Saturday, May 28, 2016

સારાં વાચનની ભૂખ જગાડતું,અને સાથે સાથે સારા વાચનનો સંતોષ પણપૂરૂં પાડતું,‘પુસ્તક’: ‘સાર્થક જલસો–૬’ - મે ૨૦૧૬


જે સામયિક દર છ મહિને પ્રકાશિત થતું હોય, જેની સામગ્રી લોકપ્રિયતાની સામાન્યપણે સ્વીકૃત માન્યતામાં સીધે સીધી બંધ ન બેસતી હોય, જેનો પ્રચાર મોટે ભાગે સમાન વાચનશોખ ધરાવતાં વાચકોની મુંહજબાની વધારે થતો હોય તેવાં‘પુસ્તક’કક્ષાનાં સામયિકનો છઠ્ઠો અંક બહાર પડી ચૂક્યો છે. આજની દોડભાગની, મોટામસ આંકડાઓ દ્વારા મપાતી સફળતાની, દુનિયામાં આ ઘટના જેટલી નોંધપાત્ર, તેટલી જ તેના ચાહકો માટે પરીક્ષાનો તત્પુરતો અંત લાવતી આનંદદાયકપણછે.
'સાર્થક જલસો'ના છઠ્ઠા અંકમાં રજૂ થયેલ સામગ્રી એકબીજાથી અલગ વિષયને ખેડતા ૧૪ લેખોમાં પ્રસરેલ છે.દેખીતી રીતે 'સાર્થક જલસો'માં રજૂ થતા વિષયો પ્રણાલિકાગત ઢાંચામાં બંધ નથી બેસતા, અને તેથી એ વૈવિધ્ય વાચકને દરેક અંક વાંચતી વખતે તાજગીની અનુભૂતિ કરાવે છે. દરેક લેખનું વસ્તુ અને પોત દરેક લેખને બહુ જ નિરાંતે વાંચવા અને વાગોળવા માટેનાં કારણો પણ પૂરાં પાડી આપે છે. 
જો કે આ બધાં પાસાં તો 'સાર્થક જલસો'ને પહેલી વાર વાંચનારમાટે મહત્ત્વનાં. આપણે તો 'સાર્થક જલસો'ના  સીધો જ પરિચય આપણે અહીં - Saarthak Jalso  - કરતાં જ રહ્યાં છીએ. એટલે આપણને તો હવે આ છઠ્ઠા અંકના લેખોનો પરિચય કરવામાં જ વધારે રસ હોય તે તો સ્વાભાવિક છે.

તો ચાલો, 'સાથક જલસો'ના અંક ૬ની પરિચય સફરે.....

