ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
દર
વર્ષની જેમ, આ
વર્ષે પણ આપણે ૧૯૪૪ નાં ગીતોને ચર્ચાની એરણે લેવાની શરૂઆત પુરુષ સૉલો ગીતોથી
કરીશું.
અત્યાર
સુધીનાં વર્ષોમાં આપણે જેટલાં મળે એ બધાં જ ગીતો અહીં સમાવી લેતાં રહ્યાં હતાં.
પરંતુ આ વર્ષથી જે ગીતોList Of Memorable Songsમાં નોંધાઈ
ચુક્યાં છે તે ગીતોને અહીં ફરીથી નહીં લઈએ.
તે
ઉપરાંત હિંદી ફિલ્મ ગીત કોષમાં જે ગીતોના ગાયકની ઓળખ નથી થઈ શકી તે ગીતોને મેં
અહીં લેવાનો પ્રયાસ પણ નથી કર્યો. હા, યુટ્યુબ સિવાય પણ જો ઇંટરનેટ પર કોઈ ગીત મળે તો
તેની લિંક આપી છે..
અરૂણ
કુમાર - યે તો મેલેરીઆ હૈ મુહબ્બત નહીં હૂઝુર - ભંવરા – ગીતકાર:
કેદાર શર્મા – સંગીતકાર:
ખેમંચંદ પ્રકાશ
૧૯૬૧-૧૯૭૦ના દશકમાં
હેમંતકુમારે તે પહેલાંના દશકના પ્રમાણમાં
બહુ થોડાં ગીતો ગાયાં. ૧૯૫૧-૬૦ના દશકમાં તેમણે૮૧ ફિલ્મોમાં ગાયેલાં ૧૮૧ જેટલાં ગીતોની સામે ૧૯૬૧-૭૦ના દશકમાં તેમણે
છવીસેક ફિલ્મોમાં ૩૫ જેટલાં ગીતો ગાયાં. જે માટે એક કારણ હતું એ સમયમાં તેમનું
પોતાની ફિલ્મોનાં નિર્માણને પ્રાથમિકતા આપવી, તો બીજું કારણ હતું, તેમને બંગાળી ફિલ્મ જગતમાં મળેલી વધારે સ્વીકૃતિ.
તેમની કારકિર્દી છેક
૧૯૮૯ સુધી સક્રિય રહી,
પરંતુ
ધીમે ધીમે હવે તેઓ જે ગીતો ગાતા હતા તેમાં અસ્તિત્વની હાજરી જીવંત રાખવા સિવાય
હેમંત કુમારના સ્વરનો જે અસલ જાદુ તોઓસરવા લાગ્યો હતો. ૧૯૭૧-૧૯૮૯ના સમયખંડમાં તેમણે માત્ર ૧૪ ગીત જ ગાયાં હતાં.
મેં પણ આ સમયખંડનાં માત્રબે સૉલો ગીત જ
લીધાં છે - તે પણ દસ્તાવેજીકરણ માટે કરીને !
જે સીચ્યુએશનમાં આ ગીત
મુકાયું છે તેનો ભાવને કારણે આ ગીત માટે હેમંત કુમારના સ્વરની પસંદગી થઈ હશે કે
પછી હેમંત કુમારને જ આગીત આપવું એમ નક્કી થયું
હશે એટલે ગીતની બાંધણીતેમની ગાયકીને
અનુસાર ઘડાઈ હશે તે તો કહેવું મુશ્કેલ છે ! પણ હા, એટલું તો ચોક્કસપણે ફલિત થાય છે કે હેમંત કુમારની
ગાયકીનું અને ચિત્રગુપ્તની પોતાની સંગીત શૈલીનું માધુર્ય અહીં એકરંગ જરૂર બની રહે
છે.
આ ગીત પણ જોડીયાં ગીતોના
પ્રકારનું ગીત છે. ફિલ્મમાં લતા મંગેશકરના સ્વરનું વર્ઝન પહેલાં આવે છે જે એક
બેકગ્રાઉન્ડ ગીતના પ્રકારનું પણ છે. હેમંત કુમારનું વર્ઝન તે પછી નઝીર હુસેન
જ્યારે દાદા બની ગયા હોય છે ત્યારનું છે. ગીતનો મૂળ ભાવ હવે આનંદનો છે પણ તેમાં
તેમના ભૂતકાળની યાદોનો ઓછાયો પણ પડે છે. હેમંત કુમારએ આ બન્ને ભાવને પોતાની
અભિવ્યક્તિમાં ઝીલી લીધેલ છે.
અહીં રજૂ કરેલ ક્લિપમાં
બન્ને વર્ઝન સાંભળવા મળે છે.
હેમંત કુમારનાં ગાયેલાં
ગીતોમાં બહુ પ્રસિદ્ધ રહેલ આ ગીત છે. ઇન્ટરનેટ યુગમાં તો 'છબીલી' શોભના સમર્થની જ નિર્માણ
કરેલી ફિલ્મ હતી અને તેમાં નુતનની સાથે નાની બહેન તનુજા પણ હતી અને એ તનુજાની
પહેલવહેલી ફિલ્મ હતી એ બધી વાતો પણ ખુબ ચર્ચાતી રહી છે.
અહીં રજૂ કરેલ ગીતમાં
ગીતનાં બન્ને વર્ઝન છે.
