Haves and Have-nots class divide], "પૂંછકો સિર બનનેકા સપના નહીં દેખના ચાહીએ" [a.k.a. feudalistic mind set of 'Leaders are born and Followers are made'] - છે.
તેના પડોશી લેખ [જીવનનો આનંદ - ગુફ્તગૂ - રમેશ પુરોહિત]આ સ્થિતિસુધી ન પહોંચી  જવાની નોબત ન આવે તે માટેનો રસ્તો બતાવે છે."કોઇ પણની સાચી કિંમત તેની સુખ આપવાની શક્તિથી થાય છે... આપણે તમામ મનુષ્યો એવું કામ કરીએ, એવી (રીતે) વાચા આપીએ કે તેનાથી આપણને, બીજાઓને સુખ"(જ)મળે.આમને સામને દરેક વ્યવહારમાં આ રીતે સામાંનાં સુખનિ ચાહના અને દુઃખની પરવા રાખવામાં આવે તો સમગ્રા સમાજમાંથી કટુતાનો નાશ થઇ જાય!
આ આધ્યાત્મિક,પારલૌકિક  ભાસતા સિધ્ધાંતને તેમણે એક ખુબ જ અસરકારક ઉદાહરણથી સમજાવેલ છે. એક મહિલા મૅનૅજરને તેમના પુરૂષ બૉસએ તેમને પોતાથી નીચી [લાગતી] પાયરીનું કામ સોંપ્યું. પ્રથમ પ્રતિભાવરૂપે તો તેઓ [ખુબ જ ગુસ્સે થઇ અને અકળાઇને]"ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં." પરંતુ, પછીથી "ધરપત રાખીને વિચાર" કર્યા બાદ તેમણે "એવો રસો કાઢ્યો જેમાંથી બન્ને પક્ષોને સંતોષ થયો. મુશ્કેલ અને વિમાસણભર્યા સંજોગોમાં - થોડી ક્ષણો થોભીને,તાત્કાલિક પ્રતિભાવ આપવાની (સાહજીક વૃત્તિને થોડી સંકોરી લેવાથી) - માર્ગ કાઢીએ તો સુખનો રસ્તો સામે જ પડ્યો હોય છે."
સ્ટીફન કૉવીના ૯૦ઃ૧૦ સિધ્ધાંત [10% of life is made up of what happens to you. 90% of life is decided by how you react.]નો વ્યવહાર જગતમાં , સિધ્ધાંતનાં અસ્તિત્વથી કદાચ અજાણ અવસ્થામાં પણ, કેટલો અસરકારક  ઉપયોગ!!!
આ દ્રષ્ટિએ જોતાં  આ બધા જ લેખ, નેતૃત્વની શૈલીઓપરનાં સંસ્થાગત વર્તણુંક પરનાં પ્રશિષ્ઠ સાહિત્ય[a.k.a. Classic Literature of Organizational Behaviour on Leadership styles] નો પ્રમાણિત ઉપયોગ [a.k.a. classic application] કરવા માટે, પુસ્તકો વાંચી વાંચીને આંખો ફોડવાને બદલે વ્યાવહારીક વિવેકબુધ્ધિને થોડી પણ અસામાન્ય માત્રામાં ઉપયોગની જ જરૂર છે તેમ સમજાવવા માટે, પુરતા થઇ રહેતા જણાય છે.
પ્રસ્થાપિત [રાજકીય] સરમુખત્યાશાહી વ્યવસ્થા સિવાય અત્યારની લગભગ બધી જ સંસ્થાના (પ્રબુધ્ધ) નાયક સામાન્યતઃ સહભાગી [a.k.a. participative] ે કાર્ય-સોંપણી [a.k.a. delegated] પ્રકારની નેતૃત્વ શૈલી જ અપનાવતા હોય છે. એ સંજોગોમાં, મોટે ભાગે, આગળ ચર્ચેલા લેખોમાંની અસંવેદન વલણથી ઉત્પન્ન થતી માનસીક વિફલતાની અકળામણ [a.k.a. agonising frustration] ેદા થવાની શક્યતાઓ મહદ અંશે ઓછિ થવી જોઇએ. જો કે માનવ સંબંધો તેના સ્વાભાવીક ગુણધર્મ પ્રમાણે, સુસ્પષ્ટ કે અવ્ય્કત, વિચારો અને લાગણીઓની ગતિશીલ આંતરપ્રક્રિયા [a.k.a. dynamic interplay of, explicit and implicit ,thoughts and emotions] છે એટલે દ્રષ્ટિભેદનો ગાળો પુરેપુરો તો ટાળી ન શકાય. વળી,નેતા અને અનુસર [a.k.a. Leader and Follower] કે એવું કોઇ પણ સંયોજન [a.k.a. combination],જેમ કે માલિક-નોકર , સુપરવાઇઝર- કારીગર કે શાસક - પ્રજા, સ્વાભાવીક રીતે તો એક સિકકાની બે અલગ બાજૂઓ જ જોવાની સાહજીક વૃત્તિ ધરાવે. અને તેથી જ, તેમનો માત્ર દ્રષ્ટિકોણ [a.k.a. point of view] જ નહીં પણ પરિપ્રેક્ષ્ય [a.k.a. perspective] પણ જૂદો પડવાનો જ. દ્રષ્ટિકોણ અને પરિપ્રેક્ષ્યના આ તફાવતનું જો થોડા થોડા સમયાંતરે પરિપક્વ શાણપણથી સમાધાન [a.k.a. judiciously mature reconciliation] ન થતું રહે તો તે તફાવત આંખના પલકારા જેવા સમયમાં જ આંબી ન શકાય તેવું અંતર બની રહે.
અંતે સંક્ષેપમાં, જીવંત, સ્વસ્થ,ટકાઉ [a.k.a. Live, healthy, lasting] સંબંધની ચાવી છે તેનાં અંગોનું સ્વાભાવીક ખુશીમાં રહેવું. અને જીવંત, સ્વસ્થ,ટકાઉ સંબંધ જ જરૂરી છે કોઇપણ સંસ્થાની લાંબાગાળાની સુખાકારી માટે.