Monday, October 31, 2011

અપેક્ષાનો વિરોધાભાસ - સેથ ગૉડીન


અલ્પ અપેક્ષા સામાન્યતઃ સ્વયં-પૂર્ત ભવિષ્યકથન બની રહેતી હોય છે.આપણે નિષ્ફળતાથી મોઢું ફેરવી લેતા હોઇએ છીએ,કસીને મહેનત નથી કરતા, સહુથી ખરાબ થશે તે માટે તૈયાર રહીએ છીએ,અને અવારનાર તે મેળવીએ પણ છીએ.
સામે પક્ષે,ઉંચી અપેક્ષા ખચીત નિરાશાને નોતરે છે. તમારી અપેક્ષા વધારતા જાઓ તો વહેલી કે મોડી [લગભગ તો વહેલી જ]તે ફળીભૂત નથી થવાની.અને આપણે જાણીએ છીએ કે આપણે કલ્પેલ ઉંચાં પરિણામની સરખામણીમાં સામાન્ય સારૂં પરિણામ આવે તો આપણને તે નિષ્ફળતા જ અનુભવાય છે.
ક્દાચ, કોઇ અપેક્ષા ન રાખવા વિષે વિચારવું જોઇએ.જોરદાર પ્રયત્નો પછીથી જે પરીણામ આવે તેને સ્વિકારી લઇએ. આ કદાચ સારી જાહેરાત ન હોઇ શકે ,પણ આ શિસ્તથી સારા વ્યાવસાયિક જરૂર થવાશે.
-          સેથ ગૉડીનની ઑક્ટૉબર 30, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા ગુજરાતીમાં ભાષાંતરણ
[कर्मण्ये वाधिकारस्ते, मा फलेशु कदाचन – गीताबोध]
n  મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/the-paradox-of-expectations.html

Saturday, October 29, 2011

સફળતા સાથે દલીલબાજી - સેથ ગૉડીન


"સફળતા સામે દલીલ ન કરવી"
તમારે જરૂરથી દલીલ કરવી જોઇએ.
પ્રણાલિકાગત ડહાપણમુજબ તો પરવા ન કરવી જોઇએ. પરંતુ, નિષ્ફળતાસામે દલીલ કરવી તો મૂર્ખામી છે. નિષ્ફળતાસામે દલીલ કરવાનો કોઇ અર્થ નથી, કારણકે તે તો ખતમ થઇ ચુકેલ છે.
સફળતાસામે દલીલ કરવામાટે કુનેહ જોઇએ, કુનેહ તેમ જ આંતરસૂઝ. જે છે તેને વધારે સારૂં  કરવાનો આ ઉત્તમ ઉપાય છે.
-          સેથ ગૉડીનની ઑક્ટૉબર ૨૮, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા ગુજરાતીમાં ભાષાંતરણ
મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/arguing-with-success.html

