Wednesday, November 1, 2017

'સાર્થક - જલસો: ૯: ઓક્ટોબર, ૨૦૧૭



'સાર્થક જલસો'એ આજકાલ કરતાં પાંચ દીવાળીઓ જોઈ કાઢી અને હવે તેનો નવમો અંક આપણા હાથમાં છે.
બે પૂંઠા્ની વચ્ચે 'જલસો-૯'નો રસથાળ શું શું વાનગી પીરસે છે તેનો પરિચય કરી લઈએ.
'જલસો-૯'અંકની શરૂઆત જ બે રસપ્રદ લેખોથી થાય છે. પહેલો છે હસમુખ પટેલનો લેખ 'કટોકટીમાં જેલવાસનાં સંભારણાં' અને બીજો લેખ છેમૂળ અંગ્રેજીમાં લખાયેલ રામચંદ્ર ગુહાનો 'લોકશાહી ભારતમાં પહેલી ચૂંટણી'.બન્ને લેખ આમ તો દેશની બહુ દૂરના નહીં એવા ભૂતકાળ પર નજર કરે છે, પણ જૂદા દૃષ્ટિકોણથી.
'કટોકટીમાં જેલવાસનાં સંભારણા'માં હસમુખભાઇએ કટોકટીની બહુચર્ચિત રાજકારણી ચર્ચાઓ કે જેલવાસમાં રખાયેલ ખાસ કટોકટી-રાજકીય-કેદીઓ'સાથે કરવામાં આવેલ વર્તાવના 'રૂંવાડાં ઉભાઃ કરી દે તેવાં' વર્ણનોની કેડી નથી પકડી. આ જેલવાસનાં પ્રસંગોનાં વર્ણનની રજૂઆત માટે તેમણે હાસ્ય રસનું માધ્યમ પસંદ કર્યું છે. ઘટનાનાં વર્ણનો અને રહેવાસીઓની વર્તણૂકની હળવાશમય રજૂઆતની સાથે એ સર્વે જેલવાસીઓની રાજકીય વિચારસરણીની સચોટ રજૂઆત કરવામાં હસમુખભાઈએ કચાશ નથી છોડી. એ જેલવાસ દરમ્યાન, રોચક સંજોગોમાં, હસમુખભાઈનું મંદાબહેન સાથેનાં થયેલ લગ્નનું સંભારણું આપણા માટે 'જલસો-૯'ની એક મધુરી યાદ બની રહે તેમ છે.
'લોકશાહી ભારતની પહેલી ચૂંટણી'માં ૨૧ કે તેથી વધુ વયના ૧૭.૬ કરોડ મતદરોમાં ૮૫ ટકા નિરક્ષર,સંસદની ૫૦૦ અને પ્રાંતીય ધારાસભાઓની બીજી ૪૦૦૦ જેટલી બેઠકો માટે ૨.૨૪,૦૦૦ મતદાન કેન્દ્રો, મતદાર પેટીઓ બનાવવામાં વપરાયેલ ૮,૨૦૦ ટન સ્ટીલ, કે મતદારયાદીઓ છાપવા માટે ૩,૮૦,૦૦૦ રિમ કાગળના વપરાશ જેવી (શુષ્ક) ભૌતિક બાબતો આ ચૂંટણીની કવાયતની 'ગંજાવર સમસ્યા'નાં સ્વરૂપને તાદૃશ કરે છે. તે સાથે તે સમયની વૈશ્વિક સાંદર્ભિક પરિસ્થિતિ, દેશમાં રાજકીય પક્ષોની સ્થિતિ અને મનોદશા, ચૂંટણી પ્રચારનું માહોલ અને પ્રચારની ભાતભાતની પધ્ધતિઓ જેવી જીવંત રજૂઆત આપણી લોકશાહીને પ્રાણવાન બનાવવામાં ચૂંટણીના યોગદાનનું એક મહત્ત્વનું પાસું આપણી સમક્ષ મૂકે છે.
આરતી નાયરનો સવાલ 'શું તમારો ખભો ભરોસાપાત્ર છે?' એ સૌ લોકો માટે છે જેના પર તેમની કોઈ નજદીકની વ્યક્તિ પોતાના પ્રશ્નો બાબતે સમજણ જેવી સૂક્ષ્મ બાબતે ભરોસો રાખીને પોતાની, કહેવાય નહીં અને સહેવાય નહીં એવી, નાજૂક સમસ્યા માટે આધાર રાખતી હોય. તેમાં પણ એ  બાબત જો તે વ્યક્તિ સમલૈંગિક હોવાને લગતી હોય. તો પણ તમારો ખભો એને રાજીખુશીથી ટેકો કરતો રહેશે ખરો?  જો કે આજે હવે દરેક સમજુ સમાજ આસપાસનાં લોકોની વર્તણૂક તેમની અંદર રહેલ જન્મજાત, પ્રાકૃતિક વલણોને કારણે છે એ (ભલે ધીમે ધીમે, પણ) સ્વીકારતો થવા લાગ્યો છે. આને કારણે 'અરસાથી ધરબાયેલી પડી હતી...એ (વાતો) ધીમે ધીમે છતી થઈ રહી છે.
ઝવેરચંદ મેઘાણીની પહેલવહેલી મૌલિક નવલકથા 'પ્રકૃતિ અને વિકૃતિના મુદ્દે મેઘાણીની અહાલેક : 'નિરંજન'  સમલૈગિકતા એ આજના સમયની વાત છે એવું માનનારાં લોકોની સમજના બંધ દરવાજાના તાળાં ખોલી નાખે એવી ચાવીરૂપ છે. 'નિરંજન' ૧૯૩૬માં લખાયેલી છે. અહીં રજૂ કરેલ એ નવલકથાનાં બે પ્રકરણમાં મેઘાણીની વૈચારિક સ્પષ્ટતા અને મૌલિકતા આજે આઠ દાયકા પછી પણ એટલી તાજગીસભર અને પ્રસ્તુત અનુભવાય છે.
