Sunday, January 15, 2012

નવનીત - સમર્પણ જાન્યુઆરી,૨૦૧૨ના અંકમાંથી વધારે પસંદ પડ્યું તેની નોંધ

નવનીત - સમર્પણ જાન્યુઆરી,૨૦૧૨ના અંકમાં 'જો મારું આ છેલ્લું પ્રવચન હોય તો' શ્રુંખલામાં શ્રી અમૃતલાલ વેગડે [પૃ.૫૦ -૫૪]તેમનાં જીવનની ચાર માળ - વત અને પિતા, શંતિનિકેતન, નર્મદાની પહેલી પરિક્રમા અને નર્મદાની બીજી પરિક્રમા-ની વાત જે લાગણીસભર મધુર લાઘવથી કહી છે તે પોતે તો અસરકારક પ્રત્યાયનનું અનુસરણીય ઉદાહરણ તો છે જ, સાથે સાથે જીવનસાફલ્યવિષે પણ કેટકેટલું કહી જાય છે.
નર્મદાની પરિક્રમાને તેમણે તેઓએ સારા માણસ બનવાની કૉલૅજ કહી છે.શ્રધ્ધા અને વિનમ્રતા તેમ જ સાદગી અને સરળતા જેવા ભાવનાત્મક ગુણોને તેમણે આ યાત્રાઓમાં અનુભવથી આત્મસાત કર્યા અને આપણને પરિચિત કર્યા છે.
વ્યક્તિએ જીવનમાં producer  વધુ અને consumer ઓછા થવું જોઇએ તેવા મહત્વના જીવન સિધ્ધાંતની તેમની રજૂઆત મર્મસ્પર્શી છે. સમાજ પાસેથી જેટલું લઇએ તેના કરતાં વધારે પાછું આપવું અથવા જેટલું આપી શકીએ તેના કરતાં ઓછું લઇએ એવી સાદી સમજ જો આપણે દરેકે અપનાવી હોત તો ૨૦મી સદીના અંત સુધીમાં આપણે જે  global warming કે વૈશ્વિક મંદી કે ઠેક્ઠેકાણે નાનાંથી મોટાં વિદ્રોહનાં પ્રદર્શનો જોયાં તે કદાચ કદિ પણ થયાં જ ન હોત.
શ્રી અમૃતલાલભાઇએ જીવનમાં સાદગી કેટલી હદ સુધી ઉતારી હતી તે તો તેમણે અઠવાડીયાં પહેલાં જ લગ્ન થયેલ પત્નીને પણ પોતના મિત્રને જવા આવવાના થઇને છ કિલોમીટર ચલાવ્યાં તેનાપરથી સમજી શકાશે.["પરિક્રમાનું ભાથું બંધાઇ રહ્યું છે" - ઉપરોક્ત પ્રવચન પહેલાં શ્રીઅમૃતલાલ વેગડનો એમનાં પત્ની શ્રીમતિ કાન્તાબહેને આપેલો પરિચય - પૃ.૪૮-૪૯]
આ સંદર્ભે પૃ.૯૭ પર આલ્બર્ટ સ્વાઇત્ઝરનું કથન -" હું દ્રઢતાપૂર્વક માનતો આવ્યો છું કે જગતનાં દુઃખોના એકાદ અંશ્નો પણ અંત લાવવા માટે આપણામાંની દરેકવ્યક્તિ જરાક અજેટલો પુરૂષાર્થ તો કરી શકે જ"- વિચારીએ તો એમ લાગે કે આજે પણ જો આપણે મનથી નક્કી કરીએ તો છેલ્લી બે-ત્રણ સદીઓથી કરેલાં પર્યાવરણનાં નુકસાનને આપણે આ સદીમાં જ ભરપાઇ કરી દઇ શકીએ.

સાદગીના સિધ્ધાંતને અનુસરવાથી આ કક્ષાના બદ્લાવ શક્ય છે તેમ માનવા માટે શ્રધ્ધા જરૂરી છે. શ્રી અમૃતલાલભાઈ જીવનપ્રત્યે અને જીવનમાં શ્રધ્ધા મેળવી નર્મદાની પરિક્રમાઓથી. તો શ્રી મકરંદ દવે જેવા તેમની નૈસર્ગીક શ્રધ્ધાને આ રીતે સમજાવે છેઃ
                  “કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક.
          કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જૂદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅંક બેઠી છે આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ."
["કુન્દનિકા કાપડીઆ - એક મુલાકાત" - લેખિકાઃ અનુરાધા ભટ્ટ; પૃઃ ૩૪-૪૨]
આ લેખનાં પહેલાં જ પાને [પૃ.૩૪]પર કુન્દનિકાબહેનનો ફોટોગ્રાફ તેમનાં "વધુ સૌમ્ય, વધુ શાંત અને .. કેટલેક અંશે અંતર્મુખ થઇ" રહેલ વ્યક્તિત્વને અનેરી અસરકારકતાથી પ્રતિબિંબીત કરે છે. કોઈ જગ્યાએ ફોટોગ્રાફરનાં નામ ને ફોટોગ્રાફ લીધાના સમયની નોંધ જોવા ન મળી એટલે હાલ પૂરતું તે અનામી કલાકારને આપણી સલામ આપણે તંત્રીશ્રી દ્વારા મોકલીએ. તંત્રી શ્રી દિપકભાઇને આ ફોટોગ્રાફની પસંદગી અને તેને આ સ્થાને મૂકવા બદલ અભિનંદન અલગથી પાઠવીએ.

