ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
એપ્રિલ ૧૯૨૧માં ચાંપશીભાઈ ઉદેશીએ શરૂ કરેલ ગુજરાતી સામયિક 'નવચેતન' તેના એપ્રિલ ૨૦૨૧ના અંકથી
તેનાં સક્રિય જીવનકાળનાં એક સોમાં વર્ષમાં પવેશ કરે છે.
સો વર્ષનો આંકડો આમ પણ નાનો નથી. તેમાં પણ ચાંપશીભાઈએ તો એકલા હાથે, સ્વખર્ચે આ સાહસ માંડ્યું હતું. ક્યાંક એવું વાંચ્યાનું પણ
યાદ છે કે શ્રી રવિશંકર રાવળે તેમને એ સમયે જ આવું 'જોખમ' ન ખેડવાની સલાહ આપી હતી, એવા સંજોગોમાં આ આંકડો એક અકલ્પનીય
સિમાચિહ્ન બની રહે છે.
'૬૦ના દાયકામાં અમે જે સરકારી
કોલોનીમાં રહેતાં હતાં તેમાં વસતાં પંદરેક કુટુંબોએ મળીને એક સર્ક્યુલેટીંગ
લાયબેરી શરૂ કરેલ. જેમાં 'નવચેતન','અખંડ આનંદ', 'આરામ'. 'ચાંદની', ‘સરિતા’, 'આરસી' જેવાં
મુખ્યત્વે નવલિકાભિમુખ સામયિકો આવતાં. મને યાદછે કે 'નવચેતન'ની ત્યારે પણ માંગ ઘણી રહેતી. અમારી ઉમર તો એ વાર્તાઓનું
સાહિત્યિક સ્તર કે વાર્તાતત્ત્વની ખુબીઓ સમજવા જેવડી નહોતી, એસ એસ સી સુધી ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા હતા છતાં પણ એ
બધાં વાંચનને કારણે - ભાષાની શુદ્ધતા અને વિષય સામગ્રીની રસજ્ઞતા એમ બન્ને સંદર્ભે
- 'સારાં' ગુજરાતીનો પાયો મનને એક ખૂણે જરૂર પડ્યો એટલું તો આજે સમજાય
છે.
એ સમયે પણ ચાંપશીભાઈ ફિલ્મોના રીવ્યૂ લખતા. અમને તો તેઓ જે રીતે ફિલ્મોનાં
છોતરાં કાઢી નાખે તેમાં જ રસ રહેતો કેમકે એ જ ફિલ્મો અમે તો હોંશે હોશે જોઈ પણ
આવ્યા હોઇએ. આજે સમજાય છે કે એ ફિલ્મોમાં છોતરાં કાઢવા સિવાયના 'મસાલા' સિવાય કંઈ જ હોતું નહીં, અને અમે એ પણ એ ફિલ્મો મૂળ તો તેનાં ગીત સંગીતને જોરે જ
જોતા.
'૮૦-'૯૦ના દાયકામાં જ્યારે તે સમયની સામયિકોની સ્થિતિઓ વિશે થતી
ચર્ચાઓ વાંચતા કે સાંભળતા ત્યારે સમજાવા લાગ્યું કે સંપાદક તરીકે 'નવચેતન'માં શું રજૂ કરવું તે
વિશે ચાંપશીભાઈનાં ધોરણો કેટલાં સ્પષ્ટ હોવાની સાથે સાથે કેટલાં ઊંચાં અને અને 'કડક' હતાં.