Sunday, October 16, 2011

ભાષા અને શક્તિ - અજય સરવૈયા - નવનીત સમર્પણ - ઑક્ટૉબર ૨૦૧૧

નવનીત સમર્પણનો ઑક્ટૉબર ૨૦૧૧નો દીપોત્સવી અંક શક્તિ વિશેશાંક છે.તેથી 'ભાષા અને શક્તિ' જેવું લેખ-શિર્ષક જોઇને આ લેખ પણ શક્તિનાં અન્ય સ્વરૂપોપર લખાયેલ ટેક્નીકલ લેખ સમજીને કુદાવી જવાની ભૂલ કે ભાષાપર કોઇ અઘરો લેખ વાંચવામાટે બે-ત્રણ બદામ ખાઇને મગજને તૈયાર કરવાની જરૂર નથી.
શ્રી અજય સરવૈયા આ વિષયના નિષ્ણાત છે તે લેખના વિષયની પસંદગી પરથી અને વ્યવસાયે અધ્યાપક છે તે તેમની સરળ શૈલીથી જણાઇ આવે છે.
ચાર ચઢતા ક્રમમાં ભાષાને આધારે સૃષ્ટિનાં વર્ગીકરણની સમજ તેઓ પહેલા જ ફકરામાં આપી દઇને વાંચકને આગળ વધવા માટેનું પ્રોત્સાહન પુરૂં પાડે છે.
ભાષાના જન્મ જેવો અતિગહન વિષય તેમણે ધ્વનિઓનાં જોડાણથી (કેવી રીતે) થયેલ છે તે વાત ઘીથી લથબથ ગરમ ગરમ શીરો ગળેથી ઉતરી જાય તેવી અસરકારકતાથી સમજાવેલ છે.
તો વળી, વ્યાકરણના અર્થ અને તેની સમયસાથેની પરિવર્તનશીલતાને સમજાવવામાંતો તેમણે કમાલ જ કરી છે.
શક્તિના બંને મુળભુત ગુણો- સતત સંચલન અને બે સંદર્ભ બિંદુને જોડવામાટેનું માધ્યમ- ભાષામાં પણ (કઇ રીતે) છે તે સમજાવ્યું પણ છે અને ભાષાને તેને કારણે શક્તિનો દરજ્જો શા કારણે મળ્યો છે તે શાસ્ત્રોક્તરીતે સાબિત પણ કર્યું છે.
ભાષાના અન્ય ઉપયોગોની સાથે સાથે 'સ્વ' (capital I, 'હું જાતે')ને સમજવા, પામવા કે ખોળવા જેવા વૈદિક ફીલૉસૉફી ઉપયોગને સમજાવવા ઉપરાંત તત્વમીમાંસાનાં ગહનસ્તલની દુનિયા સુધીની ડુબકીઓ પણ ખવડાવે છે.
બીજામાટે જેટલું ઉપયોગી તેટલું જ પોતાનેમાટે ઉપયોગી - જેવા વિચારને અંગ્રેજી ભાષાની માતબરતા reflexitivity જેવા એક જ શબ્દમાં કહી શકે છે, પણ ગુજરાતીમાં તેનો પર્યાય - સ્વનિરિક્ષણ- થોડો ઓછો પડતો જણાય છે.

આ લેખ વાંચ્યા પછીથી અંગ્રેજી માધ્યમમાં ભણતા કે જીવતા  સાંપ્રત ગુજરાતી સમાજને ગુજરાતી ભાષા આટલી સમૃધ્ધ અને શક્તિશાળી થવી ઘટે તેવો પડકાર જીલી લેવાનો સામુહિક ઉમળકો થવો જોઇએ.

બત્રીસીની બારાત - સ્નેહલ ન મઝુમદાર

૯મી ઑક્ટૉબર ૨૦૧૧નાં જન્મભુમિ પ્રવાસીની મધુવન પુર્તીમાં તીર કીટ ધા કોલમમાં શ્રી સ્નેહલ ન મઝુમદારની સાથે બત્રીસીની બારાતમાં સહેલ માણવા જેવો અવસર હતો.
હાલમાં બહુ ગવાઇ ગયેલ આયોજન પંચની દરર્રોજની રુ.૩૨ની આવકની મદદથી આપણા દેશની ગરીબીનિ વ્યાખ્યા કરતી ઍફૅડેવીટનો હોબાળૉ વાચતી વખતે ૩૨ના આંકડામાં ૩૨ ખુબીઓ છે તેવું કલ્પ્યું ન હોતું.પણ શ્રી સ્નેહલભાઇનો આ લેખ જે સરળતાથી ૩૨નું મહત્વ સ્મજાવ્યું છે તે તો જરુર નવાઇ પમાડે.
બત્રીસની સંખ્યાની બત્રીસ ખુબીઓ વર્ણવ્યાબાદ છેલ્લી લીટીમાં બત્રીસનો ઉપયોગ આ લેખમાં બત્રીસ વખત  થયો છે કે નહિં તે સવાલ એટલો ખુબીથી પુછ્યો છે કે દરેક વાંચકે લેખમાંના બત્રીસના ઉલ્લેખ જરુરથી ગણ્યા હશે જ.
જેમનાથી આ લેખ તે દિવસનાં અખબારપત્રમાં ન વાંચી શકાયો હોય તેમણે જન્મભુમિ પ્રવાસીની વેબસાઇટ, www.janmabhoominewspapers.com,પરની digital આવ્રુત્તિમાં આ લેખ વાચવાનું અને માણવાનું ચુકવું ન જોઇએ.
બત્રીસનું આવું મહાત્મ્ય આટલી ખુબીથી સમજાવવામાટે શ્રી સ્નેહલભાઇનો ૩૨વખત આભાર પણ માનવો જોઇએ.