‘આવી યાતના વેઠનાર અમે છેલ્લાં હોઇશું' - અનુષ્કા જોષી
બીજાં વિશ્વયુદ્ધની લશ્કરી વિગતોની સાથે સાથે એ સમયની સામાજિક, કે સાંસ્કૃતિક ઘટનાઓ સાથે વણાયેલી એ સમયનાં લોકોનાં વ્યક્તિગત પાસાંઓની કહાનીઓ આજે લગભગ સાત દાયકા પછી, ચર્ચામાં તો રહેલ જ છે. પરંતુ, રેડ ક્રોસની ટુકડી સામે બધું આનંદમંગળ છે એવા પ્રચાર અર્થે તૈયાર થયેલ એક બાળ નૃત્યનાટિકાનો વીડિયો જોઈને લગભગ ૨૧મી સદીમાં જ ઊછરેલ એક કિશોરીને તેના પરથી એક કાવ્ય સ્ફુરે એ વાત પણ સાવ સામાન્ય તો ન જ કહેવાય. એ વિષે વધારે શોધખોળ કરતાં એ નૃત્યનાટિકામાં બિલાડીનું પાત્ર ભજવનાર બાળકી,એલા વિસબેર્ગર, જે આજે ૮૬ વર્ષનાં થઈ ચૂક્યાં છે, સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવો, એ સંપર્કપછીની કડીરૂપ,તેમનાં તે સમયનાં, છેક ઝેકોસ્લોવાકીયાનાં પાટનગર પ્રાગમાં રહેતાં, મિત્ર - કૉન્સન્ટ્રેશન કૅમ્પનાં સાથીદાર-હેલ્ગા હોસ્કોવા સાથે રૂબરૂ મુલાકાત કરવાનો ખંત દાખવવો એ પણ સાનંદ આશ્ચર્યની જ વાત છે. એ મુલાકાતોના અનુભવોને અનુષ્કા જોષીએ આ લેખમાં સહજ આત્મીયતાથીઅનેબહુ જ રસપ્રદ રીતેવર્ણવેલ છે. એ મુલાકાતના અંતસમયની વાત આ આખીય કહાનીને એક અનન્ય આભા બક્ષી રહે છે.એક રશિયન માતાના પાંચ વર્ષના છોકરાનાં પ્રાગમાં વીતેલ બાળપણ પરની રમૂજના ઢાળ પર ૧૯૯૬માં બનેલી ફિલ્મ 'કોલ્યા' વિષે લેખિકા હેલ્ગાને પૂછી બેસે છે. સવારની મુલાકાત દરમ્યાન કૉન્સન્ટ્રેશન કૅમ્પની યાદોમાંથી થયેલ ભારે વાતાવરણ એ વાતના જવાબમાં સાવ હળવું થઈ જાય છે. 'અમે છેલ્લાં છીએ'નો હેલ્ગા અને ઍલાનો આશાવાદ, માનવજાતને ભવિષ્ય માટેનો સંદેશ પણ કહી શકાય.
વિજ્ઞાની, તત્ત્વજ્ઞાની,લાગણીસભર સ્વપ્નદૃષ્ટા રવજીભાઈ સાવલિયા - હર્ષલ પુષ્કર્ણા
૧૯૯૬ની એક સવારે તેમને ઘરે સવારના નાસ્તા માટે રવજીભાઈનું આવવું એ પહેલો યોગાનુયોગ, એ મુલાકાતને અંતે બીજે જ અઠવાડીએ પોતાને ઘેર જમવા આવવાનું રવજીભાઈનું અત્મીય આમંત્રણ એ બીજો યોગાનુયોગ અને રિઝર્વ્ડ પ્રકૃતિના નગેન્દ્ર વિજયનું એ આમંત્રણ સ્વીકારી લેવું એ ત્રીજા યોગાનુયોગથી શરૂ થયેલ સંબંધના વિકાસની ગાથા વર્ણવતાં વર્ણવતાં,તેમની નપીતુલી શૈલીને ભાવવાહી પ્રવાહમાં વહેવડાવીને બહુ જ સચોટ આલેખનથી હર્ષલ પુષ્કર્ણાએ સમજાવ્યું છે કે કોઈ એક વ્યક્તિને એક સાથે આટઆટલાં વિશેષણો કેમ લાગૂ પડી શકે……[પરિચયકારની નોંધ: અમેરિકા જેવા દેશમાં જો રવજીભાઈએ કામ કર્યું હોત તો તેમનાં છાશ વલોણાં યંત્ર કે હવા ભરવાનો ફૂટ પમ્પ કે સમાનકેન્દ્રી નસદાર એલ્યુમિનિયમ તવો, મૉનોબ્લૉક ઘરેલુ ઘરઘંટી અને તેમનાં એવાં અનેક ઉપકરણો વિશ્વ કક્ષાએ પહોંચી ચૂક્યાં હોત. પણ આમ ન થયું કારણકે રવજીભાઈ વિજ્ઞાની, તત્ત્વજ્ઞાની વગેરે વગેરે પહેલાં હતા, અને વ્યાપારી તો તેનાથી બહુ જ પછી.નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન જેવી રાષ્ટ્રીય સંસ્થાને ચોપડે રવજીભાઈની કેટલીક નોંધ જોવા મળે છે, એવી શોધખોળ કરતાં ક્યાંકથી સંતાઈ ગયેલી એક નોંધ હાથ ચડી ગઈ, જે અહીં ક્લિક કરવાથી વાંચી શકાય છે.]
એકવીસમી સદીમાં 'ભાર વિનાનું ભણતર' - ઋતુલ જોષી, મીરાં થૉમસ
'ભાર વિનાનાં ભણતર'ની બહુ ચોટદાર 'વ્યાખ્યા'થી લેખની શરૂઆત થાય છે - 'જો તમારા ભણાવ્યા મુજબ બાળક ન શીખી શકતું હોય, તો બાળક શીખી શકે તે મુજબ તેને ભણાવો'.આ પ્રકારનાં ભણતરની વ્યવસ્થામાં બાળક કર્તા છે. લેખમાં આ વિભાવના બાબતે આપણને વિચાર કરતાં કરી મૂકવા માટે પૂરતી સામગ્રી છે. બસ, હવે તેનો વ્યાપકપણે અમલ કરવા હવે કઈ પ્રેરણા, કે ફરજ, કામ કરશે તે જોવાનું રહ્યું.
શીખવતાં શીખવા મળેલા જીવનના પાઠ - આરતી નાયર
હાંસિયામાં ધકાયેલાં લોકોને શિક્ષણ આપવાની 'સેવા'નું કામ કરવામાં કેવા કેવા અનુભવો થાય, અને એ અનુભવો માત્ર એ સેવા કરવાની બાબતે જ નહીં પણ જીવનનાં કેટકેટલાં પાસાં વિષે કેવું કેવું શીખવાડી જાય તેના લેખિકાના સ્વાનુભવોની રજૂઆત એ માત્ર આ પ્રકારનાં કામ જોડાયેલ વ્યક્તિઓ માટે જ નહીં પણ સમાજના દરેક “ઉચ્ચ સ્તર”નાં લોકો માટે ઘણા પાઠ શીખવાડી શકે છે.
જુહાપુરાના રોજિંદા જીવનની કશ્મકશ - શારીક લાલીવાલા
અમદાવાદમાં થતાં રહેલાં કોમી રમખાણોની નિપજ સમી બસ્તી જુહાપુરાના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક સમુદાયમાં વસ્તી વ્યક્તિઓની ભાવનાઓનો બહુ જ નિરપેક્ષ ચિતાર આ લેખ આપણી સમક્ષ રજૂ કરે છે.લેખની પાદનોંધ વાંચીએ તો ખ્યાલ આવે છે કે આ લેખનો લેખક એ ૧૯ વર્ષનો એક યુવાન છે જે ખુદ ‘રૂઢિચુસ્ત જેને કાફિર ગણે અને કાફિર જેને મુસલમાન ગણે’ એવા મનોસાંસ્કૃતિક ત્રિભેટેથી હવે પોતાનાં જીવનની રાહ કંડારવાનો છે.
પ્રકાશ ન. શાહ કટોકટી પહેલાં અને પછી... - ઉર્વીશ કોઠારી
'સાર્થક જલસો'ના દરેક અંકનું એક આગવું આકર્ષણ હોય છે તેમાં પ્રકાશિત થતી દીર્ધ મુલાકાત. આ પ્રકારની દીર્ઘ મુલાકાતમાં ચર્ચાયેલી વાતોને આ પ્રકારનાં સામયિકમાં ઠીક ઠીક જગ્યા આપીને પ્રકાશિત કરાય એટલે એ વ્યક્તિનું સમાજમાં કંઈક વજન હોય તે તો સ્વાભાવિક છે, પણ એનો અર્થ એમ પણ નહીં કે બધાંને એ વ્યક્તિની સાથે અહીં ચર્ચાયેલી બધી જ બાબતોની ખબર હોય. આમ આ મુલાકાત આપણી સમક્ષ એ વ્યક્તિસાથે નજદીકી પરિચય કરાવે જ, પણ સાથે સાથે એ મુલાકાતમાં રજૂ થયેલ વિષયનો પણ વિગતે પરિચય કરાવે છે. પ્રસ્તુત મુલાકાતમાં પ્રકાશ ન. શાહનાં ૭૫ વર્ષનાં જીવનનાં આરંભિક વર્ષો, ઘડતર તેમ જ રાજ્ય-દેશના જાહેર જીવનનાં કટોકટી અને જેલવાસ જેવા ઘણાં પાસાં સમાવાયાં છે.
આંબેડકર-ગંગા - ચંદુ મહેરિયા, ઉર્વીશ કોઠારી
