Thursday, September 29, 2011

Jabberwock: Rafa: the pros and cons of a mid-career memoir

Jabberwock: Rafa: the pros and cons of a mid-career memoir: [ Okay, this is my last piece on tennis for some time - a review I did of Rafael Nadal's autobiography for Business Standard . Some earlier ...

Tuesday, September 27, 2011

કચ્છઃ વિહંગાવલોકન -- અવલોકન


 પહેલી આવૃત્તિ ઃ જુલાઇ ૨૦૧૧
લેખકઃ હરેશ ધોળકિયા                       hareshdholakia@yahoo.com
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય     goorjar@yahoo.com
ISBN 987 -81-8480-596-3


શ્રી હરેશ ધોળકિયાએ કચ્છવિશે ભુતકાળમાં પણ ઘણાં પુસ્તકો અને લેખો લખ્યા તેમજ પ્રકાશિત કરેલ છે. એ દ્રષ્ટિએ 'કચ્છઃ વિહંગાવલોકન'એ તેમની લેખન અને સંપાદનની અવિરત પ્રક્રિયાનું અનુસંધાન કહી શકાય.

આથી ૨૧ નોંધ-પ્રકરણોની મદદથી આ પુસ્તક કચ્છનાં ઘણાં પાસાંઓ, જેવાં કે  ભૂ-સાંસ્કૃતિક ઇતિહાસ તેમ જ રીપોર્ટ્સ; રાજકારણસાથે સંકળાયેઅલ ઘટનાઓ; તત્કાલિન ઘટનાઓ પર પ્રભાવ પાડી શકેલ અથવા તો ન પાડી શકેલ કચ્છી વ્યક્તિત્વો; કચ્છમાં શિક્ષણની તવારીખ તેમજ ૨૦૦૧ના ધરતીકંપ પછીનાં સાંપ્રત કચ્છનું વિશ્લેષણ વિ.ને આવરી લે છે.

આમ લેખકે વ્યાપક વિષયોને આવરી લેવા છતાં પુસ્તક અંગે તેમના બે મુખ્ય ઉદ્દેશ્યને પુસ્તકની પ્રસ્તાવનામાં જ કહી દીધા છેઃ કચ્છ અંગેની ભુતકાળની તેમ જ વર્તમાન ઘટનાઓને ગ્રંથસ્થ કરવી અને ભવિષ્યનાં સંશોધનોને મદદરૂપ થવું.

'કચ્છઃ વિહંગાવલોકન’,એ લેખકની 'કચ્છમિત્ર'માટેની નિયમિત કટારમાટેના સમયાંતરે લખાયેલ લેખોનું સંપાદન હોવા છતાં, તેના બંન્ને ઉદ્દેશ્યોની કસોટીએ ખરૂં નીવડે છે.

પુસ્તકના ૧૧મા પ્રકરણ - કચ્છના ઇતિહાસના લેખન સંદર્ભે - [પૃષ્ઠ૬૯]માં લેખકે કચ્છના ઇતિહાસને ગ્રંથસ્થ કરવામાં રહેલી અડચણો સમજાવી છે. તેથી આપણે લેખકના આ પુસ્તક ના વિહંગાવલોકનના દ્રષ્ટિકોણનેપણ સમજી શકીએ છીએ.

સમગ્રપણે, પુસ્તક સાચી દિશામાં યોગ્ય પ્રયાસ છે, તેમજ લેખકના કચ્છપ્રત્યેના રાગ અને પ્રેમને પ્રતિબિંબીત કરે છે.
કચ્છસાથે કોઇપણરીતે સંકળાયેલ વ્યક્તિમાટે આ પુસ્તક વાંચવું તેમ જ વસાવવું આવશ્યક ગણાય.૨૦૦૧ના ધરતીકંપબાદ કચ્છનો વ્યાપ જે રીતે કચ્છી અને ગુજરાતી સીમાડા પાર કરી ગયેલ છે તે દ્રષ્ટિએ આ પુસ્તકનો અંગ્રેજીમાં પણ અનુવાદ થવો જોઇએ.

