Tuesday, March 26, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - માર્ચ, ૨૦૧૩


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં માર્ચ, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે. 

કોઇ એક મુખ્ય વર્ગીકરણ હેઠળ લેખનાં શિર્ષકને મૂળ લેખ સાથે હાયપરલિન્કથી સાકળીને, તેનો સારાંશ લેખના શબ્દોમાં જ રજૂ કરવાનો પ્રયોગ આ સંસ્કરણમાં અજમાવીશું.

બાહ્ય વાતાવરણનું વિહંગાલોકન - 

કાર્યરત અમેરિકા \ The America that works 

"નિયંત્રણ, નવીનીકરણ, આંતરમાળખું, શિક્ષણ એ બધાં જ સ્પર્ધાત્મકતા માટે મહત્વનાં છે. રાજ્યોમાં બની રહેલી નાની ઘટનાઓનો સરવાળો બહુ મોટો બની રહે છે... બસ, એ છે કાર્યરત અમેરિકાનું હાર્દ."

"સારા" થવાના ઘણા ફાયદા છેઃ વ્યવસાયમાં અને અંગત જીવનમાં ૨૧મી સદીનાં મૂલ્યો એ વિજયી વ્યૂહરચના છે \ Being “Good” Pays Off Big: 21st Century Values are a Winning Strategy in Business and Personal Life - પીટર જ્યૉર્જૅસ્કુ \ Peter Georgescu - [આનો DOWNLOAD ઉપયોગ કરીને આખું શ્વેતપત્ર મેળવો]. 

“૨૧મી સદીનાં પહેલાં બાર વર્ષમાં જ ખ્યાલ આવી ગયો છે કે વેપાર-વ્યવસ્થા એ કેટલું કપરૂં કામ બની રહ્યું છે. અને હજૂ એ શક્યતાઓ પણ પૂરે પૂરી છે કે આવનારાં વર્ષોમાં વેપાર-વ્યવસાય હજૂ વધારે કપરાં, અને વધારે સ્પર્ધાત્મક, બની રહેવાનાં છે. એટલે આપણે આ બેરહમ સ્પર્ધાત્મક દુનિયા સામે કમર કસવી જ રહી. કેમ ખરૂંને? 

હં…અ, ના. ૨૧મી સદીનાં વિશ્વમાં વિજયી વ્યૂહરચના ખોળી કાઢવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે વાણિજ્ય-વિશ્વ આ થોડાં વર્ષોમાં શી રીતે નાટકીય રીતે પલટી ગયું છે." 

અને [પ્રમાણમા] સિંહાવલોકન... 

“પરીવર્તનની ઝડપે ઉત્પાદન" \ Manufacturing at the Speed of Change - આ શ્વેતપત્ર ડાઉનલૉડની લીંક મૂળ લેખનાં પાનાં પરથી મળી શકશે - 

“આજની પડકારભરી વૈશ્વિક અર્થાવ્યવસ્થામાં ઉત્પાદન તંત્રએ પરીવર્તનને ગળે લગાવવું રહ્યું, તે પરીવર્તનોને સાનુકુળ કામગીરીનું વાતાવરણ સર્જતા, અને નવી તકો અને ગ્રાહકની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ચાપલ્યથી સજ્જ રહેવું રહ્યું. ભવિષ્ય તરફ નજર રાખનાર ઉત્પાદકોએ જે મહત્વનાં કદમ લેવાં જોઇએ, જે પૈકી એક છે હવે-પછીની આવૃત્તિઓના ERP નિરાકરણો એવી આધુનિક ટેક્નૉલૉજીઓને માટે સાનુકુળ બની રહેવું, જે વધારે પ્રતિભાવશીલ અભિગમ બનાવવામાં અને ઝડપને સ્પર્ધાત્મક સરસાઇનું સબળ શસ્ત્ર બનાવવામાં મદ્દરૂપ બની રહે.” 

સંચાલન પ્રતિબધ્ધતા અને ઉદ્યોગ સાહસીકનો જુસ્સો 

પોતાના દરરોજના સંઘર્ષોની કહાણીના સૂર રેલાવતા ૯ સાહસિકો \ 9 Entrepreneurs chime in on their daily struggles

“સમય, કેન્દ્રીત ધ્યાન, ટીમનું બંધારણ કરવું અને લાગણીઓ, વગેરે તો હિમશીલાની ટોચ માત્ર છે - શેની સાથે સહુથી વધારે સંઘર્ષ કરતાં રહેવું પડે છે તે શોધી કાઢો અને પછી જીવનને સરળ બનાવી શકે તે રીતે પ્રક્રિયાઓ બને તેટલી કાર્યક્ષમ બનાવો.” 

'લીન\Lean' અવતરણઃ અગ્રણીઓ તેમના અનુયાયીઓમાં પ્રેરણા ખોજતા નથી, તેને અનાવૃત કરે છે. \ Lean Quote: Leaders Don't Invent Motivation In Their Followers, They Unlock It -જ્હૉન ડબ્લ્યુ ગાર્ડનર 

“આપણા સમગ્ર જીવનકાળ દરમ્યાન આપણને કેટલાંય સંપર્ક થાય છે અને તેમાંના ઘણાં આપણને ડહાપણના બે શબ્દો પણ કહી જાય છે. આપણા માટે તે નવુ શીખવાનો સ્ત્રોત પણ બની રહે છે , તેમ જ વિચારવા કરવા માટે થોભવાની એક એવી ક્ષણ પણ બની રહે છે જે ઘડીએ આપણે જે પાઠ ભણ્યા છીએ તેના પર વિચાર કરી શકાય. 'લીન\Lean'ની સક્રિય શીખવાની પ્રક્રિયામાં આ એક મહત્વની બાબત છે; કારણકે નવું નવું શીખ્યા સિવાય સુધારણા કરતાં રહેવું અશક્ય છે. 

મારા અનુભવ મુજબ, પ્રેરણા વિશે શીખવા માટે ત્રણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે: 

પહેલું એ કે જો કોઈને કંઈ નહીં જ કરવું હોય તો તમે એન કોઈ રીતે પ્રેરિત નહીં કરી શકો. પ્રેરણા આંતરિક છે, નહીં કે બાહ્ય પરીબળ.
બીજી વાત એ છે કે દરેક વ્યક્તિ પ્રેરિત હોય જ છે. વહેલી સવારે ઊઠીને પથારી છોડીને નોકરીએ ન જનારને પથારીમાં પડી રહેવાની વધારે પ્રેરણા હોય છે. તેમની પ્રેરણા નકારાત્મક હોઈ શકે છે, પણ તે પ્રેરિત તો છે જ.
ત્રીજી વાત એ છે કે લોકો, તમારી ખાતર નહીં પણ, પોતાનાં કારણોથી કંઈ પણ કરે છે. તેમનાં એ કારણો શોધી કાઢવામાં ખૂબી છે. 

પ્રેરિત, પ્રતિબધ્ધ અને પ્રવૃત્ત કર્મચારીઓને તેઓ જે કંઈ, અને જે માટે, કરે છે તેની પરવા હોય છે. તેઓ દરરોજ ઊઠીને કામે એટલે આવે છે કે તેમને તે વાતની પરવા છે. એ કંઈ ટુંકા ગાળાનો શક્તિનો ઉભરો નથી; તે જીવન પધ્ધતિ છે. 

પ્રેરણા અંદરથી જ આવે છે. દરેક વ્યક્તિમાં પોતાને પ્રેરિત કરવાની.- કે હતોત્સાહ કરવાની -. શક્તિ રહેલી હોય છે. તેઓ પોતાની શ્રેષ્ઠ ક્ષમતાસાથે દરરોજ કામ પર આવી શકે/કરતાં રહી શકે એ માટે જરૂરી બધાજ પ્રકારની સ્થિતિઓ નિર્માણ કરતાં, અને ટકાવી, રાખવાના બધાજ રસ્તા તેમને દેખાતા રહેવા જોઇએ. માન, સક્રિય અને પ્રમાણિક સંવાદ અને સક્ષમ અને તેમની સાથે ભળી ગયેલ નેતૃત્વ - એ એવાં ઘટકો છે જે પ્રવૃત્ત અને ઉત્સાહીત કાર્યસ્થળ બનાવી રાખે છે.” 

નવીનીકરણ માટે ચોથો વિકલ્પ જોવાનું શીખીએ \To Create Innovation, Learn How To See A Fourth Option - કૈહન ક્રીપ્પૅન્ડૉર્ફ \ Kaihan Krippendorff 
“જ્યારે જ્યારે જીવનના માર્ગમાં અડચણ આવે ત્યારે,આપણે આ ચાર પૈકી કોઇ એક ઉપાય અજમાવતાં હોઇએ છીએઃ 

પહેલો વિકલ્પઃ આપણે તે પરિસ્થિતિની અસરને, પરાણે પણ, સ્વીકારીને બેસી રહીએ છીએ.
બીજો વિકલ્પઃ આપણી પાસે હા/નાની પસંદગી છે - ક્યાં તો પરિસ્થિતિ સ્વીકારીએ અથવા હાથ ઊંચા કરીને ભાગી છૂટીએ.
ત્રીજો વિકલ્પ: એવું માનીને બેસી રહેવું કે આપણી પાસે પસંદગી કરવા માટે બધા જ વિકલ્પો છે, કારણકે આ ત્રણેય વિકલ્પ માટે વિચારવું એ ખાસું સમય અને મહેનત માગી લે એવું છે.
ચોથો વિકલ્પ: 'સામાન્ય રીતે ઉપલબ્ધ' એવા આ ત્રણ વિકલ્પોની પાર જઇને વિચારીએ અને સાવ નવો જ માર્ગ, નવો ઉપાય ખોળી કાઢીએ. 

આ પહેલા ત્રણ વિકલ્પોની પાર જઇને ચોથા વિકલ્પની દિશામાં વિચાર કરવાની ક્ષમતા કેળવવી એ બહુ મોટી સ્પર્ધાત્મક સરસાઇ માટેનો સ્રોત બની શકે છે. “

સંચાલન પ્રતિબધ્ધતા :પ્રક્રિયાઓના અમલમાટેનું એક મહત્વનું પરીચાલક બળ \ Management Commitment: The Key to Getting Procedures Used – 

સંસ્થાની આંતરીક પ્રકિયાઓ (જ્યાં પ્રક્રિયાઓ બંધ બેસતી હોય છે) પર વરિષ્ઠ સહયોગીઓ દ્વારા સાવ ધ્યાન ના આપવામાં આવે, કે નહિવત્ ઘ્યાન આપવામાં આવે, તો સંસ્થાના અન્ય સભ્યો તો એ બાબતે ક્યાંથી જ તેના પર ધ્યાન આપે? 