'અન્ય અને અન્યાય'માં દીપક સોલિયા આપણા જેવી, આપણા જૂથની, આપણા સરખી જ અભિરુચિઓ ધરાવતી, આપણા ક્લોન સમી - અન્ય - વ્યક્તિ માટેની આપણી સંકુચિતતાને સમજાવવા 'મેટ્રિક્સ' શ્રેણીના વિલન, સ્મિથ,નાં દૃષ્ટાંતને આપણી સમક્ષ રજૂ કરે છે. અન્યનાં અન્યપણાનાં વૈવિધ્યને ન સમજવામાં અને તેમાંથી જન્મતા અસ્વીકારમાં સમસ્યાનું મૂળ રહેલ છે. આ સમસ્યાને 'વ્યાપક હિત'ના વાઘા પહેરાવવાની ભાગેડુવૃતિ પણ નજરે પડતી હોય છે. તો ક્યારેક 'દુનિયામાં જે પરિવર્તન ઈચ્છો છો તે પોતાની જાતથી શરૂ કરો' જેવી માન્યતાનો અમલ  પોતાનાથી શરૂ કરતી ગાંધીજી જેવી વ્યક્તિઓ પણ દૃષ્ટિગોચર થતી રહે છે. દીપક સોલિયાનું કહેવું છે કે અન્યને સમજવાનું અને સ્વીકારવાનું કામ એટલું બધું અઘરું નથી. 'અન્ય'માં જ્યારે આપણને કંઈ અજૂગતું દેખાય, ત્યારે તેની જગ્યાએ આપણી જાતને મૂકવાથી, વાંધાવચકાની તીવ્રતાની માત્રા ઘટી શકે છે. બીજાં પાસેથી જે વર્તનની અપેક્ષા છે તેવું વર્તન આપણે બીજાં સાથે કરીશું તો સમસ્યા અડધી તો થઈ શકે !
બાળપણની નિર્દોષ જણાતી યાદની સાથે સંકળાયેલી લાગણીઓની ઝીણી કસક મોટાં, સમજદાર, યુવાન થયા પછી પણ કેવી તીવ્ર બેચેની જગાવી જાય છે તેનું ધૈવત ત્રિવેદીએ 'મારા ભત્રીજા...મારા ભાઈના લાખેણા વસ્તાર, મને મહુવા લય જાને...'માં કરેલું આત્મકથાનક વર્ણન, આપણાં હૃદયને પણ આળું કરી મૂકે છે.
ભોપાલના પાંચેક મહિનાના મુકામ દરમ્યાન ચેતન પગીના વિવિધ અનુભવોએ 'ગુજરાતી કમ હિંદીભાષી' કેમ કરી મૂક્યાની 'મૈં કે રિયા હૂં' અદામાં રજૂ કરેલી દાસ્તાન  વાંચતાં વાંચતાં આપણે પણ 'ભોપાલ - બૈઠકર જીનેકી ઉત્તમ વ્યવસ્થા'ની લુત્ફ માણવા અધીર બની જઈએ છીએ.
મહેસાણામાં જન્મેલ અને ઉછરેલ મમ્મીના પુત્રી પુનિતાબેન (અરુણ હર્ણે) 'ફીણીને ખીચડી ખાવાની અને દૂધ સબડકા સાથે પીવાનું અને પોળનાં અડી અડીને ઊભેલાં ઘરોની ત્રીજા માળની બારીમાંથી ઘરનાં બાળકોને પોતાને ઘરે રમાડવા લઈ લેતાં પાડોશીઓની અમદાવાદની પોળની મિશ્ર સંસ્કૃતિમાં ઉછર્યાં. આગલી સાંજે વધેલી ખીચડી અને બટાકાના શાકમાંથી રૂપાંતરીત થતી મુગડી માએ રોપેલા સંસ્કારનું પ્રતિક બની. મૂળ મરાઠી પણ અમદાવાદમાં સ્થાયી થયેલ સાસરામાં આઈ (સાસુ) પાસે વધેલી રોટલીના હાથથી કરેલ બારીક ભૂકામાં ડુંગળી, ગાજર, સુતરફેણી જેમ લાંબી કાપેલ કોબી, લીલાં મરચાં વગેરેમાંથી બનતી 'શીપોકુ'ના સ્વરૂપે એ સંસ્કાર ઊગ્યા, ટક્યા અને વિસ્તર્યા છે. 'મુગડી કે શીપોકુ ચાખ્યાં છે કદી?'માં સંસ્કૃતિનાં આવાં આગવાં મિશ્રણ સમાં વ્યક્તિત્વવાળાં લેખિકા સાથે વાચક તરીકે પરિચય કરવાની અને આ બન્ને વાનગીઓને શબ્દાર્થ ચાખવાની તક મળે છે - સાચે સાચ આ વાનગીઓ આસ્વાદ કરવા મળે તેવી ભૂખ પ્રદિપ્ત થવાના વધારાના નફા સાથે. 
'વડોદરાની વિખ્યાત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ'નું "'આઉટસાઈડર' દ્વારા અંદરનું દર્શન"ને બીરેન કોઠારીની કલમનાં શબ્દ રેખાચિત્ર સ્વરૂપમાં માણવાનો જલસો ખૂબ મજા પડે એવો છે. લેખમાંની વિગતોને ખાસ ધ્યાનપૂર્વક વાંચવાથી તેનો રસ વધારે ઝરશે.
