ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
૧૯૫૩ - હમદર્દ, જલીયાંવાલા
બાગ કી જ્યોતિ અને મેહમાન
હમદર્દ - નિમ્મી, શેખર અને સ્મૃતિ બિશ્વાસ -માં કુલ ૯ ગીતો છે જે પૈકી લતા મંગેશકરનાં સ્વરનાં બે મન્નાડે સાથેનાં યુગલ ગીતો અને બે સૉલો અહીં આવરી લેવાયાં છે. જલીયાંવાલા બાગ કી જ્યોતિ - કરણ દિવાન, અચલા સચદેવ, કમલેશ કુમારી, રૂપમાલા-માં કુલ ૭ ગીતો છે, જે પૈકી લતા મંગેશકરનાં ૧ યુગલ ગીત અને ૧ સૉલોને અહીં આવરી લીધાં છે. તે ઉપરાંત મીના કપુર અને રાજકુમારીનાં પણ બબ્બે સૉલો ગીતો પણ ફિલ્મમાં હતાં.
મેહમાનમાં નિમ્મી અને પ્રેમનાથ મુખ્ય ભૂમિકાઓમાં હતાં. આ ફિલ્મમાં પણ કુલ ૮ ગીતો હતાં જે પૈકી લતા મંગેશકરનું એક ત્રિપુટી ગીત અને ત્રણ સૉલો અહીં આવરી લીધેલ છે.
ઋતુ આયે ઋતુ જાયે રે સખી, મનકે મીત ન આયે રે - મન્ના ડે સાથે
વસંત, પાનખર અને વર્ષા ઋતુઓને અનુક્રમે રાગ ગૌડ સારંગ, જોગિયા અને ગૌડ મલ્હાર માં રજૂ કરતું એક બહુ જ ઉત્કૃષ્ટ યુગલ ગીત
ઉધર તેરી નઝર બદલી, ઈધર બદલા જહાં મેરા
તેરે સબ ગમ મિલે મુઝકો, તુઝે જમાનેકી ખુશીયાં
જલીયાંવાલા બાગકી જ્યોતિ(૧૯૫૩)
મુખસે ન બોલું, અખિયાં ન ખોલું, મોહે જો સતાઓ બલમા - તલત મહમૂદ સાથે – ગીતકાર : ઉધવ કુમાર
લતા મંગેશકર - તલત મહમૂદનાં શ્રેષ્ઠ યુગલ ગીતો પૈકીનું અગ્રણી ગીત જે કદાચ બહુ સાંભળવા ન મળતું હોવાને કારણે યાદમાં ધુંધળું પડતું જાય છે....
જાનો ના જાનો પિયા મૈં તો ચલી.. દિલકો થામે મજબુર ચલે આએંગે - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
મેહમાન(૧૯૫૩)
આતી હૈ લાજ કૈસે બતાઉં મૈં - શંકર દાસગુપ્તા અને મીના કપૂર સાથે - ગીતકાર : ઉધવ કુમાર
પૂર્વાર્ધમાં આપણે અનિલ બિશ્વાસ અને સુરેન્દ્ર(નથ)ની જોડીનાં બીબ્બો અને માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો સાંભળ્યાં હતાં. આજના આ ઉત્તરાર્ધમાં આપણે હવે તેમનાં વહીદન બાઈ, જ્યોતિ, હુસ્ન બાનો, સરદાર અખ્તર અને મિસ શારદા પંડિત સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.
વહીદન બાઈ સાથે યુગલ ગીતો
મૂળ કિનારી બાઝાર (આગ્રા)નાં વહીદન બાઈએ ૧૯૩૮-૧૯૪૦ના સમયમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ આજે તેમને એ ફિલ્મો દ્વારા યાદ કરવાને બદલે '૫૦ –‘૬૦ના દાયકાની એક સફળ નાયિકા નિમ્મીનાં મા તરીકે કદાચ વધારે યાદ કરાઈ રહ્યાં છે.
