ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
Saturday, January 18, 2014
Friday, January 3, 2014
સર્જનાત્મક સાહીત્યનો અનુવાદ – ૧ | NET-ગુર્જરી
અનુવાદના કેટલાક સીદ્ધાંતો*
– જુગલકીશોર
કાવ્ય અને ઈશ્વરની માફક અનુવાદ પણ એક એવો વીષય છે કે જેને વ્યાખ્યામાં બાંધવો એ ખુબ કપરું કાર્ય છે. એનું સ્વરુપ સમજાવવા માટે અનુવાદ વીષે ઘણું કહી શકાય ખરું પણ જ્યાં એને વ્યાખ્યામાં બાંધવા જઈએ છીએ ત્યાં મુંઝવણ ઉભી થાય એવું એનું સ્વરુપ છે.
અનુવાદને અંગ્રેજી શબ્દ ‘ Translation’ ના અર્થમાં જ આપણે લઈએ છીએ. એટલે, એ અનુવાદ કેવો હોવો જોઈએ ? એમ સવાલ પુછીએ ત્યારે મુળ કૃતીના થયેલા ભાષા બદલાની સાથે નવી કૃતી (અનુદીત કૃતી)નું માપ આપણે કાઢવા માંગતા હોઈએ છીએ. મુળ કૃતી કરતાં આ અનુદીત કૃતી કેવી છે ? એ તપાસવા માટે પણ અનુવાદના સીદ્ધાંતો આપણી સમક્ષ હોવા જોઈએ.
જોકે ઉપર કહ્યું તેમ કાવ્યની માફક અનુવાદના પણ સીદ્ધાંતો બાંધવા એ પાણીને મુઠીમાં પકડી રાખવા જેવું કાર્ય છે…. પરંતુ સગવડ ખાતર આપણે કેટલાક સીદ્ધાંતો તારવી શકીએ તેમ છીએ; અને એ સીદ્ધાંતોને ધ્યાનમાં લઈને અનુવાદને કાંઈક વધુ સફળતાથી ઓળખી શકીએ તેમ છીએ.
આ રીતે અનુવાદના કેટલાક સીદ્ધાંતો આ પ્રમાણે આપી શકાય :
1) A translation must give the words of the original.
આ પ્રથમ સીદ્ધાંત શબ્દશ: અનુવાદની તરફેણ કરે છે. પણ શબ્દશ: અનુવાદનો અર્થ ‘શબ્દનો કોષગત અર્થ’ એવો થતો દેખાય છે. એમાં શબ્દના અર્થને વળગી રહેવાનું છે. પરીણામે મુળ કૃતીના શબ્દને વફાદાર રહેવાથી કૃતીનો વીચાર-કથ્ય-પાછળ રહી જાય છે અને એને ન્યાય મળતો નથી. જોકે અનુવાદ – શુદ્ધ અનુવાદનો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે અનુવાદ ‘અર્થ’નો હોવો જોઈએ. આ અર્થ શબ્દનો, વાક્યનો અને સમગ્ર કૃતીનો ‘ટોટલ’ અર્થ હોય. આ દૃષ્ટીએ શબ્દશ: અનુવાદમાં દરેક શબ્દને ન્યાય મળે છે. પરંતુ આ સીદ્ધાંતને જડતાથી વળગી શકાય નહીં. કૃતીના મુળ વીચારને વફાદાર રહ્યા પછી જ શબ્દના અર્થને લઈ શકાય. નહી તો આવો અનુવાદ કૃત્રીમ બની જવાનો પુરો સંભવ છે.
2) A translation must give the ideas of the original.
ઉપરના સીદ્ધાંતની બીજી બાજુનો આ સીદ્ધાંત પ્રથમ સીદ્ધાંતની એક શક્ય મર્યાદાને સુધારી આપે છે. શબ્દશ: અનુવાદની ખાત્રીમાંથી આ સીદ્ધાંત દૂર રહે છે અને મુળ કૃતીના વીચાર – કથ્ય –ને ન્યાય આપે છે.
પરંતુ આ સીદ્ધાંતની પણ એક મર્યાદા છે. એમાં કથ્ય તરફ લક્ષ આપવા જતાં બીજી ઘણી મુશ્કેલીઓ ઉભી થવાનો સંભવ છે. કથ્યને ન્યાય આપવા જતાં શબ્દના અર્થને, વાક્યરચનાને, શૈલીને અને પરીણામે લક્ષભાષાના સ્ટ્રક્ચરને પણ અન્યાય થવાનો સંભવ રહે છે. ઘણા લોકો ‘મુક્ત અનુવાદ’, ‘ભાવાનુવાદ’ વગેરે જેવાં નામો આપીને તથા મુળ કૃતીના વીચારતત્વને મહત્ત્વ અપાતું હોવાથી સંતોષ માનીને આવા અનુવાદને આવકારે છે. પરંતુ ઉપરકહ્યા ભયને ધયાનમાં રાખીએ તો આ સીદ્ધાંતની પણ મર્યાદા સમજાય છે.
3) A translation should read like the original work.