'લાંબા લાંબા લેખને બદલે નાની નાની વિગતો-પ્રસંગો-લખાણો-ચિત્રો થકી ડૉ. આંબેડકરની જુદી, બહુરંગી છબી' ઉપસાવવાના પ્રયાસરૂપે 'આંબેડકર-ગંગા' પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. પ્રસ્તુત લેખમાં તેની ઝાંખી રજૂ કરાઈ છે.
સવાસો વર્ષ પહેલાં પાઠ્યપુસ્તકમાં સરકારી છેડછાડની પહેલી 'દુર્ઘટના' - બીરેન કોઠારી
૧૮૫૦થી ૧૮૬૫ વચ્ચેનાં, નર્મદની ૧૭થી ૩૨ વર્ષની વય દરમિયાનનાં લખાણના સંગ્રહની(પહેલી) આવૃત્તિ તો ૧૮૬૫માં આવી અને ખપી ગઈ. ૧૮૭૪માં આવેલી બીજી, સરકારી, અને તે પછી ૧૮૮૦માં આવેલી ત્રીજી આવૃત્તિમાં 'શૈક્ષણિક દૃષ્ટિ અને ફરજપાલન' જેવા - 'સર્જક કે સર્જનને અન્યાય હરગિજ ન કરવાના’ - સરકારી નીતિના આશયથી કરવામાં આવેલા ફેરફારો અને સામાન્યપણે પોતાના ‘જોસ્સા’ માટે જાણીતા નર્મદે આ ફેરફારો સામે સેવેલા મૌનનો રોચક ઘટનાક્રમ પ્રસ્તુત લેખમાં વર્ણવાયો છે.
તમારું ખાહડું અને અમારું માથું - ચંદુ મહેરિયા
પોતાના મોટા ભાઈ-બહેનનાં બાળ લગ્ન નિમિત્તે પોતાને વતન ગયેલ લેખકની બાલ્યાવસ્થાનો એ પ્રસંગ આજે પણ લેખકનાં ઘરે યાદ કરાય છે. એ પ્રસંગની મદદથી લેખકે હજૂ બહુ જૂનો થઈ ગયો ન કહેવાય એવો, ૧૯૬૪-૬૫નાં વર્ષોના, સમયનાં સામાજિક જીવનનો ઇતિહાસ બહુ સહજપણે દસ્તાવેજ કરેલ છે. એ દિવસે (બાળ) લેખક પોતાના પગમાં ચંપલ પહેરીને સૂઇ ગયા હતા. તેમના મા મનાવી પટાવીને પણ એ ચંપલ કઢાવી નથી શકતાં, કેમ કે અમદાવાદની મિલમાં કામ કરતા પિતાનાં એ સંતાનને જિંદગીમાં પહેલી વાર ચંપલ પહેરવા મળી હતી ! સામાજિક જીવનના પ્રવાહનાં એક પ્રતિક તરીકે ચંપલનું અહીં રજૂ થયેલ ચિત્ર આજે પણ આપણી આંખ ઉઘાડી કાઢી શકે છે.
અજાણ્યા ઇશાન ભારતનો આત્મીય પ્રવાસ - લતા શાહ, અશોક ભાર્ગવ
'સાર્થક જલસો'ની સામગ્રીમાં અનોખી ભાતનું પ્રવાસ વર્ણન નિયમિતપણે જોવા મળતાં ઘટક તરીકે સ્થાન પામી ચૂક્યું જણાય છે.જોવાનાં સ્થળોની યાદી કે શું ખાધુંપીધું એવાં 'ભ્રમણસંગી (ટુરિસ્ટ ગાઈડ) જેવા શુષ્ક દસ્તાવેજ નહીં, પણ 'કોઈ આયોજનપૂર્વક', પ્રવાસની મજાનાં 'આત્મીય' વર્ણનો હોવાને કારણે એ સ્થળોએ આપણે જાતે ફરી રહ્યાં હોઈએ તેવી લાગણી પણ અનુભવાય એ કક્ષાનાં આ વર્ણનો બની રહે છે. પ્રસ્તુત પ્રવાસ ઇશાન ભારતનાં તેજપુરથી શરૂ થઈને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માજુલી બેટ, ગુવાહાટી,દિમાપુર (નાગાલૅન્ડ), ઈટાનગર-જીરો (અરુણાચલ પ્રદેશ), અને મેઘાલયનાં શિલોંગ, ચેરાપુંજીને આવરી રહ્યો છે.
ગાંધીવાદી 'અનુવાદ સેનાપતિ' નગીનદાસ પારેખ - મારો અનુવાદ એ જ મારું જીવન - હસિત મહેતા
નગીનદાસ પારેખનાં બહુમુખી વ્યક્તિત્ત્વને વર્ણવવા માટે લેખની શીર્ષનોંધમાં 'સન્નિષ્ઠ અનુવાદક, શિક્ષક, સંપાદક, વિચારક, મીમાંસક, વિવેચક, સંશોધક, પ્રતિકાવ્ય કવિ, ચરિત્રકાર, વિદ્યાપુરુષ' એવાં વિશેષણો પ્રયોજાયાં છે. આખો લેખ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે એ દરેક વિશેષણ એક અલગ અભાસનોંધનો વિષય છે. તેમ છતાં સામયિકના એક લેખમાં તેને સમાવવાની હિંમત કરવી અને પૂરતો ન્યાય કરી શકવો એ બંને બાબતો કાબિલે-દાદ છે. અહીં તો આપણે પ્રસ્તુત લેખની બહુ જ સરસરી ઝલક જ લઈશું. નગીનદાસ પારેખ મરાઠી, સસ્કૃત, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી સહિતની છ જેટલી ભાષાઓમાં 'આત્મસાત્‍' કક્ષાના પારંગત હતા. તેમને ફાવતી ભાષા અંગ્રેજી હોવા છતાં ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અભ્યાસમાટે તેમણે બંગાળ સાહિત્ય પસંદ કર્યું ત્યારે તેમણે બંગાળીના કક્કાબારાખડીથી શરૂઆત કરવાની હતી. ૧૯ વર્ષની ઉંમરે એમણે બંગાળની 'ઉપેન્દ્રનાથની આત્મકથા'નો ગુજરાતી અનુવાદ કર્યો. 'ગીતાંજલી'નાં કાવ્યો, 'ડાકઘર' જેવાં નાટકો અને 'ઘરે-બાહિર'જેવી નવલકથાઓ સહિતનાં રવિન્દ્રસાહિત્યનાં ૩૦થી વધુ પુસ્તકો ઉપરાંત શરદબાબુ, મૈત્રેયીદેવી,સુરેન્દ્રનાથ ગુપ્તા, અતુલચંદ્ર ગુપ્ત, દિલીપકુમાર રૉય, ચારુચંદ્ર ચક્રવર્તી, અબૂ સઈદ અય્યૂબ, લીલા મજુમદાર, સૌમ્યેન્દ્રનાથ જેવાઓની રચનાઓના પણ અનુવાદ તેમણે કર્યા છે. બાઈબલ, સમાજકારણ અને રાજકારણના અનેક સંદર્ભો સાથે 'ગાંધીજીનો અક્ષરદેહ’, કે મૂળ અંગ્રેજી પ્રતમાં પણ ભૂલો દૂરકરવા માટે જેનો સંદર્ભ લેવાયો હતો તેવી આચાર્ય કૃપલાણીની આત્મકથા ઉપરાંત 'પ્રિન્સિપલ્સ ઑફ લિટરરી ક્રિટિસિઝમ'નો 'સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો' કે 'જજમેન્ટ ઈન લિટરેચર'નો 'સાહિત્યનો વિવેક' જેવા અગ્રેજીમાંથી કરાયેલા અનુવાદો વિશ્વસ્તરના અનુવાદોમાં નોંધપાત્ર કક્ષાનાં સીમાચિહ્નો ગણી શકાય તેમ છે. આવા ૧૦૦ અનુવાદોતેમ જશિક્ષણ, વિવેચન, ચિંતન-વિચાર કે કિશોર-બાળ સાહિત્યનાં બીજાં દસેક પુસ્તકો ઉપરાંત કંઈ કેટલાંય સામયિકોમાં પડેલું તેમનું અનેકવિધ સાહિત્ય હજૂ અગ્રંથસ્થ છે ! આ તમામ પાસાં ઉપરાંત તેમના ઉમદા માનવીય પાસાંઓનો પરિચય આ લેખમાં મળી રહે છે..
જો હૈ બદનામ..વો હીતો નામવાલા હૈ ! - હિંદી ફિલ્મી વિલનોનાં નામની કહાની - સલિલ દલાલ
હિંદી ફિલ્મોના વિલનોનાં નામો પરનો લેખ ફિલ્મ ઇતિહાસમાં જેમને રસ હોય તેમને માટે એક સંદર્ભ બનીરહે તેટલો વિગતપ્રચૂરહોવા છતાં નામાવલીનો એક શુષ્કદસ્તાવેજ બની રહેવાને બદલે, ખરેખર, રસપ્રચૂર 'કહાની' બની રહેલ છે.
:):):) - કિરણ જોષી
સામાજિક માધ્યમો પર ગાંડાંતુર વહેતાં રહેતાં રમૂજકડાંઓમાંથી કિરણ જોષીએ ચાળીનેમૂકેલ નોંધો મજા પડી જાય તેવી છે. જેમ કે - 'સામાન્ય માણસોને તેમના જેવાજ બીજા સામાન્ય માણસો નડે છે: સત્તાધારીઓને તેઓ વિપક્ષમાં હતા ત્યારે પોતે જ કરેલી ટ્વીટ્સ નડે છે.' કે પછી,'આજકાલ લોકો ભગવાન કરતાં વધારે સેલફોનની બેટરી ઉતરી જાય એનાથી ડરે છે.'
મારી પ્રેમિકાઓ ! - દીપક સોલિયા