પ્રક્રિયાઓના ઉપયોગ બાબતે એક મોટું રહસ્ય હાથ લાગ્યું છે - આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાને સ્પષ્ટ અને હાથવગી રહે તે રીતે લખી રાખવી એ મહત્વનું છે. તે અંગેની જાણકારી, અને તેની સ્વિકૃતિ, ઊભી કરવામાટે તેનું પ્રશિક્ષણ પણ થતું રહેવું જોઇએ. ઑડીટ કરતાં રહેવાથી પ્રક્રિયાના અમલનું મહત્વ ઘુંટાતું રહે છે. પણ આ બધું ત્યારે જ થતું રહે છે, જો વરિષ્ઠ સંચાલકો એ બાબતે પ્રતિબધ્ધ હોય.” 

વ્યાવસાયિક તેમ જ અંગત સ્તરે - ગુણવત્તાની મનોભાવના 

સુધારણાઓને આડે આવતી અડચણોને પાર કરવી \Overcoming Improvement Barriers 

“લગભગ બધી જ સંસ્થાગત કચાશો તંત્ર-રચના વ્યવસ્થાને કારણે જ હોય છે, અને તેથી જ વરિષ્ઠ સંચાલન મંડળ જ તેના ઉપાય કરી શકે છે. “ 

અને તેનો સંલગ્ન લેખ - ગુણવત્ત સુધારમાં આવતી અડચણો \ Barriers to Quality Improvement

માહિતિ-અધાર-સામગ્રી? તેના શા ફાયદા? ચોક્કસપણે - કંઇક તો ખરૂં જ \ Data? What is it good for? Absolutely … something – 

“આજ કાલ મોટા સ્તરની માહિતિ-સામગ્રી પસંદ કરવાની કે તેને બદનામ કરવાની લગભગ ફૅશન બની ગઈ છે. આપણી અંગત માન્યતા કંઈ પણ રહી હોય - કે રહેવાની હોય - માહિતિ-સામગ્રીના ફાયદા શું છે તે પ્રશ્ન ચર્ચાને ચકડોળે ચડતો રહ્યો છે, અને રહેશે.
જેમ જેમ ડીજીટાઇઝેશન અને નૅટવર્કનું આવરણ વધતું રહેશે તેમ તેમ આપણી અંગત તેમ જ વ્યાવસાયિક જીંદગીમાં માહિતિ-સામગ્રીની માત્રા વધતી જ રહેશે. પણ મૂળ મુદ્દો માહિતિ-સામગ્રીની માત્રાનો નથી; પણ, 'માહિતિ-સામગ્રીનું આપણે શું કરીએ છીએ' તે હવે પછીની ઉભરતી અર્થ-વ્યવસ્થામાં મહત્વનું બની રહેવાનું છે. 

આ વાતને સમજાવવા માટે હું તમને ત્રણ દ્રષ્ટાંત- કથાઓ કહીશ...... “ 

તકની સમસ્યા\ The Problem With Opportunities - સમસ્યાને 'તક' કહેવાનાં ખરાં જોખમો - 

કરીન હર્ટ સાથેની એક મુલાકાત દ્વારા કરૅન માર્ટીન સમજાવે છે કે "જ્યારે સમસ્યાને 'તક'ની છાપ લગાડી દેવામાં આવે છે, ત્યારે '"તત્કાલિકતા ખતમ થઇ જાય છે". એ પ્રયોગથી સલામતીની ભાવના દાખલ થઇ જાય છે, જેમકે, કંઇ સમસ્યાકારક વાતનો ઉકેલ લાવવો જોઇએ એવું માનવાને બદલે જે કંઇ થશે તે સારૂં થશે તેમ માનવા લાગવું. .

સફળ સંસ્થાઓના અગ્રણીઓ બન્ને કરે છે. તેઓ આજે ઉભરતા પ્રશ્નો માટે સલામત વાતાવરણ પેદા કરે છે અને તે સાથે જ જેમ જેમ અપેક્ષિત ભવિષ્ય તરફ સફર આગળ વધવાનું થતું રહે તેમ તેમ જે તક ઉભરતી રહી શકે છે તેને ખોળતાં રહેવાનું કરતાં રહે છે.” 

માર્ગ શીખવા મળતા પાઠ: વ્યયને હેતુપૂર્વક દૂર કરો \ Lessons from the Road: Eliminate Waste with Purpose - જૅમી ફ્લીનચબાઉ\Jamie Flinchbaugh 

"વધારે કરો" એ 'લીન'\leanનું હાર્દ છે: જેમ કે, ગ્રાહકનમાટે વધારે મૂલ્ય, એ વધારે મૂલ્ય પહોંચાડવા માટે વધારે શક્તિ અને સંસ્થામાં વધારે સામર્થ્ય. અહીં વાત માત્ર ઓછી ચરબીની નથી, પણ વધારે તકાતની છે. 

પોતાની નિયતિનું ઘડતર પોતાનાં નિયંત્રણમાં રાખી શકે તેવી સંસ્થાનું નિર્માણ એ રીતે જ થઇ શકે. .... 

'લીન'\leanનાં મૂળમાં વ્યયને દૂર કરવાનું જ નથી, પણ તે ખરેખર બહુ જ અસરકારક જરૂર પરવડી શકે. બસ, ધ્યાન એ રાખાવાનું છે કે વ્યયને દૂર કરવા માટે કોઇ ચોક્કસ ઉદ્દેશ્ય હોવો જરૂરી છે.” 

કામના ન હોય તેવા વિચારોને શા માટે નિષ્ફળ થવા દેવા જોઇએ \ Why You Should Let Bad Ideas Fail

જો તમે તણાવભરી સ્થિતિમાં મુકાઈ ગયાં હો અને પોતે ન ખોદેલા ખાડામાં ફસાઇ ગયાં હો, અને તમને આવા સવલ મુંઝવતા હોય, તો બે ઘડી થંભી જઇને પોતાની જાતને આ સવાલો પૂછોઃ 

• મારૂં જીવન જે દિશામાં જઇ રહ્યું છે તેનાથી હું ખુશ છું
• અત્યારે જે કરૂં છું તે જ કરતા રહેવાથી કયાં પહોંચાશે
• શું મારી જીવનશૈલી ટકાવી રાખી શકાય તેમ છે
• અત્યારની જ ઢબ ચાલુ રાખાવાથી મારાં જીવનમાં સુધાર આવી શકે તેમ છે 

જો તમને તમારા જવાબોથી (સાચા અર્થમાં) સંતોષ થાય, તો માનવું કે ગાડી પાટા પર છે. પણ જો જવાબ ગળે ન ઉતરે, તો જીવનમાં શું ફેરફાર કરવાથી ગાડી પાટે ચડી શકે તે વિચારવાનો સમય પાકી ગયો છે.” 

પ્રગતિ માટે સુદર (પાગલ) વિચારોની જરૂર છે \Progress Needs Beautiful (Absurd) Ideas - મૅક્ષ મૅક્‍ક્યૉન \ Max McKeown 

“કોઇ પણ સંભવિત સુંદર વિચાર લોકપ્રિય ન પણ હોઇ શકે અને તેને ગંદા, કોઇ મુદ્દા વિનાના, અમલ ન થઇ શકે એવા કે અવાસ્તવિક કે સાવ ગાંડીયા વિચાર તરીકે પણ જોવામાં આવે તેવું પણ બને. ઐનસ્ટાઇઅને તેના એક સાથીને કહ્યું હતું કે જ્યાં સુધી કોઇ વિચારમાં વિચિત્રતા ન હોય, ત્યાં સુધી તેમાંથી કંઇ નીપજશે તેવી આશા રાખવી નકામું છે. એવા જ પ્રતિભાશાળી, એવા ડેન્માર્કના ભૌતિકશાસ્ત્રી, નીલ બૉહ્‍રનું પણ કહેવું છે કે ઘણા વિચારો સાચા ઠરવામાટે પૂરતા તરંગી નથી હોતા. 

                                  -- સારી સ્થિતિમાં હોય કે, જે ગમે ત્યારે પડી ભાંગશે એટલી હદ સુધીચિંતાજનક હોય, તેવી કોઇ પણ પરિસ્થિતિમાં સુધારો કરવા માટે દેખીતું હોય તેનાથી ઉપરવટ જઇ શકે તેવી કલ્પનાશક્તિ જોઇએ -- 

પ્રગતિ માટે દેખીતા પ્રશ્નોના અસાધારણ જવાબો જરૂરી છે, અને તેથી, અસ્વિકાર્ય ડહાપણના વિચારોનો વિરોધ કરવાને બદલે, કે તેના વિશે ગેરસમજ કરવા બદલે, કે તેમને અવગણવાને બદલે, આપણાં પૈકી ડાહ્યા લોકો તેને સ્વિકારશે, અથવા કમ સે કમ, તે વિશે વિચારશે તો ખરાં, જેથી કરીને સહુ સાથે મળીને એક સુંદર ભવિષ્યની રચના કરી શકીએ.” 

કામગીરી - સદા ચર્ચામાં અને વિવાદમાં રહેતો વિષય 

કર્મચારીની કામગીરી અને તેની સરખામણીમાં તેની ક્ષમતાઓનું મૂલ્યાંકન \Assessing Employee Performance vs. Potential - બૅથ મિલર\ Beth Miller 

“એક અગ્રણી હોવાને નાતે આપણી ફરજ છે કે આપણે આપણી ટીમની કામગીરી પર અસર પાડી શકીએ. જો આપણી ટીમ ઉચ્ચ કક્ષાની કામગીરી ન કરતી રહેતી ટીમ હોય, તો તેમની કામગીરી સુધારવા કોઇ પ્રકારનાં આક્રર્ષણો વિચારી શકાય. પણ ટીમનાં કોઇ એક ખાસ સભ્યની ક્ષમતા પર અસર પાડવી આસાન નથી. ટીમના વડા તરીકે આપણી એ ફરજ જરૂર છે કે આપણે ટીમનાં સભ્યને તેમની ક્ષમતાને સિધ્ધ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપીએ. 

એક વાર માર્ગદર્શન આપી દીધા પછી તેઓ તેમની ક્ષમતા અને તકોને સિધ્ધ કરી શકે એ વિશે શું કરી શકાય? 

 (આ લેખમાં લેખકે ચર્ચેલ) ૯ ખંડકીય આધારક\ 9 Box Matrix ટીમનાં સભ્યની પહોંચ માં રહે તેવી વ્યવસ્થા કરી રાખીએ.
 જરૂરથી વધારે અસર પાડવાનું ટાળીએ
 આપણે કલ્પેલ તેમની ક્ષમતા નહીં પણ, તેમને સ્વિકૃત છે તેવી પોતાની ક્ષમતાને, તેઓએ સિધ્ધ કરવાની છે. 

કામગીરી અને ક્ષમતા આધારકનો શક્ય તેટલો ઉપયોગ જરૂર કરીએ, પણ સાથે સાથે એ પણ સમજી લઈએ દરેક વ્યક્તિ તેની ક્ષમતાને અલગ અલગ રીતે સિધ્ધ કરી શકે છે. હું તો એવું હંમેશાં એવું ઇચ્છું કે કે કોઇ મારા જેવું જ બીજું કોઇ બનવાને બદલે, પહેલાં પોતાની મહત્તાને આંબે.” 

શું આધારકો ગેરમાર્ગે દોરવાયેલ છે? \Are Metrics Misguided?- ઇવા \Eva 

“એવું કહે છે કે જેની માપણી ન કરો, તેનું સંભાળીને સંચાલન પણ ન કરી શકો. 