આડવાત :
આ ગીતની ધુનનો પ્રેરણા સ્રોત ૧૯૫૭નું ડીન માર્ટીનનું ખુબજ
લોકચાહના મેળવેલ ગીતThe man who plays
Mandolino છે.
આડવાતની આડવાત એ છે કે આ ગીતની ધુન પાછી ૧૯૫૬નાં
ગ્લુસૅપ્પૅ ફેન્સીઉલની રચના Guaglioneથી પ્રેરિત છે.
યે સોને કી દુનિયા, યે ચાંદી કી દુનિયા, યહાં આદમી કી ભલા બાત ક્યા
હૈ - દો દોસ્ત (૧૯૬૦) - સંગીતકાર એસ મોહિન્દર - ગીતકાર ભરત વ્યાસ
અહીં ભાવમાં ફરક કરાયો
જણાય છે. 'યે દુનિયા અગર...'માં સમાજ દ્વારા અનોખી
કેડી કંડારવા માગતાં લોકોને મળતી ક્રૂર અવગણના સામે બળવાની પોકાર છે. જ્યારે અહીં
સમાજમાં અમીર ગરીબ વચ્ચેના તફાવતને સ્વીકારી લેવાની જે ફરજ પડે છે તેની હતાશાની
લાગણી છે. એ કારણે પહેલાં ગીતમાં જોશ છે તો પ્રસ્તુત ગીતમાં પરિસ્થિતિને અનિચ્છાએ
વશ થતાં જે લાગણી ઉદ્ભવે તે 'અન્ડરપ્લે' વડે વ્યક્ત થાય છે.
ગાયક અને સંગીતકારતરીકેનો હેમંત
કુમાર અને સી રામચંદ્રનો સંબંધ તો છેક અનારકલી (૧૯૫૩)નાં સફળ ગીતોથી જાણીતો છે. તે
પછી પણ સી રામચંદ્રએ હેમંત કુમારના સ્વરનો અવારનવાર ઉપયોગ પણ કર્યો છે. પરંતુ
પ્રસ્તુત ગીત જેવાં અનોખાભાવના ગીતમાં હેમંત કુમારના સ્વરનો ઉપયોગ કદાચ કયારે પણ નહીં થયો હોય.
૧૯૯૨ માં
અબ્બાસ મસ્તાને દિગ્દર્શિત કરેલી અક્ષય કુમારની 'ખિલાડી' તે
પછી ‘ખિલાડી આ અને ખિલાડી તે’વાળી શ્રેણીબધ્ધ ફિલ્મો પહેલાં પણ ૧૯૫૦ માં ‘ખિલાડી’ બની હતી જેના સંગીતકાર હંસરાજ બહલ હતા, ૧૯૬૧ની
ફિલ્મનું ગીત તો આપણે સાંભળીશું અને ૧૯૬૮ની એ જ નામની ફિલ્મમાં લાલાસત્તારની જોડી સંગીતકાર હતી.
સાર્દુલ
ક્વાત્રાએ બારેક હિંદી ફિલ્મો અને પચીસેક પંજાબી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેઓ
એક સમયે હંસરાજ બહલના સહાયક પણ રહી ચૂક્યા છે.
ટ્ર્મ્પેટ્સના
સુરના પૂર્વાલાપથી શરૂ થતું ,
વૉલ્ત્ઝ નૃત્ય ધુન પર રચાયેલું પ્રસ્તુત
ગીત ક્લ્બમાં હીરો દ્વારા પોતાની મસ્તીમાં ગવાતું ગીત હશે. અહીં અંતમાં એક્દમ ઊંચા
સુરના આલાપ સહિત આખાં ગીતમાં હેમંત કુમાર પણ આપણને અનોખા અંદાજમાં સાંભળવા મળે છે.
આ જોકે આખું ગીત નથી,
ફિલ્મના અંતમાં કે એવી કોઈ જગ્યાએ દૃશ્યને આમ કાવ્ય
પંક્તિઓનાં પઠનનાં પાર્શ્વ સંગીત વડે વધારે અસરકારક બનાવા માટે આ ટુકડો પ્રયોજાયો
હશે.
જ્યાં સુધી લક્ષ્મીકાંત પ્યારેલાલ 'લક્ષ્મીપ્યારે' તરીકે પોતાનું સ્થાન નહોતા જમાવી શકયા ત્યાં સુધી તેમને બી
ગ્રેડની ધાર્મિક, પૌરાણિક, દારાસિંગની મુખ્ય ભૂમિકાઓવાળી જે કોઈ ફિલ્મો મળી તેમાં
જેટલું પણ સંગીત રચ્યું તેમાં તેમણે પોતાનો સર્જન પ્રાણ ઠલવી દીધો હતો. પ્રતુસ્ત
ગીતમાં તેમણે હેમંત કુમારનો સ્વર આ પ્રકારનાં ગીતોમાં 'ફિટ' બેસે એટલે
લીધો કે પછી પોતાના ગુરુ - કલ્યાણજી(આણદજી)-ની પણ એક સમયે જેમણે આંગળી પકડી હતી
તેમનું ઋણ અદા કર્યું, પણ હેમંત
કુમારના સ્વરની ખુબીઓને નીખરવા માટેની બધી મોકળાશ તેમણે બહુ અસરકારક રીતે સાચવી
લીધી છે.