આ સીદ્ધાંત પ્રમાણે અનુવાદ પાસેથી એવી અપેક્ષા રખાય છે કે અનુવાદ મુળ કૃતીને પુરી રીતે વફાદાર રહે. આગળ જોયું તે પ્રમાણે અનુવાદ ત્રણેય અર્થોનો હોય : શબ્દના અર્થનો, વાક્યના અર્થનો અને સમગ્ર કૃતીના ટોટલ અર્થનો. હવે આ સીદ્ધાંત પ્રમાણે મુળ કૃતીનું યથાતથ દર્શન લક્ષકૃતીમાં થવું જોઈએ. મુળ કૃતીના શબ્દાર્થ, વાક્યાર્થ, કથ્યાર્થ, એની વાક્યરચના, શૈલી વગેરે બધું જ લક્ષકૃતીમાં દર્શાવવું જોઈએ. આવો ધ્વની જો એમાંથી નીકળતો હોય તો એનો અર્થ એવો થયો કે આ જાતનો અનુવાદ એ તરજુમીયો અનુવાદ કહેવાય. મુળ કૃતીની શૈલી, એ ભાષાની ખુબીઓનો આપણને પરીચય થાય એ ખરું પણ એમાં લક્ષભાષા વંચાતી હોય એવું લાગે નહીં. ‘‘The man who has done this work is a very good man.’’નો અનુવાદ ‘‘એ માણસ કે જેણે આ કામ કર્યુ છે, તે ઘણો સારો માણસ છે.’’ એ રીતે કરીએ તો એમાં મુળ ભાષાનો આપણને પરીચય થાય છે એ ખરું પરંતુ એમાં લક્ષભાષાને અન્યાય થાય છે. મુળ લક્ષભાષાની બાની એમાં જોવા મળતી નથી. છતાં જરૂર કહી શકાય કે અનુવાદ તો થયો જ છે.
4) A translation should read like a translation.
ત્રીજા સીદ્ધાંતની ખામી આ સીદ્ધાંતથી ટાળી શકાય છે. આ સીદ્ધાંત એક રીતે વ્યાપક અર્થ બતાવે છે. અનુવાદની મહત્તા એમાં જ છે કે એનાથી મુળ કૃતી તથા મુળ ભાષાના જેટલું જ મહત્ત્વ લક્ષકૃતીને અને લક્ષભાષાને મળે છે. બધી ભાષાનું સ્થાન બરાબર રીતે આ સીદ્ધાંત પ્રમાણેના અનુવાદમાં જળવાઈ રહે છે અને મહત્ત્વનું બને છે. ઉપરના ઉદાહરણને જ જોઈએ તો ‘‘The man who has done this work, is a very good man.’’નો અનુવાદ ગુજરાતી ભાષામાં આ પ્રમાણે કરી શકાય – ‘‘જેણે આ કામ કર્યું છે તે માણસ ઘણો સારો છે.’’ આ અનુવાદમાં વાક્યરચનાને બદલવી પડી છે પણ લક્ષભાષાનું સ્થાન જળવાયું છે. લક્ષભાષાની લઢણ સચવાઈ શકી છે. પરીણામે એ અનુવાદીયું ન બની રહેતાં વધુ સરળ અને સબળ બની શક્યું છે.
5) The translation should retreat the style of the original.
આ સીદ્ધાંત પ્રમાણે જોઈએ તો મુળ કૃતીની છાયા અનુવાદમાં વરતાતી હોવી જોઈએ. આ છાયાને શૈલીની છાયા કહી છે. મુળ કૃતીની રીત – શૈલી – લક્ષકૃતીમાં ઉતરવી જોઈએ. શૈલીના વીશાળ અર્થમાં જોઈએ તો શૈલી એ પકડી ન શકાય, કૃતીથી અલગ પાડી ન શકાય તેવી વસ્તુ છે. એ દૃષ્ટીએ જોતાં મુળ કૃતીનાં વ્યક્તિત્વમાં જ એ વણાયેલી હોવાથી આપોઆપ લક્ષકૃતીમાં પણ એ થોડાઘણા અંશે ઉતરવાની જ. પરંતુ શૈલીને પુરેપુરી ઉતારવી કઠણ તો ખરી જ. અનુવાદની શક્તીની એ કસોટી છે. મુળ કૃતીનું વ્યક્તીત્વ લક્ષકૃતીમાં કેટલા પ્રમાણમાં સચવાયું છે તેનો આધાર શૈલીને વફાદાર રહેવા પર છે.
પરંતુ આ શૈલી, તે કૃતીની ભાષાગત (વાક્યરચના આદી) શૈલી નહીં. એ તો આપોઆપ થોડાઘણા અંશે લક્ષકૃતીમાં ઉતરશે. પરંતુ ભાષાગત – વ્યાકરણગત ‘રીત’ (style) તો બદલવી જ જશે.
6) The translation should possess the style of the translation.
મુળલેખકની વ્યક્તીતા કૃતીમાં એકરૂપ (ઓતપ્રોત) હોય છે. મુળલેખકની style લક્ષકૃતીમાં, આ દૃષ્ટીએ, જરૂર ઊતરી આવે. પરંતુ મુળ લેખકની વાક્યરચનાની રીત, એની વીચાર રજુ કરવાની આગવી મૌલીકતા વગેરે લક્ષકૃતીમાં પણ ઉતારવાં એ અનુવાદકની કક્ષા ઉપર આધાર રાખે છે. મુળ લેખકનાં એ બધાં વીશેષ તત્વો અનુવાદમાં પણ હોય (અથવા અનુવાદક એને પામી શકે) તો મુળ લેખકની શૈલી એ ઉતારી શકે પણ ઘણી વાર એવું બને છે કે અનુવાદકની ‘રીત’ જ્યારે જુદી પડે છે ત્યારે અજાણતાં જ એની પોતાની style એ અનુવાદમાં ઉમેરી બેસે છે. ગાંધીજીનાં લખાણોમાં જોવા મળતી સાદાઈ, સચોટતા, સંક્ષેપ વગેરે તત્વોને જુદા જુદા અનુવાદકો જુદી જુદી રીતે રજુ કરશે. અનુવાદક એને પામી નહીં શક્યો હોય તો એ તત્વો ઉતરી નહીં શકે.
આ સીદ્ધાંત પ્રમાણે તો એ તત્વો અનુવાદમાં પણ (અનુદીતકૃતી) આવવાં જોઈએ અને મુળલેખકનું વ્યક્તીત્વ બરાબર સચવાવું જોઈએ.