      -- અશોક વૈશ્નવ, અમદાવાદ, સપ્ટેમ્બર ૨૬, ૨૦૧૧

Sunday, September 25, 2011

મન્સુર અલી ખાન 'ટાઇગર' - "પટૌડી"ના નવાબ




૧૯૬૦ના દાયકાના અન્ય ક્રિકેટ-ચાહકોની જેમ અમે પણ પટૌડીની ક્રિકેટ કરામતોને રેડીયો કોમેન્ટરીદ્વારા તેમ જ તેમની વ્યુહરચનાઓ જેવી ક્રિકેટનાં જ્ઞાનઅંગેની વાતો અખબારો કે મૅગૅઝીન્સના અહેવાલોદ્વારા માણતા. તેમની કપ્તાનીહેઠળની ભારતીય ટીમની સફળતાઓને અહોભાવથી જોવામાં ગર્વ અનુભવતા, તો ગમે તેવા શક્તિશાળી હરીફની આંખોમાં આંખો મેળવી શકવાનું તેમનું ખમીર અમારું આદર્શ બની રહેતું.
લગભગ ૧૯૬૬/૬૭ના અરસામાં અમદવાદનાં સરદાર પટેલ સ્ટેડીયમપર રમાયેલ દુલિપ ટ્રોફી મૅચમાં તેમને નજરે રમતા જોવાનું સદભાગ્ય પણ મને મળ્યું હતું.
જો કે પટૌડીનો આ પરિચય કિશોરાવસ્થાની મુગ્ધસમજ્થી વધારે ન કહેવાય.
પટૌડીની ક્રિકેટક્ષમતાની ઇમારત જે પાયા પર બંધાઇ હતી તેવી, તેમની ટીમ સંગઠન કે નેતૃત્વના ગુણોસાથે સંકળાયેલ, નૈસર્ગિક ખુબીઓની ઓળખ તો મને તે લગભગ ૨૫/૩૦ વર્ષ પછીથી થઇ.
ઇન્ડસ્ટ્રી મેનેજમેન્ટમાં વીસેક વર્ષની પ્રેક્ટીસબાદ જ્યારે મારા યુવાન સાથીદારોસાથે - ટીમ મેનેજમેન્ટ, ડેલીગેશન કે નેતૃત્વ જેવા વિષયોપર - પ્રશિક્ષણનાં શિબીર કે ચર્ચાઓ સમયે આ સિદ્ધાતોની સરળ સમજની ભુમિકા તરીકે તેમને કેટકેટલા વિવિધ વિષયોના સંદર્ભે યાદ કર્યા. ક્રિકેટમાંથી તેમની નિવૃત્તિ બાદ પણ અમે મેનેજમેન્ટના પણ કેટલાયે પાઠ તેમની જીવનશૈલીમાંથી શીખ્યા.
તેમની આવી નૈસર્ગીક શક્તિઓને અહીં સાદર રજૂ કરું છુંઃ
૧] લડ્યા વગર કોઇ પણ લડાઇ હારવી ન જોઇએ. 
પટૌડીએ આપણી ટીમનું નેતૃત્વ ખુબજ આઘાતજનક સંજોગોમાં તો સંભાળ્યું જ હતું, પણ તેમની પસંદગી તેમની તે સમયની ઉમર અને અનુભવની દ્રષ્ટિએ થોડી નવાઇ પમાડે તેવી પણ હતી. કોઇ તરવરીયા યુવાનને અચાનક જ આવી મોટી અને કપરી જવાબદારી સંભાળવાની આવી પડે તો શરૂમાં થોડો ખચકાટ જોવા મળે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝ્ના બાકીના સમગ્ર પ્રવાસ દરમ્યાન પટૌડીના અભિગમમાં એવી કોઇ જ દ્વિધા હોય તેવું જોવા નહોતું  મળ્યું.
૨] સમકક્ષોમાં પહેલો એટલે ટીમનો નેતાઃ
વેસ્ટ ઇન્ડિઝ્ના એ પ્રવાસ દરમ્યાન કોઇને એવો કોઇ જ અંદેશ સુધ્ધાં ન આવ્યો કે પટૌડી તે સમયે ટીમના સૌથી નાના ખેલાડી હતા કે તેમના અન્ય સાથીઓ તેમનાથી વયમાં કે અનુભવમાં મોટા હતા. તે જ રીતે, પછીનાં વર્ષોમાં કોઇ નવા ખેલાડીને આટલી પ્રતિભાવાન વ્યક્તિસાથે સુમેળ સાધવામાં અંતર જણાયાનું પણ જાણવામાં આવ્યું નથી. આમ ટીમના એક અવિભાજ્ય હિસ્સો હોવા છતાં ,જેટલો કોઇ પણ મહત્વના નિર્ણયમાં તેમનો શબ્દ આખરી ગણાતો તેટલા જ તે પ્રેરણાના સ્રોત પણ ગણાતા હતા.