અને હવે, આ અંકમાંનાં કેટલાંક Quotable Quotes:
" જગત દેખાય છે તેવું નથી અને બોલે છે તેમ ચાલતું નથી." - "કાર્ટૂનની કલા" - ડૉ. જયંતી પટેલ 'રંગલો'ઃ પૃઃ ૧૩૫
"... મેં લાંબા કાળથી ધન (મધ) એકઠું કર્યું હતું પણ મેં ન ખાધું! અન્ય કોઇને ખાવા ન આપ્યું. પરિણામે લૂંટનારા લૂંટી ગયા. આવા વિચારથી મધમાખી પગ - માથું ઘસી રહી છે." -- "એક ઘડી આવી ઘડી .." - સં. રમેશ સંઘવી;પૃ. ૮૪
"પ્ર્ભાતના સૂર્યની ઉષ્મા પામીને હૃદય સૂરજમુખીની જેમ ખીલી ઉઠે ઃએ ત્યારે વીતી ગયેલ રાતનું એકાદ આંસુ એની ઉઘાડી રહેલી પાંખડી પર ઝિલાતેલું તો હોય છે જ.પછી સૂર્ય એને વીખેરી નાખે ખરો, પણ તે પહેલાં એ આખાય સૂર્યને પોતાની ભંગૂર સીમાઓ વચ્ચે પૂરી દે છે ખરું! આંસુ તથા સૂર્યને સહોદરની જેમ ઉછેરવા જેટલું શક્તિશાળી આપણું હૃદય હોવું જોઇએ." - સુરેશ જોશી - પૃ. ૬૦
અને મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા તો આ બ્લૉગ પર, નવનીત નો આ અંક હાથમાં આવ્યો તેના બે-એક દિવસ પહેલાં જ શ્રી તન્મય વોરાની એક પૉસ્ટ આજ વિષયપર વાંચી હતી એટલે તે સમયે જ પ્રસિધ્ધ કરી દીધેલ છે. [મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા [નવનીત સમર્પણ, જાન્યુઆરી ૨૦૧૨]]

Wednesday, January 4, 2012

कवि 'नीरज'की जन्म तिथि - ४ जनवरी - को उनकी यादमें


फिल्म - नयी उम्रकी नई फसल - संगीतः रोशन; गायकः मोहम्मद रफी

खुशी जिसने खोजी वो धन लेके लौटा
हसीं जिसने खोजी वो चमन लेके लौटा
मगर प्यारको खोजने जो चला वो
न तन लेके लौटा न मन लेके लौटा

सुबह न आई, शाम न आई
जिस दिन तेरी याद न आई, याद न आई
सुबह न आई, शाम न आइ.
कैसी लगन लगी ये तुझसे,कैसी लगन ये लगी,
जिस दिन तेरी याद न आई,याद न आई
हसीं खो गई,खुशी खो गई
आंसु तक सब रहन हो गयें
अर्थी तक सब निलाम हो गई [२]
दुनियाने दुश्मनी निभाई,याद न आई
सुबह न आई, शाम न आई
तुम मिल जाते तो होती पूरी अपनी राम कहानी
धर धर ताज महल बन जाता,गंगाजल आंखोंका पानी
सांसोने हथकडी लगाई, याद न आई
सुबह न आई, शाम न आई
जैसे भी हो, तुम आ जाओ,
आग लगी है तनमें और मनमें [२]
एक तारकी दूरी है [२]
बस दामन और कफनमें
हुई मौतके साथ सगाई, याद न आई.