ફિલ્મમાં ગીત પહેલી વાર ક્રેડિટ ટાઈટલ મ્યુઝિક સ્વરૂપે મુકાયું
છે. તે પછી જ્યારેરાજા હરિશ્ચંદ્ર ગાદી
ત્યાગ કરીને કુટુંબ સાથે વિદાય લઈ રહ્યા છે ત્યારે બેકગ્રાઉન્ડ ગીત તરીકે મુકાયું
છે.
કિશોર કુમાર અને હેમંત કુમાર હવે પોતપોતાની ભૂમિકાઓની
અદલાબદલી કરે છે.
'દૂર ગગનકી છાંવમેં' કિશોર કુમારનો બહુ જ મહાત્વાકાંક્ષી પ્રયોગ હતો. ક્રેડિટ
ટાઈટલ તેમ જ થીમ સોંગ પ્રકારનાં આ ગીતના બોલમાં શૈલેન્દ્રએ પણ પોતાની સર્જન
શક્તિને તેનાં નૈસર્ગિક રૂપમાં ખીલવી છે. બંગાળની ભટીયાળી (નાવિક) ધુનનો મૂળ આધાર
લઈને રચાયેલ આ રચના હેમંત કુમારના સ્વર માટે તો બહુ જ સ્વાભાવિક નીવડે તે તો
અપેક્ષિત હોય, પણ કિશોર કુમારે
પણ સંગીતકાર તરીકે પોતાની સવેદનશીલતાનો તેમાં ભાવ ઉમેરી ગીતને વધારે ભાવવાહી
બનાવેલ છે.
તુમ્હેં જો ભી દેખ લેગા કિસીકા ન હો સકેગા - મજબૂર (૧૯૬૪) –
સંગીતકાર: કલ્યાણજી આણંદજી –
ગીતકાર: આનંદ બક્ષી
કલ્યાણજી (આણંદજી)એ પણ ગુરુદક્ષિણા સ્વરુપે હેમંત કુમારનો
સ્વર તેમની સાવ જ શરૂઆતની ફિલ્મ પોસ્ટ બૉક્ષ ૯૯૯ (૧૯૫૯)નાં સફળયુગલ ગીત - નીંદ ન મુઝકો આયે - માં લીધો જ હતો. તે સિવાય પણ બીજી બે'ક ફિલ્મોનાં યુગલ ગીતોમાં તો હેમંત કુમારના સ્વરને અજમાવતા
જ રહ્યા હતા. પરંતુ 'બ્લફ માસ્ટર' (૧૯૬૩)માં તો તેમણે હેમંત કુમારનો સ્વર શમ્મી કપુર માટે, અય દિલ કહીં ન જા
ના કીસીકા મૈં ન કોઈ મેરા માં, પ્રયોજીને લોકોને
અચંબિત કરી મૂકેલાં.
અહીં હવે તેમને અદભૂત તક મળી છે. ફિલ્મનો નાયક બિશ્વજિત હોય,
ગીતની કથા રહસ્ય ફિલ્મની હોય અને હેમંત કુમારને બદલે તેઓને
સંગીત નિદર્શન કરવાનું મળે એ તો સ્વપ્નામાં પણ કોઈ કલ્પે નહીં.
પ્રસ્તુત ગીત તેઓએ હેમંત કુમારે જો એ ગીત રચ્યું હોત તો જેમ
રચ્યું હોત, તે જ શૈલીથી
રચ્યું છે. હા, અંતરાનાં સંગીત
વગેરે વાદ્યસજ્જામાં તેમનો પોતાનો આગવો સ્પર્શ જરૂર જાળવી રાખ્યો છે. બીસ સાલ બાદ
(૧૯૬૨) અને કોહરા (૧૯૬૪)નાં ગીતોની સરખામણીમાં આ ગીત જરા પણ ઝાંખું ન પડે એવો બહુ
મોટો પડકાર પણ અહીં હતો, જે તેમણે બહુ સહજતાથી ઝીલી બતાવ્યો છે.
આડવાત :
'મજબૂર'માં સહાયક સંગીતકારની ભૂમિકા નિભાવનારા લક્ષ્મીકંત
પ્યારેલાલે પોતે સ્વતંત્ર સંગીતકાર તરીકે ૧૯૭૪માં'મજબૂર' નામની ફિલ્મનું
સંગીત નિદર્શન સંભાળ્યું હતું.
જ્ઞાન દત્તનું નોંધપાત્ર પ્રદાન તો '૪૦ના દાયકાની ફિલ્મો રહ્યું છે. 'જનમ જનમ કે સાથી' તેમની અંતિમ ફિલ્મ
હતી. ફિલ્મનાં સંગીતને સરિયામ નિશ્ફળતા મળ્યા બાદ તેમને સક્રિય સંગીત ક્ષેત્રમાંથી
નિવૃતિ લઈ લીધી. ૧૯૭૪માં તેમનું નિધન થયું.
અફસોસના ભાવથી પીડાતા હીરોના મનને ભાવ વ્યક્ત કરતું આ ગીત
ફિલ્મમાં બેકગ્રાઉન્ડ ગીત તરીકે રજૂ થયુંહોવું જોઈએ. ગાવા માટે ગીતની બાંધણી ખુબ
પડકારજનક છે, પરંતુ હેમંત કુમાર તેને પુરેપુરો ન્યાય કરી રહે છે.
