Sunday, March 27, 2011

સંસ્થાનો ઉદ્દેશ્ય અને સાધનોની ઉપલબ્ધી

આજની મારી આ નોંધ ૨૭મી માર્ચ,૨૦૧૧નાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલ શ્રી જગદીશ ભગવતીનો “The ‘real’ truth behind Yunus’s Grameen Story”- મનનીય અને માર્ગદર્શક - લેખ છે.
પ્રસ્તુત લેખમાં NGOs - દરેક પ્રકારના કાયદાકીય પરિમાણોની પુર્તતા કરીને પણ - સફળ સાતત્યસહ લાંબાગાળા નાં સંચાલન વિષે વિચારણીય રજૂઆત કરવામાં આવી છે.
NGOsની કાર્યપધ્ધતિનો સીધો મારો અનુભવ નથી તે મર્યાદા સ્વિકારતાં, મારા અંગત અભિપ્રય પ્રમાણે જે NGOsનાંસચાલન મૂળભુત મુલ્યોને જ આધાર રાખીને - સરખામણી માટે [કહેવાતાં] professional મુલ્યોપર આધારીત - સંસ્થા્ની કાર્યશૈલી નથી રહેલી જણાતી, તેવી સંસ્થાઓ લાંબાગાળે મુળ ઉદ્દેશ્યોથી ચલિત થયેલી જણાઇ છે.
તદુપરાંત, સાધનોની જરુર કરતાં વિપુલપ્રમાણમાં ઉપલબ્ધિને કારણે તો સામાન્યતઃ દરેક ક્ષેત્રની સંસ્થાઓ લાંબાગાળે તેમની હરીફાઇ-પ્રતીક્રામક કાર્યદક્ષતા અને અસરકારકતા ગુમાવતી જ હોય છે જ!
સરકાર કે પછી NGOs કે ખાનગી વ્યપારિક સંસ્થાઓમાં મુલ્યોથી વિપરીત ખર્ચાળ કાર્યશૈલીઓ,સર્વસ્વિકૃત નૈતિક સિધ્ધાંતોથી વિપરીત મુલ્યાંકન પરિમાણો અને વ્યક્તિ-આધારીત નિર્ણય પ્રણાલિઓ [કદાચ અજાણપણે પણ]ધીરે ધીરે ઘર કરી જાય છે, જેનું અંતિમ પરિણામ સંસ્થાનું મરણતોલ અસ્તિત્વ કે કદાચ મરણ જ થઇને રહી જતું હોય છે. સાથે સાથે માનવકલ્યાણ કે સમાજસુધારણા કે ઉદ્દાત વ્યાવસાયિક ઉદ્દેશ્યોનું પણ અસ્તિત્વ પણ જોખમાય જ છે.
અંતે સમાજપાસે રહી જાય છે માત્ર સડી ગયેલ ખોખલાં અશ્મિઓ, જેને ઐતિહાસિક ઉપયોગમાં લેવું પણ પાલવે નહીં અને ઇતિહાસમાંથી તેને નામશેષઃ પણ કરી શકાતું નથી.
કોઇપણ વ્યક્તિ કે સંસ્થાની સાર્થકતા કે યથાર્થતા તરફ અનાયાશ પણ અંગુલીનિર્દેશ ન કરતાં અત્યારે આ સંદર્ભમાં સદવિચાર પરિવાર, નર્મદા બચાવો આંદોલન,રજનીશજીનો ઑશૉ સંપ્રદાય જેવી સંસ્થાઓ યાદ આવે છે.
આજ વિચારોની સાથે સાથે હાલમાં ખુબ જ ચર્ચામાં છે તેવો પર્યાવરણની જાળવણી વિરુધ્ધ કુદરતી-સંશાધનો-આધારીત-ઔદ્યોગિકરણ વિષય પણ ધ્યાન પર આવે છે.ઉભય પક્ષોની તરફેણ કે વિરોધની દલીલો અને માન્યતાઓ જે તે સમય અને સંજોગોને એરણે [સંપૂર્ણપણે ન હોય તો પણ] સાચી છે અથવા સાચી હોઇ શકે છે તે વિરોધાભાસી પરિપ્રેક્ષ્યમાં નિર્ણય કરવાની જેના પર જવાબદારી આવી પડે તેનામાટે તો એક તરફ ખાડો તો બીજી તરફ ખાઇ એવી વિકટ સમસ્યા મોં ફાડને ઉભી થઇ જતી હોય છે.
આની સામે આશાનું કિરણ એ છે કે કેન્દ્ર સરકારના આ વિભાગના વર્તમાન પ્રધાન શ્રી જયરામ રમેશ એક એવી વ્યક્તિ ગણાય છે કે જે નિશ્પક્ષપણે એવી મુલ્યાંકન પધ્ધતિ વિકાસવામાટે સક્ષમ જણાય છે.
હાલપુરતું એ આશાથી આ વિચારનો હાલપુરતો અંત કરીએ કે આપણી વર્તમાન પેઢી ભવિશ્યને એરણે ખરી ઉતરે તેવું આ બાબતે ઐતિહાસિક પ્રકરણ લખશે!
અસ્તુ.

