Monday, November 25, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - નવેમ્બર, ૨૦૧૩

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાંનવેમ્બર, ૨૦૧૩સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજનાં આ સંસ્કરણમાં આપણને ગુણવત્તા અને સામાજીક જવાબદારી વચ્ચેના સંબંધોને લગતા રસપ્રદ બ્લૉગ્સની મુલાકાત લેવાનો મોકો મળ્યો છે.
સલાહ્કાર સેવાઓના પૂર્વનિયામક રાજ સપ્રુ, BSR Insight પરના લેખ Sutainability: What’s Quality Got to Do With It?માં જણાવે છે કે 'કૉર્પોરેટ સામાજીક જવાબદારી(CSR)'નો એક કૉર્પોરેટ કાર્યક્ષેત્ર તરીકેનો ઉદય, 'ગુણવત્તા' કરતાં તો લગભગ ત્રણ ગણા સમય બાદ થયો છે, એટલે CSR પણ એક સંચાલન કાર્યભારથી આગળ વધીને નિયામક મંડળની બેઠકોના મહત્વના વિષયથી લઈને સંકલિત મૂલ્યો તરીકે પહોંચવામાં 'ગુણવત્તા'ને જ અનુસરશે એમ કહી શકાય.  ઘણાં લોકોનું એમ પણ કહેવું છે કે CSRનું કૉર્પોરેટ કક્ષાએ ટકાઉપણું /sustainability કાર્યભારમાંથી અલગ થતું જવું એ CSRનાં મૂલ્યોમાં સંકલન થવાની સિધ્ધિનું માપ કહી શકાય. આ સંદર્ભે 'ગુણવત્તા'એ પસાર કરેલી સફરમાંથી ઘણું શીખી શકાય તેમ છે.
BSRના American Society of Quality સાથેના સહયોગમાં પ્રકાશીત થયેલા તાજેતરના અહેવાલ CSR and Quality: A Powerful and Untapped Connectionમાં CSR અને 'ગુણવત્તા'નાં જોડાણનો, તેમ જ વધારે ઘનીષ્ઠ કક્ષાએ સાથે કામ કરી શકવાની તકોનો, તલસ્પર્શી અભ્યાસ કરાયો છે.
સામાજીકપણે જવાબદાર સંસ્થાઓનું ઘડતર / Building Socially Responsible Organizations:  ASQના સામાજીક જવાબદારી પહેલ હેઠળ નવી વેબસાઈટ - http://www.thesro.org/ - વિકસાવાઇ છે.  તેનું ધ્યેયયસૂત્ર છે -"ગુણવતાના વધારે વ્યાપક ઉપયોગ અને અસર દ્વારા વિશ્વની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવું."
સમગ્ર વિશ્વમાં, ગ્રાહકો પણ વ્યાપારઉદ્યોગનાં ઉત્તરદાયીત્વ અને સામાજીક જવાબદારી વિષે વધારે ને વધારે અપેક્ષા રાખતાં અનુભવાયાં છે.  સામાજીક રીતે વધારે જવાબદારી નીભાવવા માટે લોકોએતેમ જ સંસ્થાઓએ, સામાજીક, સાંસ્કૃતિક, આર્થિક અને પર્યાવર્ણીય મુદાઓ વિષે વધારે નૈતિક અને સંવેદનશીલ સ્તરે વર્તવું પડશે.
આ ઉભરતી માંગને પહોંચી વળવા માટે 'ગુણવત્તા'ના ભાથામાં પૂરતાં સાધનો છે તેમ કહી શકાય. સામાજીકપણે જવાબદાર રીતરસમોને પધ્ધતિસરના અભિગમમાં આવરી લઈને વિશ્વની વિવિધ માંગોને પહોંચી વળવા માટે TheSROએ એક સહયોગાત્મક કાર્યમંચ છે.
ગુણવત્તા અને સામાજીક જવાબદારી વચ્ચેના સંબંધને વધારે વિગતમાં અહીં જોઇ શકાશે.
એક સંસ્થા તરીકે, Business for Social Responsibilityનું ધ્યેય સૂત્ર વ્યાપાર-ઉદ્યોગ સાથે મળીને ન્યાયી અને ટકાઉ વિશ્વ ઘડવાનું છે. તેમની કલ્પના એવાં વિશ્વની છે જ્યાં પૃથ્વીનાં કુદરતી સંસાધનોની મર્યાદામાં દરેક વ્યક્તિ સમૃધ્ધ અને સન્માનીય જીવન જીવે.
BSRના પરિવર્તનના સિધ્ધાંત અનુસાર જ્યારે વ્યાપાર, સમાજ અને સરકારનાં દરેક પાસાંનાં આગવાં કૌશલ્યો અને સાધનો એ ધ્યેય સાથે એકરૂપ થશે, ત્યારે એ ન્યાયપૂર્ણ અને ટકાઉ વિશ્વ પરિણમશે. વ્યાપાર- ઉદ્યોગની ભૂમિકા, આપણાં કુદરતી સંસાધનોની મર્યાદામાં, લોકો સાથે ઉચિતપણે પેશ આવી, વ્યક્તિની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂરી કરે તે રીતે ઉત્પાદનો અને સેવાઓ પેદા કરવાની અને પહોંચાડવાની, તેમ જ બજારનાં અને નીતિવિષયક માળખાંને ટકાઉ ભવિષ્ય ઘડવા પ્રેરવાની છે.
મેસૅચ્યુસૅટ્સ યુનિવર્સિટીનું Lowell Centre for Sustainable Production, તેમના પ્રકલ્પો અને સહયોગીઓ દ્વારા પર્યાવરણવાદ તેમ જ વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીની નવી વ્યાખ્યા ઘડવાના લાંબા ગાળાના પડકારોને ઝીલવાની સાથે સાથે આ પરિકલ્પનાઓ, ઉત્પાદન અને વપરાશની નવી પધ્ધતિઓ કારીગરો માટે સ્વાસ્થ્યપ્રદ, પર્યાવરણની દ્રષ્ટિએ સક્ષમ, આર્થિક રીતે પોષણક્ષમ અને સામાજીક પણે જવાબદાર રહી શકે છે તેમ પણ કરી બતાવે છે.
હવે આપણે ગુણવત્તાનાં તકનીકી પાસાંઓ તરફ ફરીશું.
October 2013 issue of IRCA’નાં ઑક્ટોબર ૨૦૧૩ના INformના અંકમાંજાપાનમાં તાજેતરમાં ભરાયેલાં અધિવેશન દરમ્યાનISO 9001 માનકનાં નવાં સંસ્કરણ વિશે સાવ અણકલ્પ્યા અભિગમને રજૂ કરતાં વ્યક્તવ્યો છે અને માનકો વિશેનાં આપણાં જ્ઞાનની પરીક્ષા કરતી અનન્ય કસોટી જોવા મળશે.
તેના તકનીકી વિભાગમાં રિચર્ડ ગ્રીન ભવિષ્યનાં સંચાલન તંત્ર માનકો માટે સંક્રાંતિ પ્રશિક્ષણ માટેના સર્વસામાન્ય અભિગમને રજૂ કરે છે.
આંતરીક ઑડીટને ગુણવત્તા સુધારનાં સમૃદ્ધ સાધન તરીકે વિકસાવવાના વિષય પર ગૉટ્ટ્ફ્રીડ ગીરીત્ઝર તેમનાં Quality Digestપરનાં નિયમિત કૉલમમાં આંતરીક ઑડીટને કાર્યદક્ષતા સુધારણા સાધન તરીકે વાપરવાની ભલામણ કરે છે. વિધિપૂરઃસર પ્રશિક્ષિત 'આંતરીક ઑડીટર' બીજાંઓને સહ-ઑડીટર તરીકે પ્રશિક્ષિત કરે છે. તેમના માટે આંતરીક ઑડીટર તરીકે પ્રશિક્ષણ અને અનુભવ મેળવતાં રહેવું જરૂરી બની રહે છે. આંતરીક ઑડીટ થાય તે પહેલાં, સંચાલન તંત્રનાં માનકોના, પોતાના વિભાગને લાગુ પડતા. નિયમોનો તેમણે અભ્યાસ કરતાં રહેવું જોઈએ.
ISO 9001માં એવી ૫૧ વસ્તુઓ શોધી છે જે ગ્રાહકના સંતોષના નિયમન માટે હોવી જોઇએ કે અમલ કરાયેલી હોવી જોઇએ. આ પૈકી ૩૪ (૬૬%) તો પ્રક્રિયાઓ કે કાર્યપદ્ધતિઓ છે. કેટલાક કિસ્સાઓમાં ગુણવત્તાનાં આયામો બહુ જ સ્પષ્ટપણે દેખાઇ આવે છે, જેમ કે પ્રતિબદ્ધતા / commitment (5.1),ગ્રાહક કેન્દ્રીતા / customer focus (5.2)કાર્યક્ષમતા /competence, જાગરૂકતા /awareness (6.2.2),અનુરેખણીયતા / traceability (7.5.3)અને સાતત્ય / continuity (8.5.1). તે ઉપરાંત નિયમન /control(૬), આલેખન અને વિકાસ / design and development (૬), ગુણવત્તા /quality (૩) અને સમીક્ષા / review (૩) જેવા ચાવીરૂપ શબ્દપ્રયોગો પણ આ સંદર્ભમાં વપરાયા છે.
ISO 9001ના અમલીકરણમાં સહુથી વધારે ટાળવી જોઇએ તેવી ભૂલો / The Most Common Mistakes with ISO 9001 to Avoid, ISO 9001ના આલેખન અને અમલીકરણને બહુ જ પાયાની બાબતો વડે ફરીથી ચકાસી જાય છે. એ રીતે ગુણવત્તા સંચાલન તંત્રને સંસ્થાનાં સમગ્ર વ્યૂહાત્મક પરીપ્રેક્ષ્યમાં લાવી શકાય છે.
"EPCI પ્રકલ્પમાં સતત સુધારણા માટે THE PDCA CYCLEનો ઉપયોગ"/ APPLY THE PDCA CYCLE FOR CONTINUOUS IMPROVEMENT ON EPCI PROJECTમાં આલેખીય ચિત્રણની મદદથી પ્રકલ્પ સંચાલનનાં ક્ષેત્રમાં સતત સુધારણાને લાગુ કરવાના વિચારને સમજાવાયો છે.
The No Crisis Blogપર Jørgen Winther તેમના લેખ – ક્યાં સુધી સતત? PDCA ઘટનાક્રમ”/ How Long is “Continuous”? – On PDCAને સાંસ્કૃતિક ટેવના તેના ઉચિત પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. તેમનુ કહેવું છે કે સતત સુધારણાને પરાણે કરવી પડતી એક પરિયોજનાની દૃષ્ટિએ જોવાને બદલે દરરોજ કરવાની એક સ્વાભાવિક પ્રવૃત્તિ તરીકે જોવી જોઇએ.
અને હવે ફરીથી આપણે ગુણવત્તા પર વિહંગાલોકન કક્ષાના લેખો તરફ નજર કરીએ.