આમ સમગ્ર રીતે જોતાં અનુવાદના સીદ્ધાંતોને સીદ્ધાંત તરીકે ગણીએ છતાં દરેકમાં મર્યાદા જોવા મળે છે. અને છતાં દરેક સીદ્ધાંતની એક વીશીષ્ટતા પણ છે.
આમાનાં કોઈ એક સીદ્ધાંતને પકડીને અનુવાદ થઈ જ ન શકે – બધા સીદ્ધાંતોને ધ્યાનમાં લઈને વધુમાં વધુ મુળ કૃતીને ન્યાય આપનારો અનુવાદ જ શ્રેષ્ઠ ઠરે છે. (અપુર્ણ)સાભાર સૌજન્યઃ સર્જનાત્મક સાહીત્યનો અનુવાદ – ૧ | NET-ગુર્જરી
Labels:
Net-ગુર્જરી
Tuesday, December 31, 2013
હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૨ /૨૦૧૩
હિંદી ચિત્રપટ
સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, '૧૨ / ૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
સુધા મલ્હોત્રા
સુવર્ણયુગનાં પ્રતિભાશાળી પણ (વ્યાવસાયિક દૃષ્ટિએ) સફળ ન રહી શક્યાં હોય તેવાં
ગાયકો પૈકી એક પાર્શ્વગાયક હતાં. તેમના ૭૭મા જન્મદિવસે, તેમનાં જાણીતાં અને બહુ ન જાણીતાં એવાં ગીતો વડે, તેમની
પ્રતિભાને
Songs of Yore એ Sudha Malhotra: The last of the
niche singers of the Golden Eraલેખમાં પ્રસ્તુત કરેલ છે.
IMIRZA777એ ગીતા દત્તના
જન્મદિવસને યાદ કરવા એક બહુ જ ગમી જાય તેવી વિડીયો
ક્લિપનું સંકલન કરેલ છે.
૮મી ડીસેમ્બર
શર્મીલા ટાગોર અને ધર્મેન્દ્ર બંનેનો જ્ન્મદિવસ છે. જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિના તેમના
નિયમિત વિભાગ "રંગરાગ"માં શ્રીકાન્ત ગૌતમે "અભિનયના
આઠમા રંગની રંગત"મા આઠની આ કમાલના રંગને એક નવો જ ઓપ આપ્યો છે - આ જોડીએ
સાથે કરી એવી ફિલ્મો પણ આઠ છે. એ આઠ ફિલ્મો છે - દેવર, અનુપમા, સત્યકામ, યકીન, એક મહલ હો સપનો
કા, મેરે હમદમ મેરે
દોસ્ત, ચુપકે ચુપકે અને
સની.
Conversations Over Chai પણ શર્મિલા
ટાગોરના જન્મદિવસે તેમની વધારે ગમેલ ભૂમિકાઓને The Divas: Shamila Tagore માં એક નવા
વિભાગનાં સ્વરૂપે રજૂ કરે છે.
દેવ આનંદની બીજી
પૂણ્યતિથિના અવસરે Conversations over Chaiએ દેવ આનદ
નશામાં હોય કે નશામાં હોવાનો સરિયામ ડોળ કર્યો હોય કે પછી ગીત દરમ્યાન શરાબનો જામ
સતત હાથમાં રહેલ હોય તેવાં દેવ આનંદનાં 'ચક્ચૂર' ગીતોને યાદ કર્યાં
છે.
તે ઉપરાંત, રાજ કપુરની ૮૯મી જન્મતિથિના ઉપલક્ષમાં, Conversations over Chaiએ The Only Showmanનાં સ્વરૂપે બહ
જ રસ પડે અને દિમાગ તેમ જ યાદદાસ્તને ખાસી કસરત કરાવે તેવા સવાલોની ક્વીઝ રજુ કરી
છે.
રાજ કપુરના જન્મ
દિવસની યાદમાં આપણે યુટ્યુબની ચેનલ DoordarshanNational પર Portrait of the Director: Raj Kapoor અને પોતાના પ્રેમ...પોતાની દિલગીરીઓ... પોતાનું
સંગીત...પોતાની ફિલ્મો અને પોતાની ફીલસૂફીની લાગણીની બહુ જ અંગત વાતોને રજૂ કરતી
સિમિ ગરેવાલની દસ્તાવેજી કેફિયત LIVING LEGND RAJ KAPOOR પણ માણીશું.
૧૪મી ડીસેમ્બર
શૈલેન્દ્રની પણ ૪૭મી પૂણ્યતિથિ છે. શૈલેન્દ્રનાં વ્યાવસાયિક વ્યક્તિત્વનાં વિવિધ
પાસાંઓને,કચ્છમિત્રની
રવિવારની પૂર્તિના તેમના નિયમિત વિભાગ 'રજતપટના રંગ' પરના લેખ "બહુરંગી ગીતોના રચયિતા -
શૈલેન્દ્ર"માં પ્રવીણ ઠક્કરે આવરી લીધાં છે.
આપણે તે ઉપરાંત
યુ ટ્યુબના ખજાનામાંથી शैलेंद्र के
गीत | Songs of Shailendraએ રજૂ કરેલ શૈલેન્દ્રનાં
૨૧ શીર્ષક ગીતો - A
Compilation of Title songs, crazyoldsongsની શૈલેન્દ્રને
નાની સી અંજલિ \ A
Small Tribute to Shailendra, એનડીટીવી.કૉમની શૈલેન્દ્રની યાદ \ Remembering lyricist Shailendra અને, આ બ્લોગોત્સવનાં
ઓક્ટૉબર
૨૦૧૩નાં સંસ્કરણમાં પણ આપણે જેની મુલાકાત લીધેલ હતી તે, એબીપી ન્યુઝે પ્રસ્તુત કરેલ ચૌથી કસમ ના ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩ની પણ સૈર
કરીશું.