Saturday, October 15, 2011

મારી દુનિયા...: ફુલ

મારી દુનિયા...: ફુલ

અમારા પેઢી, જેમણે હવે આવી રહેલ નવી પેઢીને ઉછરતી અને પાંગરતી જોવાની છે, પણ જેમાં અમારું સીધું યોગદાન હોય પણ અથવા ન પણ હોય, માટે તો બાળકોનું બાળપણ વેડફાઇ જતું જોવું એ એક અકથ્ય વેદના છે.

Friday, October 14, 2011

Jhaverchand Meghani

Jhaverchand Meghani:

'via Blog this'

મેઘાણી પરિવારે માત્ર શ્રી ઝવેરચંદ મેઘાણીનો જ સાહિત્ય વારસો નહીં, ગુજરાતી સાહિત્યનો વારસો જાળવવામાં બેનમૂન ,અવર્ણીય અને અમુલ્ય સેવા કરી છે.

તે સૌને મારી શત શત સલામ......

Wednesday, October 12, 2011

નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં - બ્રાયન ટ્રેસી



કોઇ નવી ટેવ પાડતાં કેટલો સમય જોઇએ? આ સમયગાળો એક સેકંડથી થોડાં વરસોનો હોઇ શકે! નવી ટેવનાં એક ઢાંચામાં સ્થાઇ થવાની ગતિ, જે રીતે નિર્ણય લેવાયો હોય તે, લાગણીની ઉત્કટતાપર આધાર રાખે છે. ઘણા લોકો વરસો સુધી વજન ઘટાડવા તેમ જ ચુસ્ત રહેવા અંગે વિચારતા કે વાત કરતા કે નિશ્ચય કરતા રહે છે. અને એક દિવસ અચાનક જ ડૉક્ટર જાહેર કરે છેઃ 'જો તમે તમારૂં વજન નહીં ઘટાડો અને સ્વાસ્થ્ય સુધારશો નહીં તો વહેલાં મૃત્યુને આવકારશો."
મૃત્યુનો ખયાલ એટલો ડરામણો અને પ્રબળ હોય છે, કે અચાનક જ વ્યક્તિ તેનો આહાર બદલી નાંખે છે, કસરત શરૂ કરી દે છે, ધુમ્રપાન બંધ કરી દે છે અને એક  તંદુરસ્ત અને ચુસ્ત વ્યક્તિ બની જાય છે.માનસશાસ્ત્રીઓ આને 'સૂચક લાગણીશીલ અનુભવ' [Significant Emotional Experience - S E E] કહે છે. કોઇપણ વર્તન સાથે જોડાયેલ ઉત્કટ આનંદ કે પીડા, જીવનપર્યંત ટકી રહે તેવી સ્વાભાવીક, ટેવ બની જાય છે.
દાખલા તરીકે, ગરમ સ્ટવ કે  વીજળીના જીવંત તારનો સ્પર્શ  થોડીક ક્ષણોમાટે ખુબ જ તિવ્ર અને અચાનક જ પીડા અને આઘાત આપે છે. આ અનુભવ થોડીક ક્ષણ માટેનો જ હોય છે. પરંતુ, બાકીની આખી જીંદગી, આપણને ગરમ સ્ટવ કે વીજળીના જીવંત વાયરને હાથ ન અડાડવાની ટેવ પડી જાય છે. ટેવ પડે છે થોડી ક્ષણોમાં પરંતુ ટકે છે હંમેશમાટે.
નિષ્ણાતોનું માનવું છે કે મધ્યમ કક્ષાની જટીલતાવાળી ટેવ સામાન્યતઃ ૨૧ દિવસમાં રૂઢ થઇ જતી હોય છે, જેમ કે કોઇ ચોક્કસ સમયે વહેલા ઉઠવું, કામે ચડતાં પહેલાં સવારે કસરત કરવી, ગાડીમાં કાર્યક્રમો સાંભળવા, ચોક્કસ સમયે ઉંઘી જવું, મુલાકાત માટે નિશ્ચિત સમયે પહોંચવું, દરરોજનું આગોતરૂં આયોજન કરવું, દિવસની શરૂઆત મહત્વનાં કામોથી કરવી, કે પછી, નવું કામ હાથમાં લેતાં પહેલાં હાથપરનું કામ પુરૂં કરવું. આ બધી ૧૪થી ૨૧ દિવસના અભ્યાસ અને પુનરાવર્તનથી વિકસી તેવી મધ્યમ કક્ષાની ટેવો છે.