૩] ઉચ્ચ-કક્ષાની ટીમનું સંયોજન કરવા કરવા માટે ટીમના સભ્યોની પસંદગી નેતાની મરજીમુજબ જ હોવી જોઇએ તેવું જરૂરી નથી.
પટૌડી હંમેશ એવું કહેતા કે રાષ્ટ્રીય ટીમમાં પસંદ થયેલ ખેલાડી દેશના અન્ય ખેલાડી કરતાં વધારે સારો ખેલાડી હશે તેમ કપ્તાને સ્વિકારીને જ આગળ વધવું જોઇએ. તેઓ એમ પણ માનતા કે વિશ્વનો શ્રેશ્ઠ સ્પીનર શ્રેશ્ઠ ફીલ્ડર પણ હોય કે સારો ફીલ્ડર એક સારો બોલર કે બેટ્સમેન પણ હોય તેમ જરૂરી નથી. તેથી કપ્તાનનાં આયોજન કે વ્યુહરચનામાં ટીમના દરેક સભ્યનાં સબળાં પાસાંઓનો સરવાળો તેઓનાં નબળાં પાસાંઓના સરવાળા કરતાં વધારે થવો જોઇએ.
૪]સકારક અભિગમ
કોઇ પણ મેચની હારનાં વિષ્લેશણના કારણોમાં ખરાબ પીચ કે પ્રવાસનાં આયોજનમાં ખામી કે ટીમની ન સુધરતી નબળી ફિલ્ડીંગની ટેવ તેઓ ક્યારે પણ ન લાવતા. તો સારાં ક્રિકેટના ભોગે  હાર કે ડ્રૉ ના રેકર્ડ્સમાટે કરીને તેમણે રક્ષણાત્મક વ્યુહરચનાઓ કદી પણ ન અપનાવી.
] તમારી પોતાની તેમ જ તમારા સાથીઓની શક્તિઓપર ભરોસો રાખો
ફીલ્ડપર કે બહાર, તેમનું કોઇ પણ ઉચ્ચારણ કે વર્તન - દરેક સેસનમાં મેદાનપર જતી વખતે ટીમને સવિશ્વાસ દોરી જવું કે ફીલ્ડીંગની આક્રમક વ્યુહરચનાઓ કે  તત્કાલીન પરિશ્થિતિને ધ્યાન્માં લઇને કોઇ બૉલરને આક્રમણ્માં લાવ્યા પછી થોડા વધારે રન થતા દેખાય તો પણ બૉલરને પુરો સાથ અને ટેકો આપવો – તેમના, પોતાની તેમજ પોતાના સહયોગીની શક્તિઓ પરના, ભરોસાને વ્યક્ત કરતાં.
તદુપરાંત તેઓ એમ પણ માનતા કે ટેસ્ટ ટીમમાં સ્થાન પામેલ ખેલાડીને તે સમયની પરિસ્થિતિને પારખીને કેમ બૉલીંગ કે બૅટીંગ કે ફીલ્ડીંગ કરવી તેવી સામાન્ય સુચનાઓ આપવાની જરૂર ન હોવી જોઇએ. તેઓ તે પરિસ્થિતિઅંગે તેમનું વિષ્લેશણ કે વ્યુહરચના સમજાવી તેનો અમલ તે ખેલાડી પર છોડી દેતા.
ડેલીગેશનના સિધ્ધાંત શીખવાડવામાટે આનાથી સારા કેસ-સ્ટડી ક્યાંય જોવા નહીં મળે.
૬] ધ્યેય હંમેશાં ઊંચું રાખો અને સમસ્યાનું નિરાકરણ સામે ચાલીને શોધો
ત્રણ સ્પીનરને ટીમમાં રાખવા કે બેટ્સમેન સાથે હાથ મેળવી શકાય તેવી ફીલ્ડીંગની આક્રમક છત્રી- ગોઠવણ કે બે એક વિકેટ ઉપરાઉપરી પડી ગઇ હોય ત્યારે ફીલ્ડરની ઉપરથી કુદાવીને શૉટસ લગાવવા તે તેમનાં નેતૃત્વમાં પરિણામમાં થોડી કચાશ કદાચ  સ્વિકાર્ય પણ ઓછો પ્રયત્ન જરા પણ નહીં ચાલે તેવા જીવનઅંગેના ઉન્નત અભિગમનાં બોલતાં પ્રમાણ રહ્યાં.
૭] વ્યાવસાયિક જીવનમાં પ્રગતિમાટે શિસ્તનો આગ્રહ
પોતે રઇશ ખાનદાનના હોવા છતાં કે તેમનો ઉછેર પાશ્ચ્ચાત્ય વાતાવરણમાં થયો હોવા છતાં ક્રિકેટ પ્રવાસ દરમ્યાન નિયમિત દિનચર્યા જેવી શિસ્તના તેઓ આગ્રહી હતા. આ બાબતે તેઓ તેમના ઉત્કૃષ્ટ ખેલાડીને પણ બક્ષતા નહોતા.