ગ્રેગ ગુડવીને ગુણવત્તા સંચાલન તંત્રની સંસ્કૃતિનાં ઘડતર સમયે જેના જવાબ આપવા જોઇએ એવા ત્રણ પ્રશ્નો રજૂ કર્યા છે, કારણકે કામગીરીની ઉત્કૃષ્ટતાનો ઉદાહરણીય ઢાચો બેસાડવા અને સંસ્થાનાં ચાવીરૂપ લોકો, પ્રક્રિયાઓ અને ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ થઇ શકે તે માટે સમગ્ર સંસ્થાના સહિયારા પ્રયાસની જરૂર રહે છે.
એ ત્રણ સવાલો છે:
૧. સંસ્થામાં ગુણવતા નેતૃત્વ વિકસાવાઇ રહ્યું છે ખરું?
ઉત્તમ ગુણવત્તા સંચાલન કરતા રહેવા, અને નવીનીકરણ તેમ જ સતત સુધારણાનું વા્તાવરણ  બનાવ્યે રાખવા, માટે કૉર્પોરેટ કક્ષાનું માળખું હોવું જરૂરી છે, અને તે સાથે સ્થાનીય કક્ષાના અગ્રણીઓ પોતાના નિર્ણયો લઇ શકે તેટલી મોકળાશ પણ રાખવી જોઇએ.
૨. કોર્પોરેટ અને સ્થાનીય ગુણવત્તા સંચાલનનો યોગ્ય ગુણોત્તર શું હોવો જોઇએ?
સહુથી વધારે અસરકારક માર્ગ તો બંનેની વચ્ચેનો માર્ગ જ છે. સંસ્થાનાં ધ્યેયની પૂર્તિ સાથે જોડાયેલ હોય તેવી પ્રક્રિયાઓનાં પ્રમાણિત ધોરણ સ્થાપિત કરવાં જોઇએ. સતત સુધારણા અને સ્થાનીય નિયમનને ઉચિત કક્ષાએ લાગુ કરવાની દૃષ્ટિએ છોડી મૂકવાં જોઇએ. આમ , સમગ્ર કક્ષાની અસરકારકતાને મહત્તમ સ્તર સુધી લઇ જવાનું શક્ય બની રહેશે.
૩. ગુણવતા સંસ્કૃતિનાં ઘડતરમાં ટેક્નોલોજીનો શું ફાળો હોઇ શકે છે?
ટેક્નોલોજીની મદદથી ચડિયાતી કક્ષાનું આંકડાઓનું એકત્રીકરણ અને તેનાં વિશ્લેષણને સ્થાપિત કર્યા પછીથી પ્રત્યાયનમાં સુધારા થતા રહે અને ગુણવત્તાની આસપાસ સહકાર બની રહે તે પ્રકારનાં સંકલિત નિરાકરણો માટે ટેક્નોલોજી મહત્વનો ફાળો આપી શકે.
કૉટ્ટર ઇન્ટરનેશનલના શૌન સ્પીઅરમનને લ્યુવીસ કૅરૉલનું આ કથન બહુ જ પસંદ છે - ક્યાં જવું છે તે જો ખબર ન હોય, તો કોઇ પણ રસ્તો ત્યાં પહોચાડી દેશે. Your Company Vision: If It's Complicated, It Shouldn't Be, એ લેખમાં તો આગળ વધીને જણાવે છે કે દૂરંદેશીપણું આગળના માર્ગને સ્પષ્ટ કરવા માટે છે. અસરકારક દૂરંદેશીપણું સંસ્થાને ઝડપથી અને ચોકસાઇથી આગળ વધવામાં મદદરૂપ થાય તેવી અજવાળી લાક્ષણિકતા ધરાવે છે. સાદી ભાષામાં કહીએ તો તે જરા પણ જટિલ નથી.
Cultural Offeringપર કુર્ત જે. હાર્ડન તેમના લેખ, They don't care about you,માં કાર્યસ્થળ પર કર્મચારીઓને શીખવાડાતાં સહુથી મુશ્કેલ સેવાઓ અંગેના સિધ્ધાંતની  વાત કરે છે - તેઓને તમારી જરા પણ તમા નથી.
જો કે આમ હોવું એ સમાજમાટે કોઇ દુઃખદ વિવરણ નથી, તે તો સીધોસાદો વાણિજ્યક હિસાબ છે. આ તો મૂળભૂત માનસીકતા છે, જે માન્યામાં ન આવે તેટલી હદે મુક્તિ પ્રદાન કરનાર પરવડી શકે છે. આ સમજણથી સજ્જ થી, જો તેનો અમલ કરવામાં આવે તો, આપણી સમસ્યાઓ ઘટી શકે તેમ છે, આપણું ભારણ તો એથી પણ વધારે ઘટી શકે તેમ છે, કારણકે હવે આપણે આપણી સેવાઓ પ્રત્યે વધારે એકાગ્ર બની રહેશું. 
જો આ પાઠ શીખી લેવાય તો સફળતાના દરવાજા ખુલી જઈ શકે છે.
ફૉર્બ્સ પર Caroline Ceniza-Levine, તેમના લેખ, What Is The Better Metric: Feelings Or Numbers?.,માં ઍલ્બર્ટ આઈનસ્ટાઇનનાં આ કથનને ટાંકે છે - બધી મહત્વની બાબતોનો હિસાબ નથી હોતો, અને જે બધાંનો હિસાબ હોય છે તે તમામ મહત્વનાં નથી હોતાં. અને પછી ઉમેરે છે કે આઇનસ્ટાઈન સાવ સાચા છે. દરેક બાબત માટે કોઇ એક કોષ્ટક લાગુ ન પડી શકે. એ માટે તો આંકડાઓની ચોપાટ માંડવી પડે અને બાજી સમજવી પડે. બધી જ વાતને આંકડાઓમાં ઢાળી પણ નથી શકાતી, ન ઢાળી શકાવી જોઇએ.
વિશ્વ ગુણવત્તા માસ, ૨૦૧૩,માટેના સુઝાવો : નવેમ્બર ૨૦૧૩માં ચોથો વિશ્વ ગુણવતા માસ ઉજવાઈ રહ્યો છે. એ સમયે તેની વિશ્વ, અને જેમનાં જ્ઞાન, અનુભવ અને જોમને કારણે, જે કોઇ માંગે તેને સારી ગુણવત્તા ઉપલબ્ધ થઈ  રહી છે તેવા ગુણવત્તા વ્યાવસાયિકો, પરના પ્રભાવની સમીક્ષા કરાશે. આ કાર્યક્રમ વિષે વધારે માહિતી મેળવવા  www.worldqualitymonth.orgની મુલાકાત જરૂરથી લેજો.
આઇસોર 9001 અને અન્ય હાસ્ય દસ્તાવેજો - ગુણવતા એ ઘણો કઠોર વ્ય્વસાય છે એમ સ્વીકારીએ, તો કોઇ કોઇ વાર તેને લગતા તણાવમાંથી છૂટકારો પણ મળવો જોઇએ. ઑકસબ્રીજનાં વિના મૂલ્ય હાસ્ય દસ્તાવેજો આવે સમયે બહુ કામ આવી શકે છે.
EYESORE 9001 સહુથી પહેલી વાર ૨૦૦૪માં પ્રકાશીત થયેલ. તે પછીથી તે ૨૫૦,૦૦૦થી પણ વધારે વાર ડાઉનલૉડ કરી ચૂકાયેલ છે. તે બહુ જ પ્રસન્નચિતકારક છે અને માત્ર ISO 9001 માનક જ પર નહીં પણ તેને ઘડનારાં મશીન પર પણ તેમાં વેધક કટાક્ષ કરવામાં આવેલ છે. ISO 9001:2008 માટે સંવર્ધિત કરાયા પછી પણ તે અહીંથી વિના મૂલ્ય ડાઉનલૉડ કરી શકાય છે.
DUMBAS9100, તે જ રીતે, અવકાશ ઉદ્યોગનાં માનક AS9100ની વક્રોક્તિને સહારે, ઉડ્ડયન, અવકાશ અને સુરક્ષા ઉદ્યોગોને ઠેબે ચડાવે છે. તેમાં વપરાયેલી ભાષા થોડી પુખ્ત વયની હોઇ,પ્રબુદ્ધ વાંચકો તેને અહીથી ડાઉનલૉડ કરી શકશે.
હવે આપણે ASQ Videosની નિયમિત મુલાકાત લઈએ. સહુ પહેલાં 2013 World Quality Month,  અને તેની સાથે "World Quality Month" શબ્દ વાળા વીડીયો જોઈશું
 ASQ TV Episode 10: Teamwork : કોઇ પણ ટીમ સફળતાપૂર્વક શી રીતે કામ કરી શકે, પ્તાનાં ધ્યેય સિદ્ધ કરી શકે અને પરિણામો હાંસિલ કરી શકે તે અહીં જોઇ શકાય છે.
આ સંસ્કરણમાં આપણે  ASQ's Influential Voicesના જોહ્‍ન ઝ્રીમિયાકની મુલાકાત કરીશું.
 “ડેનીયલ જોહ્‍ન ઝ્રીમીયાક સરે, બ્રીટીશ કોલંબીયા, કેનેડાના રહેવાસી છે. છેલ્લે એકસેનચ્યરમાં એકત્રીકરણ અગ્રણી તરીકે કાર્યરત એવા ઝ્રીમીયાક બે દાયકાથી વધારે સમયથી ગુણવતા ક્ષેત્રે સક્રિય છે. ASQમાં તેઓ ક્વૉલિટી પ્રેસના લેખક અને સમીક્ષક, ફીનાન્સ અને ગવર્નન્સ - ક્વૉલિટી મૅનેજેમૅન્ટ ડીવીઝન - ટેક્નીકલ સમિતિના અગ્રણી સભ્ય છે. તેઓ AQualitEvolution બ્લૉગ પર પણ સક્રિય છે.
ગુણવત્તાના સંદર્ભમાં મને જેટલા સવાલ થાય છે તેટલા જ જવાબ પણ મળી રહે છે. એ વિનિમય દ્વારા હું સમાનાર્થી વિચારધારાવાળાં લોકોનો સમુદાયની રચના કરી આપણા વ્યવસાયની પ્રસ્તુતિ પ્રસ્થાપિત કરવા અને ટકાવી રાખવા, તેમ જ આપણા આદર્શોની ખોજ કરતાં કરતાં મોટી ખોજની શોધનાં સ્વરૂપે સેવા કરવા માગું છું."
૨૧મી સદીમાંના ગુણવતા વ્યવસાયના વિકાસમાં ભાગીદાર તરીકેના અનુભવો અભિપ્રાયોને વાચા આપવાનો A QualitEvolutionનો આશય છે. કૉર્પોરેટ ઔદ્યોગીકી આંકડાશાસ્ત્રી તરીકેની શરૂઆતથી માંડીને આજે આપણો વ્યવસાય આધુનિક અસ્તિતવની માંગ અને અપેક્ષાઓને આવરીને અનુકુલન સુધીની કક્ષાએ પહોંચી ચૂકેલ છે.
A QualitEvolution નાં કાર્યક્ષેત્રમાં ગુણવત્તા, વ્યાપાર પરિવર્તન, સંચાલન વિજ્ઞાન અને એવી બધી બાબતોને દૂર દૂર સુધી આવરી લીધેલ છે..
હંમેશની જેમ આ સંસ્કરણની સમાપ્તિ, જોહ્‍ન હંટરના Management Improvement Carnival # 201ની મુલાકાતથી કરીશું.
આ બ્લૉગોત્સવ દરેક સંસ્કરણમાં ગુણવતા વિષયનાં બધાં જ પાસાંને ન્યાય કરી ન શકે તે તો સ્વાભાવિક ગણી શકાય. અને તેથી જ તેને વધારે સમૃધ્ધ અને પ્રસ્તુત કરવા માટે આપનાં સુચનો અને ટીપ્પણીઓ આવકાર્ય છે............

