Tuesday, July 26, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુલાઈ, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઈ,૨૦૧૬ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001ની ૨૦૧૫નાં સંવર્ધિત આવૃતિને પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ.
અત્યાર સુધી આપણે


વિષે વાત કરી ચૂક્યાં છીએ.
આ મહિનાના આપણા અંકમાં આપણે સંચાલન તંત્રવ્યવસ્થાનાં અન્ય  સ્ટાન્ડર્ડ્સમાં વરિષ્ઠ સંચાલન મંડળની નેતૃત્ત્વ ભૂમિકા વિષે શું કહેવાયું છે તેની જાણકારી મેળવીશું.
The Expanding Role of Leadership in Management System Standardsમાં ચાડ ક્યમાલનું કહેવું છે કે ISO 9001, ISO 14001, અને ISO 45001 માં અગ્રણી નેત્તૃત્વ પાસેની અપેક્ષાઓ બહુ જ સ્પષ્ટ પણ કહેવાયેલ છે. સંચાલન સ્ટાન્ડર્ડ તંત્રવ્યવસ્થાઓમાં નેતૃત્ત્વની ભૂમિકા વિષે તેમણે બૃહદ ચિત્ર પણ રજૂ કર્યું છે.
The Importance of leadership in Management System Standards માં બહુ સરળ રજૂઆત વડે BSI તારણ કાઢે છે કે 'નેતૃત્ત્વની મોટા ભાગની જવાબ્દારીઓ તો પરિશિષ્ટ SLનાં હવે પછી સર્વસામાન્ય રૂપ બની રહેનાર સામગ્રી રૂપ કલમોમાં જ આવરી લેવાયેલ છે. એ દૃષ્ટિએ હવે પછી બધી જ સંચાલન સ્ટાન્ડર્ડ તંત્રવ્યવસ્થામાં નેતૃત્ત્વની લગતી આવશ્યકતાઓ અને સિદ્ધાંતો સરખાં જ જોવા મળશે. એટલે ફરક રહેશે એ સ્ટાન્ડર્ડમાં આવરી લેવાયેલ કાર્યક્ષેત્રને અનુરૂપ સંચાલન તંત્રનો અભિગમ, જેમ કે પર્યાવરણ કે સલામતી અને આરોગ્ય તંત્રવ્યવ્સ્થાનાં સંચાલનમાં નેતૃત્ત્વએ અનુક્રમે પર્યાવરણ કે સલામતી અને આરોગ્યની બાબતો પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાનું રહેશે.'
Top Management Commitment: What Are The Standards માં સૈયદ મહમ્મુદ વાસિફે વરિષ્ઠ સંચાલનની પ્રતિબદ્ધતા માટે જરૂરી ભૂમિકા બાંધતી ૧૦ પહેલ વર્ણવી છે.
Leadership for the Many, Not the Few માં બેથ ઝીમ્મરમૅન કહે છે ઈવાન્સની ટીમનાં બધાં જ સભ્યો પોતાનાં વ્યક્તિગત પસંદગીનાં મુદ્દાઓ અને ઈવાન્સના કોર્પોરેટ ધ્યેયને સાંકળી રહે એ રીતે તેમનાં નેતૃત્વ કૌશલ્યને સઘન કરવા અને અમલ કરવા માટે પૂરેપૂરો ટેકો પૂરો પાડવામાં આવે છે. જે લોકોને લોકો સાથે વધારે વ્યવહાર કરવાની જરૂર હોય તેમને એ લોકો સાથે કામ લેવામાં અને તેમનાં સહયોગીઓને જરૂરી  ટેકો પૂરો પાડવા માટે જે ખાસ કૌશલ્ય જોઈએ તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. લોકોમાં નેતૃત્ત્વની કળા વીકસતી જ રહે તેમાટે માર્ગદર્શન (Coaching), સફળતા માટેનાં સાધનો (Tools for Success), મીલી-જુલી ટીમ્સ (Mixed-level Teams), વિકાસ માટેની આંતરિક તેમ જ બાહ્ય તકો Internal and External Opportunities for Growth), લોકોની સાથે કામ લેતાં કર્મચારીઓ માટે ખાસ તાલીમ (Training for (People Managers) જેવા વિષયો સાથેના અલગ અલગ કાર્યક્રમો ચાલતા રહે છે.
આજના વિષય સાથે પ્રસ્તુત એવી કેટલીક વિડ્યો ક્લિપ્સ પણ જોઈએ-
ISO revisions - All about leadership in the new standards

