ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
ગીતા રોય
(દત્ત)ને હિંદી ફિલ્મ સંગીતનાં 'વીન્ટેજ એરા'નાં ગાયિકાઓ અને
પછીના 'સુવર્ણ યુગ'નાં પાર્શ્વગાયિકાઓને જોડતી કડી કહી
શકાય - 'વીન્ટેજ એરા'નાં ગાયિકાઓ જેવો તેમના અવાજમાં ભાર
હતો તો તે સાથે 'સુવર્ણ યુગ'નાં ગાયિકાઓ જેવી તેમના અવાજમાં તીખી
ધાર પણ હતી. આમ તેઓ અમુક સંગીતકારો માટે ફિલ્મની મુખ્ય નાયિકા માટે અથવા તો
ફિલ્મની સમાંતર નાયિકા માટે બહુ સ્વાભાવિક પસંદગી બની રહેતાં હતાં. ૧૯૪૦ના
દાયકામાં હિંદી ફિલ્મોમાં બહુ હલકાં ફુલ્કાં ગીતો અપવાદ રૂપે જ જોવા મળતાં.
૧૯૪૯નાં વર્ષમાં આપણને એવું એક હળવા મૂડનું ગીત પણ ગીતા રોયના સ્વરમાં સાંભળવા
મળશે.
[આ ફિલ્મનાં બારે બાર ગીત ગીતા દત્તનાં સ્વરમાં હતાં. ફિલ્મની નાયિકા
હતી નરગીસ. પણ નરગીસની જે ફિલ્મનાં ગીતોને અપ્રતિમ સફળતા પ્રાપ્ત થવાની હતી તે હતી
'બરસાત'.
અને 'બરસાત'નાં બધાં જ
સ્ત્રી ગીતો હતાં લતા મંગેશકરના સ્વરમાં!!]
ન તુમ મેરે ન દિલ મેરા, અજબ બેબસ હૈ મેરી - દિલ કી બસ્તી - ગ઼ુલામ મોહમ્મદ
- વહીદ ક઼ુરેશી
ચાંદની રાત હૈ, ગુલશન મેં બહાર... - એક થી લડકી - વિનોદ - અઝીઝ કશ્મીરી
દુખોમેં જો મુસ્કરા રહે થે - ગરીબી - બુલો સી રાની - શેવાન રીઝવી
આ ફિલ્મ ગુજરાતીમાં પણ બની હતી. ગુજરાતી વર્ઝન માટે ગીતો લખ્યાં પણ
સંગીતબદ્ધ પણ અવિનાશ વ્યાસે કર્યાં હતાં. બંને ફિલ્મોનાં ગીતોમાં ભાષા સંસ્કૃતિને
બરકરાર રખાઈ છે. હા,
બંને વર્ઝનનાં સ્ત્રી ગીતો ગાયાં હતાં ગીતા
રોયે. –
એક ગીતનાં અનેક સ્વરૂપ
શૄંખલાના પહેલા પડાવમાં પુરુષ-સ્વરમાં ગવાયેલ જોડીદારએકલ ગીતોના અલગ અલગ પ્રકારોને આપણે જુદાં જુદાં ગીતોનો
ઉદાહરણો વડે માણી ચૂક્યાં છીએ..
હવે આપણે બીજા પડાવમાં સ્ત્રી-સ્વરમાં
ગવાયેલ જોડીદાર એકલ ગીતો ગીતોના અલગ અલગ પ્રકારોની વાત કરીશું.
બંને સ્વરૂપનાં ગીતોમાં સ્વર
તો એ જ પાર્શ્વગાયકનો જ હોય તે વધારે પ્રચલિત પદ્ધતિ રહી છે, પણ એમાં ક્યાંક અપવાદ પણ જોવા મળે છે.
અભી તો મૈં જવાન હૂં
આમ તો આ શૃંખલામાં આપણે એક જ
ફિલ્મમાં ફિલ્માવાયેલાં ગીતનાં વિવિધ સ્વરૂપને જ સામેલ કરેલ છે. પણ એક બંદિશનાં
વિવિધ સ્વરૂપમાં સ્ત્રી સ્વરમાં ગવાયેલું એક ગીત એવું છે જેની વાત સૌથી પહેલી જ ન
કરીએ તો પછીની આખી શ્રેણીમાં કંઈ ખૂટ્યા જ કરતું હોય તેમ લાગે. એ ગીત છે - અભી
તો મૈં જવાન હૂં.
આ સાથેની વીડિયો ક્લિપમાં
જોઈ શકાય છે કે ગીતને @૧.૩૦ પછીથી કોઈ અલગ અંધાજમાં
જ ફિલ્માવાયું છે.નાયિકા નૃત્ય નાટિકા જૂએ છે જેમાં આ ગીતને વાદ્યસૂરમાં ભજવાય છે, અને નાયિકાની યાદોને તાજી કરી જાય છે.
હિંદી ફિલ્મોના ચાહક વર્ગ
માટે જેટલું લતા મંગેશકરના સ્વરવાળું ગીત જવાન લાગે તેટલું શાસ્ત્રીય ગ઼ઝલ ગાયકીના
ચાહકોને માટે અ ગીત જવાન મલિકા પુખરાજના સ્વરમાં છે. અહીં મરજૂ કરેલી ક્લિપમાં
તેમની દૂરદર્શન માટેની ખાસ લાઈવ રજૂઆત છે.