Sunday, November 17, 2013

નિવૃત્ત થવાની કળા - હરેશ ધોળકિયા

લોકો "કેમ (નિવૃત્ત) થયા?" એ સવાલ પૂછે, નહીં કે "ક્યારે (નિવૃત્ત) થશો?"

શ્રી હરેશ ધોળકિયાએ સચીન તેંદુલકરની ક્રિકેટનાં મેદાન પરની નિવૃત્તિ પર કરેલો લેખ - નિવૃત થવાની કળા - આ બને પ્રશ્નોનાં સંતુલનની વાત કહે છે.

Monday, November 11, 2013

જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી. . . . ! – હરેશ ધોળકિયા

[‘વિચારોની રખડપટ્ટી’ પુસ્તકમાંથી સાભાર.]

આ બ્રહ્માંડમાં સૌથી વધારે રહસ્યમય શું હોઈ શકે ? આમ તો બ્રહ્માંડ પોતે જ રહસ્યમય છે. તેનો કણેકણ રહસ્યમય છે. વળી તે શાશ્વત છે, પણ માનવમન અને દૃષ્ટિ મર્યાદિત છે, તેથી તેને તેણે સમયના ટુકડાઓમાં વહેંચી નાખેલ છે, જેને તે ભૂતકાળ અને વર્તમાનકાળ કહે છે અને આ ભૂત અને વર્તમાન પણ રહસ્યમય જ છે. ભૂતકાળ તરફ નજર જાય, તો ‘આમ કેમ બન્યું હતું ?’ તેનો ખ્યાલ આવતો નથી. તે વખતે એમ લાગ્યું હતું કે તે મારો નિર્ણય હતો, પણ આજે દૂરથી તે ઘટના તરફ નજર જાય તો લાગે છે કે એ નિર્ણય કેમ લઈ શકાયો તેનો ખ્યાલ તે વખતે નહોતો આવ્યો. બસ, નિર્ણય લેવાઈ ગયો ! નિર્ણય-ઘટના-પરિણામ બધાં જ તટસ્થતાથી જોતાં રહસ્યમય જ લાગે છે: વર્તમાન પણ એટલો ઝડપથી વહે છે, વીતે છે કે તેને સમજવાનો પ્રયાસ કરાય, તે પહેલાં તો તે ભૂતકાળની પળ બની જાય છે. એટલે તે પણ રહસ્યમય જ રહે છે. તો બ્રહ્માંડમાંની પૃથ્વી પરનું સમગ્ર અસ્તિત્વ પણ રહસ્યમય જ છે. લાખો-કરોડો જીવો કેમ જન્મે છે, શા માટે જન્મે છે, કેમ જીવે છે, એવું જ શા માટે જીવે છે, મૃત્યુ શા માટે પામે છે, મૃત્યુ એટલે શું-આ બધું જાણવાનો પ્રયાસ કરવા છતાં છેવટે તો રહસ્યમય જ રહે છે. માહિતી મળે છે તેની, પણ તેનું તત્વ તો નથી જ જાણી શકાતું. અબજો લોકોને જોઈએ, જાણીએ છીએ, ત્યારે પણ તેમાં આ જ ઘટનાનો અનુભવ થાય છે : રહસ્યનો જ !

અને નજીક આવતાં છેવટે પોતા પર નજર પડે છે. પોતાના ઉદ્ભવથી વર્તમાન સુધી જે રીતે જિવાયું, તેને તારીખવાર ગોઠવીએ, તો નોંધી શકાય છે, પણ તે બનાવો કેમ બન્યા, એવા જ કેમ બન્યા, બીજી રીતે બન્યા હોત તો શું થાત – આ બધા મુદ્દાઓ નથી સમજાતા. તેનાં ભૌતિક કારણો જોવા મળે છે, પણ તેનાં મૂળિયાં નથી મળતાં. ખૂબ વિચાર્યા પછી પણ હાથ તો ખાલી જ રહે છે. ન સમજાયાની અકળામણ રહે છે, તો-સમાંતરે-રહસ્ય બાબતે જિજ્ઞાસા જીવંત રહે છે. એટલે કહી શકાય કે જીવન પણ રહસ્ય જ છે. જન્મની પળથી મૃત્યુની ક્ષણ સુધી મનુષ્ય યાત્રા કરે છે. ફૂલ ઊઘડતું જાય છે, ખીલે છે અને છેવટે કરમાય છે. તે જ રીતે મનુષ્ય બાળપણમાં ઊઘડે છે. યુવાનીમાં ખીલે છે અને છેલ્લે વૃદ્ધત્વમાં કરમાઈને નિ:શેષ થઈ જાય છે. તેની યાત્રા ગર્ભમાં શરૂ થાય છે અને તે ફરી અંતે શૂન્યમાં ભળી જાય છે. ગર્ભના અંધકારમાંથી વ્યક્તિ પ્રગટે છે અને ફરી ભૂગર્ભના અંધકારમાં સમાઈ જાય છે. એક ચક્ર પૂરું થાય છે. ભલે તે સિત્તેર-એંસી વર્ષ રહે, પણ અનંત અસ્તિત્વમાં તો એક ખરતા તારા જેટલું જ મૂલ્ય ધરાવે છે. અને છતાં આ જીવનને ‘યાત્રા’નું ઉપનામ અપાયું છે. ‘યાત્રા’ એટલે ચોક્કસ હેતુ સાથે કરાતો પ્રવાસ. પણ પ્રવાસ અને યાત્રામાં પાયાનો તફાવત છે. પ્રવાસ એક બાહ્ય દર્શન છે, તે મનોરંજન માટે છે. જ્યારે યાત્રા તો પવિત્ર થવા માટે છે. યાત્રાથી ચિત્ત ઊર્ધ્વ બને છે. યાત્રા કૃતાર્થ થવા માટે છે. તેમાં પણ મનોરંજન તો છે જ, બાહ્ય રીતે, પણ યાત્રાનો હેતુ મનોરંજનનો નથી હોતો. યાત્રા મનને શાંત કરવા માટે છે અને યાત્રા સફળ થાય, તો મનની પાર પણ જઈ શકાય છે.

આ સંદર્ભમાં જીવનને યાત્રા તરીકે જોઈએ તો જીવન શરીરથી માંડીને મનની પાર જવાની ઘટના છે અથવા બનવી જોઈએ. ગર્ભમાં ભલે શુદ્ધ શરીર જ ઉત્પન્ન થાય અને જન્મે, પણ આ શરીર જ્યારે ભૂગર્ભમાં પ્રવેશે, ત્યારે શરીરને અવશ્ય દટાય કે બળાય પણ લોકો ‘જેને’ દાટે છે તે વ્યક્તિ-વ્યક્તિત્વ શરીરાતીત થઈ ગયેલ હોય, તો જ તે યાત્રા બને. જો વ્યક્તિ શરીરમાં જ ઉત્પન્ન થાય, શરીરમય જ જીવે અને શરીર સાથે તેનું વ્યક્તિત્વ પણ દટાઈ જાય, તો તે યાત્રા નથી, કેવળ પ્રવાસ હતો. કદાચ ધક્કો પડ્યો હતો ! આ સમગ્ર સમયકાળ વ્યક્તિ કાઢતી રહી. અંગ્રેજીમાં તેને ‘to kill time’ કહે છે.’ યાત્રામાં તો વ્યક્તિ સભાન રીતે જીવે છે. ત્યારે જ તેને to use time કહી શકાય. સામાન્ય રીતે જીવન વ્યક્તિને નીચોવે છે. યાત્રામાં વ્યક્તિ જીવનને નીચોવી લે છે અને ધન્યતા અનુભવે છે. એટલે પ્રશ્ન છે – જીવનને યાત્રા બનાવવાનો ! જીવન યાત્રા કેમ બને ? જીવન આપોઆપ યાત્રા ન બને. તેને યાત્રા બનાવવી પડે. પ્રવાસને કે રખડપટ્ટીને યાત્રામાં પરિવર્તિત કરવાનું પાયાનું પરિબળ છે ‘જાગૃતિ.’ સભાનતા. માની લો કે ‘અ’ સ્થળે જવું છે. દાખલા તરીકે-હિમાલય. તો હિમાલય તો અદ્ભૂત સ્થળ છે. તેની પ્રકૃતિ, ત્યાંના ધાર્મિક સ્થળો દર્શનીય છે. બસ ! આ બધું જોવું અને પાછા વળી આવવું કે આ દૃશ્યો કેમેરામાં ક્લીક થઈ આલબમમાં ગોઠવાઈ જાય તો તે પ્રવાસ ! યાત્રામાં એવું ન ચાલે. યાત્રામાં પણ બાહ્ય દૃશ્યો તો દેખાય જ, પણ તે વ્યક્તિને એવી ગદગદ કરે કે તેની ભવ્યતા વ્યક્તિમાં પ્રવેશી તેને પણ ભવ્ય બનાવે. તેના જીવનમાં પણ ઊંચાઈ વધતી જાય. તેનું અસ્તિત્વ પણ ખળખળ વહેવા લાગે. તેના ચિતમાં પણ શ્રેષ્ઠત્વની ગંગોત્રી ફૂટે; જે સમય જતાં, પ્રતિભારૂપી હુગલીમાં ફેરવાઈ જાય. નાના આયુષ્યમાં પણ તે અનંતની યાત્રા કરી લે !