પણ એ માપ જ સફળતાનું એક માત્ર નિર્ધારક છે એમ માની બેસવું તેનાથી પણ વધારે જોખમકારક છે.” 

શું મુખ્ય જવાબદારી ક્ષેત્રો\KRA અને કામગીરીનો બદલો ગુણવત્તાને મદદ કરી શકે છે?\ Do KRA’s and Rewards Help in Quality? 

ગુણવતાનાં ત્રણ અંગ \Three C’s of quality છે - પસંદગી \choice, સહયોગ \collaboration અને વસ્તુ \content. 

પસંદગી \Choice એટલે કર્મચારીઓને તેમનાં કામ અંગેના નિર્ણયો લેવામાં ભાગ લેવા મળવો.
સહયોગ \ Collaboration એટલે તેઓ અસરકારક ટીમમાં સાથે રહીને કામ કરી શકતાં રહે.
વસ્તુ \ Content એટલે તેમનાં કાર્યક્ષેત્રનાં કામ.સારૂં કામ કરવા માટે, લોકોને સારું કામ કરવા પણ મળવું જોઇએ. 

નવીનીકરણ\ INNOVATION 

નવીનીકરણ ક્યારે (ખરા અર્થમાં) ‘નવીનીકરણ’ પરવડે? \ When is an Innovation an Innovation? 

[સંપાદકની નોંધઃ આ પૉસ્ટ- "નવીનીકરણને ઉદ્દેશ્ય હોવો જોઇએ?"- શ્રેણીનો ભાગ છે. જે માટે અહીં ક્લિક કરો.] 

“ગ્રેગ સૅટલ અને હું ચર્ચા કરી રહ્યા છીએ કે, શું નવીનીકરણને ઉદ્દેશ્ય હોવો જોઇએ? અમે ઘણી બાબતોએ સહમત છીએ,પણ બે બાબતે અમરા વચ્ચે અલગ વિચાર જોઇ શકાય છે. મારૂં કહેવું છે કે એક સંસ્થાની અંતર્ગત તો નવીનીકરણ ને ઉદ્દેશ્ય બહુ જરૂરી છે.
એ સાચું નથી કે જો કોઇ નવું ઉત્પાદન અસ્તિત્વમાં ન આવે તો નવીનીકરણ નથી થયું,પણ નવીનીકરણના પ્રયાસોનાં પરિણામે કોઇ વળતર તો મળવું જોઇએ એટલું તો ખરૂં. 

આમ કરી શકવું હોય તો નવીનીકરણની બધી જ પ્રવૃત્તિઓ પરના પ્રયાસોને ૭૦/૨૦/૧૦ના ભાગે વહેંચી નાખવા જોઇએ. ૭૦% પ્રયાસો આપણા વ્યવસાયના હાર્દને ક્રમિક નવીનીકરણવડે સુધારે, જેથી કરીને હાલના વેપાર વ્યવસાયમાં ટકી રહેવાય; ૨૦% પ્રયાસો હાલનાં બજારસાથે સંલગ્ન સંભવિત બજારોના વિકાસમાટે થવા જોઇએ. અને, બાકીના ૧૦% એવા હવાઈ વિચારોને સમર્પિત કરવા જોઇએ, જેનાં દુનિયાને બદલી નાખેતેવાં શક્ય પરિણામો આપણે આજે જોઇ નથી શકતાં.” 

ગુણવતા - મૂળ મુદ્દા\ CORE “QUALITY” ISSUES 

વ્યવસાય પ્રક્રિયા સંચાલન શું છે?\ What is Business Process Management?– 

શા માટે વ્યવસાય પ્રક્રિયા સંચાલન આટલું અઘરૂં છે? જરૂર છે કેટલાક ભવિષ્યદર્શી દિશાસૂચકો, જેમ કે નવા ગ્રાહકો બનવું, પુનરાવર્તી વેપાર(જે જીવનપર્યંત ગાહક મૂલ્ય આપે છે) અથવા તો વેચાણ-સોદા અંકે કરવાનો આવર્તી સમય. 

અને આ વિષયને લગતો લેખ - વ્યવસાય પ્રક્રિયા સંચાલન માટેનો પ્રક્રિયા અભિગમ \Process Approach to Business Process Management 

SIPOC + PDCAને સાથે જોડીને ચલાવવાથી, વ્યાવસાયિક પ્રક્રિયાઓ (અસરકારક રીતે) સંચાલિત થઇ રહી છે તે જાણવા માટે જરૂરી બધાં ધટક યાદ કરાવાતાં કરી શકાય છે. વ્યવસાય પ્રક્રિયા સંચાલન માટેનો પ્રક્રિયા અભિગમ એટલે PDCA અને SIPOCની મદદથી જેમનું સ્પષ્ટ નિરૂપણ થયું છે, જેની કામગીરીનું મૂલ્યાકંન અને નિયંત્રણથઇ રહ્યું છે, એવી નિયંત્રીત પ્રક્રિયાઓ બનાવવી. અને એ છે વાસતવિક સ્તરે અમલ થયેલ વ્યવસાય પ્રક્રિયા સંચાલન

અસ્થિર પ્રક્રિયા પ્રવાહનાં બાહ્ય ચિહ્નો\Outward Signs of Unstable Process Flow - લૉની વિલ્સન \Lonnie Wilson 

જે કોઇ સંસ્થાઓ લીન સંચાલન વ્યવસ્થા અમલ કરવમાં અસફળ થતી જોવા મળે છે , તે સંસ્થાઓમાં નબળી ગુણવતા તંત્ર વ્ય્વસ્થા જોવા મળતી હોય છે.ખાસ તો, તેઅહીં સ્થિર પ્રક્રિયા પ્રવાહ પ્રસ્થાપિત નથી થયેલ જોવા મળતા. 

અને તેનો સંલગ્ન લેખ – ‘સતત સુધારણા - એટલે માત્ર પ્રવાહ’ \ Continuous Improvement -- It's All About Flow - રાલ્ફ કૅલર\Ralph Keller 

નકદ-થી-નકદ ઘટના ચક્રને ઘટાડતાં રહેવા માટે માહિતિ અને માલ, બન્નેનો, પ્રવાહ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. 

અન્ય બ્લોગોત્સવને માણીએ 

The Knowledge Center - @ Quality Quotesદ્વારા પીરસાતાં ગુણવતા વિશેની જ્ઞાન-વર્ધક કણીકાઓ દરરોજ માણો 

અને અંતમાં

દૂરંદેશી એટલે સામાન્ય રીતે જે નજરે નથી પડતું તે જોઇ શકવાની કળા - જૉનાથન સ્વિફ્ટ 

આ બ્લોગૉત્સવને વધારે રસપ્રદ અને જ્ઞાનવર્ધક બનાવવામાટેનાં આપનાં સૂચનો આવકાર્ય છે.

Tuesday, February 26, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - ફેબ્રુઆરી, ૨૦૧૩

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં ફેબ્રુઆરી, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે. 

જુદા જુદા સંદર્ભમાં, જે તે સમયે થતા ઉપયોગ પ્રમાણે, ગુણવત્તાનાં અર્થઘટન પણ બદલતાં રહે છે.આઇએસઓ માનકોમાં કરાયેલી ગુણવત્તાની વ્યાખ્યાઓને ધ્યાનમાં રાખીને, ૨૦૦૩નાં મિત્રાનાં મૉડેલની સ-રસ ચર્ચા, “What is Quality?” – The Best Explanation Ever લેખમાં જોવા મળે છે. કેટ્લાય માર્કેટીંગને લગતાં સાહિત્યથી માંડી લગભગ ૩૦૦ જેટલા લેખોમાંની ગુણવતાની વ્યાખ્યાઓનું આકલન કરી, આઇએસઓ ૯૦૦૦ના ફકરા ૩.૧.૫નાં ઘણા સૂચિત સાંકળીને, મિત્રાનું મૉડેલ નોંધે છે કે ગુણવત્તા સિધ્ધ કરવાની અને તેમાં સુધારા કરવાની ગતિશીલ પ્રક્રિયા પાંચ તબક્કામાં વહેંચાયેલ છેઃ

    § સંસ્થાકીય પૂર્વ-વૃતાંત - વિશ્વકક્ષાની ગુણવત્તા ધરાવતાં ઉત્પાદનો અને સેવાઓને અનુરૂપ સંસ્થાગત ક્ષમતાઓને વિકસાવવી
    § કામગીરીઓનાં પૂર્વ-વૃતાંત – ઉત્પાદનોમાં જ ગુણવતાની રૂપરેખા આવરી લેવી,ગુણવત્તા સિધ્ધ થાય તે રીતે પ્રક્રિયાઓનું સંચાલન
    § ઉત્પાદન ગુણવત્તા - લાક્ષણીકતાઓનાં વિશિષ્ટ વિગતવર્ણન, વિશ્વનીયતા અને કામગીરીની જરૂરીયાતોની તુષ્ટી કરવી; માંગ પેદા કરવા માટે સૌન્દર્યાત્મકતા અને ગ્રાહકની પસંદ પર પૂરતું ધ્યાન આપવું
   § ગુણવત્તાનાં ગ્રાહકલક્ષી પરિણામો - ગ્રાહકો ગુણવતાને શી રીતે જૂએ છે અને તેની દરકાર કરે છે કે નહીં, અને તેની ગ્રાહકને ટકાવી રાખવા પર અસરો
§ ગુણવત્તાનાં બજારલક્ષી પરિણામો - બજાર હિસ્સાના સંદર્ભમાં, અને ગુણવતા અને ગુણવતાના સુધારાઓનું નફાકારક્તા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં યોગદાન 

Sarbanes-Oxley And ISO 9000 લેખમાં આપણને ગુણવતા વ્યવસ્થાપન (તંત્ર)ની કાયદાકીય બાજૂ પર નજર નાંખવાની તક મળે છે.આ લેખમાં સામાન્યરીતે જેનું ઓછું મૂલ્ય અંકાય છે, કે જે મૂલ્ય-વૃધ્ધિ નથી કરતું એવું મનાય છે, તેવાં દસ્તાવેજીકરણની વિગતે ચર્ચા કરવામાં આવી છે. જો કે, દસ્તાવેજીકરણ પુરાવા અને આંતરિક નિયંત્રણો પુરૂં પાડતું હોવાને કારણે,કાયદાની દ્ર્ષ્ટિએ ઘણી મહત્વની સંપત્તિ સાબિત થઇ શકે છે. દા.ત. કોઇ એક પરીક્ષણનું પરિણામ એ પુરાવો છે, તે જ રીતે હસ્તાક્ષર એ પણ પુરાવો છે. ગુણવતાના પુરાવાઓ ગ્રાહકની અપેક્ષાથી માંડી ને વહેંચણી અને તેમાં આવતી દરેક પ્રવૃત્તિના સગડ પૂરી પાડતી કેડી છે. જ્યારે ગ્રાહકનો અસંતોષ ન્યાયાલયને દરવાજે પહોંચે છે, ત્યારે આ કેડી અતિમહત્વની બની રહે છે. કૉર્પૉરેટ કૌભાડો પશ્ચાત ગ્રાહકના વિશ્વાસનો મહેલ તૂટી પડવાને કારણે અમેરિકાની સરકાર કાગળોની આ કેડી અને નિયંત્રણોમાં ખરેખર બહુ જ રસ લેતી થઇ ગઇ છે. કાયદાની પરીભાષામાં , તે સ્વરૂપ નહીં, પણ સાર છે, અને જો કેડી સ્પષ્ટ ન હોય તો જેલના સળીયા ગણવાનો વારો પણ આવી શકે છે. ભૂતકાળમાં જે ભૂલોને કારણે કંપનીને દંડ જ ભરવો પડ્તો, એવી ભૂલો માટે હવે, ૨૦૦૦રના સાર્બેન્સ-ઑક્ષલી કાયદા\ Sarbanes-Oxley Act of 2002 (SOX) હેઠળ, મુખ્ય પ્રબંધ અધિકારીને જેલ પણ થઇ શકે છે.