છઠ્ઠાં ધોરણમાં 'જો સમય ન હોય તો' જેવા "વકૃત્ત્વ" સ્પર્ધાના વિષય થકી સમયમીમાંસા સાથે થયેલ અચાનક પરિચય પછી, લગભગ દરેકનાં જીવનમાં બનતું જ હોય છે તેમ કાળક્રમે લેખકનાં જીવનમાં પણ વિજ્ઞાન, સાહિત્ય, પત્રકારત્વ, ફિલોસોફી જેવા વિષયો આવતા ગયા, જીવનની ઘટમાળની સાથે સાથે જીવનનીપ્રાથમિકતાઓ બદલતી ગઈ. એ દરેક વિષય સાથે ગાઢ પ્રેમ બંધાય બંધાય ત્યાં તો વિચ્છેદ પણ થતોગયો. કોલેજ કાળમાં આંણદ બસ સ્ટેન્ડપર સવારે સાડા નવથી સાંજના છેક છ વાગ્યે કચ્છ જતી બસ માટે રાહ જોવાનો એક પ્રસંગ બન્યો. એ પ્રસંગમાંથી મળ્યો એક 'મૌલિક વિચાર' - "રાહ જોવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે રાહ ન જોવી." રાહ જોવાથી રાહ જોવા બાબતે જે કંટાળો જન્મે છે તેનું નીવારણ રાહ જોવાની રાહ ન જોવામાં છે. એ સમયે થતી બીજી દરેક ઘટનાઓ વિષે વિચાર કરવાથી, તેઘટનાઓમાં રસ લેવાથી, રાહ જોવી એ એક સુખદ, ઉપયોગી (ક્યારેક અણધારી રીતે, ઉત્પાદક) પાઠ બની રહી શકે છે. બસ, એ અનુભૂતિને કારણે લેખક આજે પણ જીવનની વ્યાખ્યા 'આવો, જુઓ, જાવ'એવી કરે છે.જિંદગીના સિક્કાની એક બાજૂએ દુઃખ છે તો બીજી બાજૂએ પ્રસંગમાંથી પસાર થતી વખતે કોઈ પણ વિચાર ન થવાથી નીપજતું સુખની તેમ જબીજે પક્ષે વિચારમાંથી જ જન્મતું સુખ,એવીબે છાપ છે. ગાંડુંઘેલું, ચિત્રવિચિત્ર, ઉત્પાદક-બિનઉત્પાદક વિચારોમાં 'રાચવા'માં પણ સુખ છે, બશર્તે તેની સાથે સંબંધ પ્રેમનો હોય.

