Wednesday, October 15, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ - રામચરણ



clip_image003


પૂરૂં નામ : રામચરણ
જન્મઃ ૧૯૩૯, ઉત્તર પ્રદેશ, ભારત


પરિચયાત્મક પૂર્વભૂમિકા:


ઉત્તર પ્રદેશના એક નાના શહેરમાં રામચરણનો જન્મ થયો હતો. સાત ભાંડરુઓના કુટુંબમાં તેમનું બાળપણ પાંગર્યું. કુટુંબની આર્થિક હાલત બહુ સારી નહીં; એટલે કૂવેથી પાણી ભરવાં, ઘરની ગાયોની દેખભાળ કરવી અને રાતના ફાનસના ટમટમિયા પ્રકાશમાં ભણવું એ સંજોગોએ તેમના ઘડતરનો પાયો ઘડ્યો. ૧૯૪૭ના સમયે થયેલાં કોમી હુલ્લડોમાં તેમના પિતા અને કાકાની કાપડની દુકાન બાળી નાખવામાં આવી. તે પછીથી એ ભાઈઓએ ચામડાનાં પગરખાંની દુકાન શરૂ કરી. શાળાએ જતાં પહેલાં અને શાળાએથી છૂટીને રામચરણ એ દુકાને જઈને નાનાંમોટાં કામોમાં મદદ કરતો. ગલ્લે બેસીને દરરોજના વકરાની ગણત્રી કરતાંકરતાં રામચરણને નાણાં પ્રવાહ [Cash Flow]ના વ્યવસાયની 'ધોરી નસ' તરીકેના મહત્ત્વની સમજના પાઠ ભણવા મળ્યા. આજે પણ તેમનાં કન્સલ્ટીંગનાં કામે જાય, ત્યારે તેમના પહેલા સવાલો કંપનીના નાણાંપ્રવાહને સમજવાને લગતા હોય છે.

શાળાના અભ્યાસ દરમ્યાન રામચરણને તે જે કંઈ ભણે તેને એક પાનાના સારાંશમાં ટપકાવી લેવાની એક બીજી પણ આદત પડી. પછીથી તેમના કન્સલ્ટીંગના કામમાં પણ તેઓ તેમના ક્લાયન્ટ મુખ્ય સંચાલકોને એક પાનામાં નોંધ આપતા. શાળામાં તેઓ ભય, ક્રોધ અને આળસ એ માણસનાં સહુથી મોટાં શત્રુ છે તેમ પણ શીખ્યા.

એમના મોટા ભાઈઓ તો ધીમેધીમે કૌટુંબિક વ્યવસાયમાં જોડાતા ગયા, પણ ૧૫ વર્ષની વયે રામચરણ બનારસ હિંદુ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ વિદ્યાશાખાના સ્નાતક અભ્યાસક્રમમાં જોડાયા. દિવસે કામ કરવું અને રાતે ભણવું તેમનો એ ક્રમ. તેઓ કૉલેજ પછી કામ વિનિમય કાર્યક્રમ હેઠળ ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે પણ એ ક્રમચાલુ જ રહ્યો.

ચાર વર્ષ પછી જ્યારે હાવર્ડમાં એમબીએનું ભણવા આવ્યા, ત્યારે પણ તેમનો મહેનતકશ અભિગમ તેમને મદદગાર થયો. હાવર્ડમાં ઉનાળુ વેકેશન દરમ્યાનના પ્રોજેક્ટ માટે તેઓ હોનોલુલુની એક ગેસ કંપનીમાં કામે રહ્યા હતા. ત્યાં પણ તેમણે કંપનીના હિસાબોનો અભ્યાસ કરીને નોંધ્યું કે કંપની ડિવિડંડ આપવામાં કાચી પડી રહી હતી. આ સમસ્યાનું સમાધાન કરવાનું પણ તેમને જ સોંપાયું. છ અઠવાડીયાં પછી તેમણે જણાવ્યું કે રાતના ૧૦થી વહેલી સવારે ૪ વાગ્યા સુધી ગેસની પાઈપલાઈનું દબાણ થોડું ઓછું રાખવામાં આવે તો ગેસનાં ગળતરમાં જે બચત થશે તેનાથી ડિવીડંડ આપી શકાશે. આ વાત તેમણે મોડી રાતના પંમ્પીંગ સ્ટેશનમાં જઈને જોઈ હતી. તે સાથે તેમણે એ સમયે એ પણ જોયું કે કંપનીના ઑપરેશન્સના કર્મચારીઓ ગેસવહેંચણી ખાતાના કર્મચારીઓ સાથે વાતચીત નહોતા કરતા. આમ સંસ્થામાં એક વિભાગ બીજા વિભાગ સાથે સંવાદ ન જાળવે, તો સામાન્ય જણાતા પ્રશ્નો પણ કેવા વિકટ બની જઈ શકે છે તેનો પાઠ પણ તેઓ ભણ્યા.

હાવર્ડમાં તેઓ પહેલા ૩%માં રહીને અનુસ્નાતક થયા, ત્યાં જ ડૉકટેરેટની પદવી પણ લીધી અને પછીથી ત્યાં જ શિક્ષણકાર્યમાં પણ જોડાયા. શૈક્ષણિક સંશોધન સાથે તેમને જામી નહીં. તેઓ તો વાસ્તવિક જગતની સમસ્યાઓના નિવારણમાં વધારે રસ ધરાવતા હતા, એટલે શિક્ષણની સાથેસાથે કન્સલ્ટીંગમાં તેમની પાંખો ફેલાતી ગઈ. ડલાસમાં તેમણે તેમના કન્સલ્ટીંગ વ્યવસાયનાં મૂળિયાં વાવ્યાં.

એક સમયે તે 'સહુથી વધારે ભમતા રહેતા કન્સલટન્ટ' તરીકે પંકાઈ ગયા હતા. દુનિયાભરની હૉટેલો જ તેમનું ઘર બની રહી હતી અને તેમ છતાં જીઈ, ડ્યુ પૉન્ટ અને એવા કેટલાય ક્લાયન્ટ્સ સાથે તેમનો ૨૦થી ૩૦ વર્ષનો વ્યાવસાયિક સંબંધ બંધાયેલો રહે એ બાબત બહુ જ સામાન્ય બની રહી.