આ સામયિકોના શ્રેષ્ઠ સમયમાં પણ તેમાં જે પ્રકારનું વાંચન પીરસાતું તે વાંચનારો
વર્ગ તો બહુનાનો જ હતો. એટલે તે સમયે પણ
આ સામયિકોના વેંચાણનો આંકડો આમ પણ અધધધ કહી શકાય એવો તો નહીં જ હોય. વળી મોટા
ભાગના પ્રકાશક-તંત્રીઓ તેને સફળ વાણિજ્યિક ઉપક્રમ બનાવવાની દિશામાં વિચારવાની વાતે
તેમનાં આદર્શ અને સ્વમાનની અવહેલના પણ કદાચ ગણતા. એટલે મોટા ભાગનાં સામયિકોના બે
આર્થિક છેડા મંડ માંડ જ ભેગા થતા હશે. તેમાં પણ, ગુજરાતી વાંચકના બદલાતી
અભિરુચિઓ, સંસ્થાપકોની વધતી વય અને સામયિકોની કથળતી જતી આર્થિક પરિસ્થિતિને કારણે એ
બધાં જ સામયિકોધીરે ધીરે બંધપડતાં ગયાં.
ચાંપશીભાઈ પછી તેમના જ સહતંત્રી જેવા મુકુંદ શાહે 'નવચેતન'ને ખુબ જહેમતથી, એ જ સ્તરે ચલાવ્યું.આજે પણ કેટલાંક સુજ્ઞ ગુજરાતીઓની આર્થિક મદદ અને ગાંઠનાં ગોપીચંદનના જોરે
શ્રી હેંમંત શાહ (મો. નં.+૯૧ ૯૮૭૯૧ ૪૭૯૩૩) તંત્રીની ભૂમિકામાં, શ્રી
યશવન્ત મહેતાની સંપાદકની ભૂમિકાના સહયોગથી,'નવચેતન'ને ધબકતું રાખી રહ્યા છે.
તેમની નિષ્ઠા, ધૈર્ય અને ખમીરને શત શત
સલામ.
ગુજરાતી ભાષાને જ જીવંત કેમ રાખવી એ ચર્ચાઓને આરે જ્યારે આપણે આવી ઊભાં છીએ
ત્યારે ગુજરાતી ભાષાની આવી એક અતિ મહત્ત્વની ઐતિહાસિક ગણી શકાય એવી કડીના 'નવચેતન' મોટાભાગના જૂના અંકો તો
આજે અપ્રાપ્ય હશે. પણ જે કંઈ ઉપલબ્ધ છે તેને ડિજિટલ સ્વરૂપમાં સાચવવામાં અને 'નવચેતન' હજુ પણ આ જ ખુમારીથી તેની
આગવી કેડી પર આગળ વધતું રહે તે માટે આ લેખ લખવા કે વાંચવાથી કે તેના નિયમિત ગ્રાહક
થવાથી પણ ઘણું વધારે આપણે બધાંએ કરવાનું રહે છે………...
આજની
ચર્ચા માટે ટીઈડી વ્યક્તવ્યોની વિષય-યાદી 'ભવિષ્યનો ઈતિહાસ' /The
history of the futureમાંનાં
ડેન્ની હિલ્લીસનાં વ્યક્તવ્ય '(૧૯૯૪)નાં ભવિષ્ય તરફ પાછાં' /Back
to the future (1994)નો આધાર લીધો છે. પ્રસ્તુત વ્યક્તવ્યમાં ડેની હિલ્લ ટેક્નોલોજિનાં
પરિવર્તનો કેમ અને શા માટે ઝડપથી આવતાં જાય છે તે વિષેની અચરજ પમાડે એવી
વિચારધારાને ઉત્ક્રાંતિ સાથે સાંકળીને રજૂ કરે છે. (આ વ્યક્તવ્યનો તત્ત્વાનુવાદ
અલગથી, અશોક વૈશ્નવની પસંદના અંગ્રેજી બીન-સાહિત્ય લેખોના
ભાવાનુવાદ,પર ૧૬ જૂન, ૨૦૨૧ના પ્રકાશિત કરવાનું આયોજન છે). રજૂઆતની રીત
જરીપુરાણી લાગશે, પરંતુ
તેમણે જે વિચાર રજૂ કર્યો છે તે તો સરાસર પ્રસ્તુત છે…. તત્ત્વતઃ,વધતા પ્રવેગથી થતાં પરિવર્તનો વિષે મુખ્યત્વે તેમનું
કહેવું છે કે –
માનવ
સભ્યતાનો વિકાસ થવાની સાથે તેણે સારને સંક્ષિપ્ત સ્વરૂપમાં ઝીલવાનું શરૂ કર્યું.