Dances on the Footpathએ નાસ્તીક
(૧૯૫૪)નાં ગીતો - Nalini Jaywant Songs in Nastik
(1954), with English Subtitles- તેમની ત્રીજી પૂણ્યતિથિએ યાદ કર્યાં છે.
અને હવે આપણે
અન્ય વિષયો પરના લેખો / બ્લૉગ/ વેબ સાઈટ્સની મુલાકાત લઇશું.
ફિલ્મ સંગીત
વિષે થોડું પણ જાણનારને ‘આશા ભોસલે કોણ?’ તે સવાલ એક મશ્કરી જ લાગશે,
પણ આશા
પોસલે વિષે કેટલાં જાણતાં હશે? Atul’s Song A
Dayએ, તેમના લેખ Aankh
ke paani aankh mein rahમાં આશા પોસલે એ ગાયેલું ફિલ્મ પગદંડી (૧૯૪૭)નું આ ગીત રજૂ કર્યું
છે.
આપણા બ્લૉગ
વિશ્વના એક અન્ય મિત્ર શકીલ અખ્તરે પાકીઝા
અને દુપટ્ટાને 'ઇન્હીં લોગોને છીના દુપટ્ટા મેરા" દ્વારા આધુનિકતાના આ યુગમાં હવે ભૂલાતી
જાતી હાથ કારીગીરીઓની યાદ જોડે સાંકળી આપેલ છે. આજ વિષયને લગતો,
ટાઇમના
ફોટોગ્રાફી વિભાગ - લાઈટબૉક્ષ- પરનો એક બહુ જ માહિતિ સભર લેખ - વિલિન થતા જતા
હુન્નર - ભારતના ઘસાઇ ચૂકેલ વ્યવસાયો \Disappearing
Trades: Portraits of India’s Obsolete Professions – LightBox - પર જોઈ
શકાશે.
ખુબ જ જાણીતાં
ગીતોની રૂપેરી પર્દા પર પ્રમાણમાં ઓછા જાણીતા અદાકારોની રજૂઆત Dusted Off તેમના લેખ Ten
of my favourite ‘Who’s that lip-synching?’મા કરી છે.
Songs of Yoreએ ૧૯૩૫નાં 'દેવદાસ'માં
કે સી ડેનાં ગીતોને યાદ કર્યાં છે. એ ગીતો છે:
અરૂણકુમાર
દેશમુખ હંમેશાં નવા જ વિષયને ખૂબ જ માહિતિસભર સંશોધનની સાથે રજૂ કરતા રહ્યા છે.
"અનમોલ ફનકાર" પર તેમણે એક જ નામની ગુંચવણોને ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩માં બહુ જ વિગતે
રજૂ કરી આપેલ છે.
N Venkatraman, તેમની રસાળ શૈલિમાં હિંદી - તમિળ ગીતોની આપલેને
Multiple
Version Songs (15): In the ‘Realm of Remakesને Song of Yoreના Multiple
version songની શ્રેણીના ભાગ રૂપે આગળ વધારી આપે છે.
એક નવી રજૂઆત
માણવા માટે આપણે સિનેપ્લૉટ પરના લેખ Tanuja
talks about her top ten Hindi Filmsની મુલાકાત લેવી જ રહી. શીર્ષક પરથી સમજી શકાશે
કે આ લેખમાં તેની પ્રિય દસ ફિલ્મો વિષે તનુજાના વિચારો આ લેખમાં જાણવાનો લ્હાવો
મળશે.
Songs of Yoreએ આપણા સહુના ઇંતઝારનો આખરે અંત લાવી આપ્યો - Best
songs of 1953: Final Wrap Up 4 પ્રસિધ્ધ થયેલ છે. ફિલ્મ સંગીતનાં સુવર્ણ
યુગનાં એ વર્ષોની આમ ઝીણવટ ભરી વર્ષ
વાર સમીક્ષા, અને તે પછી
વાચકોના પ્રતિભાવોને પણ ધ્યાનમાં લઈને શ્રેષ્ઠ પુરૂષ
પાર્શ્વગાયક, શ્રેષ્ઠ સ્ત્રી
પાર્શ્વગાયિકા, શ્રેષ્ઠ યુગલ
ગીતો અને આ પ્રસ્તુત લેખમાં શ્રેષ્ઠ સંગીતકાર એવા સર્વગ્રાહી છણાવટથી સંકલન કરતા લેખો આ
શ્રેણીની એક ખાસ વિશિષ્ઠતા બની રહેલ છે.
Atul’s Song A Day પર તીસરી કસમનું પ્રીત
બનાકે તૂને જીના શિખાયા રજૂ કરતાં Nahm જણાવે છે કે ૧૨
મિનિટની આ વિડિયો ક્લિપની ખૂબી એ છે કે મુકેશના અવાજમાં ગાયેલાં ગીતમાં
રાજકપુરના અવાજમાં તેમના સંવાદ અને સુમન કલ્યાણપુરના અવાજમાં ફિલ્મમાં વહીદા
રહેમાને ગાયેલ પૂરક ભાગ સાંભળવા મળે છે.
દરેક સંસ્કરણમાં
આપણે મોહમ્મદ રફી વિષે અવનવી વાનગી માણતાં રહ્યાં છીએ. છેલ્લે આપણી તીસરી કસમની
વાત કરી તેમાં સ્વાભાવિકપણે મોહમ્મદ રફીની હાજરી ન હોય તે તો સમજી શકાય, પરંતુ વહીદા રહેમાન માટે ચાર ગાયિકાઓના અવાજનો પ્રયોગ શંકર
જયકિશન અને લતા મંગેશકરના સંબંધોમાં ૧૯૬૬ સુધી આવી ગયેલા ફરકનો અંદેશો આપી જાય છે.