પગરખાંની દુકાનથી માંડીને હાવર્ડની સમર સ્કૂલ સુધીના અનુભવોમાંથી પરિસ્થિતિઓની જટિલતાને તેનાં નાનાં, જરૂરી એકમોમાં વહેંચી નાખીને તેમાંથી સરળ સમાધાન ઘડી કાઢવાની જે હથોટી તે શીખ્યા, તે તેમની આગવી ઓળખ બની રહી. આ ઉપરાંત ફરી ફરીને લોકો તેમને શોધતા આવતા હતા, તેમની તેમનાં કામ માટેની બેસુમાર લગનને કારણે. ૧૯૯૯માં તેમના પર ત્રેવડી બાયપાસ શસ્ત્રક્રિયા થઈ, પણ ૧૧ દિવસ પછી તે તેમનાં કામ પર આવી ગયા હતા.રામચરણની વિચારધારા
"કંઈ ખાસ કરતા નથી"
clip_image005આમ જુઓ તો તેમણે અન્ય મેનેજમૅન્ટ ગુરૂની જેમ કોઈ ચોક્કસ સિધ્ધાંત ઘડ્યો નથી કે પ્રચલિત પણ કર્યો નથી. પરંતુ કોઈ ચોક્કસ વિચારધારા ન હોવી એ જ એમની વિશિષ્ટતા બની રહી. કંપનીની સામે દેખાતી મોટી સમસ્યાને ચોક્કસ રીતે અમલ કરી શકાય તેવાં પગલાંઓમાં પરિવર્તિત કરવાની તેમની સૂઝ જ એક મહત્ત્વનો મેનેજમૅન્ટ સિધ્ધાંત અને પ્રણાલિકા બની રહી.
દરેક ઘટનાને બહુ જ નજદીક્થી નિહાળવી, સાચા સવાલો પૂછવા કે સાચા સવાલો કેમ પૂછવા તે જ તેમનાં આગવાં પ્રદાન છે. એક કન્સલટન્ટ તરીકે કોઈપણ કંપનીની સમસ્યામાં સીધા જોડાઈ જવાને બદલે તે એક આદર્શ ઉદ્દીપકની ભૂમિકા ભજવે અને જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ તેમને સંતોષ થાય તે સ્તરે ન થાય ત્યાં સુધી તેનો કેડો પણ ન મૂકે. કોઈને પણ તેઓ પગભર થવાની મદદ જરૂર કરે, પણ હાથ પકડીને ચલાવે નહીં. આમ એમાં ભારતમાંનાં તેમનાં કુટુંબીજનો પણ આવી જાય. તેમને તે સાચી દિશા પકડવા સુધીની જ મદદ કરે.
તેઓ બહુ જ ખ્યાત બહુરાષ્ટ્રીય કંપનીઓના નિયામક મંડળ પર સેવાઓ આપે છે, તેમ જ 'થીંકર્સ ૫૦' જેવી મૅનેજમૅન્ટ ગુરૂઓની વૈશ્વિક યાદીઓમાં વર્ષો સુધી માન્યતા મેળવતા રહ્યા છે.
'દેખીતી અર્થવિહીન બાબતોમાંથી અર્થ તારવીને, શાંતિથી અસરકારક રીતે સમજાવી દેવો'
પોતાના અનેકવિધ અનુભવોના પાઠ તેમણે તેમનાં પુસ્તકો અને લેખોમાં ઉતાર્યા છે. વૈશ્વિક પરિવર્તનો અને ટેક્નોલોજિના હરણફાળસમા વિકાસની દોડમાં પોતાનું અસ્તિત્વ ટકાવવાની સાથેસાથે આવનારા ભવિષ્યમાં સ્પર્ધાત્મક સરસાઈ કેમ જાળવી રાખવી એ બાબત હંમેશાં તેમની વિચારધારાના કેન્દ્રમાં રહી છે.
વૈશ્વિક ઝુકાવમાં વ્યવસાયને સફળતાથી કેમ દોરવણી પૂરી પાડવી
clip_image007૨૧મી સદી બેસતાં સુધીમાં વિશ્વના અતિવિકસિત દેશોની પકડમાંથી આર્થિક પ્રભાવ ખૂબ જ ઝડપથી વિકસી રહેલ ચીન, ભારત, બ્રાઝીલ, કોરિયા કે મધ્ય પૂર્વના અને આફિકાના કેટલાક દેશો તરફ ઢળી ચૂક્યો હતો. આ પરિવર્તન આમ તો નરી આંખે દેખાય જ છે, પણ તેમ છતાં ઘણા વ્યાપર-ઉદ્યોગના અગ્રણીઓ તેને નહોતા જોઈ શકતા (કે નહોતા જોવા માગતા). આ પરિસ્થિતિમાં તેમની સલાહ છે કે -
- ભૂતકાળની સફળતાનો જ જેના પર મદાર રહ્યો છે તેવી મૂળભૂત ક્ષમતા પર જ નિર્ભર ન થશો, જો એ ક્ષમતા ભાવિ પડકારોને ઝીલવા માટે સક્ષમ ન હોય. ભવિષ્યની સંભાવનાઓના પડકારોને પહોંચી વળવા માટે જે કોઈ ક્ષમતા ઘડી કાઢવી પડે તેને વાસ્તવિકતામાં ઉતારવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
- વ્યૂહાત્મક ઘડી ઝડપી લેવા તત્પર રહો - આજના યુગમાં થઈ રહેલા ફેરફારોની ગતિ એટલી ઝડપી છે કે ફેરફારો આવતા જોઈ શકાતા હોય, તો પણ જરૂરી સાધનો એકઠાં કરવાં કે તેમને મેદાનમાં કામે લગાડવા માટે જે ચપળતા જોઈએ તે વિષે જરા પણ ગાફેલ રહેવું પાલવે નહીં.
- ટૂંકા ગાળાનાં ધ્યેયમાં લપેટાઈ ન જશો - લાંબા ગાળાની જરૂરિયાતોના સંદર્ભમાં ટૂંકા ગાળાનાં પગલાં લેવા માટેનું કૌશલ્ય અને હામ આજના વ્યાપાર અગ્રણીઓએ કેળવવાં રહ્યાં.
આ દિશામાં વિચાર શરૂ કરવા માટે તેઓ આ સવાલ પૂછે છે - આજના બજારના સંદર્ભના દૃષ્ટિકોણને ભાવિ મહત્ત્વનાં ચિત્રની દિશા તરફ ગોઠવવા માટે તમે શું કરો છો ? બીજા શબ્દોમાં કહીએ તો, જૂની પૂર્વમાન્યતાઓ ત્યજીને આપણા વર્તમાન વ્યવસાયની ભાવિ ક્ષિતિજને આંબવા માટે શી રીતે નજર માંડશો ?
ધ્યાનપૂર્વક સાંભળવાની શિસ્ત
રામચરણનું કહેવું છે કે તેમના અનુભવે દર ચારમાંથી એક વ્યાપાર-ઉદ્યોગઅગ્રણી ધ્યાનથી સાંભળવાની બાબતે ઊણા ઉતરતા જણાય છે. પરંપરાગત રીતે તો એમ કહેવાય કે કાન સરવા રાખવા માટે મગજને ભાવનાત્મક રીતે ચપળ રાખો અને હાથવગું રાખો. પરંતુ ભવિષ્યના ઝડપી ફેરફારોને પહોંચી વળવા આટલાથી થોડું વિશેષ પણ કરવું જરૂરી છે -
- કોઈ પણ ચર્ચા કે સંવાદમાંથી મહત્વના 'ગાંગડા'ને અંકે કરો : કોઈપણ ચર્ચામાં મહત્ત્વની બાબતને કોઈને કોઈ જાણીતા કે નવા શબ્દસમૂહમાં કહી દેવાતી હોય છે. એવા શબ્દસમૂહોને પકડી લો અને પછીથી તેના વિષે એકબીજાની સમજને સ્પષ્ટ કરી લો.
- માહિતીના સ્ત્રોત પર ધ્યાન આપો : કોઈ પણ ચર્ચામાં ભાગ લઈ રહેલ સાથીઓના દૃષ્ટિકોણ અને સંદર્ભને પણ સમજવા જોઈએ., ખાસ કરીને જ્યારે ચર્ચામાં સહમતી ન બની રહી હોય. સામેની વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાથી ભલે સહમતી ન સધાય, પણ એકબીજાના વિચાર અને દૃષ્ટિકોણને બહુ જ સારી રીતે સમજી શકાય છે.
- અંગારને વધારે હવા આપો : હાલમાં જે સંદર્ભમાં ચર્ચા થઈ રહી હોય તેને વધુ વિશાળ ફલક પર લઈ જવા માટે નવા આયામ ઉમેરો. ટીમની વિચારધારાને પ્રવર્તમાન સીમાઓની બહાર ખેંચી જઈ ભાવિ સમસ્યાઓનાં સમાધાન માટે, અત્યાર સુધી ન પ્રયોગ કરાયેલ ઉપાયો કામે લગાડવા માટે પ્રોત્સાહન આપો.
- ધીમા પડો : ઝડપના જમાનામાં વાતને સાંભળી ન સાંભળી કરી તેમાંના સંદેશના અણસારને ઝડપી લેવાની ટેવ પડી જવી એ સામાન્યપણે ઘટના ગણાય. જો આવું થતું હોય, પ્રતિભાવ આપતાં કે નિર્ણય લેતાં પહેલાં સામેની વ્યક્તિને પૂરેપૂરી સાંભળી લેવા જેટલી રાહ જુઓ. વાતનું હાર્દ બંને પક્ષે એ જ સ્તરે સમજાયું / સ્વીકારાયું છે તે નક્કી થઈ ગયા બાદ જ પ્રતિભાવ આપો.
- સંનિષ્ઠપણે વ્યક્તિગત પ્રમાણિકતા જાળવી રાખો : કોઈ પણ ટેવના કોચલામાંથી બહાર નીકળવા માટે શિસ્ત, સતત પ્રતિભાવ અને અભ્યાસ જરૂરી છે. ધ્યાનપૂર્વક સાંભળવાની ટેવને કોઠે પાડવા માટે પણ શિસ્ત, સાથીદારોના સાચા પ્રતિભાવ અને નિયમબધ્ધ અભ્યાસ માટેની પોતાની પ્રતિબધ્ધતા માટે સંનિષ્ઠ પ્રમાણિકતામાં કોઈ જ શરતચૂક ન થવા દેવી એ તમારી અંગત નૈતિક જવાબદારી છે.
પોતાના વિકાસને અગ્રીમતા આપવી જ રહી