आ जाओ,        जाओ,                 जाओ

फिल्म - चा चा चा - संगीतः इकबाल कुरेशी ; गायकः मोहम्मद रफी

Monday, January 2, 2012

મેનેજમેન્ટનું પંચતંત્ર


આજકાલ મેનેજમેન્ટની બોલબાલા છે. જેમ જૂના જમાનામાં ધર્મ પાસે બધા પ્રશ્નોના ઉકેલ હતા તેમ આજે મેનેજમેન્ટ વિજ્ઞાન પાસે જગતનાં તમામ દુ:ખોનો રામબાણ ઇલાજ છે. જેમ ધર્મ કહેતો કે ગરીબી માટે માણસનાં કર્મો જવાબદાર છેતેમ મેનેજમેન્ટ કહે છે કે ગરીબી એ મેનેજેરિયલ પ્રોબ્લેમ છે. જૂના જમાનામાં કોઇ બાવો પોતાને ઇશ્વરની કક્ષા સુધી પહોંચાડી દેતો તેમ એક વાર મેનેજમેન્ટની કંઠી બાંઘ્યા પછી કેટલાયે માણસો મેનેજમેન્ટ ગુરુ બની જાય છેસૂંઠને ગાંગડે ગાંધી થઇ જાય છે. જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો
.- - - - -
સરકસમાં વાંદરો-વાંદરી પરણી ગયાં. થોડા સમય પછી વાંદરીને સારા દિવસો જવા લાગ્યા. સરકસના પ્રાણી ડોક્ટરે વાંદરીને તપાસીને પૂછ્યું, ‘કેવું બાળક જોઇએ-છોકરો કે છોકરી?’ પ્રસૂતાએ જવાબ આપ્યો, ‘તેના પગ સાઇકલ ચલાવવા જેટલા લાંબા હોય અને માથું તોપના નાળચામાં સમાઇ શકે તેવું હોય એમ કરજો. પછી છોકરો હોય કે છોકરી તેનો કોઇ ફેર પડતો નથી.’-કથાબોધ : કર્મચારી પુરુષ છે કે સ્ત્રી તે મહત્વનું નથી. જે કામ તેને સોંપાયું છે તે બરાબર કરે છે કે નહીં તે વાત અગત્યની છે... 
.- - - - -
બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું. બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતોબીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે,પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છેએક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બેતેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.)
- - - - -
રાજાની ભેંસ વિયાણી ને પાડો જન્મ્યો. રાણીને પાડો જોવાનું મન થયું તેથી પહેલા માળે જનાનખાનામાં નરબચ્ચાંને લાવવાનો હુકમ કર્યો. દાસી તાજા જન્મેલા પાડાને માવજતથી પહેલે માળે લઇ ગઇ. પછી રાણીને બચ્ચું ગમી જતાં તેને રોજ એક વાર ઉપર લાવવું તેવો હુકમ કર્યો. આ નિયમિત ક્રમમાં બચ્ચું અલમસ્ત પાડો બની ગયુંછતાં ક્રમ ચાલુ રહ્યો. એક વાર રાજાના દરબારમાં એક પહેલવાન આવ્યો. તેણે પડકાર ફેંક્યો કે તે સૌથી વધુ વજન ઊચકી શકે છે. તેની સામે રાજાના બધા પહેલવાનો હારી ગયા. રાજા મૂંઝાયો ત્યારે રાણી મદદે આવી. તેણે પાડાવાળી વાત કહી પહેલવાનને પાડો ઊચકીને એક માળ ચડી જવાનો પડકાર ફેંકવા સલાહ આપી. બીજે દિવસે દરબારમાં રાજાએ પહેલવાનને પડકાર ફેંક્યો. પહેલવાને મહા મહેનતે પાડાને ઊચક્યો તો ખરોપરંતુ દાદર ન ચડી શક્યો. ત્યાં દાસી આવીપાડાને ઊચકીને પહેલે માળે સડસડાટ ચડી ગઇ.(કથાબોધ : રોજના મહાવરાથી સામાન્ય કારીગરો જે મુશ્કેલ કામ કરી શકે છેતે નિષ્ણાતો કરી શકતા નથી. દરેક ઉદ્યોગ સંગઠને વ્યૂહાત્મક કામના મહાવરાવાળા કારીગરો તૈયાર કરવા જોઇએ. તેમના વડે હરીફને જીતી શકાય.)
- - - - -
એક કુંભાર પાસે એક ગધેડો હતોજે માલવહનનું કામ કરતો. કુંભાર તેને ખૂબ મારતો અને પૂરું ખાવાનું ન આપતાં બિચારો માયકાંગલો બની ગયો હતો. એક હૃષ્ટપુષ્ટ ગધેડાએ તેને પૂછ્યું, ‘તું આ શેઠને છોડી કેમ નથી દેતોમાયકાંગલા ગધેડાએ જવાબ આપ્યો, ‘શેઠ તેની એકની એક તોફાની દીકરીને કહ્યા કરે છે કે તે બહુ તોફાન કરશે તો તેને મારી સાથે પરણાવી દેશે. હું એ દિવસની રાહમાં આ બધું સહન કરી લઉ છું. પછી તો શેઠની બધી મિલકત મારી જ છે ને!’(કથાબોધ: કારીગરો કામ કરે તે માટે પ્રેરણા (મોટીવેશન) અથવા પોષણ (ઇન્સેન્ટિવ) અપાય છે. પ્રેરણા શાબ્દીક પ્રોત્સાહન છેજ્યારે પોષણ એ ભૌતિક વસ્તુ આપીને કરાય છે. ડાહ્યા લોકો ઇન્સેન્ટિવથી કામ કરે છેગધેડાઓ પ્રેરણાથી કામ કરે છે.)
- - - - -
રવિવારને દિવસે સિંહ તેની બોડ બહાર સુસ્તાતો હતો. પસાર થતાં એક શિયાળે પૂછ્યું, ‘સમય કહેશોમારી ઘડિયાળ બગડી ગઇ છે.’ સમય કહેતાં સિંહે કહ્યું, ‘હું તમારી ઘડિયાળ રિપેર કરી દઇશ.’ શંકા દર્શાવતાં શિયાળે કહ્યું, ‘આ યંત્રરચના અઘરી છે. વળી તમારો હાથ લાગતાં ઊલટી વધારે બગડી જશે.સિંહે કહ્યું, ‘લાવો તો ખરાહું રિપેરિંગની ગેરંટી આપું છું.’ ઘડિયાળ લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વાર પછી રિપેર થઇને બરાબર ચાલતી ઘડિયાળ સાથે પાછો ફર્યો. શિયાળ આદર સાથે નવાઇ પામ્યો. સિંહ પાછો સુસ્તાવા લાગ્યો.થોડી વારમાં એક વરુ આવ્યું. તેણે સિંહને પૂછ્યું, ‘મારું ટીવી બગડી ગયું છે તેથી હું તમારે ત્યાં વન ડે મેચ જોઇ શકું?’ સિંહે કહ્યું, ‘લાવો તમારું ટીવી રિપેર કરી આપું.’ વરુએ કહ્યું, ‘સિંહને તે વળી ટીવી રિપેર કરતાં આવડતું હશે?’ સિંહે વળતાં કહ્યું, ‘પ્રયત્ન કરવામાં વાંધો શું છે?’ વરુ ટીવી લઇ આવ્યો. ટીવી લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વારે રિપેર થયેલું ટીવી લઇને પાછો આવ્યો. વરુ નવાઇ પામ્યું અને રાજી થયું.હવે ગુફાની અંદરનું દ્રશ્ય જુઓ. એક ખૂણામાં નાના અને બુદ્ધિશાળી સસલાઓ બેઠા હતા અને સાધન-સરંજામની મદદથી ફ્રીઝટીવીવોશિંગ મશીન વગેરે રિપેર કરતા હતા. સામેના ખૂણામાં એક સિંહ પોતાના પંજા ચાટતો બેઠો હતો.(કથાબોધ : કોઇ બુદ્ધુ માણસને પ્રગતિ કરતો જોઇ તમને નવાઇ લાગે ત્યારે તેના અનુચરો તરફ જોવુંતે બધા બુદ્ધિશાળી હશે. જે મેનેજરના કારીગરો કુશળ હોય તે મેનેજરને લાયકાત વિના પણ બઢતી મળે છે. પાઠ નંબર બેસસલાને મારીને ખાઇ જવા કરતાં તેમની પાસે કામ લેવાથી વધારે ફાયદો થાય છે.)
- - - - -
એક સસલો તેની બોડ બહાર બેઠોબેઠો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. ત્યાંથી પસાર થતા એક શિયાળે પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં શિયાળને કઇ રીતે મારી પાડવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.શિયાળે કહ્યું, ‘સસલો તે કદી શિયાળને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. થોડી વારમાં સસલો શિયાળના હાડકાંનો ટુકડો ચાટતો બહાર આવ્યો. થોડી વાર પછી ત્યાંથી વરુ પસાર થયો. સસલો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. વરુએ પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં વરુને કઇ રીતે ખતમ કરવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.વરુએ કહ્યું, ‘સસલો તે કદી વરુને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું.બંને અંદર ગયા. થોડી વારમાં સસલો વરુના હાડકાંનો ટુકડો ચાટતાં બહાર આવ્યો. છેલ્લે એક રીંછ આવ્યું. કમ્પ્યૂટર પર કામ કરતાં સસલાને પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં રીંછને કઇ રીતે પતાવી દેવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’ રીંછે કહ્યું, ‘સસલાની શી મજાલ કે તે રીંછને પતાવી દઇ શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. અંદર એક ડાલામથ્થો સિંહ પંજા ચાટતો બેઠો હતો.(કથાબોધ : તમારી તાકાત કેટલી છે તે મહત્વનું નથી. ધંધામાં પાર્ટનર કોણ છે તે મહત્વનું છે.)
- - - - -
એક નિરીશ્વરવાદી (ભગવાનમાં ન માનનાર) જંગલમાંથી પસાર થતાં ભૂલો પડ્યો. આમતેમ અટવાતો હતો ત્યાં પાંચ બચ્ચાં સાથે એક ભૂખી રીંછણ આવી ચડી. માણસને જોઇને રીંછણ ઘુઘવાટા કરવા લાગી. તે વિકરાળ હતીતેના નહોર ચપ્પુ જેવા તીક્ષ્ણ હતા. ડરનો માર્યો માણસ દોડવા લાગ્યો. રીંછણ પાછળ દોડી. ગભરાયેલા માણસથી બોલાઇ ગયું, ‘હે ભગવાનબચાવ.’ આકાશમાં ગડગડાટી થઇ. ઈશ્વર બોલ્યા, ‘તમે નિરીશ્વરવાદીઓએ મને ગાંડો કરી નાખ્યો છે. આમ તો મને માનતા નથી ને પાછી મારી મદદ માગો છો?’ ‘હું ભૂલ કબૂલ કરું છુંપણ આ ઉંમરે હવે વિચાર બદલવો શક્ય નથી. પણ રીંછણ નાની વયની છેભગવાનતેના વિચાર બદલીને તેને આસ્તિક બનાવી દો તો હું બચી જાઉ,’ નિરીશ્વરવાદી બોલ્યો. ઈશ્વરે કહ્યું, ‘તથાસ્તુ.’ થોડે દૂર રહેલી રીંછણ નજીક આવીમાણસનું ગળું દબોચીને બોલી, ‘આજનું ભોજન આપવા બદલ ઈશ્વરનો આભાર.’(કથાબોધ : ઈશ્વરમાં માનવાથી ધંધામાં અહિંસક બનાતું નથી.)
- - - - -