આ થઈ યાત્રા. યાત્રા બાહ્ય શરૂ થાય છે. ચિત્તમાં પૂર્ણ થાય છે. પ્રવાસ સપાટ-ઉપર કે નીચે હોઈ શકે છે, પણ યાત્રામાં તો દર પળે ઊર્ધ્વ જ થવાનું હોય. યાત્રાની શરૂઆત ભલે ગર્ભના અંધકારમાં થાય અને ભૂગર્ભના અંધકારમાં વિલીન થાય, પણ ગર્ભનો અંધકાર અનિવાર્ય હતો, વ્યક્તિ માટે, પણ ભૂગર્ભનો અંધકાર શરીર માટે ભલે અનિવાર્ય બને, પણ વ્યક્તિત્વ તો પ્રકાશમાં ભળી જાય ! ગર્ભ અને ભૂગર્ભના અનિવાર્ય અંધકાર વચ્ચે પ્રકાશમય થઈ જીવવું-જીવવાનો પ્રયાસ કરવો – તે જ યાત્રા. તે જ જીવનનો એક માત્ર હેતુ છે. તે કેમ શક્ય બને ? વ્યક્તિ મોટી થતી હોય તે દરમિયાન બહુ જ ઝડપથી તેણે પોતાનો પરિચય કરી લેવાનો પ્રયાસ કરવાનો છે. ‘હું કોણ’ની સજાગતા કેળવી લેવાની છે. આત્મપરિચય જ યાત્રાનું બીજ છે અને એમ ન માનવું કે આ ‘હું કોણ’ કોઈ ગહન આધ્યાત્મિક પ્રશ્ન છે. ના, તે સીધોસાદો અસ્તિત્વગત પ્રશ્ન છે. સીધી ચેતનાનો પરિચય કરવાની જરૂર નથી અને થશે પણ નહીં. અહીં ‘હું’ એટલે માનસિક અને બૌદ્ધિક વ્યક્તિત્વનો પરિચય, પોતાની શક્યતાઓનો પરિચય. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ વિશિષ્ટતા સાથે જન્મે છે. ભલે તેના બાહ્ય સંસ્કારો કે શિક્ષણ તેને સમાજને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરે, છતાં તે બધાં તેની વિશિષ્ટતાને દૂર કરી શકતાં નથી. તેબ તો ટકે જ છે, માટે જ બીકણ ગાંધી અભય ગાંધી બની શકે છે. દારૂડિયા લાલા મુનશીરામ સ્વામી શ્રદ્ધાનંદ બની શકે છે. પગ કપાવા છતાં સુધા ચન્દ્રન નૃત્યાંગના બની શકે છે કે અઠ્ઠાણુ ટકા શરીર લકવાગ્રસ્ત બનવા છતાં સ્ટીફન હોકિંગ શ્રેષ્ઠ વિજ્ઞાની બની શકે છે ! આમ કેમ બન્યું ? આ દરેકે ‘પોતાનો’ પરિચય મેળવી લીધો હતો. ‘હું એટલે આ’, અને મારે તે માટે જ જીવવાનું છે… ‘આ તેમની સાધના.’

યાત્રાનું પ્રથમ પગથિયું છે : સ્વનો, વિશિષ્ટતાનો પરિચય. પોતે કલાકાર છે, વિજ્ઞાની છે, સંત છે ? શું છે તે શક્યતાને ઓળખી લેવી. પોતાના વ્યક્તિત્વના નકશાનો પરિચય. નકશો હસ્તગત કરવો, પણ નકશો મેળવવાથી માત્ર તે સ્થળો છે તે જ ખ્યાલ આવે છે. તે જોઈ શકાતાં નથી. યાત્રા હકીકતે શરૂ કરાય, ત્યારે જ શરૂ થાય છે. ‘ચલના જીવનકી નિશાની.’ તેમ યાત્રા શરૂ કરવી તે જ મહત્વનું. એક વાર પોતાની વિશિષ્ટતા સમજાઈ કે તરત તેને કેળવવાનો પ્રયાસ શરૂ કરી દેવાનો છે. કલાકાર હોવાની સંભાવના દેખાય, તો કલાની સાધના શરૂ કરી દેવાની. વિજ્ઞાની હોવાની સંભાવના દેખાય, તો પ્રયોગ કરવાના શરૂ કરી દેવા. જાહેર જીવનમાં જવાની શક્યતા દેખાય, તો જાહેર પ્રવૃત્તિ આદરવાની શરૂઆત કરવી. જે હોય તે, પણ ‘શરૂ કરવું.’ સ્વસ્થ શરૂઆત યાત્રાની અર્ધી સફળતા છે : Well begun is half done. જેમ જેમ સાધના-રિયાઝ-મહાવરો વધતાં જશે, તેમ તેમ આ સંભાવના પ્રગટ થવા લાગશે. વ્યક્તિ સંગીતમાં ઊંડી ઊતરશે, તો તેની સમજ ઊંડી બનશે. પ્રયોગો કરશે, તો વિશ્વનું રહસ્ય પ્રગટ થવા લાગશે. હકીકતે વિશ્વનું રહસ્ય પ્રગટ નથી હોતું, પણ વ્યક્તિની સમજ એટલી ઊંડી અને વ્યાપક તથા ગ્રાહક બને છે કે રહસ્ય ‘સમજવામાં’ ઝડપ થાય છે. વિશ્વનું રહસ્ય તો ખુલ્લું જ છે. જરૂર છે સાધના દ્વારા મનને તેને સમજવા લાયક બનાવવાનું છે. આ ‘યાત્રા’ને સાધના અને સિદ્ધિનો તબક્કો માની શકાય.

જેમ જેમ યાત્રા વધતી જશે, માઈલ-પથ્થરો પાછળ જતા જશે, માઈલો વધતા જશે, તેમ તેમ વધુ ને વધુ સ્થળો જોવા મળશે. વધુ ને વધુ સૌંદર્યદર્શન થશે. તે જ રીતે વ્યક્તિત્વ-પ્રગટીકરણની યાત્રા પણ જેમ જેમ આગળ વધશે, પોતાના પસંદ કરેલ ક્ષેત્રમાં, તેમ તેમ તે ક્ષેત્રની વધુ ને વધુ વ્યાપકતાનો અનુભવ થતો જશે અને તેનું સૌંદર્ય પ્રગટ થતું જશે. કોઈ વિજ્ઞાની કલાકો એક ચિત્તે પ્રયોગો કરે કે કોઈ સંગીતકાર કલાકો ગાય કે ચિત્રકાર ચિત્ર દોરે, ત્યારે આ બધામાંથી સૌંદર્યનો ધોધ પ્રગટવા લાગે છે અને તેનાં વ્યક્તિત્વને ભીંજવી નાખે છે ! વ્યક્તિ આ સૌંદર્યમાં નાહીને એવી તલ્લીન બને છે કે પોતે જ સૌંદર્ય બની જાય છે : ચિત્રકાર પોતે જ ચિત્ર બની જાય છે. નૃત્યકાર પોતે જ નૃત્ય બની જાય છે. વક્તા પોતે જ વક્તવ્ય બની જય છે. પૂર્ણ અદ્વૈત રચાઈ જાય છે ! પછી પહોંચવાનું સ્થળ જ યાત્રાનો મુકામ નથી બનતો. દરેક પગલું જ યાત્રા બની જાય છે. દરેક પગલું જ ધાર્મિક સ્થાન બને છે. તે સ્થળનાં દર્શન થાય તે પહેલાં વ્યક્તિ પોતે જ સ્થળ બની ગઈ હોય છે. બાહ્ય સ્થળ તો એટલા માટે ગદગદ કરે છે, કારણ કે હજારો માઈલનું મંદિરત્વ કેવળ બહાર જુએ છે. આથી અવ્યક્ત મંદિરત્વની અનુભૂતિ વ્યક્ત મંદિરમાં પરિણમે છે. આને જ સમાધિ, મોક્ષ, રિવેલેશન, નિર્વાણ, કેવળત્વ, ડિલિવરંસ કહે છે. જે પળે વ્યક્તિમાં પોતામાં રહેલ અસ્તિત્વનું ઉદ્ઘાટન થઈ તેમાં રહેલ સૌંદર્યનો વિસ્ફોટ થાય છે, ત્યારે વ્યક્તિ શરીર-મન-બુદ્ધિથી પર થઈ કેવળ ‘હોય’ છે. આ ‘હોવા’ની અનુભૂતિ જ યાત્રાની પૂર્ણાહૂતિ છે. અહીં ગર્ભનો અંધકાર પૂર્ણ વિલીન થાય છે. તે પળે ગર્ભ પણ કૃતકૃત્યતા અનુભવે છે કે ભલે તેને ધારણ કર્યો ! અને આશ્ચર્ય થાય પણ ભૂગર્ભ પણ હરખાય છે કે ‘અહો, વર્ષો પછી મારામાં પ્રકાશ અવતરશે !’ તે પણ તેને આવકારવા તૈયાર થઈ જાય છે.