ટેવને વિકસાવવાની રીત કઇ? આટલાં વરસો દરમ્યાન,ટેવ વિકસાવવામાટે એક સરળ, જોરદાર અને સિધ્ધ, વાનગી બનાવવાના નુસ્ખા જેવી, પધ્ધતિ સુનિશ્ચિત થયેલ છે. તમે તેનો કોઇ પણ ટેવ વિકસાવવામાટે પ્રયોગ કરી શકો છો. આ પધ્ધતિ વડે તમે તમારાં વ્યક્તિત્વના વિકાસમાટેની ટેવો સરળતાથી વિકસાવતા થઇ જશો.
નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં
પહેલું, નિર્ણય લો.
જ્યારે જ્યારે કોઇ ચોક્કસ વર્તનની જરૂર પડે ત્યારે ત્યારે હરહંમેશ એક ચોક્કસ રીતે જ વર્તશો તેમ નક્કી કરો. દાખલા તરીકે સવારે ચોકકસ સમયે ઉઠી જવું અને કસરત કરવી, તમારાં ઘડીયાળનાં ઍલાર્મને નિશ્ચિત સમય માટે ગોઠવવું અને જેવું ઍલાર્મ વાગે તેવું તરત જ ઉઠી જઇ કસરતનો પોષાક પહેરીને કસરત શરૂ કરી દેવી.
બીજું, ટેવ ઘડતરના સમયે તેમાં કોઇ અપવાદની જગ્યા ન રાખશો.
કોઇ બહાનાં કે તાર્કિક કારણો ન શોધી કાઢશો.તમારી જાતને ચુંગાલમાંથી છોડાવશો નહીં. જો સવારે ૬ વાગ્યે ઉઠવાનું નક્કી કર્યું હોય, જ્યાં સુધી આપમેળે દરરોજ સવારે ઉઠી ન જવાય ત્યાં સુધી તો નિયમિત રીતે ૬ વાગ્યે ઉઠી જવાનું શિસ્ત પાળવું જ.
ત્રીજું, અન્યોને કહો કે તમે એક ચોક્કસ વર્તનની ટેવ પાડી રહ્યા છો.
બહુ નવાઇ લાગશે કે આપણને જ્યારે કોઇ જોતું હોય, કે તમારામાં તમારા નિશ્ચયને પાર ઉતારવાની માનસીક તાકાત કેટલી છે, ત્યારે આપણે  કેટલા શિસ્તબધ્ધ અને કૃતનિશ્ચયી થઇ જતા હોઇએ છીએ.
ચોથું, તમારાં મન સમક્ષ તમારી જાતને કોઇ ચોક્કસ સંજોગોમાં એક નિશ્ચિતરીતે જ વર્તન કરતા હો તેવી કલ્પના કરો.
જેટલી વધારે  તમને આ ટેવ પડી જ ગઇ છે તેવી પરિકલ્પ્ના તેમ ધારણા કરશો, તેટલીજ ઝડપથી તમારી સુષુપ્ત ચેતના એ વર્તનને સ્વીકારી લેશે અને સ્વયંસચાલિત કરી દેશે.
પાંચમું,તમારી આંખો સમક્ષ ફરી ફરીને આવ્યા કરે તેવું કલ્પના-ચિત્ર બનાવો.
આવી પુનરોક્તિથી વર્તનનું ટેવમાં નાટકીય ઝડપથી રૂપાંતર થતું જણાશે. દાખલા તરીકે, દરરોજ સુતાં પહેલાં 'હું ૬ વાગ્યે ઉઠીને તરત જ તૈયાર થઇ જઇશ' વાક્ય બોલવાથી તમે ઍલાર્મ વાગ્યા પહેલાં જ આપમેળે ઉઠી જઇ શકશો. થોડા સમય પછીથી ઍલાર્મની પણ જરૂર પડવાનું બંધ થઇ જશે.
છઠું, નવાં વર્તનને ત્યાં સુધી વળગી રહો, કે તે એટલી હદે સ્વાભાવીક અને સરળ બની જાય કે તે પ્રમાણે ન કરવાથી તમે અસ્વસ્થ બની જાઓ.
સાતમું, અને મહત્વનું,નવાપ્રકારનાં વર્તનમાં ભાગીદાર થવા માટે તમારા માટે કોઇ પુરસ્કાર રાખો.
તમે જ્યારે જ્યારે તમને પુરસ્કૃત કરશો ત્યારે ત્યારે તમારા નિર્ણયને તમે વધુ સુદ્રઢ્ઢ કરશો તેમ જ નવાં વર્તનને વધુ ઘૂંટશો.પછીથી તુરંત તમે પુરસ્કારના આનંદની સાથે તમારાં વર્તનને અજાણતાં જ જોડી દેશો. આમ તમે અજાણ્યે જ એ નક્કી કરેલ વર્તણૂક કે ટેવ પ્રમાણે વર્તવા ઇચ્છવા લાગો તે પ્રકારની શક્તિનું આવરણ તમારી આસપાસ રચાઇ જશે.
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ તારીખઃ ૧૩ ઑક્ટોબર,૨૦૧૧