શિક્ષણની મૂળ મુદ્દે શું જરૂરિયાત છે ત્યાંથી શરૂ કરીને  એ શિક્ષણ કેવી રીતે મળે, હાલની પરિસ્થિતિમાં શિક્ષણ એટલે શું રહી ગયું છે જેવા પાયાના મુદ્દાઓની વાત કાર્તિકેય ભટ્ટ 'બંધાયેલા શિક્ષણમાંથી જ્ઞાનની સુવાસ ક્યાંથી પ્રગટે?"માં કરે છે. પછીથી સારા શિક્ષણ માટે શું હોવું જોઈએ એ અંગે ટુંકાણમા અંગુલિનિર્દેશ કરે છે. જેમકે, શિક્ષણ માટેનો આશય જો જ્ઞાનપ્રાપ્તિ હોય તો સારો શિક્ષક જોઈએ, જે 'હું દરેક દિશામાંથી જ્ઞાન મેળવીશ અને મને કોઈનાય પ્રમાણપત્રની જરૂર નથી'એ ભાવનાને સાર્થક કરે. તેઓ આગળ વધતાં નોંધે છે કે આપણે ત્યાં શિક્ષણનું ખાનગીકરણ થયું જ નથી. શું ભણવું?, કેવી રીતે ભણવું ? આ બધું તો આજે પણ સરકાર નક્કી કરે છે; 'કોણ ભણાવશે' એટલું જ માત્ર ખાનગીકરણ થયું છે. એટલે 'શિક્ષણ'ને સારાં મકાનો, સારાં પ્લેસમેન્ટનાં જેવાં આકર્ષક પેકેજીંગ રાષ્ટ્રીય કક્ષાના રેન્કીગના સ્કોર જેવાં બ્રાન્ડીગ રાષ્ટ્રીય કક્ષાના રેન્કીગના સ્કોર જેવાં કરીને મોઘું એ જ સારૂં એ રણનીતિથી વેંચવાનું શરૂ કરાયું છે. શિક્ષણ સંસ્થા સ્થાપનાર સાહસિકનાં ખીસ્સાં ઊંડાં હોય અને પહોંચ સારી એવી ફેલાયેલી હોય તો તે વિદ્યાર્થી અને શિક્ષક બન્ને પાસેથી ધાર્યું કરવી લઈ શકે છે. શું કરવું જોઇએ એ અંગે બહુ સ્પષ્ટ ખયાલો કાર્તિકેયભાઈએ રજૂ કર્યા છે. આશા કરીએ કે આવી ચર્ચાઓ હવે  જમીન પરનાં 'કેમ કરવું'નાં નક્કર પગલાં સ્વરૂપે આવનારાં વર્ષોમાં અમલ થતી જોવા મળે.
(સારી) નોકરી કે કારકીર્દી જેવા હેતુઓથી શિક્ષણ તરફની દોડ વિદ્યાર્થીઓમાં - અને કેટલેક અંશે માબાપમાં પણ - પરીક્ષામાં સારા ગુણ લાવવાની સ્પર્ધા હવે અનહદ તાણ પેદા કરે છે. પરિણામે, વિદ્યાર્થી ક્યાં તો સ્વીકૃત નીતિરીતિની બહારની પધ્ધતિઓ અપનાવવા તરફ લલચાય છે અથવા તો ઘર છોડી ભાગી જવું કે આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં લઈ બેસે છે. સૂક્ષ્મજીવશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક તરીકેની દીર્ઘકાલીન સેવાઓ આપી ચૂકેલા પીયૂષ એમ પંડ્યા પણ તેમનાં એફ વાય બી એસ સીનાં વર્ષની પ્રિલિમનરી પરીક્ષા સમયે આ તાણમાં તપોભંગ થઇ ચૂક્યા હતા.  એ સ્વાનુભાવનાં વર્ણનથી શરૂ થતા લેખ 'ચોરી તો નહીં કી હૈ'માં લેખક (પરીક્ષાના સંદર્ભમાં) ચોરી અને ગેરરીતિ વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખાને સ્પષ્ટ કરે છે. અત્યારે જે પ્રકારનાં પગલાંઓ લેવાતાં જોવા મળે છે તેની સામે ખરેખર કેવાં પગલાં લેવાં જોઇએ તે પણ તેમણે જણાવ્યું છે. તેમણે સૂચવેલાં પગલાઓ લેવાની કેટલી સારી અસર પડી શકે છે તેનું એક સ્વાનુભવનું ઉદાહરણ પણ લેખમાં ટાંકવામાં આવ્યું છે.
ઉત્ક્રાંતિના અલગ અલગ તબક્કામાં વિકાસ પામતો માનવી આધુનિક બને છે? મોડર્ન કે ફોરવર્ડ ગણાવું સારૂં કે 'ડાહ્યા' ગણાવા માટે રીતરસમોને અનુરૂપ થવું સારૂં ? વેપારધંધાના હિસાબો રાખવાનાં કમ્યુટર સાથે ચોપડાપૂજનનાં મૂહુર્તમાં શુકન તરીકે લાલ પૂંઠાવાળો રોજમેળ પણ રાખવો? શહેરી આયોજન જેવા સ્થાપત્યના વિષયના અધ્યાપક ઋત્તુલ જોષીના લેખનું શીર્ષક "'મોડર્ન છતાં ડાહી માતા' અને આધુનિકતાની સામેની લડાઈઓ" આવા અઘરા સવાલોના સરળ જવાબ ખોળવાની દિશામાંના પ્રયાસનું ઉપયુક્ત સૂચક પરવડે છે.લેખના છેલ્લાં વાક્યમાં તેમનો જવાબ પણ બહુ સ્પષ્ટ છેઃ 'મારા પૂર્વજોએ જે કર્યું તે જ, આંખ મીચીને મારે કરવું જરૂરી છે? જો જવાબ 'ના' હોય તો નવો ચીલો ચાતરવા મંડી પડવું જોઈએ.'
'અબ તુમ્હારે હવાલે નમન સાથિયો'માં દીપક સોલિયા 'ડરપોક ગુજરાતીઓને ફોજ સાથે લેવાદેવા નથી', 'ફોજીઓને માનવતા અને કરુણા ન પાલવે', 'દેશની સુરક્ષામાં પૈસાદારોની ભૂમિકા નથી', 'ફોજીનો દુશ્મન એક જ છે: સામેનો ફોજી' જેવી ફોજ, ફોજીઓ અને દેશાભિમાન જેવી બાબતોની ગેરસમજ વિષે થોડી વાતો માંડે છે. અને લેખના અંતમાં બેયોનેટની ધાર જેવા બે તીક્ષ્ણ સવાલ આપણી સમક્ષ મૂકે છે -

