Friday, September 23, 2011

સ્ત્રી દેહ -- દેવદત્ત પટ્ટનાઇક

માનવ ઇતિહાસએ સ્ત્રી દેહનાં ભૌતિક કે દેખાવનાં સ્વરૂપને સામાન્યતઃ પુરૂષની મિલ્કત ગણી છે.તેથી ,વ્યભિચાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર છે) અને  બળાત્કાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર નથી)ને પુરૂષ માટે માનહાનીજનક ગણેલ છે.

પરશુરામની કથામાં, તેમની માતા, રેણુકા, થોડા સમયમાટે અન્ય પુરુષનો સહવાસ ઝંખે છે. આ 'વૈચરિક' અપરાધનાં પરિણામરુપે, પિતા - જમદગ્નિ-ના આદેશથી તેનો પુત્ર તેનો શિરચ્છેદ કરે છે. અંતે તો તેને ગણીકાઓની દેવી યેલમ્મા સાથે પણ સાંકળી લેવાયેલ છે.

રામની કથામાં, રાવણદ્વારા સીતાનું અપહરણ તેમની આબરૂને ડાઘ લાગી જાય તે હદસુધીની લોકચર્ચાને ચકડોળે ચડાવે છે કે રામ તેમનો ત્યાગ કરી દે છે.

આ બંન્ને કથાઓમાં સ્ત્રી પર સીધો કોઇ હુમલો નથી થયો.સ્ત્રીશાલિનતાપરનું ગ્રહણ માત્ર આઘાત્ પેદાકારક છે. જે કંઇ તમારૂં છે તેના પર કોઇ પોતાની માલિકી કરી શકે તે 'વિચાર' [રેણુકાની કથા] કે કોઇએ માલિકી કરી લીધી છે તેવી 'માન્યતા'[સીતાની કથા]ના ખયાલમાત્રથી તમારી માનહાની થઇ જઇ શકે છે.

જ્યારે પણ આપણે હિન્દુધર્મને બચાવપક્ષનાં પાંજરાંમાં ઉભો કરવા માગતા હોઇએ છીએ કે હિન્દુ સામાજીક રિવાજોને પુરૂષપ્રધાન સાબિત કરવા હોય છે ત્યારે આપણે આ કથાઓને આ સ્વરૂપે રજૂ કરીએ છીએ, પરંતુ આ જ ગ્રંથોમાં આ કથાઓનાં એ સ્વરૂપોનો ઉલ્લેખ માત્ર પણ કરતા નથી  જેમાં આ કથાઓનાં બીજાં પાસાંઓ પણ અસરકારકરીતે કહેવામાં આવ્યાં હોય.

કેટલીક કથાઓમાં જેમાં અહલ્યાનો એક પ્રમાણિત વ્યભિચારિણી અથવા બળાત્કારીત સ્ત્રી તરીકેનું વર્ણન છે, જેને કારણે જેના પતિએ તેને પથ્થરની શિલા બની જવાનો શ્રાપ આપ્યો હતો, પરંતુ રામના પાદસ્પર્શથી જે પવિત્ર અને શ્રાપમુક્ત થઇ હતી તેવી કથા આપણે કહેતા નથી. આ એજ રામ છે જે સીતાનો ત્યાગ કરશે.આવા પુરૂષપ્રધાન રામ એક વ્યભિચારિણીને પવિત્ર શા માટે કરે છે? આનું કોઇ સ્પષ્ટીકરણ જોવા નહીં મળે! શા માટે આવા રામ કલંકિત સીતાના ત્યાગ પછીથી ફરીથી લગ્ન નથી કરતા? કોઇ સ્પષ્ટીકરણ નહીં! શા માટે આ કથાઓમાં સ્ત્રીઓ પ્રત્યે દાક્ષિણ્ય કે ક્ષમા [અહલ્યાની મુક્તિ]કે પ્રતિબધ્ધત્તા [સીતાત્યાગ પછીથી પુનઃલગ્ન ન કરવાં] જેવાં સ્વરૂપને બદલે સમાજના પુરૂષપ્રાધાન્યને ઉભારતાં કથાતત્વને વધુ પ્રસિધ્ધિ મળે છે?