સદ્‍નસીબે, ઇન્ટરનેટ પર હવે દસ્તાવેજીકરણમાટે જુદા જુદા નમુનાઓ સારી પેઠે જોવા મળે છે, જે પૈકી એક છે - How to Create a Standard Operating Procedure Template. અને આ તો ઘણા વિકલ્પો પૈકી એક છે, જેની મદદથી નિયમોની વધારે પડતી ગુંચમાં ફસાયા સિવાય દસ્તાવેજીકરણને પરિસ્થિતિની જરૂરીયાત મુજબ ઢળી શકાય કે, પસંગવશાત (તેમ જ પૂર્વાયોજિત)પણે, સુધારી શકવું શક્ય છે. બસ, તેમાં આપણા પોતાના વિચારો કે અનુભવોની મર્યાદા જ સુધારાની અસરકારકતા અને દૂરગામી અસરોને ઘટાડી શકે છે.

ગુણવતાનો ગુણી દ્રષ્ટિકોણ તો લાંબા ગા્ળાની વ્યૂહાત્મક દ્રષ્ટિનો જ હોઇ શકે. માર્ક ગ્રૅબન, તેમના લેખ, 14, not 3, is a Magic Number for Dr. Deming and Toyotaમાં, ડૉ. ડેમિંગ અને ટૉયૉટાના સિધ્ધાંતોની સરખામણી કરતાં, પહેલા જ મુદ્દામાં આ વાત પર ભાર મૂકે છે.
નિર્ણય- પ્રક્રિયામાં, સમયના આયામ ઉપરાંત, સંદિગ્ધતાપૂર્ણ વાતાવરણમાં નિર્ણય લઇ શકવાની ક્ષમતા એ હંમેશ માટે એક મૂળભુત પડકાર રહેલ છે. લીડરશીપ કેફૈન, 3 Situations to Quality Check Your Gut Instinct લેખમાં એવી ત્રણ પરિસ્થિતિઓને વર્ણવે છે જ્યારે આપણી આંતરસુઝને ગુણવતાનાં પરીક્ષણની એરણ પર ચઢાવવી હિતાવહ છે: 

૧. પ્રતિભાની પસંદગી - આપણી મૂળભૂત પ્રતિક્રિયા અને પરિસ્થિતિ વિષે ઉમેદવારના વર્તનલક્ષી અભિગમને સમજવું. ૨. વ્યૂહાત્મક પસંદગીઓ - નિર્ણય તરફ દોરી જતાં બાહ્ય પરિબળો વિષે અને અજાણ્યા માર્ગ પર જવાનાં જોખમો કરતાં અનિર્ણયનાં જોખમો વધી તો નથી જતાં તે વિષે ફેરવિચાર કરવો ૩. સમય અને નાણાં વિષયક નિર્ણયો - અમુક પરિસ્થિતિઓમાં વધારે સમય કે નાણાં લાગવાનાં તો હોય જ, પણ આ કિંમતી સંપત્તિમાટે ફરી ફરીને માગણીઓ થાય તે ચિંતાનું કારણ તો ખરૂં જ.

વિલિયમ કૉહેન, પીએચ.ડી, તેમનાં પ્રોસેસ એક્ષલન્સ નેટવર્કપરનાં નિયમિત કૉલમના Is ignorance the most important aspect of problem solving? લેખમાં પીટર ડ્રકરના તેમના બાહ્ય સલાહકાર તરીકેની સફળતા - એક અંદરની વ્યક્તિએ બહારની વ્યક્તિ જેટલું અંતર જાળવીને પ્રશ્નો વિષે હેતુલક્ષીતા જાળવી શકે તે આત્મસાત કરવું - માટેના વિચારો રજૂ કરે છે. ડ્રકરનું કહેવું છે કે "હું સાચા સવાલો પૂછું છું." 

“આ પશ્નો પૂછવાનું, કે આ કામને, હું મારા એ કે અન્ય ઉદ્યોગોના અનુભવો અને જ્ઞાનની મદદથી નથી જોતો. બલ્કે તેનાથી બિલ્કુલ ઊંધું. હું તે વિષયનાં મારાં જ્ઞાન કે અનુભવને જરા પણ ઉપયોગમાં નથી લેતો. હું અજ્ઞાન વાપરૂં છું. પ્રશ્નોનાં સમાધાનમાં અજ્ઞાન એ એક બહુ મોટું પરીબળ છે."

બીજા કેટલાય વિદ્યાર્થીઓ ઊભા થઇ ગયા,પણ ડ્રકરે તેમને બેસી જવા કહ્યું. તેમણે આગળ ચલાવતાં કહ્યું,"જો ઉપયોગ કરતાં આવડે તો અજ્ઞાન એટલુ ખરાબ નથી. બધા જ વ્યવસ્થાપકોએ તેની સાથે કામ લેતાં શીખવું પડે છે. આપણા ભૂતકાળના અનુભવની માન્યતાને આધારે નહીં પણ ,વારંવાર અજ્ઞાનથી પ્રશ્નને હાથમાં લો. શક્ય છે કે આપણે તે વિષે જાણીએ છીએ તેમ માનવું ભુલભરેલું હોય."
સંસ્થાની પ્રવૃત્તિઓ અસરકારક અને કાર્યદક્ષરીતે કરતા રહેવા માટે 'સવાલ પૂછવા'ના વિષયની વાત કરતાં જ એવુ, સદ્‍નસીબે, ગોઠવાયું કે આપણી પાસે 'આપણી સંસ્થામાટે પૂછવાલાયક દસ સહુથી મહ્ત્વના સવાલો\ The 10 Most Important Questions You Will Ever Ask About Your Organization” પણ છે."ડ્રકરના પાંચ મૂળ સવાલો - આપણું ધ્યેય શું છે? આપણું ગાહક કોણ છે? ગ્રાહક શેને મૂલ્યવાન ગણે છે?શું પરિણામો છે?આપણું આયોજન શું છે?- ડ્રકર જેને ' વેપાર(ધંધા) નો સિધ્ધાંત'\ the theory of the business કહેતા', તેમાં પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલના ભૂતપૂર્વ વડા, લૅફલી અને ટૉરન્ટૉ યુનિવર્સીટીની રૉટમૅન સ્કૂલ ઑફ મૅનૅજમેન્ટના ડીન,માર્ટીન, બીજા પાંચ સવાલ ઉમેરે છે - આપણને શું જીતવાની મહત્વાકાંક્ષા છે? આપણે ક્યાં રમત માડવાના છીએ? આપણે શી રીતે જીતીશું? શું ક્ષમતાઓ હોવી જોઇએ? કયાં વ્યવસ્થાપન તંત્ર જોઇશે? લૅફલી અને માર્ટીન ભારપૂર્વક કહે છે કે જ્યારે કપનીની વ્યૂહરચના સફળ ન જતી હોય ત્યારે તેને માટે "ખરા અર્થમાં અઘરા વિકલ્પ પસંદ કરવાનું ટાળવું" કારણભૂત હોય છે. "ચોકાસ વિકલ્પ પસંદ કરી શક્યાતાઓની બારીઓ બંધ કરી દેવાને બદલે,શક્ય હોય ત્યાં સુધી બધા વિકલ્પ ખુલા રાખવાની વૃત્તિ સ્વાભાવિક તો છે. પણ જીત તો વિકલ્પ પસંદ કરી અને તેના પર કામ કરવાથી જ થાય છે. હા, મુશકેલ નિર્ણયો ફરજ પાડે છે અને એક નિશ્ચિત માર્ગ કંડારે છે. તદુપરાંત તેમ કરવાથી જે મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે સમય મળવા લગે છે." "

પીટર ડ્રકર તો તેમની 'સાચો સવાલ' પૂછવાની કુનેહ માટે પ્રખ્યાત હતા. Drucker’s Enduring Questions માં તેમના ‘કાયમી પસંદ'ના સવાલો જોવા મળશે: પહેલો સવાલ કરે છે ડ્રકર ઇન્સ્ટીટ્યુટ્ની સહયોગી પેઢી બ્રાંડ વૅલોસિટી\Brand Velocityના ભાગીદાર જૅક બર્ગસ્ટ્રૅન્ડ: "આપણે શું કરવાનું બંધ કરી દેવું જોઇએ?" બીજો સવાલ કરે છે હાર્વર્ડ બીઝનેસ સ્કૂલના ક્લૅયટન ક્રીસ્ટનસૅનઃ જો આપણી પાસે વર્તમાન વેપાર/ઉદ્યોગ ન હોત, તો નવો વેપાર/ઉદ્યોગ કરવાનો કયો શ્રેષ્ઠ માર્ગ આપણે અપનાવત?"
આ સવાલોને કારણે આપણું {આપણા વ્યવસાયની કામગીરી અંગેનું) જીવનદર્શન ધુંધળું થઇ જતું લાગે, તો આપણા નિર્ણયોનાં પરિણામો અને કામગીરીનાં તલસ્પર્શી મૂલ્યાંકન કરવા માટે, બાલ્ડ્રીજ માપદડ જેવી પરંપરાગત પધ્ધતિ તરફ નજર કરવી જોઇએ. બાલ્ડ્રીજ શી રીતે મદદરૂપ બની શકે? શા માટે બાલ્ડ્રીજ માપદંડ કામના છે? તેવા સવાલો ખાસા અઘરા છે. મોટી કંપની ઘણી જ જટીલ અને સંકુલ હોય છે. તેથી અંદરોઅંદર સ્પર્ધા કરતાં કારણો અને અસરોનાં એકબીજાં સાથેનાં જોડાણો સમજાવા માટે કોઇ તટસ્થ પ્રશ્નકર્તાની જરર હોય. માત્ર પરીણામો જ પર ભાર મુકવાથી " સંસ્થાનો એક હિસ્સો સારીરીતે કાર્યરત હોય તે સર્વાંગી ઉત્કૃષ્ટતા માટે પૂરતું નથી. "

વર્ષ ૨૦૧૩-૨૦૧૪ના બાલ્ડ્રીજ માપદંડો તેમની ૨૫ વર્ષની, 'ધ્યેય સિધ્ધિ, પરિણામ સુધારણા અને વધારે સ્પર્ધાત્મક્ક્ષમતા" બાબતે સંસ્થાઓનાં સશક્તિકરણની પરંપરાને આગળ ધપાવીને નીચેના મુદ્દાઓ પર "નવેસરથી ધ્યાન કેન્દ્રીત કરે છેઃ 

  • નવોત્થાન વ્યવસ્થાપન, સમજપૂર્વકનું જોખમ અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ;
  • સામાજીક માધ્યમો;
  • કામગીરીની અસરકારકતા; અને
  • કાર્ય તંત્ર અને મૂળભૂત સક્ષમતા." 