અને તેની જ સામે
૧૯૫૬નાં
રાજહઠને યાદ કરીએ. Dusted Off તેમની આ ફિલ્મની
સમીક્ષામાં, મોહમ્મદ રફીના અવાજમાં ગવાયેલ એક બેનમૂન રચના -
આયે બહાર બન કે લુભાકર ચલે
ગયે - ખાસ યાદ કરે છે.
Nasir's Eclectic Blog મુખ્યત્વે મોહમ્મ્દ રફીને એક આગવી અંજલિ આપતો એક આગવો બ્લૉગ
જ છે. અહીં મોહમ્મદ રફીના અવાજને તેનાં ગીતોના અલગ અલગ મનોભાવ પ્રમાણે, Rafi's Romantic Songs
Transliterated/Translated, Rafi's Sad Songs
Transliterated/Translated,
Rafi's Philosophical Songs,
Rafi's Filmy Devotional Songs,
Peppy Songs of Mohammed Rafi , Articles on Mohammed Rafi Sahaab, આ રીતના
વિભાગોમાં રજૂ કરાતાં રહે છે.
આપણા એક અન્ય
મિત્ર, ભગવાન થવરાણી એ 'તૂફાનમેં પ્યાર કહાં'માં ચિત્રગુપ્તે
સ્વરબદ્ધ કરેલ મોહમ્મદ રફીનું એક બહુ જ ભાવવાહી ગીત ઇતની બડી દુનિયા જહાં ઇતના બડા મેલા યાદ
કરાવી આપ્યું છે.
બિમાન બરૂઆહે
રોશન ખાનદાનની ત્રણ પેઢીના મોહમ્મદ રફી સાથેના સંબંધોને Mohammed Rafi with legacy of
composer Roshanમાં તાજા કર્યા છે.
રોશન(લાલ નાગરથ)સાથેનાં રફીનાં અમર ગીતો,
તેમના
પૂત્રો રાકેશ રોશનનાં નીર્દેશનવાળી અને રાજેશ રોશનનાં સંગીતવાળી ફિલ્મોમાં રફી નામ
ગીતો અને હૃતિક રોશનના બાલ્યકાળની ફિલ્મોમાં રફીનાં ગીતોમાં તેનો સાક્ષીભાવ મોહમ્મદ રફીના અવાજ દ્વારા સંકળાયેલ રહેલ જોવા
મળે છે.
આ સંસ્કરણ સાથે
આપણે આપણી વર્ષ ૨૦૧૩ની આ સફરને પણ પૂરી કરીએ છીએ.
આ સુવર્ણકાળનાં
હિંદી ફિલ્મી ગીતો ની મધુરી યાદો ૨૦૧૪નાં નવાં વર્ષમાં પણ આ રીતે જ મધુર ગુંજન
ફેલાવતી રહે,
અને વર્ષને એ રીતે બહુ જ સહજ પણે માણવાલાયક બનાવવામાં
ઉદ્દીપક બની રહે તેવી શુભેચ્છાઓ સાથે .....
Wednesday, December 25, 2013
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - ડીસેમ્બર, ૨૦૧૩
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં ડીસેમ્બર, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ માસનાં સંસ્કરણ માટે પસંદ કરેલા લેખોની, અત્યાર સુધી આપણે દરેક લેખમાટે આપતા તેનાથી વધારે માહિતિ આપવાની નવી રજૂઆતનો પ્રયોગ કરેલો છે.
તે ઉપરાંત દરેક લેખનાં શીર્ષકને ખાસ ચિહ્ન વડે અલગ બતાવી અને લેખનો મુખ્ય સાર નીચે અલગથી રજૂ કરેલ છે. લેખનાં વસ્તુથી મારી પોતાની પૂરક માહિતિને અલગ તારવી લેવા માટે કરીને 'મારા શબ્દો'ને ત્રાંસા દર્શાવેલ છે.
- ગુણવત્તા સંચાલન અને જોખમ વ્યવસ્થાપનને એકબીજાં સાથે સાંકળી શકાય ખરા?\ Can We Integrate Quality and Risk Management? @ Quality Management
- મૂળભૂત લાક્ષણિકતાઓ વડે જરૂરિયાતોની કેટલે અંશે થતી પૂર્તતા એટલે ગુણવતા (ISO 9001).
- અનિશ્ચિતતાની હેતુઓ પર પડતી અસર એટલે જોખમ (ISO 31000).
કોઇ ચોક્કસ લાક્ષણિકતાની જરૂરિયાત તરીકે હેતુની વ્યાખ્યા કરીને ગુણવતા સંચાલન અને જોખમ વ્યવસ્થાપનને એકબીજાં સાથે સાંકળી શકાય.
આ વિષયના વધારે વિગતે અભ્યાસમાટે લેખમાં ત્રણ મહત્વના સંદર્ભો ટાંક્યા છે, જેની મુલાકાત લેવાનું પણ ચૂકવા જેવું નથી:
ICH (2005). Harmonised tripartite guideline quality risk
management. Current step 4, 9
November 2005.
Popescu, Maria; Dascslu,
Adina (2011). Considerations on Integrating Risk and Quality
Management. Annals of “Dunarea de
Jos” University of Galati. Years XVII-no 1/2011.
Van Nederpelt, Peter
(2012). Object-oriented quality and risk managements. New
York/Alphen aan den Rijn: Lulu Press/Microdata.
- પાંચ ઉપયોગી સવાલો - હ્યુજ ઍલ્લૅ@ સ્ક્વૅક પૉઇન્ટ \ Five Useful Questions by Hugh Alley
મહાન નેતાઓની એક ખાસ ખાસીયત
એ છે કે તેઓ બહુ જ મહ્ત્વના સવાલો ઉઠાવી શકે છે. તેઓ આ સવાલો પૂછવાનું ક્યાંથી શીખતા હશે? આપણે
પણ ઉપયોગી સવાલો પૂછવાનું ક્યાંથી શીખીશું?