તેરા હૈ જહાં સારા, અપના મગર કોઈ નહીં - ઉસકી કહાની (૧૯૬૬) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કૈફી આઝમી
નાવિકનાં લોકગીતની શૈલીમાં રચાયેલું આ ગીત હેમંત કુમારના
સ્વર માટે જ સર્જાયું છે.
જો દિયા થા તુમને એક દિન મુઝે ફિર વો પ્યાર દે દો - સંબંધ
(૧૯૬૯) - મહેન્દ્ર કપૂર સાથે – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: પ્રદીપજી
ઓ પી નય્યરે પોતાની કારકીર્દીમાં હેમંત કુમારના સ્વરમાં આ
ફિલ્મમાં જે ઉપયોગ કર્યો છે, તે આંકડાની દૃષ્ટિએ 'એક જ વાર' જેટલો જ જણાય, પણ આખી ફિલ્મમાં હેમંત કુમારના સ્વરના કેટલાય ટુકડાઓ પથરાયા
છે. એટલે કે સમગ્ર કથાનકની રજૂઆત માટે દિગ્દર્શકે એ ટુકડાઓનું માધ્યમ જ ઉપયોગમાં
લીધું છે. ફિલ્મમાં એ દરેક પ્રયોગ પ્રદીપ કુમારના જ સંદર્ભમાં જ થયો હશે તે તેઓ
માત્ર એક સંજોગની સગવડ જ છે.
એ ટુકડાઓ અહીં રજૂ કરેલ બોલ પરની હાયપરલિંક પર ક્લિક કરવાથી
સાંભળી શકાશે -
પ્રસ્તુત પુરુષ -પુરુષ યુગલ ગીત પણ સારૂં એવું જાણીતું બનેલ
ગીત છે.
આ સિવાય પણ ફિલ્મમાં એક અન્ય ગીત,
અપની માતા કે દુલારે, તુઝપે મૈં ક઼ુરબાન પ્યારે બચ્ચે પણ હેમંત કુમારે ફિલ્મના
ક્લાઈમેક્સમાં પરદા પર ગાયું છે. આ ગીત ફિલ્મમાં મહેન્દ્ર કપુરના સ્વરમાં ગવાયેલ મેરે પાસ આજ ન હૌ
કુછ લોગો, બસ આંખમેં આંસુ
લાયા હું ના અનુસંધાને રજૂ
થાય છે.
રવિ તેમની કારકિર્દીની શરૂઆતમાં હેમંત કુમારના સહાયક હતા. છેક શરૂઆતથી જ તેઓ
હેમંત કુમારના સ્વરમાં યુગલ ગીતો રચતા પણ રહ્યા છે. અહીં છેક ૧૯૬૯નું ગીત પસંદ
કરવાનો આશય એટલો જ કે રવિએ આટલાં વર્ષો પછી પણ હજુ સંબંધ જાળવી રાખ્યો છે તેની
નોંધ લઈ શકાય.
મા (ઉર્મિલા ભટ્ટ)
અને તેની દીકરી (મિનળ મહેતા) ની જિંદગીઓની બહુ જ સંવેદનશીલ રજૂઆત કરતી આ ફિલ્મને એ
વર્ષનો શ્રેષ્ઠ હિંદી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.
૧૯૫૨માં સંગીતકાર
તરીકે શરૂ કરેલ હિંદી ફિલ્મોની કારકિર્દીના સંબંધે ૨૦ વર્ષ પછી જાણે પોતાના જીવનની
જ વાત વણી લેવાઈ હોય એવા બોલનું ગીત
ગાવાનું થાય એ પણ નિયતિની કોઈ કરામત જ કહેવાય ને !
હેમંત કુમારના
સ્વરને ઉચિત ન્યાય મળે એવાં ગીતો પુરતી જ વાત કરવી હોય તો આ લેખ અહીં જ પુરો કરવો
જોઈએ. પરંતુ આપણે તો હેમંત કુમારની શતાબ્દીના સંદર્ભમા આ લેખમાળા કરી રહ્યાં છીએ.
એટલે દસ્તાવેજીકરણના દૃષ્ટિકોણને પણ ન જ અવગણી શકાય ,
એ વિચારથી હવે પછીનાંગીતો પણ આવરી લીધેલ
છે.
આ જા મેરે પ્યાર આ
જા, દેખ ઐસે ન સતા -
હીરાલાલ પન્નાલાલ (૧૯૭૮) – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
પોતાના પિતાએ
હેમંત કુમારના સ્વરમાં જે કક્ષાનાં ગીત બનાવ્યાં તેનાથી સાવ વિરુધ્ધ કક્ષાનું આ
ગીત ગણી શકાય. પણ આર ડી બર્મનની પણ કારકિર્દીનો અસ્તાચળ જ ચાલી રહ્યો હતો એટલે એ
વાતને બાજુએ મુકીશું.
આ ક્લિપનીશરૂઆતમાં
સુરેશ ઓબેરોયના સ્વરમાં જે કોમેન્ટ્રી છે તેમાં જણાવ્યા મુજબ આ ગીત દેવેન્દ્ર
ગોયલની ફિલ્મ માટે રચાયું હતું, પણ કોઈ કારણોસર તે
એ ફિલ્મમાં ન સમાવી શકવાથી હવે અનરિલીઝ્ડ ગીતની ગણનામાં સ્થાન પામી રહ્યું છે.
