Tuesday, April 25, 2017

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ,૨૦૧૭



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં એપ્રિલ,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજના અંકમાં નિયમિત વિભાગો ઉપરાંત ગુણવત્તા (સંચાલન)ને લગતા ત્રણ લેખોને વિચારાર્થે લીધા છે.
The Quest for Quality in the Modern Enterprise - Michael Heaps and Kathie Poindexter - ચારેકોરથી દૃશ્યમાન થવું, ઘટના બને તે સાથે જ માપી શકાય તેવી કામગીરી અને અનુપાલનને પાર ખરી, મૂલ્ય વર્ધિત, ટકાઉ સુધારણા માટેની પહેલ એ હવે ગુણવત્તાનો જીવન મંત્ર છે.
બીજો એક લેખ - 4 Quality Management System Trends to Watch Out For In 2016 - આમ તો ગુણવત્તા સંચાલન તંત્રવ્યવસ્થાનાં ૨૦૧૬માં અપેક્ષિત પ્રવાહોને લગતો ગણી શકાય, પરંતુ તેમાં જે મુદ્દાઓ જણાવાયા છે તે ૨૦૧૭માં પણ પ્રસ્તુત કહી શકાય તેમ છે :
          દીર્ઘ, અને સંકુલ પુરવઠા સાંકળ અને સતત બદલતાં રહેતાં નિયમનોને કારણે અનુપાલન બહુ મોટો પડકાર બની રહેશે
          લવાજમ-આધારિત સેવાઓનાં મૉડેલ અને વાદળ દ્વારા ઉપલબ્ધ માળખાંકીય સગવડોને કારણે પોતાને ત્યાં ઓછામાં ઓછી કમ્પ્યુટીંગ માળખાંકીય સગવડો રાખવા વિષેની સમજ વ્યાપક બનતી જાય છે.
          વ્યાપાર જગતના અગ્રણીઓ જેમ જેમ માહિતી વિશ્લેષકવિદ્યાના વિકાસ સાથે કદમ મેળવતાં થાય છે તેમ તેમ ગુણવત્તા ક્ષેત્રનાં સંચાલકોએ પણ પોતાનાં ક્ષેત્રના મોટા પાયા પરની માહિતી સામગ્રીનો અર્થપૂર્ણ ઉપયોગ કરવા માટે સજ્જ થવું પડશે.
          શ્રેષ્ઠતમ કરતાં નીચાં સ્તરની તંત્ર વ્યવસ્થા અને પ્રક્રિયાઓમાં ઘૂસી જતી માનવીય ભૂલોને દૂર કરવામાં ઈન્ટરનેટ ઑવ થિંગ્સ પરિવર્તનીય ભૂમિકા ભજવશે.
Top 7 Organizational Trends in Quality Managementમાં જેની બ્રાઉન સંસ્થાઓને સ્પર્ધાત્મક સરસાઈ આપતાં પરિબળો પર એક સરસરી નજર કરે છે, જેને પરિણામે સંસ્થાના બધા જ ગુણવત્તા કાર્યક્રમોનાં ભવિષ્ય પર પર સકારાત્મક અસર પડે છે.:
૧. ઉચ્ચ સ્તરે લાગુ પડે તેવાં પુરવઠાકારોને લગતા ગુણવત્તા માનકો;
૨. કાર્ય પદ્ધતિઓમાં ઉચ્ચસ્તરીય સાતત્ય માટે જરૂરી પરિવર્તન સંચાલન;
૩. ગુણવત્તા સંચાલનમાં સાતાત્યપૂર્ણ સતત વિકાસ;
૪. વ્યાપારની સતત વૃધ્ધિ માટે 'સિક્ષ સીગ્મા' ;
૫. લીન,કાઈઝન, ISO સ્ટાન્ડર્ડ્સ હેઠળ નોંધણી, સિક્ષ સીગ્માજેવાં અલગ અલગ કાર્યક્ર્મોને બદલેહવે ગુણવત્તા વિભાગોદ્વારા વ્યૂહાત્મક ગુણવત્તા આયોજનની સ્વીકૃતિ;
૬. દરેક જગ્યાએ પુરવઠા ગુણવત્તાનાં મૂલ્યનું મહત્ત્વ;
૭. સામાજિક સમાનતા અપનાનવી  અને લાબા ગાળાના પર્યાવર્ણીય દૃષ્ટિકોણથી ટકવું
ઘણી સંસ્થાકીય પહેલોને કારણે ગુણવત્તા સંચાલન પર સકારાત્મ્ક અસરો થઈ રહી છે, જેને પરિણામે તે ભવિષ્યના અર્થતંત્રમાં પણ મહત્ત્વનું પરિબળ બની રહેશે. એવી અપેક્ષા કરી શકાય કે આવનારાં વર્ષોમાં ઉદ્યોગનાં દરેક પાસાંમાં પ્રોજેક્ટ મૅનેજમેન્ટ અને ગુણવત્તા સિધ્ધાંતોનો એક  સાથે અમલ થતો રહેશે.