બહુ-કોશીય જીવોમાં જે ઉત્ક્રાંતિ સ્વરૂપ રૂપાંતરણ થતું રહ્યું છે તેવી જ
પ્રક્રિયામાંથી માનવ સમાજ પણ પસાર થઈ રહ્યો છે - માહિતીનાં દસ્તાવેજીકરણ, રજૂઆત અને પ્રક્રિયાનો સંક્ષિપ્તસાર કરાઈ રહ્યો છે.….તેમ
કરવામાં, આપણે આપણી સમય રેખાઓનાં માપક્રમને ઝડપી બનાવી દીધેલ છે.
હવે એ પ્રક્રિયા પોતાને જ વેગવંત બનાવે છે અને સ્વયંઉત્પ્રેરક (autocatalytic) બને છે. જેમ જેમ તેમાં બદલાવ આવતો જાય તેમ તેમ બદલાવ
ઝડપી બનતો જાય.
આ
વિચારધારાથી ઉલટુંવિચારતી એક વિચારધારા
પણ છે -
'જો
પરિવર્તનનો દર ખરેખર અભૂતપૂર્વ હોય, તો પરંપરાગત ડહાપણ તો એમ
જ કહે છે કે ધીરાં પડવું જ સારૂં છે, જેથી કોઈને પણ નુકસાન ન
પહોંચે. કેટલાય વિવેચકો તો 'તૈયાર રહેવા'ની જ વાત કહે છે. જેમકે ૧૯૭૦માં ઍલ્વિન ટૉફ્ફ્લરનું કહેવું હતું કે :
‘“એમ કહેવું
હવે અતિ રૂઢ થઈ ગયું છે કે આપણે 'બીજી ઔદ્યોગિક ક્રાંતિ'માંથી પસાર થઈ રહ્યાં છીએ. આ શબ્દપ્રયોગ આપણને આપણી આસપાસનાં પરિવર્તનની
ઝડપ અને ગૂઢ અગાધતાથી પ્રભાવિત કરવા માટે જણાય છે. પરંતુ, તે
બહુ ચવાઈ ગયેલું તો છે પણ તે સાથે ગેરમાર્ગે દોરનારૂં પણ છે, કેમકે અત્યારે જે થઈ રહ્યું છે, તે મોટા ભાગે તો,
ઔદ્યોગિક ક્રાંતિ કરતાં ઘણું મોટું, ઘણું ગહન
અને વધારે મહત્ત્વનું છે. વધારેને વધારે સંન્નિષ્ઠ મંતવ્યો ભારપૂર્વક કહે છે કે
વર્તમાન હિલચાલ માનવ ઈતિહાસમાં બીજાં વિભાજનથી જરાપણ ઓછું નથી, જે જંગલીયાતપણાંથી સભ્યતા તરફના બદલાવનાં પહેલાં વિભાજનની સાથે વિશાળતાની
દૃષ્ટિએ તુલનાક્ષમ જ છે.”.
‘જ્યારે પરિવર્તનના
દરની વાત નીકળે છે ત્યારે દરેક સમયનાં લોકો પોતાના સમયનાં પરિવર્તનોને અભૂતપૂર્વ
કેમ કહેતાં હશે? બે કારણો હોઈ શકે - પહેલું એ કે જો એમ કહો
કે 'પરિવર્તનની ઝડપની બાબતે આજે કંઈ નવું નથી ' તો આજે કોઈ ધ્યાન નહીં આપે. બીજું એ કે, આ તો સહજ માનવ
સ્વભાવ છે. આપણામાંનાં મોટા ભાગનાં આપણી આસપાસનાં પરિવર્તનોને બહુ મોટાં ગણીએ છીએ
અને તે સિવાયનાં પરિવર્તનોને ક્યાં તો ધીમાં ગણીએ, અથવા કદાચ
અવગણીએ પણ.