૧) જગતનાં તમામ યુદ્ધો અને તમામ શહીદીઓ સરવાળે યુદ્ધનો ઈલાજ શોધવામાં શાસકોને મળેલી નિષ્ફળતાનું પરિણામ ગણી શકાય કે નહીં?
૨) ભારતને ધિક્કારતો એક પાકિસ્તાની, કે પાકિસ્તાનને ધીક્કારતો એક ભારતીય, છેવટે બન્ને દેશો વચ્ચેની તંગદિલી વધારવા બદલ, યુદ્ધની (અને પરિણામે બન્ને દેશોના જવાનોની શહીદીની) સંભાવના વધારવા બદલ, સાવ થોડા જ અંશે ભલે, પણ જવાબદાર ખરો કે નહીં?

'સાર્થક જલસો'ના નિયમિત વાચકો ચંદુભાઈ મહેરિયાની (શબ્દાર્થ તેમ જ ભાવ્યાર્થ) સૂક્ષ્મ વિગતોને જરૂરી હોય એટલા જ શબ્દોમાં કહેવાની તેમની સરળ શૈલીથી પરિચિત છે. 'આ બધી ઘરની ધોરાજી નો''માં ૧૫ જૂન, ૨૦૧૫થી તેમની નિવૃતિ સુધીના 'ધોરાજીમાં બે વર્ષ'ના વસવાટ દરમ્યાન તેમણે જોયેલ જાણેલ અને અનુભવેલ 'ધોરાજીના સ્વર્ગ'નું સર્વગ્રાહી ચિત્રણ તેમણે તેમની આ જ આગવી શૈલીમાં કર્યું છે.
'..તેરા સાથ ના છોડેંગે' એ તુમુલ બૂચ રચિત 'હિમાલયના પહાડોમાં પ્રિય શ્વાનના વિરહ અને મિલનની પ્રેમકથા'છે. વાર્તાના નાયક અનિકેતને  અકસ્માતે જ એ શ્વાન મળી ગયો હતો, પણ અનિકેતના ઉછેરને કારણે રખડુ કૂતરામાંથી તે એટલી હદે શાલીન 'અઝોગ' બની ગયો કે અનિકેતનો પ્રવાસપ્રેમ અને સાહસિકતા પણ તેનામાં ઉતરી આવ્યાં હતાં. સંજોગો અનિકેત અને અઝોગને મનાલી સુધી લઈ જાય છે. અહીં અઝોગ ક્યાંક જતો રહે છે અને છ મહિનાને અંતે બીજે ક્યાંકથી પાછો મળી આવે છે. વાત અને ઘટનાઓ સાવ સાદાં લાગે,પણ લેખકની રજૂઆત તેને પૂરેપૂરી રીતે રસાળ બનવવામાં સફળ રહે છે.
હિંદી ફિલ્મની માર્મિક બાબતોના ચાહકો માટે હરીશભાઈ રઘુવંશીએ તેમના અખૂટ ખજાનામાં 'અભરાઈ પર ચડેલી* ફિલ્મોનું આલ્બમ'ના રૂપમાં સંગ્રહ કરવા લાયક રત્નોનું નજરાણું પેશ કર્યું છે. '*જાહેર થયા પછી ન બનેલી, શરૂ થયા પછી અધૂરી રહેલી, બન્યા પછી રજૂ ન થયેલી કે બદલાયેલા કલાકારો સાથે રજૂ થયેલી' ફિલ્મો વિષેની અસલ જાહેરખબરો જેવી દુર્લભ માહિતી તો અસલ લેખ જોયે જ માણી શકાય. આચમની માટે એક નમૂનો અહીં મૂક્યો છે –