જે ફિલ્મની રિલીઝની વાત સુરેશ ઓબેરોય કરી રહ્યા છે તે છે 'કાગઝ કા રિશ્તા' (૧૯૮૩),જેના સંગીતકાર રાજેશ રોશન છે.ફિલ્મનાં ગીતો મજરૂહ સુલ્તાનપુરીએ લખ્યાં હતાં.
બરાબર ૧૭ વર્ષ પહેલાં એ જ મજરૂહ સુલ્તાનપુરીના બોલને રાજેશ રોશનના પિતા રોશન
(નાગરથ) દ્વારા હેમંત કુમારનાં અમર યુગલ ગીત છુપા લો દિલમેં યું પ્યાર મેરા (મમતા)માં રજૂ કરાયેલ
હવે પછી હેમંત
કુમારે અન્ય સંગીતકારો માટે ગાયેલાં યુગલ ગીતોને યાદ કરીશું.
સંદર્ભ સ્વીકૃતિ :
1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) – Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
2.Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015 Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008
4.List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta
હેમંત કુમારનાં ગીતોની જ્યારે પણ વાત થતી
હોય ત્યારે તે વધારે સારા સંગીતકાર હતા કે સારા ગાયક, ત્યાંથી શરૂઆત થાય અને પછી તેમણે વધારે સારાં ગીતો પોતાનાં
સંગીતમાં ગાયાં કે 'અન્ય' સંગીતકારોના સંગીતમાં
એવી ચર્ચામાં ફેરવાઈ જાય. મૂળ વિષય બાબતે ચર્ચા સામાન્યપણે એકમત પર ન પહોંચે, પણ એટલું તારણ તો જરૂર નીકળતું કે સંગીતકાર તરીકે, પોતાના સુરની મર્યાદાઓને કારણે તેમની રચનાઓમાંતેમને જે અધુરાશ લાગી હશે તે તેમણે અન્ય ગાયકો
પાસે એ મુજબના વાંછિત સુરમાં ગીતો ગવડાવીનેપુરી જરૂર કરી છે. બીજાં એક તારણ પર પણ સહમતિ બની રહેતી કે 'અન્ય' સંગીતકારો હેઠળ તેમણે હિંદી ફિલ્મોનાં કેટલાંક સૌથી વધુ અદ્ભુત ગણાતાં ગીતો
ગાયાં છે, પણ તેમના સુરનો ઉપયોગ
અન્ય સંગીતકારોએ પ્રમાણમાં વધારે મર્યાદિત રેન્જમાંજ કર્યો છે.
ભૌગોલિક,
સામાજિક, સાંસ્કૃતિક અને શારીરિક બાંધા સુધ્ધાં સુધીનાં અનેકવિધ વૈવિધ્યોથી છલકાતા આપણા
દેશમાં વળી ભાષા અને બોલીની બાબતે તો 'બારગાઉએ બદલાય' એવી વિવિધતા ભરી છે. પરિણામે, લોકોના ચહેરામહોરા,બોલી, બોલીની લઢણ પરથી આપણે સામેની વ્યક્તિ દેશના કયા ભાગમાંથી
આવે છે તે લગભગ સચોટપણે કહી શકીએ છીએ, પછી ભલેને વાતચીત બન્ને
માટે ત્રીજી ભાષા જેવી હિંદી કે અંગ્રેજીમાં પણ વાત કેમ ન થતી હોય !
એ દૃષ્ટિએ કહીએ તો હેમંત કુમારનો સ્વર તળ 'બંગાળી'
હતો. સંગીતશાસ્ત્રની પરિભાષાંમાં એ સ્વર 'ખરજ'
સ્વર તરીકે વર્ગીકૃત કરાતો. આપણા જેવા સામાન્ય
શ્રોતા માટે તે શાંત, કોમળ,
ઊંડેથી રણકાર પ્રગટાવી મનોચિત્તમાં વિચારો
અને ભાવોનાં મંદ મંદ વમળો પેદા કરતો સ્વર હતો. એમનો સ્વર સામેની વ્યક્તિનાં ભાવ
જગતને ઉત્કટ સમાધિની એવી દશામાં લઈ જાય જ્યાં તે વ્યક્તિને અલૌકિક સુખની લાગણીઓની
અનુભૂતિ થાય.
આવા અનોખા 'બંગાળી' સ્વર માટે અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન કે સલીલ
ચૌધરી જેવા એ સમયના હિંદી ફિલ્મ જગતના અગ્રણી સંગીતકારો વધારે ઝુકાવ હશે એમ માની
શકાય. પણ 'હિંદી'
ફિલ્મોની ઉત્તર ભારતીય સમાજના દર્શકના
રસનીમાંગની વાસ્તવિકતાને કારણે આસંગીતકારોએ મોહમ્મદ રફી જેવા 'પંજાબી'
હિન્દી ગાયકના વધારે બહુમુખી સ્વરપ્રતિભાવાન
સુરને, 'થોડો લાઉડ'
લાગતો હોવા છતાંવધારે પસંદ કરવાની ફરજ પડતી. આમ હેમંત કુમારનું
સ્થાન, હિંદી ફિલ્મના જનસામાન્ય દર્શકને ગમશે એવા ગાયકનું બની
રહેવાને બદલે'અમુક'
ભાવનાં ગીતો માટે બહુ જ ઉપયુક્ત એવું 'આગવું'
બની રહ્યું.