પોતાના વ્યવસાયનાં ધ્યેય સિદ્ધ કરવાની હોડમાં પોતાના વિકાસને શહીદ ન થવા દેવો જોઈએ. બજારનાં વલણોમાં કે ટેક્નોલોજિ કે વૈશ્વિક સ્તરે આવી રહેલાં પરિવર્તનોને કારણે આજની તારીખમાં ખૂબ જ સજ્જ અને સફળ જ્ઞાન-કાર્યકર્તા પોતાનાં જ્ઞાન અને અનુભવનાં શિખરપરથી ગમે ત્યારે ગબડી પડી શકે છે. પ્રૌઢાવસ્થાએ પહોંચેલા સંચાલકોને તો તેમના પછી આવી રહેલી યુવા પેઢીની ડીજીટલ ટેક્નોલોજિની સાથેની ફાવટનો પણ ફાયદાકારક ઉપયોગ કરતાં શીખવાનું છે. આમ, વર્તમાન તથા ભાવિ એમ બંને પેઢીઓએ પોતાનાં જાણકારીનાં ક્ષેત્ર ઉપરાંત સંચાલન અને નેતૃત્વનાં સ્તરે પણ પુનઃશોધખોળ પણ કરતાં રહેવું પડશે.

પોતાની જાતને પૂછજો કે પોતાના વિકાસ માટે આપણે કેટલો સમય ફાળવીએ છીએ ?

અંગત વિકાસને પ્રાથમિકતા આપવા માટેના ત્રણ રસ્તા :

૧. પોતાના વિકાસની જવાબદારી પોતાના જ હાથમાં રાખો - કંપની આ બાબતે જે કંઈ કરતી હોય, તેટલા માત્રથી સંતોષ ન માનો. ભવિષ્યે કઈ બાબત માટે આપણે વધારે સજ્જ થવું પડશે, તેનું બહુ જ સ્પષ્ટ ચિત્ર નજર સામે રાખતા રહો અને તે માટે જરૂરી સમય અને સાધનો ફાળવવામાં કચાશ ન રાખશો.

૨.પોતાનું નસીબ જાતે જ ઘડો - પોતાના વિકાસ માટે માત્ર સમય જ ફાળવવાથી કામ નહીં બને, તકો પણ ઊભી કરવી પડશે અને તેમને ઝડપી પણ લેવી પડશે

૩. તમારા વિકાસમાં મદદરૂપ થાય તેવા ઉપરીઓ / માર્ગદર્શકોનો સંગાથ કરો. જરૂર પડ્યે નોકરી બદલતી વખતે આ પરિબળને અગ્રિમ મહત્ત્વ પણ આપો.

યાદ રહે, અહીં વિકાસ એટલે દરેક સંજોગમાં પ્રસ્તુત રહેવું.

ઝડપથી બદલાતા જતા સમયના સંદર્ભમાં, તેમનાં પુસ્તક '“Know-How”: The 8 Skills T hat Separate People Who Perform from Those Who Don’t'માં તેમણે ભાવિ અગ્રપ્રબંધકને લખેલો પત્ર બહુ રસપ્રદ વિચારસરણીને રજૂ કરે છે, જેમ કે "૨૧મી સદીમાં તો તમારો અંગત વિકાસ એ સતત વહેતો પ્રવાહ છે. મારી તો તમને એ જ આગ્રહભરી વિનંતી છે કે જાણે દુનિયાનું અસ્તિત્વ આ જ વાત પર ટકી રહ્યું છે, તેમ જ વિચારતા અને માનતા રહો. અને આમ જુઓ તો, છે પણ એવું જ ને ! દેશના આર્થિક માપદંડો આર્થિક સિધ્ધાંતો કે શોધખોળો કે ટૅક્નૉલોજિથી નથી નક્કી થતા. જુદા જુદા વિષયોના નિષ્ણાતોનાં સામંજસ્ય વડે, ટેકનોલોજિ માટે નાણાંકીય સંસાધનો ફાળવીને અને તેમને યથોચિત વપરાશમાં લઈને કે શોધખોળોના વાણિજ્યિક વપરાશ માટેનાં જોખમો ખેડીને નેતાઓ, ખાસ કરીને વ્યાવસાયિક અગ્રણીઓ, એ માપદંડોને ઘડે છે. તમારા અંગત નેતૃત્વના ઘડતરને તમે આ પ્રક્રિયાનો હિસ્સો બનાવી શકો છો." પુસ્તકો:
1. Boards At Work: How Corporate Boards Create Competitive Advantage (J-B US non-Franchise Leadership) by Ram Charan (Mar 25, 1998)
2. Every Business Is a Growth Business: How Your Company Can Prosper Year After Year by Ram Charan and Noel Tichy (Apr 4, 2000)
What the CEO Wants You to Know : How Your Company Really Works by Ram Charan (Feb 13, 2001)
4. Learn from street vendors in India! Secret of business, (overseas series) (2001) ISBN: 404791391X [Japanese Import... (2001)
5. Execution: The Discipline of Getting Things Done by Larry Bossidy, Ram Charan and Charles Burck (Jun 4, 2002)
Profitable Growth Is Everyone's Business: 10 Tools You Can Use Monday Morning by Ram Charan (Jan 20, 2004)
7. Boards That Deliver: Advancing Corporate Governance From Compliance to Competitive Advantage by Ram Charan (Feb 3, 2005)
Confronting Reality = Ima genjitsu o tsukamaero : shinsedai yuryo kigyo no bijinesu hosoku [Japanese Edition] by Larry Bossidy, Ram Charan and Yuko Takato (2005)
9. Leaders at All Levels: Deepening Your Talent Pool to Solve the Succession Crisis by Ram Charan (Dec 21, 2007)
What The Customer Wants You To Know – How Everybody Needs to Think Differently about Sales by Ram Charan (Dec 27, 2007)
The Game Changer – How You Can Drive Revenue and Profit Growth with Innovation by A G Lafley and Ram Charan (April 8, 2008)
12. Know-How: The 8 Skills that Separate People who Perform From Those Who Don't by Ram Charan (Dec 2, 2008)
Leadership in the Era of Economic Uncertainty: Managing in a Downturn by Ram Charan (Dec 22, 2008)
14. Owning Up: The 14 Questions Every Board Member Needs to Ask by Ram Charan (April 13, 2009)
15. Confronting Reality: Master the New Model for Success by Larry Bossidy and Ram Charan (Jul 6, 2010)
The Leadership Pipeline – How to Build the Leadership-Powered Company by Ram Charan, Stephen Drotter and Jim Noel (Jan 11, 2011)
The Talent Masters: Why Smart Leaders Put People Before Numbers by Ram Charan and Bill Conaty (Feb 28, 2011)
18. Global Tilt: Leading Your Business Through the Great Economic Power Shift by Ram Charan (Feb 26, 2013)
19. Boards That Lead: When to Take Charge, When to Partner, and When to Stay Out of the Way by Ram Charan, Dennis Carey and Michael Useem (Dec 10, 2013)
રામચરણનાં વ્યક્તવ્યો (વીડિયો ક્લિપ્સ)
1. At Learderonomics .tv
2. Leadership During Times of Crisis -
3. Building A Successful Business - http://youtu.be/s8aGEU9hgk8
4. Guest Speaker @ the international Pilosio "Building Peace" Award, 2011 -
5. Leading in Uncertain Times – Keynote speech @ NAASCOM 2013 - http://youtu.be/BwkTbAJrjKY
6. Mr. Analjit Singh, Chairman, Max India discusses business strategies with eminent management guru Mr. Ram Charan in a never before exclusive on ET Now  - Part 1 | Part 2 | Part 3
7. Exceptional Leadership for India Inc- Mr. Ram Charan's talk on marketing  - Part - 1 | Part - 2 | Part - 3
clip_image001 આ લેખ વેબ ગુર્જરી પર ૧૮ જુલાઇ ૨૦૧૪ના રોજ પ્રસિધ્ધ થયેલ.