Management and Leadership overview
Teaching leaders “What to Stop”

સંચાલન સ્ટાન્ડર્ડ્સ તંત્રનાં નવાં સંસ્કરણ મુજબનો અમલ જેમ જેમ વધારે વ્યાપક થતો જશે તેમ તેમ આ વિષય પર વધરે માહીતી આપતા લેખોની સંખ્યા વધતી જશે. હવે પછીના સમયમાં આપણે આ લેખોની શોધ કરતાં રહીશું.
ઓગસ્ટ, ૨૦૧૬નાં આપણા બ્લૉગોત્સવનાં સંસ્કરણમાં આપણે સંચાલન સ્ટાન્ડર્ડ્સ તંત્રનાં નવાં સંસ્કરણમાં પરિવર્તન સંચાલન વિષે શું કહેવાયું છે તેની વાત કરીશું.
 હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમ માં આજના વિષય સાથે પ્રસ્તુત એવો સ્કૉટ રથરફૉર્ડનૉ મહેમાન લેખ - What Do We Expect from Senior Leaders? - રજૂ કરાયો છે. લેખમાં સ્કૉટ રથરફૉર્ડે ડૉ.જોસેફ જુરાને ૧૯૮૬નાં Quality Progress સમીક્ષામાં કહેલું કથન યાદ કર્યું છે -
વરિષ્ઠ સંચાલન મંડળ ગુણવત્તાભિમુખ હોય એ બહુ મહત્ત્વનું છે. વરિષ્ઠ મંડળનાં ખરા દિલનો રસ જોવા ન મળે તો નીચેનાં સ્તરે તો કંઇ અપેક્ષા ન રખાય..
આ માસનાં ASQ TV વૃતાંત માં તાજેતરમાં પ્રકાશિત વિડિયો ક્લિપ્સ જોઈએ :

  • Global State of Quality Shows Organizations Aren’t Linking Quality and Savings માં મિસુરી યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીનાં સહ અધ્યાપક બેથ કડની Global State of Quality Research ના નવા અહેવાલની ચર્ચા કરે છે, જેમાં સંસ્થાઓ ગુણવત્તાને નાણાંકીય ફાયદાઓ સાથે સાંકળી નથી શકતી તે વિષે પણ પણ ચર્ચા કરેલ છે. 
  • Quality and Work, Quality at Home: ટેમ્પા, ફ્લોરિડાનાં જેનીફર સ્ટેપનીઓવસ્કી ગુણવત્તા સાધનોને ઘરનાં રોજિંદા ઉપયોગમાં લેવાથી જન્મેલા રમૂજી પ્રસંગોની વાત કરે છે. 
  • Customer Focused Quality Professionals: Moving From SIPOC to COPIS  - The CPi Coachના સ્થાપક અને મુખ્ય સંચાલક, અરુણ હરિહરન ગ્રાહકોભીમુખી સંસ્થાઓમાં પરિવર્તન લાવવામાં ગુણવત્તા વ્યાવસાયિકોની ભૂમિકાનું મહત્ત્વ સમજાવે છે. આ પ્રક્રિયામાં  SIPOC - પુરવઠાકારો, નિવેશ, પ્રક્રિયા, નિપજ અને ગ્રાહકો - કેન્દ્રીત અભિગમને બદલે તેને ઉલટા ક્રમમાં ગોઠવતો COPIS અભિગમ શી રીતે મદદરૂપ બની શકે તે પણ તેઓ સમજાવે છે. [સ્ટીફન કૉવીની 7 Habits of Highly Effective Peopleમાંની બીજી ટેવ - અંતને ધ્યાનમાં રાખીને આરંભ કરો - તાજી કરી લઈએ.] 
  •  Consumer Product Safety and Quality - બોસ્ખ એન્જિનીયરીંગ, ઉત્તર અમેરિકા, ના પ્રવર ગુણવત્તા એન્જિનીયર, એન્થની જડ્જ પેદાશની સલામતી અને ગુણવત્તા સાધનોને સાથે મેળવવાથી ગ્રાહકને સલામત પેદાશ આપવાના અને ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ફાયદાઓની ચર્ચા કરે છે.