Monday, October 10, 2011

જગજિતસિંઘની વિદાયઃ એક કૃતજ્ઞ કલાકારને અંજલિ by Urvish Kothari

gujarati world:

'via Blog this'


જગજીતસિંઘ એ ગઝલગાયકીને class અને mass એમ બંન્ને સ્તરપર એક ખાસ સ્થાન અપાવી દિધું તે નિઃશંક જ છે.
પ્રસિધ્ધિના મોહમાં તેમણે ગુણવત્તા કે પ્રયોગશીલતાને પ્રાધાન્ય ના આપ્યું હોય તેવું પણ થવા નહોતું દીધું.
સ્ટૅજ-શૉ કે જાહેર મહેફીલ હોય,શ્રોતાઓના રસને તેઓ તેમ્ની ગાયકીની ઉંચાઇ એ લઇ જવાનું સંયોજન સ-રસ ગોઠવી શકતા; શ્રોતાગણની પસંદ કે નાપસંદની અસર તેમની ગાયકીને કે ગઝલોની પસંદગીપર ન પડતી.
કળાના આટલા સંન્નિષ્ઠ સેવકને તેમની આખરી લડાઇમાં વિધિની પસંદની સામે અંતે નમતું જોખવું પડ્યું.

આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી

આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી:

'via Blog this'

Sunday, October 9, 2011

વિસર્જનનો સમય - દેવદત્ત પટ્ટનાઇક




આપણે દરેક વરસનાં ઢળતાં ચોમાસે, તેની મૂર્તિને ઘરે લાવીએ છીએ, સ્થાપન કરીએ છીએ,ધૂપ- અગરબત્તીથી ભક્તિ કરીએ અને પ્રસાદ ધરાવીએ અને પછી, સમુદ્રમાં પધરાવી દઇએ છીએ.