દીપક સોલિયાએ તેમના લેખમાં મૂકેલ ફિરાક ગોરખપુરીના શેર અને તેના સંદર્ભથી જલસો પાડી શકાય -
પાલ લો એક રોગ નાદાં ઝિંદગી કે વાસ્તે,
સિર્ફ સેહત કે સહારે ઝિંદગી કટતી નહીં.
'સાર્થક જલસો'નાં લખાણને તેમનાં કદથી નહીં, પણ "વાચકને શું ગમે છે એનો વિચાર બીજા ક્રમે રાખીને પાઠકને શું ગમાડવાની જરૂર છે"નામાપદંડની ગુણવત્તાથી માપવાની સંપાદકોની નેમ પણ હવે બહુ જ પ્રસ્થાપિત પ્રણાલીની કક્ષાએ પહોંચી ચૂકેલ છે. હવે,આ ખાસ પ્રકારના વાચનના ચાહક વર્ગ સુધી પહોંચવાની વિતરણ વ્યવસ્થાનો કોઠો પણ પ્રકાશકો નજદીકના ભવિષ્યમાં જ ભેદી શકે તેવી,પ્રકાશકો તેમ જ સંભાવિત દરેક પાઠકોને, શુભેચ્છા સાથે…..અંક ૭ની... રાહ જોઈએ .....
/\/\/\/\/\/\
 સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:
  • બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા
  •  ઈ-પુસ્તક રૂપે ખરીદવા માટે - SaarthakJalso 6, અથવા
  • ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.