આ મહિનાથી આપણી નિયમિત કોલમોમાં આપણે, Management Matters Network પરની એક કોલમ - Drucker Perspective -ના પસંદ કરેલ એક લેખને લેવાનું ઉમેરીએ છીએ.  આ મહિના માટે લેખ છે – Are You Asking the Right Questions? - મોટા ભાગની મહત્ત્વની ભૂલો ખોટા જવાબોને કારણે નથી થઇ હોતી. ખરૂં જોખમ તો છે ખોટા સવાલો પૂછાવાનું.….સાચા સવાલના ખોટા જવાબને કારણે પરિસ્થિતિ સુધારી શકાય છે ... પણ જો સવાલ ખોટો હોય અને તેનો જવાબ સાચો હોય તો તેનાં પરિણામો ખબર પડવામાં મોટા ભાગે બહુ સમય લાગે છે. સ્વાભાવિક છે કે જે કંઈ ખોટું થાય તે બહુ મોંઘું પણ પડે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
ASQ પરના વિભાગ - Ask The Experts - પરથી આપણા આપણા આ અંકમાટે પસંદ કરેલ સવાલ - કલમ ૮.૪.૧, અને ખાસ તો ૮.૪.૨ના સંદર્ભમાં કંપનીની અંદરના પણ ગુણવત્તા તંત્રવ્યવસ્થાની બહારના એચ આર, આઈટી,જેવા વિભાગોને બાહ્ય પુરવઠાકારો ગણવા જોઇએ(with regard to clauses 8.4.1 and particularly 8.4.2 of ISO 9001:2015, should the other internal entities of the company -.i.e HR, IT, Sales …- absolutely necessary but outside of the perimeter be considered exactly like external providers)નો જવાબમાં હકારમાં છે, પરંતુ સાથે ત્રણ નોંધ પણ મૂકાયેલ છે - એક, કંપનીની અંદરના જ વિભાગો હોવાથી બહારના પુરવઠાકારો પર જે નિયમનો લાગૂ પાડી શકાય તે બધાં જ આ વિભાગોને લાગૂ પાડી ન શકાય. બીજું,કલમ ૪.૪ની મદદથી ગુણવત્તા તંત્રવ્યવસ્થાની પ્રક્રિયાઓ આ વિભાગોની પ્રક્રિયાઓ સાથે કેમ આંતરફલક પર એકબીજાને મળે છે કે પરસ્પર અસર કરે છે નક્કી કરવું જોઈએ.અને ત્રીજું, કલમ ૪.૧માં વર્ણવાયેલ સંસ્થાના સંદર્ભના ખ્યાલનો પુરપૂરો ઉપયોગ કરવો જોઈએ. 