‘આ બધું
કહેવાનો અર્થ એમ પણ નથી કે ટેક્નોલોજિ-પ્રેરીત પરિવર્તનો નથી થઈ રહ્યાં. તે જરૂર
થાય છે, અને આપણાં જીવન પર તેનો ઊંડો પ્રભાવ પણ પડે છે. પરંતુ
પરિવર્તનનો દર બીજા સમયખંડો કરતાં વધારેઝડપી લાગી રહ્યો છે. પરંતુ એ સમયે પણ અર્થતંત્રો એ આંચકાઓ પચાવી ગયાં,
હવે પણ સહન કરી જશે. એટલે એક ઊંડો શ્વાસ ભરીને આપણે કહીએ કે
"ટેક્નોલોજિ પ્રેરીત પરિવર્તનો હજુ તો બહુ ઝડપી નથી, પણ
થાય તો પણ વાહ ભલા."'[1]
Scott
Brinker
has formulated Martec’s
Law, which states, Technology changes exponentially, organizations change
logarithmically…..અંગત અને સંસ્થાગત પરિવર્તનો વિષે થોકબંધ શ્રેષ્ઠ
પુસ્તકો લખાયાં છે. અનુભવની દૃષ્ટિએ જોઇએ તો માનવી માટે પરિવર્તનોની સીમા સુરેખ
નથી. બીજા શબ્દોમાં કહીએ તો, સંસ્થાઓ એ
પરિવર્તનોની ઝડપે બદલી ન શકે. પણ સંસ્થાઓ ધીરે ધીરે બદલે છે કે ક્યારેક નથી પણ
બદલતી એ પણ એટલું જ સાચું છે. સારાં નેતૃત્વના અભાવના કિસ્સાઓમાં, બધું થંભી
પડે એવું વધારે પણ જોવા મળે છે. તેમજ વળી, શ્રેષ્ઠ
નેતૃત્વ હોવા છતાં પણ સંસ્થા પરિવર્તન સાથેની દરેક હરિફાઈ જીતી ન પણ શકે. એ માટે
તેની પાસે સુવ્યવસ્થિત, લવચીક, વ્યૂહરચના
હોવી આવશ્યક છે. ….એ જી લૅફલીનાં પુસ્તક Playing to Win: How Strategy Really Works, તેઓ
ભારપૂર્વક કહે છે કે વ્યૂહરચના તો પસંદગીનો વિષય છે. અમુક વસ્તુઓ કરવી અને
બીજી અમુક વસ્તુઓ ન જ કરવી એ બહુ સ્પષ્ટ પસંદગીઓ હોય છે.….ટેક્નોલોજિ સંચાલનનો આ જ
મહત્ત્વનો મુદ્દો છે. બધાં જ ટેક્નોલોજિ પરિવર્તનો આપણે નહીં અપનાવી શકીએ, પણ કયાં
કરવાં જોઇએ અને કયાં કરી શકીશું એટલું તો આપણે જરૂર નક્કી કરી શકીએ. ટેક્નોલોજિ
સંચાલનના સંદર્ભમાં યથોચિત નેતૃત્વ કયાં પરિવર્તનો પચાવી શકાશે તે નક્કી કરવા
સક્ષમ હોવાં જોઈએ. એમાં પણ જે પરિવર્તનો સંસ્થાની સર્વગ્રાહી વ્યૂહરચના સાથે
સુસંગત હોય તે પરિવર્તનો પચાવવા તો સક્ષમ થવું જ રહ્યું. ….સાથેના આલેખમાં સમજીને
નક્કી કરાય છે કે શેને ગણતરીમાં લેવું (લાલ રંગનો વિસ્તાર) અને શું છોડી દેવું
(બ્લ્યુ રંગ).….. સફળ થવા માટે સંચાલન મડળે સ્પષ્ટપણે પોતાને અસર કરતી ટેક્નોલોજિઓ
સંસ્થાનાં કામકાજમાં અને સંસ્કૃતિમાં શી રીતે વણી લેવાશે તે અંગે વિચારી લઈને અમલ
કરવો જોઇએ.