મિશિગન યુનિવર્સિટીના માઈક રૉથરે,સંસ્થાઓને
સુધારણામાં બહુ જ ઉપયોગી થઈ પડે એવા પાંચ સવાલો વિકસાવ્યા છે :
૧. કઇ પરિસ્થિતિ આપણું લક્ષ્ય છે?
૨. હાલ સું પરિસ્થિતિ છે?
૩. કઇ આડખીલીઓ છે, અને
તેમાંથી ક ઈ આડખીલી પર હાલ કામ કરી રહ્યાં છીએ ?
૪. એ
આડખીલી બાબતે હવે પછીનુ પગલુ/ પ્રયોગ કયો છે અને તેના વિશે તમારી શું
અપેક્ષા છે? અને
૫. એ પગલાં / પ્રયોગ પરથી આપણે શું શીખ્યાં તે
કેટલું જલદી જોઈ શકીશું?
- ધ ડ્રકર એક્ષચેન્જ પર ન્યુરૉઅર્થશાસ્ત્રી પૌલ ઝૅક - ભરોસો નાવીન્યકરણને શી રીતે ખેંચી લાવે છે? \ How Trust Leads to Innovation
ઉચ્ચ કામગીરી સિદ્ધ કરી
રહેલી સંસ્થાઓમાં ભરોસાને ટકાવી રાખવામાં પારદર્શીતા બહુ જ મહત્વનો ભાગ ભજવે છે.
અને એ ભરોસો નાવીન્યકરણને ખેંચી લાવે છે.
જેમ કે, એક
ઉત્પાદન કંપનીમાં કરાયેલા એક તાજેતરના અભ્યાસમાં મારી પ્રયોગશાળાએ જોયું કે
સંસ્થાગત ભરોસાને કર્મચારીઓની ઘનીષ્ઠતા સાથે બહુ જ સકારાત્મક સંબંધ છે. એમ પણ જોવા
મળ્યું કે કર્મચારી ઘનીષ્ઠતાના ઉચ્ચ ચતુર્થક (quartile)માંનાં કર્મચારીઓ બીજાં કરતાં પ્રશ્ન નિવારણમાં
૨૨% વધારે સફળ રહ્યાં છે. ઘનીષ્ઠતાનાં સહુથી નીચેનાં ચતુર્થકમાંના કર્મચારીઓ કરતાં તેઓને એ પ્રશ્નોમાં ૧૦% વધારે મજા પણ આવતી હતી.
પાઠ: એક સમુદાયમાં હોય ત્યારે લોકો વધારે સારૂં નાવીન્યકરણ કરી
શકે છે, અને જ્યારે તેઓ સમુદાયનાં અન્ય સભ્યો પર ભરોસો કરવા લાગે છે
ત્યારે સર્જનાત્મકતા ખીલે છે. પીટર ડ્રકરનું કહેવું છે કે “ટીમનો આધાર અન્યોન્ય વિષેનો ભરોસો અને એકબીજા વિષેની સમજણ
પર આધારીત છે.”
કોઈ પણ સંસ્થાના ઉર્ધ્વગામી
વિકાસ માટે આ પ્રકારની સંસ્કૃતિને વિકસાવવી જોઈએ.
- બૉક્ષ થિયરી ગૉલ્ડ પર રૉન કૅર્રૉલ - સમગ્ર ગુણવત્તા સંચાલન: વેપારમાં ગુણવત્તાનું સ્તર ઊંચકવા માટેના સાત સિદ્ધાંતો
મોટા ભાગનાં લોકો માટે
ગુણવત્તાનો અર્થ ઉત્પાદન કે સેવામાં આલેખન
કે માલ કે કારીગીરીનું ચઢીયાતાપણું થતો
હોય છે, જે આપણને મર્સીડીઝ કે ગ્યુસ્સી કે પછી ઍપલ જેવી ઉચ્ચ
કક્ષાની બ્રાંડમાં જ દેખાય. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે, નીચેનાં
કોઇ પણ સ્તરનાં, કે સામૂહિક, બજારમાંના
ગ્રાહક માટે પણ "ગુણવત્તા" એટલું જ મહત્વ ધરાવે છે.
ગુણવત્તામાં ધરમૂળથી સુધારો
કરવા માટે જરૂરી એવા સાત સિદ્ધાંતો :
૧.
ગુણવત્તાનું સંચાલન શક્ય છે, અને કરવું જ જોઇએ
૨.
સામાન્યતઃ લોકો નહીં પણ પ્રક્રિયાઓ સમસ્યાઓ હોય છે
૩.
મૂળભૂત કારણ શોધી અને તેનો ઉપાય લાગુ કરવો
૪.
ગુણવત્તા માપી શકાવી જોઈએ
૫.
સતત ગુણવત્તા સુધારણા માટે પ્રયત્નશીલ બની રહેવું જોઇએ
૬.
દરેક વ્યક્તિ ગુણવત્તામાટે યોગદાન આપી શકે તેમ હોય છે
૭.
ગુણવત્તા લાંબા ગાળાનું રોકાણ છે
ઘણીવાર પ્રતિસાદ રૂપે સાવ
વ્યર્થ, અપ્રસ્તુત કે ક્ષુલ્લક માહિતિ મળવાનો અનુભવ બધાંને જ થતો હોય છે.