Saturday, December 31, 2011

મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા [નવનીત સમર્પણ, જાન્યુઆરી ૨૦૧૨]

"સંબંધો પરત્વે હું વર્ષો તો નહીં, દ્દયકાઓનો માણસ છું. મારી જન્મભૂમિ સુરત સાથેનો મારો આશક - માશુકનો સંબંધ તો સાત દાયકાનો થવા આવ્યો છે!આ જ સ્થિતિ મારા ઘર પ્રત્યેના ભાવસંબંધની છે. લગભગ સીત્તેર વર્ષમાં મેં એક જ વાર ઘર બદલાવ્યું છે. ઘર વિષેનું મારું આ સુદીર્ઘ સંબંધ-સાતત્ય સઘન ભાવ-સાતત્યમાં પરિણમ્યું છે તે અનનવ્ય ઉત્તરોત્તર ઘૂંટાય છે. આ જ ઘરમાં મેં મરણતોલ માંદગીઓ વેઠી છે અને એક આખું વર્ષ અનિદ્રાથી પીડાયો છું. ઇષાદ અને ઝુરાપાઓના પ્રલંબ સમયખંડોએ મને આ ઘરમાં રંજાડ્યો છે.અહીં જ હું ભોંયસરસો પછડાયો છું અને ફરીથી હામ કેળવી કર્તવ્યપથે વળ્યો છું.અહીં જ મેં કોડીયે,ખડીયે,ફાનસે અખૂટ વાંચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે! આ ઘરની અગાસીમાં ચાંદનીના સમુદ્રે મને ભીંજવ્યો છે અને બારણાં જેવી બારીમાંથી મેં વરસાદનું વહાણ અને સૂરજનો સંતાપ ઝીલ્યાંછે. આ ઘર મને એક સાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાની પુંજ જેવું અનુભવાય છે!"
- ભગવતીકુમાર શર્મા

ઘર એટલે...ઃસંપાદનઃકાન્તિ પટેલ,પૃ. ૮૪, કિંમત - રૂ. ૨૦૦, પ્રથમ આવૃત્તિ -૨૦૧૧,
  ઘર વિષેના ગદ્યપદ્ય, પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન, ૨૦૨,હર્ષ કોમ્પ્લેક્ષ,ખત્રી પોળ, પાડાપોળ સામે, ગાંધી રૉડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧


સંજોગવશાત બે દિવસ પહેલાં જ શ્રી તન્મય વોરાએ પણ  તેમના બ્લૉગ પર આ જ વિષય પર 'ઘર  વિષે' શિર્ષકથી ઘણી જ મનનીય ભાવના રજૂ કરી છે.