હિંદી ફિલ્મોમાં પાશ્ચાત્ય નૃત્ય શૈલીની એક પ્રધાન ધારા, વૉલ્ત્ઝ, પર આધારિત અનેક ગીતો બનતાં રહયાં છે. પ્રસ્તુત ગીતને આ પ્રવાહનું સૌથી પહેલું ગીત ગણી શકાય.
'અલી બાબા' પંજાબીમાં પણ બની હતી. એટલે યુ ટ્યુબ પર હવે કેટલીક ક્લિપ એ પંજાબી વર્ઝનની પણ સાંભળવા મળે છે, જેમ કે આ ગીત હિંદી વર્ઝનનાં 'હમ ઔર તુમ ઔર યે ખુશી'નું પંજાબી સ્વરૂપ છે.
કેટલીક ક્લિપ એવી પણ છે જે પંજાબી ગીતોનાં હિંદી સ્વરૂપ નથી જોવા મળતાં. એક શક્યતા એવી પણ હોઈ શકે કે હિંદી અને પંજાબી વર્ઝનમાં કેટલાંક ગીતો સાવ અલગ ધુન પરથી જ બનાવાયાં હતાં. અનિલ બિશ્વાસે પોતાની આત્મકથા ‘ઋત આયે ઋત જાયે’માં નિખાલસપણે એકરાર કર્યો છે કે તેમને હિન્દી કરતાં પંજાબી આવૃત્તિનાં ગીતો વધુ પસંદ હતાં.
જ્યોતિ (મૂળ નામ - અપરિચિત) વહીદન બાઈનાં નાનાં બહેન હતાં. ૧૯૩૯થી શરૂ થયેલ તેમની ફિલ્મસફરમાં તેમણે ૧૯૪૯ સુધી લગભગ વીસેક ફિલ્મોમાં કામ કર્યું. હિંદી ફિલ્મના એ સમયના બહુ જાણીતા ગાયક જી એમ દુર્રાની સાથેનાં તેમના નિકાહ બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું.
'ઔરત' એ સમયના ખેડૂત પરિવારની પરિસ્થિતિનું બહુ જ તાદૄશ્ય ચિત્રણ હતું. ફિલ્મના નિર્માતા નિર્દેશકને એ વિષય કેટલો હૃદયથી સ્પર્શી ગયો હશે કે ૧૭ વર્ષ બાદ તેમણે એ વિષય પર ફરીથી ફિલ્મ બનાવી. એ ફિલ્મ 'મધર ઈન્ડિયા'ને પણ એટલી જ સફળતા મળી હતી.
હુસ્ન બાનોનો જન્મ ૧૯૨૨માં સિગાપોરમાં થયો હતો. તેમનાં મા શરીફાં પણ બહુ મોટાં ગજાંના અભિનેત્રી ગણાતા હતાં. જવાની (૧૯૪૨) તેમની સૌથી વધારે જાણીતી રહેલી ફિલ્મ છે.
બદનામ ન હો જાના ઓ પ્રેમ કે દિવાને - જવાની (૧૯૪૨) - ગીતકાર વઝાહત મિર્ઝા
લણણીના સમયે ખેડૂતનાં કુટુંબને ખેતરમાં પંખીઓનાં ગીતો મીઠાં લાગે એ તો સ્વાભાવિક જ વાત છે...આ ભાવને બહુ જ મધુરપણે આ ગીતમાં રજૂ કરાયો છે
ખુર્શીદ સાથે મંઝધાર (૧૯૪૭)નું યુગલ ગીત 'મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે' આપણે "અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ'સુરેન્દ્રનાથ -સૉલો ગીતો - ઉત્તરાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ તેથી અહીં ફરી વાર મૂક્યું નથી.
મિસ શારદા પંડિત સાથે ગૈરફિલ્મી યુગલ ગીતો
અનિલ બિશ્વાસ અને સુરેન્દ્રની જોડીના નામે મિસ શારદા પંડિત સાથે ગવાયેલ ચાર ગૈરફિલ્મી યુગલ ગીતો પણ બોલે છે.
અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્ર(નાથ)નાં અનોખાં સહકાર્ય સ્વરૂપ સૉલો ગીતો (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) નો આપણે વિગતે પરિચય કરી ચૂક્યાં છીએ.