Thursday, May 26, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પુરુષ સૉલો ગીતો - સુરેન્દ્ર + અન્ય ગાયકો

૧૯૪૯નાં પુરુષ સૉલો ગીતોની ચર્ચા રૂપે આપણે  જી એમ દુર્રાની + તલત મહમૂદનાં સૉલો ગીતો
સાંભળી ચૂંક્યાં છીએ. હવે પુરુષ સૉલો ગીતોની સફરમાં આજે આપણે સુરેન્દ્ર અને એકલ દોકલ સંખ્યાવાળાં અન્ય ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.


સુરેન્દ્રનાં સૉલો ગીતો
ગાયક - અદાકારની ફિલ્મ સંગીતની પ્રથાનો ધ્વજ સ્ત્રી ગાયકોમાં જેટલો સુરૈયા એ આ વર્ષે  ઊંચો ફરકાવ્યો છે, તે કક્ષાએ તો નહીં પણ સુરેન્દ્રનાં પર્દા પર પોતે જ અભિનિત કરેલ ગીતો દ્વારા પુરુષ ગાયકોમાં ગાયક-અભિનેતાની પ્રથાની ૧૯૪૯નાં વર્ષમાં પણ નોંધ તો લેવી જ રહી.
મૈં તો હું ઉદાસ - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન   

ઝૂમ ઝૂમ કે નાચ રે મનવા - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન

અબ રાત ગઈ હૈ બીત - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન 

કિયું સમઝે હમેં પરવાના - ઈમ્તિહાન - શ્યામ બાબુ પાઠક - હરિ કૃષ્ણ 'પ્રેમી'    

'અન્ય ગાયકો'નાં એકલ દોકલ સૉલો ગીતો
સંખ્યાની દૃષ્ટિએ 'અન્ય ગાયકો'નાં ગીત ભલે છે એકલ દોકલ, પણ ૧૯૪૯નાં વર્ષ માટે આ ગીતો પુરુષ સૉલો ગીતોની મહત્ત્વની કડીની ભૂમિકા ચોક્કસપણે ભજવે છે.
આંખેં કહ ગયીં દિલકી બાત - લાડલી - એસ ડી બાતિશ - અનિલ બિશ્વાસ - ડૉ. સફદર 'આહ
વોહી રોતા હુઆ એક દિલ - લાહોર - કરણ દિવાન - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ   

દુનિયા તો યેહ કહતી હૈ, ઈન્સાન કહાં હૈ  - લાહોર - કરણ દિવાન - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ  

જ઼્ગમગ જ઼ગમગ કરતા નિકલા ચાંદ પૂનમ કા પ્યારા - રિમ ઝિમ - કિશોર કુમાર - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ    

ખુશી કી આસ રહી ઔર દિલ કો ઔર ખુશી ન મિલી - સાવન આયા રે - ખાન મસ્તાના - ખેમચંદ પ્રકાશ - આરઝૂ લખનવી   


ચાહતે હો ગર.. આંખેં લડાના છોડ દો - ચિતળકર - સિપાહીયા - સી. રામચંદ્ર - રામમૂર્તિ ચતુર્વેદી   

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૯નાં મુકેશનાં સૉલો ગીતો માણીશું.

Sunday, May 22, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે,૨૦૧૬ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001નાં ૨૦૧૫નાં સંવર્ધિત આવૃતિને પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ.

અત્યાર સુધી આપણે

                                              વિષે વાત કરી ચૂક્યાં છીએ.

આ મહિનાના આપણા અંકમાં આપણે સંસ્થાના સંદર્ભનાં એક મહત્ત્વનાં ઘટક - સંબંધિત હિતધારકો - વિષે વાત કરીશું.

કેમ્બ્રીજ બીઝનેસ ઈંગ્લીશ ડિક્શનરી 'હિતધારકો (Interested Parties)"ની વ્યાખ્યા આ મુજબ કરે છે - સંજોગો પ્રમાણે જેમને અસર થાય કે આ સંજોગોનો આર્થિક લાભ ઉઠાવવા માગતી હોય તેવી કોઈ પણ વ્યક્તિઓ કે સંસ્થાઓ'.
ISO સંચાલન તંત્ર સ્ટાન્ડર્ડ્સના સંદર્ભમાં, હિતધારક (interested party) એ કોઈ પણ છે જે કોઈ પણ નિર્ણય કે પ્રવૃત્તિ પર અસર કરી શકે, કે નિર્ણય (કે પ્રવૃત્તિ)થી અસર પામે, કે પછી જેને એવું લાગે કે એ નિર્ણય (કે પ્રવૃત્તિ)થી તેને અસર થશે.
ISO 9001:2015 – Interested Parties - Sara Gulo - આ સ્ટાન્ડર્ડ આટલાં વર્ષોથી ગ્રાહકોભુમુખી જ રહ્યું છે. પુરવઠાકારો, કર્મચારીઓ કે પછી નિયમનકારોને, કે સંસ્થાનાં માલિક કે વરિષ્ઠ સંચાલન મંડળ સુદ્ધાંને, ગ્રાહકની મુખ્ય આવશ્યકતાઓના વાહક તરીકે જરૂર જોવામાં આવતાં રહ્યાં છે. જે પરિણામો સિદ્ધ થાય તેના પર સીધી અસર કરી શકનાર પરિબળ તરીકે તેમની ભૂમિકા અત્યાર સુધી જોવામાં નહોતી આવી. સ્ટાન્ડર્ડનું નવું સંસ્કરણ જોખમ આધારિત વિચારસરણીનાં નવાં નવાં પડ ઉખેળીને ગ્રાહકને અસર કરી શકે તેવાં કોઈ પણ પરિબળ (જોખમ)ને હવે ચિત્રમાં લાવે છે. આમ, ગ્રાહકોને અસર કરી શકે તેવાં જોખમ તરીકે હવે, હિતધારકોને સ્ટાન્ડર્ડનાં અમલીકરણનાં ફલકમાં આવરી લેવાયાં છે. તેમની આવશ્યકતાઓને ગણતરીમાં લેવાનું હવે જરૂરી બની ગયું છે.