૨૧મી સદીમાં તો તમારો અંગત વિકાસ સતત વહેતો પ્રવાહ છે. જાણે દુનિયાનું અસ્તિત્વ વાત પર ટકી રહ્યું છે, તેમ વિચારતા અને માનતા રહો. - રામચરણ


Saturday, October 11, 2014

ફિલ્મી ગીતોમાં પત્રો (૧) - કન્વર્ઝેશન્સ ઑવર ચાય


એક સમય હતો જ્યારે માધ્યમિક શાળા કક્ષા સુધીનાં ભાષાનાં પ્રશ્નપત્રોમાં વિધવિધ વિષયો પર પત્રલેખન એ બહુ મહત્ત્વનો પ્રશ્ન હતો. તેને કારણે કેટલીયે પેઢીઓને પત્ર લખવાનું શાસ્ત્રીય જ્ઞાન મળ્યું હશે, જેને લોકોએ પોતાનાં મિત્રો, પ્રેમીજનો, વ્યાવહારિક કારકીર્દીમાં લખેલા પત્રો દ્વારા એક કળા તરીકે પણ વિકસાવ્યું. પત્રોના સંકલન પરથી કેટલાંય બેનમૂન પુસ્તકોએ 'પત્રલેખન'ને સાહિત્યના એક મહત્ત્વના પાસા તરીકે બહુ જ આગવો દરજ્જો પણ અપાવ્યો છે.

પૉસ્ટ કાર્ડ, આંતર્દેશીય પત્રો કે નોટબુકોમાંથી ફાડેલાં પાનાંઓથી માંડીને ખૂબ જ કળાત્મક રીતે બનાવાયેલ કાગળો પર ઘસડી મારવાથી માંડીને મોતીના દાણા જેવા અક્ષરોમાં, ખાસ સમય લઇને પત્ર લખવા બેસવું તે એ પત્રોને વાંચવા જેવો જ એક લ્હાવો હતો. દરરોજ એ પત્રો માટે ટપાલીની કાગ ડોળે રાહ જોવી એ પણ એક સમયની સંસ્કૃતિનું એટલું જ રસપ્રદ પાસું પણ હતું.

ઇન્ટરનેટને કારણે ઘણા ફાયદાઓ તો થયા પણ, બહુ પ્રચલિત થયેલ કારણે પત્ર લેખન / વાંચન અને આપલે એ ભૂતકાળની ગર્તાઓમાં અશ્મિભૂત થઇ ચુક્યું છે. તેમાં વળી હવે મોબાઈલ ટેક્નોલોજીએ ટુંકા સંદેશાઓની જે લત લગાડી છે, તેણે તો 'હા'ને બદલે 'હ'થી કેમ કામ લેવું તેની એક નવી જ સંદેશા વ્યવહાર પદ્ધતિ અને શબ્દકોષમાં તેના માટેના પારિભાષિક શબ્દોની એક માતબર શ્રેણી વિકસાવી દીધી છે.

પત્ર લેખનની આ મીઠી યાદ વાગોળવાનું કારણ એ કે ફિલ્મી ગીતોમાં પણ પત્રોની આગવી ભુમિકાને ઉજાગર કરતાં કેટલાંક યાદગાર ગીતોની આજે વાત કરવી છે.

અફસાના લીખ રહી હૂં દિલ-એ-બેકરારકા - દર્દ (૧૯૪૭)- ગાયિકાઃ ઉમા દેવી | સંગીતકાર : નૌશાદ |ગીતકાર : શકીલ બદાયુનીimage
ઉમા દેવીએ આના સિવાય કોઈ બીજું ગીત ન ગાયું હોત તો પણ તેમનું નામ ફિલ્મ સંગીતની પરોઢની પાર્શ્વગાયિકાઓમાં પ્રથમ હરોળમાં રહ્યું હોત તે વિષે કોઇ શંકા ન હોઈ શકે.

અને તેમાં વળી પત્ર લખવા માટે સદાબહાર એવો પ્રિયજનના ઈતઝારનો વિષય મળે, પછી કંઈ પૂછવાપણું થોડું રહે !

ભગવાન તુઝે મૈં ખત લિખતા પર તેરા પતા માલૂમ નહીં - મનચલા (૧૯૫૩) - ગાયક અને સંગીતકાર : ચિત્રગુપ્ત | ગીતકાર : રાજા મહેંદી અલી ખાન

ઈશ્વર માટે ફરિયાદોની યાદી લાંબી તો ઘણી છે, પણ તે કહેવા માટે ખત લખવો હોય તો ક્યાં લખવો…….

દિલકી શિકાયત નઝર કે શીકવે - ચાંદની ચૌક (૧૯૫૪) - ગાયિકા લતા મંગેશકર | સંગીતકારઃ રોશન | ગીતકાર શૈલેન્દ્રimage
મૃત્યુ પામેલા મનાતા પતિના ઊડતા ઊડતા ખબર મળ્યાથી નાયિકાનાં દિલમાં પહેલી વાર જ ખુશીની લહેર દોડી ગઈ છે. પત્રમાંનાં તેનાં અરમાનો, સપનાંઓ, તેની નાની નાની શિકાયતોને, ખતમાં જ્યાં આંસુનું ટીપું દેખાય ત્યાં મારો પ્રેમ નજર સામે કરજે અને થોડું લખ્યું ઝાઝું સમજજે; છૂપ્યાં છુપાય નહીં અને કહ્યાં કહેવાય નહી એવાં યુવાન થઇ ચૂકેલાં દરદ જેવા, માત્ર તેનો પતિ જ સમજી શકે તેવા, ભાવ આ પત્રમાંથી છલકે છે.

તેરા ખત લે કે સનમ, પાંવ કહીં રખતે હૈ હમ - અર્ધાંગિની (૧૯૫૯) - ગાયિકા લતા મંગેશકર | સંગીતઃ વસંત દેસાઇ | ગીત લેખક : મજરૂહ સુલ્તાનપુરીimage

ટપાલીની સાઇકલની ઘંટડી વાગતાં જ મનમાં આપણી અપેક્ષાઓની વાગી ઊઠતી ઘંટડીઓના રણઝણાટને આ ગીત વાચા આપે છે. પ્રિયજનના પત્રમાં શું શું લખ્યું હશે તેની કલ્પનાઓને કારણે હવે તો પગલાં પણ અહીં રાખવાં છે પણ પેલી બાજુ પડવા લાગ્યાં છે. પત્રમાં શું લખ્યું છે તે જાણવાની ઉત્સુકતાને કારણે વધી ઉઠેલી હૃદયની ધડકનો અને આમતેમ ફરકતી નજરને શાંત રાખવા હૈયું બિચારું કેટલાય પ્રયાસો કરીને બે ઘડી હોશમાં આવવા મથી રહ્યું છે.

પય્યામ-એ-ઈશ્ક-ઓ-મુહબ્બત હમેં પસંદ નહીં - બાબર (૧૯૬૦) ગાયિકા - સુધા મલ્હોત્રા સંગીતકાર : રોશન ગીતકાર : સાહિર લુધ્યાનવી

image મુગલ સલ્તનતના પાદશાહ બાબરનો શાહજાદો હુમાયું બાબરની દાસી મિરઝા સાહિબની બેટી હમીદા બાનુ સાથે ગળાડૂબ પ્રેમમાં છે. સામાન્ય લોકોમાં સમજ પણ વધારે ઝડપથી ઘડાઇ જતી હોય છે એ ન્યાયે હમીદા સમજે છે કે તખ્ત અને મોહબ્બતની લડાઈમાં મોહબ્બતો હંમેશાં શહીદ જ થતી આવી છે. બસ, 'હુઝૂર યે ઈનાયત હમેં પસંદ નહીં' જેવા શબ્દોમાં વાસ્તવિકતાની એ સમજના ભાવ એ આ પત્રમાં ઠાલવે છે.

તુમ એક બાર મુહબ્બતકા ઈમ્તિહાન તો લો - બાબર (૧૯૬૦) - ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : રોશન ગીતકાર : સાહિર લુધ્યાનવી

image આની પહેલાંના ગીતના સંદેશના જવાબમાં દિલનાં ઊંડાણમાંથી ઊઠેલી એક ટીસ છે આ ગીતમાં - આજે મારી જાન તને કુરબાન કરું ,તો જ તને ઐતબાર થશે કે ઝિંદગીમાં તારાથી વધારે મને કશું જ નથી. ચાલો, એમ તો એમ; મારી ચાહતની એક પરીક્ષાની તક તો મને આપ !

દુનિયાની સમજદારીની થપ્પડો ખાઈને ગમે તેટલું દિલ બુઠ્ઠું થઇ ગયું હોય તો પણ મોહમ્મદ રફીના અવાજમાં રહેલ માર્દવની કસકભરી દિલકશ આજીજીઓના પ્રવાહમાં પીગળ્યે જ છૂટકો છે...