'૫૦-'૬૦ના મધ્ય દસકાનાં ખ્યાતનામ હીરોઈન શકીલાએ કોઈ એક પ્રસંગે
હેમંત કુમારના સ્વરને સંધ્યા કાળે શાંત વહેતી ગંગાના પાણીના સ્વર સાથે સરખાવ્યો
છે. હેમંત કુમારના સમકાલીન ઉર્દુ સાથીઓ તેમના સ્વરને 'નિદા-એ-મઝ્તુબ' - ગુંજનો નાદ - કહેતા. 'બંગાળી'
હોવા છતાં હેમંત કુમારના હિંદી કે ઉર્દુ
શબ્દોના ઉચ્ચાર વ્યાકરણની દૃષ્ટિએ ચોખ્ખા રહ્યા, પછી ભલે એ શબ્દોની અભિવ્યક્તિમાં અપેક્ષિત તળપદી લઢણ કદાચ થોડી ઓછી હોય.
અનિચ્છા છતાં મોહમ્મદ રફી સાથે સરખામણીની વાત નીકળી જ પડી
છે તો હેમંત કુમારની 'માઈક્રોફોન-સેન્સ'ની આગવી સમજની વાતની
નોંધ લેવી જ જોઈએ. 'માઈક્રોફોન-સેન્સ' એટલે માઈક્રોફોનને
કારણે રેકોર્ડ થતા સ્વર અને પોતાના સ્વાભાવિક સ્વરના ફરકની સમજ. માઈક્રોફોનથી જો
અંતર વધારે તો અવાજ હોય તેના કરતાં ભારી રેકોર્ડ થાય. આમ ગીતના ભાવ અનુસાર ગાયક
માઇક્રોફોનથી અંતર રાખે તો પોતાના સ્વાભાવિક સ્વરને ગીતના અપેક્ષિત ભાવમાં રેકોર્ડ
કરી શકાય. હેમંત કુમારની માઈક્રોફોન-સેન્સ મોહમ્મદ રફી સમકક્ષ ગણાતી.
પોતાનાં સંગીતમાં હેમંત કુમારે, ૧૯૫૪થી લઈને ૧૯૭૯ સુધીમાંબધું મળીને લગભગ ૯૦ જેટલાં ગીતો ગાયાં છે જેમાંથી ૩૬ ગીતો સૉલો હતાં. તેની
સરખામણીમાં ૧૯૪૨થી લઈને લગભગ ૧૯૮૦ સુધીમાં અન્ય સંગીતકારો માટે ૨૦૦ જેટલાં ગીતો
ગાયાં, જેમાંથી લગભગ અર્ધો અર્ધ ગીતો સૉલો ગીતો છે. જોકે, હેમંત કુમારનાં યુગલ ગીતો આપણાં સ્મરણમાં તાજાં વધારે હોય
એવી એક સામાન્ય છાપ જનસામાન્ય શ્રોતાની હોવાની સંભાવના વધારે હશે.
આપણે આજના અને હવે પછીના અંકમાં હેમંત કુમારે 'અન્ય'
સંગીતકારોનાં દિગ્દર્શનમાં ગાયેલાં સૉલો
ગીતોને યાદ કરીશું. અહીં દરેક સંગીતકાર રચિત હેમંત કુમારનું એક જ સૉલો ગીત લીધું
છે. ગીતોની રજૂઆતનો ક્રમ એ જે ફિલ્મમાં છે તેનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં રાખેલ
છે. કોઈ વિશિષ્ટ કારણ સિવાય,
જે સંગીતકારનાં હેમંત કુમારે એકથી વધારે
સૉલો ગાયાં છે તો તેમાંથી ઓછાં જાણીતાં ગીતને યાદ કરવાનું વલણ રાખ્યું છે.
આપણેઅગાઉ અંક ૧
માં નોંધ્યું છે તેમ હિંદી ફિલ્મોમાં તેમનું પહેલું ગીત પંકજ મલ્લિક દ્વારા
સંગિતબધ્ધ થયેલ ફિલ્મ મિનાક્ષી (૧૯૪૨)માં રેકોર્ડ થયું. તે પછી, ૧૯૪૪માં તેમણે ઈરાદા (૧૯૪૪)માં પંડિત અમરનાથના નિદર્શન હેઠળ
બે સૉલો અને રાધા રાણી સાથે એક યુગલ ગીત ગાયાં.