આવા આ શ્રી મન્સુર અલી ખાન 'ટાઇગર' , પટૌડીના નવાબને મારી એક ઉત્કૃષ્ટ ખેલાડી કે અનુકરણીય કપ્તાન ઉપરાંત ટીમ મેનેજમેન્ટ કે નેતૃત્વની કળાની best-practicesના પથદર્શક તરીકે મારી સાદર અંજલિ છે.
n  અશોક વૈશ્નવ, અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૧

Friday, September 23, 2011

સ્ત્રી દેહ -- દેવદત્ત પટ્ટનાઇક

માનવ ઇતિહાસએ સ્ત્રી દેહનાં ભૌતિક કે દેખાવનાં સ્વરૂપને સામાન્યતઃ પુરૂષની મિલ્કત ગણી છે.તેથી ,વ્યભિચાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર છે) અને  બળાત્કાર (કે જેમાં સ્ત્રી ભાગીદાર નથી)ને પુરૂષ માટે માનહાનીજનક ગણેલ છે.

પરશુરામની કથામાં, તેમની માતા, રેણુકા, થોડા સમયમાટે અન્ય પુરુષનો સહવાસ ઝંખે છે. આ 'વૈચરિક' અપરાધનાં પરિણામરુપે, પિતા - જમદગ્નિ-ના આદેશથી તેનો પુત્ર તેનો શિરચ્છેદ કરે છે. અંતે તો તેને ગણીકાઓની દેવી યેલમ્મા સાથે પણ સાંકળી લેવાયેલ છે.

રામની કથામાં, રાવણદ્વારા સીતાનું અપહરણ તેમની આબરૂને ડાઘ લાગી જાય તે હદસુધીની લોકચર્ચાને ચકડોળે ચડાવે છે કે રામ તેમનો ત્યાગ કરી દે છે.

આ બંન્ને કથાઓમાં સ્ત્રી પર સીધો કોઇ હુમલો નથી થયો.સ્ત્રીશાલિનતાપરનું ગ્રહણ માત્ર આઘાત્ પેદાકારક છે. જે કંઇ તમારૂં છે તેના પર કોઇ પોતાની માલિકી કરી શકે તે 'વિચાર' [રેણુકાની કથા] કે કોઇએ માલિકી કરી લીધી છે તેવી 'માન્યતા'[સીતાની કથા]ના ખયાલમાત્રથી તમારી માનહાની થઇ જઇ શકે છે.