Wednesday, December 28, 2011

ઉત્પાદન આવરદા ચક્રના સંદર્ભમાં -- "કેવી હતી આપણી ગઇકાલ?" [‘ચિત્રલેખા’, ૨-૧-૨૦૧૨] - બિમલ મહેશ્વરી


તારીખ ૨-૧-૨૦૧૨ના હિસાબે પ્રસિધ્ધ થયેલ 'ચિત્રલેખા'ના અંકમાં શ્રી બિમલ મહેશ્વરીનો "કેવી હતી આપણી ગઇકાલ" લેખ વાંચતાં પેદા થયેલ વિચાર વમળમાં મૉપૅડ અને ઇન્ડીપૅન યાદ આવી ગયાં. આ પ્રતિભાવાત્મક લેખ તેમની યાદમાં લખ્યો છે.
વેચાણ સંચાલન [Marketing Management]ના એક આદ્યગુરૂ ફીલીપ કૉટલર વ્યવસાયનાં કે ઉત્પાદન /સેવાનાં વેચાણનાં અસરકારક સંચાલનમાટે ઉત્પાદન આવરદા ચક્ર [Product Life cycle]ની સમજણપર બહુ જ ભાર આપે છે. આ વિભાવનાની મદદથી ઉત્પાદન /સેવાની આવરદાની તંદુરસ્તી માટે આવરદાના અલગ અલગ તબક્કામાટે યોગ્ય કસરતો, 'આહાર-વિહાર' તેમ જ પથ્યાપથ્યના પ્રયોગ અને ઉપયોગથી ઉત્પાદન / સેવાને હરહંમેશ ગ્રાહકભોગ્ય રાખી શકવામાં મદદ મળે છે.
તેમ છતાં અહીં પણ 'બાળમરણ' કે 'લીલી વાડી મૂકી ગયા', 'ભરયુવાનીમાં ફાટી પડ્યો' જેવી ઘટનાઓ પણ મનુષ્ય જીવનની જેમ જ બનતી રહે છે.
 જો પ્રાવૈધાનિક વિજ્ઞાનની પ્રગતિ [Technological advancements] ઉત્પાદનની આવરદાને થતું કેન્સર છે તો ગ્રાહકની બદલતી પસંદ/નાપસંદ આવરદાને થતું ગ્રહણ કહી શકાય. તે જ રીતે ઉત્પાદન કે સેવાના ઉપયોગ કરવાની રીત પણ ઉત્પાદનની આવરદાની તબિયતને અસર કરે છે.
દૂરસંદેશ વ્યવહારનાં સાધન તરીકે મોબાઇલ [સેલ્યુલર (સેલ)] ફૉન એ ખુદ જ પ્રાવૈધાનિક પ્રગતિનું પ્રતિક છે, જેણે વિશ્વનાં ભૌતિક અંતરને ઘટાડી નાખવામાં 'પાસા-પલટી નાખનાર' [Game-changer] પરિબળ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ તો અંકે કરી જ લીધું છે. એક સાધન તરીકે તે હાથ કે કોઇપણ ઘડીયાળનાં અસ્તિત્વામાટે ભયની ઘંટડી છે તો વૈભવ કે પ્રતીષ્ઠાનું કે પછી વય જૂથનું એક પ્રતિક પણ બની જ ગયું છે. તેમાં વપરાતી પ્રૌદ્યોગિકીય પ્રક્રિયામાં ઉપગ્રહ દ્વારા તરંગોનાં વહનની ગૃહસ્થી ઑપ્ટીકલ ફાઇબરના કૅબલ્સ[OFC] અને રૅડીયો-તરંગો [RF waves]ના ઉપયોગની પ્રક્રિયાએ ઉપપત્નીની જેમ પચાવી પાડી.
તો એક અજ કુટુંબમાં [હીરો સાયકલ્સ અને ઍટલસ સાયક્લ્સનાં ઉત્પાદન-ગૃહો] મૉપૅડનો જન્મ થતાં જ મોટી બહેન (બાઈ)સાયકલના 'ભાવ ગગડી' ગગડી જવાનું શરૂ થઇ ગયું હતું. દૂધનાં મોટાં કૅન [બોઘરણાં]ની હેરફેર કરવા કે સ-પત્ની સહેલ કરવા જેવા સાઇકલના જન્મજાત ઉપ્યોગ પર મૉપૅદ શહેરોથી માંડી ગામડાંઓ સુધી છવાઇ ગયેલ.અમારા એક સંબંધી જામનગરમાં લગ્નમાં હાજરી આપવા રાજકોટથી 'લુના' પર નીકળ્યા તો હતા પણ રસ્તામાં પોતાની પૂરી તાકાત લગાડવા છતાં સામેથી આવતા પવનને કારણે તે સ્થિતપ્રજ્ઞ થઇ ગયેલ. આગળ જવાનો ભ્રમ થાય પણ જ્યારે પવન પડી જાય અત્યારે જ તે આગળ વધી શકતું. થોડું ચઢાણ આવે અને બે હટ્ટીકટ્ટી સવારીને વટથી હાંફતાં લઇ જતું 'સુવેગા' રસ્તામાં જ સુઇ ન જાય એટલે બન્ને જણાં નીચે ઉતરીને ખેંચી જતાં. આમ છતાં શ્રી ચામુંડી મૉપૅડ નામક કંપની  ૭૦ના દાયકાના અંતમાં કે ૮૦ના દાયકાની શરૂઆતમાં તેનું જાહેર ભરણું અનેક ગણું છલકાઇ જવા પછી પણ ઉત્પાદન શરૂ કરતાં પહેલાં જ બંધ થઇ ગઇ. કારણ! આ જ કુળનાં પિત્રાઇ ઉત્પાદન મૉટર સાઇકલમાં ૧૦૦ સીસીનું પદાર્પણ!