સફળ tech-enabled transformationમાટે
જરૂરી છે કે સંસ્થાઓ એકથી વધારે રસ્તાઓ પર પ્રગતિ કરે. … રમતની પદ્ધતિસરની, સર્વગ્રાહીપુસ્તીકાને અનુસરવાથી જ કંપની તેમની રૂપાંતરણથી
પ્રાથમિકતાઓને વ્યૂહરચનામાંથી નક્કર અમલમાં ફેરવી શકે.બે-કદમ પદ્ધતિ અને તેની સાથે
સુસંગત હોય એવાં સક્ષમકારકો કંપનીને દિશા, પ્રાથમિકતાઓ
અને સંસ્થાગત કાબેલિયત આપી શકે છે જે આ પ્રકારનાં રોકાણોનું મહત્તમ વળતર આપે. જે
કંપનીઓએ તેમનાં રૂપાંતરણ માટે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો તેમણે જે સંસ્થાઓએ માત્ર
ટેક્નોલોજિ સુધારણાઓ પર જ ધ્યાન આપ્યું હતું તેમના કરતાં બમણું મૂલ્ય રળ્યું.[2]
તેમના લેખ, Change Management:
Leading Through Technology Changes,માં ચાર્લી ફેલ્ડનું કહેવું છે કે: બદલતાં રહેતાં
પારિસ્થિતિક ચિત્ર પર ખરી પકડ બેસાડવા માટે આઈટી અગ્રણીઓએ ત્રણ મહત્ત્વની
કાર્યક્ષમતાઓ પર પ્રાવીણ્ય મેળવવું જોઇએ - બદલાતી ભાતની પરખ, ટેકનોલોજિ સજ્જતા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી માર્ગ
કાઢવાની કોઠાસુઝ.
એકંદરે
એવું તારણ કાઢી શકાય કે બદલાતી પરિસ્થિતિઓમાં પણ પોતાની સંસ્થાની સ્પર્ધાત્મક
સરસાઈ જાળવી રાખવા માટે પરિવર્તનોની રૂખ સમજવી અને પછી પોતાની સંસ્થાની લાંબા
ગાળાની વ્યૂહરચના સાથે સુસંગત પગલાંઓ વડે એ પરિવર્તનો સાથે કામ લેવું જોઈએ.
હવે આપણે
આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
શોખ તરીકે ગણવામાં આવે છે;
એટલે લોકો પણ તેને સંચાલન મડળે ઠોકી બેસાડેલ 'આ
મહિનાઓ એક વધારે કાર્યક્રમ' તરીકે
જ જોતાં થઈ જાય છે … સંસ્થાઓ પોતાની અન્ય વ્યાપાર પ્રવૃત્તિઓ આ રીતે નથી ચલાવતી
હોતી. ઘણી વાર તો એવું પણ જોવા મળે છે કે સતત સુધારણા કાર્યક્રમને વર્તમાન
પ્રક્રિયાઓ અને માપકોષ્ટકો સાથે છત્રીસનો આંકડો હોય. પરિણામે આવા કાર્યક્રમો
ખોડંગાતી ચાલે નિષ્ફળતા તરફ ધકેલાવાની નિયતિને ખરાબે જ ચડી જાય છે.…. સતત સુધારણા
હેતુ પાર પાડવાની પદ્ધતિ નહીં પણ આકરૂં તપ અને કડક અનુશાસન છે.