ઓ નિર્દયી પ્રીતમ..પ્રણય જગાકે...હૃદય ચુરાકે ચુપ હુએ ક્યોં તુમ - સ્ત્રી (૧૯૬૧) - ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર સી. રામચંદ્ર | ગીતકાર : ભરત વ્યાસ image
પ્રણય જગાડી હૃદય ચોરી કરીને ચુપ થઈ ગયેલા પ્રીતમ દુષ્યંતને વિરહિણી શકુંતલા સમજાવે છે કે તારી સાથે જે જે પ્રેમનાં મધુરાં રૂપ દેખાતાં હતાં તે બધાં જ રૂપકોની પીડા તને નિર્દયી તરીકે સંબોધન કરવા સુધી મજબૂર કરી ચૂકી છે.

યે મેરા પ્રેમ પર પઢકર, કે તુમ નારાઝ ના હોના, કે તુમ મેરી ઝીંદગી હો કે તુમ મેરી બંદગી હો - સંગમ (૧૯૬૪) - ગાયક : મોહમ્મદ રફી | સંગીતકારઃ શંકર જયકિશન | ગીતકાર: હસરત જયપુરી

ફિલ્મી ગીતોમાં પ્રેમની અભિવ્યક્તિ માટેની ખુબજ કળાત્મક રજૂઆત માટે આ ગીત નમૂનારૂપ ગણાય છે.

image સિતારના રૂમઝૂમતા સૂર પ્રેમપત્રથી ઝણઝણી ઊઠતી લાગણીઓને લગભગ સો એક વાયોલિન અને પિયાનાઓની સંગતથી બાગ બાગ કરી આપતું પ્રીલ્યુડનું સંગીત અને છેક છેલ્લે નાયિકાનું એ પત્રરૂપે લતા મંગેશકરના અવાજમાં ગણગણવું, ક્લિપના અંત ભાગમાં ફિલ્મનાં અંતિમ દૃશ્યમાં ગંગા-જમુનાના સંગમ પર મિત્રનાં અસ્થિ વિસર્જન કરતી વખતે 'તુમ નારાઝ ના હોના' સ્વરનું ફાની વિદાયની કરૂણાથી ભરી દેવું, રાજ કપુરનાં 'શ્રેષ્ઠ શૉમેન'ના બિરુદને એક વધારે વાર બિરદાવી રહે છે.

ઉન્હે કિસ્સા-એ-ગમ લીખને બૈઠે તો - નયા કાનુન (૧૯૬૫) - ગાયિકાઃ આશા ભોસલે | સંગીતકાર : મદન મોહન | ગીતકાર હસરત જયપુરી

image ચિઠ્ઠી લખવા માટેની વેદના કહેવા બેઠાં તો દિલની કલમ મુરઝાઇ ગઇ, હવે આંસુઓમાં છુપાએલાં તોફાનોને સમજાવવાં તો સમજાવવાં કેમ કરીને....

પત્ર વાંચવાની એક ખાસિયત એ છે કે લાંબો હોય કે ટુંકો તેને વારંવાર વાંચવાની મજ કંઇક ઑર જ હોય. જો કે આપણે તો લેખને સુવાચ્ય બનાવી રાખવા માટે આપણી પત્રલેખનની આ સફરમાં અહીં 'મધ્યાંતર' વિરામ પાડીએ છીએ.
પત્ર લેખનની આપણી સફર ૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ આગળ ચલાવીશું.....






વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૧૧ ઑક્ટોબર, ૨૦૧૪

Wednesday, October 8, 2014

'કલમ કાંતે કચ્છ' : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમિયાન લખેલા લેખોનો ૧+૮ પુસ્તકોનો સંપાદિત સંપુટ 'કલમ કાંતે કચ્છ' શ્રેણી હેઠળ તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ સંપુટની છડી પોકારે છે,પહેલો ગ્રંથ "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી'.સમગ્ર પણે જોઇએ તો, આખા સંપુટને શ્રી કીર્તિ ખત્રીની 'કચ્છમિત્ર'ની ત્રણ દાયકા ઉપરાંતની સફરનું વિવરણ છે. એમની અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટા કલમમાંથી નીકળેલા ૩૦૦૦થી વધારે લેખોમાંથી ચૂંટેલા ૬૩૯ લેખોને દસ્તાવેજીકૃત સાહિત્ય ગણી શકાય.

'કલમ કાંતે કચ્છ'માં જે અન્ય આઠ ગ્રંથ પણ સમાંતરે જ પ્રકશિત થયા છે તેમનાં નામો પણ તે દરેક ગ્રંથના વિષયની પહેચાન છે:
ગ્રંથ : ૨ - જોયું, જાણ્યું ને લખ્યું
ગ્રંથ : ૩ - રણના રંગ બેરંગ
ગ્રંથ : ૪ - દરિયાની આંખે આંસુ
ગ્રંથ : ૫ - જળ મૃગજળ
ગ્રંથ : ૬ - ધરતી તાંડવ
ગ્રંથ : ૭ - પાંજી પીડા પાંજી ગાલ
ગ્રંથ : ૮ - પાંજા પ્રશ્ન પાંજી ગાલ
ગ્રંથ : ૯ - વાહ કચ્છીયતને
આ પુસ્તકો કચ્છની પીડા, પ્રશ્નો, ખૂબી અને ખાસિયતોની તવારીખ માત્ર નથી. તેમાં શ્રી કીર્તિ ખત્રીના વૈયક્તિક અને વ્યાવસાયિક વ્યક્તિત્વના નીખારની સાથે સાથે જાગૃત પત્રકારની નિષ્પક્ષ, નીડર અને વેધક દૃષ્ટિએ થયેલ કચ્છના પ્રશ્નોની છણાવટ પણ છે.

આ આઠ પુસ્તકોનો પરિચય આપણે આગળ ઉપર કરીશું. આજે વાત માંડીશું આ ગ્રંથમાળાના પહેલા પુસ્તક "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી”ની.

'કલમ કાંતે કચ્છ'ના ઉપર નોંધેલાં આઠ પુસ્તકોમાં કીર્તિભાઇનો દૃષ્ટિકોણ છે, જ્યારે ‘માણસ વલો કચ્છીમાડુ’માં, તેમની પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન તેમની સાથે સંપર્કમાં આવેલાં નામી અનામી લોકોના દૃષ્ટિકોણ છે. ૧૦૫ સ્વતંત્ર લેખો અને 'પ્રસ્તાવના' અને 'આવકાર' એમ મળીને કુલ ૧૦૭ પીંછીઓએ કરેલા લસરકાઓથી કીર્તિ જયંત ખત્રીનાં વ્યક્તિત્વનું અનેક આયામી ચિત્ર અહીં સાકાર થાય છે.

કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ના તંત્રી, કચ્છના મંત્રી અને સરહદના તંત્રીની ત્રિગુણાકાર ભૂમિકાને 'તંત્રી, મંત્રી અને સંત્રી: ત્રિગુણાકારમ્' શીર્ષસ્થ'પ્રસ્તાવના'માં ઉજાગર કરવાની સાથે સાથે, ‘જન્મભૂમિ’ અખબારજૂથના મૅનેજિંગ એડિટર કુન્દન વ્યાસ કીર્તિભાઇની ઓળખ 'કચ્છના ઇતિહાસ અને જનજીવન તેમ જ કચ્છની ધરતીની અંદર ધરબાયેલ ખનીજ સંપત્તિની માહિતી'ના કુબેર તરીકે કરાવે છે..

સમયની સાથે સાથે વધતી ગયેલી વાણિજ્યિક હરીફાઈની દોડમાં 'ક્ચ્છમિત્ર'નાં મૂલ્યોનાં ઊંડાં મૂળિયાંને દૂરનું જોનારા, વિચારશીલ કીર્તિભાઈની સંપૂર્ણ પરિપક્વતા તેમ જ ભારોભાર સામાજિક નિસ્બતના વિવેક અને વિનયની માવજત મળી. અને તેથી જ, ગ્રામીણ પત્રકારત્વ કે જિલ્લા કક્ષાના પત્રકારત્વ કે પ્રાદેશિક પત્રકારત્વનાં અલગ અલગ પરિમાણોનાં અલગ અલગ ખાનાંઓમાંથી ઊઠાવીને 'કચ્છમિત્ર'ને રાષ્ટ્રીય કક્ષાના દૈનિકના મુકામે પહોંચાડવાનાં કીર્તિ ખત્રીનાં પ્રદાનની બહુ જ સ્પષ્ટ નોંધ ગુજરાતી પ્રત્રકારત્વ જગતના અગ્રણી એવા રમેશ તન્ના તેમના "આવકાર" લેખ, 'જિલ્લા કક્ષાના અખબારના રાષ્ટ્રીય તંત્રી’માં લે છે.

