Sunday, September 29, 2013

"નિયતિનું સંતાન" - હરેશ ધોળકિયાની શ્રી કાંતિપ્રસાદ અંતાણી વિશેની ચરિત્રાત્મક નવલકથાનું વિમોચન

વડીલ શ્રી કાંતિભાઈ "પાસે બેસવું અદ્‍ભૂત લહાવો હતો. કલ્પ્નાતીત અને અગણિત અનુભવો હતા તેમની પાસે. કચ્છની જમીનના કણે કણને જાણે...... લોકોને અંગત રીતે ઓળખે, પાંચથીય વધારે દાયકાથી..... તે પોતે તો કચ્છના એન્સાઇક્લોપીડિયા! બધી જ માહિતિ કંઠસ્થ! ઉત્તમ નોંધો."
'નિયતિનું સંતાન' એક ચરિત્રાત્મક નવલકથાનાં સ્વરૂપમાં "વીસમી સદીના કચ્છના સ્વાતંત્ર્યસંગ્રામના અને પર્યાવરણના ઇતિહાસનુ દસ્તાવેજીકરણ છે.

અત્યાર સુધી ક્ચ્છ જિલ્લના નવ તાલુકાઓ અને ત્રણ અન્ય એમ બાર પુસ્તિકાઓ, શ્રી કાંતિપ્રસાદ અંતાણીનું જીવનચરિત્ર અને ગાંધીજીના પ્રભાવથી કચ્છમાં રાજા સામે જ ચળવળ થઇ તેનો નજરે જોનાર સાક્ષી તરીકેનો અહેવાલ એમ ૧૪ પુસ્તકોમાં શ્રી કાંતિપ્રસાદભાઈ પાસેની કચ્છના ઇતિહાસ અને તત્કાલીન સમાજની અમૂલ્ય માહિતિનું દસ્તાવેજીકરણ તો થયું જ છે.


"પરંતુ વિચારોના સ્વરૂપે જે સાહિત્ય રજૂ થાય તેનો એક બહુ નિશ્ચિત, અને કંઇક અંશે મર્યાદીત, વાચક વર્ગ હોય છે. વધુ લોકો સુધી આ ચરિત્ર અને માહિતી પહોંચી શકે તેવા આશયથી હરેશભાઇ ધોળકિયાએ આ ચરિત્રને નવલકથાનાં સ્વરૂપે મૂકવાના પ્રયોગનું ખેડાણ કરેલ છે.

આજે, તા. ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ ભૂજ (કચ્છ) મુકામે આયોજાયો છે.

પુસ્તકનો વિગતે પરિચય આપણે અહીં થોડા સમય બાદ કરીશું.

"નિયતિનું સંતાન" - ISBN : 978 – 81- 8480 -919 -0
લેખક - હરેશ ધોળકિયા
ન્યૂ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભૂજ કચ્છ ૩૭૦૦૦૧, ભારત
ફોનઃ +૯૧ ૨૮૩૨ ૨૨૭૯૪૬
ઇ-પત્રવ્યહારઃ dholakiahc@gmail.com
પ્રકાશકઃ  ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧, ભારત
વેબઃ http://www.gurjar.biz/
ઇ-પત્રવ્યવહારઃ goorjar@yahoo.com

Monday, September 23, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - સપ્ટેમ્બર, ૨૦૧૩



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં સપ્ટેમ્બર, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
વર્તમાન સંસ્કરણનો પ્રારંભ આપણે દેખીતી રીતે ગુણવત્તા સાથે ન સંકળાયેલાં દેખાતાં ક્ષેત્રોના લેખોથી કરીશું.
સહુથી પહેલાં લઇએ રીક બૉહનનો લેખ -Volleyball, Chess and the Successful Lean Implementation, જેમાં રમતગમતનાં જગતમાંથી આપણે ગુણવત્તા અને 'લીન' વિષે કેટલીક મહ્ત્વની વાતો શીખી શકીશું. "વલણોના અભ્યાસની મદદથી, જે કંઇ દેખાય છે તેનું શું અર્થઘટન કરવું અને તેની સાથે કઇ રીતે કામ પાડવું તે વિશે લોકો નક્કી કરતાં હોય છે.એ વલણોને જેટલાં સરળ સ્વરૂપે સમજણમાં મૂકી શકાય,તેટલું પ્રક્રિયાને નિયમનમાં રાખવું સહેલું.
આમ, 'લીન'નો પહેલો, પાયાનો, સિધ્ધાંત અહીં જોવા મળે છે - સહેલાઇથી જોઇ શકાય, સહેલાઇથી સમજી શકાય કે સહેલાઇથી પ્રતિસાદ આપી શકાય એ પ્રકારનાં કામ કે માલના પ્રવાહ કે માહિતીના પ્રવાહનાં સ્વરૂપનું ઘડતર કરીએ.