આપણી ફિલ્મોમાં યુગલ ગીતોનું સ્થાન હંમેશાં બહુ મહત્ત્વનું રહ્યું છે. ફિલ્મમાં સીચ્યુએશનની જરૂરિયાત મુજબ પ્રેમના ઇઝહાર, પરિણયની ખુશી કે વિરહની વેદના વ્યક્ત કરવામાં સૉલો ગીતો જેટલી જ ચીવટ ગીતકારો અને સંગીતકારો યુગલ ગીતમાટે પણ દાખવતા રહ્યા છે. યુગલ ગીતોમાં પુરુષ અને સ્ત્રી ગાયકોનાં ગીતો, સ્વાભાવિક રીતે, વધારે પ્રચલિત રહ્યાં છે. પુરૂષ અને સ્ત્રી ગાયિકાના અવાજની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓમાં રહીને ગીતની ધુનની સજાવટ કરવામાં આવતી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં યુગલ ગીતો પણ બહુ જ સફળ થતાં રહ્યાં છે. સુરેન્દ્રનાં કેટલાંક યુગલ ગીતોએ તેમને અઢળક લોકચાહના અપાવી છે.
સુરેન્દ્રએ અનિલ બિશ્વાસનાં સંગીતમાં ૪૬ જેટલાં ગીતો ગાયાં છે, જેમાં તેમનાં સૉલો તેમજ યુગલ+ ગીતોની સંખ્યા લગભગ સરખી કહી શકાય. બીબ્બો (૬ ગીતો), માયા બેનર્જી (૩ ગીતો), વહીદન બાઈ (૪ ગીતો) જ્યોતિ (૬ ગીતો), હુસ્ન બાનો (૩ ગીતો), સરદાર અખ્તર (૧ ગીત) અને ખુર્શીદ સાથે મંઝધાર (૧૯૪૭)નું યુગલ ગીત 'મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે' એમ છ ગાયિકાઓ સાથેનાં કુલ ૨૪ યુગલગીતો પૈકી ગાયિકા-અભિનેત્રી બીબ્બો સાથેનાં અને માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો આપણે આજે આ પૂર્વાર્ધમાં માણીશું.
બીબ્બો સાથેનાંયુગલ ગીતો
લાહોરના એક ધનપતિ શાંતિ સાગર દ્વારા ‘ક્રેક ક્લબ’નો આરંભ કરવામાં આવ્યો હતો. બપોરથી રાત સુધી તે ધમધમતી રહેતી. સાંજના સમયે મોટે ભાગે ગાયનનો કાર્યક્રમ થતો, જેમાં સુરેન્દ્રના ભાગે ગાવાનું આવતું. એક વખત આ મિલનમાં કોઈકના નિમંત્રણથી એક યુવતીનું આગમન થયું. તેનું નામ હતું ઈશરત સુલતાના. પહેલવહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’માં તેણે એક ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી ‘રંગીલા રાજપૂત’(૧૯૩૩), ‘સૈરે પરીસ્તાન’(૧૯૩૪), ‘પ્યાર કી માર’(૧૯૩૫) જેવી ફિલ્મોમાં તેણે નાયિકાની ભૂમિકા કરી હતી. એ પછી મુંબઈ છોડીને તે લાહોર આવી ગઈ હતી. લાહોર આવ્યા પછી તેણે પોતાના ‘રેઈનબો પિક્ચર્સ’નો આરંભ કર્યો હતો અને ‘કઝ્ઝાક કી લડકી’(૧૯૩૭)નું નિર્માણ કર્યું હતું. પોતાના સૌંદર્ય અને મધુર અવાજ માટે તે આખા લાહોરમાં જાણીતી હતી. આધુનિક અભિગમ અને ખુશમિજાજને કારણે તે ‘કૉલેજ બૉય’ના ઉપનામે ઓળખાતી હતી. તેનું મૂળ નામ હતું બેગમ બીબ્બો. થોડા સમય પછી સુરેન્દ્રને ફિલ્મોમાં તક મેળવવા માટે મુંબઈ આવવાનું થયું. યોગાનુયોગે બીબ્બોએ પણ મુંબઈના ફિલ્મક્ષેત્રે પુન:પ્રવેશ કર્યો. 'મનમોહન'માં બન્ને નાયક-નાયિકા તરીકે ચમક્યાં અને તેમની જોડી અતિ લોકપ્રિય બની રહી.