આ મૉટર સાઇકલ [એટલે Fill It, Shut It, Forget It વાળી હીરોહોન્ડા]ને કારણે તો જેની દહેજમાં માગવા સુધીની ઇજ્જત હતી તે ગીયરવાળાં સ્કુટર [એટલે કે 'વૅસ્પા' અથવા 'ચેતક']ના જન્મદાતા [બજાજ લિ.]એ રાતોરાત કાવાસાકી આશ્રમમાંથી કિશોરવસ્થામાં પહોંચી ગયેલ મૉડેલ્સને દત્તક લેવાં પડેલ. જો કે પાંચ છ ઉત્પાદકોની લીલી વાડીની કક્ષાએ પહોંચેલ સ્કુટરનો ગીયર વગરનાં સ્કુટર તરીકે બીજાં ઘરોમાં પુનર્જન્મ થયો છે. ફરક માત્ર એટલો પડ્યો કે પહેલાં જે કન્યાનાં લગ્નમાં દહેજ તરીકે મૂછાળો પુરૂષ તેનો સવાર ગણાતો તેને બદલે એ જ કન્યાનું તે ફૅશન કથન બની ગયું.

મૉપૅડના વિકાસને કારણે સાયકલને 'ક્ષય' લાગૂ પડી ગયો, એ તો ભલું થજો કસરતની સાયકલ કે રેસીંગ જેવી રમતગમતમાટેનાં બહુ-ગીયર્ડ સ્વરૂપ કે બાળકોનાં રમક્ડાં તરીકે રંગરંગીન સ્વરૂપ જેવી દવાઓનું કે જેને કારણે 'સાયકલ' ખોળિયું તો બચી ગયું પણ રૅલૅ [Releigh]  કે હર્ક્યુલસ જેવી બ્રાંડ અને તેના પ્રણેતા મદ્રાસ [હવે ચેન્નઇ]ની ટીઆઈ સાયકલ્સ નામ તો 'ભવ્ય' ભૂતકાળ થઇ ગયાં.

એક એવી પણ બ્રાંડ છે જે વસ્તુનું ઉત્પાદન તેના ઉત્પાદકે વર્ષો પહેલાં બંધ કરી દીધું છે, જે કંપનીનાં નામમાંથી કરારની શરતોને આધીન તેનાં નામોનિશાન ભુંસી નાખવાં પડ્યાં છે, જેનું વાસ્તવિક અસ્તિત્વ બહારનાં ઉપકરણોની મદદથી જીવંત દેખાતાં માનવ શરીર જેવું છે [કારણકે તેને એ રીતે આપણી આગવી જુગાડ કળા જ ચાલતું રાખી રહી છે]. આપણે વાત કરીએ છીએ ત્રિ-ચક્રી મીની-બસ 'ટેમ્પો'ની, જે આજે પણ ઉત્તર ભારતનાં કેટલાક ભાગમાં મસ્તીથી ટેમ્પો ટેક્ષીનું કામ કરે છે. માનવામાં ના આવતું હોય તો ઝી ટીવી પર આવતી સિરિયલ 'અફસર બિટિયા' આટલા સારૂ પણ જોશો.

આ બધી ચર્ચામાં યાતાયાતનું સહુથી પહેલું સાધન - ઘોડાગાડી- જે એકવીસમી સદીના બીજા દશકમાં કોઇ રડીખડી જૂના સમયપર આધારીત ફિલ્મ જોઇએ તો જ જોવા મળે તેની તવારીખ કોણ યાદ કરે.
આટલી જ રસપ્રદ અને વૈવિધ્યપૂર્ણ છે કલમ [પેન]ની જીવનસફર.

શાહીના ખડીયામાં થોડીથોડીવારે બોળીને લખી આપતી લેખણી કલમ  તરીકે ઓળખાઇ હતી. ઍટલે જ્યારે પેનમાં જ શ્યાહી ભરીને તેને ખડીયાથી સ્વતંત્રતા અપાવી ત્યારૅ તેને  Independent Pen[Indi Pen] કહી.પુરૂષના ડ્રેસ-કૉડમાં તે આભુષણ તો સ્ત્રીમાટે તે ફૅશન કથન પણ બની. મૉં બ્લાં [Mount Blanc], પીયર કાર્ડીન[Pierre Cardin] અને પાર્કર [Parker] કે ક્રૉસ [Cross]જેવી બ્રાંડ તો જેને ભેટમાં મળે તે પોતાને ધન્ય ગણે તે કક્ષાની બની રહી.

પરંતુ બૉલ-પેનનાં આગમનથી  Independent Pen[Indi Pen]નું અસ્તિત્વ સરકારી કે કાયદાકીય દસ્તાવેજપર કાળી શ્યાહીથી કે અમુક વર્ષોસુધી પરીક્ષામાં પ્રશ્નપૅપરના જવાબ જેટલું પરાણે રહી ગયું.જો કે શ્યાહી લીક થવાને કારણે હાથ બગડતા બંધ થઇ ગયા, હોળીને દિવસે શાળામાં મિત્રને પેન છટકોરીને 'રંગી' નાખવાનું બંધ થઇ ગયું.