જોકે પાર્શ્વગાયક તરીકે હેમંત કુમારનું નિશ્ચિત સ્થાન એસ ડી
બર્મને રચેલ સંધ્યા મુખર્જી સાથેનાં 'સઝા' (૧૯૫૧) માટેનાં યુગલ ગીત આ ગુપચુપ ગુપચુપ પ્યાર કરેંથી. તે પછીથી 'જાલ'
૧૯૫૨નાં સૉલો ગીત યે રાત યે ચાંદની ફિર
કહાં, સુન જા દિલકી દાસ્તાંથી – ગીતકાર: સાહિર લુધ્યાનવી - તેઓ પ્રથમ હરોળના પાર્શ્વગાયક તરીકે
પ્રસ્થાપિત થયા. એસ ડી બર્મને ભલે તેમને એકાધિકારનો પટ્ટો નહોતો કરી આપ્યો, પણ હિંદી ફિલ્મ સંગીત સમાજમાં 'જાલ'નાં ગીતોને કારણે તેઓ મહદ અંશે દેવ આનંદનો'સ્વર' બની ગયા. તેમનું આ સ્થાન, કેટલાંક કારણોસર એસ ડી બર્મનને થયેલ મતભેદને કારણે હેમંત કુમાર પાસે સદંતર
ગીતો ગવડાવવાનું બંધ કર્યું ત્યાં સુધી, ન તુમ હમેં જાનો, ન હમ તુમ્હેં જાને (બાત એક રાતકી, ૧૯૬૨- ગીતકાર: મજરૂહ સુલતાનપુરી) સુધી બની રહ્યું.
આડવાત :
૮ ફિલ્મોમાં કુલ મળીને ૧૦ સૉલો, ૩ યુગલ ગીત અને એક
યુગલ+ ગીત એમ (માત્ર) ૧૪ જ ગીતો સચિન દેવ બર્મને હેમંત કુમાર પાસે ગવડાવ્યાં છે.એક ગીતને બાદ કરતાં
બધાં જ ગીતો પર્દા પર દેવ આનંદે ગાયાં છે. આ ગીતો આ પહેલાં, સચિન દેવ બર્મન અને પુરુષ પાર્શ્વગાયકો'લેખમાળામાં પ્રકાશિત થયેલ લેખ ‘સચિન દેવ બર્મન અને હેમંતકુમાર'માં સાંભળી શકાય છે.
આગળ જતાં જોવા મળશે કે હેમંત કુમારનાં ઘણાં ગીતોની સાથે
અન્ય સ્વર સાથેનાં યુગલ, કે ક્યારેક સૉલો, ગીત સ્વરૂપે 'જોડીયાં'
ગીતોનો પ્રયોગ પણ બહુ પ્રચલિત હતો. અહીં
પરદા પર અશોક કુમાર માટે હેમંત કુમાર શરૂઆત કરે તે પછી ગીતપરદા પર બીના રાય માટે શમશાદ બેગમ ઉપાડી લે છે.
હમ તો હૈ કાઠપુતલે કાઠ કે… હમ તો હૈ ખેલ ખિલૌના, ખેલો જી ભર કે રામ - શિકસ્ત (૧૯૫૩) – સંગીત: શંકર જયકિશન –
ગીતકાર: શૈલેન્દ્ર
હિંદી ફિલ્મોમાંકોઈને પણ અમુક છાપ લાગી જાય તે પછી તેને એ ચોકઠાની
મર્યાદાની બહાર નીકળવું બહુ મુશ્કેલ બની જતું હોય છે. હેમંત કુમારને પણ 'સાધુ' ગીતો માટે બહુ 'યોગ્ય' ગણવામાં આવતા, તેથી તેમને ભાગે એ પ્રકારનાં ગીતો પણ ખાસ્સાં આવ્યાં.જોકે, શંકર જયકિશને તો આ
એક માત્ર 'સાધુ'
ગીત હેમંત કુમાર પાસે ગવડાવ્યું છે. તે સિવાય તેમણે હેમંત
કુમાર પાસે ગવડાવેલું સૉલો ગીત 'રૂલા કર ચલ દિયે (બાદશાહ, ૧૯૫૪) તેમ જ 'પતિતા' (૧૯૫૩))અને'બાદશાહ'
માટે ગવડાવેલ યુગલ ગીતો ફિલ્મોના મુખ્ય અભિનેતા પર જ
ફિલ્માવાયાં છે.
જે રીતે આ ગીત પણ ભાગ્યેજ સાંભળવા મળતું હશે, તેમ આ ફિલ્મ વિશે પણ બહુ માહિતી નથી મળતી. લાગે છે કે ફિલ્મનાં મુખ્ય પાત્રો
તરીકે ભારત ભુષણ અને નરગીસ હોવા છતાં ફિલ્મને સરિયામ નિષ્ફળતા મળી હશે.
આયા તુફાન...કૈસે કોઈ જિયે ઝહર હૈ જિંદગી - બાદબાન (૧૯૫૪) –
સંગીતકાર: એસ કે પાલ – ગીતકાર: ઈન્દીવર
હેમંત કુમારનાં સૉલોની જેમ ગીતાદ્ત્તના સ્વરનું જોડીયું ગીત
એમ બન્ને ગીતો ખુબ લોકચાહના પામ્યાં હતાં
સરતચંદ્રની આ જ નામ પરની નવલકથા પરથી બિમલ રોય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ
પૂર્ણતઃ બંગાળી સંસ્કૃતિની વાત છે. કહેવાય છે કે આ ફિલ્મની 'બિરાજ'નું પાત્ર કરવા
માટે મધુબાલા પણ બહુ જ ઉત્સુક હતાં. જોકે મધુબાલાનો ભાવ નહીં પોસાય એમ માનીને બિમલ
રોયે કામિની કૌશલને એ ભૂમિકામાં લીધાં હતા.એ સમયે મધુબાલાએ કોઈને કહ્યું હતું કે આ પાત્ર માટે તો હું
માત્ર એક રૂપિયો લઈને પણ કામ કરત.