ગર્ભમાંથી કૃત્કૃત્યતાની યાત્રા શરૂ થાય. ભૂગર્ભમાં તે સમાઈ જાય. બન્ને પ્રકાશમય થઈ જાય. આને જ મીરાંબાઈ ‘રામ રતન ધન પાયો’ કહે છે. યાત્રામાંથી શું ખરીદી કરાય ? ના, ખરીદવાનું ન હોય, તે મળે જ. મંદિરમાંથી પ્રસાદ મળે તેમ ! પણ કેવું ‘રામ રતન ધન ?’ તેનો સાદો અર્થ છે : ‘આનંદ-કૃત્કૃત્યતા.’ અને આ આનંદ કેવો હોય ? મીરાં કહે છે…. ;ખરચે ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો.’ ન તે ઘટે. ન તે ચોરાય. પણ પળે પળે વધે. એટલે જ જીવનનાં છેલ્લા તબક્કાને ‘વૃદ્ધત્વ’ કહે છે. વધે તે વૃદ્ધ. અને તે કેવળ યાત્રાળુ હોય તો જ બની શકે. હેતુવિહીન જીવનના અંતભાગને તો ‘ઘરડાપણું’ કહે છે. ઘટે તે ઘરડો ! ગર્ભ અને ભૂગર્ભમાં તો લાચારી છે. તે બન્ને ફરજિયાત છે. તેના પર વ્યક્તિનું નિયંત્રણ નથી. પણ તે વચ્ચેનો સમય તેનો છે. તેના કાબૂમાં છે. તેને તે રખડવામાં પસાર કરી શકે છે કે યાત્રામાં પણ પલટાવી શકે છે. તે તેની પસંદગી છે. ગર્ભ-ભૂગર્ભ નિયતિ છે. જીવનયાત્રા પુરુષાર્થ છે. પુરુષાર્થ કરી શકાય છે. …જો પુરુષાર્થ ન બને, તો ભૂગર્ભ કેવળ અંધકારમય જગત છે. ચિતા કેવળ ભસ્મીભૂત કરનાર ઘટના છે. સોક્રેટીસને છેલ્લે પૂછવામાં આવ્યું કે તેને ક્યાં દાટવા ? તેણે હસીને જવાબ આપેલ કે, ‘મને તમે દાટી શકશો ખરા ?’ આ યાત્રાળુનો જવાબ છે. તો આ છે, થઈ શકે છે : ગર્ભથી ભૂગર્ભની યાત્રા !



સૌજન્યઃ ReadGujarati.com: જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી. . . . ! – હરેશ ધોળકિયા

Thursday, October 31, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૦ /૨૦૧૩


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, '૧૦ / ૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

 આપણે ૯_૨૦૧૩નાં સંસ્કરણમાં આશા ભોસલેના જન્મ દિવસને સાંકળતા લેખ / પૉસ્ટ માણ્યાં હતાં. ૨૮મી સપ્ટેમ્બરના રોજ લતા મંગેશકરનો ૮૪મો જન્મ દિવસ હતો. એટલે આજનાં આ સંસ્કરણની શરૂઆત આપણે આ પ્રસંગના સંદર્ભમાં લખાયેલ પૉસ્ટ અને લેખોથી કરીશું.

 Songs Of Yore પરની સચીન દેવ બર્મનની ગાયકો સાથેનાં સંયોજનની શ્રેણીમાં Lata Mangeshkar’s best songs by SD Burman વણી લેવામાં આવેલ છે.

 Dances On Foot Path, ૧૯૫૦ના દાયકાના લતા મંગેશકરના ફૉટૉગ્રાફ્સ અને, તેમની તે સમયની ગાયકીની અદાને રજૂ કરતાં 'તીન બત્તી ચાર રસ્તા'નાં ગીતને Happy Birthday, Lataમાં આવરી લે છે.

 Coolone160 એમની આગવી પસંદગીનાં ગીતો વડે Lata Mangeshkar-The Queen of Melodyનાં બિરૂદને તરાશે છે.

તો Conversations Over Chaiની પૉસ્ટ, My Favourites: Manna Dey-Lata Mangeshkar Duets, તો અનાગતની અનાયાસ આલબેલ પોકારતી હોય તેમ જણાયું. મન્ના ડે પણ ૨૪મી ઑક્ટૉબરે "तारोंमे देखेगी तू एक हसता हुआ.... सितारा" બની ગયા. તેમના અવાજની મોહિની તો આવતી ઘણી પેઢીઓને મંત્રમુગ્ધ કરતી જ રહેશે, તે તેમનાં ગાયક તરીકેનાં અનેરાં સ્થાનમાટેની સહુથી ઉચિત અંજલિ બની રહેશે.

 લતા મંગેશકર પરની આ પૉસ્ટ ઉપરાંત અન્ય કેટલાક વીડિયો પણ આપણે આજનાં આ સંસ્કરણમાં આવરી લઇએ.

 SaReGaMaની Lata Mangeshkar - A Musical Journey (Biography) આ પ્રમાણે છ ટુકડાઓ Segment 1 ǁ Segment 2 ǁ Segment 3 ǁ Segment 4 ǁ Segment 5 ǁ Segment 6 માં જોઇ શકાય છે.

આ પ્રસંગે ધ્વનિમુદ્રીત થયેલી કેટલીક મુલાકાતોને રજૂ કરી છે :
Khayyam Saab Talks About Lata Ji - A Musical Journey Of Lata Mangeshkar - The Nightingale Of India ǁ  Music Director Pyarelal Ji shares his experience working with Lata Ji.ǁ Veteran actress Waheeda Rehman talks about Lata Ji's Versatile/Legendary voice

lehrentv એ પણ એક કાર્યક્રમ Lata Mangeshkar On Her Musical Journey રજૂ કર્યો હતો.

 આ ઉપરાંત લતા મંગેશકરનાં અન્ય કેટલાંક પાદચિહ્નોની પણ નોંધ લઈએ....

Lata Ji Full Biography Video ǁ Hits Of Lata Mangeshkar Songs ǁ Lata Mangeshkar Sings for Ghalib

તેમના ફિલ્મ સમીક્ષાના નિયમિત લેખોમાં અશોક દવેએ "અભિમાન"ની સમીક્ષા દરમ્યાન લતા મંગેશકરના '૭૦ના દાયકાનાં સુમધુર એવાં બે ગીતો - નદિયા કિનારે ગીર આયી કંગના અને અબ તો હૈ તુમસે હર ખુશી અપની એવાં બે બહુ જ અલગ ભાવનાં ગીતો ને યાદ કર્યં છે.

ઑકટૉબરમાં કિશોર કુમારની પણ પુણ્યતિથિ હતી. તેમને યાદ કરતી બે જૂદી પેઢીની વાત કરવાનો અનેરો મોકો આજે મળેલ છે.

 મૌલિકા દેરાસરી, તેમના બ્લૉગ "મનરંગી" પર, કોઈ રોકો ના… દિવાને કો…! માં કિશોર કુમારનાં ગીતોના અલગ અલગ મૂડ અને તેની સાથે જોડાયેલ તેમના પોતાનાં પ્રસંગો ની યાદ તાજી કરી છે., તેની જ સાથે તેમની પોતાની પસંદ વડે સંકળાયેલાં કિશોર કુમારનાં અન્ય ગીતોને, કિશોર કુમાર જેવી જ, પોતાની રમતિયાળ છતાં અર્થસભર, આગવી, શૈલીમાં રજૂ કરે છે.

 તો, Songs of Yore સચીન દેવ બર્મનની ગાયકોના સંદર્ભની શ્રેણીમાં સચીન'દા અને કિશોર કુમારનાં એક અનોખાં બંધનને, Kishore Kumar’s best songs by SD Burman દ્વારા પ્રતુત કરે છે.

આ ઉપરાંત આપણે અન્ય ત્રણ લેખો - Dances On Footpathના Happy Birthday, Noor Jehan! અને RIP, Zubaida Khanum - તેમ જ Coolone160ના Hema Malini-The Dream girl of Indian Cinemaને પણ અહીં ગ્રંથસ્થ કરીશું.

 ABP Newsએ આપણે જેમને શૈલેન્દ્ર તરીકે ઓળખીએ છીએ તેવા શંકર દાસ કેસરીલાલની ફિલ્મજીવનની કહાણીને "ચૌથી કસમ"ના ત્રણ વૃતાંત - Part I ǁ Part II and Part III -માં વણી લેધેલ છે.

 SoYની કિશોર કુમાર પરની પૉસ્ટની ચર્ચામાંથી, Canasya હિંદી ફિલ્મ સંગીત સાથે બહુ જ મજબૂત બંધન બંધાયેલાં એવાં માધ્યમ - રેડીયો- ની મુલાકાત આપણને કરાવડાવે છે - એ સમયના સંગીત પરના કાર્યક્રમોના એક બહુ જ લોકપ્રિય એનાઉંસર - અમીન સાયાની- ની સાથે સંકળાયેલા કેટલાક સંદર્ભોથી. અને તેની સાથે સાથે આપણને એટલા જ જાણીતા એવા રેડિયો સિલોનના ગોપાલ શર્માના બે વાર્તાલાપ - Tribute to Shankerji by Gopal Sharma - the renowned radio announcer and one time Head of the Hindi Department of Radio Ceylon અને Remembering Jaikishan - A radio tribute by Gopal Sharma : Part I and Part II- પણ મળી આવ્યા છે.

અને રેડિયો સિલોનની યાદ તો હિંદી ફિલ્મના સુવર્ણકાળ સાથે એક્સૂત્ર થયેલી જ હોય તેમાં તો કોઇ બે મત જ ન હોઇ શકે . Ashwani Kumar's Jara Hat Ke Songs આપણને નૅટ જગત પર ફરીથી રેડીયો સિલોન આપણી સમક્ષ લઇ આવેલ છે. તેમણે યુટ્યુબ પર eraksoldies તેમ જ ડેઇલીમૉશન પર એ જ નામથી ખાસ ચૅનલો બનાવી છે જ્યાં પણ રેડિયો સિલોનના હિંદી ફિલ્મ સંગીતને લગતા કાર્યક્રમો તેઓ મૂકતા રહે છે. પણ બનાવી છે.

 રેડિયો અને ફિલ્મ સંગીતના વિષયની વાત કરીએ છીએ, તો Dances On Footpathના A Singer on the Radio (Seven Favorites) લેખને પણ માણવો જ જોઇએ. અહીં માત્ર "રેડિયો પર ગવાઇ રહેલાં ગીતોની જ વાત નથી,પણ એવાં સાત ગીતો રજૂ થયાં છે તેમાં ખાસ કરીને કોઇ એક પાત્ર રેડિયો પર ગીત ગાઇ રહ્યું હોય, એવાં ગીતો સાંભળવા મળશે. ગાયકની સાથે વાદ્ય વૃંદ પણ સાથે હોય (કે ન પણ હોય). અહીં એવું યુગલ ગીત પણ છે જેમાં કોઇ એક પાત્ર રેડિયો પર ગાઇ રહ્યું હોય અને બીજું પાત્ર તેને બહારથી "સાથ(!)" આપી રહ્યું હોય એવો પણ દાખલો આવરી લેવાયો છે.