ખૂબ સંઘર્ષ કરીને પોતાને મનગમતા શોખને સફળ વ્યવસાયમાં રૂપાંતરિત કરી શક્યા એવા દાખલા જૂજ હશે, પણ આજે હવે એ સંઘર્ષનું દસ્તાવેજીકરણ પ્રબળ બનતું થયું છે એ બાબતે કોઈ વિવાદ નહીં હોય. પણ પોતાના શોખને જીવનમાં આગળ જતાં મનોવાંછિતપણે (પૂર્ણસમયના) વ્યવસાય તરીકે ન બનાવી શક્યાં હોય એવાં કેટલાંય લોકોની કહાની તો ગુમનામીમાં જ ખોવાઈ જતી હશે. એવા એક મહેન્દ્રસિંહ પરમારે આ બધાં વતી પોતાની 'ખિલ્લાવાળાં મોજાં અને મારી (નિષ્ફળ) ક્રિકેટ કારકીર્દી'ને ખેલદીલીપૂર્વક રજૂ કરી છે.
જાણીતા કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલે કાર્ટૂન-સેલ્ફીના તેમના અનોખા પ્રયોગની ઝલક રજૂ કરી છે -
ઉર્વીશ કોઠારી 'જલસો-૯'માં લેખક - પત્રકાર તરીકે તેમનાં સંશોધન પ્રેમનાં પાસાંને આપણી સમક્ષ રજૂ કરવાના મૂડમાં બરાબર ખીલ્યા છે. આ માટે તેમણે પસંદ કરેલ છે 'ભારતની જાદુગરીમાં શિરમોર ગણાતી "'ઈન્ડિયન રોપ ટ્રિક'નું રહસ્ય". અંગેજોના શાશન કાળથી હિંદુસ્તાનને ગારૂડીની બીન પર નર્તન કરતા નાગ, ગુરુત્વાકર્ષણના નિયમનું ખંડન કરતી ઈન્દિયન રોપ ટ્રિક અને નાગા બાવાઓના દેશની છેક ગઈ સુધી ટકી રહેલી છાપ પશ્ચિમનાં લોકોનાં દિલોદિમાગમાં ઘર કરી ગઈ હતી. પ્રસ્તુત લેખમાં ઉર્વીશભાઈ આ વ્યાપક પ્રસારના ઈતિહાસને આલેખે છે. લેખના અંતમાં તેમણે રહસ્ય પણ છતું કર્યું છે. પણ એ જો અહીં કહી નાખીએ તો જલસો-૯ હવે પછી વાચનાર વાચકની ઉત્કંઠાને ઠેસ પહોંચે ને!
બસ એ રહસ્યોદ્ઘાટન સાથે 'જલસો-૯'ના આ ખેલનો પર્દો પણ પડે છે.
'સાર્થક -જલસો - ૯' નિયમિત લેખકો પાસેથી નવી રજૂઆતની સાથે,  મોટા ભાગના તો પરંપરાગત અર્થમાં લેખક પણ નથી એવાં, નવા લેખકોને પ્રસ્તુત કરવાની રણનીતિનું એક આગળ વધતું સફળ સોપાન છે. એ રણનીતિની સફળતાને કારણે પ્રકાશકો જરુર અભિનંદનને પાત્ર છે.'જલસો'નો મોટા ભાગનો પ્રસાર વાચકોના મોઢામોઢ પ્રચારથી થતો રહ્યો છે. પ્રકાશકોના ખાતામાં એ પણ મહત્ત્વની મુડી જમા થઈ રહી છે. જોકે પ્રયોગાત્મક સ્ટાર્ટ-અપના તબક્કામાંથી હવે નવી કેડી કંડારનાર પૂરેપૂરાં વ્યાવસાયિક ઉપક્રમમાં 'જલસો'ને સાર્થક કરવાનો સમય પણ હવે પાકી ગયો ગણાય. 'જલસો'ના વર્તમાન વાચકો ઉપરાંત દરેક સંભવિત વાચક સુધી તેની (મુદ્રિત કે પછી ડિજિટલ) નકલ વધારે સરળતાથી પહોંચતી થાય એવી શુભેચ્છા પણ પાઠવીએ.
/\/\/\/\/\/\
સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:
બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ । www.gujaratibookshelf.com),
અથવા
કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796 ઈ-મેલ : spguj2013@gmail.com  
પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)

પાદ નોંધઃ આ લખ્યા સુધી સાર્થક પ્રકાશનની ઉપર જણાવેલી સાઈટ પર 'જલસો-૯'  ઈ-સંસ્કરણમાં ઉપલબ્ધ થયેલ નથી જણાતું.