તો બીજી બાજૂએ પરિમાણાત્મક અને ગુણાત્મક્પણે 'યુવાન' રહેવા માટે સંસ્થાઓ વ્યક્તિગત મનુષ્યજીવન પરથી પણ બોધપાઠ જરૂરથી લઇ શકે - "છૂટથી હસો, ખુશહાલ જીવો: સ્વપ્ન સેવતાં રહો". આ મંત્ર આપણે જાણીએ તો છીએ જ, પણ, How To Stay Young Forever લેખમાં તેને નવી જ રીતે રજૂ કરાયેલો જોવા મળશે.

સંચાલકોએ શી રીતે ‘કામ-જીંદગીનું સંતુલન જાળવવું’\How Executives Can Get a Work-Life Balance લેખમાં બ્રાયન ગૅસ્ટ કામ-જીંદગીનાં સંતુલનને એક નવો અર્થ આપે છે, જે ઘણા લાંબા સમય સુધી જીવનશક્તિ અને ખુશી ટકાવી રાખવાનો કિમિયો પણ કહી શકાય. તેઓ શરૂઆત એક પ્રશ્ન - આપણા માટે જે સારૂં નથી એવી ખબર છે, તેમ છતાં આપણે શા માટે એ જ કરતાં રહીએ છીએ? -થી કરે છે. આ સવાલના જવાબમાં તેઓ સમજાવે છે કે,"આપણાં બધાંમાં એક બંધાણી રહેતો જ હોય છે. જ્યારે તે આપણા ઉપર કાબુ મેળવી લે છે, ત્યારે વાત હાથથી જતી રહે છે. એમાં આપણે એકલા પણ નથી, બધાં જ કશાંકનાં તો બંધાણી હોય જ છે... દરેક બંધાણી કોઇ એક મૂળભૂત, ભૂલ ભરેલી માન્યાતાઓને આધારે વર્તે છે. આ માન્યતાઓ આપણને ઘેરીને રહેલ પરપોટાનો એક ભાગ છે. આપણે આપણી આસપાસની સમગ્ર દુનિયાને વક્ર નજરે જ જોઇએ છીએ કારણકે આપણે તે પરપોટામાંથી દુનિયાને જોઇએ છીએ. આ પરપૉટામય માન્યતાઓને કારણે આપણે વધારે પડતા વચનબધ્ધ થઇ જઇ છીએ કે કામની જરૂરથી પણ ઓછી વહેંચણી કરીએ છીએ , અને વધારે ને વધારે મેળવવા સોડ સારૂ ફેલાવતાં રહીએ છીએ." 

આપણા પાયાના રસવાળા વિષય - જીવન અને વ્યવસાયમાં ગુણવત્તા-થી દેખીતી રીતે ન સંકળાયેલાં એવા બે ક્ષેત્ર - જાસુસી નવલકથાઓ અને જાસુસી તંત્રની તળ કાર્યશૈલી-ના લેખ પર પણ નજર કરીએ.

"શેરલૉક હોલ્મ્સની વિચાર પ્રક્રિયાને સમજવાની સાથે અ સ્ટડી ઇન સ્કારલૅટ,ધ હાઉન્ડ ઑફ બાસ્કરવીલૅ અને એવાં બીજાં કથાનકોને એકસૂત્રે જોડીને,કૉન્નીકૉવા વધારે સ્વયં-જાગૃતિ, સશક્ત યાદદાસ્ત, વધારે એકાગ્રતા અને ઉન્નત સર્જનાતમકતા માટેની માર્ગદર્શીકા પૂરી પાડે છે." તેનો નકશો,શેરલૉક હોલ્મ્સની જેમ કોયડા શી રીતે ઉકેલવા?\ How To Solve Problems Like Sherlock Holmes માં જેનીફર મિલર દોરી આપે છે.

અને બીજો લેખ છેઃ ડૅનીયલ સૅક્સનો ‘એક જાસૂસની જેમ કામ કરો: સીઆઇએનાં માજી -જાસૂસનાં વેપારમાં સફળતાનાં સૂચનો’\Work Like A Spy: An Ex-CIA Officer's Tips For Business Success - અહીં ફાસ્ટ કંપની જોડે વાત કરતાં જે સી કાર્લ્સન સ્પર્ધકોને શી રીતે નીચોવી લેવા, ખાનગી માહિતિ એકઠી કરવાનું તંત્ર ગોઠવવાનું મહત્વ અને શા માટે પહેરેગીર જોડે દોસ્તી કરવી જોઇએ જેવા વિષયોને આવરી લે છે. 

આ મહિનાના બ્લૉગૉત્સ્વનાં સમાપનમાં, સંચાલન વિકાસને લગતા બે અન્ય બ્લૉગૉત્સવ -2012 Management Improvement Carnival – Part 2 અને Annual Management Improvement Blog Review: 2012 -ના વાર્ષિક અવલોકનની પણ નોંધ લઇએ.
ઐનસ્ટૈનનાં બહુ વાર ચર્ચાયેલાં કથન - આજના બધાજ મહત્વના પ્રશ્નોના ઉકેલ, તેનાં પેદા થવા સમયે આપણું જે વૈચારિક સ્તર હતું તે સ્તરથી તો જ જ ઉકેલી શકાય.- થી, આપના પ્રતિભાવ જાણવાની અપેક્ષા સાથે , આ બ્લૉગૉત્સવ માટે વિરમીએ. 


· પ્રકાશન તારીખઃ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૨ /૨૦૧૩


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના '૨ /૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

બ્લૉગોત્સવનાં આ સંસ્કરણની શરૂઆત કરીએ ચિત્રપટસંગીત દ્વારા પ્રસ્તુત ૧૯૫૦/૬૦ના સમયકાળની એક પ્રતિભાવાન નાયિકા કુમકુમની નૄત્યક્ષમતાને સાદર,એક બહુ જ યોગ્ય અને આગવી યાદાંજલિથી. જન્મે હસૈનાબાદ, બિહારની મેહરૂન નિશ્શા, કુમકુમ પ્રશિક્ષિત કથ્થક નૄત્યકારા હતી. પ્રસ્તુત પૉસ્ટ - કુમકુમ- એક મહાન નૃત્યાંગના\Kumkum – Tribute to a great dancer - કુમકુમ પર ફિલ્માવાયેલાં યાદગાર શાસ્ત્રીય નૃત્યો તેમ જ કેટલાંક અન્ય વિવિધ મૂડનાં નૃત્યો રજૂ કરે છે, જેમાં ખાસ કરીને,કુમકુમની અભિનયભંગીની લાક્ષણીકતાને ઉજાગર કરીને લેખકે તેમની આગવી રજૂઆતની પરંપરા જાળવી રાખી છે. અહિં રજૂ થયેલાં ગીતો પૈકી મારી પસંદના, ખય્યામ દ્વારા સ્વરબધ્ધ થયેલ, એક અનોખાં નૃત્યગીત - રંગ રંગીલા સાવરા- અને લેખક્ની પસંદગીનાં, સુબીરાજ અને કુમકુમ પર ફિલ્મવાયેલાં ટીખળગીત - હમ હૈં તુમ્હારે, તુમ હો હમારે-નો, હું ખાસ ઉલ્લેખ કરીશ.આ ગીતમાં કુમકુમના હાવભાવ ચિત્તમોહક છે. કુમકુમ જેમાં સંકળાયેલ હોય તેવાં ચલચિત્રોની અસંખ્ય પૉસ્ટ, http://dustedoff.wordpress.com/tag/kumkum/ અને http://memsaabstory.com/tag/kum-kum/ ટૅગશ્રેણીઓપર જોવા મળે છે.

સંજોગવશાત, પ્રસ્તુત સંસ્કરણમાં આપણને નાયિકાપ્રધાન લેખો વધારે માણવા મળશે.

હિંદી ફિલ્મ જગતની પ્રથમ હરોળની નૃત્યનાયિકા, સશક્ત અભિનયક્ષમતા અને સુંદર ભાવવાહી ચહેરો એવાં અનેક વિશેષણો જેમને સહેલાઇથી બંધ બેસી જાય એવાં વહીદા રેહમાન વિષે આ સંસ્કરણમાં જુદા જુદા દ્રષ્ટિકોણના લેખ જોવા મળે છે.

‘જન્મભૂમિ પ્રવાસી’માં શ્રી શ્રીકાંત ગૌતમે તેમના નિયમિત સ્તંભ - રાગરંગ -માં 'એકવિધ ભૂમિકામાં અનેકવિધ અભિનયક્ષમતા' શિર્ષક હેઠળ વહીદા રેહમાનની, "ક્યાંક સ્થૂળ તો ક્યાંક સુક્ષ્મપણે" ભજવેલાં 'અધર વુમન'નાં પાત્રો અને ભૂમિકાઓ રજૂ કરેલ છે. [લેખનો પહેલો ભાગ અહીં અને બીજો ભાગ અહીં વાંચી શકાશે.]. અહીં આપણે તે પાત્રો / ભૂમિકાઓને ઉજાગર કરતાં ગીતોની નોંધ લઇશું:

ગુલાબો - પ્યાસા - જાને ક્યા તુને કહી - ગીતા દત્ત - સચીન દેવ બર્મન
જેબા - સાહિબ બીબી ઔર ગુલામ - ભંવરા બડા નાદાન - આશા ભોસલે - હેમંત કુમાર
શાંતિ - કાગઝ કે ફૂલ - વક્તને કિયા ક્યા હસીં સિતમ - ગીતા દત્ત - સચીન દેવ બર્મન 
કાયદેસર પત્ની જે તેના પતિની પહેલી પત્નીની ભૂતાવળી હાજરીનાં ધુમ્મસમાં ખોવાયેલી રહે છે - કોહરા  - ઓ બેકરાર દિલ - લતા મંગેશકર - હેમંતકુમાર
રૉઝી - ગાઇડ - કાંટો સે ખીંચ કે યે આંચલ - લતા મંગેશકર - સચીન દેવ બર્મન
રાધા - ખામોશી - હમને દેખી હૈ ઉન આંખોમેં મહેકતી ખૂશ્બુ - લતા મંગેશકર - હેમંત કુમાર - 
એવી મા , જે પોતાની પરિણીતા દીકરીની નજરોમાં તેનાં લગ્નજીવનની સ્પર્ધક બની રહી છે - ફાગુન - સંધ્યા જો જાયે - લતા મંગેશકર - સચીન દેવ બર્મન  

સીમી ગરેવાલ સાથે, તેમના શૉ, રૉન્ડીવૂ,પરની તેમની ગૂફ્તગુમાં પણ વહીદા રેહમાન તેમની આ ભૂમિકાને યાદ કરે છે. [ આ શૉની વિડિયો ક્લિપનો પહેલો ભાગ અને બીજો ભાગ જોવા મળે છે.]