હવે આપણે જેમની નિયમિતપણે મુલાકાત લેતાં રહ્યાં છીએ એવા બ્લોગ્સ તરફ આપણી નજર કરીશું.

The Pink Bee પર Ava Suriપ્રદીપ કુમાર વડે અભિનય કરાયાં હોય એવાં ગીતો રજૂ કર્યાં છે. અહીં પસંદ કરાયેલાં ગીતો વિષય અને મુડનાં વૈવિધ્યને કારણે સાંભળવાની ઑર લીજ્જ્ત આપે છે.

Dusted Off ફરી એક વાર ‘વાહન પરનાં ગીતો' લઈ આવેલ છે. તેમણે આ પહેલાં કાર પર ગવાયેલાં ગીતો, ઘોડાગાડી પર ગવાયેલાં ગીતો અને ટ્રેનમાં ગવાયેલાં ગીતોની સફર તો કરાવી જ છે, એટલે આ વખતે Ten of my favourite boat songs દ્વારા પાણી પર સહેલગાહની મજા માણીએ.

બૉટની વાત ચાલી છે એટલે મને Songs of Yore પરનાં Songs of Naiya યાદ આવી ગયાં.

 તો વળી Conversations Over Chai, તેમના હૃદયભંગનાં ગીતો લેખ પરની ચર્ચામાં "પુરૂષોનાં હૃદય પણ તૂટતાં હોય છે" એવી વાતને લઈને My Favourites: Bewafaai Songs પર કૂદી પડેલ છે. જ્યારે દિલ તૂટે છે ત્યારે હિંદી ફિલ્મના નાયક જાહેરમાં તેની પ્રેમિકાને પોતાનાં દુંખડાં તો સંભળાવે તે તો ખૂબી છે જ, પણ સાથે બેવફાઈને પૂરજોશમાં ભાંડી પણ લે, અને તો પણ એ સમારંભમાં હાજર બંને પક્ષનાં નજદીકનાં સંબંધીઓ અને અન્ય આમંત્રિતો ( અને તેમની સાથે આપણે પણ) નાયક કે નાયિકાનાં દર્દની કહાણીને માણતાં હોય! બોલો, આવી (અનેક આયામી) મજા ભારતીય ફિલ્મ જગત સિવાય બીજે ક્યાંય મળે ખરી?

આપણે આ બ્લૉગોત્સવનાં દરેક સંસ્કરણમાં મોહમ્મદ રફીનાં ગીતની વાત તો કરતાં જ હોઇએ છીએ. એટલે આ વખતે આ વિષય પર એક બહું જ યાદગાર અને અનોખાં ગીતની, એક અનોખી વાતની, મજા માણવાનો મોકો તો ચૂકાય જ નહીં ને! સલીલ ચૌધરીએ મોહમ્મદ રફી પાસે, બંને માટે શ્રેષ્ઠ ગીતોની કક્ષામાં આવે તેવાં, ગીતો ગવડાવ્યાં છે. અશોક દવેએ, ફિલ્મોની તેમની નિયમિત સમીક્ષામાં, આ વખતે 'કાબુલીવાલા' પર પસંદ ઉતારી છે. 'હો સબા કહના મેરે દિલદારકો, દિલ તડપતા હૈ તેરે દિદાર કોનાં તેમણે દિલથી વખાણ કર્યાં છે. અને આટલું પૂરતું ન હોય, તેમ આ ગીતની યુટ્યુબ પરની એક ક્લિપમાં Rumahale ઉમેરે છે કે,"'૬૦ના દાયકાની શરૂઆતમાં, પેશાવરમાં આ ગીતની રેકર્ડના, કાળા બજારમાં, ૧૦૦ રૂપિયા બોલાતા હતા! અને હું વધારે અભિભૂત તો એ વાતથી છું કે આજે પણ હજૂ આ ગીત એટલું જ લોકપ્રિય છે."

દિવાળીનાં પર્વ આપ સહુને મંગળમય રહે અને નવું વર્ષ આપ સહુને મધુર સુખ અને સફળતાઓપૂર્ણ રહે તેવી શુભેચ્છાઓ સાથે , આ મહિનાનાં સંસ્કરણ વિષે આપના પ્રતિભાવોની અપેક્ષાઓ સાથે...... આવતે મહિને ફરીથી મળીશું..........

Wednesday, October 23, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - ઑક્ટોબર, ૨૦૧૩


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાંઑક્ટોબર, ૨૦૧૩સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ મહિનાનાં સંસ્કરણમાં આપણે વધારે વિવિધતાની નજરે ગુણવત્તાની વાત કરીશું. 


ઇવાન મૅથ્યુસ સૅન્ડર્સ The Better Man Project પર "એક સારા માનવ બનવાની અને તેમાંથી મળતા બોધપાઠની" સફર માંડી છે. આજે આપણે તેમણે રજૂ કરેલ The Finest Momentમાં ગુણવત્તાનો સંદેશ વાંચીશુઃ
 
આપણા ભૂતકાળમાંથી વર્તમાનમાં થઈને
ખાંખાંખોળાં કરતાં આપણો હાથ
જ્યારે ભવિષ્ય પર જઈ ચડે છે
તે આપણી શ્રેષ્ઠ ઘડી છે
પરંતુ તે સમયે આપણી
દીર્ઘદૃષ્ટિ સ્થિર થવી જોઈએ
બધાં દુન્યવી આકર્ષણોથી પર
આપણાં સુનિશ્ચિત ધ્યેય પર. 

TED Talksના SCIENCE વિભાગમાં, એક બીજા લેખમાં જેસ્સીકા ગ્રૉસ જીવશાસ્ત્રી સ્ટુઅર્ટ ફાયરસ્ટાઈનનાં વ્યક્તવ્ય "અજ્ઞાનની પ્રશંસા /In praise of ignorance”ને રજૂ કરે છે. સ્ટુઅર્ટ ફાયરસ્ટાઈનનું કહેવું છે કે વિજ્ઞાન આમ તો અજ્ઞાન સાથે ગાઢપણે સંકળાયેલું કહી શકાય. તેમનું કહેવું છે કે " આમ તો વિજ્ઞાન દુનિયાને સમજવા માટેનું અને હકીકતો તેમજ આંકડાકીય માહિતી એકઠી કરવા માટેનું એક સુગઠીત તંત્ર કહેવાય છે.” તેઓ સમજાવે છે કે: "મારૂં કહેવું એમ છે કે ઉતારી પાડવા લાયક નહીં તેવું અજ્ઞાન તો જે હજૂ જાણવા યોગ્ય ગણાયું જ નથી કે પૂરતું જાણી નથી શકાયું કે જે વિષે ખાસ કોઇ આગાહી નથી કરી શકાતી એવી આપણી સામુહિક ખાધમાંથી જન્મે છે." આપણે જેમ જેમ વધારે જાણતાં જઇએ છીએ તેમ તેમ આપણને વધારે ને વધારે ખ્યાલ આવે છે કે હજૂ ઘણું વધારે શોઘી કાઢવાનું બાકી છે. 

ગુણવત્તા અને તંદુરસ્તી / સલામતી વિષયનાં વ્યાવસાયિકોને રસ પડે એવો એક નવો સ્ત્રોત છે ધ આર્ટ ઓફ મૅન્લીનેસ પર જેરેમી ઍન્ડરબર્ગનો લેખ 'Survival Lessons from World War Z ' આ નવલક્થા એ આ પ્રકારમાં લખાતી એક આગવી કથા છે. આવી પરિસ્થિતિઓમાં વ્યક્તિ કે સમુદાયો કે સરકારો કેમ વર્તે છે તેનાં વર્ણનને કારણે તે આ પ્રકારનાં અન્ય સાહિત્યથી અલગ તરી આવે છે. એક રીતે તો તેને કાલ્પનીક નવલકથા કહેવાને બદલે સમાજશાત્રનું કાલ્પનીક પાઠ્યપુસ્તક કહેવું જોઇએ.
કોઇ મોટા પાયા પરનાં કુદરતી સાક્ષાતકારીય હોનારત કે કોઇ સ્થાનીય અણધારી આફત, જેમ કે થોડા દિવસો પહેલાં ઓડીશા / આંધ્રના તટીય વિસ્તારો પર આવી ચડેલ સમુદ્રી તોફાન, જેવા સમયના સંદર્ભમાં આ કથામાં એવા બહુ જ સરસ બોધપાઠ છે, જે દરેકને, આ પ્રકારની કોઇપણ આકસ્મિક ઘટના સમયે બહુ જ ઉપયોગી નીવડી શકે છે. 