Tuesday, October 31, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૦_૨૦૧૭



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૦_૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
ઓક્ટોબર, ૨૦૧૭ મહિનો તહેવારોની દૃષ્ટિએ દિવાળીનાં પર્વનો રહ્યો  આપણા બ્લૉગોત્સવના આ મહિનાના અંકની શરૂઆતમાં Let’s Celebrate Diwali!’  
ઑક્ટોબર, ૨૦૧૭નો આપણો આ અંક આપણે સમર્પિત કરીશું કુંદન શાહને જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેમની યાદમાં ઘણી અંજલિઓ લખાઇ. અહીં તેમાંથી કેટલીક અંજલિઓ લીધી છે
કુંદન શાહનાં બધાં કામને એક તાંતણે જોડે છે તેમાં રહેલ કૉમેડીના સિલસિલાનો તંતુ.| ફોટો સૌજન્ય: The Hindu
તે ઉપરાંત લેખ ટંડને પણ આપણી આખરી વિદાય લીધી –
Veteran filmmaker and actor Lekh Tandon dies at 88 - નવી પેઢી લેખ ટંડનને તેમના સ્વદેશ (૨૦૦૪), પહેલી (૨૦૦૫), રંગ દે બસંતી (૨૦૦૬), ચેન્નઈ એક્ષપ્રેસ (૨૦૧૩) અને ચારફુટીયા છોકરે (૨૦૧૪)જેવી ફિલ્મોમાં તેમના અભિનયથી યાદ કરશે, મોટી પેઢી તેમને આમ્રપાલી (૧૯૬૬) જેવી '૬૦ના દાયકાની અને દુલ્હન વહી જો પિયા મન ભાયે (૧૯૭૭), અગર તુમ ન હોતે (૧૯૮૩) કે દૂસરી દુલ્હન (૧૯૮૪) અને ઉત્તરાયણ (૧૯૮૫) જેવી '૭૦/'૮૦ના દાયકની ફિલ્મોના દિગ્દર્શક તરીકે યાદ કરશે અને વળી ટીવીના દર્શકો તેમને ફીર વહી તલાશ (૧૯૮૯) અને ફરમાન (૧૯૯૦)ની સિરિયલો થકી યાદ કરશે.
તેમના વિષે વધારે માહિતી Guftagoo with Lekh Tandon દ્વારા મળે છે.
અને હવે આ ઉપરાંત અંજલિઓ પરની અન્ય પૉસ્ટ્સને પણ ધ્યાન પર લઈએ-
Ten of my favourite Roshan songs ૧૪મી જુલાઈને બદલે થોડી મોડી પ્રકાશિત થયેલ પોસ્ટ છે. આપણે પણ તેમનાં કેટલાંક બેનમૂન ગીતોને આજના અંકના અંતમાં યાદ કરેલ છે.
Best songs of Kishore Kumar 1.0 - એ સમયનાં મોહમ્મદ રફી, મૂકેશ કે તલત મહમૂદની સ્પર્ધામાં ટક્કર લઇ શકે એ બરનાં તો હતાં. પણ કિશોર કુમાર ૨.૦ના સમયકાળને વધારે યાદ કરાય છે, કેમ કે તે સમયે તેઓ #૧ હતા  એ વિષે કોઈ જ વિવાદ નહોતો. 
The alternative Kishore Kumar playlist that is just as good as his most popular songs - Rudradeep Bhattacharjee - એક બહુ અનોખા ગાયકની ૩૦મી મૃત્યુ તિથિના અવસરે તેમણે ગાયેલ ઑફ્ફબીટ ગીતોને અહીં યાદ કરાયાં છે. એ પૈકી ૧૯૬૯ પહેલાંનં ગીતોને અહીં ફરીથી રજૂ કરેલ છે :
વો મેરી તરફ યું ચલે આ રહે હૈ - કાફ઼િલા (૧૯૫૨) - હુસ્નલાલ ભગતરામ - વ્રજેન્દ્ર ગૌડ 
ચુપ હો જા અમીરોં કે સોને કી ઘડી હૈ - બંદી (૧૯૫૭) - હેમંત કુમાર - રાજેન્દ્ર કૃષ્ણ 
ચાંદ ચુપ ચાપ હૈ સીતારે ગુમ સુમ - દાલમેં કાલા (૧૯૬૪) - સી રામચંદ્ર - ભરત વ્યાસ 
અકેલા હૂં મૈં - નીલા આસમાન (રીલીઝ ન થયેલ) - કિશોર કુમાર 
It’s Mehmood’s birthday! -  તેમની કાર્કીર્દીની ટોચે, મહેમૂદ તેમના સમકાલીન ઘણા હીરો કરતાં વધારે મહેનતાણું મેળવતા હતા. અભિનયની તેઅમની પોતાની આગવી શૈલીનાં યોગદાન ઉઅપરાંત ફિલ્મોના નિર્માતા તરીકે પણ તેમનું એક ચોક્કસ સ્થાન બનાવ્યું હતું.
MEHMOOD-The Man Who Taught the Nation How to Laugh! - ૧૯૬૦ના દાયકાં મહેમૂદને કારણે ફિલ્મોમાં કૉમેડીનો સિક્કો રણકતો હતો અને રણકારના સૂત્રધાર હતા મહેમૂદ.એક સમયે તો માત્ર તેમના જ ખભાના ટેકાથી આખીને આખી કૉમેડી ફિલ્મો પણ બની અને ખૂબ સફળ પણ રહી.
How Hema Malini came to be known as Hindi cinema’s ‘Dream Girl’ - નિર્માતા અને મર્ગદર્શક બી અનંતસ્વામીએ તેમનાં ફિલ્મનું શીર્ષક 'સપનો કા સૌદાગર' આપ્યું - Ram Kamal Mukherjee - '૭૦ -'૮૦ના દાયકાની સ્ટાર અભિનેત્રી હેમા માલીનીની અધિકૃત જીવનકથા Hema Malini Beyond the Dream Girlમાં તેઓ તેમની કારકીર્દીના ઉતારચડાવ, સહઅભિનેતા ધર્મેન્દ્ર સાથેના સંબંધો અને શાસ્ત્રીય નૃત્ય પ્રત્યેના તેમના લગાવ જેવી વિવિધ બાબતો પર પાછળ વળીને જોયું છે. 