હિતધારકોને ત્રણ અલગ અલગ જૂથમાં વહેંચી શકાય :
સામાન્યપણે ફરજિયાત ગણવાં પડે તેવાં હિતધારકો: પરિણામો તેમ જ ગ્રાહક સંતોષ પરની વ્યાપક અને સીધી અસરને કારણે આ જૂથમાંનાં હિતધારકોને તો કદાપિ પણ ગણતરીમાંથી બહાર ન જ રાખી શકાય. જેમ કે, કોઈપણ સ્વરૂપ કે અંશમાં, (સ્વાભાવિકપણે) ગ્રાહકો, કે અંતિમ વપરાશકારો, કર્મચારીઓ, પુરવઠાકારો કે માલિકો કે નિયમનકારો

શકય હિતધારકો: આ એવું જૂથ છે જે પરિણામો કે ગ્રાહકના સંતોષ પર અસર કરે, કે ન પણ કરે. જેમ કે, કર્મચારી સંગઠનો કે બેંન્ક્સ (રોકાણકારો) કે પડોશીઓ.

સીધાં જ સ્વીકૃત હિતધારકો: કોઈ પણ કારણસર, પરિણામો કે ગ્રાહક સંતોષનાં પ્રતિતીકરણ માટે સંસ્થા જેનું મહત્ત્વ સ્વીકારે છે એવું જૂથ, ભલે ને પછી એ સંબંધ પહેલી દૃષ્ટિએ નજરે ન પણ ચડતો હોય.
How to determine interested parties and their requirements according to ISO 9001:2015 - Mark Hammar - ISO 9001 સ્ટાન્ડર્ડનાં ૨૦૧૫નાં સંસ્કરણમાં હવે એવી ઘણી આવશ્યકતાઓ છે જે સંબંધિત હિતધારકો અને તેમની આવશ્યકતાઓ નક્કી કરતી વખતે જે જાણકારી મળે છે તેને આવરી લે છે
  • ગુણવત્તા સંચાલન તંત્રના વ્યાપને નક્કી કરતી વખતે સંબંધિત હિતધારકોની આવશ્યકતાઓને આવરી લેવાનું રહે છે (કલમ ૪.૩).
  • જ્યારે પણ ઉચિત હોય જણાય ત્યારે ગુણવત્તા નીતિ હિતધારકોને ઉપલબ્ધ રહેવી જોઈએ (કલમ ૫.૨.૨).
  • જ્યારે પગેરૂપરખક્ષમતા (traceability) એ સંબંધિત હિતધારકોની આવશ્યકતા હોય ત્યારે તેના અભિલેખ (Records) જાળવવા જોઈએ (કલમ ૭.૧.૬).
  • ઉત્પાદનો કે સેવાઓ માટેની આવશ્યકતાઓમાં સંબંધિત હિતધારકોની લાગતી વળગતી આવશ્યકતાઓ પણ આવરી લેવાવી જોઈએ (કલમ ૮.૨.૩).
  • આલેખન અને વિકાસ (Design and development) પ્રવૃત્તિઓમાં આલેખન અને વિકાસ પર કેટલું નિયમન આવશ્યક છે જેવી બાબતો અને સંબંધિત હિતધારકોની અન્ય સ્પષ્ટ આવશ્યકતાઓ ગણતરીમાં લેવાવાં જોઈએ (કલમ ૮.૩).
  • સંચાલન સમીક્ષામાં સંબંધિત હિતધારકોના દૃષ્ટિકોણને આવરી લેવા જોઈએ. (કલમ ૯.૩)
Are all interested parties equally interested in the organization? - એક વાર હિતધારકો અને તેમની
આવશ્યકતાઓ નક્કી કરી લીધા પછી તેમનું બે પરિમાણોના સંદર્ભમાં વિશ્લેષ્ણ કરવું જોઈએ (સ્ટાન્ડર્ડની આ આવશ્યકતા નથી, પરંતુ આમ કરવાથી હિતધારકો અને તેમની અસરોને વધારે સારી રીતે સમજી શકાય છે).
  • પ્રભાવ
  • હિત

દરેક હિતધારક ની આવશ્યકતાઓનું ગુણવત્તા સંચાલન તંત્રના આલેખન અને અમલમાં મહત્ત્વ નક્કી કરવા માટે યોગ્ય અભિગમ આ બંને પરિણામોની સંયુક્ત અસરને અનુરૂપ નક્કી કરી શકાય. જેમ કે પ્રોજેક્ટ સંચાલનમાં ઘણી વાર હિતધારક વિશ્લેષણ (Stakeholder analysis )નો ઉપયોગ કરવામાં આવે છે.