  •  'જો અને તો'ની વાત નથી, વાત છે 'ક્યારે'ની - મોટા ભાગનાં લોકો, જ્યાં સુધી એ ઘટના ખરેખર થાય નહીં ત્યાં સુધી આવું કશું થઇ શકે તેમ માનવા તૈયાર જ નથી હોતાં. આમાં કોઇ જ મુર્ખામીની વાત નથી, માણસનો સ્વભાવ જ એવો છે. - World War Z by Max Brooks 
  • ઝૉમ્બીને તમારાં પાવરપોઈન્ટ કૌશલ્યની કંઇ જ પડી નથી - ઔદ્યિગિકરણ પછીના યુગની આપણી દુનિયા સેવાઓ અને જ્ઞાનનો યુગ બની ગઇ છે. હવે દરેક વ્યક્તિ એક બહુ જ મર્યાદીત ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે. એથી વિશેષ તે કંઇ જ જ કરી નથી શકતી... જ્યારે આવી ઘટનાઓ સમયે હાથ ગંદા કરવા તૈયાર હોય તેવાં અનેક લોકોની પણ જરૂર પડે છે. 
  • જરૂર પડે તે પહેલાં સ્વ-નિર્ભરતાનો પૂરતો અભ્યાસ કરી લેવો જોઇએ - પોતાના હાથથી કામ પાર પાડવાની આવડત સમગ્ર સમુદાય માટે તો ઉપકારક નીવડે જ છે, સાથે સાથે સ્વ-નિર્ભરતા માટે પણ તે બહુ જ મહત્વની આવડત બની રહે છે. 
  • બુનિયાદી શારીરીક ચુસ્તતા સહુથી મહત્વની બની રહે છે - કોઇ પણ કાળે ભુલાય નહીં કે આપણે બે પગની મદદથી જ ચાલતાં શીખ્યાં છીએ. આ પ્રકારના સંજોગોમાં વાહનો ક્યાં તો કામ નહીં આવતાં હોય કે ક્યાં તો માઇલો લાંબી કતારોમાં ફસાયેલાં પડ્યા રહી શકે છે. એવા સમયે આપણા બે પગ એકદમ ચુસ્ત અને તૈયાર હશે તો જ તેમની પાસેથી કામ લઇ શકાશે. 
  • અકલ્પનીય સુખ કે અવર્ણનીય દુઃખના સાક્ષાત્કાર સમયે પણ સંબંધો જ કામ આવે છે - આપણાં વ્યાવસાયિક જીવનમાં તો આપણે સુનિશ્ચિત અધિક્રમીક વ્યવહારોથી ટેવાયેલાં થતાં ગયાં છીએ. આ જડતામાંથી બહાર આવવાની જરૂર છે જ, પણ તે ઉપરાંત તમારી ઑફિસનાં કોઇ પણ 'નાનાં' માણસની સાથે તમારાં સમકક્ષની જેમ જ વર્તન કરવું જોઇએ. માત્ર સજ્જનતાની દૃષ્ટિએ જ નહીં પણ 'કોણ ક્યારે શું કામે આવી શકે' એવી દ્ર્ષ્ટિએથી પણ આમ કરવું હિતાવહ છે! 
  • સહુથી મહાન અથવા તો સહુથી આધુનિક ટેક્નૉલોજી જ એ કંઇ છેલ્લો શબ્દ નથી.- ટેકનોલોજીની આગેકૂચ ખરેખર અદ્‍ભૂત તો છે. મનોરંજન, આનંદપ્રમોદ, કાર્યદક્ષતા, સગવડ વગેરે જેવી કેટલીય બાબતોમાં તો તેને કારણે બહુ જ મોટા ફેરફારો થઈ ગયા છે. પરંતુ જાન સલામતીના ઘણા કિસ્સાઓમાં તેના ગેરફાયદાઓ પણ જોવા મળે છે. તેના પર બહુ વધારે પડતો આધાર મુકવાથી અણીના સમયે બચાવ કરવો મુશ્કેલ પણ બની શકે છે. જો કે હૅમ રેડિયો જેવી જૂની ટેક્નૉલૉજીએ ઘણી કુદરતી આફતોમાં સંદેશા વ્યવહારનાં જોડાણો જાળવી રાખવામાં બહુ મહત્વનો ફાળો ભજવ્યો છે. 

Learning is Changeપરના બિલ વાઇલ્ડરના લેખ - The Master's Lessons on Learning -માં લીઓનાર્દો દ વીન્સીનાં કથન "નવું શીખવાથી મગજને કદી થાક નથી લાગતો"નું અર્થઘટાન કરતાં લેખક કહે છે કે કદાચ તેમનો કહેવાનો ભાવાર્થ એમ હશે કે મગજને થાક ન લાગે તેવી, મજા પડતી, રીતથી જે કંઈ શીખવામાં આવે તે કદી થકવતું નથી.


ગુણવતા સાથેના આડકતરા, પણ બૃહદ સંદર્ભવાળા આ લેખો જોયા બાદ હવે આપણે ASQ's Influential Voices પર કાર્યરત એવાં લેખકોના ગુણવત્તા સાથે સીધો સંદર્ભ ધરાવતા કેટાલાક લેખો જોઇશું. 


Quality And Innovation પર નીકૉલ તેમના લેખ Expressing Your Needsની શરૂઆત કરતાં જણાવે છે કે વ્યક્ત કે અવ્યક્ત માંગની પૂર્તિ જ ગુણવત્તા છે (સંદર્ભઃ ISO 9000 para 3.1.5). મૂળભૂત એવી આ બાબતને તેઓએ સ્ટીવ પાવ્લીનના લેખ સાથે સાંકળી છે. એ લેખમાં સ્ટીવ પાવ્લીનનું કહેવું છે કે કોઈ પણ સમયે કોઇને કોઇ સંભવિત ભાગીદાર કે સહ-સર્જકનો એક સમુદાય આપણી માંગની પૂર્તતા કરવા તૈયાર તો હોય છે જ.પરંતુ આપણે આપણી માંગ એ સમુદાય સમક્ષ રજૂ નથી કરી હોતી, એટલે આપણને મદદ કરવા માંગતાં લોકો તેનાથી અજાણ હોય છે. જો કે આપણો સમાજ પણ આપણા મિત્રો, કુટુંબીજનો કે બીજાં કોઇ પણ પાસે આપણી જરૂરીયાતોનો ઢંઢેરો પીટવાની વાતને ઉત્તેજન નથી આપતો; તેમ વળી આપણને કંઇ પણ જોઈતું હોય તો આ બધા વિચક્ષણ માર્કેટીંગના નિષ્ણાતે તો અપણી જરૂરીયાતો ખોળી જ કાઢી હશે! અને આપણે તો બસ નાણાંના બદલામાં આપણી એ જરૂરીયાતોની પૂર્તતા કરતાં ઉત્પાદનો કે સેવાઓ ખરીદ જ કરવાનાં રહ્યાં. સમગ્ર ચર્ચાને અંતે, નિકૉલ જણાવે છે કે સહુથી પહેલાં તો આપણી જરૂરીયાતો કહેવામાં સંકોચ રાખવાનું બંધ કરવું પડશે અને જે કોઇ તેની પૂર્તતા કરી શકે તેમ હોય તેમની સાથે મુક્તપણે હળવું મળવું પડશે.

Qualty the Unfair Advantage પર અંશુમાન તિવારી, બહુ જ સ્પષ્ટપણે કહે છે કે 'ગુણવત્તા એટલે યોગ્ય કામ કરવું' એટલાં માત્રથી કામ નહીં થાય, ગુણવત્તાની અસર સંસ્થાની નાણાકીય પરિસ્થિતિ પર પણ જણાવી જોઇએ. આ માટે તેઓએ ASQના મુખ્ય સંચાલક પૉલ બોરવસ્કીના કૉર્નીગ ગ્લાસ પરના લેખનો આધાર લીધો છે. કૉર્નીગ ગ્લાસની સ્થિતિમાં થયેલા અદ્‍ભૂત સુધારાની કેસ સ્ટડી અહીં જોઇ શકાશે.
અહીં તેઓ એ આ કેસ સ્ટડીના મહત્વના મુદ્દાઓ સમજાવ્યા છે:

  •  બાલ્ડ્રીજ પુરસ્કાર જીતવો તે પૂરતું નથી - નવા પડકારોને પહોંચી વળવા નવા રસ્તા અખત્યાર કરવા જોઇએ. દડાને હાથમાં છોડી દીધા પછી તે કેટલો ઝડપથી નીચે પડવા લાગે છે તે જોવું હોય તો કૉર્નીગનો કિસ્સો હાથવગો જ છે.
  •  ગુણવત્તા એ નિયામક મડળની કક્ષાનો વિષય છે - કૉર્નીગ ગ્લાસના ઉદાહરણથી સ્પષ્ટ થઇ રહે છે કે સંસ્થાના અધિક્રમમાં ગુણવત્તા જેવું નીચું સ્થાન મેળવવા લાગે છે તે સાથે જ ગુણવત્તાનાં નબળાં પરિણામો જોવા મળવાનું ચાલુ થઇ જાય છે.
  • બૃહદ ગુણવત્તા અને ઉત્કૃષ્ટ કામગીરી - ગુણવત્તાનો સામાન્ય સંદર્ભ ઉત્પાદનોની ગુણવત્તા સાથે છે જ્યારે બૃહદ સંદર્ભ વ્યાપારની બધી જ પ્રક્રિયાને આવરી લેતી ગુણવત્તાના વ્યાપક સંદર્ભમાં છે. વ્યાપારની બધીજ પ્રક્રિયાઓ અને ગ્રાહકના અનુભવોની જ્યારે વિશદ્પણે ચર્ચા થાય છે ત્યારે સંસ્થામાં કામગીરીની ઉત્કૃષ્ટતાની ગુણવત્તાનું પ્રભાવ ક્ષેત્ર પેદા થાય છે.આ વાત કૉર્નીગે બરાબર સમજી લીધી હતી અને તેથી સંસ્થાનાં બધાં જં અંગોને ગુણવત્તા કાર્યક્રમ હેઠળ આવરી લેવાયાં હતાં. જેનાં પરિણામો બહુ જ ફળદાયી રહ્યાં.
  • ગુણવત્તા પ્રશિક્ષણને ન અવગણવું જોઇએ - બધાં જ પરિવર્તનોની શરૂઆત જ્ઞાનથી થાય છે. ફેરફારોને કારણે આપણે કયાં જોખમો લઈ રહ્યાં છીએ તે ન જાણવાથી બહુ માઠાં પરિણામો આવી શકે છે. પરિવર્તનો કરતાં પહેલાં કૉર્નીગે પ્રશિક્ષણનાં મહ્ત્વને સમજી લીધું હતું અને એટલે ૧૦૦૦થી પણ વધારે કર્મચારીઓ ને સીક્સ સીગ્મા કે લીન જેવા વિષયો પર તલસ્પર્શી પ્રશિક્ષણની વ્યવસ્થા કરાઈ હતી.
  • પધ્ધતિઓ અને સાધનોની પસંદગી બહુ સંભાળથી કરવી જોઇએ - કૉર્નીગે હાથમાં આવી તે બધી જ રીતો વાપરી નહોતી લીધી. તેમણે બધીજ ઉપલબધ રીતોનો પૂરતો અભ્યાસ કર્યો અને એક ઉપયુક્ત માળખું બનાવ્યું અને પછીથી તેને બરાબર અનુસરતાં રહ્યાં. કૉર્નીગનું કામગીરી-ઉત્કૃષ્ટતા મૉડેલ સહયોગ, નવપરીવર્તન અને સુધારણાને આવરી લે છે.
  •  ગુણવત્તા પૈસા કમાવી આપે તે જરૂરી છે.- ગુણવત્તા ‘વિના-મૂલ્ય’ જરૂર છે,પણ સખાવત નથી.
Quality Alchemist પર ડૉ. લૉટ્ટો લાઈ ૧૪મીથી ૧૮મી ઓક્ટૉબર, ૨૦૧૩ દરમ્યાન, બેંગકોક, થાઇલેન્ડમાં ભરાયેલ ‘The ANQ 2013’ના સંદર્ભમાં ગુણવત્તાનાં ક્ષેત્રમાં એશિયાઇકરણ (亞洲化)ને તેમના લેખ Asiaization is the Future of Quality માં સમજાવે છે. શાબ્દીક રીતે એશિયાઇકરણની વ્યાખ્યા - એશિયાની જેમ વર્તવું , પ્રક્રિયાઓ કરવી કે લીધેલાં પગલાંના પરિણામો આવવાં - કરી શકાય; જેમાં એશિયાની સંસ્કૃતિ અને ટેવોની દુનિયા પર પડતી અસરોનો અર્થ અભિપ્રેત છે. પ્રસ્તુત લેખમાં તેમણે બહુ જ વિગતવાર અને પધ્ધતિસર રીતે, ભારપૂર્વક, પ્રસ્થાપિત કરેલ છે કે ""ગુણવત્તાનાં ભવિષ્ય" પર એશિયાઇકરણ એ એક મહત્વનું પરિબળ બની રહેશે." 