અપ્રેક્ષીત અસર - એક સક્ષમ માધ્યમ

ગયે અઠવાડિયે મેં શ્રી આર ગોપાલક્રિશ્નનનું '.......The Bonsai Mamanger' વાંચ્યું.
તેમાં લેખકે 'અપ્રેક્ષીત અસર'ના બદલાવની પ્રક્રિયા માં એક ખુબજ અસકારક માધ્યમ તરીકે ઉપયોગ /શક્યતાઓ વિષે મનનીય, તેમજ સચોટ, ઉદાહરણ ટાંક્યું છે.
'હિંન્દિ'ને સમગ્ર ભારત દેશની રાષ્ટ્રભાષા તરીકે પ્રચલિત કરવી તેવા 'અપેક્ષીત' આશય માટે બંધારણીય સુધારાની રાજકીય નિતિનો પ્રયોગ યોજવામાં આવ્યો.પરંતુ, અમલીકરણની આડઅસર દેશને ભાગલા પડી જઈ શકે તે હદસુધી લઇ ગઇ.
કારણ માત્ર એટલું જ કે તે સમયનાં [રાજકીય] નેતૃત્વ પાસે આવી બદલાવની પ્રક્રિયાનાં અસરકારક અમલીકરણમાટે ,ક્દાચ, એવો અથવા પુરતો અનુભવ નહોતો કે નિર્ણયની સીધી તેમ જ અનઅપેક્ષીત કે અપ્રેક્ષીત અસરો અંતિમ પરિણામને કેટલે અંશે પ્રભાવીત કરી શકે.જેમકે, બધાજ પક્ષકારો જ્યાં સુધી આવા બદલાવને સ્વાભાવિક બદલાવ તરીકે સ્વિકારે નહીં ત્યાં સુધી આ પ્રકારના બદલાવો ન ધાર્યાં હોય તેવાં પરિણામો પણ લાવી શકે; આવું પણ થઇ શકે એમ પણ કલ્પી પણ શકવા નો અનુભવ નહોતો.
આવાં વિખવાદીત રાજકીય વાતાવરણ સમયે પણ હિંદિ ચલચિત્રો દક્ષિણ રાજ્યોમાં ખુબજ પ્રચલિત થયાં હતાં.શા માટે? માત્ર, કદાચ એટલાં જ કારણસર કે હિંદિ ચલચિત્રો દક્ષિણ ભાષાનાં ચલચિત્રો સાથે મનોરંજનનાં માધ્યમ તરીકે સ્પર્ધામાં હતાં. તેમની આ ધંધાકીય સફળતાની એક અપ્રેક્ષીત [સફળ]અસર થઇ - હિંદિ ભાષાની સામાજિક [અભાન] સ્વિકૄતિ. રાજ્યભાષા તરીકે અછૂત, પરંતુ મનોરંજનની ભાષાતરીકે સ્વભાવિક સ્વિકૃતિ.