હેમા માલીનીના ૬૯મા જન્મ દિને The Divas: Hema Malini માં તેમની કારકીર્દીનાં સિમાચિહ્નરૂપ પાત્રોને ફાળે આવેલાં ગીતોને યાદ કરાયેલ છે.
Rekha before Bollywood: A gawky teenager, a Bond girl - Archana Nathan - બોલીવુડમાં પગલાં માંડ્યાં તે પહેલાં ૬૩ વર્ષનાં રેખાએ તમિળ અને તેલુગુ ફિલ્મોમાં નાના પણ નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી.
Lata Mangeshkar’s best songs by Hemant Kumar પૈકી ઘણાં ગીતો લતા મંગેશકરનાં સદાકાળ શ્રેષ્ઠ ગીતોની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યાં છે.
50 years of FARZ  - ૧૯૬૭ની ફિલ્મ 'ફર્ઝ'માં જીતેન્દ્ર ઊછળકૂદ કરતા નાયક તરીકે દેખાયા. તેમની આ છાપ તે પછી તેમને બહુ ફિલ્મોમાં સફળતા અપાવતી રહી. છેક ૧૭૨માં ગુલઝારે તેમનો 'પરિચય' સારો અભિનય પણ કરી શકે તેવા કલાકાર તરીકે કરાવ્યો  અને તેમની નવી ઓળખ પ્રસ્થાપિત થઈ.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોના ઓક્ટોબર, ૨૦૧૭ના અંકમાં આપણે શકીલાને  મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં યાદ કર્યાં હતાં.
અને હવે આપણે અન્ય વિષયો પરની પોસ્ટ્સની મુલાકાત કરીશું :
The blockbuster combination of Guru Dutt and OP Nayyar in ‘Aar Paar’ - ૧૯૫૪ની 'આરપાર'નાં બાબુજી ધીરે ચલનાથી લઈને સુન સુન સુન જાલિમા જેવાં ગીતો ભરપૂર લોકચાહના મેળવી ચૂક્યાં છે. - Rudradeep Bhattacharjee - મોહમ્મદ રફીની સુન સુન સુન જાલિમાની મસ્તીના સામેના છેડાનો પ્રતિભાવ છે ગીતા દત્તના સ્વરનું જા જા જા બેવફા જે કુદ પણ એક જાનદાર ગીત બની રહ્યૂં હતું. પ્રેમીઓ વચ્ચે પેદા થયેલ અણબનાવનાં દર્દને મજરૂહ સુલ્તાનપુરીએ બહુ ખૂબીથી જા જા જા બેવફા જૂઠા પ્યાર જૂઠી પ્રીત રે જેવા શબ્દોમાં વણી લીધું, જેને ઓપી અને સબાસ્ટીયને બહુ જ ઓછાં વાદ્યો સાથેની ધીમી લયમાં વહેતું મૂક્યું અને ગીતા દત્તે તેમના અવાજમાં ઘૂટ્યું.
Ek Nazar 1951: A Precursor to SD Burman’s Music Trends૧૯૫૧માં એસ ડી બર્મને સંગીત આપ્યું હોય એવી છ ફિલ્મો રજૂ થઈ હતી - બાઝી, બહાર, બુઝદીલ, એક નઝર, નૌજવાન અને સઝા. આ પહેલાંનાં વર્ષોની શબનમ અને મશાલની સફળતા પછી બહાર, એક નઝર અને સઝામાં રાજેન્દ્ર કૃષ્ણ, બુઝદીલમાં કૈફી આઝમી અને શૈલેન્દ્ર અને બાઝીમાં સાહિર જેવા વિવિધ ગીતકારોનાં  બધી ફિલ્મોનાં મળીને લગભગ ૪૬ ગીતો હતાં જે બધાં ઓછેવત્તે અંશે લોકપ્રિય રહ્યાં હતાં. આ  બધામાં એક નઝરનાં છએક ગીતો ઓછાં યાદ કરાય છે એમ કહી શકાય. આ ગીતોમાં હવે પછીનાં હીટ ગીતોની છાંટ. હવે પછી ઉભરતી અને પૂર્વવર્તી બનવાની હતી એવી તેમની શૈલી કે પ્રયોગોની છાપ  કેમ જોવા મળે છે તેની બહુ રસપ્રદ વિશ્લેષણ પીયૂશ શર્માએ કરેલ છે.
Ten of my favourite come-hither songs માત્ર કોઈ એક વ્યક્તિને આમંત્રણ આપતાં ગીતો છે. આ આમંત્રણ સામાન્ય રીતે પ્રેમબંધન માટે હોય છે (જો કે આ આમંત્રણનું અર્થઘટન તો ગીતના સંદર્ભમાં જ વધારે મહત્ત્વ ધરાવતું હોય)..આ ગીતોમાંથી મેં શિકાર (૧૯૬૬)નું હાય મેરે પાસ આ કીધર ખયાલ હૈ પસંદ કર્યું છે, તેમાં જ્વા મળતા યુવાન, દેખાવડા અને (પ્રમાણમાં) પાતળા સંજીવ કુમાર માટે. 
‘Chale Aao’ Songs એવાં ગીતો છે જેમાં ચલે આઓ ('આવી જ જાઓ' કે 'પાછા આવો' જેવા ભાવ૦ ગીતના મુખડામાં વણી લેવાયેલ હોય.  જો કે અહીં પસંદ કરેલાં એક ગીતમાં તે મુખડાના અંતમાં સાંભળવ મળે છે. પુરુષ સ્વરમાં એક જ ગીત જોવા મળે છે.
My Favourites: Songs of Regret - પાર્શ્વદૃષ્ટિનું દર્શન મોટા ભાગે એટલું સાચું હોય છે કે તેની મદદથી આપણે અપણા ભૂતકાળનું વિશ્લેષ્ણ કરીને 'હવે શું?' જેવા મુંઝવતા પ્રશ્નોના જવાબો શોધવા મથતાં હોઈએ છીએ. આવી સીચ્યુએશન્સ માટે હિંદી ફિલ્મોમાં બહુ ગીતો બન્યાં છે.
Karva Chauth In Hindi Cinema મને યાદ છે ત્યાં સુધી હિંદી ફિલ્મોમાં કરવા ચૌથના ઉત્સવને ધૂમધામથી ઉજવાતો બતાવવાનું 'હમ દિલ દે ચૂકે સનમ'થી શરૂ થયું. એટલે ૧૯૬૫ની ફિલ્મ 'બહૂ બેટી'માં એક આખું ગીત - આજ હૈ કરવા ચૌથ સખી  (આશા ભોસલે - રવિ - સાહિર લુધ્યાનવી) સાંબઃઅલવા મળ્યું ત્યારે બહુ આનંદ થયો.