Jim L. Smithનાં જુન, ૨૦૧૬નાં Jim’s Gems નો પણ આસ્વાદ કરીએ.

  • The Magic Ingredient for Success તો મનોવૃત્તિ જ છે! સફળ લોકોનો એક અલગ દૃષ્ટિકોણ
    હોય છે
    . તેઓ અંતરાયોમાં તક જૂએ છે. દરેક સંભાવનાને તેનાં તાર્કિક પરિણામ સુધી લઇ જવા માટે લાગ્યા રહેવાની એક અજબ ધૂન તેમનામાં હોય છે. સકારાત્મક નિશ્ચય કરવની આ મનોવૃતિ અચૂક સફળતા દોરી લાવે છે... સારા સમાચાર એ છે કે આ મનોવૃતિ બદલી, ઘડી, શકાય છે. તેનાં નિયંત્રણની કળ બીજા કોઈના નહીં  પણ આપણા જ હાથમાં છે. તમારી મનોવૃત્તિ કેવી છે? જો તેનાથી સફળતા સિધ્ધ ન થાય એમ લાગતું હોય તો તેને બદલવી ન જોઈએ? 
  • Where Should Organizations Focus their Greatest Efforts?... On Process or People? - મૅનેજમૅન્ટને તાર્કિક વિજ્ઞાનરૂપે રજૂ કરતાં સાહિત્યના ગઈ સદીના ખ્યાતનામ લેખક પીટર ડ્રકરનું કહેવું છે કે ન તો ટેક્નોલોજી કે ન તો લોકો એક બીજાંને ઘડે છે, તેઓ બંનેની આપસી અસરો એકબીજાંને ઘડતી રહે છે...દાવાઓની આકારણી કરવામાટેની આધારભૂત મહિતીના આંકડાઓ અંગે આયોજન કરવામાં તંત્રોન્મુખી વિચારસરણીનું માળખું રચવાનું બહુ જ ફાયદાકારક નીવડ્યું. આંકડાકીય વિચારસરણીના  પ્રક્રિયા સંબંધિત સિદ્ધાંતો એ ગુણવત્તા સુધારણાનો પ્રત્યયાત્મક પાયો નાંખવામાં મદદ કરી., જેમાં  - (૧) બધાં જ કામ એક બીજાં સાથે સંકળાયેલી પ્રક્રિયાઓનો જ ભાગ છે; (૨) દરેક પ્રક્રિયામાં કંઇને કંઇ તો વધઘટ તો થતી જ રહેવાની છે, અને (૩) સફળતાની ચાવી આ વધઘટને સમજવામાં અને તેમાં શક્ય એટલો ઘટાડો કરવામાં રહેલ છે - જેવા પાયાના સિદ્ધાંતો આવરી લેવાયા છે.. જ્યારે પ્રક્રિયાને બદલે લોકોને કેન્દ્રમાં રાખવાથી (૧) બધુ કામ લોકો જ કરે છે; (૨) લોકોનાં કામમાં વધઘટ તો રહેવાની, અને (૩) વધઘટ ઘટાડવાની ચાવી યોગ્ય માટે યોગ્ય વ્યક્તિ મૂકવામાં રહેલ છે જેવા સમાંતર સિદ્ધાંતો લાગુ કરાતા જોવા મળે છે.….લોકો પર અપાતું વધારે પડતું ધ્યાન સંચાલનના પક્ષઘાત જેવી સ્થિતિ પેદા કરી શકે છે. આ પ્રકારની નેતૃત્વ શૈલી પહેલાં પ્રક્રિયા ઘડે છે અને પછી લોકોને તે પ્રક્રિયાનો અમલ કરવા માટેની તક પૂરી પાડે છે.

આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....

Sunday, July 24, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૪)



આપણે ૧૬-૪-૨૦૧૬ના મણકામાં આપણે પ્રસ્તુત વિષયનો પરિચય કર્યો હતો. તે પછી -૫-૨૦૧૬ના અંકમાં આપણે આપણી સફરને આગળ ધપાવ્યા પછી શ્રી હરીશભાઈ રઘુવંશીએ  ૪-૬-૨૦૧૬ના રોજ આપણને મુકેશનાં જાણીતાં ગીતોના પરદા પર ઓછા જાણીતાં કળાકારો સાથે મેળાપ કરાવી આપ્યો. એ ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકારોની ઓળખાણ આજના આ લેખના અંતમાં થઈ શકશે.
આજે આપણે હવે એ જ રીતે મન્ના ડેના સ્વરમાં ગ્વાયેલ ગીતોના પર્દા પર ઓછા જાણીતા કળાકરોની વાત કરીશું.
મન્ના ડે એક એવા સક્ષમ પાર્શ્વગાયક હતા જેમના અવાજની ખૂબીઓ તેમને કોઈક જગ્યાએ વાણિજ્યિક સફળતાનાં ધોરણોને પાર કરવામાં નડી ગઈ. જેમ કે, તેઓ શાસ્ત્રીય ગાયનમાં નિપુણ હતા, એટલે એ સિવાયની સીચ્યુએશનમાં તેમનો બહુ ઉપયોગ કરવામાં સંગીતકારો પાછળ રહી જતા હતા. તેમના અવાજમાં એક એવી ખૂબૂ હતી જે સામાન્ય લોકો માટે ફરીથી ગાવામાટે તેમણે ગાયેલી ધુન મુશ્કેલ બનાવી દેતી. આ કારણે જે સુગેય, સરળ રચનાઓ હતી તે ગીતો જેમને સ્વરની સીમાઓ નડતી તેવા ગાયકોને ફાળે પહોંચી જતી. એટલે પછી એમ કહેવાતું કે મન્ના ડેનાં ગાયેલાં ગીતો સારાં બહુ, પણ લોકપ્રિય ઓછાં થાય !!
ખેર આપણો વિષય આ ચર્ચાનો નથી. પણ તેમના અવાજની આવી ખૂબીઓને કારણે તેમનાં બહુ ઘણાં ગીતો એવાં હતાં જે સામાન્ય સિચ્યુએશનમાટે ન રચાતાં. એટલે આવાં ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકાર પણ અસામાન્ય - એટલે કે પ્રથમ હરોળનાં નાયક/ નાયિકાઓ ન હોય - હોય તેવું પણ બહુ વાર થતું. બસ, આ છે આપણો વિષય......
ચલી રાધે રાની અખિયોંમેં પાની અપને મોહનસે મુખડા મોડ કે - પરિણીતા (૧૯૫૩) - મન્ના ડે - સંગીતકાર : અરૂણકુમાર મુખર્જી -  ગીતકાર:  ભરત વ્યાસ
બંગાળની બૌલ લોક ગીતની આગવી શૈલીમાં રચાયેલું છે. ફિલ્મમાં તેનાં બે વર્ઝન છે જે આ એક જ ક્લિપમાં સાંભળવા મળે છે.


ખરૂં કારણ નથી જાણવા મળ્યું કે આ ગીતને ગીતા દત્તના સ્વરમાં શા માટે રેકર્ડ કરવામાં આવ્યું હતું. 

આન મિલો આન મિલો શ્યામ સાંવરે - દેવદાસ (૧૯૫૫) - ગીતા દત્ત, મન્ના ડે – સંગીતકાર: સચિન દેવ બર્મન ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ પણ બૌલ શેલી પરની રચના છે. એક બહુ જ કર્ણપ્રિય યુગલ ગીત.