બીજું આપણને એ પણ ખયાલ આવે છે કે 5S કે દૃશ્યમાન ફૅક્ટરી (visual factory)જેવી સાવ સરળ જણાતી 'લીન'ના સિધ્ધાંતોની પહેલ માટે પણ જમકે વિરોધ શામાટે થાય છે. કર્મચારીઓએ તેમનાં કામનાં સ્થળોએ હજારો કલાકો કામ કરી કાઢ્યું હોય છે, અને તે કારણે તેઓને અમુક વલણો ગળે ઉતરી ગયાં હોય છે.આપણને જે અંધાધૂંધી દેખાતી હોય, તે તેમને બહુ સ્વાભાવિક પણ જણાતું હોય."
બીજા એક લેખ Standardisation and Climbing Laddersમાં, જૅમ્સ લૉથર સૂચવે છે કે કે પગથીયાં જ નહીં હોય, તો આગળ ચડવાની મહેનત કરવા લાયક કશું નહીં રહે, અને તેથી પછી ઊપર ચડવા માટે પણ કશું નહીં રહે.
પ્રક્રિયા સુધારણા પણ સીડી ચડવા બરાબર જ છે.
મહેનત કરવાને માટે પગથિયાંને બદલે અહીં માપદંડ છે. જો કામગીરીના માપદંડ નહીં બનાવ્યાં હોય, અને જો તેમને વપરાશમાં નહીં લેવાતાં હોય, તો આગળ વધવા માટે જરૂરી એવી મહેનત કરાવા લાયક જ કંઈ નહીં રહે, અને તો પછી ઉપર પણ ક્યાંથી વધાશે?
માપદંડ વગરની પ્રક્રિયા સુધારણા એ નદીના પ્રવાહ સામે તરવા જેવું છે .... નિરર્થક."
મનીવૉચ પર માઇકલ હૅસ્સ, તેમના લેખ Don't let burning bridges fall on youમાં નોંધે છે કે, “દરેક સારા વેપારીને ગુણવત્તા સભર સંબંધો બાંધવાનું મહત્વ ખબર જ હોય છે. પરંતુ અચરજની વાત એ છે કે, તેટલું મહત્વ સંબંધોના અંતની 'ગુણવત્તા' પર નથી અપાતું, જેને પરિણામે 'ખરાબ' રીતે ટૂટેલો સંબંધ લાંબા સમય સુધી અનેક રીતે કનડ્યા કરતો રહી શકે છે.
મોટા ભાગના વ્યાપારીક સંબંધો લાંબું નથી ટકતા - કર્મચારીઓ નોકરી બદલતાં રહે છે, ગાહકો આવે ને જાય છે, પુરવઠો પૂરો પાડનાર બદલતાં રહે છે.પણ ખાસ કરીને એક જ ઉદ્યોગમાં કે બહુ જ નાના સમુદાયોમાં, જે જાય છે તે પાછું પણ આવે છે, રસ્તા સામસામા ટકરાય પણ છે."
અને હવે જોઇએ ગુણવત્તા વ્યાવસાયિકોમાટે અન્ય ક્ષ્રેત્રમાંથી શીખવાની આ માસનાં સંસ્કરણની આખરી કડી - મૅકકીન્સી એન્ડ કંપની ઇન્સાઈટ્સનો લેખ How to make a city great,માં ભારપૂર્વક કહે છે કે "સફળ શહેરો સ્ફુર્તિલા વિકાસ, કાર્યક્ષમ સરકારો અને સહયોગ પર બંધાય છે. ૨૦૩૦ સુધીમાં વિશ્વની ૬૦%થી વધુ વસ્તી શહેરોમાં રહેતી હશે. આર્થિક વિકાસ માટે તે બહુ મોટી તક પરવડી શકે છે - જો શહેરો તેમનાં વિસ્તરણને દૂરંદેશી ડહાપણથી સંભાળી શકે તો. એ કેમ કરવું? નગરપતિઓને ખબર તો હોય છે કે તેમના કાર્યકાળ બહુ લાંબા નથી હોતા. પરંતુ જો લાંબા ગાળાનાં આયોજન સુનિયોજિતપણે રજૂ થયેલ હોય અને ટુંકા ગાળાની સફળતાઓને કારણે લોકોનો વ્યાપક ટેકો મેળવી શકાય તો તે સકારાત્મક ઉર્જા ધરાવતાં ચક્રવાતને પેદા કરી શકે છે, જે બહુ જ ઉચ્ચ ક્ક્ષાનાં શહેરી વાતાવરણને ટકાવી શકે છે તેમ જ સ્વચાલિત પ્રેરણા પણ પૂરી પાડી શકે છે."
ગુણવતા અને ગ્રાહકને જોડતી ભેદરેખા બહુ પાતળી છે. તેથી આપણે આ સંસ્કરણમાં આ વિષય પર બે 'નવા' સ્ત્રોતના લેખની મુલાકાત લઇશું.
જીમ ક્લૅમરનો લેખ Focus on Overall Customer Experience ગ્રાહકના અનુભવની વાત, 'ઑપરેશન સફળ રહ્યું, પરંતુ દર્દીને ન બચાવી શકાયું'વાળી ભાવનાને બહુ આગવી શૈલીમાં રજૂ કરે છે.

“ગ્રાહક સેવામાં સુધારણા અને તેનાં માપની વાત મોટે ભાગે, ગ્રાહકો સથેનાં બહુ મર્યાદીત આદાનપ્રદાન કે સેવા પ્રક્રિયાનાં બહુ મર્યાદીત ઘટકોને ધ્યાનમાં લઇ ને કરાતી હોય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે, ગ્રાહકના સમગ્ર સ્તરના અનુભવને સમજવાની કે સુધારવાની બાબત ખૂટતી હોય છે.
ગ્રાહકની સફરને સુધારવામાટે આ ચાર પગલાં ધ્યાન પર લેવાવાં જરૂરી છે:
૧. તેઓ કઇ સફરમાં ઉત્કૃષ્ટ થવા માગે છે
૨. તેઓ હાલ કયી પરિસ્થિતિમાં છે તેની ઊંડી સમજ
૩. ગ્રાહક સેવાને લગતાં વિવિધ પાસાંઓને આવરી લેતી પ્રક્રિયાનું ફેર-આલેખન અને તે દરેક સફરને પૂરેપૂરો ટેકો
૪. સાંસ્કૃતિક સુધારોને સંસ્થાગત કરીએ અને આ અંગેની બધી જ પહેલનો જુસ્સો બની રહે તે કક્ષાની સતત સુધારણાનો અભિગમ
લેખના અંતમાં મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે કે, "ગ્રાહકની એક સફરને ઇષ્ટતમ કરવી તે કાર્યકૌશલ્ય ગણી શકાય. જ્યારે સંસ્થાગત પ્રક્રિયાઓ, સંસ્કૃતિ અને દૃષ્ટિકોણને જ બદલવા તે વ્યૂહાત્મક અને રૂપાંતારાત્મક છે.તેને કારણે સંસ્થાનાં દરેક, નીચેથી માંડીને ઉપર સુધીનાં, ઘટક આવરી લેવાય છે; ઉત્સાહ, નવપરિવર્તન અને સતત સુધારણા બધાંનું કેન્દ્ર બની રહે છે. આ પ્રકારની સંસ્કૃતિ અન્ય કોઇ રીતે નથી ઘડી શકાતી. જે કંપનીઓ આમાં સફળ રહે છે તેઓ ખરા અર્થમાં વ્યૂહાત્મક સરસાઈ મેળવી રહે છે.""
જીમ બૅન્સનના 'ક્વૉલિટી ડાયજેસ્ટ'માંના લેખ, Understand Your Customersમાં 'ગ્રાહક' વિશેની સમજ ને વિશાળ ફલક પર રજૂ થતી જોઇ શકાશે. તેમનું કહેવું છે કે "આપણે કોના માટે કામ કરી રહ્યાં છીએ તે જ જો ખબર ન હોય, તો આપણે શું કરી રહ્યાં છીએ તે ક્યાંથી સમજાય."
પણ જો આપણને 'ખબર' છે તેમ માની લઇએ તો, ઝડપથી થઇ શકે એવી પાંચ પ્રવૃત્તિઓ તેઓ આપણને બતાવે છેઃ
• ગ્રાહકને શું જોઇએ છે તે અંગે એકદમ સ્પષ્ટતા હોવી જોઇએ. હા, દેખીતી રીતે તો બહુ સામાન્ય વાત લાગે છે,પણ યાદ કરી જૂઓ તો કે આવી સાદી પ્રારંભીક સમજણના અભાવે કેટલી વાર આપણે ફેર એકડો ઘુંટવો પડ્યો છે?
• આપણી થાળીમાં શું ઉપલબધ છે તે વિશે સ્પષ્ટતા હોવી જોઇએ.ગ્રાહકની જરૂરીયાત એ જ માત્ર મહત્વની વાત નથી, તે વિશે આપણાથી ખરેખર કેટલું બની શકશે તે પણ તેટલું જ મહત્વનું છે.
• બને એટલો વહેલો, અને બને એટલો વધારે વાર, ગ્રાહકનો પ્રતિભાવ મેળવતાં રહો. ગ્રાહક સાથે વચગાળાની પેદાશ, નિર્ધારીત અને ખરેખર સિધ્ધ કરી શકાયેલ પ્રગતિ અંગેની વાતચીત જેવી બાબતો પર પણ ઘ્યાન આપવું જોઇએ. સમયસરના વચગાળાના પ્રતિભાવ વડે, બન્ને પક્ષમાટે, છેલ્લી ઘડીનાં આશ્ચર્યો ટાળી શકાય છે.
• ઓછામાં ઓછું, અને ઇષ્ટતમ, આપવા લાયક શું છે તેની સમજ. ઓછામાં ઓછુંથી લઇને ઇષ્ટતમ આપવા લાયક સુધીની શક્યતાઓ આપણે સફળતા માટેનાં ફલકનો ચિતાર આપે છે. જો મહત્તમ આપવાની જ કોશીશ કરતાં રહીશું, તો ક્યારેક અપેક્ષાથી ઓછું આપી શકવાની પરિસ્થિતિમાં આવી પડવાની શક્યતા રહેલી છે.
• કામ એ એક સંબંધ પણ છે. દરેક કામ કામ કરનાર અને કામ સ્વીકારનાર વચ્ચેનો એક સંબંધ છે.બન્ને વચેનો સંવાદ (તે પણ ખાસ કરીને શક્ય તેટલો વહેલો) સંબંધને તો મજબૂત બનાવે છે જ, પણ સાથે સાથે જે કંઇ મળે છે તેનું મૂલ્ય પણ વધારે છે.
કામગીરી સંચાલનના વિષયને આપણે આ મચ પર હંમેશાં વિશિષ્ટ મહત્વ આપેલ છે.
બર્નાર્ડ માર્ર, તેમના લેખ The 75 KPIs Every Manager Needs To Knowમાં તેમને જે મહ્ત્વનાં અને માહિતિપ્રધાન લાગ્યાં તેવાં બધાં કામગીરી-માપણીનાં કોષ્ટક [Metrics] આવરી લે છે. કામગીરી સંચાલનની તંત્ર વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરવા માટે આ બહુ મહત્વના સંદર્ભની ગરજ સારશે.
“આ આખી યાદી પર નજર કરતાં પહેલાં હું એક મહત્વની નોંધ મૂકીશઃ આ બધાં, ૭૫, કામગીરી નિર્દેશાંકો [KPIs] ઉઠાવી ન લેશો. આપણે આટલાં જોઇતાં હોય તેવું જરૂરી નથી. પરંતુ આ નિર્દેશાંકોને સમજવાને પરિણામે, આપણને કયાં નિર્દેશાંકો વધુ ઉપયોગી થઇ શકશે તેનો અંદાજ મળી જશે. નિર્દેશાંકોની દરેક સ્તરે સ્વીકૃતિ થાય અને તેમનો કામગીરીનાં વિશ્લેષણ. અને તેના પરથી નિર્ણય પ્રક્રિયાને વધારે અસરકારક બનાવવા માટે ઉપયોગ થાય તે વધારે જરૂરી છે. એ કંઈ ઑફિસનાં ટેબલની પાછળ ભાત ભાતના આલેખનાં ચીતરામણ કરવા કે કોઇને ફોસલાવવા કે ધમકાવવા માટે નથી."
અને હવે આપણે દરેક સંસ્કરણના અંતમાં જે નિયમિત વિભાગોની મુલાકાત લઇએ છીએ તેની શરૂઆત કરીએ.
ગયાં સંસ્કરણમાં આપણે બોરવસ્કીએ રજૂ કરેલ પ્રશિક્ષણ પરનાં વૈશ્વિક અભ્યાસનાં તારણોની વાત કરી હતી.
આજનાં આ સસ્કરણમાં ASQના પ્રભાવકારી મિત્રો- Influential Voices -નો પ્રતિભાવ What’s the Value of Professional Training?માં જાણવા મળશે.
ASQ™ TV: Creating a Global View of Qualityની મુલાકાતમાં આપણને આ વખતે બે વૃતાંત જોવા મળશે:
ASQ TV Episode 7: Innovation and Quality
આ વૃતાંતનાં કેન્દ્રમાં નવપરિવર્તન એટલે શું અને ગુણવત્તામાં તેની શું ભૂમિકા છે તે દ્રષ્ટિકોણ છે. તેની સાથે ભારતની એક સંસ્થાએ નવોત્થાન સંચાલન મૉડેલના ઉપયોગથી નિષ્ફળતાને આરે ઉભેલ વ્યવસાયની રૂખ કેમ ફેરવી નાખી તે પણ જાણવા મળશે. નવોત્થાન સંચાલન ઘટનાચક્રવડે નવપરિવર્તનનાં ક્ષેત્રે હરણફાળ કેમ ભરી શકાય અને તેમાં આપણી ભૂમિકા શું હોઇ શકે તેની વાત પણ જોવા મળશે.
ASQ TV Episode 8: Lean
આ વૃતાંત ‘ઓછું એ વધારે કેમ છે’ તેની વાત છે! Lean [કસાયેલ] એટલે શું, Lean પરિયોજનાઓને કેમ કામે લગાડી શકાય, એક આપાતકાલીન સેવા કેન્દ્રએ તેની કાર્યક્ષમતા વધારવામાં lean સિધ્ધાંતોને શી રીતે ઉપયોગમાં લીધા, મૂલ્ય પ્રવાહની નકશી [Value Steram Mapping] નો એક મહત્વનાં lean સાધન તરીકે શો ઉપયોગ થઇ શકે અને આપણી ઘરેલુ જીંદગીને પણ વધારે સારી રીતે સુગઠીત કરવામાં lean શું ભાગ ભજવી શકે, આ બધું જ આ એક વૃતાંતમાં આવરી લેવાયું છે.તે ઉપરાંત Eurocross Assistance case study વિશે વાંચવા માટે asq.org/quality-engineering/2013/01/lean/quality-quandaries.pdf અને ગુણવત્તા પ્રક્રિયામાં મૂલ્ય પ્રવાહ નકશી માટે વધુ જાણવા માટે Quality Progressના લેખ http://asq.org/quality-progress/2006/06/lean/value-stream-mapping--an-introduction.htmlની મુલાકાત જરૂરથી લેશો.Lean and Six Sigma માટે વધારે માહિતી મેળવવા માટે http://asq.org/six-sigma/ની મુલાકાત લેજો.
આ મહિને આપણે ASQ's Influential Voicesના ડૉન બ્રૅકેનની મુલાકત લઇશું.
ASQ Fellow, ડૉન બ્રૅકૅન The Quality Advisor બ્લૉગ લખે છે. ડૉન ફૅરીસ સ્ટેટ યુનિવર્સિટીના મૅનૅજમૅન્ટ વિદ્યાશાખામાં પ્રાધ્યાપક છે તેમ જ સાઉથવેસ્ટ મિશિગન વ્યાપાર કાર્યક્રમના સલાહકાર છે. તેઓ વ્યાપાર સુધારણા ઑડીટર અને સલાહકાર તરીકે પણ કાર્યરત છે. તેઓની કામગીરીનાં વિશેષ ક્ષેત્રો ગુણવત્તા અગ્રેસરતા, સતત સુધારણા, કામગીરીને સંલગ્ન ક્રિયામૂલક શિક્ષણ અને વિકાસ, ગુણવત્તા તંત્રવ્યવસ્થાનો અમલ અને વ્યાપાર સુધારણા ઑડીટીંગ છે.
The Quality Advisor બ્લૉગ વડે ડૉન, પોતાના બધા જ વાંચકો સાથે તેઓ ગુણવત્તાના વિષય પરની પૉસ્ટદ્વારા સંપર્કમાં રહે છે. આખરે તો... "ગુણવત્તા આપણને બધાને સ્પર્શે તો છે જ; દરેક વ્યાપાર-ઉદ્યોગમાં, ઉત્પાદન હોય કે સેવાઓની વાત હોય, તેની હાજરી અનિવાર્ય છે. અને તેથી જ ગુણવત્તા આપણને બધાંને માટે મહત્વ ધરાવે છે!"
હવેથી આપણે દર મહિને ગુણવત્તા ક્ષેત્ર સાથે સંકળાયેલ કોઇ પણ એક રાષ્ટ્રીય કે આંતરરરાષ્ટ્રીય સંસ્થાની સાઈટની મુલાકાત કરીશું. જો સાઈટ પર બહુ જ માહિતી હશે, તો આપણી મુલાકાત એકથી વધારે સંસ્કરણ સુધી ફેલાઇ પણ શકે છે.
આપણે શરૂઆત કરીશું Quality Council of Indiaથી. આપણી મુલાકાતનું પ્રથમ સોપાન આ સંસ્થાનું ધ્યેય સૂત્ર છેઃ- “જીવન, કામ, પર્યાવરણ, ઉત્પાદનો અને સેવાઓના ક્ષ્રેતોમાં વ્યક્તિગત સ્તરે, સસ્થાગત સ્તરે તેઅમજ સામાજીક સમુદાયોના સ્તરે સમગ્ર ગુણવત્તા અને વિશ્વનીયતા પ્રાપ્ત કરવા અને ટકાવી રાખવામાં ભારત દેશને મદદરૂપ બનવું.”
આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે તેમનાં ૯મી ફેબ્રુઆરી ૨૦૦૭નાં રોજનાં પ્રાસંગિક વ્યકત્વ્યમાં આ સૂત્ર, તેમની આગવી શૈલીમાં, આ રીતે રજૂ કરેલ છે:
“દરેક માટે ગુણવત્તા સભર, મૂલ્ય તંત્ર નિષ્ઠ, જીવનને આવરી લેતા કુલ ઘરેલુ ઉત્પાદન આંક વડે હું દેશની સમૃધ્ધિના આંકની વ્યાખ્યા્ કરવાનું પસંદ કરીશ. દેશના દરેક નાગરિકને પૌષ્ટિક આહાર, સુઘડ રહેઠાણ, સ્વચ્છ વાતાવરણ, પોષાણક્ષમ આરોગ્ય સેવાઓ, મૂલ્ય નિષ્ઠ ગુણવતાવાળું શિક્ષણ અને ઉત્પાદક રોજગાર મળતાં રહે, જેના પરિણામે રાષ્ટ્રનો સર્વગ્રાહી ગુણવત્તસભર સંતુલિત વિકાસ થતો રહે……..” 

અને આ માસનાં આ સંસ્કરણના અંતમાં, હંમેશની જેમઃ
Management Improvement Carnival #199
ની મુલાકાત લઇશું.

Friday, August 30, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૮ /૨૦૧૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, ' /૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાનાં આ સંસ્કરણમાં હિંદી ફિલ્મમાં નૃત્યગીતો વિશે બહુ રસપ્રદ ફાલ આપણને જોવા મળશે. 
Dances on Footpathભારતની સ્વતંત્રતા પ્રાપ્તિના આ મહિનાને Ten Favorite Songs and/or Dances from The Year 1947  વડે યાદ કરે છે.
તે ઉપરાંત પોતાના બ્લૉગનાં મૂળ વિષયને સાર્થક કરે તેમ રાજકુમારીના અવાજમાં ગવાયેલ એકલ નૃત્યો , બે એક સુંદર યુગલ ગીતો, અરધાપરધા મુજરા અને શેરી નાટક જેવા, ૧૯૪૦ અને ૫૦ના દાયકાનાં નત્ય ગીતોને પણ, ‘Dances on Footpath  Five Favorite Dances to the Voice of Rajkumariમાં પ્રસ્તુત કરે છે.
Minai's Cinema Nritya Gharana,   તેમના Vyjayanthimala's Devadasi Dance in Piya Milan (Choreographed by V.S. Muthuswami Pillai) લેખમાં દેવદાસીની નૃત્ય શૈલીનાં આજા કહું કાના અને ભરતનાટ્યમ શૈલીનાં ચિત્તુર રાણી પદ્મિનીનાં, વૈજયંતીમાલા દ્વારા અભિનીત, વંશપરંપરાગત નૃત્ય જેમની સંસ્કૃતિ છે તેવા વી. એસ. મુથ્થુસ્વામી પિલ્લૈ દ્વારા નિર્દેશીત એવાં બે નૃત્યોની ચર્ચા કરે છે, અને આપણાં જેવાં બહુ શાસ્ત્રીય બાબતો ન સમજનારને પણ નૃત્ય ગીતોનો આનંદ માણવામાટેની સમજ તો પાડી જ રહે છે.
નૃત્ય વિશેની આપણી સફરમાં આપણે બહુ ઘણા સમયથી જેમાં ઇંઇ ઉમેરાયું નથી જણાતું એવા બ્લૉગ A Blog Of My Favourite Vintage Bollywood Stuff’ પર Some of my favourite song-dance combinationsમાં, હિંદી ફિલ્મ સંગીતના ઇતિહાસના 'પ્રાચિન કાળ' - ૧૯૫૦ પહેલાનાં દાયકાઓનાં- નૃત્યગીતોને માણી શકીશું.
મધુલિકા લિડ્ડલ, તેમના "ડસ્ટેડ ઑફ" પર વિષયોની વિવિધતા પર તો ક્યારેય ધૂળ એકઠી થવા નથી દેતાં. ગાયક-પાત્ર ગીતમાં "હું છું"ની  શબ્દબાંધણીમાં પોતાનાં નામને વણી લે તે વિષય પર, તેમના લેખ Ten of my favourite “I am -” songsમાં  મજેદાર ગીતોની સાથે સાથે 'કૉમેન્ટ્સ'માં પણ બીજાં ઘણાં ગીતોની મોજ કરાવે છે. 
'ડસ્ટેફ ઑફ' આ મહિનાના "લવ ઇન બોમ્બે"ના ફિલ્મ-રીવ્યુમાં, બે-ત્રણ કારણો સર ધ્યાન ખેચે છે - એક તો એ કે ફિલ્મ રજૂ થઇ ૨૦૧૩માં પણ તે બનાવાઇ હતી ૧૯૭૧માં અને ૧૯૭૪માં રજૂ થવાની હતી. પરંતુ તેના નાયક - નિર્માતા જોય મુખર્જીની તે સમયની નાણાંભીડને કારણે ફિલ્મ શીતાગારમાં જતી રહી હતી. બીજું એ કે આટલાં વર્ષો, જોય મુખ્રજી તેની બરાબર મરમ્મત કરાવતા રહ્યા અને આખરે જ્યારે તે પ્રસિધ્ધિને આરે હતી ત્યારે જોય મુખર્જીની આ દુનિયાના પડદા પરથી વિદાય થઇ ચૂકી હતી. અને ત્રીજું એ કે ફિલ્મમાં શંકર - જયકિશનનાં સ્વરબધ્ધ કરેલાં ગીતો છે. જોય મુખર્જીનાં 'લવ ઇન ટોકિયો'નાં બેગહ્દ સફળ ગીતોને પગલે શંકર-જ્યકિશન આ ફિલ્મને ન્યાય આપવાના હતા.આ છે એ ગીતો
શિલ્પી બોઝના તેમના પિતા, તરૂણ બોઝ,ની યાદને તાજી કરાવતા બ્લૉગ ‘Tarun Bose and The World of Cinema’ પર  આ વખતે ૧૯૬૫ની "ઊંચે લોગ"ની વાત રજૂ કરાઇ છે. મને તો ઊંચે લોગની યાદ સાથે મારા કૉલેજ કાળનાં પહેલાં વર્ષના વલ્લભ વિદ્યાનગર (આણંદ, ગુજરાત)ના દિવસો યાદ આવી જાય છે. દર બીજે કે ત્રીજે અઠવાડીયે આણંદનાં થીયેટરોમાં જે કોઇ નવી ફિલ્મ રજૂ થઇ હોય તેને શનિવારના રાતના શૉમાં જોવા માટે, આઠ-આનાનાં ભાડાંની સાઇકલની ડબલ સવારીએ, અમે હૉસ્ટેલના મિત્રો નીકળી પડતા. ઊંચે લોગ જોવામાં રસ તો અશોક કુમાર અને રાજ કુમારની અદાકારીની ટક્કરને કારણે જ હતો, પણ ફિલ્મ જોયા પછી તરૂણ બોઝની અદાકારી અને ચિત્રગુપ્તનાં ગીતો એ પણ અમાર્યં દિલ જીતી લીધાનું સ્મરણ એટલું જ તાજું છે. એ લાજવાબ ગીતો છેઃ જાગ દિલ-એ-દિવાના ( મોહમ્મદ રફી); આજા રે, મેરે પ્યારકે રાહી, રાહ નિહારૂં બડી દેરસે (મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર); હાય રે તેરે ચંચલ નૈનવા, કુછ બાત કરે રૂક જાયે (લતા મંગેશકર) અને કૈસી તૂને રીત રચી ભગવાન, પાપ કરે પાપી ભરે પુણ્યવાન (મન્ના ડે, આશા ભોસલે).
Coolone160ના Sadhana- an elegant and timeless actress  લેખમાં સાધનાની અદાકારીનાં વૈવિધ્યને ઉજાગર થતું જોવા મળે છે.
આજની આ સફરમાં આપણે બે બ્લૉગની પહેલી મુલાકાતનો લહાવો પણ માણીશું.
મુક્તાર શેખના My Vision of the Songsપરથી આપણે આ વખતે રુદાલી ફિલ્મનાં, ગુલ્ઝારે લખેલ, ભૂપેન હઝારીકાએ સવ્રબધ્ધ કરેલ, આશા ભોસલેના અવાજમાં ગવાયેલ SAMAY O DHEERE CHALOની મજા માણીશું. હવે પછીનાં સંસ્કરણોમાં આપણે અહીથી ઘણી રસપ્રદ સામગ્રી મળતી રહેશે.
બહુ સમય થી ભલે તાજી સામગ્રી ઉમેરાઇ ન હોય પણ A lovely Mohammed Rafi - Suraiya duet from Sanam (1951) and My favourite Rafi songsનાં રૂપમાં A Blog Of My Favourite Vintage Bollywood Stuff’ની મુલાકાત તો મનને તર કરી જ દે છે.
૨૦મી ઑગસ્ટ અવિનાશા વ્યાસની પુણ્યયતિથિ હતી. તે નિમિત્તે ગુજરાતીમાં અવિનાશ વ્યાસનાં હિંદી ફિલ્મ ગીતો  અને Songs of Yoreપર મહેમાન લેખના સ્વરૂપે, અંગ્રેજીમાંForgotten Composers Unforgettable Melodies (8): Avinash Vyas  લેખ કર્યા. SoY પર તો, ત્યાંનાં બહુશ્રુત સક્રિય વાચકોએ કૉમેન્ટ્સમાં પણ અવિનાશ વ્યાસનાં બીજાં અનેક યાદગાર હિંદી ગીતોને યાદ કર્યાં છે.
Songs of Yore પર ૧૯૫૩નાં શ્રેષ્ઠ ગીતો પરના શીર્ષ લેખ પર તો વાંચકોની બહુજ વિશદ, રસપ્રદ અને માહિતિસભર ચર્ચાઓ થઇ રહ્યા પછી હવે, SoYના સર્જક શ્રી'એકે'ની વિચક્ષણ સમાપનની મજા માણવાનો પ્રારંભ, Best songs of 1953: Wrap Up 1 લેખથી થઇ ચૂક્યો છે. જો કે આપણે તો એ સમીક્ષાને સર્વગ્રાહી સ્વરૂપે એક જ સંસ્કરણમાં, આ મંચ પર માણીશું.

હિંદી ફિલ્મના સુવર્ણ યુગનાં ગીતો પર તો અનેક વિધ ચર્ચાઓ થતી જ હશે.... તમે પણ એ ચર્ચાઓને ખોળી, અને આ મંચ પર રજૂ કરવામાં મદદ કરશો ને?........

Saturday, August 24, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - ઑગસ્ટ, ૨૦૧૩



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં ઑગસ્ટ, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
થોડા થોડા સમયે કેટલીક પાયાની સમજણો અને સિધ્ધાંતોની ફેર-મુલાકાત લેતા રહેવું જોઇએ. તે સમય દરમ્યાન થયેલા આપણા અનુભવોને કારણે બદલાયેલી આપણી વિચારસરણીને પરિણામે,પાયાની વાતોનાં અર્થઘટનમાં શું ફેર પડ્યો છે, તેની સાથે તાલ મિલાવતાં રહેવું જોઇએ. અને વિચારસરણીમાં, કે અર્થઘટનમાં, કોઇ જ ફરક ન પડ્યો હોય, તો તે ખુદ એક સ્વતંત્રપણે વિચાર માગી લે તેવી બાબત બની રહે છે.
આ માસનાં બ્લૉગૉત્સવ સંસ્કરણની શરૂઆત ગુણવતાની એક મહત્વની મૂળ કડી - આઇઝૉ ૯૦૦૧-ને લગતા કેટલાક પાયાના મુદ્દાઓની વાતથી કરીશું.
પ્રક્રિયા, કાર્ય પધ્ધતિ અને કાર્ય સૂચના વચ્ચે તફાવત, તેમાં આવરી લેવાયેલ સામગ્રીની ઊંડાઇ અને વિસ્તારનો છે. સંસ્થાગત અને / અથવા ગુણવત્તા સંચાલન તેમ જ અન્ય સંચાલનતંત્ર સાથેનાં અન્ય જોડાણો, હેતુ, વ્યાપ, માપણીનાં પરિમાણો, જવાબદારીઓ અને અધિકારો જેવા મુખ્ય મુદ્દાઓને, વિશાળ કેન્વાસ પર આવરી લેતાં બૃહદ ચિત્રને 'પ્રક્રિયા' રજૂ કરે છે. કાર્ય પધ્ધતિ એ બધાં ઘટકોનું, વધારે ઊંડાઇએ લઇ જતું, વિગતવાર દસ્તાવેજીકરણ છે.જ્યારે કાર્ય સુચના તો તે પૈકી, જવાબદારીઓની વહેંચણી, હેતુઓ, કામ કરવાની રીત જેવી કોઇ પણ એક પ્રવૃત્તિને સાવ નજદીકથી જૂએ છે, અને તે અંગે કામ કરવાની તબક્કાવાર સૂચનાઓનો દસ્તાવેજ છે. કાર્ય સુચના, નામને અનુરૂપ કાર્ય કરવાઓની સુચનાઓ જ છે, તેથી ISO 9001 clause 7.5.1 work instructions લેખ, આઇઝૉની કલમ ૭.૫.૧માં 'કાર્ય સૂચના'નો સમાવેશ શા માટે નથી કરાયો તેની ચર્ચા કરે છે.
તે જ રીતે, તેટલા જ પાયાના અને એટલાજ રસપ્રદ અને બહુ ચર્ચિત વિષય - પ્રશિક્ષણ-બાબતે પણ આપણે કેટલાક લેખ જોઇશું.
ASQની ગુણવત્તાની વૌશ્વિક પરિસ્થિતિ પરનાં એક સંશોધનનો આધાર લઇને ગુણવત્તાની વૈશ્વિક પરિસ્થિતિ - વ્યાવસાયિક પ્રશિક્ષણ\ Global State of Quality: Professional Training માં કેટલાં રસપ્રદ વિશ્લેષણો અને તારણો જોવા મળે છે:
# “જે સંસ્થાઓમાં કોઇ વરિષ્ઠ અધિકારી ગુણવત્તા સંચાલન કરી રહેલ હોય તેની સરખામણીમાં જે સંસ્થાઓમાં ગુણવતા પ્રક્રિયાનું નિયંત્રણ કેન્દ્રસ્થ સમુદાય વડે કરવામાં આવતું હોય, તેમાં ત્યાંના કર્મચારીઓને ગુણવતા અંગેનું પ્રશિક્ષણ અપાતું હોય તેવી શક્યતાઓ ૩૦% વધારે જોવા માળે છે."
અને
# સંશોધન વડે એમ જોવા મળે છે, મોટા ભાગની સંસ્થાઓમાં, ગુણવત્તા સાથે સીધી રીતે સંકળાયેલાં કર્મચારીઓને, બહુ જ મર્યાદીત અવકાશના વિષયો વિશે જ આ પ્રશિક્ષણ કાર્યકમમાં આવરી લેવાતાં હોય છે. બહુ જ ગણી ગાંઠી સંસ્થાઓ દરેક ક્ષેત્રનાં કર્મચારીઓને વ્યાપક વિષયો પર પ્રશિક્ષણ આપતી જોવા મળે છે.
આમ થવાનું કારણ, કર્મચારીઓનાં સંસ્થા સાથે એક રસ થવાનાં પ્રોત્સાહક પરિબળ તરી કે નહીં તો કમ સે કમ પ્રશિક્ષણને કર્મચારીઓનો પોતાનાં કામમાં રસ ટકાવી રાખવાનાં પ્રેત્સાહક પરિબળ રૂપે જોવાને બદલે આઇઝૉ ૯૦૦૧ની પ્રશિક્ષણની જરૂરીયાતની પૂર્તતા કરવાના સાધન તરીકે તો જોવામાં આવતું હોય તેમ તો નહીં હોય ને?
બહુ જ ખુશી સાથે સંસ્થામાં ટકી રહેલાં કર્મચારી, અને તેમનાં કામ અને સંસ્થાપ્રત્યેની તેમની સ્વૈચ્છીક તદ્રુપતા, ઉત્પાદનો કે સેવાઓ કે ગ્રાહક સંભાળ કે અન્ય હિતધારકોનાં હીતની સંભાળ કે કાર્યસ્થળ પર જરૂરી એવાં પ્રેરક વાતાવરણની જાળવણી જેવાં ગુણવત્તાનાં અનેક સ્વરુપોને નીખારવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે.
આ વિષયને ચરિતાર્થ કરતા ટીમ મૅક્મોહનના લેખ-The Worst Waste of All: Lack of Employee Involvementમાંના બે કથનો જ લેખનાં વસ્તુ - "આપણે નહિં કરી શકીએ તેમ માનવું એ સહુથી ખરાબ પ્રકારનો વ્યય છે, કારણકે તેને કારણે અન્ય, વધારે જાણીતા વ્યયને પણ પહોંચી વળવામાં પણ અંતરાય જ પેદા થાય છે"- ને સ્પષ્ટ કરી આપે છેઃ "આપણે કંઇક કરી જ શકીશું અથવા તો કંઇ નહીં કરી શકીએ એમ કંઇ પણ વિચારીશું તો તેમ જ થઇને રહેશે" (હેન્રી ફૉર્ડ) અને “ન તો બહુ ખુશ થતી હોય કે ન તો બહુ દુઃખી, તેવી હાર અને જીતના સંધ્યાકાળમાં ખોવાયેલ વ્યક્તિઓની હરોળમાં ઊભા રહેવા કરતાં, થોડી ઘણી અસફળતાઓમાં રંગાઇને પણ મોટીમસ વસ્તુઓ કરવાની હામ ભીડવી કે મહા યુધ્ધો જીતવામાટેની કમર કસવી તે વધારે ઇચ્છનીય છે.(થીયૉડર રૂઝવેલ્ટ).
આ જ વાતને નીકૉલ રૅડઝીવીલ તેમનાં બ્લૉગ Quality and Innovationમાં, સામાજીક-તકનીકી તંત્રમાં ગુણવત્તા અને ઉત્પાદકતાની ખોજને ચાલુ રાખતાં રાખતાં, મૅક્ષનાં રેસ્તરાંમાં, ગુણવત્તાના માપદંડોને કર્મચારીઓ અને ગ્રાહકની વચ્ચેની સહભાગી મેળવણી વડે "એક વિશિષ્ઠ ગુણવત્તાનીષ્ઠ અભિગમ'નું જીવંત ઉદાહરણ રજૂ કર્યું છે.
કર્મચારીઓનાં સંસ્થા સાથેના લગાવની વાતની સાથે 'મુંબઇના ડબ્બાવાળા' - સંસ્થા તરીકે અને વ્યક્તિ તેમ જ કાર્યકર્તા તરીકે- યાદ આવ્યા વગર ન રહે. સ્લાઈડ શૅર પર શોધતાં બહુ જ માહિતીપ્રદ પ્રેઝન્ટેશન જોવા મળે છે. તેમાંથી મને, Targetseo ના પ્રવીણ સોલંકીએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન -The Wonder of Mumbai Dabbawalas - મને પસંદ પડ્યું હતું.
ગુણવત્તા વ્યાવસાયિકોને થશે કે આજનાં ગુણવતાને લગતા વિષયમાં વળી લોકો વિશે આટલી બધી વાત કેમ કરી રહ્યાં છીએ. આ શંકાનાં સમાધાન પેટે, આવો તન્મય વોરાના તેમના બ્લૉગ QAspire પરનો લેખ, SHRM Top 20 Indian HR Influencers Active on Social Media 2013, જોઇએ. પરિવર્તન લાવનારાંઓ માટે, પ્રભાવનાં વર્તુળો બનાવવાના મહત્વના પડકારની વાત, સામાજીક માધ્યમોના ઉપયોગના સંદર્ભમાં, તેમણે આ લેખમાં કહી છે.તે સાથે તેઓ નિશ્ચિતપણે માને છે કે ઉત્કૃષ્ટતા એ લોકોને પૂરી પાડેલી શ્રેષ્ઠ દોરવણીની આડપેદાશ છે, અને તે સંદર્ભમાં દરેક ગુણવત્તા વ્યાવસાયિક એ માનવ સંસાધન સંચાલક તો છે જ.તેઓ આ બાબતે આગળ કહે છે કે સંસ્થામાં ઉત્કૃષ્ટતાનુ વાતવરણ બનાવવાની જવાબદારી માત્ર માનવ સંસાધન વિભાગની જ નહીં, પરંતુ તે તો દરેકનું ઉત્તરદાયીત્વ છે. અને આ વાતની સાહેદી તરીકે તેમને વર્ષ ૨૦૧૩ માટે પણ "સામાજિક માધ્યમો પર કાર્યરત ભારતના ૨૦ સર્વોચ્ચ માનવ સંસાધન પ્રભાવકો"ની યાદીમા ત્રીજું સ્થાન પુરસ્કૃત થયું છે. શ્રી તન્મય વોરાને મળેલું આ સન્માન, સહુ ગુણવત્તા વ્યાવસાયિકાઓ માટે ગર્વ લેવા લાયક ઘટના છે, આ પ્રસંગે આપ સહુ વતી, અને મારા વતી, તન્મય વોરાને, તેમની આ ઊંડાણપૂર્વકની મૂળભૂત માન્યતાને, વ્યવહારમાં અસરકારક રીતે અમલ કરી શકવા બદલ, આપણે હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ.
ગુણવત્તા વિચારધારાની સાથે સુસંગત એવી એક વધારે પાયાની વાત - આપણને જે જોઇતું હોય, તે બીજાં સાથે વહેંચીએ - ડૅન રૉકવેલ How to Get What You Want માં રજૂ કરે છે.
આપણાં 'સાથી' ક્ષેત્રોમાંથી કેટલાક બીજા પણ રસપ્રદ લેખ આપણી આ સંસ્કરણમાં માણીએ.
Marketing driven or Market driven?માં સૅથ ગૉડીન તેમની આગવી લાઘવ સભર શૈલીમાં જણાવે છે કે વેચાણ,માલિકીઅંશધારકો સાથેના સંબંધો, ઉત્પાદને કે સેવાઓને લગતી કામગીરી કે ટેક્નૉલૉજી જેવાં પાસાંઓને મહ્ત્વ મળતું હોય તેવી સંસ્થાઓ તો જોવા મળે. ક્યાંક સાથે કર્મચારીની ખુશીને પણ મહ્ત્વ મળતું હોય. જો કે એવી સંસ્થાઓ તો થોડી જોવા મળશે. આ બધા જ કિસ્સાઓમાં બજાર-ઉન્મુખતાનો વિકલ્પ તો હંમેશાં ઉપલબ્ધ રહેતો જ હોય છે. અને તે માટે સહુથી પહેલું કામ તો છે, (યોગ્ય) બજાર નક્કી કરવું અને શોધવું.... "
અંદરના છેલ્લાં પડ સુધી રંગાયેલ ગુણવત્તા વ્યાવસાયિક પણ ખરા અર્થમાં અપનાવાયેલ ગ્રાહક-ઉન્મુખતાને પરિણામે હંમેશાં બની રહેતી વ્યૂહાત્મક સરસાઇના ફાયદાને તો સ્વિકારે જ છે.
The most MEANINGFUL competitive advantageમાં રાજેશ સેટ્ટી કાળજી લેવાની ક્ષમતાનાં ખરાં ધોરણ અપનાવાની વાત ભારપૂર્વક કહે છે, કારણ કે બહુ બધાં લોકો તો આ બાબતે દેખાવ જ કરતાં રહેતાં હોય છે.
(કાળજી લેવાની ક્ષમતા)ની વાત આપણને HCL ટેક્નૉલૉજીના વિનીત નાયરના લેખ -Three Differences Between Managers and Leaders - માં પણ જોવા મળે છે. અહીં તેઓ એ એવી ત્રણ લાક્ષણિકતાઓ વર્ણવી છે, જે ગુણવતા ક્ષેત્ર સહિતના કોઇ પણ સંચાલકનાં 'મેનેજર'માંથી 'લીડર' થઇ ચૂક્યાની કસોટી સ્વરૂપ ગણી શકાય:
§ મૂલ્ય ગણત્રી વિ. મૂલ્ય સર્જન
§ સત્તાનાં વર્તુળ વિ. પ્રભાવનાં વર્તુળ
§ કામની વ્યવસ્થા વિ. લોકોને દોરવણી
જે. બી. સ્ટૅમ્પીંગ, ક્લીવલૅન્ડના ગુણવત્તા નિયામક માર્ક નૅટ્ઝૅલે લિંક્ડ ઈન પર સ્પેસ શટલ ચૅલૅન્જરના અકસ્માત વિશેનાં રાષ્ટ્રપતિ આયોગના અહેવાલને "વર્ષો પહેલાં થયેલા એક અકસ્માતનાં મૂળ કારણ વિશ્લેષણનાં એક અનુકરણીય ઉદાહરણ" તરીકે સૂચવે છે. એ સાઈટની મુલાકતા લેવાથી આપણને આયોગની કાર્યવાહીનો વિગતવાર અહેવાલની સાથે Actions to Implement the Recommendations અને IMPLEMENTATION OF THE RECOMMENDATIONS પણ જોવા મળે છે.
અને હવે, આપણે આ સંસ્કરણના અંતની શરૂઆત હવે નિયમીત કરાયેલા વિભાગોથી કરીએ.
ASQ TV વૃતાંત ૬ -પ્રમાણીકરણો \ Certificationsમાં ભૂતપૂર્વ અધ્યક્ષ જીમ રૂની વ્યાવસાયિક પ્રમાણીકરણનાં મૂલ્યની સમજણ પાડે છે અને જણાવે છે કે તે અન્ય પ્રમાણપત્રોથી શી રીતે અલગ છે. યોગ્ય પ્રમાણીકરણ શી રીતે પસંદ કરવું તેની પણ ચર્ચા આ વૃતાંતમાં જોવા મળશે. અત્યાર સુધીના કેટલાંક પ્રમાણીકરણ-ધારકો પણ, તેમના અભિપ્રાય મુજબ ,આ પ્રમાણીકરણોએ તેમની કારકીર્દીમાં ભજવેલ મહત્વની ભૂમિકા તેમ જ પરીક્ષા માટે કરવાની ખાઅસ તૈયારીઓ વિશે ચર્ચા કરે છે.
ASQ's Influential Voicesમાં, આપણે આ મહિને ASQના મુખ્ય પ્રબંધક અધિકારી પૉલ બોરવ્સ્કીના બ્લૉગ, A View from the Qની મુલાકાત લઇશું. જે રીતે બ્લૉગનું શિર્ષક જ સૂચવે છે તેમ ગુણવત્તા વિષય પરની ચર્ચાઓ અને પ્રવાહોનું આ બ્લૉગ જન્મસ્થાન કહી શકાય. વૈશ્વિક ગુણવત્તા સમુદાયને આ ચર્ચાઓમાં આવરી લેવાતા હોય છે, તેથી ગુણવત્તાની સમગ્ર વિશ્વ પર જે કંઇ અસરો થઇ રહી હોય, તેનાં પ્રતિબિંબ અહીં ઝીલાય છે.
ASQના મુખ્ય પ્રબંધક હોવાને નાતે, પૉલ બોરવ્સ્કીનાં પ્રગતિશીલ સંચાલન વિચારધારાનો પ્રભાવ વિશ્વના ગુણવત્તા બાબતે ઉત્સુક અને વિચારશીલ સમુદાય પણ પડતો રહે છે.
તેમની આ ભૂમિકામાં બોરવ્સ્કી, ASQનાં મેક્સિકો, ચીન અને ભારતનાં કાર્યાલયો સહિત સંસ્થાના વૈશ્વિક વિકાસની વ્યૂહ રચનાઓ ઘડે પણ છે, અને તેના અમલની દેખરેખ પણ કરે છે. RABQSA International અને ANSI-ASQ National Accreditation board પણ ASQ પરિવારનાં મહત્વનાં અંગ છે.
યુરૉપીયન સમુદાયમાટેનાં તેમનાં યોગદાન પેટે European Organization for Qualityએ તેમને વર્ષ ૨૦૦૬નો બૉરેલ પદક પણ એનાયત કરેલ છે.ક્વૉલીટી ડાયજેસ્ટ સામયિકે તેમને વર્ષ ૨૦૦પમાં "ગુણવત્તા ક્ષેત્રના વિશ્વના સહુથી અધિક પ્રભાવશાળી વ્યક્તિઓ પૈકી એક" તરીકે બહુમાન કરેલ છે.
ગુણવત્તા માટે પૉલનો પોતાનો જુસ્સો પણ પોતાની ઑફિસની દિવાલાને અલંકૃત કરતાં સૂત્રોથી ઘણો આગળ વહી રહ્યો છે.હવે પછીના નવા વિચારની ખોજમાં રહેતાં લોકોમાંથી પૉલ તેમની પોતાની ઊર્જા અને ઉત્સાહ મેળવતા રહે છે અને તેમ કરીને જીવનનાં બધાં જ પાસાંઓમાં ગુણવત્તાને આવરી લેવા પ્રયત્નશીલ રહે છે.જ્ઞાનનો જ્યાં વિકાસ થતો હોય અને પોતાનાં ભવિષ્યનાં સર્જન માટે જ્યાં લોકો એકબીજાં સાથે સહયોગ કરતાં હોય છે એ વાતાવરણમાં પૉલ નીખરી ઊઠે છે.
આ લેખમાં પ્રશિક્ષણની ચર્ચા દરમ્યાન આપણે બોરવ્સ્કીના બ્લૉગની એક બાજુને તો જોઇ ચૂક્યાં છીએ.અહીં આપણે એમના બ્લોગની અન્ય બાજુઓને જોઇએઃ
ચર્ચાઃ ગુણવત્તા વ્યાવસાયિકો સામાજીક માધ્યોમોનો કેમ અને શી રીતે ઉપયોગ કરે છે - સામાન્ય રીતે ગુણવત્તા વ્યાવસાયિકો સામાજીક માધ્યમોનો વ્યવસ્યાનાં માળખાંનાં ગઠનમાં ઉપયોગ કરતાં હોય તેમ નથી માનવામાં આવતું.પરંતુ ASQનાં પ્રભાવકારી અભિપ્રાય સ્વરૂપ બ્લૉગર્સના મંત્વય મુજબ, મોટા ભાગનાં વ્યાવસાયિકો એમ જ કરે છેઅને બ્લોગ ઉપરાંત સામાજીક માધ્યમોનો પણ બહુ જ ઉપયોગ કરે છે.
અને હવે આ સંસ્કરણનું સમાપન કરીએ
Management Improvement Carnival #198 થી.
આ સંસ્કરણમાં આને આપણા મૂળભૂત વિષયને સાથી ક્ષેત્રોનાં લેખમાં થતા સીધા કે આડકતરા ઉલેખની મદદથી જોયો છે.
આપને આપ્રકારના દ્રષ્ટિકોણથી પસંદ કરેલા લેખ આ મચ પર વાંચવાનું પસંદ પડશે?