શ્યાહીની ટેક્નૉલૉજીમાં થયેલ પ્રગતિએ જેલ-પેનના અવતરણ બાદ તો હવે Indi Penના દિવસો ભરાઇ ગયા.
આવીજ રસપ્રદ જીવનસફર છે અવાજ કે દ્રષ્યને મુદ્રિત કરી અને વિતરણમાં વપરાતી લાકહ કે પ્લાસ્ટીકની રેકર્ડ્સ કે ફિલ્મની રીલની છે.સીડી , પછી થી ડીવીડી અને બ્લુ-રૅ ડિસ્કને mp કે mpeg  જેવાં સ્વરૂપે ઇન્ટરનૅટ પર ચડાવવાનું કે તેનાપરથી ઉતારી લેવાનું એટલું સરળ કરી આપ્યું કે વચગાળામાં મૅગ્નૅટીક ટૅપ જેવું કોઇ માધ્યમ હતું તે દંતકથા લાગે.

Friday, December 23, 2011

મનોવૃતિ, અભિગમ અને જીવનમાં ગુણવત્તા કે ગુણવતાયુક્ત મનોવૃતિ,અભિગમ અને જીવન


સહુ પ્રથમ તો આ પૉસ્ટ લખવામાટેનો આધાર શ્રી તન્મય વોરાની  જે બ્લૉગપૉસ્ટ [Quality is Human. Quality is Love અને The Attitude of Quality] છે, તેની સાભાર નોંધ લઇશ. આ પૉસ્ટનાં લખાણનો સંદર્ભ પણ શ્રી તન્મય વોરાએ પ્રસિધ્ધ કરેલ ઇ-પુસ્તિકા ગુણવત્તા ઘોષણાપત્ર - જ્ઞાનવિશ્વમાં ગુણવત્તાની મૂળભૂત યથાર્થતાની પ્રાપ્તિ   [મૂળ અંગ્રજીમાં The Quality Manifesto – Getting the Basics of Quality Right in Knowledge World] છે, જેનેપણ આ પૉસ્ટમાં સાંકળી લેવાની અનુમતી આપવા બદલ શ્રી તન્મયભાઇનો આભાર પણ અહીં નોંધું છું.
સિક્કાની બે બાજૂ હોય છે. તેની કિંમત તો તેને બજારમાં લઇ જઇ ને શોધી શકાય ,પણ તેનું મૂલ્ય તો તેની બન્ને બાજૂએ મુદ્રિત આલેખને જીણવટથી નિરીક્ષણ કરવાથી જ જાણી શકાય. તે જ રીતે આપણે ગુણવત્તા અને અનુક્રમે મનોવૃતિ, અભિગમ અને જીવન જેવી બે બાજૂઓ ધરાવતા સિક્કાઓનો પરિચય કરીશું, જેથી સમય આવ્યે આપણે તેમની યોગ્ય પરખ કરી શકીએ.

ગુણવત્તાની મનોવૃતિ અને મનોવૃતિની ગુણવતા

ગુણવત્તાની મનોવૃતિ એટલે હંમેશ ઉચિત કામ યથાયોગ્યરીતે જ કરવું એટલું  જ નહીં પણ તેમ કરવાનો અને કરાવડાવવાનો આગ્રહ રાખવો. અહીં એ મહત્વનું નથી કે આ મનોવૄતિ સ્વાભાવિક છે કે કેળવાયેલ છે, મહત્વનું એ છે કે કોઇપણ કાર્ય ગુણવત્તાપૂર્ણ થાય તે જ સંતોષનો માપદંડ બની રહે તેવું સ્વશિસ્ત અનૈચ્છિકરીતે પળાતું રહે. આ મનોવૃતિની ગુણવત્તાનું પ્રમાણ છે આ રીતની પ્રવૃતિ કોઇ સાક્ષીભાવે કે નિરીક્ષકભાવે જોતું ન પણ હોય તો કે કોઇને બતાવવા કે બતાવી આપવામાટે ન હોય તેમ  છતાં તે માપદંડથી જ થઇ રહી હોય.

નવાં બંધાઇ રહેલ એક ભવ્ય મંદિરમાં કોઇની નજર પણ ન પહોંચે તેવી જગ્યાએ મુકાનાર એક બેનમૂન મૂર્તિમાં, નરી આંખે કદાચ દેખાય પણ નહીં તેવી ખામી, શિલ્પકારને ધ્યાનમાં આવી ગઇ. તેણે ચૂપચાપ તે મૂર્તિ ફરીથી બનાવવાનું શરૂ કરી દીધું. બધાંએ કહ્યુંઃ "ભાઇ, આ ખામી તો શું આ શિલ્પની સુંદરતા પણ આટલી ઉંચાઇએ દેખાવાની નથી, એટલે આ ફીજુલની મહેનત શા માટે કરો છો?".શિલ્પકારનો જવાબ હતોઃ "પણ મને તો ખબર છે ને."

આ છે મનોવૃતિની ગુણવત્તાની ચરમ સીમા.

ગુણવત્તાનો અભિગમ અને અભિગમની ગુણવત્તા

ગ્રાહકને કે તમારી આસપાસના સમુદાયને કે તમારી સંસ્થાને શું જોઇએ છે તે અથથી ઇતિ જાણવું એટલું જ નહીં પણ તે કઇ રીતે સહુથી વધારે સહેલાઇથી મેળવી શકાય અને તે શા માટે જોઇએ છે પણ જાણીને તેને માટે સહુથી સરળ રીત કઇ છે તે શોધીને પ્રસ્થાપિત કરવી એ ગુણવત્તાનો અભિગમ.