કેતકી ગુલાબ જૂહી ચંપક બન જૂલે - બસંત બહાર (૧૯૫૬) - પંડિત ભીમસેન જોશી, મન્ના ડે – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર

શંકર જયકિશનની પ્રસ્થાપિત થઈ ચૂકેલ લોકપ્રિયતાને 'બસંત બહાર'નાં શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતોએ અનોખો આયામ બક્ષ્યો. તેમાં પણ અજાણ કહી શકાય તેવા કળાકાર માટે અને તે પણ સ્પર્ધામાં હારી જવાની સ્થિતિમાં મુકાવાનું છે તેમ નક્કી હોવા છતાં એ પ્રકારની સીચ્યુએશનમાં પંડિત ભીમસેન જોશીની કક્ષાના ગાયકનો સ્વરપ્રયોગ કરવો એ બહુ મોટી વાત કહી શકાય.



ન તો કારવાં કી તલાશ હૈ, ન તો હમસફરકી તલાશ હૈ - બરસાતકી રાત (૧૯૬૦) - મન્ના ડે, એસ ડી બાતિશ, આશા ભોસલે, સુધા મલ્હોત્રા, મોહમ્મદ રફી અને સાથીઓ – સંગીતકાર: રોશન ગીતકાર: સાહિર લુધ્યાનવી

હિંદી ફિલ્મમાં કવ્વાલીઓનું સ્થાન અદકેરું રહ્યું છે. આ કવ્વાલી તો તાજ પરનો હીરો ગણાય છે.



તુમ જો આઓ તો પ્યાર આ જાયે, જિંદગીમેં બહાર આ જાયે - સખી રોબીન (૧૯૬૨) - મન્ના ડે, સુમન કલ્યાણપુર – સંગીતકાર: રોબીન બેનર્જી ગીતકાર: યોગેશ ગૌડ

કેટલું મધુરૂં યુગલ ગીત...


લાગા ચુનરીમે દાગ છુપાઉં કૈસે - દિલ હી તો હૈ (૧૯૬૩) - મન્ના ડે – સંગીતકાર: રોશન ગીતકાર: સાહિર લુધ્યાનવી  
શાસ્ત્રીય થાટ પર મન્ના ડે ગાયેલ અનેક રચનાઓમાંથી બહુ જ લોકપ્રિયતા પામેલી રચનાઓ પૈકી એક. મૂળ ગીતના પરદા પર ગાયક તો રાજ કપૂર છે એ તો આપણને તેમના છદ્મવેશ ઉપરાંત પણ ખબર પડી જ ગઈ છે. થિયેટરમાં બેઠેલાં બધાંને જ ખબર પડે કે વેશ બદલેલ કળાકાર કોણ છે, પણ ફિલ્મમાં કોઈને જ ખબર ન પડે!

પૂછો ન કૈસે મૈને રૈન બીતાઈ - મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) – સંગીતકાર: સચિન દેવ બર્મન ગીતકાર: શૈલેન્દ્ર 

ગીતના પહેલા ભાગમાં પિતા બાળક અશોક કુમારને સંગીતના પાઠ ભણાવે છે. બાળકના સ્વરની એક પંક્તિ કોઈ સ્ત્રી ગાયિકા પાસે ગવડાવાઈ છે, પણ તેનું નામ ક્રેડીટ્સમાં નથી.
ચલત મુસાફિર મોહ લિયો રે પીંજરેવાલે મોનિયા - તીસરી કસમ (૧૯૬૪) - મન્ના ડે અને સાથીઓ – સંગીતકાર: શંકર જયકિશન  - ગીતકાર: શૈલેન્દ્ર

રાજ કપૂર તો આવીને ગીતની મજા માણવામાં એક નાનાં સાં વાદ્યથી તાલ આપવાનો ફાળો આપે છે.


ઉસકો નહીં દેખા હમને કભી, પર ઈસકી જરૂરત ક્યા હોગી, અય માં તેરી સૂરત સે અલગ ભગવાનકી સૂરત ક્યા હોગી - દાદીમા (૧૯૬૬) - મન્ના ડે અને મહેન્દ્ર કપૂર – સંગીતકાર: રોશન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીતમાં મા તરીકે ૧૯૫૩ની ફિલ્મનાં અનારકલી છે.