જ્યારે પણ આપણે હિન્દુધર્મને બચાવપક્ષનાં પાંજરાંમાં ઉભો કરવા માગતા હોઇએ છીએ કે હિન્દુ સામાજીક રિવાજોને પુરૂષપ્રધાન સાબિત કરવા હોય છે ત્યારે આપણે આ કથાઓને આ સ્વરૂપે રજૂ કરીએ છીએ, પરંતુ આ જ ગ્રંથોમાં આ કથાઓનાં એ સ્વરૂપોનો ઉલ્લેખ માત્ર પણ કરતા નથી  જેમાં આ કથાઓનાં બીજાં પાસાંઓ પણ અસરકારકરીતે કહેવામાં આવ્યાં હોય.

કેટલીક કથાઓમાં જેમાં અહલ્યાનો એક પ્રમાણિત વ્યભિચારિણી અથવા બળાત્કારીત સ્ત્રી તરીકેનું વર્ણન છે, જેને કારણે જેના પતિએ તેને પથ્થરની શિલા બની જવાનો શ્રાપ આપ્યો હતો, પરંતુ રામના પાદસ્પર્શથી જે પવિત્ર અને શ્રાપમુક્ત થઇ હતી તેવી કથા આપણે કહેતા નથી. આ એજ રામ છે જે સીતાનો ત્યાગ કરશે.આવા પુરૂષપ્રધાન રામ એક વ્યભિચારિણીને પવિત્ર શા માટે કરે છે? આનું કોઇ સ્પષ્ટીકરણ જોવા નહીં મળે! શા માટે આવા રામ કલંકિત સીતાના ત્યાગ પછીથી ફરીથી લગ્ન નથી કરતા? કોઇ સ્પષ્ટીકરણ નહીં! શા માટે આ કથાઓમાં સ્ત્રીઓ પ્રત્યે દાક્ષિણ્ય કે ક્ષમા [અહલ્યાની મુક્તિ]કે પ્રતિબધ્ધત્તા [સીતાત્યાગ પછીથી પુનઃલગ્ન ન કરવાં] જેવાં સ્વરૂપને બદલે સમાજના પુરૂષપ્રાધાન્યને ઉભારતાં કથાતત્વને વધુ પ્રસિધ્ધિ મળે છે?

આપણે ઉપનિષદની એ કથા પણ નથી કહેતા જેમાં ગૌતમ ઋષિ તેમનીપાસે શિષ્ય થવા આવેલ બાળકને પૂછે છેઃ " તારા પિતાનું નામ શું છે?" જેના જવાબમાં બાળક કહે છેઃ "મારી માતા એ આપને એમ કહેવાનું કહેલ છે કે તે એક દાસી છે અને તેણે અનેક પુરૂષોની સર્વ પ્રકારે સેવા કરી છે, તેથી તેને મારા પિતા કોણ છે તે ખબર નથી. માટે મને જાબાલાના પુત્ર, જાબાલી, તરીકે સ્વિકારો." આવા સાચા અને પ્રમાણિક જવાબની ભેટ રૂપે ઋષિ બાળકને સત્યકામ [સત્યનો ચાહક] નામથી શિષ્ય તરીકે આવકારે છે.

આપણે મહાભારતની શ્વેતકેતુની એ કથા પણ નથી કહેતા જેમાં તે તેની માતાને પરપુરૂષની સાથે જોતાં ચોંકી ઉઠીને તેના પિતા ,ઉદ્દાલક,ને શિકાયત સ્વરૂપે જાણ કરે છે, ત્યારે તેના પિતા જવાબમાં કહે છેઃ "સ્ત્રીને જે પસંદ હોય તે કરવાની સ્વતંત્રતા છે." આના પ્રતિભાવમાં પુત્ર જ્યારે પોતાના પિતાઅંગે શંકા કરે છે ત્યારે ઉદ્દાલક કહે છેઃ "મારો પ્રેમ તને મારું સંતાન બનાવે છે, નહીં કે મારું પુરૂષ-બીજ."