વરસો વરસ, આપ્ણે દેવાદિધેવને આમંત્ર્યા બાદ ચુસ્ત દક્ષતાથી તેમને વિદાય પણ કરીએ છીએ.દર વરસે આપણે તેમની માટીની મૂર્તીનાં સ્થાપનને અને પછીથી, ચંદ્રની ઢળતી કળાની ચૌદમી તિથિએ, રાજવી ઠાઠવાળી એ મૂર્તીઓના અવશેષોને સમુદ્રમાં જોઇએ છીએ.દસ દિવસ ના સંગીત, ન્રુત્ય અને ભક્તિ-પ્રાર્થનાઓના ઉત્સવ પછીથી શાંતિ. ભક્તિભાવથી પૂર્વજોને યાદ કરવાના દિવસો.

હવે પછીનું પખવાડીયું મૃત વડીલોને પૂજવામાં વીતશે.આ પિતૃઓનું પખવાડીયું છે, જ્યારે આપણે તેમને યાદ કરીએ છીએ અને તેમને પુનઃજન્મની ફરીથી હૈયાધારણા આપીએ છીએ.

ભારતમાં ઉદભવેલા ધર્મોના મુળમાં "સર્વનો અંત છે" તે સિધ્ધાંત રહ્યો છે. કંઇ જ શાશ્વત નથી. દરેક વખતે નિશ્ચેતન વસ્તુનું સ્વરૂપ બદલે છે. ચેતન સ્વરૂપનું મૃત્યુ નિશ્ચિત છે.મૃત્યુ, બદલ્લવ અને પરિવર્તન એ કુદરતના ક્રમ છે. માત્ર આનું જ અનુમાન કલ્પી શકાય તેમ છે. બદલાવસાથે તાલ મેળવી શકવું તે જ જીંદગી. નિર્જીવ પહાડો કે નદીઓને મૃત્યુનો અહસાસ નથી, તેથી તેઓ પરિવર્તનને અવરોધતાં નથી. સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુથી વાકેફ છે, માટે તેઓ મૃત્યુનો પ્રતિકાર કરે છે. તેમની અસ્તિત્વમાટેની મથામણ તેમને સતત દોડતાં અને લડતાં રાખે છે.માત્ર મનુષ્ય જ મૃત્યુવિષે વિચારી શકે છે, જીવનના અર્થની શોધ કરી શકે છે, ઉત્કટતાથી જાણવા માંગી શકે છે કેઃ આ બધાંનો અર્થ શો? કુદરત કોઇ જવાબ નથી આપતી.ધર્મો અનુમાનોને રજૂ કરે છે તો વિજ્ઞાન પણ હતોત્સાહ થઇને હાર માનતું જણાય છે.કોઇને કશી ખબર નથી. આ સ્થિતિ નિરાશાજનક છે.તેથી આપણે અસ્તિત્વવાદી ગુસ્સાને બાજુએ મુકીને એવી ક્ષુલ્લક યોજનાને આધીન થઇ જઇએ છીએ જેમાં આપણાં જ સર્જેલ લક્ષ્ય કે ધ્યેયને આપણે આપણાં જીવનનો અર્થ ઘોષિત કરી દઇએ છીએ.
મહાભારતમાં યક્ષના જગતની સૌથી મહાન અજાયબી કઇ તે પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિર કહે છેઃ "દરરોજ કેટલાંયે લોકો મૃત્યુ પામે છે, પરંતુ બીજાં બધાં જાણે મૃત્યુ કદી આવવાનું જ નથી તેમ જીવવાનું ચાલુ રાખે છે.આ છે મહાન અજાયબી". આપણે દર વરસે ગણેશને સમુદ્રમાં પધરાવીએ છીએ, માટીને ધીમે ધીમે પાણીમાં ઓગળતી જોઇએ છીએ, આંખસામે મૂર્તિને ઓજલ થતી પણ જોઇએ છીએ.શું આપણા વડવાઓએ આવી વિગતવાર વિધિ આપણને જીવનની ક્ષણભંગુરતા યાદ રહે તે માટે જ ઘડી કાઢેલ છે?કંઇ જ શાશ્વત નથી. તેથી,જીંદગીનો મકસદ કશું મેળવવાનો નહીં, પરંતુ બેસીને ઠંડે કલેજે, બધાંનો શો અર્થ છે તેમ વિચારવાનો છે. માટે જ,ભારત તેના સાધુ, સંતો અને ફિલસૂફોમાટે જાણીતું છે.અને એટલે જ આપણામાટે બાહરી ભૌતિક સિધ્ધિઓ કરતાં ધનની જેમ વહેંચી ન શકાય પણ અંદરથી પ્રજ્વલિત થતાં ડહાપણરૂપી આંતરીક આધ્યાત્મીક અનુભુતી વધારે મહત્વની બની રહે છે.વિદ્વતા, આપણને ક્રોધીત ક્રાંતિકારી નહીં પણ, વધુ નમ્ર અને સૌમ્ય બનાવે છે, કારણકે આખરે તો દરેક ક્રાંતિનો પણા ખચિત વિલય થવાનો જ  છે.
સામાન્યતઃ આપણે ભૂલી જઇએ છીએ કે ગણેશની સાથે લક્ષ્મી અને સરસ્વતીનું સ્થાન હોય છે જ.લક્ષ્મીનું ત્યારે આગમન થાય ત્યારે ગણેશ વિદાય લેતા હોય તો જ્યારે ગણેશ વિદાય લઇ રહ્યા હોય છે ત્યારે સરસ્વતીનું આગમન થતું હોય છે.આ બંન્ને દેવીઓનો પ્રવેશ અનુક્રમે ચડતીના સમયમાં  ધનદોલત અને પડતીના દિવસોમાં ડહાપણનાં સ્વરૂપે થાય છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, લક્ષ્મી આપણો બાહ્ય વિકાસ કરે જ છે,જ્યારે સરસ્વતી આપણો આંતરીક વિકાસ કરે છે, પરંતુ જો આપણી ઇચ્છા હોય તો જ. બેમાથી કોઇ એક દેવીની જ પંસદગી થઈ શકે છે.ગણેશજી સદાય સ્મિત રહેલાવતા રહે છે, કારણકે તેમની પાસે છે માનવતામાં શ્રધ્ધા અને અથાગ ધીરજ.
              'દેવલોક, સન્ડે મિડ ડે, સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૧’માં પ્રકાશિત થયેલ
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ

ડો.પ્રજ્ઞા પૈ – એક પ્રખ્યાત લેખક -એક વિરલ વ્યક્તિત્વ

ડો.પ્રજ્ઞા પૈ – એક પ્રખ્યાત લેખક -એક વિરલ વ્યક્તિત્વ:

'via Blog this'

યાદ નથી તેટલાં વરસોથી ડૉ.પૈના લેખો ને માણ્યા છે.
સ્રળ ભાષામાં મુશ્કેલ વિષયને ગદ્યલેખનનાં સ્વરૂપે રજૂ કરવાની તેમની કળા અનુકરણીય છે, પરંતુ તેમનું તેમના વ્યાવસાયીક ક્ષેત્ર ઉપરાંત્નું આ યોગદાન તો અમુલ્ય છે.

Saturday, October 8, 2011

તમે ‘ફર્સ્ટ રેટર’ છો કે ‘સેકન્ડ રેટર’? - you are first rater ya second rater - www.divyabhaskar.co.in

તમે ‘ફર્સ્ટ રેટર’ છો કે ‘સેકન્ડ રેટર’? - you are first rater ya second rater - www.divyabhaskar.co.in:

'via Blog this'

It is indeed very heartening to see someone dedicating a full column in a column of a popular vernacular daily newspaper. Of course, the fact that it is printed is a even a bigger surprise.

જે વાચક મિત્રો મુળ અંગ્રેજી પુસ્તકોસુધી પહોંચી ન શકે તેમણે શ્રી હરેશ ધોળકિયાની 'અંગદનો પગ'[પૃષ્ઠ ૮+૧૮૪, કિંમત રૂ. ૭૫/- ; વિતરકઃ અક્ષરભારતી, ૫, રાજગુલાબ, વાણિયાવાડ, ભુજ-કચ્છ ૩૭૦૦૦૧] વાંચે તો ઘર બેઠા ગંગાનો ઘાટ ઉતારી શકે.