Conversations Over Chai એ પણ વહીદા રેહમાન પર The Greats શ્રેણીમાં એક સ-રસ લેખ કરેલો છે.

સીમી ગરેવાલની પોતાની વૅબસાઇટ પર પોતા પર જ ફિલ્માવાયેલાં ગીતોની યાદી જોવા મળશે.

આજનાં આ સંસ્કરણના નારીલક્ષી વિષયને ‘Dusted Off’ પોતાની પસંદગીનાં સ્ત્રી-પિયાનીસ્ટ ૧૦ ગીતો વડે ચાલુ રાખે છે. આ ગીતોની ખાસીયત એ છે કે અહીં નારી પાત્ર જાતે પિયાનો વગાડી રહેલ છે. અને આ ૧૦ ગીતો ઉપરાંત ૪૦થી પણ વધારે ગીતો તો વાંચકોએ “comments”માં ઉમેર્યાં છે!

“Dances On Footpath” પણ નારીલક્ષી વિષયને Happy Birthday, Suman Kalyanpur!, A slightly belated happy birthday to Cuckoo. અને Songs from the Pakistani Choo Mantar, Starring Noor Jehan એમ ત્રણ બહુ જ અનોખાં ગીત સભર લેખથી સુપેરે આગળ ધાપાવે છે.

At The Edge પર રેહાના સુલ્તાનનો દિલધડક ફૉટૉગ્રાફ, Tum se kahoon ek baat paron se halkiમાં, મુકાયો છે. તેનાપરની comment મોહમ્મદ રફીના ભાવપ્રચુર અવાજમાં ગવાયેલ આ ગીતનાં ચિત્રીકરણને "હિંદી ગીતોનામાંનું શ્રેષ્ઠ ફિલ્માંકન' કહે છે તો બ્લૉગના લેખક વિનાયક રાઝદાન 'હૃષિકેશ મુખર્જીનાં મહાન સંકલન'ને પણ યાદ કરે છે.

તો વળી “Conversations Over Chai” પસંદગીના શબ્દની રમતને Word Play: Piyaમાં રજૂ કરે છે. "પિયા"નો એક જ અર્થ અહીં લેવાયો છે - પ્રિયા, અને નહી કે 'પીવું' પણ. મુખડાની પહેલી જ લીટીમાં 'પિયા' પહેલો કે બહુ બહુ તો બીજો જ શબ્દ હોવો જોઇએ તેવી શરત સાથે મુકાયેલાં ૧૦ ગીતો પર “comments”માં ૪૦થી વધારે ગીતોની રજૂઆત લટકામાં સાંભળવા મળશે.
અને હવે, આપણે 'સામાન્ય' રસના વિષયો ભણી નજર પણ કરીએઃ

Hareypam’s Blogપરની ‘pacifist’ની મહેમાન પૉસ્ટ, This Singing Business મા, નાના વેપારીઓના વ્યવસાયને ઉજાગર કરતાં ગીતો રજૂ કરાયાં છે. આ પ્લેલિસ્ટ પર પણ આ ગીતો સાંભળી શકાય છે. મજાની વાત તો એ છે નાના વેપારનાં ભાતીગળ સ્વરૂપને ૩૦થી પણ વધારે અન્ય ગીતો વડે વાંચકોએ સમૃધ્ધ કરેલ છે.

આજનાં આપણાં સંસ્કરણમાં મર્દાના અંદાજ પણ એટલો જ ગતિશીલ છે. Rafi harmonic for charming Shashi Kapoor પર ઇકબાલ કુરેશીએ સ્વરબધ્ધ કરેલું, ૧૯૬૩ની મોહમ્મદ રફીના તેજીલા અરબી ઘોડાની ઝડપે ભાગતું ગીત, લોગ કહતે હૈં, તો સચ હી કહતેં હોંગે સાંભળતાં મને 'જબ જબ ફૂલ ખીલે'નું કલ્યાણજી આણંદજીએ સ્વરાંકીત કરેલું હમ કો, તુમ સે, પ્યા...ર આ...યા યાદ આવી ગયું.

Songs Of Yore (SoY) “એક ગીત, અનેક સ્વરૂપ શ્રેણી”ને ગયાં સંસ્કરણમાં જોવા મળેલ લેખના પછીના મણકા - Multiple Version Songs (3): Both versions by male playback singers – Different Moods; શ્રી અરૂણકુમાર દેશમુખ વડે રજૂકારાયેલ અભ્યાસપૂર્ણ Multiple Version songs (4): Hindi and Marathi અને એન.વેન્કટરામન વડે લખાયેલ વિગતવાર રસાસ્વાદ કરાવતા Multiple Version Songs (5): Hindi and Tamil film songs (1) – ‘Inspired and adopted’ songs - વડે આગળ ધપાવે છે.

આ શ્રેણીમાં પહેલી વાર રજૂ થતા Dr.Mandar V. Bichu, હિંદી સિનેમાનાં, સહુથી વધુ વ્યાખ્યાયીત કરતાં, પાંચ ગીતો રજૂ કરે છે. આ ગીતો' હિંદી સિને સંગીતના છેક ૧૯૩૦થી માંડીને નવી સદી સુધીની વિકાસયાત્રાને આવરી લે છેઃ



૧. જબ દિલ હી તૂટ ગયા -શાહજહાં – ગાયક: કે.એલ.સાયગલ - વર્ષ ૧૯૪૬;
૨. બરસાતમેં હમસે મિલે તુમ - બરસાત - ગાયકઃ લતા મંગેશકર - વર્ષ ૧૯૪૯
૩. આ..આજા આજા મૈં હું પ્યાર તેરા - તિસરી મંઝિલ - ગાયકઃ મોહમ્મદ રફી અને આશા ભોસલે - વર્ષ ૧૯૬૬
૪. રૂપ તેરા મસ્તાના - આરાધના - ગાયકઃ કિશોર કુમાર - વર્ષ ૧૯૬૯
૫. જય હો - સ્લમડૉગ મિલિયનૅર - ગાયક/સ્વરકારઃ- એ. આર. રહેમાન - વર્ષ ૨૦૦૯
બ્લૉગૉત્સવનું આ સંસ્કરણ અનકેવિધ ગીતૉથી ભરપૂર છે, તેથી તેને સાંભળવા અને માણવામાં સમય જરૂર લાગશે. પરંતુ તે સમયનું વળતર તગડું મળી રહેશે એમાં કોઇ શંકાને સ્થાન તો નથી જ. 

બ્લૉગૉત્સવ શ્રેણીની વધુ સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

Tuesday, February 5, 2013

"મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે" - શિશિર રામાવત


છેલ્લાં દોઢ વર્ષ સુધી 'ચિત્રલેખા'ની ધારાવાહિક નવલકથાની પરંપરાને ઉજાગર કરતી શિશિર રામાવતની "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"નું કથાનક સ્ત્રી દેહ વિક્રય વેપાર, સાજાં સારાં માનવી પર આવી પડતી અકલ્પિત શારીરીક અક્ષમતા અને સમયની સાથે,જાણ્યે-અજાણ્યે, પલટાતા માનવમનના આંતરપ્રવાહો જેવાં સંકુલ કથાબીજના ત્રિકોણીય પાયા પર છેલ્લાં દોઢેક વર્ષથી વહેતું રહ્યું છે.. 
જો કે તે માટે લેખકે, તેમના પત્રકારત્વના અતિજિજ્ઞાસુ અનુભવ અને હેતુલક્ષી અભિગમને કામે લગાડીને જે  ચીવટપૂર્વકનું સંશોધન અને વ્યાપક ફીલ્ડ વર્ક કર્યું છે, તે મહેનતને કારણે કથાનકનું પોત જેટલું રસપ્રદ બન્યું છે, તેટલું જ જીવંત પણ બન્યું છે.
નવલકથાનો કથાપ્રવાહ પ્રારંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં, અનેક ચટ્ટાનો અને વળાંકો વચ્ચેથી, ધસમસતો રહે છે.
પ્રથમ ભાગમાં નિહારીકાને દેહવિક્રયના વેપારમાટે 'કાચા માલ'રૂપી છોકરીઓના પુરવઠાની શ્રુંખલામાં પ્રવૃત ટોળકી દ્વારા  ઉપાડી જવું, તેને કારણે તેનાં માનસ પર પડેલા ઘાનું સમય સમયે તાજા થતું રહેવું, ઓમનો પોતાના ઍડવર્ટાઇઝીંગ વ્યવસાય પ્રત્યેનો સ્વસ્થ અને પુખ્ત અભિગમ, નિહારીકા તરફ પરિણયથી માંડીને લગ્નજીવન સુધી ઉદારચરિત લાગણીશીલ લગાવ, મંદિરાની જીવન પ્રત્યે આક્રમક અલ્લડતાની  સાથે વિવેકની પૌરૂષમય અકળ ઝીંદાદીલીનું સંયોજન જેવી પાત્રલેખનાત્મક ઘટનાઓની હારમાળાની મદદથી લેખક કથાનકના પ્રથમ ભાગમાં મુખ્ય પાત્રોનાં  વ્યક્તિત્વોને સુગઠિત કરવાની સાથે સાથે ધારાવાહિકના દરેક હપ્તામાં કથાનકને વિશાળ મંચ પર રમતું મુકી દેતા જણાય છે. લાગણી સભર સંવાદો, ચીવટથી કરેલાં સુરેખ વર્ણનો તેમ જ વર્તમાન અને ભૂતકાળને જોડવામાટે ફ્લેશબેકના સમયોચિત ઉપયોગની મદદથી લેખકે દરેક હપ્તાના ઘટનાક્રમને રસવંતો, અને વેગવંતો, રાખવામાં પણ સફળતા મેળવી છે.
કથાનકના મધ્યભાગમાં પ્રવેશમાટે લેખકે કથાને દસ-પંદર વર્ષનો કુદકો મરાવી દેવાનો  પ્રયોગ કર્યો છે.આ તબક્કે કથાનકના ફલકનું કેન્દ્ર નિહારીકાનું વ્યાવસાયિક જીવન બની રહે છે.વ્યાવસાયિક જીવનની વ્યસ્તતા અને સફળતાને કારણે જન્મી ચૂકેલ અહંને કારણે નિહારીકા ઓમથી લાગણીના સંબંધે દૂર થતી રહે છે. પ્રથમ ભાગમાં ઓમ અને નિહારીકાનાં પાત્રોની સંવેદીનશીલતાને લાગણીની પુખ્તતા સાથે વણાતી અનુભવી હોવાથી નિહારીકાના સ્વભાવમાં આ પ્રકારનું પરિવર્તન થોડું અચરજ જરૂર પેદા કરે. જો કે સમયની સાથે સાથે વ્યક્તિના સ્વભાવમાં કોઇ ફેરફાર ન જ થાય એમ કહેવાનો આશય નથી. પણ જે પાત્રને કથાનકના પ્રારંભના ભાગમાં એક ઠરેલ, બુધ્ધિશાળી અને લાગણીશીલ વ્યક્તિ તરીકે જોયું હોય, તેના સ્વભાવમાં આવા ધરમૂળના ફેરફારને થતા જોવાનો અવકાશ આપણને  આ મધ્ય ભાગમાં ન મળતો હોવાથી, આપણે નિહારીકાનાં પાત્રને સમજવામાં કશે ભૂલ તો નથી કરી રહ્યા ને એવું જણાયા કરે છે.
ખૂબ જ ઝડપથી બનતી રહેતી ઘટનાઓ સમજવામાં વ્યસ્ત, કોઇ કોઇ, વાચક તો નિહારીકાના વ્યક્તિત્વમાં આવેલ આ પરિવર્તનને પારખી પણ ન શકે એવું પણ કદાચ બને. તે જ રીતે, પોતાનો ઍડવર્ટાઇઝીગનો સફળ અને વ્યસ્ત વ્યવસાય હજૂ જ્યારે પૂર્ણ કળાએ ખીલેલો છે ત્યારે તેમાંથી ઓમની (અકાળ) નિવૃત્તિ પણ કદાચ સામાન્ય વાચકને ગળે ન ઉતરે. પરંતુ, વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ સફળતા મેળવી ચૂકેલ,આજની ચાળીસી પાર કરેલી પેઢીમાં આ બન્ને પ્રકારની મનોદશા જોવા મળે છે અને એ જ પેઢીના આ કથાના  લેખકે આજના પ્રવર્તમાન સામાજિક પ્રવાહનું પ્રતિબિંબ ઝીલી લીધું છે.
કથાનકના મધ્ય ભાગમાં પેદા થતી આવી અવઢવની સાથે સાથે, ડોલી એ મંદિરા જ છે તે જાણ્યા પછી તેને નિહારીકાનાં આંતર્‍ અને બાહ્ય જીવનની રજેરજની ખબર કેમ મળતી રહે છે, સભ્ય સમાજની સ્વિકૃત વ્યવસ્થાને આટલી હદે વળોટી ગયેલા નિશાંતની વાત જેસિકા નિહારીકાને બહુ જ મોડું થઇ ગયા પછી શા માટે કહે છે એવા સવાલો પણ વાચકના મનમાં પેદા થતા હશે.
આમ મધ્યભાગમાં કથાનક તેની દિશા ભુલી તો નથી રહ્યું ને તેવો વિચાર આવે ત્યાં સુધીમાં તો લેખક, બહુ જ સલુકાઇથી, કથાના અંતનો આરંભ કરી દે છે. અને કથાનો અંત ભાગ તો કોઇ ઍકશન-થ્રીલરની અદાથી વાચકને ચારે બાજૂએથી બનતી દિલધડક ઘટનાઓની જેમ ઘેરતો રહે છે. રહસ્યકથા લેખકના સ્વાંગમાં રમી રહેલા આપણી કથાના લેખકે દરેક વાચકને હવે પછીના અંકની ઉત્કટ જીવે રાહ જોતા જરૂર કરી દીધા હશે.
આમ, દીર્ઘ સમય સુધી ચાલવા છતાં વાચકને ઝકડી રાખતી ધારાવાહિક નવલકથા(ઓ) આપવાની પરંપરાનાં કીર્તિમાનને  "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"એ ચાર આંગળ ઉંચાં લઇ જવામાં તો સફળતા મેળવી છે જ. તે સાથે તલસ્પર્શી સંશોધન અને વ્યાપક ફીલ્ડવર્કના આધાર પર નવલકથાનાં સર્જન કરવાની આધુનિક રીતને ગુજરાતી સાહિત્યમાં રૂઢ કરવામાં પણ "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"નું આગવું યોગદાન રહેશે એમ મારૂં માનવું છે.
મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે" ની શૈલી ધારાવાહિક સ્વરૂપે રજૂ કરવામાં અસરકારક રહી છે, તેથી હવે તેને જ્યારે પુસ્તકનાં સ્વરૂપે પ્રકાશીત કરાશે, ત્યારે લેખક આ કથાનકની રજૂઆતમાં કોઇ (અથવા કયા) ફેરફારો કરશે, તે જાણવામાટે રાહ જોઇએ.