ASQ CEO, Bill Troy, અહીં, ડેવૉનવેના પ્રમુખ અને મુખ્ય સંચાલક ક્રિસ મૌસ્તાકાસનો રસપ્રદ લેખ, How to Choose Continuous Improvement Software રજૂ કરે છે. શ્રેષ્ઠ રીતે કામગીરી કરતી સંસ્થાઓ નિયમનોના અવરોધોની ભરમાર, કામગીરીમાં અવી પડતાં અંતરના ખાડાઓ અને બિનકાર્યક્ષમતાઓ તેમજ સ્પર્ધાત્મક સરસાઈ જાળવી રાખવા માટે જરૂરી ઝડપ જેવા મુદ્દાઓના સંદર્ભમાં જે ચપળતા જોઇએ તે જાળવી રાખવા સતત સુધારણાનું  માળખું અપનાવે છે. ઈઆરપી. ક્યુએમએસ કે બીપીએમ જેવાં અલગ અલગ દૃષ્ટિકોણનાં વિવિધ સૉફ્ટવેર દ્વારા સતત સુધારણાના પ્રયાસોને આજે અમલમાં લાવી શકાતા જોવા મળે છે. જોકે કોઈપણ સૉફ્ટવેર પસંદ કરો, દરેકે દરેકમાં કંઈક પડકારનો સામનો તો કરવો પડશે. બજારમાં મળતાં આ પ્રકારનાં જૂદાં જૂદાં મોટા ભાગનાં સૉફ્ટવેરમાં સતત સુધારણા મૉડેલ મટે જરૂરી ઘટકો તો હોય છે પણ અંતે યાદ એ રાખવાનું રહે છે કે સતત સુધારણા કરવા માટે ગુણવત્તા સિધ્ધાંતોનો અમલ કામગીરીની જરૂરિયાતને અનુરૂપ થતો રહેવો જોઈએ.
ASQ TV પરનાં કેટલાંક વૃતાંત:

  • Voice of the Customer Leads to Quality and Revenue : ટ્રાવેલોસિટીના સ્થાપક ટેરી જોન્સ, સેવાઓમાં ગુણવત્તા સમાવી લેવામાં વૉઇસ ઑવ કસ્ટમરનાં મહત્ત્વની ચર્ચા કરે છે.
  • Checklists for Designing in Quality: Exponentના મુખ્ય વૈજ્ઞાનિક નાથન સૉડરબૉર્ગ જૂદાં જૂદાં પકારનાં ચેક લિસ્ટ વર્ણવે છે અને જૂદાં જૂદાં ગુણવત્તા સાધનોમાં તે શી રીતે કામ આવીને ઓજાર પેટીને મજબૂત કરી શકે છે તે સમજાવે છે.
  • Soft Skills - આ વૃતાંતમાં થિયરી એક્ષ અને થિયરી વાયની વાત કરવામાં આવી છે. પરિવર્તનનો કક્કો ઘુંટવામાં આ સિધ્ધાંતો કેમ કામ આવી શકે તે બતાવાયું છે.પૂરક વાચન: Expert Answers, Scott A. Laman, QP, 2016
  • The Management System: ISO 9001:2015: Q-Met-Techના મુખ્ય સંચાલક અધિકારી જોહ્ન વન્ડનબેમ્ડન ISO 9001:2015 સંસ્કરણની અને સંસ્થાની ગુણવત્તા તંત્ર વ્યવસ્થાના દાયરામાં સંક્રાંતિ પ્રક્રિયાની ચર્ચા કરે છે.