આજના વિષયને લગતી કેટલીક વિડીયો ક્લિપ્સ પણ જોઈએ -

ISO 9001:2015ને સમજતાં: હિતધારકો \ Understanding ISO 9001:2015: Interested parties -
તમારાં ગુણવત્તા (કે પર્યાવરણ) સંચાલન તંત્ર સાથે ક્યાં હિતધારકો સુસંગત છે તે શી રીતે નક્કી કરશો? :::: ડિક્ષન બ્રાયન \ - Dixon Brian 

:::: ઍલૅર સિસ્ટૉક \ Alar Sistok

હિતધારકોનું વિશ્લેષ્ણ શી રીતે કરવું? \ How to make an analysis of interested parties? 

સંચાલન તંત્રને લગતાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સનાં નવાં સંસ્કરણો હવે સંસ્થાનાં વરિષ્ઠ સંચાલન મંડળપાસેથી વધારે સક્રિયાત્મક અને વિગતોની વધારે ઊંડાણમાં જનારી ભૂમિકા સૂચવે છે. એટલે આપણા બ્લૉગોત્સવના જુન ૨૦૧૬ના અંકમાં આપણે સંચાલન તંત્રવ્યવસ્થામાં વરિષ્ઠ સંચાલન મંડળનું નેતૃત્ત્વ વિષે વાત કરીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમ, ASQ’s Influential Voiceમાં મિલ્વૌકી, અમેરિકામાં ૧૬-૧૮ મે, ૨૦૧૬ના યોજાયેલ ગુણવત્તા અને સુધારણા પરનાં વૈશ્વિક અધિવેશન \ World Conference on Quality and Improvementનો પરિચય કરાવે છે. આ અધિવેશનની વધારે વિગતો પણ આપણને જૂન ૨૦૧૬ના અંકમાં જાણવા મળશે.

આ માસનાં ASQ TV વૃતાંત માં તાજેતરમાં પ્રકાશિત વિડિયો ક્લિપ્સ જોઈએ :
  • The Voice of the Customer - પ્રસ્તુત અંકમાં 'ગ્રાહકના અવાજ \the voice of the customer (VOC)નો ઉપયોગ ગુણવત્તા માટે મહત્ત્વની લાક્ષણિકતાઓ ખોળી કાઢવા માટે શી રીતે કરવો તે કૉફીનો ઉત્કૃષ્ટ કપ કેમ બનાવવાનાં દૃષ્ટાંત વડે સમજાવાયું છે. તે ઉપરાંત સામાજિક માધ્યમો પણ ગ્રાહકના અવાજ(VOC)ને વિસ્તારવામાં શી ભૂમિકા ભજવે છે તેમ જ ગ્રાહકવિષે જે માહિતી ઑન-લાઈન મળે છે તેનો વિશાળ-માહિતીઆધાર સામગ્રીનાં વિશ્લેષણ (big-data analysis)વડે કેમ મહત્તમ લાભ ઉઠાવવો તેની પણ વાત કરવામાં આવી છે.
Jim L. Smithનાં એપ્રિલ, ૨૦૧૬નાં Jim’s Gems નો પણ આસ્વાદ કરીએ.
  • Quality Professionals Should Lead the Parade - સંસ્થામાં જે કંઈ પણ ખોટું થઈ રહ્યું હોય તેના માટે વરિષ્ઠ સંચાલકોને દોષ દેવામાં આવતો હોય એ બહુ અસામાન્ય વાત ન કહેવાય. પણ હવે એ અભિગમ બદલવા માટેનો સમય પાકી ચૂક્યો છે ! મુદ્દાનો સવાલ એ છે કે, શું તમે ગુણવત્તાની મૂળ તકનિકોની શક્તિને દાખલા દલીલોથી સમજાવવા માટે જે સમય અને શક્તિ જોઈએ તે કામે લગાડવા તૈયાર છો ખરાં? આ કવાયતની આગેવાની લેવા તમે તૈયાર છો કે પછી ફરિયાદો કરીને બેસી રહેવાનું પસંદ કરશો?
  • Remain Determined - 'કંઈક મહત્ત્વનું' કરવા માટેના પહેલા જ પ્રયાસની નિષ્ફળતાથી જો તમને
    નિરાશા થતી હોય એ પ્રયાસો છોડી દેવા માટે પૂરતું કારણ નથી. જેમ્સ વ્હીટ્કૉમ્બ રીલૅનું કહેવું છે કે, 'સહુથી જરૂરી પરિબળ છે ખંત - હતોત્સાહ કરતાં કોઈ પણ પરિબળો કે સંજોગોથી આપણી શક્તિ કે ઉત્સાહને ક્યારે પણ મોળાં ન પડવા દેવાં'.
  • Give Your Best - જે કોઈ પણ કામ કરવાનું આવે તે કરવા ખાતર કરવા કરતાં કંઈક વધારે કરવું. બાસ્કેટબૉલના મહાન કૉચ જોહ્ન વુડૅનનું કથન યાદ કરો - તમારાથી જે શ્રેષ્ઠ બને તે કરી છૂટો. તેનાથી વધારે તો કોઈ પણ ક્યાં કરી શકવાનું છે.'[i]
આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....


[i]  The Difference Between winning and Succeeding