'મૈત્રી એજ કીર્તિ' (રઘુવીર ચૌધરી), 'લક્ષ્મણરેખાના માણસ' (વીનેશ અંતાણી), 'કચ્છીયતની સંસ્કાર પ્રતિમા' (પ્રભાશંકર ફડકે), 'ક્ચ્છીયતનું ઝનૂન અને પર્યાય'(કેશુભાઇ દેસાઇ), કીર્તિભાઈનો પ્રકૃતિ પ્રેમ' (શાંતિલાલ એન વરૂ), 'અમારા અને સૌના સ્વજન' (રજનીકાંત સોની), 'જીવદયાની પ્રવૃત્તિના પોષક' (તારાચંદ છેડા), 'આમ લોકના ખાસ જણ' (ડૉ. દર્શના ધોળકિયા),'હસ્તકળાના હામી'(નિરંજન શાહ), ‘દ્રોણાચાર્ય સરીખો મિત્ર' (જયકુમાર લક્ષ્મીચંદ શાહ),'એ લેખોની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે’ (ભાસ્કર અંતાણી) જેવા ૯૮ લેખોનાં શીર્ષકો અને લેખકોનાં નામ વાંચીએ તો પણ કીર્તિભાઇનાં અનેકવિધ પાસાંદાર વ્યક્તિત્વને કેટ કેટલાં વિવિધ ક્ષેત્રોનાં લોકોએ જોયું, જાણ્યું અને અનુભવ્યું છે તેનો ચિતાર તો આપણને આવી જ જાય.

આ દરેક ચિત્રણને વિગતે તો પુસ્તકના વાચન દ્વારા જ જાણી શકાય તેમ છે, પણ પુસ્તકના અંતમાં કીર્તિભાઇનાં પરિવારજનોએ જે કંઇ તેમના વિષે લખ્યું છે, તેનું અહીં વિહંગાવલોકન કરી લેવાનું આકર્ષણ રોકી નથી શકાતું :

'લાગણીના તાણાવાણાથી ગૂંથાએલો પરિવાર' - જીતુભાઇ ખત્રી (મોટાભાઈ)

પોતાના 'સમજુ, લાગણીશીલ અને કર્તવ્યનિષ્ઠ' નાનાભાઇને 'ગુસ્સો કરતાં પણ આવડે છે' તેની સાથે જ તેનામાં 'ગુસ્સાને ફટાફટ ઓગાળવાની પણ ક્ષમતા' પણ છે.

'પારિવારિક ભાવનાના હિમાયતી' - મુક્તા જિતેન્દ્ર ખત્રી ('કચ્છમિત્ર'ની 'મહિલા જગત' કટારનાં અગ્રલેખિકા અને કીર્તિભાઇનાં ભાભી)

'મારા દિયર, જેની સાથે ભાભી તરીકે મારો મજાક-મસ્તીનો સંબંધ છે એ મારી પાસેથી માના સ્નેહના હકદાર છે.'

'એમના માટે ઓફિસના કર્મચારી હોય, કટાર લેખક હોય કે પરિવારનો સભ્ય હોય, બધા જ સરખા જ રહ્યા છે. એ વાત કુંટુંબના સભ્ય અને કટાર લેખિકા તરીકે મેં સારી રીતે જાણ્યું છે.'
'હોદ્દાના ભાર વિનાના પપ્પા' - નેહા અમોલ ધોળકિયા (નાની દીકરી)

'લોકો શું કહેશે એના કરતાં દ્દીકરી શું ઈચ્છે છે એવું વિચારીને પપ્પાએ અમને પિતાની પૂર્ણ હૂંફ આપી છે.'

'ધરતીકંપ વચ્ચે પપ્પા ભુજની શાક માર્કેંટની વચ્ચોવચ્ચ ફસાયા હતા. વડીલોના અને એમના પોતાના પુણ્યે બાલબાલ બચી ગયા.'

'તંત્રી જેવા હોદ્દા પર હોવા છતાં...અમારા એડમિશન લેવાની વાત હોય.. ત્યારે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરતા... સ્કૂટર કે મોટર પર 'પ્રેસ'નું લેબલે ક્યારેય લગાડ્યું નથી.'
'સફળ 'બ્લાઈન્ડ' ગેમ' - ભાનુ (ભાગ્યવતી) કે. ખત્રી (“અનેક તડકી છાંયડીમાં જેની ઓથે જીવન હર્યું ભર્યું છે”..”ત્રણ એક્કાવાળી 'બ્લાઈન્ડ' બાજી” સમાં સહધર્મચારિણી)

'સગાઈ પૂર્વે અમે મળ્યા જ નહીં કે ન તો કોઈ વાતચીત કરી...અંધેરી સ્ટેશને અકસ્માતે એમને મોટા બેન અને કાકી સાથે જોયા હતા....પણ વડીલોના વિશ્વાસ સાથે (એમની) "બ્લાઈન્ડ"ની સામે "બ્લાઈન્ડ"..(એવો)_..અનેક તડકી-છાંયડીથી ભરેલો અમારો....ઘરસંસાર.. અત્યારે નિવૃત્તી પછી ઢળતી સંધ્યાના અવનવા રંગોનોય લહાવો' (ભરી રહ્યો છે).

એમનુ મનોબળ.. મક્કમ.. જે ધારે તે પૂરૂં કરે.'

'ખૂબ ચીવટથી કામ કરવાના આગ્રહી..રાતે બે વાગે ઊઠી લખવા બેસી જાય અને આવું જ્યારે બને ત્યારે મને ખાતરી જ હોય કે કોઇ સુંદર પીસ લખાયો હશે એટલે સવારે ઊઠીને વાંચી લઉં....એકનું એક લખાણ જુદા જુદા એંગલથી લખે. કાગળ ફાડી નાખે અને ફરી લખે. આવું વર્તન કરે ત્યારે હું સમજી જાઉં એ કોઈ અસામાન્ય મુદ્દો છે. એટલે લખી લે કે તરત જ જાતે જઇને વાંચી લઉં. ....જેમ એમના પિતાજીની વાર્તાઓ સંધાડા ઉતાર કૃતિ લાગે એમ એમના કેટલાક લેખ પણ એવા જ લાગે છે.'

'વ્યવસાય પ્રત્યે વફાદાર અને લોકોના હિતની ચિંતા કરનાર કોઇ પત્રકાર, ઉચ્ચ અધિકારી કે અન્ય એમના સંપર્કમાં એકવાર આવે તો કાયમી સંબંધ રાખતા થઇ જાય.... એમની યાદશક્તિ એટલી તીવ્ર કે એક વાર એમને મળેલી વ્યક્તિ બીજી વાર પાંચ વર્ષે મળે તોયે સ્થળ અને સમય એમને યાદ હોય.'

'ન્યાય મેળવવા હંમેશાં ભોગ આપે અને અન્યાય સામે અડગ કદમે ઊભા રહે એવો એમનો સ્વભાવ.'

'એમની એક આદત એ પણ ખરી કે ઓફિસની કોઇ પણ વાત એ ઘરમાં ક્યારેય ન કરે અને ઘેર શકય હોય ત્યાં સુધી કોઈનેય બોલાવેય નહી.. ઘરમાં આવે ત્યારે ચિંતા કે કામનો બોજ ક્યારેય ચહેરા પર લાવે નહીં.'

'આર્થિક લાભ માટે ટૂંકો રસ્તો અપનાવવો કે પોતાના પદનો ગેરલાભ લેવો એવો તો વિચાર પણ ક્યારેય એમને સ્પર્શ્યો નથી.'

'માનવીના તમામ સ્વરૂપની ચરમસીમાઓ જોયા પછી એમને એ કૂર વાસ્તવિકતા અને સત્ય હકીકત આધારિત નોવેલ' લખવાની એમની ઇચ્છા છે, 'પણ લખી શક્યા નથી. આ કામ હાથ ધરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.'

અને પુસ્તકનાં સમાપનમાં કીર્તીભાઇ ખત્રીએ, કોઈ નસીબવંતાને જ મળે એવો, પોતાની (વિશેષ) કેફીયત લખવાનો મોકો ઊઠાવી લીધો છે. 'લક્ષ્ય વિહોણા વેધ'એ '૬૮ વર્ષની ઉંમરે જીવનસંગ્રામ તેમજ વ્યાવસાયિક ક્ષેત્રની સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા, શું શું કર્યું અને શું ન કરી શક્યો, કેટલું સાચું કર્યું અને કેટલું ખોટું, એનાં લેખાંજોખાની સાક્ષીભાવે' થયેલી બહુ જ નિખાલસ રજૂઆત છે.

૧૯૭૦થી ૨૦૧૩, પત્રકાર તરીકે, ક્ષણવારમાં પસાર થયેલ જણાતાં,૪૩ વર્ષપૈકી ૧૯૭૦થી ૧૯૭૩ દરમ્યાન મુંબઈના ફ્રી પ્રેસ જર્નલનાં ગુજરાતી અખબાર'જનશક્તિના સબએડિટર, ૧૯૭૩થી ૧૯૮૦ દરમ્યાનઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક 'જનસત્તા'માં સબએડિટર અને, ૧૯૮૦થી ૨૦૧૩ના માર્ચ સુધી જન્મભૂમિ અખબાર જૂથના ભુજથી પ્રગટ થતા 'કચમિત્ર'માં બે વર્ષ મદદનીશ તંત્રી, ૩૧ વર્ષ તંત્રી અને હાલમાં સલાહકાર તંત્રી તરીકેના ત્રણ તબક્કામાં વહેંચાયેલી કારકિર્દીના વળાંકો, અવઢવો, ખાટા મીઠા અનુભવો, અપેક્ષાઓની પૂર્તિઓ અને અધૂરાશોની તેમની દાસ્તાનને તો જાતે વાંચ્યે જ માણી શકાય તેમ છે.

સરવાળે મૂળ વાત એ કે વ્યાવસાયિક ક્ષેત્રે મેળવેલી સફળતાઓની સમીક્ષા-કદર જે તે વ્યક્તિની હયાતિમાં જ થાય તે એકથી વધુ રીતે ઇચ્છનીય અને ઉચિત છે. તે સાથે તે સમયની કચ્છની સમસ્યાઓ અને એના ઉકેલ અંગે અગ્રલેખોમાં કરેલી છણાવટનું દસ્તાવેજીકરણ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીમાં થયું છે.


'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ: કીર્તિ ખત્રી

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;

વિવેકગ્રામ પ્રકાશન

શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,

નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,

જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,

નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯

ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  September 17, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

Tuesday, September 30, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૯ /૨૦૧૪


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૯ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

આપણાં બ્લૉગોત્સવનો ઑગસ્ટ ૨૦૧૪નો પૂરેપૂરો અંક મહંમદ રફીને શ્રદ્ધાંજલિ રૂપે હતો, તેથી આપણે જેમની નિયમિત મુલાકત લઇએ છીએ તેવા બધાજ અન્ય બ્લૉગની મુલાકાત આપણે તે અંકમાં નહોતી લઇ શકયા. આ માસના અંકમાં આપણે એ કમી પૂરી કરીશું.
Hemant Kumar’s songs by SD Burman
હેમંતકુમારે પોતાનાં સંગીત સિવાય, અગ્રીમ હરોળના બીજા પણ લગભગ બધા જ સંગીતકારોનાં ગીતો પણ એટલી જ સફળતાથી ગાયાં છે. સચીન દેવ બર્મન સાથે તેમનો એ સંબંધ થોડો વિશેષ રહ્યો હતો, કારણ કે સચીન દેવ બર્મનનાં ગીતો તેમણે એ સમયની 'ત્રિમૂર્તિ'માંના દેવ આનંદમાટે ગાયાં હતાં.હેમંત કુમારની ૨૬મી સપ્ટેમ્બરના રોજ તેમની ૨૫મી મૃત્યુ તિથિના રોજ શ્રદ્ધાંજલિના રૂપમાં આ લેખ રજૂ કરાયો છે.
Best Songs of 1951: Wrap Up 2
૧૯૫૧નાં ગીતોની વિગતે વાત કરતા મૂળ લેખ, Best songs of 1951: And the winners are? પરની ચર્ચાઓની સમીક્ષા કરતો આ બીજો લેખ છે. સમીક્ષાત્મક પહેલા લેખમાં પુરુષ પાર્શ્વગાયકોનાં ૧૯૫૧નાં વર્ષનાં ગીતોનું સિંહાવલોકન કરાયું હતું. તે પછી સ્ત્રી પાર્શ્વગાયકોની વાત આવે એટલે 'લતા' અને 'અન્ય' એમ બે તડાં પડે તે સ્વાભાવિક છે. 'અન્ય' સ્ત્રી ગાયિકાઓએ ફિલ્મ સંગીતને વૈવિધ્યનું એક અવર્ણનીય પરિમાણ બક્ષ્યું છે. તે ઉપરાંત તેમનાં અનેક નોંધપાત્ર ગીતો પણ લગભગ દરેક વર્ષે હોય તો ખરાં. આમ, SoYએ આ વર્ષથી 'અન્ય' સ્ત્રી ગાયકો માટે એક અલગ જ સમીક્ષાત્મક લેખ ફાળવવાનૂ બહુ જ સ્તુત્ય પગલું લીધું છે.
Aao bachcho tumhein dikhayen jhanki….ki
૧૯૫૪ની ફિલ્મ 'જાગૃતિ'ના પર્તિબિંબ સમી ફિલ્મ પાકીસ્તાનમાં પણ બની - બેદારી. ખૂબીની વાત એ છે કે એમાં પણ 'જાગૃતિ'નો રતનકુમાર - વાસ્તવિક જીવનમાં નઝીર રીઝવી- જ અપંગ છોકરાની ભૂમિકા ભજવે છે. નઝીર રીઝવી એ તે પછી ઘણી પાકિસ્તાની ફિલ્મો કામ કર્યું હતું.
Multiple Version Songs (18): Hindi-Telugu exchange [શ્રી અરૂણ દેશમુખનો મહેમાન લેખ]
શ્રી અરૂણ દેશમુખનો, Multiple Version Songs શ્રેણીનો હિંદી ફિલ્મનાં ગીતોનાં અન્ય ભાષાઓ સાથેના આદાનપ્રદાન વિષેનો પહેલો લેખ હિંદી-મરાઠીનાં ફિલ્મ સંગીત ક્ષેત્ર વિષે હોય તે તો આપણને સ્વાભાવિક લાગે. હિંદી - કન્નડ પણ તેમણે એટલો જ વિદ્વતાપૂર્ણ લેખ આપીને આપણને આશ્ચર્યનો હળવો આંચકો આપ્યો હતો, એ હળવા આંચકાની શ્રેણી હિંદી-તેલુગુ ક્ષેત્ર સુધી પહોંચે છે.
Ten of my favourite ‘male pianist’ songs’ એ પુરુષ પાત્રોએ પિયાનો વગાડતાં વગાડતાં ગાયેલાં ગીતોનું નજરાણું છે. આ પહેલાં સ્ત્રી અદાકારોની પણ પિયાનો-પરસ્તી આપણે જોઈ જ ચૂક્યાં છીએ.

My favorite piano-songs એ એક ભૂતકાળનો લેખ છે જેમાં '૫૦ અને '૬૦ના દાયકાઓનાં એવાં ગીતો રજૂ કરાયાં છે જેમાં કોઇ એક પાત્ર તો આખાં ગીત દરમ્યાન પિયાનો વગાડતું હોય.

શક્ય છે કે આ ત્રણે પૉસ્ટ મળીને અમુક ગીતો બેવડાતાં હોય. પરંતુ ફિલ્મી ગીતોમાં 'પિયાનો ગીતો' એટલો સ-રસ વિષય છે કે દરેક લેખકની અલગ અલગ દૃષ્ટિથી એવાં બેવડાતાં ગીતોને સાંભળવામાં પણ ઑર મજા આવે છે.

ઑગસ્ટ એ તહેવારોનો મહિનો ગણાય એટલે Festival Songs જેવી પૉસ્ટની અપેક્ષા તો રહે તે સ્વાભાવિક છે.

My Favourites: Letters in Verseમાં વીસરાતી જતી પત્રલેખનની કળાને ફિલ્મી ગીતોમાં વિવિધ પ્રકારની રજૂઆતો દ્વારા યાદ કરાઇ છે.

૨૭મી ઑગસ્ટ મુકેશની મૃત્યુ તિથિ હતી. Made for each other: Mukesh and Kalyanji-Anandji’ માં સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી અને મુકેશનાં એક ખાસ સંયોજનને રજૂ કરતાં ગીતો યાદ કરાયાં છે.

સુખદ સંજોગ છે કે Kalyanji-Anandji, the immortal duo માં પણ કલ્યાણજી-આણંદજીની નોંધપાત્ર ફિલ્મો અને યાદગાર ગીતો, તેમની આગવી શૈલીને કારણે તેમની ઓળખને બીરદાવતાં અકરામોની વાતની સાથે સાથે તેમના સ્વભાવની ખૂબીઓ જેવા વિષયો આવરી લેવાયા છે, જેને કારણે ફિલ્મ સંગીત જગતમાં તેમનું એક ખાસ સ્થાન બની રહ્યું.

હવે આપણી સફરમાં ક્યારેક મળી જતા ખજાનાઓવાળા માર્ગોની વાત કરીએ.

First Ghalib ghazal to be used in a film ના કહેવા મુજબ, ૧૯૪૧ની ફિલ્મ 'માસૂમ'માં ઉપયોગમાં લેવાયેલી, મિર્ઝા ગાલિબની 'આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોને તક' ફિલ્મોમાં વપરાયેલી પહેલી ગઝલ છે.

'કટીંગ ધ ચાય'ની આ મુલાકાતમાં જોવા મળ્યું કે ભારતીય સિનેમાનાં ૧૦૦ વર્ષની ઉજવણી હજૂ પણ ચાલુ જ છે. આ વખતે India Post’s 50 commemorative stampsની મુલાકાત લઈશું.

૨૦૧૪નાં આ વર્ષમાં ૧૯૬૪ની ફિલ્મ 'દોસ્તી'ને ૫૦ વર્ષ થયાં. Dukh To Apana Saathi Hai – Sushil Kumarમાં ખાસ રીતે તેની યાદ તાજી કરાઈ છે.

તો વળી શોધખોળ દરમ્યાન, The spirituality in Hindi Film songs, 'દોસ્તી'નાં મજરૂહ સુલ્તાનપુરીનાં ગીતોને મોહમ્મદ રફીના સ્વરે માનવ સંબંધોના તાણાવાણાને વાચા આપી છે, તેવી રજૂઆત પણ હાથે ચડી ગઈ.

Scroll.in પર પણ ફિલ્મોને લગતા વિષયો પર નિયમિત રીતે પ્રકાશિત થતા લેખોનો ખજાનો પડ્યો છે, જેમકે, Mridula Chari નો લેખ A reminder for the Scots: India has a thriving bagpipe tradition too, જેમાં ગઢવાલમાં, લગ્ન પ્રસંગોનાં લોકસંગીત સાથે સંકળાયેલ મડળીઓ અને સ્કૉટલેન્ડ સાથે જ વણાઈ ગયેલી મનાતી બેગ પાઇપ વાદ્યની રસીલી વાતો માંડી છે.

Society of Indian Record Collectorsના માનદ્‍ સેક્રેટરી અને સોસાયટીનાં વાર્ષિક મુખપત્ર 'ધ રેકોર્ડ ન્યુઝ'ના તંત્રી, શ્રી સુરેશ ચંદવાણકર પણ ૭૮ આરપીએમની રેકોર્ડ્સના ઇતિહાસને લગતી બહુ જ વિરલ સામગ્રી વિવિધ સામયિકો અને વેબસાઈટ્સ પર લખતા રહે છે.આપણા બ્લૉગોત્સવના દરેક અંકમાં આપણે એક એક લેખની મુલાકાત લઈશું.

શરૂઆત કરીએ Mimicry and comic songs from the dawn of the recording era in Indiaથી જેમાં ૧૯૦૨થી ૧૯૦૮ દરમ્યાન યુરોપીઅન કંપનીઓની અવનવા અવાજો અને ગીતો માટેની ખોજની વાત કરાઇ છે.

હવે બીજા કેટલાક નિયમિત વિભાગોની મુલાકાત લઈએ :

આપણા મિત્ર Bhagwan Thavrani આ મહિને આ ગીતોને યાદ કરે છેઃ

જબ તક ચમકે ચાંદ સિતારે - નીલમ પરી - જી એમ દુર્રાની અને ગીતા દત્ત - ખુર્શીદ અન્વર - ૭મી સપ્ટેમ્બરે જી એમ દુર્રાની (૧૯૧૯ - ૧૯૮૮)ની મૂત્યુતિથિ

ઑગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં -
આવાઝકી દુનિયા કે દોસ્તો : ૨
કવર વર્ઝન ગીતો: ગીત વહી, અંદાઝ અપના અપના (૧)
એક ગીતનાં અનેક સ્વરૂપ : મણકો – ૨
અવિનાશ વ્યાસ: હૈયે છે ને હોઠે પણ છે.
હિંદી ફિલ્મ સંગીતનાં અનોખાં ભાઇ-બહેન : અનિલ બિશ્વાસનાં સંગીત નિર્દેશન હેઠળ પારૂલ ઘોષનાં ગીતો
ઇન્હેં ના ભુલાના…. પૂર્વાર્ધ
‘બંદીશ એક, સ્વરૂપ અનેક’ (૧) : વંદેમાતરમ
ઇન્હેં ના ભુલાના…. ઉત્તરાર્ધ
દુર પપીહા બોલા… – પૂર્વાર્ધ
                                                પ્રકાશિત થયા છે.

આ માસના બ્લૉગોત્સવના અંતમાં આપણે બિમાન બરૂઆના રફી ફાઉન્ડેશનના સ્થાપક બીનુ નાયરે આપેલી માહિતીના આધાર પર લખાયેલ લેખ, “3-G: Great Lyrics, Grand Music and Golden Voice in Indian Cinema માં અલગ અલગ અદાકારો માટે મોહમ્મદ રફીએ ગાયેલ હસરત જયપુરીનાં ગીતોની મજા માણીશું.
દેવ આનંદ
૧૯૬૧
જબ પ્યાર કીસીસે હોતા હૈ  
શંકર જયકિશન
૧૯૬૨
અસલી નકલી 
શંકર જયકિશન
૧૯૬૩
તેરે ઘર કે સામને
સચીન દેવ બર્મન
૧૯૬૮
દુનિયા
શંકર જયકિશન
રાજેન્દ્ર કુમાર
૧૯૬૪
આઈ મિલનકી બેલા
શંકર જયકિશન
૧૯૬૫
આરઝૂ
શંકર જયકિશન
૧૯૬૬
સુરજ
શંકર જયકિશન
૧૯૬૮
ઝૂક ગયા આસમાન
શંકર  જયકિશન
શમ્મી કપૂર
૧૯૬૧
જંગલી
શંકર જયકિશન
૧૯૬૨
પ્રોફેસર
શંકર જયકિશન
૧૯૬૪
રાજકુમાર
શંકર જયકિશન
૧૯૬૯
તુમ સે અચ્છા કૌન હૈ
શંકર જયકિશન
સુનીલ દત્ત
૧૯૬૬
ગબન
શંકર જયકિશન
૧૯૭૦
ભાઈ ભાઈ
શંકર જયકિશન
મનોજ કુમાર
૧૯૬૫
ગુમનામ
શંકર જયકિશન
જોય મુખર્જી
૧૯૬૪
ઝીદ્દી
સચીન દેવ બર્મન
૧૯૬૬
લવ ઈન ટોકિયો
શંકર જયકિશન
બિશ્વજીત
૧૯૬૪
એપ્રિલ ફૂલ
શંકર જયકિશન
૧૯૭૨
શરારત
ગણેશ 
જીતેન્દ્ર
૧૯૬૮
મેરે હુઝૂર
શંકર જયકિશન
ધર્મેન્દ્ર
૧૯૬૯
પ્યાર હી પ્યાર
શંકર જયકિશન
શશી કપૂર
૧૯૭૩
નૈના 
શંકર જયકિશન


જો કે અહીં રજૂ કારાયેલ યાદી મહદ્‍ સંશે અપૂર્ણ છે. આપણે તેને પૂરી કરીશું.