જોકે અહીં મુદ્દો એ નથી કે અમલીકરણની નિતિ શું હોવી જોઇતી હતી. તાત્પર્ય એ છે કે આટલાં hostile વાતાવરણ વચ્ચે પણ અપ્રેક્ષીત અસરનું પરીબળ તો, જાણ્યેઅણજાણ્યે,પોતાની કમાલ તો કરી જ રહ્યું હતું.

આજે, આકસ્મીક જ,હિંદી ચલચિત્રની આવી જ 'અપ્રેક્ષીત અસર'ની એક સબળ [સંભવિત] માધ્યમતરીકેની શક્યતા બતાવી શકે તેવું ચલચિત્ર જોયું - 'જાગો' [દિગ્દર્શકઃ મેહુલ કપુર , ૨૦૦૪].ફિલ્મમાં અંધારીઆલમના એક 'નેતા'નો સંવાદ છે -- " જ્યાં સુધી ગુન્હો કરતાં જેટલો સમય લાગે છે, તેટલા જ સમયમાં અદાલતમાથી ન્યાય નહીં મળે, ત્યાં સુધી સામાન્ય નાગરીકને ન્યાયતંત્રમાં શ્રધ્ધા નહીં આવે".

આપણા સમાજની એટલી કમનસીબી કે આ ફિલ્મને વ્યાપારીક સફળતા ન મળી, નહીંતર આ સંવાદ પણ 'શોલે'ના ગબ્બરસિંહના કે 'વક્ત' અથવા 'પાકીઝા'ના રાજ કુમારના સંવાદો જેટલો જ પ્રચલિત થઇ શક્યો હોત! અને જો એવું થયું હોત તો બળાત્કારના કિસ્સાઓ અંગે બહુચર્ચિત સામાજીક માન્યતાઓમાં કે તે અંગેના કાયદાઓમાં સુધારાઓની સ્વાભાવિક સ્વિકૃતિ અથવા તો ન્યાયતંત્રની કાર્યપ્રણાલીઅંગેના સુધારાઓની પૃષ્ઠભુમિકાનાં ઘડતરમાં આ સંવાદની પ્રભાવકારક અસર કલ્પી શકાય છે?

રાજ કપુરનાં 'શ્રી ૪૨૦, આવારા, જાગતે રહો',જીસ દેશમેં ગંગા બહતી હૈ' કે 'No one killed Jessica' કે અમિતાભ-અભિનીત 'પા' જેવાં અનેક ચલચિત્રની આ પ્રકારની 'અપ્રેક્ષીત અસર'નો કેટલો લાભ જે તે સમયની માન્યતાઓપર એટલી ઉંડી અસર કરવામાં લઇ શકાયો હોત.

રાજકીય કે સામાજીક કે ન્યાયતંત્ર કે જાહેરજીવનનાં કોઇ પણ ક્ષેત્રમાં સુધારાના વિષયોઅંગે કાર્યરત વ્યક્તિઓ કે સંસ્થાઓ જો બદલાવનાં એક સબળ માધ્યમતરીકે આ પ્રકારની 'અપ્રેક્ષીત અસર'ના પ્રભાવોની શક્યતાઓને પ્રલંબીત અસરકારક ઉદ્દીપકનાં સાધનતરીકે વાપરી શકવાનો નુસ્ખો શોધી નાખે તો?

Saturday, March 26, 2011

ઉઠાંતરી કે 'સર્જનાત્મક' ઉઠાંતરી કે 'પ્રેરણાદયીત સર્જન'