પ્રસ્તુત ગીત ભજન છે પરંતુ ફિલ્મના નાયક પર ફિલ્માવાયું છે, આ ફિલ્મમાં જ બંગાળની લોક્સંગીતની પરંપરા બૌલ સંગીત પર
આધારિત એક ગીત -સાધુ પર પણ ફિલ્માવાયું છે, જે મોહમ્મદ રફીએ ગાયું છે !
આડવાત:
દરેક સંગીતકારનું
એક ગીત લેવાના જાતેજ બનાવેલ નિયમને તોડીને પણ સલીલ ચૌધરીએ હેમંત કુમારના સ્વરમાં
રચેલ 'ગંગા આયે કહાંસે ગંગા જાયે કહાં રે (કાબુલીવાલા, ૧૯૬૧- ગીતકાર: પ્રેમ ધવન) પણ અહીં યાદ કરીએ.
ફિલ્મમાં
નાયક ભારત ભુષણ પર ફિલ્માવાયેલાં બીજાં બધાં ગીત મોહમ્મદ રફીના સ્વરમાં છે. એ ગીતો
પણ નૌશાદ અને રફીનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામે તે કક્ષાનાં હતાં. તેમ છતાં આ 'હાલરડાં' માટે નૌશાદે હેમંત કુમારના સ્વરને જ
કેમ પસંદ કર્યો હશે તે ફિલ્મમાં રજૂ થયેલ સૉલો વર્ઝનની શરૂઆતની સાખી જે ભાવમાં
હેમંત કુમારના સ્વરમાં ગુંજે છેતે સાંભળતાંવેંત
સમજી શકાય છે.
સંગીત હૈ
શક્તિ ઈશ્વરકી, હર સુરમેં બસે હૈ રામ
રાગી જો
સુનાયે રાગ મધુર, રોગીકો મિલે આરામ
ફિલ્મમાં
ગીત બીજી ત્રણ વાર પણ મુકાયું છે, જે પૈકી એક વર્ઝન લતા મંગેશકર સાથેનુંયુગલ ગીત છેજે
આપણે રેકોર્ડસ પર સાંભળતાં આવ્યાં છીએ.
મધ્યયુગીન અંગ્રેજ કાલ્પનિક પાત્ર રોબિનહુડ જેમજ ગરીબોના બેલી યુવાનની અરબી
દંતકથા, આબ-એ-હયાત
(જીવનનું ઝરણું, અમૃત),
પરથી બનેલ આ ફિલ્મના મુખ્ય પાત્રનાં આગવા પરિચયરૂપ આ ગીત
સરદાર મલિક, હસરત જયપુરી અને
હેમંત કુમારના સહયોગનું એક બહુ વિરલ રત્ન છે.
સામાન્યપણે ઉર્દુ શબ્દોના શુધ્ધ ઉચ્ચાર માટે જાણીતા હેમંત કુમાર અહીં 'મચલતી સબાં (સવારની તાજી હવાની લહેરખી)નો ઉચ્ચાર એ રીતે કરે
છે કે ઘણાં લોકો આ શબ્દ 'વતનકી જુબાં' સમજે છે.
કોઈ ફકીર (કે સાધું કે પછી છેવટે શેરી ગીતનો ગાયક) જે ગીત ગાય તેનો ભાવ ક્યાં
તો ફિલ્મનાં મુખ્ય પાત્રની લાગણીને વાચા દે ,અને નહીં તો તેના માટે કોઈ પ્રેરક સંદેશ આપી જાય, એવાં ગીતોનો
પ્રકાર પણ હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત હતો. મદન મોહને હેમંત કુમારના સ્વરની
નૈસર્ગિક ખુબીને આ ગીતની અસરને પ્રગાઢ કરવાં ખુબીથી વણી લીધી છે.
કહ રહી હૈ ઝિંદગી જી શકે તો જી - જલતી નિશાની (૧૯૫૭) – સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ક઼મર જલાલાબાદી
કહેવાય છે કે આ ગીત પહેલાં તો કોઇ કોરસ સંગાથ વિના જ રેકોર્ડ કરી લેવાયું
હતું. ગીતનાં રેકોર્ડીંગને લગતી વિધિઓ પુરી કરીને બધાં સાથે અનિલ બિશ્વાસ
રેકોર્ડીંગ સ્ટુડીઓની બહાર નીકળતા હતા કે પાછા ફરીને બધાંને ફરીથી ગોઠવાઈ જવા
કહ્યું. ત્યાં જ હાજર સાજિંદાઓમાંથી કોરસ ગ્રૂપ બનાવીને, પોણાએક કલાકની (જ)
જહેમતમાં, તેમણેકોરસને અત્યારે સાંભળીએ છીએ તે
સ્વરૂપની કાઉન્ટર મેલોડીના સ્વરૂપે ગીતમં ઉમેરીને ગીત ફરીથી રેકોર્ડ કર્યું. સલામ
છે અનિલ બિશ્વાસની સુઝને કે જેમણે ગીતના ભાવને આવા અલૌકિક સ્તરે મુકી આપ્યું ! !
હેંમંત કુમારે ગાયેલાં 'અન્ય' સંગીતકારો માટેનો સૉલો ગીતનો બીજો હપ્તો હવે પછી
સંદર્ભ સ્વીકૃતિ :
1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) – Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
2.Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015 Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008
4.List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta