Sunday, August 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૮ /૨૦૧૪ - ભાગ : ૧



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૮ /૨૦૧૪ 'બ્લૉગૉત્સવ સંસ્કરણ - ભાગ : ૧માં આપનું સ્વાગત છે.
૩૧ જુલાઇ મોહમ્મદ રફીનાં અવસાનની તિથિ છે. તેથી આ મહિના બ્લૉગ કાર્નીવલનું આ આખું સંસ્કરણ આપણે મોહમ્મદ રફીની યાદમાં પ્રકાશિત થયેલ લેખોને સમર્પિત કરીશું.
આ વર્ષે એ દિવસે આપણા નિયમિત સાથી બે બ્લૉગ પર મોહમ્મદ રફી પરના, પૂરેપૂરા અને અલગ પ્રકારના જ  ત્રણ લેખ પ્રકાશિત થયા છે. તે જ રીતે બે લેખ ભૂતકાળની સંદુકમાંથી મળી આવ્યા છે. આમ કુલ પાંચ લેખનાં ગીતોની વ્યક્તિગત નોંધ આજે આપણે લઇશું. દરેક  લેખ અને તેમના પરની ચર્ચાઓમાં મોહમ્મદ રફીનાં ગાયનની વિવિધ પહલૂંઓ જોવા મળશે. તેથી આપણે દરેક લેખની ટુંક નોંધ લેવાની આપણી સામાન્ય રીતને બદલે, આ વખતે જે લેખોની સાથે વાચકોએ પણ ચર્ચામાં એવાં જ રસપ્રદ ગીતોની વાત કરી છે, તેવાં ગીતોને પણ મૂળ લેખનાં ગીતોની સાથે જ સમાવ્યાં છે.  તે સિવાયના ભૂતકાળના અન્ય લેખોની આપણે માત્ર નોંધ જ લઇશું.
આપણી સહુ પ્રથમ મુલાકાત છે - The Legends: Mohammed Rafi.
અહીં વર્ષવાર ઉતરતા  ક્રમમાં અલગ અલગ સંગીતકાર વડે સ્વરબદ્ધ થયેલાં ગીતોની ચર્ચા કરાઇ છે. આપણે એ ગીતોની સાથે ચર્ચામાં અન્ય વાચકોની પસંદના જ એગીતો રજૂ થયાં છે તેમને પણ સાથે લઇ લીધાં છે.
વર્ષ : ૧૯૪૭
સી. રામચંદ્ર

સાજન

વર્ષ : ૧૯૪૯
નૌશાદ

દુલારી 

વર્ષ : ૧૯૫૪
ગુલામ મોહમ્મદ 

મિર્ઝા ગાલિબ

હુસ્નલાલ ભગતરામ

શમા પરવાના

વર્ષ : ૧૯૫૬
શંકર જયકિશન 

બસંત બહાર 

ઓ પી નય્યર  

છૂમંતર       

વર્ષ : ૧૯૫૭
હંસરાજ બહેલ 

ચંગેઝખાન   

ઓ પી નય્યર 

તુમ સા નહીં દેખા 

ઓ પી નય્યર 

નયા દૌર     

દત્તારામ       

અબ દિલ્લી દૂર નહીં 

વર્ષઃ ૧૯૫૮
સલીલ ચૌધરી  

મધુમતી   

એસ ડી બર્મન   

કાલા પાની 

વર્ષઃ ૧૯૫૯
ઉષા ખન્ના  

દિલ દે કે દેખો 

વર્ષઃ ૧૯૬૦
એસ એન ત્રિપાઠી

લાલ કિલ્લા

રવી     

ચૌદહવીં કા ચાંદ 

એસ ડી બર્મન

બંબઇ કા બાબુ

ઇકબાલ કુરેશી  

બિંદીયા 

વર્ષ : ૧૯૬૧
ખય્યામ  

શોલા ઔર શબનમ   

નૌશાદ  

ગંગા જમુના     

એન દત્તા 

કાલા સમુંદર  

સલીલ ચૌધરી 

માયા

વર્ષ : ૧૯૬૨
રોશન   

વલ્લાહ ક્યા બાત હૈ     

એસ ડી બર્મન   

બાત એક રાત કી

વર્ષ : ૧૯૬૩
એસ ડી બર્મન   

તેરે ઘર હે સામને

પંડિત રવિ શંકર 

ગો દાન

લક્ષ્મીકાંત પ્યારેલાલ

પારસમણિ 

એન દત્તા   

ગ્યારહ હઝાર લડકિયાં

                      



વર્ષ : ૧૯૬૪
રોશન   

ચિત્રલેખા   

કલ્યાણજી આણંદજી 

ઈશારા

ઇકબાલ કુરેશી  

ચા ચા ચા

મદન મોહન 

હકીકત

સી અર્જુન   

પુનરમિલન   

મદન મોહન

શરાબી

જયદેવ 

હમ દોનો

એસ ડી બર્મન

ઝીદ્દી 

વર્ષઃ ૧૯૬૫
રવિ   

કાજલ  


ચિત્રગુપ્ત

આકાશદીપ

ઓ પી નય્યર

મેરે સનમ

શંકર જયકિશન    

રાજ હઠ  

જી એસ કોહલી

એડવેન્ચર ઑફ રોબિનહુડ   
વર્ષ : ૧૯૬૬
મદન મોહન 

દુલ્હન એક રાત કી    

ઓ પી નય્યર

બહારેં ફિર ભી આયેગી 

આર ડી બર્મન   

તીસરી મંઝિલ   

ઉષા ખન્ના   

શબનમ 

ચિત્રગુપ્ત    

ઊંચે લોગ   

વર્ષ : ૧૯૬૭
લક્ષ્મીકાંત પ્યારેલાલ  
છૈલા બાબુ   

આર ડી બર્મન      

બહારોં કે સપને      

વર્ષ : ૧૯૬૮
લ્ક્ષ્મીકાંત પ્યારેલાલ  

મેરે હમદમ મરે દોસ્ત 

રોશન   

અનોખી રાત   

વર્ષ : ૧૯૭૭
ખય્યામ  

શંકર હુસૈન  

આવો બીજો લેખ છે Rafi’s duets by SD Burman.
મોહમ્મદ રફીનાં એસ ડી બર્મનનાં સંગીતમાં સ્ત્રી અને પુરૂષ યુગલ / ત્રિપુટી ગીતો મળીને કુલ ૩૯ ગીતો થયાં છે. જે પૈકી,
૧૯૫૭ પહેલાં  - લતા મંગેશક્ર સાથે ૧, ગીતા દત્ત સાથે ૪ એમ કુલ ૫ યુગલ ગીતો છે.
૧૯૫૭ થી ૧૯૬૭ દરમ્યાન -  લતા મંગેશકર સાથે ૬, ગીતા દત્ત સાથે ૫, આશા ભોસલે સાથે ૧૧ અને કમલા સિસ્તા સાથે ૧ એમ કુલ ૨૯ ગીતો છે.
૧૯૬૭ પછી -  લતા મંગેશકર સાથે ૪, આશા ભોસલે સાથે ૧ એમ કુલ ૫ ગીતો છે.
સમગ્રપણે લતા માંગેશકાર સાથે ૧૧ યુગલ ગીતો, આશા ભોસલે સાથે ૧૮ યુગલ ગીતો, ગીતા દત્ત સાથે ૯ , કમલ સીસ્તા સાથે ૧ અને એસ ડી બાતિશ ને સુમન કલ્યાણપુર સાથે ૧ ત્રિપુટી ગીત મોહમ્મદ રફીએ સચીન દેવ બર્મનનાં સંગીતમાં ગાયાં છે.
ફિલ્મ 'સઝા'નું શમશાદ બેગમ સાથેનું રજૂ ન થયેલું  યુગલ ગીત અહીં ગણત્રીમાં નથી લીધું.
મૂળ લેખમાં રજૂ થયેલ અને વાચકોએ પોતાની ચર્ચામાં શામેલ કરેલ બધાં જ ગીતો ને સહગાયક પ્રમાણે અહીં ફેરગોઠવેલાં છે.

લતા મંગેશકર સાથે
આંસુ

હુસ્નલાલ ભગતરામ


૧૯૫૩
માયા

સલીલ ચૌધરી


૧૯૬૧
પિયા મિલનકી આસ

ચિત્રગુપ્ત 


૧૯૬૧
દિલ તેરા દિવાના

શંકર જયકિશન


૧૯૬૨
આશા ભોસલે સાથે
બનારસી ઠગ

ઇકબાલ કુરેશી


૧૯૬૨
ફિર વહી દિલ લાયા હૂં

ઓ પી નય્યર


૧૯૬૩
ચા ચા ચા 

ઇકબાલ કુરેશી


૧૯૬૪
કાશ્મીરકી કલી

ઓ પી નય્યર


૧૯૬૪
તૂ હી મેરી ઝિંદગી

રોનો મુખર્જી


૧૯૬૫
ગીતા દત્ત સાથે
આર પાર

ઓ પી નય્યર


૧૯૫૪
મી. એન્ડ મિ. ૫૫

ઓ પી નય્યર


૧૯૫૫
બડે સરકાર

ઓ પી નય્યર


૧૯૫૭
૧૨ ઓ'ક્લોક

ઓ પી નય્યર


૧૯૫૮
નૂર જહાન સાથે
જુગનુ

ફીરોઝ નિઝામી


૧૯૪૭
શમશાદ બેગમ સાથે
ચાંદની રાત

નૌશાદ


૧૯૪૯



સિંદબાદ ધ સેલર

ચિત્રગુપ્ત


૧૯૫૨
સાવન

હંસરાજ બહેલ


૧૯૫૯
રેલકા ડીબ્બા     

ગુલામ મોહમ્મદ


૧૯૫૩
આગ

રામ ગાંગુલી 


૧૯૪૮
સુરૈયા સાથે
દાસ્તાન

નૌશાદ


૧૯૫૦
શમા પરવાના

ગુલામ મોહમ્મદ


૧૯૫૪
સુમન કલ્યાણપુર સાથે
બ્લેક કૅટ

એન દત્તા


૧૯૫૯
શગુન

ખય્યામ 


૧૯૬૪
જી ચાહતા હૈ

કલ્યાણજી આણંદજી


૧૯૬૪
ભીગી રાત

રોશન


૧૯૬૫
મુહબ્બત ઇસકો કહતે હૈં

ખય્યામ


૧૯૬૫
સુધા મલ્હોત્રા સાથે
ડીટેક્ટીવ

મુકુલ રોય


૧૯૫૮
લલિતા દેઓલકર સાથે
સાજન

સી. રામચંદ્ર


૧૯૪૭
આરતી મુખરજી સાથે
બોય ફ્રેન્ડ

શંકર જયકિશન


૧૯૬૧
ઉષા ખન્ના સાથે
ડાકુ મંગલ સિંહ 

ઉષા ખન્ના


૧૯૬૬
તલત મહમૂદ  સાથે
સુશીલા

સી અર્જુન


૧૯૬૬
કિશોર કુમાર સાથે
અકલમંદ

ઓ પી નય્યર


૧૯૬૬
ચુપકે ચુપકે 

એસ ડી બર્મન  


૧૯૭૫
મન્ના ડે સાથે
પરવરીશ

દત્તારામ 


૧૯૫૮
સચાઇ

શંકર જયકિશન


૧૯૬૯
                                                
        



                                                
         



મુકેશ સાથે
દો જાસૂસ

રવિન્દ્ર જૈન


૧૯૭૫
ચીતળકર સાથે
સગાઇ

સી રામચન્દ્ર


૧૯૫૧
એસ ડી બાતિશ સાથે
ચાંદ કી દુનિયા

એસ ડી બાતિશ 


૧૯૫૯
આજનાં આ સંસ્કરણને જો એક લેખના જ સ્વરૂપે રહેવા દઇએ તો લેખ બહુ લાંબો થઇ જાય તેમ છે.
તેથી અન્ય કેટલીક સાઇટ્સ પર ભૂતકાળમાં પ્રકાશિત થયેલા લેખોની નોંધ લઇને આપણે મધ્યાંતર વિરામ પાડીશું

§  Mohammad Rafi acting in Jugnu & Laila Majnu..Tera Jalwa jisne Dekha

§  Suhaana Safar with Annu Kapoor

મધ્યાંતર પછીનો બીજો ભાગ પાછળ પાછળ જ આવી રહ્યો છે........

























































































































Saturday, August 30, 2014

હિંદી ફિલ્મ સંગીતનાં અનોખાં ભાઇ-બહેન : અનિલ બિશ્વાસનાં સંગીત નિર્દેશન હેઠળ પારૂલ ઘોષનાં ગીતો

અનિલ બિશ્વાસ જન્મ શતાબ્દી વર્ષમાં - પારૂલ ઘોષનો સ્વર, અનિલદાનાં સંગીતમાં
clip_image001પારૂલ ઘોષનો જન્મ સંગીતપ્રેમી માતાની કૂખે, અનિલ બિશ્વાસના જન્મ પછી બે વર્ષે, ૧૯૧૬માં, થયો હતો. અનિલ બિશ્વાસે જે રીતે ફિલ્મ સંગીત પર એક અમીટ છાપ છોડી, એ દૃષ્ટિએ એમ કહી શકાય કે બંને ભાઇ બહેનને સંગીતના સંસ્કાર તો ગળથૂથીમાંથી જ મળ્યા હતા. વિખ્યાત વાંસળીવાદક પન્નાલાલ ઘોષ સાથે લગ્ન થવાને કારણે સંગીત સાથેનો તેમનો નાતો લગ્ન પછી પણ ચાલુ રહ્યો.
કલકત્તાનાં ન્યુ થીયેટર્સ દ્વારા તેમનો ફિલ્મ જગતમાં પ્રવેશ થયો. 'ધુપ છાંવ (૧૯૩૫)નાં રાયચંદ (આર સી) બોરાલનાં સંગીતમાં ફિલ્મ સંગીતનાં પહેલાં રેકોર્ડ થયેલાં પાર્શ્વગીત - મૈં ખુશ હોના ચાહૂં - તેમણે સુપ્રોભા સરકાર અને હરિમતી દુઆ સાથે ગાયું હતું. આટલાં જોરદાર આગમનના પ્રમાણમાં તેમની શરૂઆતની કારકીર્દી કંઇક અંશે ધીમી રહી એમ કહી શકાય. અનિલ બિશ્વાસનો સાથ થયા પછી તેઓ મુખ્ય ધારાનાં ગાયિકા તરીકે પ્રસ્થાપિત થઇ ગયાં. લતા મંગેશકર સિવાયની પાર્શ્વગાયિકાઓમાં પારૂલ ઘોષે અનિલ બિશ્વાસનાં સહુથી વધારે ગીતો ગાયાં છે. ફિલ્મ 'આંદોલન' (૧૯૫૧)માં મન્ના ડે અને સુધા મલ્હોત્રા સાથેનું ગીત 'વંદે માતરમ' તેનું આખરી ગીત ગણાય છે.
૧૩ ઑગસ્ટ ૧૯૭૭ના રોજ લાંબી બિમારી બાદ તેમનું મુંબઇ માં નિધન થયું.
અનિલ બિશ્વાસનાં સંગીતમાં પારૂલ ઘોષે ગાયેલાં ગીતો વડે તેમને આપણી અંજલિ સમર્પિત કરીએ.
૧. તુમકો મુબારક હો ઊંચે મહલ યે, હમકો હૈ પ્યારી હમારી ગલિયાં - બસંત (૧૯૪૨) - ગીતકાર : પી એલ સંતોષી
clip_image003
'બસંત'ના પ્રોડ્યુસર નેશનલ સ્ટુડિયો સાથેના કરારની ગુંચને કારણે, ફિલ્મના સંગીતકાર તરીકે ચોપડે પન્નાલાલ ઘોષનું નામ ચડેલ છે.
૨. ઉમ્મીદ ઉનસે ક્યા થી ઔર કર વો ક્યા રહેં હૈ - બસંત (૧૯૪૨) - ગીતકાર : પી એલ સંતોષી
'આયે થે ઇશ્ક બનકર, અશ્ક બનકર ચલે ગયે વો' જેવા બહુ જ અર્થપૂર્ણ, કાવ્યમય, શબ્દો એ સમયનાં ગીતોની આગવી ઓળખ હતી.
૩. પપીહા રે મોરે પિયા સે કહિયો જા - કિસ્મત (૧૯૪૩) - ગીતકાર : પ્રદીપ
કાયદાની દૃષ્ટિએ અનિલ બિશ્વાસ - પારૂલ ઘોષનાં સહકાર્યનું પહેલું ચરણ 'કિસ્મત' ગણી શકાય. જો કે આ એક ગીત સિવાયનાં આ ફિલ્મનાં બધાં જ ગીત અમીરબાઇ કર્ણાટકીએ ગાયેલ છે. એ સમયે એક જ થિયેટરમાં સળંગ ત્રણ વર્ષ સુધી ચાલવાનો રેકર્ડ પણ 'કિસ્મત'ને અંકે છે, જે પછીથી લગભગ ૩૦ વર્ષ બાદ 'શોલે'એ તોડ્યો હતો.
૪. મૈં ઉનકી બન જાઉં રે - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
આ ફિલ્મમાં સુરૈયાએ પોતાનાં ગીતો ગાયાં હતાં, તેથી પારૂલ ઘોષનો સ્વર પરદા પર દેવિકા રાણીએ અભિનિત કર્યો હશે.
અય બાદ-એ-સબા ઇઠલાતી તો ન આ - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
નરેન્દ્ર શર્માની ખ્યાતિ હિંદી ભાષાના કવિ તરીકેની રહી છે, પણ આ ગીતમાં તેમની ઉર્દુ પરની ફાવટ કંઇ કમ હોય તેમ જણાતું નથી.
૬. હમસે ક્યા પૂછતે હો દર્દ કહાં હોતા હૈ - લેડી ડૉક્ટર (૧૯૪૪) – ગીતકાર :વલી સાહેબ
ગીતની રજૂઆતમાં કેવી તાજગી અનુભવાય છે !
૭. મોરે આંગનમેં છીડકી ચાંદની, ઘર આ જા સનમ - જ્વાર ભાટા (૧૯૪૪) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
સાજનને ઘર આવવાનાં ઇજનને કેટ કેટલાં કારણોથી સજાવેલ છે..
૮. ભૂલ જાના ચાહતી હું,ભૂલ પાતી નહીં - જ્વાર ભાટા (૧૯૪૪) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
પોતાના પ્રિતમને ન ભૂલી શકવાની વ્યથા પારૂલ ઘોષ કેટલી લાગણીથી રજૂ કરી શક્યાં છે...
૯. જિસને બનાયી બાંસુરી ગીત ઉસીકે ગાયે જા - મિલન (૧૯૪૬) - ગીતકાર : આરઝૂ લખનવી
જેટલું માધુર્ય અનિલ બિશ્વાસનાં સંગીતના સૂરમાં છે તેટલો જ ભાવ પારૂલ ઘોષના સ્વરમાં પણ છલકે છે.
૧૦. મૈં કિસકી લાજ નિભાઉં - મિલન (૧૯૪૬) - ગીતકાર : આરઝૂ લખનવી
'મિલન'નાં ગીતો ભાઇ-બહેનનાં સહકાર્યની ચરમ સીમા સ્પર્શતાં જણાય છે.
૧૧. સુહાની બેરિયાં બીતી જાય - મિલન (૧૯૪૬) - ગીતકાર : પી એલ સંતોષી
clip_image005

વેગુ પર પ્રકાશીત કર્યા તારીખઃ ૩૦ ઑગસ્ટ, ૨૦૧૪

Wednesday, August 27, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઑગસ્ટ, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઑગસ્ટ, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ પહેલાં આપણે બિન-સંવાદિતા / બિન-અનુપાલનનો વિષય પસંદ કરેલ. માર્ચ ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે “બિન સંવાદિતા” વિષે, એપ્રિલ ૨૦૧૪ના અંકમાં “બિનઅનુપાલન વિષે મે ૨૦૧૪ના અંકમાં "સવાદિતા'વિષે, જૂન ૨૦૧૪ ના અંકમાં 'અનુપાલન'ની અને જુલાઇ ૨૦૧૪ના અંકમાં આપણે એ બધાંની ગુણવત્તા સંચાલનના સંદર્ભે વાત કરી હતી.

એક વાર બિન-અનુપાલન (કે બિન-સંવાદીતા) નક્કી થયા પછી બિન-અનુપાલન (કે બિન-સંવાદિતા)ની એ સ્થિતિમાંથી બહાર આવવાનું પગલું લેવાનું થાય. ગુણવત્તા સંચાલનની પરિભાષામાં એ પગલું સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે.

આ મહિનાનાં સંસ્કરણમાં આપણે સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિ વિષે વિગતે વાત કરીશું.

સુધારો અને સુધારાત્મક પ્રવૃત્તિ\Correction versus Corrective Action
ખબર પડ્યા પછીનાં બિન-અનુપાલનને ઠીક કરવું એ 'સુધારો' કર્યો કહેવાય. જ્યારે એ બિન-અનુપાલન માટેનું કારણ ફરીથી ન થાય તે માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે 'સુધારાત્મક પ્રવૃત્તિ' છે.
આ માટે વધારે માહિતી માટેના લેખ માટે
સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ\ Corrective vs. Preventive Action - રસ વેસ્ટકૉટ્ટ
[ISO 9001]ની કલમ 8.5.2માં જણાવ્યા મુજબ સુધારાત્મક પ્રવૃત્તિને પરિણામે બિન-અનુપાલન માટેનું કારણ દૂર કરીને તે ફરીથી થવાની સંભવાના દૂર થાય છે, અને કલમ 8.5.3 મુજબ નિવારણ પ્રવૃત્તિને પરિણામે બિન-અનુપાલન માટેનાં સંભવિત કારણને જ પહેલેથી ખોળી કાઢીને દૂર કરવામાં આવે છે જેથી બિન-અનુપાલનની ઘટનાને નિવારી શકાય.

જેને પરિણામે બહુ મોટું નુકસાન ન થાય હોય તેવી બિન-અનુપાલનની છુટપુટ ઘટનાને સમાન્ય સુધારા વડે નિપટાવી શકાય. આવાં પગલાંની વિધિપુરઃસરની નોંધ ન લેવાય તો પણ ચાલે. જ્યારે સારૂં એવું નુકસાન થવાનાં જોખમને અનુરૂપ બિન-અનુપાલનની ઘટના બને ત્યારે તે ઘટના થવા માટેનાં કારણને ખોળી અને દૂર કરવા માટે થતી પ્રવૃત્તિઓ સુધારાત્મક પ્રવૃત્તિ કહેવાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓની વિધિપુરઃસરની દસ્તાવેજી નોંધ રખાવી જ જોઇએ. નિવારણ પ્રવૃત્તિઓ એ સુધારાઓ માટેની એવી પ્રવૃત્તિઓ છે જેને કારણે બિન-અનુપાલનની ઘટના થયા પહેલાં નિવારવામાં આવે છે.આ પ્રવૃત્તિઓની પણ નોંધ રખાવી જ જોઇએ. વિકાસશીલ સુધારાની પ્રવૃત્તિ એ વ્યૂહાત્મક ઉદ્દેશ્યોના સંદર્ભમાં નવી પ્રક્રિયા કે ઉત્પાદનનાં પૂર્વનિશ્ચિત આયોજન કે અમલ વિષેની (એક પ્રકારની) નિવારણ પ્રવૃતિ છે.
સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ \ Corrective and preventive action (CAPA, also called corrective action / preventive action, or simply corrective action) સંસ્થામાં બિન-અનુપાલન કે એવી કોઇ અન્ય અનિચ્છનીય પરિસ્થિતિઓનાં કારણો દૂર કરવાની પ્રવૃત્તિ છે. ઉત્પાદનની સારી પ્રથા (GMP)અને અનેક ISO માનકોમાં તે સ્વીકૃત સિદ્ધાંત છે. ખોળી ચૂકાયેલ સમસ્યાઓ કે જોખમોનાં મૂળ કારણોની તપાસ તેનાં કેન્દ્રસ્થાને છે, જેથી કરીને તે પરિસ્થિતિઓ ફરીથી પેદા ન થાય (સુધારાત્મક પ્રવૃત્તિ) કે તે પરિસ્થિતિઓને નિવારી શકાય (નિવારણ પ્રવૃત્તિઓ). ગ્રાહકની ફરિયાદો કે હદ બહારનાં ઉત્પાદનને લગતાં બિન-અનુપાલન પરિણામો, આંતરિક ઑડીટ સમયે જોવા મળેલ અસંગતતાઓ કે ઉત્પાદન કે પ્રક્રિયાઓ પરની આંકડાકીય ગુણવત્તા નિયમન (SPC) પ્રકારની દેખરેખ સમયે નજરે પડેલ પ્રતિકુળ કે અસ્થાયી વલણો જેવી પરિસ્થિતિઓનાં નીરાકરણ માટે સુધારાત્મક પ્રવૃત્તિઓ મહત્ત્વનાં સાધનો બની રહે છે. જ્યારે બિન-અનુપાલનનાં સંભવિત કારણોને પહેલેથી જ દૂર કરવાના સંદર્ભમાં નિવારણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
અસફળ પરિણામોનાં મૂળભૂત કારણોની પદ્ધતિસરની તપાસ સુધારાત્મક અને નિવારણ પ્રવૃત્તિઓના અસરકારક અમલ માટે બહુ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

સુધારાત્મક પ્રવૃત્તિની યોજના શું છે ? - વ્યાખ્યા, પધ્ધતિઓ અને ઉદાહરણો \ What is a Corrective Action Plan? - Definition, Procedures & Examples - કંપનીના ઉદ્દેશ્યોને વધારે સારી રીતે સિદ્ધ કરવા માટે કોઇ એક ચોક્કસ પરિસ્થ્તિમાં શું ફેરફાર કરવો જોઇએ તેનું વર્ણન સુધારાત્મક પ્રવૃત્તિની યોજનામાં આવરી લેવાયેલ રહે છે.

સુધારાત્મક પ્રવૃત્તિની દેખરેખ \ Monitoring corrective action - (મૂળ લેખમાં દર્શાવેલ) કોષ્ટકમાં ઇલેક્ટ્રોલક્ષમાં જ્યારે પણ પુરવઠાની સાંકળમાં બિન-અનુપાલનની પરિસ્થિતિઓ જોવા મળે ત્યારે લેવાતાં પગલાંઓ દર્શાવાયાં છે. તારણોને ગંભીરતાના હિસાબે સ્વીકાર્ય તારણોથી માંડીને 'બિલકુલ નહીં ચાલે' જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કરી નાખવામાં આવે છે.

સુધારાત્મક પ્રવૃત્તિનો પડકાર \Corrective Action Challenge - સમસ્યા-નિરાકરણની ખડતલ પ્રક્રિયા કેમ કરીને ઘડવી ? - આર.ડૅન રૈડ
ISOનાં તકનીકી માનક (TS) 16949નાં દુનિયાભરનાં પ્રમાણીકરણ ઑડીટનાં સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે સુધારાત્મક પ્રવૃત્તિની કલમ 8.5.2 મહત્ત્વનાં બિન-અનુપાલન માટે સહુથી વધારે ઉલ્લેખવામાં આવી છે. ગૌણ બિન-અનુપાલન કિસ્સાઓમાં તેનું સ્થાન આઠમું રહ્યું છે.
ISO 9001ની જરૂરીયાતો ઉપરાંત ISO/TS 16949 આ કલમ માટે નીચે મુજબની વધારાની જરૂરિયાતો સૂચવે છે:
  • સમસ્યા નિરાકરણ.
  • ભૂલ ફેરતપાસ અને સુધારા.
  • સુધારાત્મક પ્રવૃત્તિનો પ્રભાવ.
  • રદ્દ ઉત્પાદનોની કસોટીઓ અને વિશ્લેષણ.

ISO/TS 16949ની કલમ Clause 8.5.2.1 મુજબ સંસ્થા પાસે 'સમસ્યા નિવારણની સુનિશ્ચિત પ્રક્રિયા હોવી જોઇએ જે મૂળભૂત કારણને ખોળી અને તેને દૂર કરી શકે.
અસરકારક સુધારાત્મક પ્રવૃત્તિ યોજનાનું લખાણ \ Writing an Effective Corrective Action Plan
પહેલું પગલું : સમસ્યા કે કચાશ તેમજ તેને સંબંધિત મૂળભૂત કારણનું સ્પષ્ટ કથન.

બીજું પગલું : સુધારાત્મક પ્રવૃત્તિનાં પરિણામો માટે ઉત્તરદેય વ્યક્તિઓની યાદી

ત્રીજું પગલું : મૂળભૂત કારણને સ્પર્શતાં સરળ, માપી શકાય તેવા ઉકેલ.

ચોથું પગલું : દરેક ઉકેલ માટે ઉત્તરદેય વ્યક્તિ.

પાંચમું પગલું : દરેક ઉકેલ માટે સિદ્ધ થઇ શકે તેવી સમય મર્યાદા.

છઠ્ઠું પગલું : યોજનાની પ્રગતિની દેખરેખ.
સુધાર, સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ જેવા બહુ ચર્ચિત, અનેક પાસાંઓ વાળા વિષયને બ્લૉગોત્સવ જેવા એક લેખમાં પૂરેપૂરો ન્યાય આપવો શકય નથી. તેથી આટલી પ્રાથમિક ચર્ચા બાદ આજના આ સંસ્કરણમાં આપણે આ વિષય પર થોડો વધારે પ્રકાશ ફેંકતા કેટલાક અન્ય, નમુના સ્વરૂપ, લેખની નોંધ લઇશું:
આ સાથે હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ નજર કરીએ
ASQ Influential Voicesના બ્લૉગીંગ સભ્યોએ બ્લોગ લખવાના અને સામાજિક માધયમોના ઉપયોગના ફાયદાઓ તેમ જ જેમને પણ આ બાબતે રસ હોય તેમણે ક્યાંથી શરૂઆત કરવી તે વિષે પોતાના વિચારો Learning About Social Media With ASQ Bloggers માં જણાવ્યા છે. આ વિષે વધારે ઊંડાણથી જાણવા માટે Quality Progressના જુલાઇ મહિનાના અંકમાં “Blog Boom” લેખ વાંચવો જોઇશે. આ લેખમાં ASQ Influential Voicesના ડૅન ઝ્રીમિયાક, જેનીફર સ્ટેપનીઓવસ્કી, માર્ક ગ્રૅબન, જિમેના કાલ્ફા અને જોહ્ન હન્ટર પોતાના વિચારો લંબાણથી રજૂ કરે છે.

ઉત્કૃષ્ટતાનાં વાતાવરણની સ્થાપના : અરૂણ હરીહરન સાથે ચર્ચા \Establishing a Culture of Excellence: A Conversation With Arun Hariharan માં સતત સુધારણાને અનુકુળ વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં મળેલા મુખ્ય બોધપાઠની વાત કરાઇ છે.

જુલાઇ ૨૦૧૪ના Blogger Round Upમાં દૂરંદેશીનું પ્રયોજન શું છે ? \ What’s the Purpose of Vision?ની ચર્ચામાં ASQ’s Influential Voicesના બ્લૉગમિત્રો વોલ્વો અને આઈકીઆમાં સંસ્થાના ઉદ્દેશ્ય ની સિદ્ધિ અને સ્પષ્ટીકરણમાં કેન્દ્રીય વિચારધારાનાં મહત્ત્વ વિષે પૂછાયેલ સવાલના પ્રતિભાવ કહ્યા છે.

અને હવે આપણે ASQ TV ના Quality in Athletics તરફ ધ્યાન કરીએ, જેમાં ગુણવત્તા, ખેલકૂદ અને વ્યાયામ અને સ્વાસ્થ્ય સજ્જતા વચ્ચેની કડીને સમીક્ષા કરાઇ છે.
સંલ્ગન વિડીઓ:
ISO 9001 સૉકર ટીમને દરેક ક્ષેત્રે સુધાર લાવવામાં મદદરૂપ થયેલ છે \ISO 9001 Helps Soccer Team Improve All-Around - મેક્ષીકન ફુટબૉલ ફેડરેશનની ટીમ Monarcas Morelia સાવ છેવાડાના ક્રમે રહેતી હતી, અને તેથી ખોટ પણ કરતી હતી. ગુણવત્તા સંચાલન તંત્રના અમલ અને ISO 9001 પ્રમાણિત થવાથી તેની કામગીરીમાં જે ફેર આવ્યો તે અંગે આ વિડીયોમાં વર્ણવાયેલ વાત ઉપરાંત તેની પૂરી વાત પણ વાંચીએ.

અ મહિનાના આપણા ASQ’s Influential Voice છે ડૉ. માઇકૅલ નોબલ.

Making Medical Lab Quality Relevant ડૉ. માઇકૅલ નોબલનો બ્લૉગ છે. ડૉ. નોબલ વૅન્ક્યુવર, કેનેડાની બ્રિટીશ કોલંબિયા યુનિવર્સિટીનાં રોગ વિજ્ઞાન અને પ્રયોગશાળા ચિકિત્સા વિજ્ઞાન વિભાગમાંના તબીબી સૂક્ષ્મજીવાણુવિજ્ઞાનવિદ છે. તેઓ પોતાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનકોના વિકાસમાં પ્રવૃત્ત ને ગુણવત્તા-ઉન્મુખ શિક્ષણ અને પ્રયોગશાળામાંનાં ગુણવતા આકારણી કરનાર'તબીબી ગુણવત્તાવિદ' કહે છે.

Making Medical Lab Quality Relevant “ચિકિત્સા પ્રયોગશાળાઓની ગુણવત્તા સુધારવામાં રસ હોય તેવાં લોકો માટે છે. વિવિધ દૃષ્ટિકોણ ધરાવતી, સંકુલ અને મૂળભૂત પ્રયોગશાળાઓ, વિકસીત અને વિકાસશીલ દેશોમાં પ્રવૃત્ત વ્યક્તિના વિચારો અને મનોવલણોનો રસથાળ અહીં જોવા મળશે." બ્લૉગ પરનું વસ્તુ વૈવિધ્ય
જેવાં પાનાંઓમાં ગ્રંથસ્થ થયેલ છે.
આ મહિને પણ Curious Cat Management Improvement Carnival હેઠળ કોઇ લેખ મુકાયો નથી. જો કે આપણે તો તાજેતરમાં પ્રકાશિત થયેલ લેખની મજા તો માણી જ લેતાં હોઇએ છીએ.
આ મહિને આપણી પસંદ Children are Amazingly Creative At Solving Problems પર ઢોળીશું.
રસેલ અક્કૉફ્ફનું આ કથન લેખનો સાર કહી જાય છે : “શાળાજીવનમાં દાખલ થયાં પહેલાં બધાં લગભગ દરેક વાતે જિજ્ઞાસા હોય છે; શાળાજીવન બાદ લગભગ કોઇ વાતે જિજ્ઞાસા રહી નથી હોતી."

સંલગ્ન: Taking Risks Based on EvidenceNaturally Curious ChildrenLearn by Seeking Knowledge, Don’t Only Learn from MistakesEncouraging Curiosity in KidsExtrinsic Incentives Kill Creativity

આપણા બ્લૉગોત્સવને વધારે રસપ્રદ, માહિતીપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, પ્રતિભાવો અને વિવેચનોની અપેક્ષા સાથે....

Tuesday, August 19, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : ડૉ.સી. કે. પ્રહલાદ

'મૅનેજમૅન્ટ ગુરુઓ' શ્રેણીનો પ્રાસ્તાવિક પરિચય:
[પ્રસ્તુત શ્રેણી દ્વારા મૅનેજમૅન્ટવિશ્વના ખ્યાતનામ ચિંતકો અને તેમણે પ્રતિપાદિત કરેલ સિધ્ધાંતો (કે વિચારસરણીઓ)નો પરિચય આપણે કરીશું.

સામાન્યતઃ,"ગુરુ" ખિતાબ માત્ર પોતાનાં નામ સાથે લગાડવાથી 'ગુરૂપણા’નો બૌદ્ધિક કે લાગણીસભર સ્વીકાર મળી નથી જતો. જેમના સિધ્ધાંતો કે વિચારસરણીઓનો કોઇ એક વિશ્વવિદ્યાલય કે સંશોધન પ્રયોગશાળા કે કોઇ એક પ્રકારના વ્યાપાર કે ઉદ્યોગની બહાર, વાસ્તવિક વિશ્વમાં, વ્યાપકપણે અમલ કરાયો હોય તેવી વ્યક્તિઓને જ સામાન્યતઃ 'મૅનેજમૅન્ટ ગુરુ'નો ખિતાબ અપાતો હોય છે. આ સિધ્ધાંતો કે વિચારસરણી શાશ્વત કે સાવેસાવ નિરપેક્ષ જ હોય તેવું જરૂરી નથી. ઘણીવાર અમુક સિધ્ધાંતો બહુ જ વિવાદાસ્પદ રહ્યા હોય તેમ પણ બને !

‘મૅનેજમૅન્ટ’ એ સંદર્ભ-આધારિત પ્રાયોગિક શાસ્ત્ર છે, તેથી અહીં રજૂ થનારા સિધ્ધાંતો (કે વિચારસરણીઓ) ઘણી વાર બહુ જ મર્યાદિત સંદર્ભમાં જ પ્રસ્તુત હોય તેવું પણ બને !

એ દરેક સિધ્ધાંત, ભલે ને ગમે તેટલા મર્યાદિત સમય માટે કે મર્યાદિત સંદર્ભમાં બહુ જ પ્રસ્તુત રહ્યો હોય, તો પણ તે સ્વીકારાએલો જ ગણાય. આજે એ સિધાંતને જાણવાથી, કાલે ઊભા થનારા કોઇ એવા સંદર્ભમાં તે સમયનો આપણો દૃષ્ટિકોણ, આપણા એ મર્યાદિત સંદર્ભ માટેના કોઇ એક ઉપાયની એક મહત્ત્વની કડી બની રહી શકે છે.

વાચક (કે વપરાશકાર) એવા અણીના સમયે, આ સિધ્ધાંતોનાં જ્ઞાન અને સમજનો યથોચિત ઉપયોગ કરશે તેવી અપેક્ષા અહીં અભિપ્રેત છે.
]


ડૉ.સી. કે. પ્રહલાદ
 
Dr. C K Prahlad 01


પૂરૂં નામ : કૉઇમ્બતુર ક્રિશ્નરાવ પ્રહલાદ
જન્મઃ ૮ ઑગસ્ટ, ૧૯૪૧॥ અવસાનઃ ૧૬ ઍપ્રિલ, ૨૦૧૦






સી. કે. પ્રહલાદ સંસ્કૃતના પારંગત અને ન્યાયધીશનાં નવમાંનું એક સંતાન હતા. તેમણે તેમની શૈક્ષણિક કારકિર્દી બહુ સફળ માપદંડોથી પૂર્ણ કરી. ૩૩ વર્ષની તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં તેઓ ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં નિયામક મડળોમાં તેમ જ વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયોમાં બહુ જ સન્માનીય સ્થાન પર રહીને મૅનેજમૅન્ટ શાસ્ત્રના વિકાસમાં સક્રિય યોગદાન આપતા રહ્યા.
પોતાના કામ માટે બહુ અભ્યાસી અને સંશોધનો કે વ્યક્તવ્યો માટે બહુ જ મુસાફરી કરતા રહેતા; પણ અન્યથા બહુ મિતભાષી એવા ડૉ. પ્રહલાદને પક્ષીઓનાં સ્થળાંતર અંગેની લાક્ષણિકતાઓ, ઐતિહાસિક નકશાઓના અભ્યાસ અને ભાષાપ્રસાર જેવા વિવિધ આયામી અને સારગ્રાહી શોખ પણ હતા.
તેમના વિચારો તેમ જ વિચારોની રજૂઆતો થકી તેઓ સંચાલકોને તેમની પ્રસ્થાપિત તર્કઘરેડમાંથી હચમચાવતા રહેતા હતા. તેમની વેધક વિચારસરણી અને આંતરસૂઝ સંચાલકોને ઊભા પગે જ રાખતી.
તેમની વિદ્યાવ્યાસંગની દીર્ઘ કારકિર્દી દરમ્યાન, તેઓએ વ્યૂહરચનાના વિષય પર વિચાર-પ્રજનક પાંચ પુસ્તકો, સંશોધન-આધારિત અનેક શ્વેતપત્રો / લેખો અને બહુ જ ચિંતનપ્રેરક વ્યક્તવ્યો આપ્યાં છે.
ડૉ. સી. કે. પ્રહલાદનાં પુસ્તકો:
તેમનાં પુસ્તકો, વ્યક્તવ્યો કે લેખનાં પ્રકાશન સાથે જ મૅનેજમૅન્ટ વિશ્વમાં ગરમાગરમ ચર્ચાઓ થતી; પણ જેમજેમ સમય જાય, તેમ બધા જ લોકો તેમના વિચારોનો પોતપોતાની રીતે અમલ કરતા પણ જોવા મળતાં.
તેમના લેખો કે વ્યક્તવ્યો અને પુસ્તકો રમતના નિયમો બદલી નાખનાર ગણાયાં છે.
મે, ૧૯૯૦માં હાવર્ડ બિઝનેસ રિવ્યૂમાં ડો. સી કે પ્રહલાદ અને ગૅરી હૅમલે વ્યૂહાત્મક દૂરદર્શિતાના ક્ષેત્રમાં હલચલ core-competenciesમચાવી નાખતો લેખ - The Core Competence of the Corporation - રજૂ કર્યો., જેના પરથી ૧૯૯૪માં Competing for the Future પુસ્તક પણ બન્યું. હાર્દ ક્ષમતા [Core Competence] એ ત્યારે( ત્યાર સુધી) એકચક્રી પ્રભાવ ધરાવતા બજારોન્મુખ વ્યૂહાત્મક આયોજનતંત્રની વિચારધારા માટે પડકાર હતો. બજારોન્મુખ વ્યૂહાત્મક આયોજનની વિચારધારા કંપનીના લાંબા ગાળાની રૂપરેખાને વર્તમાન બજારોની ભાવિ રૂખને અનુરૂપ કરતા રહેવાનો અભિગમ સૂચવે છે, જ્યારે હાર્દ ક્ષમતાનો અભિગમ કંપનીની મૂળભૂત ક્ષમતાઓના આધારે કંપનીના વિકાસની લાંબા ગાળાની નીતિઓ અને સજજતાને ઘડવાનું સૂચવે છે. બજારોન્મુખ વિકાસને કારણે કંપનીનાં વિવિધ વ્યાવસાયિક એકમોમાં સઘન એકસૂત્રતા અને હરીફાઇના પડકારોને ઝીલી લેવાની પ્રકૃતિક શક્તિ જોવા નથી મળતી. જ્યારે હાર્દ ક્ષમતાની વિચારસરણીને અપનાવેલ સંસ્થાઓ, એ ક્ષમતાઓની આસપાસ પોતાનાં સંસાધનોના વિકાસ માટેનાં રોકાણ કરે છે; તેથી નવાંનવાં ઉપયોગોને લાયક ઉત્પાદનો કે સેવાઓ મૂકતા રહેવું, બજારોની રૂખમાંથી પોતાના લાંબા ગાળાના ફાયદાઓને પારખી કાઢવા જેવી સ્પર્ધાત્મક સરસાઇઓ આ કંપનીઓ કુદરતી રીતે જ હસ્તગત કરતી જણાય છે.
'પિરામિડનાં તળિયાં' [Bottom of Pyramid] ના (સૌથી ગરીબ) લોકોને રાજ્યાશ્રય તેમ જ બહુ વિકસિત દેશોની સખાવતના આધારે 'ગરીબી રેખા'ની ઉપર લઇ જવાના પ્રયાસો અને અભિગમની સામે, ડૉ. પ્રહલાદ 'પિરામિડનાં તળિયાં'ના લોકોને 'ગ્રાહક'ની દૃષ્ટિએ જોવાની વિચારસરણી રજૂ કરે છે. ૨૦૦૯માં જ્યારે આ વિચારધારાની અસરોને આવરી લેતી આ પુસ્તકની સંશોધિત આવૃત્તિ બહાર પડી, ત્યારે ડૉ. પ્રહલાદ અને તેમની સંશોધન ટીમો આ વિચારસરણીને અનુરૂપ અનેક દેશોમાંનાં વિવિધ ઉદાહરણ સ્વરૂપ કેટલીય સંશોધન કેસસ્ટડી પણ એકઠી કરી હતી. તે કેસસ્ટ્ડીઓ દ્વારા તેમણે પ્રતિપાદિત કર્યું કે એ વર્ગને Fortune @ BoPપરંપરાગત નજરોથી 'ગરીબ' જોવાને બદલે, બજારવાદી અભિગમ અને બહુરાષ્ટ્રીય કે દેશની મોટી કંપનીઓની મૂડી રોકાણ અને સંચાલનીય કાર્યશક્તિ દ્વારા જોવાથી, આ વર્ગ નવોત્થાનનું એક બહુ જ મહત્વનું ચાલકબળ બની શકે છે.
તેમનું ભારપૂર્વકનું કહેવુ રહ્યું છે કે 'પિરામિડનાં તળિયાં'નાં લોકોને 'ગ્રાહક' તરીકે જોવાની સાથેસાથે તેમને 'માનવી' તરીકે પણ સ્વીકારવા જોઈએ કે જેથી કરીને તેમની માનવસહજ શક્તિઓનો ગ્રાહક, ઉત્પાદક કે ઉદ્યોગ સાહસિક કે આર્થિક પુરવઠાની સાંકળની એક અવિભાજ્ય કડી તરીકેનો ઉપયોગ સમસ્યાનિવારણ માટેના ઉપાયોનાં સહસર્જનમાં કરી શકાય.
આ બાબતનો વિચાર કરવા માટે 'કોરી પાટી'થી શરૂઆત કરવી પણ આવશ્યક બની રહે છે. ભૂતકાળના સફળ કે નિષ્ફળ પ્રયાસો પર થોડાઘણા ફેરફારોનાં થીગડાં મારીને એ સમસ્યાઓનું ટૂંકા ગાળાનું નિવારણ કદાચ શક્ય બને; પરંતુ સફળતાના એ પર્યાવરણને ટકાવી રાખીને લાંબા ગાળે મૂળ પરિસ્થિતિ મુજબ ચક્ર ફરીથી ત્યાં જ આવી ન જાય તેમ કરવા માટે સાવેસાવ નવા, સર્જનાત્મક, અભિનવ, નવપલ્લિત પ્રયાસો જ આવશ્યક બની રહેશે.
'પિરામિડનાં તળિયાં'નાં લોકોની જરૂરિયાતો અને સમસ્યાઓ વિષે પૂર્વાનુમાનો કરી લેવાને બદલે તેમને તેમની જ ભાષામાં સમજવાં પણ પડશે.
BoPતેમના પુસ્તક, The Fortune At The Bottom Of The Pyramid માં ડૉ. પ્રહલાદે આ વિષયનાં અનેક પાસાંઓની વિગતે ચર્ચા કરી છે. તદુપરાંત પુસ્તકની બીજી સંશોધિત આવૃત્તિ માટે જે કોઈ પ્રયોગો (કે પરિયોજનાઓ) પર સંશોધનો કરવામાં આવ્યાં તેની કેસસ્ટડી પણ પુસ્તકમાં રજૂ કરાઇ છે. (આ કેસસ્ટડી અહીં પણ જોઇ શકાય છે.)
તેમનાં પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે કહ્યું છે એ મુજબ, આ બાબતે શું / કોણ સાચું છે કે શું /કોણ ખોટું છે તેની ચર્ચા અસ્થાને છે. આ દિશામાં જે કંઈ પ્રયોગો થયા છે, કે થઈ રહ્યા છે, કે થશે; તેમાં શું ખોટું થયું કે શું ખામીઓ રહી જશે તે ચર્ચાઓ પણ વ્યર્થ છે. ઘણું ખોટું થયું હશે, ઘણી ભૂલો પણ થઈ હશે; પરંતુ મહત્ત્વનું એ છે કે જે પ્રયોગો સફળ થયા છે તેની સફળતાનાં, કે જે સફળ ન રહ્યા તેનાં કારણોમાંથી હવે પછીથી આપણે શું શીખી શક્યાં છીએ, અને જે શીખ્યાં છીએ તે જાણીને તેને હવે પછીથી કઈ રીતે કામે લગાડીશું.
'પિરામિડનાં તળિયાં'ના સિધ્ધાંતનાં કેટલાંક ઉદાહરણો :
  • ભારતમાં એક સમયનું મોભાનું પ્રતિક મૉબાઈલ ફૉન આજે સંદેશાવ્યવહારના માધયમથી માંડીને નાનામાં નાની વ્યક્તિ માટે પોતાના વ્યાવસાયિક સંપર્કો જાળવી રાખવા અને બજારની છેલ્લાંમાં છેલ્લી માહિતી મેળવવા માટે એક મહત્ત્વનું સાધન બની ગયું છે; એટલું જ નહીં, પણ એ 'ફોન' હવે 'ફોન' નથી રહી ગયો, પણ એક કેમેરા, માહિતીઓનું એક ચાલતુંફરતું સંગ્રહસ્થાન, રેલ્વે ટિકિટ નોંધાવવા કે નાણાંની હેરફેર કરવા માટેનું સાધન જેવાં કેટલાંય કામો કરતું થઈ ગયું છે. તેની બહુ જ સરળતાથી, સાવ જ ઓછાં ખર્ચનાં રોકાણથી, મળી જતી ઉપલબ્ધતાને કારણે 'પિરામિડનાં તળિયાં'ના લોકો માટે તો કેટલીક અતિ મહત્ત્વની એવી સેવાઓ હાથવગી કરી આપતું સાધન બની રહ્યું છે. આમ એક તરફ આવા ફોન બનાવનારી કંપનીઓ કે સંદેશાવ્યવહારની સેવાઓમાં પ્રવૃત્ત કંપનીઓ માટે એક બહુ જ મોટું બજાર ખુલી ગયું, તો બીજી બાજૂ 'પિરામિડનાં તળિયાં'નાં લોકો માટે તેના કારણે જીવનની એક નવી દિશા મળી છે.
  • એક જ વાર ઉપયોગમાં લઇ શકાય તેવાં પડીકી [Sachet] ના માપનાં વપરાશનાં એકમો બિસ્કીટ, શૅમ્પૂ અને મોંઘી કક્ષાના ડીટર્જન્ટ પાવડરની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને નાનામાં નાના વપરાશકાર સુધી પહોંચાડે છે.
  • ‘અરવિંદ આઈ કેર’ જેવી સંસ્થાઓએ મોતિયાનાં ઑપરેશનોની ટેકનોલોજિને તળિયાનાં દર્દી સુધી પહોંચાડી આપી છે.
  • પીવાના પાણીને શુદ્ધ કરવાનાં ગૃહોપયોગી ઉપકરણોને ૧૦૦૦ રૂપિયાથી ઓછી કિંમત અને વીજળીનો વપરાશ નહીં એવી લાક્ષણિકતાઓનાં ધ્યેય વડે હિંદુસ્તાન લીવરે ભારતમાં તો એક નવી વેપારશક્યતા ઊભી તો કરી જ, પણ સાથે આ પ્રયોગને તેઓ વિશ્વનાં અન્ય કેટલાંય બજારોમાં લઇ જઈ શક્યા.
  • 'અમુલ'ની શ્વેતક્રાંતિએ તેના મૂળ આશય, પ્રમાણિત ગુણવત્તાવાળા દૂધની સહજ ઉપલબ્ધિને અતિક્રમીને, ગામડાંઓમાં મહિલા સશક્તિકરણના નવા આયામ પ્રસ્થાપિત કરી નાખ્યા છે.
  • બહુ જ ટાંચાં સાધનોવાળાં, સ્વરોજગારી પર નભતાં પિરામીડનાં તળીયાનાં લોકોને સૂક્ષ્મ લધુ નાણાંધીરાણનો પ્રયોગ બાંગલાદેશની 'ગ્રામીણ બેંકે બહુ જ અસરકારક સફળતાથી અમલ કરી બતાવ્યો. અહીં પણ મૉબાઇલ સંદેશા વ્યવહારના નવા જ પ્રકારના અભિગમથી થયેલા અમલને કારણે સૂક્ષ્મ લઘુધિરાણમાં નાણાં પરત કરવાની ટકાવારી ઉપર બહુ જ ક્રાંતિકારી અસરો પડતી જોવા મળી. આ જ પ્રયોગ જ્યારે ભારતમાં કરવામાં આવ્યો, ત્યારે ટુંકાગાળામાં મહત્તમ લાભ લેવાની 'દાનત'ને કારણે બહુ વિપરીત પરિણામો પણ જોવા મળ્યાં
આમ જ્યારે 'પિરામિડનાં તળિયાં'ને બજારનાં સ્વરૂપે જોઇ અને તેના વડે ગરીબી નિર્મૂલનની વાત ડૉ. પ્રહલાદે કહી હતી, ત્યારે આ વિચારધારાને વિકાસસશીલ દેશોમાં એક વધારે મૂડીવાદી અને સંસ્થાનવાદી વિચારધારા કહીને ઉતારી પાડવામાં આવી હતી, તો વિકસિત દેશોમાં 'આદર્શવાદી હવાઈ સ્વપ્ન' તરીકે તેને હાંસિયામાં ખસેડાઈ દેવામાં આવી હતી. આજે એ જ વિચારધારા ગરીબીનિર્મૂલન માટે એક સશક્ત, ટકાઉ, રચનાત્મક, સ્વયંસંચાલિત બની શકે તેવી વ્યૂહરચના તરીકે, અને મોટી કંપનીઓ માટે લાંબા ગાળાનાં પોષણક્ષમ બજારો માટે અને સ્પર્ધાત્મક સરસાઇની વ્યૂહરચનાતરીકે સ્વીકારાઈ ગઈ છે.
ઘણા દેશોમાં સમાજના તળિયાંના ગણાતા વર્ગનું મોટી બહુ જ શક્તિશાળી ગણાતી કંપની દ્વારા ગ્રાહક તરીકે સામર્થ્યીકરણ થવાને કારણે તેમને મળતી તે અને અન્ય સેવાઓમાં જે ભ્રષ્ટ શિથિલતા જોવા મળતી હતી તે પણ મહદ અંશે દૂર થયેલી પણ જોવા મળી છે.
ટીવી, ઇન્ટરનૅટ અને મૉબાઇલ સંદેશા વ્યવહાર સેવાઓના છેલ્લા દાયકામાં થયેલા વ્યાપક પ્રસારને કારણે પણ આ 'ખેલ'માં નવા નિયમો લખાઇ રહ્યા છે. અહીં એવી પણ કેટલીક પ્રક્રિયાઓ પરિવર્તીત થશે જેનાં પરિણામો બહુ જ દૂરગામી નીવડી શકે છે.
આમ દાયકાઓ સુધી જેની અસરો ગૂંજતી રહી (અને હજુ પણ ગુંજતી રહેશે) એવી આ બે બહુ જ મહત્ત્વની વિચારધારાઓને ડૉ. સી. કે. પ્રહલાદ આપણી સમક્ષ મૂકી ગયા છે.


(આ લેખ વેબ ગુર્જરી પર ૧૫ નવેમ્બર, ૨૦૧૩ના રોજ પ્રસિધ્ધ થયેલ.)

Friday, August 15, 2014

એક ગીતનાં અનેક સ્વરૂપ : મણકો – ૨ :: દેશપ્રેમનાં ગીતો



'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીની લેખમાળામાં આપણે એક જ ગીતનાં, કે ગીતના મુખડાનાં કે ગીતની ધુનનાં, એ જ ફિલ્મ યા કોઇ અન્ય ફિલ્મમાં રજૂ કરાયેલાં અલગ સ્વરૂપોની વાત કરીશું. એ જ ફિલ્મમાં બે જૂદી જૂદી પરિસ્થિતિમાં પેશ થતાં આ પ્રકારનાં ગીતોની ધૂન, અને (મોટે ભાગે શબ્દો), સરખાં જ હોય છે, પણ પરિસ્થિતિની માંગ મુજબ ગાયક કે લય કે ઑર્કેસ્ટ્રેશન કે ક્યારેક શબ્દોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. એક ફિલ્મમાંથી બીજી કોઇ ફિલ્મ જ્યારે કોઇ ગીતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે મુખડાના કે પ્રથમ પંક્તિના શબ્દો સરખા રાખીને આખાં ગીતના દેહને, તેમ જ ઘણીવાર ગીતની જાનને પણ, અલગ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જ્યારે સમાંતરે રજૂ થઇ રહેલી 'વર્ઝન' ગીતોની શ્રેણીમાં ફિલ્મમાં લેવાયેલ મૂળ ગીતનું 'વર્ઝન' ગીત ફિલ્મમાં ઉપયોગમાં ન લેવાયું હોતું, પણ માત્ર કોઇ અન્ય કલાકારના સ્વરમાં તેને ફરીથી, અપના અપના અંદાઝમાં, રેકોર્ડ કરાયું હોય તેવાં ગીતોની રજૂઆત જોવા મળશે. આમ એક જ મૂળમાંથી શરૂ થતી નદીના બે ફાંટાઓ જેવી આ ધારાઓ બનશે, આગળ જતાં જેમાંથી નવી શાખા, પ્રશાખાઓ પણ ફૂટતી રહેશે.

ફિલ્મોમાં દેશપ્રેમનાં ગીતો એક બહુ જ પ્રચલિત પ્રકાર રહ્યો છે. ક્યાં તો અંગ્રેજ રાજયની સામેની આઝાદીની ચળવળના વિષય પર અથવા તો ૧૯૬૨ની ચીન સામેની લડાઇ કે પાકિસ્તાન સાથેની લડાઈઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનતી રહી છે. આવી ફિલ્મોમાં ફિલ્મના વિષયને અનુરૂપ હોય તેવાં ગીતો ઉપરાંત દેશપ્રેમને ઉજાગર કરતાં ગીતો પણ ખાસ મહત્ત્વ ધરાવતાં રહ્યાં છે. તે સિવાય પણ ઘણી વાર ફિલ્મોમાં સ્ટેજ પર ભજવાનારા કાર્યક્રમોનાં રૂપમાં પણ દેશપ્રેમનાં ગીતો બન્યાં છે.

આજે ભારતનો ' સ્વાતંત્ર્ય દિવસ' છે, એટલે દેશપ્રેમનાં કેટલાંક એવાં ગીતોની વાત કરીશું જે અલગ અલગ ફિલ્મોમાં વિવિધ સ્વરૂપે રજૂ થયાં હોય. તે સાથે એવાં ગીતો પણ જોઇશું જેને ફિલ્મ સંગીતની ભાષામાં એક ગીતની એક જ ફિલ્મમાં અલગ અલગ સ્વરુપે રજૂઆત કરવામાં આવી હોય એવાં 'જોડીદાર ગીતો'- તરીકે ઓળખવામાં આવે છે.

'વંદે માતરમ'

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનાં રાષ્ટ્રગીત કક્ષાનાં ગીત 'વંદે માતરમ' નું એક અનોખું સ્વરૂપ, ફિલ્મ "આંદોલન" (૧૯૫૧)માં વિખ્યાત બાંસરીવાદક પન્નાલાલ ઘોષનાં સંગીતમાં સુધા મલ્હોત્રા, પારૂલ ઘોષ, મન્ના ડે અને સાથીઓના સમૂહ સ્વરમાં, સાંભળીએ –

clip_image002

તે પછી ફિલ્મ 'આનંદ મઠ' (૧૯૫૨)માં હેમંત કુમારે બહુ પ્રચલિત થયેલ એવું શૌર્ય રસ ભર્યું સ્વરૂપ, પોતાના જ સ્વરમાં, રજૂ કર્યું
clip_image004

આ જ ફિલ્મમાં લતા મંગેશકરના અવાજમાં પણ આ ગીતનું જોડીદાર મૂકાયું છે, જેમાં હેમંત કુમાર આલાપના સમૂહ સ્વરમાં જોડાય છે. અહીં ગીતની લય માં જે ફરક કર્યો છે તેની નોંધ જરૂરથી લેશો.
clip_image006

'વંદે માતરમ'નું આપણા સહુની નજરોમાં જે મહત્ત્વ હોય તે સંદર્ભમાં તેનાં ફિલ્મમાં રજૂ થયેલાં સ્વરૂપો સિવાય પણ અનેક સ્વરૂપો હોય તે તો સ્વાભાવિક છે.

એ બધાં સ્વરૂપો પૈકી આપણે પંડિત ઓમકારનાથ ઠાકુરે ભારતની આઝાદીની પૂર્વસંધ્યાએ ખાસ ગાયેલું આ વર્ઝન પણ સાંભળીએ –

clip_image008
રંગ દે બસંતી ચોલા
સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે બહુ જ લોકપ્રિય થયેલ દેશદાઝમય લોકગીતનાં મુખડાંનો ઉપયોગ કરીને, 'શહીદ' (૧૯૬૫)માં મહેન્દ્ર કપુર, મુકેશ અને રાજેન્દ્ર શર્માના સુરમાં ખ્યાતનામ શાયર પ્રેમ ધવને સંગીતકારની ભૂમિકામાં આ ગીત બનાવ્યું. ફિલ્મમાં તે ત્રણ જૂદા જૂદા પ્રસંગોએ જૂદા જૂદા અદાજમાં ગવાયું છે. અહીં રજૂ કરેલી વિડીયો ક્લિપમાં આ ફિલ્મમાં જ ત્રણ અલગ અલગ પ્રસંગોએ અલગ અલગ રીતે થયેલી આ ગીતની રજૂઆત માણવા મળે છે. –
clip_image010

૧૯૭૪માં પંજાબીમાં 'શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ’ બની જેનું ડબીંગ હિંદીમાં 'અમર શહીદ ભગતસિંહ' રૂપે થયું, જેમાં આ જ મુખડાને એક આગવા અંદાજમાં સુરિંદર કોહલીએ મોહમ્મદ રફી અને સાથીઓના સૂરમાં રજૂ કરેલ –
clip_image012

કેટલાંક વર્ષો પછીથી ફરીથી ભગત સિંહ પર 'ધ લેજન્ડ ઑફ ભગત સિંહ' (૨૦૦૨) બની, જેમાં સોનુ નિગમ અને મનમોહન વારિસના મુખ્ય સૂરમાં એ આર રહેમાને પણ આ ગીતને ફરીથી રજૂ કર્યું –

clip_image014


સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ

રાષ્ટ્ર ભક્તિની આગની ધગધગતી ભાવનાથી નીતરતાં આવાં બીજાં એક રામપ્રસાદ બિસ્મિલે ઉર્દુમાં લખેલ કાવ્યના મુખડો છે -'સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ' , જેને પણ હિંદી ફિલ્મોમાં વિભિન્ન શૈલીમાં રજૂ કરાયેલ છે.

શહીદ (૧૯૬૫)માં પ્રેમધવને આ ગીતને મોહમ્મદ રફી, મન્ના ડે અને રાજેન્દ્ર મહેતાના સ્વરમાં સજાવેલ છે–

 'ધ લેજન્ડ ઑફ ભગત સિંહ' (૨૦૦૨) માં 'સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ' ની રજૂઆતમાં નાયકના દિલમાં ફેલાઇ ચૂકેલા કારૂણ્યના ભાવને વાચા આપી છે –



'શહીદ - ૨૩ માર્ચ ૧૯૩૧' (૨૦૦૨)માં આનંદ રાજ આનંદે પણ ભુપીંદર, મોહમ્મદ સલામત અને વિનોદ રાઠોડના સૂરમાં ગીતનો શૌર્ય રસનો ભાવ રજૂ કર્યો છે – 
 
ફિલ્મ 'રંગ દે બસંતી' (૨૦૦૬)માં આ ગીતને બહુ આગવા અંદાજમાં રજૂ કરાયેલ

ફિલ્મ 'ગુલાલ'માં તો સાવ અણકલ્પ્યું સ્વરૂપ જ સાંભળવા મળશે-

અય પ્યારે વતન મેરે પ્યારે વતન તૂહી મેરી ઝીંદગી

'તૂ હી મેરી ઝીંદગી' (૧૯૬૫) એ ગોવાની 'આઝાદીની લડત'ની પશ્ચાદભૂ પર બનેલી ફિલ્મ છે. ફિલ્મના સંગીતકાર રોનો મુખર્જીએ ગીતનાં પહેલાં સ્વરૂપનો ફિલ્મનાં ટાઇટલ્સમાં ઉપયોગ કરીને ફિલ્મનો મૂડ જમાવ્યો છે.

ગીતનાં બીજાં સ્વરૂપમાં ફિલ્મમાં લડતની ચરમ સીમા સમયે ભજવતાં દૃશ્યોની ઉત્તેજના વણી લેવાઇ છે



ગીતની એકાદ પંક્તિ કે મુખડાને અલગ સ્વરૂપે મૂકીને ફિલ્મનો અંત રજૂ કરવાની પણ એક અનોખી શૈલી બહ અસરકારક્પણે ફિલ્મોમાં વપરાતી રહી છે. ગીતનાં આ પ્રકારનાં સ્વરૂપમાં મોહમ્મદ રફી એક્દમ ઊંચા સૂરથી શરૂઆત કરી અને પછી ગીતના કરૂણ ભાવને અનુરૂપ વિલંબિત લયમાં, ગીતની એક જ પંક્તિનાં ગાયનદ્વારા ગીતમાં પ્રાણ પૂરી દે છે.

ફિલ્મ સંગીતના ચાહકોએ આવી અનેક ક્લિપ ઇન્ટરનેટ પર મૂકીને, અન્યથા વિસરાઇ રહેલાં, રેકોર્ડ પર ન આવેલાં સ્વરૂપોને પણ ચિરંજીવ કરી આપેલ છે. તેમને પણ આપણી સલામ અર્જ કરીએ. અને અંતમાં સાંભળીએ, મને બહુ જ પસંદ એવું, ૧૯૪૮ની ફિલ્મ 'શહીદ'નું ગીત 'વતનકી રાહમેં વતન કે
નૌજવાં શહીદ હો'.

ગીતનાં પહેલાં વર્ઝનમાં સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે મોહમ્મદ રફી, ખાન મસ્તાના અને સાથીઓના સ્વરમાં લશ્કરની કૂચની લયબાંધણીમાં, રૂવાડાં ઊભાં કરી દેતું, દેશદાઝથી છલકતું વાતાવરણ ખડી કરી દીધું છે.

મોહમ્મદ રફીના સ્વરમાં 'લોકોના ખભા પર ચડીને આવું ત્યારે મને ફૂલોનો હાર પહેરાવજે’ની કરૂણ યાદ તાજું કરાવતું જોડીદાર ગીત પણ આ એક જ વિડીયો ક્લિપમાં સાથે સાથે સાંભળીએ.



હવે પછીના હપ્તાઓમાં આપણે એક ગીતનાં અલગ અલગ સ્વરૂપની જુદી જુદી રજૂઆતોના વિષયનો અધૂરો મૂકેલો તંતુ પકડી લઇશું.

-         વેબ ગુર્જરી પર પ્રકાશીત થયા તારીખ : ૧૫ ઑગસ્ટ, ૨૦૧૪

Thursday, July 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૭ /૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૭ /૨૦૧૪ 'બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

આ માસનાં આ બ્લૉગ સંસ્કરણમાં હિંદી ફિલ્મના સુવર્ણકાળના સમયખંડના બે અંતિમો પર જોવા માળતા એવા સંગીતકારોની જન્મતિથિ કેન્દ્રસ્થાને રહેશે.

સમય ખંડના પહેલે છેડે છે હિંદી ફિલ્મના 'ભિષ્મ પિતામહ' તરીકે ઓળખાયેલા અનિલ બિશ્વાસ.

Remembering Anil Biswas, The Singer - અનિલ બિશ્વાસ (જન્મ: ૭ જુલાઇ ૧૯૧૪ । અવસાન: ૩૧ મે, ૨૦૦૩) ની જન્મની શતાબ્દીને અંજલિ છે. “સોંગ્સ ઑફ યૉર'એ ૨૦૧૪નાં વર્ષની શરૂઆત જ અનિલ બિશ્વાસનાં પુત્રી, શિખા બિશ્વાસ વોહરા,ના લેખ – Anil Biswas: The Maestro and My Fatherથી કરેલ. એ પછીથી અનિલ બિશ્વાસને જ અર્પણ એવી ત્રણ પૉસ્ટમાં આપણે અનિલ બિશ્વાસની તે સમયનાં ગાયકો સુરૈયા, તલત મહમૂદ અને તેમનાં બહેન પારૂલ ઘોષ દ્વારા ગવાયેલાં અનિલ બિશ્વાસનાં ગીતોને યાદ કરી ચૂક્યાં છીએ....... એ જ શ્રેણીમાં તેમનાં જ સંગીતમાં અનિલ બિશ્વા સ્વરની ખૂબીઓ પ્રસ્તુત લેખમાં માણીએ.

મુકેશના ઘડનાર :અનિલ બિશ્વાસના પ્રારંભમાં જ મુકેશનાં અનિલ બિશ્વાસ સાથેનાં પહેલાં ગીત સાથે સંકળાયેલી વાતોને યાદ કરી છે... જેના પછી તો ઇતિહાસ પણ રચાઇ ચૂક્યો છે. અનિલ બિશ્વાસની જ્ન્મ શતાબ્દિનાં વર્ષમાં ૨૨ જુલાઇના રોજની મુકેશની ૯૧મી જન્મતિથિએ મુકેશ-અનિલ બિશ્વાસ સંયોજનના ૨૪ ગીતો પૈકી ૧૦ ગીતોને રજૂ કરાયાં છે.

The Masters: Sajjad Hussain માં સજ્જાદનાં સંગીતની ખૂબીઓને બહુ જ માર્દવતાથી પેશ કરવામાં આવી છે. 'તેમના પુત્રના કહેવા મુજબ, આ સિદ્ધાંતનિષ્ઠ સંગીતકારને કોઇ ગમ કે કટુતા નહોતી રહી. તેઓ પોતાનું જીવન પોતાની શરતે જીવ્યા, તેમના સમકાલીનોએ તેમને ઉત્કૃષ્ટ કક્ષાના સંગીતકાર તરીકે બિરદાવ્યા છે. કોઇ ભલે યોગ્ય ન્યાય ન આપે પણ પોતાની આદર્શ માન્યતાઓ સાથે બાંધ છોડ કર્યા વિનાનાં તેમના સંગીતને ઇતિહાસ પણ સાદર પ્રેમથી યાદ કરશે. તેઓ જે કામ પાછળ છોડી ગયા છે તે ફિલ્મ સંગીતના સુવર્ણકાળનાં સંગીતને સાંભળનારા સંગીત રસિકો હશે ત્યાં સુધી તરબોળ કરતું જ રહેશે.'

બુલો સી રાની -ફુલોંસે હમ શીખેંગે, ફરિયાદ ન કરના, રો લેનામાં હિંદી ફિલ્મના સુવર્ણકાળના બહુ જ ઊંચા દરજ્જાના સંગીતકાર હોવા છતાં વાણિજ્યિક સફળતા જેમનાથી દૂર રહી એવા સંગીતકારોની પ્રથમ હરોળના બુલો સી રાનીનાં ગીતોનો વૈવિધ્યપૂર્ણ ગુલદસ્તો રજૂ કરાયેલ છે.

તેના પહેલાંના લેખ,બુલો સી. રાની: માંગને સે જો મૌત મિલ જાતી....માં બુલો સી રાનીની લેખક બીરેન કોઠારી સાથેની મે ૧૯૯૧માં થેયેલી મુલાકાતનાં સંભારણાં છે.

Atul’s Bollywood Song A Day– With Full Lyrics” ૧૦,૦૦૦ ગીતોનું સિમા ચિહ્ન પાર કરી ચૂક્યું છે. હિંદી ફિલ્મ સંગીતની ઇન્ટરનેટની તવારીખના આ બહુ જ મહત્ત્વના પડાવ સિદ્ધ કરવાની ઘટનાને બિરદાવવા એ બ્લૉગ પર મહેમાન લેખક તરીકે નિયમિત પણે લખતાં મિત્રોએ એક ખાસ શ્રેણી કરેલ છે. એ બધા જ લેખોની મુલાકાત તો એક સ્વતંત્ર આયોજન માંગી લે છે. એ શ્રેણી પૂરી થશે ત્યારે આપણે તેને આ મંચ પર અલગથી જોઇશું.
Forgotten Melodies (Part 2) - Sweet Melodies From My Father's Films.માં લેખિકાને, ગીતની બાંધણી અને શબ્દોનાં માધુર્યને કારણે દિલથી પસંદ પડેલાં ગીતોની આત્મીય રજૂઆત છે. જૂન ૨૦૧૪ના આ બ્લૉગનાં સંસ્કરણમાં આ લેખના પૂર્વાર્ધ - Forgotten Melodies (Part 1) – My Favourite Dance Sequences From My Father’s Films - ને પણ પણ આપણે જોયો હતો.
Kamal Hai?! Bindiya Songs માં પાંચ ગીતો જરૂર મૂક્યાં છે, પણ એ બધાં જ આપણે જે સમયકાળની સામાન્યતઃ ચર્ચા કરતાં હોઇએ છીએ તે પછીના સમયકાળનાં ગીતો છે. પરંતુ એ લેખની ચર્ચામાં 'કન્વર્ઝેશન ઑવર ચાય'નાં અનુરાધા વૉરીયરે બીજાં કેટલાંક ગીતો ઉમેર્યાં છે, જેમાંથી ડૉ. વિદ્યા (૧૯૬૨)નું સચીન દેવ બર્મનનું સ્વરબધ્ધ કરેલ, લતા મંગેશકરનું ખનકે કંગના બિંદીયા હંસે, આયેંગે સજના હમરે અંગના સાંભળવાની મજા માણીએ.

Makeover of the filmi doormatsમાં પગલૂછણીયાં જેમ જેમની સાથે વર્તાવ કરાયો છે એવી પાંચ નાયિકાઓની વાત કરી છે.- 'ચૌદહવીકા ચાંદ' (૧૯૬૧)માં જમીલા - બદલે બદલે મેરે સરકાર નઝર આતે હૈં-, 'દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે' (૧૯૯૫)ની સિમરન; 'કુછ કુછ હોતા હૈ' (૧૯૯૮)ની અંજલિ; પરિણીતા (૧૯૫૩) અને (૨૦૦૫)ની લલિતા અને દેવદાસ (૧૯૩૫), (૧૯૫૫) અને (૨૦૦૨)ની ચંદ્રમુખી.

Music, fantasy and colour in V Shantaram’s Navrang માં રંગની ઉફાળ અને ઉચ્ચ કક્ષાનાં ગીતોને યાદ કર્યાં છે.
- ફિલ્મનાં ટાઇટ્લ્સમાં જ "રંગ દે દે"થી જ રંગરંગીન, માધુર્યપૂર્ણ શરૂઆત કરી છે.
- વૃદ્ધ થયેલા કવિ આજે પણ 'યે માટી સભીકી કહાની કહેગી' પણ પોતાની યુવાનીની દાઝને જીવંત રાખે છે.
- ફિલ્મમાં કવિસંમેલનની ગીતકાર ભરત વ્યાસના જ સૂરમાં રજૂઆત 'કવિ રાજ કવિતાસે" એક અનોખો પ્રયોગ છે.
- નયનરમ્ય દૃશ્યાવલિ અને કર્ણપ્રિય ધુન માટે 'કારી કારી અંધીયારી રાત', ‘અરે જા રે નટખટ' અને 'આધા હૈ ચંદ્રમા'જેવાં યુગલ ગીતો એક અનોખો માપદંડ પ્રસ્થાપિત કરે છે.

લેખકનાં ખાસ પસંદગી પાત્ર એવાં A Song For The Dayમાં તડપ અને એકલતાનાં તરંગો અલ્પાયુ કરૂણરસ વહાવે છે. હા, એ ગીત છે ફિલ્મ 'દો બદન' (૧૯૬૬)નું રવિએ સ્વરબ્દ્ધ કરેલ આશા ભોસલેના વાજની અનોખી ખૂબી પેશ કરતું - જબ ચલી ઠંડી હવા, જબ ઊઠી કાલી ઘટા, મુઝકો અય જાન-એ-વફા તુમ બહોત યાદ આયે.

ઘણા લાંબા સમયથી ખાંખાંખોળાં કરતાં કરતાં, ઇન્ટરનેટના ખૂણે ખૂણો ધમરોળી નાખ્યા પછી એકાએક 'બરસાત કી રાત'ની કવાલીઓના સરતાજ સમી કવ્વાલી ન તો કારવાં કી તલાશ હૈ, ન તો હમસફરકી તલાશ હૈ'નાં મૂળિયાં મળી આવ્યાની વાતની સાથે તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો ક્યુંકી યે ઇશ્ક ઇશ્ક હૈ ઇશ્કમાં જાણવા મળે છે. આ કવ્વાલીની મુબારક અલી ખાને ગાયેલી 'અસલ' અને મુબારક અલીના ભત્રીજા અને મશહૂર ગાય્ક નુસરત અલી હતેહ ખાને તેમના પોતીકા અંદાજમાં ગાયેલ પ્રેરણા પણ સાંભળવાની મજા ચૂકવા જેવી નથી.

SoY પર ૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો પર વાચકોના પ્રતિભાવોને આવરી લેતી સમીક્ષાનો પહેલો હપ્તો: શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક રજૂ થઇ ચૂક્યો છે. ૧૯૫૧ માટે શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક તરીકે તલત મહમૂદ સર્વસ્વીકૃત રહ્યા. તેમનાં ગીતોમાંથી મેરી યાદમેં તુમ ન આંસુ બહાનાને આ માન મળેલ છે. આ વર્ષે જ્યુરીનો ઍવૉર્ડ પણ લાવવઓ પડ્યો - જે મુકેશ અંકે કરી ગયા. આ બ્લૉગોત્સવના લેખકે પણ આ વિષય પર વિવરણાત્મક લેખ, ૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક, અલગથી પ્રકાશિત કરેલ છે.

ચાલુ મહિનાથી વેબ ગુર્જરીએ 'ફિલ્મ સંગીતની સફર' શીર્ષસ્થ નવો વિભાગ શરૂ કરેલ છે. આ વિભાગમાં મુખ્યત્વે ૧૦૪૦ થી ૧૯૬૦ના દાયકા સુધીનાં ગીતોને અવનવા દૃષ્ટિકોણથી દર શનિવારે રજૂ કરવાનું વિચારાયું છે. જુલાઇ ૨૦૧૪માં આ લેખો પ્રકાશિત થયા છે : આ લેખનાં સમાપનમાં સુવર્ણકાળમાં આડકતરી રીતે બહુ જ ઘનિષ્ઠપણે સંકળાયેલા, પણ જેમનો મુખ્ય કાર્યકાળ ૧૯૭૦ના દાયકા પછી રહ્યો એવા રાહુલ દેવ બર્મનની (૨૬ જૂનની) ૭૫મી જ્ન્મજયંતિ પ્રસંગે પ્રકાશિત થયેલા લેખોની નોંધ લઇને કરીશું-

· Happy birthday RD: Asha Bhonsle lists out her five fav Pancham da songs

જો કે હું તો આર ડી બર્મનને તેની પહેલી બે ફિલ્મોનાં ગીત માટે ખાસ યાદ કરીશ, કારણકે તેની સાથે મારા કિશોર કાળની યાદો સંકળાયેલી છેઃ

પહેલાં યાદ કરીએ તેમની બીજી ફિલ્મ "ભૂત બંગલા" (૧૯૬૫)નાં ગીતો ને અને તે પછી યાદ કરીએ તેમની સહુથી પહેલી ફિલ્મ "છોટે નવાબ" (૧૯૬૧)ને -
હા, તમે બરાબર પકડી પાડ્યું કે આ રીતે આપણે રફી સાહેબને પણ અંજલિ આપી ........

Saturday, July 26, 2014

અનિલ બિશ્વાસ - આલા સંગીતકાર તો ખરા જ, અચ્છા ગાયક પણ ખરા




જન્મ :        ૭ જુલાઇ ૧૯૧૪

અવસાન : ૩૧ મે, ૨૦૦૩



જુલાઇ ૨૦૧૪ હિંદી ફિલ્મ સંગીતના ભિષ્મ પિતામહ તરીકે જાણીતા એવા અનિલ બિશ્વાસના જન્મની શતાબ્દીનો મહિનો છે. તેથી આજે આપણે અનિલ બિશ્વાસ વિષે એક ખાસ શ્રેણીનો આજે પ્રારંભ કરીને તેમને અંજલિ આપીશું.
હિંદી ફિલ્મના જ્ઞાન-માહિતી કોષ સમાન 'હિંદી ફિલ્મ ગીત કોષ' અનુસાર અનિલ બિશ્વાસે ૮૬ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, જ્યારે અનિલ બિશ્વાસ વિષેની અધિકૃત માહિતિ ધરાવતી વેબસાઇટ અનુસાર તેમણે ૯૩ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. આંકડાઓના આ તફાવતનું મુખ્ય કારણ એ છે કે એવી કેટલીક ફિલ્મો છે જેમાં તે સમયની દંતકથાઓ મુજબ કેટલાંક ગીતોનું સંગીત અનિલ બિશ્વાસનું છે, પણ એક યા બીજા કારણોસર એ ફિલ્મની ઑફિશિયલ ક્રેડિટ કોઈ અન્ય સંગીતકારના નામે છે.
જો કે આજે આપણે અનિલ બિશ્વાસનાં પ્રમાણમાં ઓછાં જાણીતાં ગણાતાં પ્રદાનની વાત કરવાના છીએ.
એ સમયના ઘણા સંગીતકારો પોતાની આગવી રીતે આલા દરજ્જાના ગાયકોના પણ હતા. પંકજ મલ્લિક, સચીન દેવ બર્મન, હેમંત કુમાર જેવા બંગાળી સંગીતકાર-ગાયકો કે સી. રામચંદ્ર (ગાયક તરીકે ચીતલકર તરીકે જાણીતા) જેવા મરાઠી કે આપણા દિલીપ ધોળકિયા જેવાં નામોની હરોળમાં અનિલ બિશ્વાસ પણ મહત્ત્વનું સ્થાન ધારવે છે. જો કે ઘણાં લોકોને અનિલ બિશ્વાસની આ બાજુનો એટલો પરિચય નથી, જેટલો અન્ય સંગીતકાર-ગાયકોનો હશે. સંગીતકાર રવિ કે ગીતકાર આનંદ બક્ષીએ પણ ગાયકી પર હાથ અજમાવ્યો હતો.પછીની પેઢીમાં રાહુલ દેવ બર્મન, રવિન્દ્ર જૈન કે બપ્પી લાહીરીનાં નામ પણ સંગીતકાર-ગાયક તરીકે તવારીખમાં જરૂરનોંધાશે.
આ બધા ગાયકોએ સામાન્ય પણે પોતે જ રચેલાં ગીતો જ ગાયાં હતાં. સચીન દેવ બર્મને બંગાળીમાં અન્ય સંગીતકારનાં ગીતો ગાયાં હતાં, જો કે હિંદી ફિલ્મોમાં 'અમર પ્રેમ'માં રાહુલ દેવ બર્મન માટે ગાયેલું ગીત અપવાદ હતું. આ બાબતે સહુથી વધારે સર્વતોમુખી તો હેમંત કુમાર જ રહ્યા, જેમણે એમના સમયના લગભગ બધા જ પ્રથમ હરોળના સંગીતકારો માટે ફિલ્મોમાં ગીતો ગાયાં અને એ ગીતો બહુ લોકપ્રિય પણ રહ્યાં. એક સમયે તો તેઓ દેવ આનંદના અવાજનું સ્થાન પણ સિધ્ધ કરી ચૂક્યા હતા.
અનિલ બિશ્વાસ તો સંગીતપ્રેમી કુટુંબમાં જન્મ્યા હતા, એટલે સંગીત તેમના સંસ્કારોમાં વણાયેલું હતું એમ પણ કહી શકાય. તેમનાં બેન પારૂલ ઘોષ (જેઓ પ્રખ્યાત બાંસુરીવાદક પન્નાલાલ ઘોષ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં) પણ એમના સમયનાં એક બહુ જ નામી ગાયિકા હતાં. [નોંધ : અનિલ બિશ્વાસ અને પારૂલ ઘોષનાં સહકાર્યની વાત આપણે અનિલ બિશ્વાસ પરના હવે પછીના લેખમાં, ૪ ઑક્ટોબર, ૨૦૧૪ના રોજ, કરીશું.] અનિલ બિશ્વાસને નાનપણથી જ સંગીતની તાલીમ મળી હતી. સ્વાતંત્ર્ય ચળવળના રંગે  રંગાયેલા અનિલ બિશ્વાસે પુસ્તકોનાં ભણતર સાથેનો નાતો છોડીને રંગમચ સાથે સંબંધ બાંધ્યો. બહુ થોડા સમયમાં તેમણે ભજન, કીર્તન અને શ્યામ સંગીતના સંગીતકાર અને ગાયક તરીકે પોતાનું સ્થાન જમાવી લીધું.
અનિલ બિશ્વાસને પોતાનો અવાજ જરૂરથી પસંદ હતો. તેમણે ફિલ્મોમાં પોતાનાં જ સંગીત નિર્દેશનમાં ગાયેલાં ૪૭ ગીતો પૈકી ઘણાં ગીતો થયાં તે કરતાં પણ વધુ લોકપ્રિય થવાં જોઈતાં હતાં.તેમની જન્મ શતાબ્દી નિમિત્તે આપણે તેમણે પોતાના સંગીતમાં ગાયેલાં કેટલાંક ગીતો અહીં સાંભળીશું.
૧. ભાઇ હમ પરદેશી લોગ હમેં કૌન જાને - એક હી રાસ્તા (૧૯૩૯) - ગીતકારઃ પંડિત ઇન્દ્ર
કવિશ્રી પ્રદીપજીની ગાયકીનાં પગરણ આ ગીતમાં સાંભળી શકાશે. ઇન્ટરનેટ પર અપલૉડ થયું હોય એવું, અનિલ બિશ્વાસનાં આરંભ કાળનું, આ કદાચ પહેલું ગીત છે.
૨. જમુના તટ શ્યામ ખેલ હોલી - ઔરત (૧૯૪૦) – ગીતકાર : સફદર 'આહ'
મહેબુબ ખાનનાં 'મધર ઈન્ડિયા'ની ઔરત 'ઑરિજિનલ આવૃત્તિ' છે. ફિલ્મની ટેકનીકમાં વચ્ચેનાં વર્ષોમાં પણ પડેલા ફરકની અસર તો બંને ફિલ્મોમાં જોવા મળે તે સમજી શકાય તેમ છે, પણ સંગીતની બાબતે એક મૂકો અને બીજાંને ઉપાડો એવો તાલ થાય તેવું બંને ફિલ્મોનું સંગીત છે.
બંને ફિલ્મોમાં 'હોળી' ગીત છે, અને ફિલ્મોમાં 'હોળી' ગીતના પ્રકારમાં પહેલી હરોળમાં સ્થાન મેળવે તે કક્ષાનાં આ બંને ફિલ્મોનાં ગીતો છે.
૩. કાહે કરત દેર બારાતી - ઔરત (૧૯૪૦) - ગીતકાર સફદર 'આહ'
અનિલ બિશ્વાસનાં બહુ જ જાણીતાં થયેલાં ગીતો પૈકી આ એક ગીત છે.
૪. મેરે અંગનામેં લગા અંબુઆકા પેડ - ઔરત (૧૯૪૦) - ગીતકાર : ડૉ.સફદર 'આહ'
અનિલ બિશ્વાસની ફિલ્માવલિમાં તેમણે આ જ ભાવનું કોકિલા (૧૯૩૭)માં 'મોરે ઘર પે લગા જામૂનિયાકા પેડ રે' જોવા મળે છે, પણ ઇન્ટરનેટ પર તેને હજુસુધી મુકાયું ન હોય તેવું જણાય છે. આ ગીતોથી અનિલ બિશ્વાસની લોકધૂનો પરનાં ગીત પરની હથોટી પણ બહુ જ સુપેરે જોઈ શકાય છે.
૫. કિયે જા સબકા ભલા - બહેન (૧૯૪૧) - ગીતકાર : ડૉ.સફદર 'આહ'
બહુ જ કર્ણપ્રિય એવા આ ગીતમાં મુકેશની ગાયકીની ઝલક જોવા મળશે. મુકેશની કારકિર્દીની શરૂઆતમાં તેમણે અનિલ બિશ્વાસની નિશ્રામાં કામ કરતાંકરતાં આ શૈલી વડે પોતાના અવાજની નૈસર્ગિક ખૂબી સાથે સાંકળી લઈને ફિલ્મ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું.
૬. ગોરી કાહે ખડી અટરિયામેં (માયા બેનર્જી સાથે ) - અપના પરાયા (૧૯૪૨) - ગીતકાર : પંડિત ઇન્દ્ર
ગીતના શબ્દો અને ફિલ્મમાં સિચ્યુએશનની માંગ અનુસાર ગાયકીમાં મસ્તી-તોફાન જેવા ભાવ પણ અનિલ બિશ્વાસ પોતાની ગાયકીમાં પૂરી શકે છે.
૭. તારા રા..રા. રા રા  ગાઓ કબીર, ઉડાઓ અબીર -જ્વાર ભાટા (૧૯૪૪) - પંડિત નરેન્દ્ર શર્મા
ઉત્તર ભારતમાં હોળી જેવા ઘોંઘાટિયા ઉત્સવો સમયે ખાણીપીણીના શોખીન પુરુષવર્ગ વડે ગવાતાં , કંઈક અંશે અશ્લિલ ઇશારાઓ ઇંગિત કરતાં લોકગીતોને 'કબીર' શૈલીનાં ગીતો તરીકે ઓળખવામાં આવે છે.અનિલ બિશ્વાસે તેમના અવાજમાં લોકગીતની આ ખૂબીને બહુ સ-રસ અંદાજમાં રજૂ કરી છે.
૮. બાદલ દલ સા નિકલ ચલા યે દલ મતવાલા રે - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
કિશોરાવસ્થામાં અનિલ બિશ્વાસે આઝાદીની ચળવળને પોતાના સ્વાનુભવે, સક્રિયપણે, બહુ જ નજદીકથી જોઈ છે, એટલે આ ગીતમાં તેની અસર દેખાય તેમાં તો કોઈ નવાઈ ન જ કહેવાય !
૯. સારે જગમેં પેટકા ધંધા - ભૂખ (૧૯૪૭)- ગીતકાર : ડૉ. સફદર 'આહ'
ભટકતા સાધુઓની પણ દરેક પ્રદેશમાં પોતપોતાની ગાયન શૈલી રહી છે. એ શૈલીને હળવું સ્વરૂપ આપીને અનિલ બિશ્વાસ પોતાના અવાજની ખૂબીનો એક નવો જ અંદાજ અહીં રજૂ કરે છે.
૧૦. હમેં માર ચલા યે ખયાલ-એ-ગમ,  ઈધર કે રહે ન ઉધર કે રહે -  આરઝૂ (૧૯૫૦) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
ગઝલને રજૂ કરવામાં પણ અનિલ બિશ્વાસ નવા પ્રયોગ કરતા જ રહે છે. આ ફિલ્મમાં આ સાથે તલત મહમૂદનાં 'અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ' જેવાં ગીતોની સાથે આ ગીત પણ પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી જ રહે છે.
૧૧. પાસ બાલમ ચોરી ચોરી આ (લતા મંગેશકર સાથે) - લાજવાબ (૧૯૫૦) - ગીતકાર : શેખર
અનિલ બિશ્વાસે લતા મંગેશકર પાસે બહુ જ પ્રયોગાત્મક ગીતો ગવડાવ્યાં છે. અહીં તેઓ ખુદ સમૂહસ્વરોમાં મુખ્ય ધ્વનિ સ્વરૂપે ગીતના અંતરા અને મુખડામાં પોતાની હાજરી નોંધાવે છે. મુખડાની બહુ જ અનોખી રજૂઆતને કારણે રેડિયો સિલોન પરના 'અનોખે બોલ' કાર્યક્રમમાં આ ગીત બહુ જ લોકપ્રિય થયું હતું.
૧૨. પૈસા નહીં હોત જો યે પૈસા નહીં હોતા (મન્ના ડે સાથે)- સૌતેલા ભાઇ - ગીતકાર : શૈલેન્દ્ર
મન્ના ડે માટે ગાયક તરીકે અનિલ બિશ્વાસને ખાસ લગાવ હતો. પુરુષ અવાજમાં જ ગવાયેલાં યુગલ ગીતો પણ ફિલ્મી સંગીતમાં એક ખાસ કેડી પાડતાં રહ્યાં છે. અહીં મન્ના ડેના સૂરની મસ્તીની એકએક નોટ્સ સાથે અનિલ બિશ્વાસ પણ ગાયક સાથે સમોવડિયો સંગાથ કરે છે. સંગીતકાર તરીકે કવ્વાલી, કીર્તન અને લોકગીત જેવા સાવ જ અલગઅલગ ગાયન પ્રકારનું અનોખું સંમિશ્રણ પણ અનિલ બિશ્વાસે કરી બતાવ્યું છે.


સાભાર :  Remembering Anil Biswas, The Singer