કોઇ પ્રતિસાદ માગે એટલે એ
થેલીમાં કંઇક
તો ભરી
દેવું કે તમારી પાસેની બીનજ્રૂરી માહિતિ ઠાંસી દેવી એવું જરૂરી નથી.પ્રતિસાદમાટેની
વિનંતિ એ તો :
• બહુ જ મહત્વના સંવાદમાં જોડાવા માટેનું
નિમંત્રણ છે … જો આપણી પાસે સમય ન હોય કે આપણે કંઇ યોગદાન કરી શકીએ તેમ ન
હોઇએ તો તે નિમંત્રણને સવિનય પરત કરવામાં કંઇ ખોટું નથી.
• એક પવિત્ર વિશ્વાસ છે … આપણા
અભિપ્રાયનું જેમને મન કંઇ મહત્વ છે, જેને પરિણામે તે પોતાની જાતને આલોચનાને પાત્ર
બનવાનું જોખમ પણ ઉઠાવી રહેલ છે.
• એક એવી તક જેને પરિણામે આપણે - તે વ્યક્તિ કે
પ્રક્રિયા કે પરિયોજના માટે - બહુ સૂચક ફરક પાડી શકવા શક્તિમાન બનીએ છીએ
બીજાને
ટેકો આપવા માટે અપાતો પ્રતિસાદ બહુ ગંભીર બાબત છે. એટલે આપણો પ્રતિસાદ, વ્યર્થ
નહીં પરંતુ લક્ષ્યકેન્દ્રી બની રહે તે માટે
આપણી જાતને આ સવાલો કરીએ......
-
જવાબ આપવા માટે મારે કેટલીક મહેનત કરવી પડશે?
-
તેનું કેટલું મહત્વ છે?
-
સામેની વ્યક્તિ તેનો સમુચિત ઉપયોગ કરી શકે તે માટે હું કેટલો
પ્રયત્ન કરવા તૈયાર છું?
પ્રતિસાદની વિનંતિ એ કરવા ખાતર કરવાની ફરજ ન બની રહેવી
જોઇએ. તે તો આપણે કંઇક મહત્વનું યોગદાન આપી શકીશું તેવી અપેક્ષા રાખનારે આપણું
કરેલ સન્માન છે.
નવેમ્બર ૨૦૧૩નાં સંસ્કરણમાં આપણે વિશ્વ ગુણવત્તા માસનો
ટુંકાણમાં ઉલ્લેખ કર્યો હતો. હવે તેની વધારે વિગતે વાત કરીએ.
- વિશ્વ ગુણવત્તા માસ - નવેમ્બર ૨૦૧૩ એ સમય છે વ્યાપાર - ઉદ્યોગમાં ગુણવત્તાએ કરેલ પ્રગતિ અને બહુમૂલ્ય યોગદાનોને સજાવવાનો અને નીખારવાનો.
વિશ્વ ગુણવત્તા માસનો
હેતુ
વ્યાપાર અને સમાજમાં ગુણવત્તા સાધનોના
બહોળા ઉપયોગનો પ્રસાર કરવાનો છે. ફ્લૉચાર્ટ કે ચેક્લિસ્ટ જેવાં ગુણવત્તા
સાધનોનો મૂળભૂત આશય ક્ષતિઓ ઘટાડવાનો અને બહેતર ઉત્પાદનો કે સેવાઓનાં નિર્માણનો
છે.સલામત ખોરાક, રમકડાંઓને પાછાં ખેંચવાં અને નાણાંકીય ઉથલપાથલો
જેવી મથાળે ચમકતી ગંભીર ક્ષતિઓને ઘટાડવામાં ગુણવત્તા સિદ્ધાંતો મદદરૂપ થઈ શકે છે. જે લોકો આ બધાં ગુણવત્તા સાધનોનો ઉપયોગ કરે છે
તેમના અનુભવો બીજાં સાથે વહેંચવા માટે મંચ પણ વિશ્વ ગુણવત્તા માસ પૂરો પાડે છે. સફળ અનુભવો એ
શું શીખ્યા અને તે વિશેના અનુભવોની મદદથી
વ્યવસાય કે અંગત કે સામાજીક જીવનમાં આપણી આસપાસની દુનિયાને વધારે કાર્યદક્ષ
અને ફાયદાકારક બનાવવાનો સંન્નિષ્ઠ પ્રયાસ છે. જ્ઞાન
સ્ત્રોત પર દુનિયાભરના ગુણવત્તા વિશેના લોકપ્રિય વિડીયો, સંશોધન
લેખો કે બ્લૉગ્સને રજૂ કરાયા છે. ગુણવત્તા અવસરમાં જૂદી
જૂદી જગ્યાઓએ યોજાયેલા કાર્યક્રમો રજૂ કરાયા છે.
- આ સંકરણમાં આપણે એક નવા પ્રયોગ રૂપે BMJ Quality Blogની મુકાત લઈશું અને તેના પર તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ લેખોની અહીં નોંધ લઈશું:
અને
હવે આપણે હવે આપણા નિયમિતપણે મુલાકાત
લેવાતા વિભાગો પર નજર કરીશું. સાહુથી પહેલાં લઇશું - ગુણવત્તા ક્ષેત્રમાં કાર્યરત
સંસ્થા.
- ધ ચાર્ટર્ડ ક્વૉલિટી ઇન્સ્ટિટ્યુટ એ ગુણવત્તા સંચાલન વ્યાવસાયિકોની સનદી સંસ્થા છે. ૧૯૧૯માં સ્થાપના બાદ, તેને બહુ થોડા સમય બાદ જ શાહી સનદ મળી હતી.
નામમાં
થયેલા ફેરફાર બાદ પણ તેની મૂળભૂત વિચાર સરણી - નાવીન્યકરણ અને જતન દ્વારા
ગુણવત્તાનું સર્જન - સરળ જ અર્હી છે. સંસ્થાની દરેક પ્રવૃતિઓને આ વિચારસૂત્ર
દિશાસુચન કરતું રહ્યું છે, અને રહેશે.