આપણે ઉપનિષદની એ કથા પણ નથી કહેતા જેમાં ગૌતમ ઋષિ તેમનીપાસે શિષ્ય થવા આવેલ બાળકને પૂછે છેઃ " તારા પિતાનું નામ શું છે?" જેના જવાબમાં બાળક કહે છેઃ "મારી માતા એ આપને એમ કહેવાનું કહેલ છે કે તે એક દાસી છે અને તેણે અનેક પુરૂષોની સર્વ પ્રકારે સેવા કરી છે, તેથી તેને મારા પિતા કોણ છે તે ખબર નથી. માટે મને જાબાલાના પુત્ર, જાબાલી, તરીકે સ્વિકારો." આવા સાચા અને પ્રમાણિક જવાબની ભેટ રૂપે ઋષિ બાળકને સત્યકામ [સત્યનો ચાહક] નામથી શિષ્ય તરીકે આવકારે છે.

આપણે મહાભારતની શ્વેતકેતુની એ કથા પણ નથી કહેતા જેમાં તે તેની માતાને પરપુરૂષની સાથે જોતાં ચોંકી ઉઠીને તેના પિતા ,ઉદ્દાલક,ને શિકાયત સ્વરૂપે જાણ કરે છે, ત્યારે તેના પિતા જવાબમાં કહે છેઃ "સ્ત્રીને જે પસંદ હોય તે કરવાની સ્વતંત્રતા છે." આના પ્રતિભાવમાં પુત્ર જ્યારે પોતાના પિતાઅંગે શંકા કરે છે ત્યારે ઉદ્દાલક કહે છેઃ "મારો પ્રેમ તને મારું સંતાન બનાવે છે, નહીં કે મારું પુરૂષ-બીજ."

આમ એક પક્ષે સ્રીને મિલ્કત ગણાવતી જેટલી કથાઓ છે તો બીજે પક્ષે સ્ત્રીને પોતાનાં જીવનપર પુરો અધિકાર હોય અને સ્ત્રી મિલ્કત સ્વરૂપે ન જોવાઇ હોય તેવી કથાઓ પણ છે. આપણી શાળાઓ કે કૉલેજોમાં કે પછી આપણા જમણેરી કે ડાબેરી ધર્મનિર્પેક્ષ બૌધ્ધિકોદ્વારા આવી બીજા પ્રકારની કથાઓ શા માટે કહેવાતી નથી?

મારા મત મુજબ, પૌરાણિક સમયમાં સ્ત્રીને સન્માન મળતું ન હતું જેને આધુનિક ધર્મનિરપેક્ષ કાયદાની મદદથી સુધારી શકાશે, તેવી માન્યતા રૂઢ થતી જણાય છે. જો કે આ માન્યતા બે-વજૂદ જણાય છે. ખાપ કે ઇન્ડિયન પીનલ કોડ [ઇ.પી.કૉ.] હોવા છતાં પણ સામાન્યતઃ લોકોને, અને ખાસ કરીને સ્ત્રીઓને, અવમાનિત કરતા જડસુઓ ત્યારે પણ હતા, આજે પણ છે, અને [મને આ લખતાં કમકમાતી થઇ આવે છે કે] આવતીકાલે પણ હશે.

આપણે આવા જડસુઓને કેન્દ્રમાં રાખતી પ્રસિધ્ધિઓ ક્યારે બંધ કરીશું?


n  'દેવલોક, સન્ડે મિડ ડે, ઑગષ્ટ ૭, ૨૦૧૧'માં પ્રકાશિત થયેલ

n  Originally Titled: A Woman’s Bodyhttp://devdutt.com/a-womans-body/

Sunday, July 3, 2011

After 823 yrs, 5 weekends this July

This July will be a little different. In fact, it is going to be a July that comes once in 823 years and bring cheer to those who look forward to weekends. July 2011 will have five Fridays, five Saturdays and five Sundays and numerologists and astrologers say such a July is rare, as rare as once in 823 years.


But, despite being rare, it may not have too much of a numerological significance for people, says numerologist Sanjay Jumani. "It will just be fun to have more weekends as the month will have five Saturdays, five Sundays and of course five Fridays," he pointed out. Astrologer Ajay Bhambi, too, said it was a mathematical rarity in the calendar but people should not assume there was any astrological significance.