જીવનસે લમ્બે બંધુ યે જીવનકે રસ્તે - આશીર્વાદ (૧૯૬૮)- મન્ના ડે – સંગીતકાર: વસંત દેસાઈ ગીતકાર: ગુલઝાર
મન્ના ડેના સ્વરની બધી જ ખૂબીઓ અહીં સાંભળવા મળશે.


કાલ કા પહિયા ઘૂમે ભૈયા લાખ તરહ ઈન્સાન ચલે - ચંદા ઔર બીજલી (૧૯૬૯) – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: નીરજ

આ ગીત મહદ અંશે બેકગ્રાઉન્ડમાંથી ગવાય છે એમ પણ કહી શકાય 



બલમા મોરા આંચરા - સંગત (૧૯૭૬) - મન્ના ડે, લતા મંગેશકર – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: યોગેશ

છે તો આ કળાકારો ફિલ્મનાં મુખ્ય કળાકારો પણ તેઓનાં  નામ હજૂ લોકજીભે ચડ્યાં નથી.



તેરી ગલીયોંમેં હમ આયેં - મિનૂ (૧૯૭૭) - મન્ના ડે, અંતરા ચૌધરી – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: યોગેશ

સલીલ ચૌધરીની કારકીર્દીના અંતકાળ કહી શકાય તેવાં વર્ષોમાં પણ તેઓ આવાં અદ્‍ભૂત ગીતો આપણને આપી ગયા છે.

આજના વિષયના વ્યાપને ધ્યાનમાં લીએ તો પણ મન્ના ડેનાં આ પ્રકારનાં ગીતો તો જેટલાં યાદ કરો તેટલાં મળી આવે. પરંતુ,  આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, ૪-૬-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાના જે કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-

  • મૈં જાનતી હૂં, તુમ જૂઠ બોલતે હો- મેમ દીદી (૧૯૬૧), લતા મંગેશકર, મુકેશ – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકાર : તનુજા કે સી મેહરા, ડેવીડ અબ્રાહમ, જયંત

  • સપનોંમેં મેરે કોઈ આયે જાય, ઝલકી દિખાયે ઔર છૂપ જાયે - પૂનમકી રાત (૧૯૬૫) - લતા મંગેશકર અને ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકારો : મનોજ કુમારની સાથે બીજા અંકમાં ફિલ્મ 'લાડલા'નાં ગીતમાં આપણે પરિચય કરી ચૂક્યાં છીએ તે કુમુદ છુગાની અને અંતરામાં @૨.૨૧ જે પ્રવેશે છે તે નંદિની

  • ઝિંદગી હૈ ક્યા ...બોલો ઝિંદગી હૈ ક્યા - સત્યકામ (૧૯૬૯) - કિશોર કુમાર, મહેન્દ્ર કપુર અને સાથીઓ સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર: કૈફી આઝમી - પર્દા પર કળાકારો : અસરાની, ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર જ ઓળખાઈ શકાયા છે

  • હાલ ચાલ ઠીક ઠાક હૈ, સબ કુછ ઠીક ઠાક હૈ - મેરે અપને (૧૯૭૧) - કિશોર કુમાર અને સાથીઓ સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર: ગુલઝાર - પર્દા પર કળાકારો : વિનોદ ખન્નાનાં નેતૃત્ત્વવાળી આ મિત્રટુકડીમાં પૈંટલ, દિનેશ ઠાકુર કે ડેની ડેંઝોગ્પા જેવા અમુક કળાકારો ઓળખાઈ શકે છે.

હવે પછીના અંકમાં મન્નાડેના સ્વરમાં એક બહુ જ પ્રચલિત થયેલ, પણ બહુ જ ખાસ પ્રકારનાં ગીતો દ્વારા બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોમાં જાણીતા કે ઓછા જાણીતા કળાકારો દ્વારા કરાયેલ વિશિષ્ઠ અદાયગી સાથેની સફર ચાલુ રાખીશું……………