નીકળ્યા હતા એક્ટર બનવા ને બની ગયા મ્યુઝિક ડિરેક્ટર - ખય્યામ

નીકળ્યા હતા એક્ટર બનવા ને બની ગયા મ્યુઝિક ડિરેક્ટર - Vatchit, Nirmal Pandey This person escalated to be - www.divyabhaskar.co.in

આ સુચિમાં 'શગુન' અને 'શોલા ઔર શબનમ'નાં ગીતોની ગેરહાજરી થોડી ખૂંચી.

Friday, October 7, 2011

પસંદ ન કરેલ રસ્તા -- સેઠ ગૉડીનની ઑક્ટૉબર ૭, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ ગુજરાતીમાં ભાષાંતરણ



તમારી જાતને મૂર્ખ જેવી કોઇ વાત કરવી કે કોઇ છબરડો વાળવો કે વાયદૉ  પાળી ન શકવો જેવી બાબતો માટૅ કોસ્યા કરવું તે તો સામાન્ય વાત છે.
પણ શું તમે પેલો શૅર ન ખરીદ્યો કે એ નવા અભિગમને ન અનુસર્યા કે પેલી મુબારકબાદી નથી આપી તેનો વિચાર કર્યો છે?
મારી દ્રષ્ટિએ કંઇ ને કંઇ નવું કરતા રહેવામાટે પોતાની જાતને આસપાસની દુનિયામાં ભળવા દેવી જોઇએ, નહીં કે તેનાથી પોતાની જાતને સંતાડવાની વૃત્તિને પસવારવી.
આપણે આપણી નજરમાં હોય તેનો જ પ્રતિભાવ આપતાં હોઇએ છીએ. કેટલી ભુલોની આપણી આગાહી ખોટી પડી કે કેટલા નવા અભિગમ આપણાં ધ્યાનમાં જ ન આવ્યા કે આપણે દેખીતી રીતે જોખમી લાગતાં કેટલાં પગલાંઓ લીધાં જ નહીં તેનો હિસાબ નથી રાખતા તે જ દુઃખદ છે.
              સેઠ ગૉડીનની ઑક્ટૉબર ૭, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ ગુજરાતીમાં ભાષાંતરણ

Monday, October 3, 2011

હવે પછી શું? -- સેઠ ગૉડીનની ઑક્ટૉબર ૨, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ ગુજરાતીમાં ભાષાંતરણ


તમારી કારકીર્દી [કે તમારા જીવન]માટેનો આ અતિમહત્વનો નિર્ણય છે.
જો કે પહેલાં આવું નહોતું. હવે શું પ્રશ્નનો જવાબ તમારા ઉપરી કે ગ્રાહક આપતા.
હવે મળતી આટલી બધી તકો કે આટાઅટલી મર્યાદાઓને કારણે હવે પછી શું તે  સફળતાથી નક્કી કરવું તે જીવનની સર્વોચ્ચ ઉચ્ચાલક ઘડી બની રહે છે. તેથી એને સામાન્યરીતે અપાતા સમય કે ધ્યાન કરતાં વધારે સમય કે ધ્યાન આપવાં જોઇએ.
જો તમે પસંદગીની ઉંડાઇઓમાં જવા તૈયાર ન હો , તો નિશ્ચિતપણે તમને તક સાથે નૃત્ય કરી શકવામાટે પુરતો સમયપણ નહીં મળે.
Here is the original blog post:
This is the most important decision in your career (or even your day).

It didn't used to be. What next used to be a question answered by your boss or your clients.
With so many opportunities and so many constraints, successfully picking what to do next is your moment of highest leverage. It deserves more time and attention than most people give it.
If you're not willing to face the abyss of choice, you will almost certainly not spend enough time dancing with opportunity.

http://sethgodin.typepad.com/seths_blog/2011/10/what-to-do-next.html


Sunday, October 2, 2011

Seth's Blog: "Have we spent enough time focusing on your issues?"

Seth's Blog: "Have we spent enough time focusing on your issues?"

When in doubt, the answer to this question is always no.

Surprisingly, so true!!!!!!!

સેઠ ગૉડીનનું આ ચોટદાર વાક્ય સાચું નથી એવું કહેનાર વ્યક્તિમાટે શું કહેશું?