Quality Magazineના સંપાદક,
ડેર્રીલ સીલૅન્ડ,
ની કૉલમ ‘From
the Editor'
નો નવો લેખ–
Rules:
Good or Bad? - અંગ્રેજી અભિનેતા અને લેખક ઍલન બૅન્નેટનું કહેવું છે કે
“અમે એક નાના અરાજકતાવાદી સમુહની સ્થાપના કરવાની શરૂઆત કરી, પણ લોકો નિયમો જ નહોતાં પાળતાં.” … આપણે નિયમોને વ્યવસ્થા
અને ગેરવ્યવસ્થા વચ્ચે ફરક કરનાર સાધન તરીકે જોઈએ છીએ. ઘણી વાર સાવ જ નકારાત્મક
રીતે નિયમોને સફળતા સામેની દિવાલ ગણીએ છીએ.… તમારા દૃષ્ટિકોણ અનુસાર નિયમ તોડનાર
ક્યાં તો ખરાબ લોકો છે અથવા તો નવી કેડીઓ કોતરનાર સર્જક હોય છે.…કહેવાનું તાત્પર્ય
આ કથનો દ્વારા વધારે સ્પષ્ટ થાય છે - “વ્યાવસાયિકની જેમ નિયમો શીખો અને કળાકારની
જેમ તોડો.” (પાબ્લો પિકાસો) કે પછી “નિયમો બરાબર જાણો કે જેથી તેને અસરકારક રીતે
તોડી શકો.” (દલાઈ લામા)…. છેલ્લાં વર્ષમાં ભલે ઘણું બદલી ચુક્યું છે અને નજીકનું
ભવિષ્ય પણ ઠીક ઠીક પડકારભર્યું જણાય છે, તો પણ ગઈ કાલના નિયમો, આજે શું થઈ રહ્યું છે અને હવે પછી જે કંઈ શક્ય થવાનું છે
તેના પર આ બન્નેની શું અસર થશે તે જાણવું અને સમજવું એ ખરેખર મહત્ત્વપૂર્ણ કામ છે.
સંપોષિત
સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન /
અનુભવો આવકાર્યછે.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
હેમંતકુમારે તેમની બંગાળી
ગીતોની યાત્રામાં જે ગીતકારોનાં ગીતોને સ્વર આપ્યા તેમાં ગૌરીપ્રસન્ન મજુમદાર અને
પુલક બંદોપાધ્યાયદ્વારા લગભગ અડધા જેટલાં ગીતો લખાયાં
હતાં. હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે ગયેલાં ગીતોમાંનાં પણ ૪૦% ગીતો આ બે
ગીતકારોએ લખ્યાં હતા. યોગનુયોગ એવો છે કે અહીં પણ આ બન્ને ગીતકારોનો હિસ્સો
લગભગ અડધો અડધો જ રહ્યો. હેમંત કુમારની
બંગાળી ફિલ્મ જગતની કારકિર્દીનો આપણે હજુ સુધી જે બહુ જ મર્યાદિત ઇતિહાસ જોયો છે
તેમાં પણ આ બે ગીતકારોનાં ગીતોની વધારે હાજરી આ બાબતની દ્યોતક છે. તે ઉપરાંત હેમંત
કુમારે રવિન્દ્રનાથ ઠાકુરે લખેલાં ગીતો પણ મોટી સંખ્યાં ગાયાં હતાં. આ સિવાય મુકુલ
દત્તાનું નામ પણ આટલા જ મહત્ત્વના ગીતકાર તરીકે ગણી શકાય. રવિન્દ્ર સંગીત અને
મુકુલ દત્તનાં મળીને હેમંત કુમારે બીજાં ૨૦% જેટલાં ગીતો ગાયાં હશે.
હેમંત કુમારની કારકિર્દીના
પૂર્વાર્ધ - ૧૯૪૭થી ૧૯૭૦ સુધીમાં ગૌરીપ્રસન્ન
મજુમદાર(૧૯૨૪-૧૯૮૬)મુખ્ય ગીતકાર હતા. આ બન્ને એ સાથે સૌ પહેલી વાર ૧૯૪૭ની ફિલ્મ 'પુરબરાગ'માં કામ કર્યું. 'પુરબરાગ' ગૌરીપ્રસન્નની પહેલી અને હેમંત
કુમારની બીજી ફિલ્મ હતી.
એઇ દખિન હવા - પુરબરાગ (૧૯૪૬) - બેલા મુખર્જી સાથે
તે પછી તેમનો સહયોગ વધારેઘનિષ્ઠ
બન્યો ૧૯૫૬ની ફિલ્મ 'સૂર્યમુખી' થી.