Thursday, January 31, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧/૨૦૧૩


[મારી (વ્યસ્ત!?!?) પહેલી ઈન્નિંગ્સ દરમ્યાન પણ મને ગઇ સદીના ૫૦ થી ૭૦ના મધ્ય સુધીના દાયકાનાં (હિંદી ચિત્રપટનાં) ગીતો સાંભળવાનો મારો શોખ સક્રિયપણે જળવાયેલો રહ્યો હતો. ૨૦૦૯-૧૦ દરમ્યાન (અને પછીથી) ઇન્ટરનૅટ પરથી ડાઉનલૉડ કરીને મારા સંગ્રહમાં પણ ઘણો વધારો થતો રહ્યો છે. અત્યાર સુધીનાં અન્ય કોઇ પણ સાધનો - રેડીયો, રેકર્ડ્સ, કૅસૅટ્ટ્સ કે સી.ડી.- કરતાં આ સ્રોત દ્વારા બહુ જ અપ્રાપ્ય અને બહુ જ ઓછાં સાંભળવા મળતાં ગીતો સાથેનો સંબંધ ફરીથી જોડાતો ગયો છે.
જો કે, આ સમય સુધી પણ આ શોખ "સાંભળવા" ( અને કોઇ કોઇ વાર સમાન રસ ધરાવતાં લોકો સાથે અનૌપચારિક વાતચીત) સુધી  જ મર્યાદીત રહ્યો હતો. મારી "બીજી ઇનિંગ્સ"ની શરૂઆતથી જ આ ક્ષેત્રમાં કાર્યરત બ્લૉગ્સ અને વૅબ્સાઈટ્સની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. સહમી સહમી ટીપ્પણીઓનાં માધ્યમથી અર્ધ-સક્રિયતાની  પણ શરૂઆત થઇ. ધીમે ધીમે મારી ટીપ્પણીઓ વધારે વિગત અને વધારે અંગત અભિપ્રાયોને પણ આવરતી થતી ગઇ. આમ, ૨૦૧૨ના મધ્ય સુધીમાં, હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગને 'સાંભળવા"થી આગળ વધીને તે વિષે 'લખવા'નું પણ નિયમિત થયું, તેમ જ કોઇ ચોક્કસ ઉદ્દેશ્યપૂર્ણ પણ બનવા લાગ્યું.
૨૦૧૨ના અંત સુધીમાં તો પોતાની ખુબ જ આગવી શૈલિ અને પસંદથી  રજૂઆત કરતા, અને સક્રિયપણે કાર્યરત હોય એવા છ સાત બ્લૉગ્સ/સાઈટ્સનો હું નિયમિત મુલાકાતી બની ગયો. એ બ્લૉગ્સ કે સાઈટ્સ પરની મારી ટીપ્પણીઓ હવે વધારે વાચાળ અને નિયમીત પણ બની રહી.
આમ, હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગના વિષયના સંદર્ભમાં કાર્યરત બ્લૉગ્સ/સાઈટ્સ પરના લેખોને, બ્લૉગૉત્સવનાં સ્વરૂપે , એક જગ્યાએ લાવવાનો આ પ્રયાસ આ સફરનો એક સ્વાભાવિક પડાવ જ છે.
સામાન્ય રીતે, હું જે જે બ્લૉગ્સ/સાઈટ્સની મુલાકાત લઉં છું તે બધે જ, હિંદી ચિત્રપટના સુવર્ણ યુગનાં ગીતોને બહુ જ રસપૂર્વક પસંદ કરેલાં અને ખુબ જ અભિનવરીતે રજૂ કરેલાં જોવા, અને માણવા, મળે છે. તે ઉપરાંત, એ દરેક બ્લૉગ/સાઈટના નિયમિત વાચકો, તે દરેક લેખ પર પોતાના અભિપ્રાયો, માહિતિઓ અને દ્રષ્ટિકોણ વડે સક્રિય ગોષ્ઠીથી,  "ટીપ્પણી \Comments  હેઠળની રેખાને વધારે રસપ્રદ અને સમૃધ્ધ પણ કરે છે. એટલે મારી વિનંતિ છે કે આપ જ્યારે પણ અહીં રજૂ કરાયેલા બ્લૉગ કે સાઈટની મુલાકાત લો, ત્યારે માત્ર તે લેખ જ નહીં પણ "ટીપ્પણી\ Comments " માણવા માટે પૂરતો સમય ફાળવજો. આપના એ સમયનું વળતર તો આપને ખોબલે ભરીને મળશે તે ખાત્રી હું આપને જરૂરથી આપીશ.]
મારી આ સફરની શરૂઆત સોંગ્સ ઑફ યૉર\Songs of Yore (SoY)થી થઇ છે, એટલે આ બ્લૉગૉત્સવની શરૂઆત આપણે સ્વાભાવિક રીતે, SoYપરની ૨૦૧૩ની પહેલી પૉસ્ટ - 'મુબારક બેગમની સાથે એક સાંજ\An evening with Mubarak Begumથી  કરીએ. SoYએ મુબારક બેગમ પરના આ લેખ દ્વારા વહી જતી પેઢીને તો તેમનાં યાદગાર ગીતોથી એ સમયની એક અદ્‍ભૂત સફર કરાવી જ છે, પણ સાથે સાથે નવી પેઢીને પણ એ કાળ શા માટે હિંદી ચિત્રપટ સંગીતનો સુવર્ણ યુગ કહેવાયો હતો તે પણ સુમધુરપણે સમજાવ્યું છે.   SoYએ આ જ પ્રકારે, એ સમયે મળવું જોઇએ તેટલું માન કે પ્રસિધ્ધિ ન મળી હોય, અને આજે [લગભગ] ભુલાઇ ચુકેલાં અન્ય કેટલાક ગાયકો, જેવા કે
- સુમન કલ્યાણપુર - http://www.songsofyore.com/category/singers/suman-kalyanpur/    
- સુબીર સેન -  http://www.songsofyore.com/category/singers/subir-sen/        
- વિષેના લેખો વડે હિંદી ચિત્રપટ સંગીતની એવી જ અમૂલ્ય સેવા કરી છે.
SoY પર આ મહિને આપના આ લેખકનો લેખ - Multiple Version Songs (2): Both versions by male playback singers – Happy and A Sad Song - પણ જોવા મળે છે. હીદી ચિત્રપટ સંગીતમાં જેનો બહુ જ અસરકારકતા અને વૈવિધ્યતાપ્રચુર ઉપયોગ થયો છે તેવાં "એક ગીત- અનેક ગાયકો" શ્રેણીનો આ બીજો લેખ છે.
આ મહિને, આપણે જે બીજા બ્લૉગ્સને માણીશું, ત્યાં પણ હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગનાં તેટલાં જ રસપ્રદ અને માહિતિસભર પરિમાણને ઉજાગર થતાં જોઇ શકીશું.
Dusted Off એ આ વર્ષની શરૂઆત, એ કાળની, કોઇ અદમ્ય કારણોસર પ્રથમ હરોળમાં કાયમી સ્થાન ન જાળવી શકેલ, એક ખુબ જ પ્રતિભાવાન કલાકાર શકીલાને, તેમની જ ભાણેજ તસનીન ખાનના મહેમાન લેખ - Happy birthday, Shakila! - વડે  જન્મ દિવસની મુબારકબાદ પાઠવીને કરી છે. તસનીન ખાન, શકીલાનાં બહેન નુર અને એ સમયના સહુના ખુબ જ લાડલા જ્હૉની વૉકરનાં પુત્રી છે. આટલેથી જ ન અટકીને,   આપણને પોતાની પસંદનાં શકીલાના હોઠોથી ચિત્રપટને પરદે ગવાયેલાં દસ ગીતોની મિજલસ - Ten of my favourite Shakila songs - પણ કરાવી, શકીલાના ૭૮મા જન્મદિવસને ચાર ચાંદ લગાવી આપ્યા છે. એ ગીતો પૈકી   Hoon abhi main jawaan એ શકીલાની યાદનું, અને એ સમયનાં આ બધાં જ બેનમુન ગીતોનું, ચીરયૌવનનું કર્ણપ્રિય નઝરાણું કહીએ, તો જરા પણ અતિશયોક્તિ થઇ નહીં ગણાય.
 સામાન્યતઃ, Dusted Off ખુબ જ રસાળ અને વિગતપ્રચુર શૈલીમાં અંગ્રેજી અને હિંદી ફિલ્મોની સમીક્ષા  લખે છે. જાન્યુઆરી ૨૦૧૩ના અહીં પ્રકાશીત થયેલ સમીક્ષાઓ પૈકી Kohraa (1964)  પણ છે. આપણે અહીં તેનો ઉલ્લેખ એટલે સમાવ્યો છે કે તેમાં આપણે જે સમયનાં ગીતોની વાત કરી રહ્યાં છીએ, એવાં ગીતોની વાત પણ એ સમીક્ષામાં ખાસ નોંધ લઇને કરાઇ છે.  આ બે ગીતો,  Yeh nayan dare-dare અને Jhoom-jhoom dhalti raat,ને પહેલી પસંદ અને આ બે ગીતો, O beqaraar dil ho chuka hai  અને  Raah bani khud manzil.,ને તેના પછી પસંદની મહોર દ્વારા તે સમયનાં ચિત્રપટોમાં સંગીત, ખાસ કરીને ગીતો,ના પ્રભાવની આપણને જાણ થાય છે.
Harveypam's Blog પણ તે સમયની, બાલ્યાવસ્થાથી ફિલ્મ જગતમાં પ્રવેશી ચુકેલ અને નાયિકાથી માંડીને રૂપેરી પરદાની 'આદર્શ બહેન'ના યાદગાર પાઠ ભજવનાર અદાકારા, નંદા,નો જન્મદિવસ અનોખી રીતે યાદ કરે છે. તે સમયની અભિનેત્રીઓમાટે લતા મંગેશકર કે આશા ભોસલે સિવાય અન્ય પાર્શ્વગાયિકાઓનો કંઠ મળે તે બહુ જવલ્લે જ બનતું, ત્યારે નંદાને આવા આઠ કંઠમાં ગાવાનું થયું છે. આ લેખ પહેલાં Harveypam's Blog, In Remembrance, Nalini Jaywant  લેખમાં "નલીની જયવંત વડે ગવાયેલાં મનપસંદ ગીતો"ને રજૂ કરીને એક એવી અન્ય અદાકારાને યાદ કરી છે, જે તેના સમયે લોકપ્રિયતાની ટોચે પહોંચીને અચાનક જ ગુમનામીની ગર્તામાં ખોવાઇ ગયેલ હોય. [આ બધાં જ ગીતો ને એક સાથે આ લીસ્ટ પર માણી શકાશે.]. એ જ લેખની ટીપ્પણીઓમાં શ્રી સુબોધ અગ્રવાલ,"લાઇફ\LIFE " સામયિકના તે સમયના ખ્યાતનામ તસવીરકાર જૅમ્સ બર્ક દ્વારા અંકિત કરાયેલ, 'સિને પરદાની રાણીઓ' શ્રેણી હેઠળ અંકિત, નલીની જયવંતના 'અનોખા' તસવીર પરિચયને  યાદ કર્યો છે. જૅમ્સ બર્કે મધુબાલાની પણ આવી જ તસવીર ગાથા બનાવી હતી. આટલી તસવીરગાથાને આગળ ધપાવવા લેખકે વળી "૧૮૫૦થી શરૂ થતી તસવીરો\ pics dating from the 1850s" ની નોંધ પણ અહીં કરેલ છે.
અ ઉત્સવમાં આપણે હવે સામાન્યતં અંગ્રેજી, હિંદી અને દક્ષિણ ભારતીય ભાષાઓની ફિલ્મોની સમીક્ષા કરતા બ્લોગ "ચા પીતાં પીતાંની વાતચીત\Converstaion Over Chai પર ગીતોમાં ગ્રામ્ય દર્શન જોવા મળતું હોય તેવા નિયમને અધાર રાખીને પસંદ કરાયેલાં ગીતોના લેખ, My Favourites: Village Songs ને જોઇએ. આ લેખ - My Favourites: Village Songs-માં જ Harveypam's Blog પરપેસિફીસ્ટએ  કરેલ આ જ પ્રકારના લેખ - એક ગામની વાત \Pacifist’s Ek Gaon Ki Kahani (A village story) ના ઉલ્લેખને કારણે આપણને બેવડી મજાનો લાભ પણ માણવા મળશે. [આ ગીતોને આ લિસ્ટ પર એક સાથે માણી શકાશે.] બન્ને લેખ આપણને ગામડાનાં "ખેતરો, મેળાઓ, ફસલ-લણણીઓ,ઉત્સવ ઉજવણીઓ, ગામડાનાં બાળકો અને 'રસિયાઓ' અને ગામડાંની ગોરીઓ, ઘાસની ગંજીઓ, હળ-દાતરડાં અને એવાં કેટલાંય પાસાંઓ'નો ચિતાર આપે છે.
'શંકર-જયકીશન"ની યાદની શમાને જલતી રાખતી સાઈટ, Shankar- Jaikishan,પર, તેમની સાથે ગીતા દત્તે ગાયેલાં ગીતો, GEETA DUTT SINGS FOR SHANKAR JAIKISHAN, જોવા/સાંભળવા મળશે. ગીતા દત્ત અને શંકર-જયકીશનના સંયુક્ત ઉપક્રમનાં આ ગીતો, તે સમયનાં ગીતા દત્તનાં અન્ય સંગીતકારો સાથેનાં કે શંકર-જયકીશનના રફી, મુકેશ કે લતા સાથેનાં 'પ્રખર' ગીતોની ટક્કરમાં ખરાં ઉતરે છે.
'પગડંડી પરનાં નૃત્યો\Dances on the Footpath અને અતુલનું બોલીવુડનું રોજનું એક ગીત- ગીતના શબ્દદેહ સાથે\ atul's bollywood song a day- with full lyricsએ બન્ને સાઈટ્સની મુલાકાત તો ઘણી વિગતે જ શક્ય છે, તેથી અહીં કરવું પડતું વિહંગાવલોકન કદાચ અપૂરતું જણાશે.
Dances on the Footpathપર આ મહિને બે વિશિષ્ટ પૉસ્ટ જોવા મળે છેઃ
- '"મારાં (૧૯૪૮ની એક પસંદા ફિલ્મનાં) મનપસંદ 'તૂટે હુએ દિલ' ગીતો\My Favorite Broken-Heart Song of All (from a favorite film from 1948)એક એવું ગીત જ્યાં "દિલ તોડના" શબ્દના પ્રયોગ વિના જ દિલ તૂટે છે, અને
- લલિતા પવારને તેમનાં યુવાનીની 'કમનીય' નાયિકાની અદામાં રજૂ કરતી "૧૯૩૦ના દાયકાની મોહક લલિતા પવારનાં દ્રષ્યો અને ધ્વનિ\ Sights and sounds of a glamorous Lalita Pawar from the 1930s
atul's bollywood song a day- with full lyrics,નાં શિર્ષક પરથી જ કલ્પી શકાય કે આ સાઈટ પર તો બહુ વિશાળ સંખ્યામાં ગીતો રજૂ થતાં હશે. વધારે ખૂબીની વાત એ છે કે દરેક ગીત ખરેખર અનુઠું "છૂપું રત્ન\hidden gem  ' હોય છે. આ લેખ પ્રસિધ્ધ થતાં સુધીમાં એ સાઈટ પર, જાન્યુઆરી,૨૦૧૩માં  ૧૨૮ ગીતો પ્રસિધ્ધ થઇ ચૂક્યાં છે.
જેના પર એ મહિને મેં પહેલી જ વાર મુલાકાત લીધી હોય તેવા આ શ્રેણીના બ્લૉગ કે સાઈટનો પણ આપણે દરેક મહિને પરિચય કરીશું.
આ મહિને ની આવી મુલાકાત દરમ્યાન એક સ-રસ પૉસ્ટ -Bizarre stage shows in Bollywood - જોવા મળી. જો કે તેમાં દર્શાવેલાં ગીતો આ શ્રેણીના વ્યાપના પ્રમાણમાં "નવાં ગીતો'ની કક્ષામાં આવે, પણ આ વિષયની 'અનોખી અદા" ની મારકતા માણવાની મજા પડી ગઇ. એ ગીતોમાં  મંચ પર અવનવા અને અસામાન્ય નાચગાન કરતાં ગાયક/ નૃત્યકારનાં લટકાં મટકાં અને મચસજ્જા જોવા મળે છે.
[જેઓ એ એક એકથી ચડીયાતાં 'છુપાં રત્નોને વીડીયો કે નાં સ્વરૂપે ઈન્ટરનૅટ જગતમાં લાવીને જેમણે સદા-જીવંત કર્યાં છે તે સૌ નિસ્વાર્થ લોકોનો હું, આ તબક્કે, મારા વતી તેમજ હિંદી ફિલ્મ સંગીતના બધા જ ચાહકો વતી ખુબ આભાર માનું છું. તેમના અમૂલ્ય યોગદાનને કારણે આજે અનેક, ભાગ્યેજ સાંભળવા મળતાં, ગીતો, તેમનાં મુળ સ્વરૂપે, પ્રાપ્ત થઇ શક્યાં છે. એમને કારણે જૂની પેઢી તેમના એ સમયનાં સંભારણાંઓને વાગોળવાના અવસર મળી રહે છે, તો બીજે પક્ષે, નવી પેઢીને આ અમૂલ્ય વારસો, કોઇ પણ ભૌતિક સીમાઓમાં ન બંધાઇ રહીને, હાથવગો થઇ શક્યો છે.]