When pointed out that Feng Shui experts predict the month lucky for people to earn money, Jumani said, "In fact this year, as I had predicted, has been expensive right from the beginning. It will be expensive even till the end. There is nothing special to more Sundays, Saturdays and Fridays. Just enjoy the weekends."

Greenstone Lobo, another astrologer, also agreed that having more weekends does not mean any astrological affect as it is not related to planetary movement. But Lobo said the month will be good for people in India after three months of inflation, social and political upheavals. "Over the last three months venus and mars were in conjunction. This planetary phase has now ended on June 30 last month and hence going to be a very good month after a long gap," he added, pointing out that weekends would be more enjoyable.
                                                                       ---     Chittaranjan Tembhekar, TNN, Jul 3, 2011, 01.05am IST

Sunday, May 29, 2011

[મારી પસંદની] કેટલીક કવિતાઓ

શું રે કરું શીશ નમાવી?

  ગર્વથી ઉંચું ઉર રે;

શું કરું સાગર લાવી?

  રૂવે જો નૈન નહીં નિષ્ઠુર રે;

શું રે કરું બીન બનાવી,

  અંતરનાદ બેસૂર રે?

અંગમરોડ હું કેમ કરું,

  જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,

  હૈયું જો હોય રંક રે?

રૂપ ફુલોનાં કેમ સમર્પું,

  અંતરે મલિન રંગ રે?

શુ રે કરું દીપ પ્રજાળી,

  હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,

  જો નહીં પ્રેમનાં પૂર રે?

                                                    -- પ્રહલાદ પારેખ

ખજૂરની કવિતા જો કહો તો હું લખી નાખું

   મજૂરની કવિતા તો મારાથી થાય ના

પસીનાથી રેબઝેબ સોડાય છે અંગ એનાં,

  ચીંથરાંથી વિંટાયેલ દેહ દીઠો જાય ના.

મ્હેલને મિનારે બોજ સાથે સડેડાટ ચડે

  મ્હેલ કેરા ઓટલે રે જેનાથી સુવાય ના

હક માગી માગી અનો ઘાંટો બેસી જાય ભલે,

  પણ જો જો પ્રભો! મારો કંઠ બેસી જાય ના.

એની કરુણાને કવિતામાં ઉતારે છે એવી

  જો જો મારી કલમની પ્રેરણા મુંઝાય ના.

હમાલોના હૈયાં કેરી હેરાફેરી કરનારી

  ભલે મારી કવિતાઓ એને સમજાય ના.

લાચારીથી લથબથ જુઓ આ મજૂરિયાં,

  સુખ કેરાં સપનાં સુખથી સેવાય ના.

કીકીઓમાં કૂતૂહલ, કલેજાંમાં હાયવોય,

  હાડમારી કેરો કોલાહલ હલ થાય ના.

એવા એ મજૂરો કેરી કવિતા તો ક્યાંથી લખું?

  પાઇ વધુ આપવા જતાં હાથ લાંબો થાય ના.

                                                     -- વેણીભાઇ પુરોહિત

એક આંખે આંસુની ધારી

  બીજી એ સ્મિતના ઉડે ફુવારા

    બીચમાં બાંધી આંખે પાટા

      ઓશિયાળી અથડામણ

                                             - મનસુખલાલ ઝવેરી

                   અભિવ્યક્તિ

દ્રશ્યોમાં એકધારી ભાષા નથી તો શું છે?

     ખુલ્લી રહેલી બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલા ભાને સૌદર્ય સાચવે છે

    ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક ઉપર જે પ્રસ્વેદથી લખાતી

    મઝદૂર - થાક - લારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, બુખ્યું સુતેલ બાળક

    ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

એના હૃદય મહીં જે અનુવાદ થઇ શકી ના

    એ વેદના અમારી, ભાશા નથી તો શું છે?

                                                        -- નિર્મિશ ઠક્કર

કોઇનો (પ્રેમ) સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો;

               આપણી અપેક્ષાજ વધારે હોય છે.

આપણે તો આપણી રીતે જ રહેવું

    ખડક થવું હોય તો ખડક,

       નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું.

                                                           - હરિન્દ્ર દવે

મેં જ્યારે વિજ્ઞાની તરીકે

મારી કેરીયર શરુ કરી ત્યારે

હું એવું માનતો હતો

                   કે વિશ્વ વસ્તુઓનું બનેલું છે,

પરંતુ જેમ મારી ઉમર વધતી ગઇ તેમ તેમ

મને વધારે ને વધારે એમ લાગવા માંડ્યું

                     કે વિશ્વ વસ્તુઓનું નહીં

                                 પણ વિચારોનું બનેલું છે.