જેમી ફ્લિન્ચબૌ, તેમના લેખ Lessons From the Road: Get the Most from Your Assessmentsમાં તપાસણી/Auditથી અલગ પડતાં આકારણી/ Assessmentનાં મૂલ્યની વાત કરે છે. તેમનું કહેવું છે કે આકારણી એ સતત સુધારણાનું એક એવું અંગ છે જે, સામાન્યતઃ લોકોને ઓછું પસંદ પડે છે. તેને કારણે તેમાંથી જે ફાયદો મેળવવો જોઇએ તે પણ મેળવાતો નથી. બહુ જ સારી રીતે કહેવાયેલ "જો કંઇ પણ કરવા લાયક હોય, તો પછી તે સારી રીતે જ થવું જોઇએ" વાત આ સંદર્ભમાં યાદ આવી જાય છે. લેખમાં તેમણે આકારણીનો ફાયદો લેવા માટે શું શું પગલાં લેવાં જોઇએ તેની પણ ચર્ચા કરી છે.


ડૉ. લોટ્ટૉ લાઇ આપણને ગુણવત્તા-લક્ષી જાહેર સંસ્થા - એશિયાના અલગ અલગ દેશોની સંસ્થાઓની ગુણવત્તા સંબંધીત પ્રવૃત્તિઓને સાંકળી લઇ અને સમગ્ર એશિયાના સ્તર પર કાર્યરત એવી એશિયન નૅટ્વર્ક ફૉર ક્વૉલિટી/Asian Network for Quality (ANQ)- -ની મુલાકાત તરફ પણ દોરી ગયા છે. ANQની સ્થાપના વર્ષ ૨૦૦૨માં થઇ હતી. ગુણવત્તાના સુધાર દ્વારા વિશ્વના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવામાં ANQ સક્રિય છે.
ANQ 2012નાં અધિવેશનમાંનાં ડૉ. નૉરીઆકી કાનોનાં અધ્યક્ષ વ્યક્તવ્ય - The First Ten Year Journey of ANQ દ્વારા આપણને ANQના વિકાસના પ્રથમ દાયકાની સફર કરવા મળે છે.
ANQ 2013 અધિવેશનનો મુખ્ય વિષય "એશિયાની તાકાતમાટે ગુણવત્તા / Quality for the Strength of Asia છે.
એશિયાની ગુણવત્તાનાં વ્યાવસાયિકોના સમુદાયનાં વધતાં જતાં મહ્ત્વનું દ્યોતક છે - ISQના સ્થાપક અધ્યક્ષ અને ISQની આંતરરાષ્ટ્રીય સંબંધોની સમિતિના વર્તમાન અધ્યક્ષ શ્રી જનક મહેતાનું International Academy of Quality (IAQ)ના અધ્યક્ષ તરીકે મનોનીત થવું. અકાદમીના ૪૫ વર્ષના ઇતિહાસમાં અમેરિકા, યુરોપ કે જપાનની બહારની વ્યક્તિ આ પદ પર મનોનીત થઈ રહી છે.
અને હવે આપણે આ સંસ્કરણના અંતની શરૂઆત કરીએ. 


સહુથી પહેલાં તો ASQ Influential voicesના દર મહિનાની એક વિષયપરની ચર્ચા પર નજર કરીએ. આ મહિને વિષય હતો The Challenges of Sustaining Excellence. દર વખતે જોવા મળે છે તેમ આ વખતની ચર્ચા પણ બહુ આયામી અને વૈવિધ્યપૂર્ણ રહી છે. લગભગ બધાંની જ લાગણીને વાચા આપતી ટીપ્પણીમાં સ્કૉટ્ટ રધરફૉર્ડનું કહેવું છે કે, "દરેક સંસ્થાઓને જ્વલંત સફળતાના ચડાવ અને ક્ષુબ્ધ સમયના ઉતારની પોતાની એક આગવી સંસ્કૃતિ હોય છે. પરંતુ, સંસ્થાકીય નેતૃત્વના પરિવર્તન કાળ દરમ્યાન સંકૃતિ, વ્યૂહરચના અને અમલીકરણની એક્સૂત્રતા, એ સંક્રાંતિ કાળમાં ટકી રહેવાની સંસ્થાની ક્ષમતામાં મહત્વનો ભાગ ભજવે છે. 


ASQ™ TV: Creating a Global View of Qualityના ASQ TV Episode 9: Process Improvement વૃતાંતમાં પ્રક્રિયા સુધારણાનાં ઘટકની વાત કહેવાઈ છે. મેક્ષિકોના એક ઑટોમોબાઈલ પાર્ટ્સ ઉત્પાદક તેમની સુધારણા દાસ્તાન રજૂ કરે છે. પરિવર્તનકારી વિચારધારાના એક વિશેષજ્ઞ આપણને ધોરણ સ્થાપન અને સમસ્યા નિવારણની પાર જોવા તરફ દોરી જાય છે. અને એક રૉક બૅન્ડ પ્રક્રિયા સુધારણાનાં તેમના અર્થઘટનનો આસ્વાદ કરાવે છે. 


આ મહિને ASQ's Influential Voicesનાં જિમેના કાલ્ફાની મુલાકાત લઈશું.

વ્યાવસાયિક કારણોથી હાલ અમેરિકામાં કાર્યરત એવાં જિમેના કાલ્ફા મૂળે આર્જેન્ટીનાનાં છે. ગુણવત્તા સૉફ્ટ્વેરમાં વિશેષજ્ઞતા ધરાવતાં એવાં સીસ્ટમ્સ એન્જીનિયર છે. ગુણવત્તા સાધનોના રોજબરોજના ઉપયોગો વિષે તેઓ Let’s Talk About Quality પર લખે છે. તેમની દૃષ્ટિએ "દરેક સંસ્થાની દરેક વ્યક્તિનાં જીવનનાં કોઇ પણ પાસામાં ગુણવત્તા બહુ જ મહત્વનો ભાગ ભજવે છે."
તેઓ તેમની ગુણવત્ત અંગેની સમજને ઍરિસ્ટોટલનાં આ કથન - ગુણવત્તા કૌશલ્ય પ્રશિક્ષણ અને ટેવ પાડવાથી કેળવાય છે. આપણે જે કંઈ આપણે વારંવાર કરીએ, તે પ્રમાણે જ થતાં જઇએ છીએ. એ રીતે ગુણવત્તા એ કોઇ ખાસ પ્રવૃત્તિ નથી, પણ આપણી ટેવો જ છે - વડે પુષ્ટિ કરે છે.
તે જ રીતે બ્લૉગ લખવાનાં તેમનાં કારણોને તેઓ ક્યુબાના લેખક યૉઝ માર્ટીના શબ્દોમાં, બહુ જ ભાવુકતાથી રજૂ કરે છે: "પૂર્ણ થવા માટે દરેક વ્યક્તિ એ એક વૃક્ષ વાવવું જોઇએ, એક બાળકને ઉછેરવું જોઇએ અને એક પુસ્ત્ક લખવું જોઇએ" આ ટૅક્નૉલોજીના યુગમાં, "પુસ્તક"ના સ્થાને તેઓ અહીં "બ્લૉગ" ને મૂકે છે.
તેમના બ્લૉગ - Let’s Talk About Quality - પર જૂદા જૂદા વિભાગો આ મુજબ છેઃ General Concepts - જ્યાં ગુણવત્તા વિષય પરના લેખો ; XX vs. YY -જ્યાં ગ્રાહક વિ. ખરીદાર જેવા લેખો ; Actuality - ASQ - લેખિકાનાં ASQ પરના સહયોગનું દસ્તાવેજીકરણ; Q & A - સવાલોના જવાબો; OFI - સુધારાં અંગેની તકને લગતા લેખો અને My Bookshelf - લેખિકાની પસંદગીનાં પુસ્તકોની યાદી . 


દર વખતની જેમ આ સંસ્કરણના અંતમાં આપણે Management Improvement Carnival # 200 ની મુલાકાત લઈશું.આ મહિનાનાં સંસ્કરણના અંત માટે મેં જેમ્સ ક્લીઅરનો Lifehackerનો લેખ - A Scientific Guide to Effectively Saying No - પસંદ કર્યો છે. ઘણા સફળ ઉદ્યોગસાહસિકો તેમણે ભોગવવેલી આપદાઓ માટે ના ન કહી શકવવાની અશક્તિને તેમની બહુ મહત્વની ભૂલ ગણાવે છે.

“હું નહીં કરી શકું” and “હું નહીં કરૂં” આમ તો બહુ સરખા જ દેખાય છે. ઘણીવાર એ બંને એકબીજાંની જગ્યાએ આપણે વાપરી પણ લેતાં હોઈએ છીએ.પરંતુ, માનસિક રીતે તે બંનેનો પ્રતિસાદ સાવ અલગ હોઈ શકે છે, જેને પરિણામે સાવ જ અલગ પ્રકારનાં કદમ લેવાતાં પણ જોવા મળે છે.

લાલચને અતિક્રમીને ભારપૂર્વક ના કહી શકવી તે માત્ર તંદુરસ્તી માટે જ સારૂં નથી, પણ દરરોજની ઉત્પાદકતા અને માનસિક તંદુરસ્તી માટે પણ બહુ સારૂં પડે છે.બહુ સીધી રીતે કહીએ તો આપણા જ શબો આપણને તારે કે ડુબાડે છે. સવાલ આપણે શું પસંદ કરીએ છીએ તેનો છે.

આ મહિનાનાં આ સંસ્કરણમાં 'ના પાડવાની કળા'ની વાત અને આપ સહુની આ મંચને વધારે રસપ્રદ, માહિતીજનક અને ઉપયોગી બનાવવા માટે સૂચનો કહેવાની 'હા' સાથે જોડી ન લેશો!
આપના પ્રતિસાદની રાહ જોઉં જ છું.............