૧૯૯૪ની ફિલ્મ ચાંદ કા ટુકડામાં કરવા ચૌથની ઉજવણી ગુજરાતી (ગરબા)ને ઢબે કરાતી પણ બતાવાઈ છે.
સોંગ્સ ઑવ યોરની Best songs of year  શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના સ્ત્રી સૉલો ગીતોના બીજા પડાવની સફરમાં સુરૈયા અને ગીતા રૉયનાં સૉલો ગીતો સાંભળ્યા બાદ હવે આપણે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એમ ચાર ભાગમાં શમશાદ બેગમનાં સૉલો ગીત સાંભળ્યાં...
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓક્ટોબર, ૨૦૧૭ના લેખો:

'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ હાલમાં જી. એસ. કોહલીનાં સંગીત વિષેની શૃંખલા.ઓક્ટોબર, ૨૦૧૭માં પૂરી કરી

અને વનરાજ  ભાટિયા પર લેખમળા શરૂ કરી છે.....

અને મહિના છેલ્લા શુક્રવારના યુવા પેઢી માટેના તેમના લેખો:

ઓક્ટોબર, ૨૦૧૭માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

રોશનની જ્ન્મ શતાબ્દી નિમિત્તે તેમના મોહમ્મદ રફી સાથેના સંબંધને યાદ કરતા લેખ Mohammed Rafi with legacy of composer Roshan નો ઉલ્લેખ કરીશું. આ લેખમાં રોશનની ત્રણ પેઢીની મોહમ્મદ રફી સાથેના સંબંધની તવારીખ રજૂ કરવામાં આવી છે.
આજાના બ્ળોગોત્સવનો અંત રોશન દ્વારા રચાયેલાં મોહમ્મદ રફીનાં કેટલાંય બેનમૂન ગીતોમાંથી કંઈક અંશે ભુલાતાં જતાં હોય એવાં બે ગીતોથી કરીએ:
ઐસે તો ન દેખો કે બહેક જાએ કહીં હમ આખિર કોઈક ઇન્સાં હૈ ફરિશ્તા નહીં હમ - ભીગી રાત (૧૯૬૫) - સુમન કલ્યાણપુર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
સુન અય મહાજબીં મુઝે તુઝ સે ઈશ્ક઼ નહીં - દીજ કા ચાંદ (૧૯૬૪) – ગીતકાર: સાહિર લુધ્યાનવી 

હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવા સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....