                                                                            --- એડિંગ્ટન

નદીમાં પાણી ન હોય,

નીંદરમાં સપનાં ન હોય,

આકાશમાં તારા ન હોય,

અને પુષ્પોમાં સુગંધ ન હોય,

તો માણસ કેવો ને કવિ કેવો.

                                           -- રાજકુમાર કુંભજ

અંદર ડોકિયું કર્યા વગર

    જો આકાશમાં બાથ ભીડવા જાય છે

             તે ઉંચેથી પડે છે.

                                                   - રઘુવીર ચૌધરી

Sunday, April 24, 2011

સુખનું બારણું

જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.

---- હેલન કેલર
જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે જયાં આપણે વિચારથી કામ કરવું જોઇએ ત્યાં આપણે લાગણીશીલ થઇ જઇએ છીએ અને જયાં લાગણીની આવશ્યકતા હોય છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ.
--- www.gujarati.nuમાં પ્રકાશિત એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી-શ્રી કૃષ્ણકાંત ઉનડકટ'બ્લોગપરથી સાભાર

તમારી લાગણીઓ પર કોનો અંકુશ?

'તમને શું લાગણી થઇ રહી છે, તે્વું કોઇ બીજું શા માટે નક્કી કરે?

તમને ખુદ અપમાનની લાગણી ન થાય, તો તમને કોઇ કદાપિ અપમાનિત કઇ રીતે કરી શકે?

તમારી લાગણીને જો ઠેંસ ન લાગે, તો તમને કોઇ ક્યારે પણ દુઃખી કઇ રીતે કરી શકે?

- એપ્રિલ ૨૪, ૨૦૧૧ નાં Sunday Timesનાં TimesLifeનો
વિનિતા દાવડા નાંગીયા ના
"Let 'butter’ sense prevail!" લેખનો અંશ

Sunday, April 3, 2011

"પણ મને તો ખબર છે"

એક સમર્પિત શિલ્પિએ 'મંદિરનાં ઉંચાં શિખરમાટે એક સુંદર મુર્તી બનાવી. મુર્તી પુરી થઇ રહેવા આવી હતી તેવા અંતિમ તબક્કે શિલ્પિને તેમાં એક સુક્ષ્મ ખામી ધ્યાનમાં આવી. તેણે તરતજ એ મુર્તીને ત્યાંથી હટાવી લીધી અને નવા પથ્થરપર ફરીથી તરાશવાનું શરુ કરી દીધું. તેના મિત્રએ સાશ્ચર્ય પુછ્યુંઃ " આટલી ઉંચાઇએ જ્યારે આ મુર્તીની સ્થાપના થશે, ત્યારે આવી સુક્ષ્મ ખામી કોની નજરે પણ ચડશે?" શિલ્પિએ મર્મીલાં સ્મિતમાં જવાબ આપતાં કહ્યુંઃ
"પણ મને તો ખબર છે."

જ્યારે તમને કોઇ જ જોઇ નથી રહ્યું અથવા કોઇ બાબતે તમા્રાથી વિશેષ નથી જાણતું, તમારી એ જાણની પળ તમારી નિતિમત્તાની કસોટીની ઘડી છે. તમારા આત્માના અરીસા સામે તમે બેનકાબ નગ્ન ઉભા હો કે વિશ્વામિત્રની સમક્ષ મેનકા જેવી મોહચલિત થઇ જવાય તેવી ક્ષણ એ તમારાં ખમીરની અગ્નિપરીક્ષાની ઘડી છે.

જે સમયે "પણ મને તો ખબર છે" એમ તમારા અંતરાત્માને ખબર હોય, તે પછીની જ ક્ષણની તમારી લાગણી કે વિચાર કે વર્તન એ તમારાં અંગતનિતિમુલ્યો કથીર છે કે કનક છે તેનું પારખું છે.
૩ અપ્રિલ '૧૧ નાં
Sunday Times - TIMESLIFE!ના
વિનિતા દાવર નાંગિયાના
"Would you like to walk like Sachin" લેખપરથી સાભાર