Jim L. Smithનાં માર્ચ, ૨૦૧૭નાં Jim’s Gems:
Defining Variability - ખાસ કારણોથી થતી વધઘટ મોટા ભાગે તંત્ર વ્યવસ્થા માટે આશ્ચર્યજનક નીવડતી હોય છે. - ગઈ સદીના બીજા દશકની શરૂઆતમાં વેસ્ટ્રન ઈલેકટ્રીક કંપનીના ડૉ. વૉલ્ટર એ શૅવર્ટે સિધ્ધાંત વર્ણવ્યો જેમાં તેમણે ફેરફારોના બે ઘટકો સમજાવ્યાં. ફેરફારોના સહજ યાર્દચ્છિક ફેરફારોને તેમણે દૈવયોગ-કારણે થતા ફેરફારો કહ્યા જ્યારે ખાસ કારણોથી વચ્ચે વચ્ચે થતા ફેરફારોને તેમણે કોઇ કારણ સાથે સાંકળી શકાય તેવા ફેરફારો કહ્યા. …..ડૉ શૅવર્ટનો અભિગમ એ હતો કે અસરકારક નૈદાનિક કાર્યક્રમ વડે સાંકળી શકાય તેવા ફેરફારોને દૂર કરી શકાય જ્યારે દૈવયોગ-કારણે થતા ફેરફારોને દૂર કરવા માટે પ્રક્રિયા કે ઉત્પાદનમાં પાયાના ફેરફારો જ કરવા રહે. ….કોઇ પણ પગલું ભરતાં (કે ન ભરતાં) પહેલાં આ બન્ને વચ્ચેનો તાત્ત્વિક ફરક સમજવો જરૂરી છે ….‘તંત્ર વયવ્સ્થામા કોઈ ખાસ ખુટકો પડ્યો છે તેમ ખાસ કારણોથી થતી વધઘટ બતાવે છે એટલા માટે તે આશ્ચર્યકારક પરવડે છે.'
પરિવર્તનશીલતાના વિષયની વાત કરતાં હોઈએ અને ડૉ. એડવર્ડ ડેમિંગના વિચારોને યાદ ન કરીએ તે તો ચાલે જ નહીં.
ચાર ભાગની લેખશ્રેણીના ત્રીજા લેખમાં લીન્ડા એમ. ફિન્ન વ્યાપાર ઉદ્યોગમાં થતી છ ખાસ ભૂલો અને તેનાં શક્ય કારણોની વાત કરે છે:

# ૧: માહિતી સામગ્રીને સમયની સાથે ન આલેખવી
# ૨: માપદંડ અનુસાર નિયમિત ન કરવું
# ૩: સ્તરીકરણ કરવાનું અવગણવું
# ૪: સતત માપને અસતત, અલગ અલગ, જોવાં
# ૫: મહત્વનાં માપ અલગ ન તારવવાં
# ૬: સામાન્ય કારણ વધઘટના સંદર્ભમાં અનુચિત ગણી શકાય તેમ વર્તવું.

આ શ્રેણીના અન્ય ત્રણ લેખ વાંચવા માટે


ની મુલાકાત જરૂરથી લેશો.
આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, April 16, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૧૭



હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો
હસરત જયપુરી (જન્મ ૧૫ એપ્રિલ, ૧૯૨૨ - અવસાન ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)નું મૂળ નામ ઈક઼બાલ હુસ્સૈન હતું. મુંબઈ આવ્યા બાદ નાના મોટાં કામો કરતાં કરતાં તેમનો સંપર્ક રાજ કપૂર સાથે થયો જેને પરિણામે હિંદી ફિલ્મોમાટે તેમણે પહેલું સૉલો ગીત લખ્યું જિયા બેક઼રાર હૈ ('બરસાત',૧૯૪૯). તેમણે લખેલું પહેલું યુગલ ગીત હતું- છોડ ગયે બાલમ. 'બરસાત'માં ઉગેલ, તેમનું શૈલેન્દ્ર સાથેનું, શંકર જયકિશન દ્વારા રચાયેલ ગીતોનું વૃક્ષ વૈવિધ્યપૂર્ણ ફળોનો અઢળક વરસાદ કરતું રહ્યું. સતત થતી રહેતી એ બૌછારમાં, શંકર જયકિશને હસરત અને શૈલેન્દ્ર સિવાય અન્ય ગીતકારોનાં ગીતો પર બહુ અપવાદરૂપ ધૂન રચનાઓ કરી છે, એ વાતની જેટલી નોંધ લેવાય છે તેના પ્રમાણમાં  હસરત જયપુરીએ, અને શૈલેન્દ્રએ પણ, અન્ય ઘણા સંગીતકારો માટે પણ ગીતો લખ્યાં છે તે વાત કદીક વિસારે પડી જવાય છે.