હિંદિ ફિલ્મ્ના 'સુવર્ણયુગ'ના લગભગ દરેક સંગીતકાર ઉપ્રોક્ત, થોડા યા વધારે, 'આક્ષેપ'માંથી બાકી નથી રહ્યા. આ કારણથી કે તે સિવાય, તેમની લગભગ દરેક લોકપ્રચલીત કે (સંગીતની દ્રષ્ટીએ) મહત્વની સંગીતરચનાઓ આ વિવાદમાં ચર્ચિત રહી છે.
ભુતકાળમાં આ બાબતે વિષદ સ્વરુપે હિંદિ ફિલ્મ્ના વિદ્વાન ઇતિહાસકારો કે વિવેચકોદ્વારા ધણું જ લખી ચુકાયું છે.
આજે YouTube પર મુકાયેલ એક વિડિયોક્લીપ -'Songs_in_Raag_Bhairavi_with_Lata_ji_and_Shankar_Jaikishen’ - સાંભળ્યા બાદ તેમાં મારો ઉમેરો કરવાની લાલચ રોકી નથી શકતો!
આ ક્લીપ માં તે સમયના આરબ સંગીત જગતના ખ્યાતનામ [પરંતુ ભારતમાં ખાસ જાણીતા ન હોય તેવા]આસમાન (૧૯૧૮-૧૯૪૪)ની રચના બખુબી મુક્યા બાદ તેના પર, તેમ જ આપણા ભૈરવી રાગ પર પણ 'આધારીત' ફિલ્મ 'આવારા'નું "ઘર આયા મેરા પરદેશી" (૧૯૫૧)સાંભળવા મળે છે. તે પછી આવે છે શંકર-જયકિશનની ભૈરવી આધારીત બેનમુન રચનાઓ - "કિસીને અપના બનાકે મુજકો મુસ્કરાના શિખા દિયા" - પતીતા (૧૯૫૩); "મૈં પિયા તેરી, તુ માને ના માને" - બસંત બહાર (૧૯૫૩);"દીલ અપના ઔર પ્રીત પરાઇ" - દીલ અપના ઔર પ્રીત પરાઇ (૧૯૬૦); "ખુશીયોંકે ચાંદ મુસ્કરાયેરે' - મયુરપંખ (૧૯૫૪).
આ સાંભળ્યા પછીથી આ રચનાઓઅંગેના વિવાદમાં પડવું કોને ગમે?

Saturday, February 26, 2011

આનંદદાયક સાશ્ચર્યાત્મક અનુભવ

થોડા દિવસો પહેલાં મારી બહેન વિભા [ઓઝા]ના દિકરા[વિસ્મય]ના લગ્નપ્રસંગે રાજકોટ જવાનું થયું હતું. જતાંવ્હેંતજ એક સુખદ આશ્ચર્ય અનુભવવાનો લ્હાવો મળ્યો. સામેથીજ એક બહેન મળવા આવ્યાં. કહ્યું કે ઃ 'ઓળખાણ પડે છે?' મારો જવાબ હતો ઃ હા કારણકે તમારામાં કોઇ ફેર જ નથી પડ્યો. પણ તમે મને ઓળખી ગયાં એ જરુર નવાઇ કહેવાય,કારણકે મારા દેખાવમાં આટલાં વર્ષોમાં જરુરથી ઘણોજ ફેરફાર થયો જ છે. આ વાત થઇ રહી છે મારી સાથે ૧૦/૧૧મા ધોરણ [૧૯૬૩ -૧૯૬૫ઃ લગભગ ૪૫ વર્ષ પહેલાં]માં સાથે ભણતાં ભાવના અવાશિયા [હવે ઓઝા - વિભાનાં જેઠાણી]ની. આટલાં વર્ષો પછીથી એક સહાધ્યાયીનું અચાનક જ મળી જવું, અને તેમનું મને આટલું spontaneously ઓળખી જવું - મારા એ પ્રસંગે ત્યાં હોઇ શકવાનો સંદર્ભ, હું વિભાનો ભાઇ થાઉં છું તે તેમને પહેલે્થી ખબર જરુર હતી - એ એક ખુબજ આનંદદાયક સાશ્ચર્યાત્મક અનુભવ રહ્યો.

Sunday, October 19, 2008

We need to have Liesure which is enjoyed and adds Life

Normally Liesure is helps as a stress buster.
I aim, through this blog, to create a coomunity who use thier leisure for:
  • Enriching personal and family lives;
  • Creating a community of like minded persons for community services;
  • Creating an additional stream of income;
  • Making Life more enjoyable and livable.

This is an invitation to join in my pusrsuits