તાહિરા સયૈદ - મલિકા
પુખરાજનાં પુત્રી - એક લાઈવ કન્સર્ટમાં–
નુરજહાન - પાકિસ્તાની ફિલ્મ 'અભી તો મૈં જવાન હું'માં- આ ક્લિપ સાથેની માહિતી મુજબ
આ ગીત ૧૯૭૮માં રજૂ થયું હતું.. જે ગીતની 'અભી તો મૈં જવાન' દાવાની કેફિયત ગણી શકાય...
એક ગીત આનંદ અને
બીજું ગીત કરૂણ ભાવને વ્યકત કરતું હોય
ગીતની ધુન, ઢોલકની તાલ વાદ્ય તરીકે સંગત, શંકર જયકિશનનાં ગીતોની આગવી
પહેચાન બની જનાર પ્રીલ્યુડ તેમ જ અંતરાની વાદ્યસજ્જા... પહેલી જ ફિલ્મમાં પોતાનાં
આગમનની સવારીનાં ડંકા નિશાન તરીકે નીખરી ઊઠે એવું છટાદાર ગીત
મિલન અને પ્રેમની સાથે
વિરહની વેદના વગર હિંદી ફિલ્મોમાં અધુરાશ જ રહી જતી જણાય.. કરૂણ ભાવનાં ગીતમાં લય, વાદ્ય સજ્જા અને લતા મંગેશકરની ગાયકી શૈલીને જુદાં જ સ્વરૂપે રજૂ કરાયેલ છે.
આડવાત:
૧) રાજ કપુર અને શંકર જયકિશન
દ્વારા તેમની ફિલ્મોનાં ટાઈટલ ગીતનો ઉપયોગ ફિલ્મના ક્લાઈમેક્ષને ખૂબજ નાટકીય રીતે
પેશ કરવાનો પ્રયોગ પણ આ ગીત દ્વારા જ કરાયો હતો.
૨) કહેવાય છે કે 'બરસાત' પહેલાં શૈલેન્દ્ર બહુ નાણાંકીય ભીડમાં હતા. રાજ કપુર તેમને
નાની મોટી મદદ તો કરતા રહેતા, પણ તે સાથે પોતાની ફિલ્મ
માટે ગીત લખવા માટે પણ સમજાવતા રહેતા. શૈલેન્દ્રને વાત બહુ જચતી નહોતી. આખરે
જ્યારે તેઓ તૈયાર થયા ત્યારે ફિલ્મનાં બીજાં બધાં ગીતો તો હસરત જયપુરી લખી ચૂક્યા
હતા. પણ શૈલેન્દ્રનાં નસીબમાં તેમની કાયમ માટેની આગવી ઓળખ ઊભી કરવાની તક તેમના
દરવાજે રાહ જોતી હશે ! તેમણે ફિલ્મનાં ટાઈટલને સમાવી લેતો આ મુખડો ઊભા ઊભ જ રચી
નાખ્યો. અને બસ તે પછી તો તેમના બારે મેહ કાયમ ખાંઘા થઈને બરસતા જ રહ્યા....
ગીતનાં પહેલાં વર્ઝનમાં
નાયિકા બાળકને સુવરાવી રહી છે
જ્યારે બીજાં વર્ઝનમાં
પિયાનો વગાડતાં વગાડતાં, જાણે કોઇની રાહ જોઈ રહે તેમ
પોતાના વિચારોમાં ખોવાયેલ છે. પણ એ અજાણ જ્ણાય છે કે પેલું બાળક તો નાયકના ખોળામાં
મૃત્યુ પામી ચૂક્યું છે અને હવે તે ઘરે લાવવાની તૈયારીઓ ચાલી રહે છે.
યે ઝીન્દગી ઉસીકી હૈ, જો કિસીકા હો ગયા, પ્યાર હી મેં ખો ગયા - અનારકલી (૧૯૫૩)- લતા
મંગેશકર - સી. રામચંદ્ર
ફિલ્મમાં આ વર્ઝન અભિસારના
ભાવને વ્યક્ત કરતી સીચ્યુએશનમાં ફિલ્માવાયું છે. ગીતના શબ્દોમાં આમ તો
કરૂણાના ભાવ છુપાયેલ છે, પણ શરૂઆતથી ગાયકીમાં જ આનંદ
ડોકાતો રહે છે.
બીજું વર્ઝન તો અનારકલીના
રાજા અને સામાન્ય માનવીના વર્ગભેદમાંથી ઊઠતા આર્તનાદના સુર જ વહાવે છે
અત્યાર સુધી હલકાં ફુલકાં
ગીતો બનાવનાર, તેમાં પણ પાશ્ચાત્ય ધુનનો વધારે ઉપયોગ કરનાર સંગીતકારની ઊભી
થયેલી છાપમાં સી રામચંદ્રની અસલી ઓળખ વાદળાંઓમાં છૂપાયેલા ચંદ્રની જેમ ક્યારેક
ઝલકતી રહેતી હતી, તે 'અનારકલી'માં અજવાળીયાંની પુનમના થાળી જેવા ચંદ્રની જેમ પ્રકાશી ઊઠી.