તે જ રીતે અભિગમની ગુણવત્તાની બે કક્ષાઓ છે. પહેલી કક્ષા છે ભૂતકાળમાંથી શીખવું. [ડેમીંગનાં PDCA  ચક્રમાંનું Check]માણસ માત્ર ભૂલને પાત્ર તો છે, પરંતુ ભૂલમાંથી તે કંઇ શીખે નહીં તો તેને મળેલ મનુષ્ય તરીકેની વિચાર અને વિષ્લેશણ શક્તિ શા કામની? તમે સાચી રીતે નિષ્ફળ થાઓ છો કે નહીં તે અભિગમની ગુણવત્તાની પારાશીશી છે.
વ્યક્તિના અભિગમની ગુણવત્તાની બીજી કક્ષા છે તેની ભવિષ્યવિષેની દ્રષ્ટિ. [ડેમીંગનાં PDCA ચક્રમાંનું Plan]

એક રાજ્યમાં પ્રધાનમંત્રી તરીકે નિમાતા વ્યક્તિનો કાર્યકાળ વધારે માં વધારે પાંચ વર્ષ રહેતો.જ્યારે પણ તેણે પદ છોડવાનું આવતું ત્યારે તેને રાજ્યથી ખૂબ દૂરનાં બીહડ જંગલમાં રહેવા મોકલી આપવામાં આવતો.ત્યાં જઇ ને કોઇ સુખેથી લાંબું રહ્યાનું જાણમાં નથી, તેથી પદપર આવતાં ખુશ વ્યક્તિ પદ છોડતી વખતે જ મરણતોલ થઇ જતો. એક સમયે એક નવલોહિયો પ્રધાનમંત્રી નિમાયો.પદ છોડતી વખતે ખુશખુશાલ હતો.લોકોના આશ્ચર્યાર્થ પ્રશ્નભાવના જવાબમાં તેણે કહ્યું કે પોતાના પાંચ વર્ષના સમય દરમ્યાન તેણે તે જંગલમાં એક આયોજીત નગર વસાવી લીધું હતું એટલે તેને પોતાનાં નિવ્રુતિનાં વર્ષોમાં કોઇ તકલીફ નહીં પડે.

આમ તેના ભવિષ્યદ્રષ્ટિ અભિગમની ગુણવત્તાને  પરિણામે તેણે આવનારી મુશ્કેલીઓમાટે સકારાત્મક સમાધાન શક્ય બને તે માટે મજબૂત પાયો, બીજાઓના ભૂતકાળમાંથી શીખીને, પોતાના વર્તમાનમાં જ તૈયાર કરી લીધો હતો.

ગુણવત્તામય જીવન અને જીવનની ગુણવત્તા

જે પોતાના સમયનો આયોજીત સદુપયોગ કરી શકેલ છે, જે પોતનાં જીવનના હરએક તબક્કે ધ્યેય સુનિશ્ચિત કરી શકેલ છે અને તે ધ્યેયોને કોઇપણ પ્રમાણની સરખામણીમાં કાર્યદક્ષતા અસરકારકતાથી સિધ્ધ પણ કરી શકેલ છે, જે પોતાનાં શ્રેય અને અન્યોનાં પ્રેયને સંતુલીત કરી શકેલ છે, તે ગુણવત્તામય જીવન જીવી રહ્યો છે તેમ ગણાય.આવાં જીવનના સમુદ્રમાં કેટલાંપણ તોફાનો આવે,તેની ગુણવત્તાપ્રત્યેની નિષ્ઠા ક્યારે પણ ખરાબે નથી ચડી જતી. ગુણવત્તામય જીવન બીજાઓને અનુકરણીય લાગે છે.

જ્યારે જે વ્યક્તિનું જીવન મીણબત્તીની જેમ પોતે સળગીને બીજાને પ્રકાશ આપે છે, મૃતદેહ પર શ્રધ્ધાંજલિ સ્વરૂપે કે ભગવાનની મૂર્તિપર પ્રાર્થનારૂપે ચડેપણ ફૂલ તો એ જ સુવાસ આપે છે તે એક દિવાદાંડીની જેમ કાળી રાતના અંધકારમાં પણ કોઇ એકલદોકલમાટે પથદર્શક બની રહે છે.

આપણાં પુરાણોના અર્ક સમા ભગવદગીતા ગ્રંથમાં શ્રીકૃષ્ણએ ગુણવત્તમય જીવનના સિધ્ધાંતો સમજાવ્યા છે તો શ્રીકૃષ્ણનાં જીવનની ગુણવત્તાની કસોટી પરિક્ષિતનાં પુનઃજીવનમાટે 'મેં જીવન દરમ્યાન મારા ધર્મને અનુરૂપ ન હોય તેવું કોઇપણ કાર્ય ન કર્યું હોય તો આ બાળક જવતો થશે" એ કથનમાં છે.


ગુણવત્તામાં જીવન કે જીવનમાં ગુણ્વત્તાના સિક્કાને કોઇ પણ બાજૂએથી જોઇએ, પણ તેનું મૂલ્ય તો સામયેલું છે એ વાત પર કે આપણે આ બે પ્રશ્નોના જવાબ શું આપીએ છીએઃ

       જીંદગીપાસેથી તમે શું અપેક્ષા રાખો છો અથવા જીંદગી તમારી પાસેથી શું અપેક્ષા રાખી શકે?

      દુનિયાને માત્ર તમે જ આપી શકો તેવું શું છે?