- ચાર્ટર્ડ ક્વૉલિટી ઇન્સ્ટિટ્યૂટ્ની સાઈટ પર ભણી મહત્વની માહિતિ જોવા મળે છે. તે પૈકી તેના બ્લૉગ પરના મેરીલીન ડ્યાસનનો લેખ, ક્રીઝ છોડ્યા પછીનો વારસો , સચીન તેન્ડુલકરની ક્રિકેટ રમવાની ૨૪ વર્ષની ઇનિંગ્સ બાદની નિવૃત્તિના આધાર પર હોવાને કારણે ધ્યાન ખેંચે તે સ્વાભાવિક છે.
તેનો
સહુથી મહત્વનો વારસો છે - તેનાં પાદચિહ્નો પર ચાલવા તૈયાર બૅટ્સમૅનોની લાંબી કતાર.
વિશ્વ
ગુણવત્તા દિવસે જ્યારે બધાં ગુણવત્તાની ભૂતકાળની સિદ્ધિઓ અને ભવિષ્યના પ્રવાહો
વિષે વિચાર કરવામાં વ્યસ્ત હોય, એ સમયે ગુણવત્તાના
સંદર્ભે આપણા વારસા વિષે વિચાર કરવાથી વિશેષ રૂડું શું હોઈ શકે? અહીં
"આપણા" શબ્દપ્રયોગમાં 'સંસ્થા'ગત
તેમજ આપણા અંગત એમ બંને પ્રકારના વારસાને આવરી લેવો રહ્યો.
વિશ્વ
ગુણવત્તા દિવસના હેતુને બરકરાર કરતાં, આપણે આપણી આસપાસનાં
લોકો - ગ્રાહકો, સહકર્મચારીઓ કે
પુરવઠાકારો,
તેમ જ આપણાં કુટુંબો પણ -ને નાવીન્યકરણ
અને પરિવર્તનની તકો ખોળવાની બાબતમાં મદદ કરવા સદાય પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ
કરીએ.
- ગુણવત્તાની ક્ષેત્રમર્યાદા અન્ય ક્ષેત્રમાં પણ વિસ્તારવાની વાત માંડી છે તે સંદર્ભમાં ઓક્ટોબર ૨૦૧૩ની ASQના Influential Voices બ્લૉગર્સની A View from the Q પરની ચર્ચા રસપ્રદ બની રહે છે.
ગુણવત્તાનો
પરંપરાગત ઉત્પાદન ક્ષેત્રની બહાર ઉપયોગ થઈ શકે છે, અને
કરવો પણ જોઇએ. જો કે ગુણવત્તા ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે આ વાત નવી નથી, તેઓ
તો ગુણવત્તાનાં મૂળીયાંનો અન્ય ક્ષેત્રોમાં પદાર્પણ જોઇ જ ચૂક્યાં છે. તે સાથે ગુણવત્તાના
અન્ય ક્ષેત્રમાં પ્રસારને આગવા પડકારો છે કે "ગુણવત્તાની બહાર' કઇ
તકનીકો કામમાં લ ઈ શકાય તે વિષે મતમતાંતરો પ્રવર્તે છે.
- અને તે પછી હવે આપણે મુલાકાત લઈએ ASQ TVના Standards and Auditing વિડીયોની.
અહીં
વિશ્વનાં સહુથી વધારે પ્રચલિત સ્ટાન્ડર્ડ ISO 9001:2008માં શા માટે સુધારા થઈ
રહ્યા છે તેની ચર્ચા છે. તે પછી ઑડીટીંગ સ્ટાન્ડર્ડ - કેમ અને શા માટે - ની ચર્ચા
જોવા મળશે. ઓડીટરોએ કરવાની પૂર્વ તૈયારીઓની ટીપ્સ પણ અહીં છે. ઑડીટીંગ તજજ્ઞ ડેનીસ આર્ટરના પૂરેપૂરા
ઇન્ટરવ્યૂને જોવા/ સાંભળવા માટે The How and Why of
Auditing ની મુલાકાત લઈશું.
- તે પછીથી હવે આપણે મુલાકાત લઈશું ASQ's Influential Voicesના ઍડ્વીન ગૅરૉની.
ઍડ્વીન ગૅરૉ કોસ્ટા રીકાના એક ઇન્ડસ્ટ્રીઅલ એન્જીનીયર અને
ઉદ્યોગ સાહસિક છે. તેઓ સંસ્થાગત ઉત્કૃષ્ટતા પર વિશેષ ધ્યાન આપતી, પ્રશિક્ષણ અને માર્ગદર્શન કંપની PXS Performance Excellence Solutionsના મુખ્ય સંચાલક છે. તેઓ ઘણી અન્ય નવી શરૂ થતી કંપનીઓ જોડે પણ સંકળાયેલા છે. તેમના સ્પૅનીશ ભાષામાં લખાતા બ્લૉગ પર તેઓ
ઉત્કૃષ્ટતાનાં વિવિધ પાસાંઓને આવરી લેતા રહે છે. (ગુગલ ક્રોમમાં સ્પેનીશ
ભાષાનું અંગ્રેજીમાં ભાષાંતરણ થઈ શકે છે.)
તેમની વેબસાઈટ પરનાં
સંસાધનો પાનાં પર નાવીન્યકરણ, સતત સુધારણા, નાણાંકીય બાબતો, અન્ય રસપ્રદ લેખો અને લિંક્સ જેવા વિભાગોની પણ નિયમિતપણે
મુલાકાત લેતાં રહેવું જોઇએ.
- અને હંમેશની જેમ આપણે આ સંસ્કરણના અંતમાં જોહ્ન હન્ટરના Management Improvement Carnival # 202ની મુલાકાત લઈશું.
Subscribe to:
Posts (Atom)