 
 તેમની દીર્ઘ કારકીર્દીમાં હસરત જયપુરીએ પાછલી પેઢીના સજ્જાદ હુસ્સૈનથી લઈને પોતાની પેઢીના સી રામચંદ્ર, મદન મોહન, એસ ડી બર્મનથી માંડીને નવી પેઢીના નદીમ શ્રવણ, આનંદ મિલિંદ કે જતિન લલિત માટે ગીતો લખ્યાં છે. 
તેમની જન્મતિથિએ હસરત જયપુરીને યાદ કરવા માટે આપણે આજે તેમની કારકીર્દીની શરૂઆતથી ૧૯૫૩ સુધીનાં શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતોની યાદ તાજી કરીશું.આજના આ લેખમાં આપણે એક સંગીતકારનું એકથી વધારે ગીત નથી સમાવ્યું.
શરૂઅત કરીએ ૧૯૫૦ની ફિલ્મ 'વફ઼ા'થી. આ ફિલ્મમાં હસરતે ત્રણ ગીતો લખ્યાં હતાં જે પૈકી બે વિનોદે અને એક બુલો સી રાનીએ સંગીતબધ્ધ કરેલ છે.
અરમાન ભરા દિલ તૂટ ગયા - વફ઼ા (૧૯૫૦) - મૂકેશ , લતા મંગેશકર - બુલો સી રાની હસરત જયપુરી સંવેદનાત્મક ગીતો લખવામાં પણ માહિર રહેવાના છે તેની પુષ્ટિ અહીંથી જ થવા લાગી છે.
હસરત જયપુરીનાં ગીતોની તવારીખમાં ૧૯૫૧માં 'બડે  સાહબ' નામક એક ફિલ્મ જોવા મળે છે, જેનું સંગીત નિસ્સારે આપ્યું છે. આપણા નેટસંગીત ચાહકોને હજૂ આ ફિલ્મનાં ગીતો હાથ નથી લાગ્યાં જણાતાં. ૧૯૫૧ની બીજી એક ફિલ્મ - ઈમાન - છે જે રજૂ નહોતી થઈ. પરંતુ તેનાં ગીતો યુ ટ્યુબ પર સાંભળવા મળે છે. આ ફિલ્મમાં આશા ભોસલેનાં ત્રણ સૉલો અને તલત સાથેનું એક યુગલ ગીત હસરત જયપુરીએ લખેલ છે.
ઓ જુલ્મી નયના રોયે જા - ઈમાન આશા ભોસલે - પંડિત મોતી રામ
આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો હસરત જયપુરીએ લખેલ આશા ભોસલેનાં સૌ પહેલાંનાં ગીતોનું સ્થાન આ ગીતોને મળે. ભાવની દૃષ્ટિએ પણ કારકીર્દીની શરૂઆતમાં આશા ભોસલેને ફાળે આવેલાં ગીતો કરતાં આ ગીતો નવી કેડી કંડારે છે. હસરત જયપુરીનાં આશા ભોસલે કેવાં, કેટલાં અને કયા કયા સંગીતકારો સાથે ગીતો ગાયાં હશે તે ખૂદ જ એક રસપ્રદ વિષય બની રહે!
૧૯૫૧માં હસરત જયપુરીએ પંડિત મોતીરામ માટે 'લચક' માટે રફી -આશાએ ગાયેલું યુગલ ગીત પણ લખ્યું છે. 
૧૯૫૧માં હસરત જયપુરીની સજ્જાદ હુસ્સૈન સાથેની જુગલબંધી પણ 'સૈંયાં'માં સાંભળવા મળે છે.
ખયાલોંમેં તુમ હો - સૈંયાં (૧૯૫૧) - લતા મંગેશકર - સજ્જાદ હુસૈન
ગીત રચના, વાદ્ય સજાવટ અને ગાયન શૈલી જેવાં દરેક અંગમાં સજ્જાદ હુસૈનની આગવી છાપ અંકિત થયેલ જોવા મળે છે, જેની સાથે હસરતનાં સરળ, ભાવવાહી શબ્દો બહુ સહેલાઈથી ભળી જતા જણાય છે.
૧૯૫૧ની હજૂ એક ફિલ્મ -સૌદાગર-માં હસરત જયપુરીએ હનુમાન પ્રસાદ માટે જી એમ દુર્રાની અને આશા ભોસલેનાં સ્વરમાં ગવાયેલ બે યુગલ ગીતો લખ્યાં હોવાનું જોવા મળે છે. આ ગીતો મને યુટ્યુબ પર મળી નથી શકયાં.
બંકિમ ચંદ્ર ચેટરજીની પ્રખ્યાત નવલકથા 'આનંદમઠ' પરથી એ જ નામની બનેલી ફિલ્મીસ્તાનની ૧૯૫૨ની ફિલ્મ માટે એક ગીત હસરત જયપુરીએ લખ્યું છે.
દિલ કા પૈમાના હો ઉલ્ફતકા હાથ હૈ, જુલ્ફોંકા બાદલ હો, ઝૂમને કી રાત હૈ , પીને કે રાત હૈ - આનંદમઠ (૧૯૫૨)- રાજકુમારી - હેમંત કુમાર
રાજાના દરબારમાં અંગ્રેજ સાહેબોની ખીદમત માટેની મહેફિલ જામી છે. 
૧૯૫૨ની એક અન્ય ફિલ્મ 'અન્નદાતા' માટે હસરત જયપુરીએ પાંચ ગીતો લખ્યાં જે પૈકી જી એમ દુર્રાની-શમશાદનું યુગલ ગીત  તેમજ રફી- શમશાદ -મીના-લતા મંગેશકરનું સમૂહ ગીત યુટ્યુબ પર જોવા નથી મળતાં. લતા મંગેશકરનાં ત્રણ સૉલો ગીતો પૈકી એક ગીત આપણે આજે સાંભળીએ
બહારો કે ડોલે મે, આયી હૈ જવાની, આયી જવાની, આજ અપની અદાઓ પે હુયી હૈ દિવાની - અન્નદાતા (૧૯૫૨) - લતા મંગેશકર - મોહમ્મ્દ શફી
હિંદી ફિલ્મોમાં કંઈ કેટલાય સંગીતકારોને તેમની પ્રતિભા અનુસાર સફળતા નથી મળી.મોહમ્મદ શફી આ સંગીતકારોમાંના એક હતા. પ્રસ્તુત ગીતમાં મોહમ્મદ શફીની પ્રતિભા છતી થાય છે.
૧૯૫૨ની 'બદનામ'માં હસરત જયપુરીને ફાળે લતા મંગેશકરનાં બે અને શંકર દાસગુપ્તાએ ગાયેલે એક સૉલો આવ્યાં હતાં.
યે ઈશ્ક઼ નહીં આસાં - બદનામ (૧૯૫૨) - શંકર દાસગુપ્તા - બસંત પ્રકાશ
આ ઉપરાંત ૧૯૫૨માં હસરત જયપુરીએ બસંત પ્રકાશ માટે 'નિશાન ડંકા' અને 'સલોની' એમ બે અન્ય ફિલ્મો માટે પણ ગીતો લખ્યાં.
૧૯૫૨ની જ એક અન્ય ફિલ્મ 'હમારી દુનિયા'માં હસરત જયપુરીનાં સૉલો ગીતો લતા મંગેશકર, ગીતા દત્ત અને રાજકુમારી એમ ત્રણ ગાયિકાઓએ એક એક કરીને ગાયાં છે, જે પૈકી ગીતા દત્તએ ગાયેલું ગીત મને યુટ્યુબ પર નથી મળ્યું.
રાત અરમાનકી સજી હૈ - હમારી દુનિયા (૧૯૫૨) - રાજકુમારી - શ્યામ બાબુ પાઠક  
જબ તક ચમકે ચાંદ સિતારે, તુમહો હમારે સૈંયા હમ હૈ તુમ્હારે, અપને મિલન કા સ્થા ન છૂટે, હાથોમેં આ કે સજની હાથના છૂટે - નીલમ પરી (૧૯૫૨) - ગીતા દત્ત, જી એમ દુર્રાની - ખુર્શીદ અન્વર
'નીલમ પરી'માં હસરત જયપુરીએ ચાર ગીતો લખ્યાં હતાં. પ્રસ્તુત ગીતની વિડીયો ક્લિપ ઝાંખી હોવા છતાં ગીતા બાલીની મસ્તી છાની નથી રહેતી.
'શ્રીમતીજી'માં પણ હસરત જયપુરીનું એક ગીત છે.
તક઼દીરને લૂટા મુઝે તક઼દીરને લૂટા, મંઝિલ પે લા કે પ્યારને બેગાના કર દિયા શ્રીમતીજી (૧૯૫૨)ગીતા દત્ત જિમ્મી
એક દિલ હઝાર જખ્મ કૈસે જી શકેંગે હમ - આગ કા દરિયા (૧૯૫૩)- તલત મહમૂદ - વિનોદ
૧૯૫૩માં રજૂ થયેલી બીના રોયને અનારકલીની ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ 'અનારકલી'નું તેનાં ગીતોને કારણે ખાસ મહત્ત્વ હતું. સી. રામચંદ્રને આ ફિલ્મનાં ગીતોએ હળવાં, પાશ્ચાત્ય તર્જોમાં બનેલાં ગીતોના સંગીતકારમાંથી એક સન્માનીય સંગીતકારનું અચૂક સ્થાન અપાવ્યું. ફિલ્મમાં એક ગીત બસંત પ્રકાશે સંગીતબધ્ધ કર્યું હતું. ફિલ્મનાં બે ગીતો શૈલેન્દ્ર અને બે ગીતો હસરત જયપુરીએ લખ્યાં એ સિવાયનાં બધાં ગીતો રાજેન્દ્ર કૃષ્ણએ લખ્યાં છે.
ઝીંદગી બેબસ હુઈ હૈ બેક઼સી કા સાથ હૈ, એક હમ હૈ ક઼ફસમેં યા ખુદાકી ઝાત હૈ
ઓ આસમાન વાલે શીક઼વા હૈ ઝીંદગીકા, સુન દાસ્તાન ગ઼મકી અફસાના બેબસી કા
હસરત જયપુરીએ લખેલ બીજું ગીત પણ તેમનાં સદાશ્રેષ્ઠ ગીતોમાં તો સ્થાન તો પામે છે, અંગતપણે મારાંપણ બેહદ પસંદ ગીતોમાં તેની એક ખાસ જગ્યા છે. એટલે એક સંગીતકારનું એક ગીત લેવાનો આપણે કરેલો નિયમ બહુ પ્રેમથી તોડવાનું ગમશે.
ઈસ ઈન્તઝાર-એ-શૌક઼ કો જનમો કી પ્યાસ હૈ, ઈક શમા જલ રહી હૈ, તો વો ભી ઉદાસ હૈ
મુહબ્બત ઐસી ધડકન હૈ જો સમજાઈ નહીં જાતી
૧૯૫૩માં હસરત જયપુરીએ લખ્યાં હોય એવી હજૂ બીજી પણ કેટલીક ફિલ્મો છે. પરંતુ 'અનારકલી'નાં આ બે ગીતો સાંભળીને હસરત જયપુરીનાં અન્ય સંગીતકારો માટેનાં ગીતાના આજના અંકમાં આપણે અહીં વિરામ લઈશું. જો કે હસરત જયપુરીનાં ગીતોની આપણી સફર તો ચાલુ જ છે....
આપણા દરેક અંકની સમાપ્તિમાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીત મૂકવાની પરંપરા અનુસાર આજે આપણે સાંભળીએ આર સી બોરાલે સંગીતબધ્ધ કરેલ, હસરત જયપુરીનું લખેલ, ફિલ્મ દર્દ-એ-દિલ(૧૯૫૩)નું ગીત
હમને દર્દ-એ-દિલકો તમન્ના બના દિયા.




આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……