ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
૧૯૪૯નાં પુરુષ સૉલો ગીતોની ચર્ચા રૂપે આપણે જી એમ દુર્રાની + તલત મહમૂદનાં સૉલો ગીતો
સાંભળી ચૂંક્યાં છીએ. હવે પુરુષ સૉલો ગીતોની સફરમાં આજે આપણે સુરેન્દ્ર અને એકલ દોકલ સંખ્યાવાળાં અન્ય ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.
સુરેન્દ્રનાં સૉલો ગીતો
ગાયક - અદાકારની ફિલ્મ સંગીતની પ્રથાનો ધ્વજ સ્ત્રી ગાયકોમાં જેટલો
સુરૈયા એ આ વર્ષેઊંચો ફરકાવ્યો છે, તે કક્ષાએ તો નહીં પણ સુરેન્દ્રનાં
પર્દા પર પોતે જ અભિનિત કરેલ ગીતો દ્વારા પુરુષ ગાયકોમાં ગાયક-અભિનેતાની પ્રથાની
૧૯૪૯નાં વર્ષમાં પણ નોંધ તો લેવી જ રહી.
પૂર્વાર્ધમાં આપણે અનિલ બિશ્વાસ અને સુરેન્દ્ર(નથ)ની જોડીનાં બીબ્બો અને માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો સાંભળ્યાં હતાં. આજના આ ઉત્તરાર્ધમાં આપણે હવે તેમનાં વહીદન બાઈ, જ્યોતિ, હુસ્ન બાનો, સરદાર અખ્તર અને મિસ શારદા પંડિત સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.
વહીદન બાઈ સાથે યુગલ ગીતો
મૂળ કિનારી બાઝાર (આગ્રા)નાં વહીદન બાઈએ ૧૯૩૮-૧૯૪૦ના સમયમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ આજે તેમને એ ફિલ્મો દ્વારા યાદ કરવાને બદલે '૫૦ –‘૬૦ના દાયકાની એક સફળ નાયિકા નિમ્મીનાં મા તરીકે કદાચ વધારે યાદ કરાઈ રહ્યાં છે.
હિંદી ફિલ્મોમાં પાશ્ચાત્ય નૃત્ય શૈલીની એક પ્રધાન ધારા, વૉલ્ત્ઝ, પર આધારિત અનેક ગીતો બનતાં રહયાં છે. પ્રસ્તુત ગીતને આ પ્રવાહનું સૌથી પહેલું ગીત ગણી શકાય.
'અલી બાબા' પંજાબીમાં પણ બની હતી. એટલે યુ ટ્યુબ પર હવે કેટલીક ક્લિપ એ પંજાબી વર્ઝનની પણ સાંભળવા મળે છે, જેમ કે આ ગીત હિંદી વર્ઝનનાં 'હમ ઔર તુમ ઔર યે ખુશી'નું પંજાબી સ્વરૂપ છે.
કેટલીક ક્લિપ એવી પણ છે જે પંજાબી ગીતોનાં હિંદી સ્વરૂપ નથી જોવા મળતાં. એક શક્યતા એવી પણ હોઈ શકે કે હિંદી અને પંજાબી વર્ઝનમાં કેટલાંક ગીતો સાવ અલગ ધુન પરથી જ બનાવાયાં હતાં. અનિલ બિશ્વાસે પોતાની આત્મકથા ‘ઋત આયે ઋત જાયે’માં નિખાલસપણે એકરાર કર્યો છે કે તેમને હિન્દી કરતાં પંજાબી આવૃત્તિનાં ગીતો વધુ પસંદ હતાં.
જ્યોતિ (મૂળ નામ - અપરિચિત) વહીદન બાઈનાં નાનાં બહેન હતાં. ૧૯૩૯થી શરૂ થયેલ તેમની ફિલ્મસફરમાં તેમણે ૧૯૪૯ સુધી લગભગ વીસેક ફિલ્મોમાં કામ કર્યું. હિંદી ફિલ્મના એ સમયના બહુ જાણીતા ગાયક જી એમ દુર્રાની સાથેનાં તેમના નિકાહ બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું.
'ઔરત' એ સમયના ખેડૂત પરિવારની પરિસ્થિતિનું બહુ જ તાદૄશ્ય ચિત્રણ હતું. ફિલ્મના નિર્માતા નિર્દેશકને એ વિષય કેટલો હૃદયથી સ્પર્શી ગયો હશે કે ૧૭ વર્ષ બાદ તેમણે એ વિષય પર ફરીથી ફિલ્મ બનાવી. એ ફિલ્મ 'મધર ઈન્ડિયા'ને પણ એટલી જ સફળતા મળી હતી.
હુસ્ન બાનોનો જન્મ ૧૯૨૨માં સિગાપોરમાં થયો હતો. તેમનાં મા શરીફાં પણ બહુ મોટાં ગજાંના અભિનેત્રી ગણાતા હતાં. જવાની (૧૯૪૨) તેમની સૌથી વધારે જાણીતી રહેલી ફિલ્મ છે.
બદનામ ન હો જાના ઓ પ્રેમ કે દિવાને - જવાની (૧૯૪૨) - ગીતકાર વઝાહત મિર્ઝા
લણણીના સમયે ખેડૂતનાં કુટુંબને ખેતરમાં પંખીઓનાં ગીતો મીઠાં લાગે એ તો સ્વાભાવિક જ વાત છે...આ ભાવને બહુ જ મધુરપણે આ ગીતમાં રજૂ કરાયો છે
ખુર્શીદ સાથે મંઝધાર (૧૯૪૭)નું યુગલ ગીત 'મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે' આપણે "અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ'સુરેન્દ્રનાથ -સૉલો ગીતો - ઉત્તરાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ તેથી અહીં ફરી વાર મૂક્યું નથી.
મિસ શારદા પંડિત સાથે ગૈરફિલ્મી યુગલ ગીતો
અનિલ બિશ્વાસ અને સુરેન્દ્રની જોડીના નામે મિસ શારદા પંડિત સાથે ગવાયેલ ચાર ગૈરફિલ્મી યુગલ ગીતો પણ બોલે છે.