'મનમોહન' (૧૯૩૬)માં સંગીતકાર અશોક ઘોષના અનિલ બિશ્વાસ મદદનીશ હતા, એ દૃષ્ટિએ સુરેન્દ્ર અને અનિલ બિશ્વાસનાં જોડાણનો પાયો અહીં ઘડાયો. આ ફિલ્મમાં સુરેન્દ્ર અને બીબ્બોનાં એક યુગલ ગીત -'તુમ્હીંને મુઝકો પ્રેમ સિખાયા' - ની શરૂઆતમાં બીબ્બો જે અદાથી 'મૈં અંદર આ સકતી હૂં' કહે છે તેને કારણે - પણ અનહદ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મનું આ જોડીનું બીજું યુગલ ગીત 'ખીઝાંને આકે ચમનકો ઉજ઼ાડા' સાવ જ અલગ વતાવરણ ખડું કરે છે. પુજારી મોરે મંદિરમેં આઓ – જાગીરદાર (૧૯૩૭) - ગીતકાર ઇન્દ્ર
આ ગીતમાં ૧૯૩૦ના દાયકાનાં ગીતની પૂરેપૂરી છાંટ છે - સંગીતનો ઉપયોગ માત્ર ગાયકો અને ધુનને સંગત આપવા જેટલો જ છે.
૧૯૧૪માં જન્મેલાં, માયા બેનર્જીએ મુંબઈ આવ્યા બાદ ૧૯૩૭થી ૧૯૩૯ સુધીની સાગર મુવીટોનની ફિલ્મોમાં અભિનય કરવાની સાથે પોતાનાં ગીતો પણ ગાયાં હતાં. ૧૯૪૦ પછી કરેલી ફિલ્મોમાં તેમણે અન્ય ગાયિકાઓના અવાજને પ્લેબેકમાં લીધો હતો.
અહીં લતા મંગેશકરના
સૂરમાં '૪૦ના દાયકાની ગાયકીની શૈલીની છાંટ જોઈ શકાય છે.
જાઓગે ઠેસ લગાકે બહુત પછતાઓગે
પ્રીતમની ગેરહાજરીમાં
તેને પોતાના પ્રેમની શક્તિ વિષે ચેતવતી નાયિકાના મનોભાવને સાંગોપાંગ રજૂ કરતું ગીત
રાત
ગુનુગુનાતી હૈ લોરિયાં સુનાતી હૈ નીંદ ક્યોં આતી નહીં
પહેલાં એક વિધાનની રજૂઆત - રાત ગુનુગુનાતી
હૈ લોરિયાં સુનાતી હૈ - એક્દમ વિચારશીલ સૂરમાં થાય છે. પણ પછી તેના પછી જે સવાલ - નીંદ ક્યોં આતી નહીં- પેદા થાય છે તેની વિહ્વવળતાને ઊંચા સૂરમાં
મૂકવાથી ગીત હૃદય્સ્પર્શી બની જાય છે.
આ મુહોબ્બતકી બસ્તી બસાએંગે હમ - કિશોર કુમાર
સાથે
આ યુગલ ગીત લતા મંગેશકર
- કિશોર કુમારનાં યુગલ ગીતોમાં ક્લાસિકનું સ્થાન મેળવી ચૂક્યું છે.
આડવાત : ૧૯૭૦માં હબીબ
વલી મોહમ્મદમાટે 'બાઝી'નાં ગીત આશીયાં જલ ગયા, ગુલિસ્તાન લૂટ ગયા' બનાવતી વખતે પાકિસ્તાની
ફિલ્મોના ખ્યાતનામ સોહૈલ રાણા પર આ ગીતની અસર છવાઈ ગઈ હશે!