આ ધુન હેમંત કુમારે ફરીથી હિંદી ફિલ્મ 'ચંપાકલી'માં પ્રયોજી -
છુપ ગયા કોઈ રે દૂર સે પુકાર કે - ચંપાકલી (૧૯૫૭)- લતા મંગેશકર - ગીતકાર
રાજેન્દ્ર કૃષ્ણ
પુલક બંદોપાધ્યાય (૧૯૩૧- ૧૯૯૯)હેમંત કુમારના બંગાળી સર્જન કાળના ઉત્તરાર્ધના મુખ્ય ગીતકાર રહ્યા. આ બન્ને
સર્જકોએ સૌ પહેલી વાર ૧૯૬૬ની ફિલ્મ 'મોનીહાર'માં સાથે કામ કર્યું.
કે જેનો ગો દેખેચ અમાય - મોનીહાર (૧૯૬૬)
+++
હેમંત કુમારે બંગાળી ફિલ્મોમાં ૯૦થી વધારે સંગીતકારો સાથે કામ કર્યું. તેમાંથી
નચિકેતા ઘોષ અને રોબિન ચટ્ટોપાધ્યાય ખાસ ઉલ્લેખ માગી લે છે. હેમંત કુમારે અન્ય
સંગીતકારો માટે ગાયેલાં ગીતોમાં ૨૦થી ૨૨% ગીતો આ બે સંગીતકારો સ્વરબધ્ધ કર્યાં છે.
રોબિન ચટ્ટોપાધ્યાય માટે હેમંત કુમારે સૌ પ્રથમ વાર ૧૯૪૬ની ફિલ્મ 'સાત નંબર બારી' માટે ગાયું.
બીજા સંગીતકાર નચિકેતા ઘોષ એક નીવડેલ
તબીબ હતા, પરંતુ સંગીત માટેની
તેમની અદમ્ય ચાહે તેમને ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં લાવી મુક્યા. બંગાળી ફિલ્મોમાં
તેમનું પદાર્પણ બંગાળી સિનેમાનાં નવોત્થાન સ્વરૂપ નીવડ્યું. તેમની સૌ પ્રથમ બંગાળી
ફિલ્મ 'બૌદિર બોન' (બૌદીની બહેન, ૧૯૫૩) હતી. બંગાળી સિનેમાના
સુવર્ણકાળના ખુબ નીવડેલા સંગીતકારોમાં નચિકેતા ઘોષનું સ્થાન આગવું છે. તેમણે ૬૦થી
વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું. ૫૧ વર્ષની ઉમરે, ૧૯૭૬માં થયેલાં તેમનાં અવસાને તેમની કારકિર્દી ટુંકવી નાખી. હેમંત કુમાર સાથે
સૌ પ્રથમવાર તેમણે અસંપત્ત (અધૂરૂં, ૧૯૫૬)માટે ગીત રચ્યાં
'૫૦ અને '૬૦ના દાયકામાં નચિકેતા
ઘોષ- હેમંત કુમાર અને ગૌરી પ્રસન્ન મજુમદારનું સંયોજન સફળતાની સોનાની ચાવી બની
રહ્યું. આ ત્રણેય સહયોગીઓ અંગત જીવનમાં પણ એકબીજાથી બહુ જ નજદીક હતા.
આદિ શંકરાચાર્ય રચિત 'ભજ ગોવિંદમ'નું આ બહુ જ પ્રચલિત સ્તવન છે.
મૂળ ગીત @૩.૧૦ પર શરૂ થાય છે.
પરદા પર તેને ઉત્તમ કુમારે અભિનિત કરેલ છે.
હવેપછી હેમંત કુમાર અને તેમના દિગ્દર્શકો તેમ જ
લતા મંગેશકર સાથેના તેમના બંગાળી સંગીતના સંદર્ભના સંબંધની વાત કરીશું.
+ + +
Acknowledgements & References:
1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) - Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015
4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008
5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta
+ + +
શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