આમ એક પક્ષે સ્રીને મિલ્કત ગણાવતી જેટલી કથાઓ છે તો બીજે પક્ષે સ્ત્રીને પોતાનાં જીવનપર પુરો અધિકાર હોય અને સ્ત્રી મિલ્કત સ્વરૂપે ન જોવાઇ હોય તેવી કથાઓ પણ છે. આપણી શાળાઓ કે કૉલેજોમાં કે પછી આપણા જમણેરી કે ડાબેરી ધર્મનિર્પેક્ષ બૌધ્ધિકોદ્વારા આવી બીજા પ્રકારની કથાઓ શા માટે કહેવાતી નથી?

મારા મત મુજબ, પૌરાણિક સમયમાં સ્ત્રીને સન્માન મળતું ન હતું જેને આધુનિક ધર્મનિરપેક્ષ કાયદાની મદદથી સુધારી શકાશે, તેવી માન્યતા રૂઢ થતી જણાય છે. જો કે આ માન્યતા બે-વજૂદ જણાય છે. ખાપ કે ઇન્ડિયન પીનલ કોડ [ઇ.પી.કૉ.] હોવા છતાં પણ સામાન્યતઃ લોકોને, અને ખાસ કરીને સ્ત્રીઓને, અવમાનિત કરતા જડસુઓ ત્યારે પણ હતા, આજે પણ છે, અને [મને આ લખતાં કમકમાતી થઇ આવે છે કે] આવતીકાલે પણ હશે.

આપણે આવા જડસુઓને કેન્દ્રમાં રાખતી પ્રસિધ્ધિઓ ક્યારે બંધ કરીશું?


n  'દેવલોક, સન્ડે મિડ ડે, ઑગષ્ટ ૭, ૨૦૧૧'માં પ્રકાશિત થયેલ

n  Originally Titled: A Woman’s Bodyhttp://devdutt.com/a-womans-body/

Sunday, July 3, 2011

After 823 yrs, 5 weekends this July

This July will be a little different. In fact, it is going to be a July that comes once in 823 years and bring cheer to those who look forward to weekends. July 2011 will have five Fridays, five Saturdays and five Sundays and numerologists and astrologers say such a July is rare, as rare as once in 823 years.


But, despite being rare, it may not have too much of a numerological significance for people, says numerologist Sanjay Jumani. "It will just be fun to have more weekends as the month will have five Saturdays, five Sundays and of course five Fridays," he pointed out. Astrologer Ajay Bhambi, too, said it was a mathematical rarity in the calendar but people should not assume there was any astrological significance.

When pointed out that Feng Shui experts predict the month lucky for people to earn money, Jumani said, "In fact this year, as I had predicted, has been expensive right from the beginning. It will be expensive even till the end. There is nothing special to more Sundays, Saturdays and Fridays. Just enjoy the weekends."

Greenstone Lobo, another astrologer, also agreed that having more weekends does not mean any astrological affect as it is not related to planetary movement. But Lobo said the month will be good for people in India after three months of inflation, social and political upheavals. "Over the last three months venus and mars were in conjunction. This planetary phase has now ended on June 30 last month and hence going to be a very good month after a long gap," he added, pointing out that weekends would be more enjoyable.
                                                                       ---     Chittaranjan Tembhekar, TNN, Jul 3, 2011, 01.05am IST

Sunday, May 29, 2011

[મારી પસંદની] કેટલીક કવિતાઓ

શું રે કરું શીશ નમાવી?

  ગર્વથી ઉંચું ઉર રે;

શું કરું સાગર લાવી?

  રૂવે જો નૈન નહીં નિષ્ઠુર રે;

શું રે કરું બીન બનાવી,

  અંતરનાદ બેસૂર રે?

અંગમરોડ હું કેમ કરું,

  જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,

  હૈયું જો હોય રંક રે?

રૂપ ફુલોનાં કેમ સમર્પું,

  અંતરે મલિન રંગ રે?

શુ રે કરું દીપ પ્રજાળી,

  હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,

  જો નહીં પ્રેમનાં પૂર રે?

                                                    -- પ્રહલાદ પારેખ

ખજૂરની કવિતા જો કહો તો હું લખી નાખું

   મજૂરની કવિતા તો મારાથી થાય ના

પસીનાથી રેબઝેબ સોડાય છે અંગ એનાં,

  ચીંથરાંથી વિંટાયેલ દેહ દીઠો જાય ના.

મ્હેલને મિનારે બોજ સાથે સડેડાટ ચડે

  મ્હેલ કેરા ઓટલે રે જેનાથી સુવાય ના

હક માગી માગી અનો ઘાંટો બેસી જાય ભલે,

  પણ જો જો પ્રભો! મારો કંઠ બેસી જાય ના.

એની કરુણાને કવિતામાં ઉતારે છે એવી

  જો જો મારી કલમની પ્રેરણા મુંઝાય ના.

હમાલોના હૈયાં કેરી હેરાફેરી કરનારી

  ભલે મારી કવિતાઓ એને સમજાય ના.

લાચારીથી લથબથ જુઓ આ મજૂરિયાં,

  સુખ કેરાં સપનાં સુખથી સેવાય ના.

કીકીઓમાં કૂતૂહલ, કલેજાંમાં હાયવોય,

  હાડમારી કેરો કોલાહલ હલ થાય ના.

એવા એ મજૂરો કેરી કવિતા તો ક્યાંથી લખું?

  પાઇ વધુ આપવા જતાં હાથ લાંબો થાય ના.

                                                     -- વેણીભાઇ પુરોહિત

એક આંખે આંસુની ધારી

  બીજી એ સ્મિતના ઉડે ફુવારા

    બીચમાં બાંધી આંખે પાટા

      ઓશિયાળી અથડામણ

                                             - મનસુખલાલ ઝવેરી

                   અભિવ્યક્તિ

દ્રશ્યોમાં એકધારી ભાષા નથી તો શું છે?

     ખુલ્લી રહેલી બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલા ભાને સૌદર્ય સાચવે છે

    ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક ઉપર જે પ્રસ્વેદથી લખાતી

    મઝદૂર - થાક - લારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, બુખ્યું સુતેલ બાળક

    ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

એના હૃદય મહીં જે અનુવાદ થઇ શકી ના

    એ વેદના અમારી, ભાશા નથી તો શું છે?

                                                        -- નિર્મિશ ઠક્કર

કોઇનો (પ્રેમ) સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો;

               આપણી અપેક્ષાજ વધારે હોય છે.

આપણે તો આપણી રીતે જ રહેવું

    ખડક થવું હોય તો ખડક,

       નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું.

                                                           - હરિન્દ્ર દવે

મેં જ્યારે વિજ્ઞાની તરીકે

મારી કેરીયર શરુ કરી ત્યારે

હું એવું માનતો હતો

                   કે વિશ્વ વસ્તુઓનું બનેલું છે,

પરંતુ જેમ મારી ઉમર વધતી ગઇ તેમ તેમ

મને વધારે ને વધારે એમ લાગવા માંડ્યું

                     કે વિશ્વ વસ્તુઓનું નહીં

                                 પણ વિચારોનું બનેલું છે.

                                                                            --- એડિંગ્ટન

નદીમાં પાણી ન હોય,

નીંદરમાં સપનાં ન હોય,

આકાશમાં તારા ન હોય,

અને પુષ્પોમાં સુગંધ ન હોય,

તો માણસ કેવો ને કવિ કેવો.

                                           -- રાજકુમાર કુંભજ

અંદર ડોકિયું કર્યા વગર

    જો આકાશમાં બાથ ભીડવા જાય છે

             તે ઉંચેથી પડે છે.

                                                   - રઘુવીર ચૌધરી