Sunday, April 3, 2011

"પણ મને તો ખબર છે"

એક સમર્પિત શિલ્પિએ 'મંદિરનાં ઉંચાં શિખરમાટે એક સુંદર મુર્તી બનાવી. મુર્તી પુરી થઇ રહેવા આવી હતી તેવા અંતિમ તબક્કે શિલ્પિને તેમાં એક સુક્ષ્મ ખામી ધ્યાનમાં આવી. તેણે તરતજ એ મુર્તીને ત્યાંથી હટાવી લીધી અને નવા પથ્થરપર ફરીથી તરાશવાનું શરુ કરી દીધું. તેના મિત્રએ સાશ્ચર્ય પુછ્યુંઃ " આટલી ઉંચાઇએ જ્યારે આ મુર્તીની સ્થાપના થશે, ત્યારે આવી સુક્ષ્મ ખામી કોની નજરે પણ ચડશે?" શિલ્પિએ મર્મીલાં સ્મિતમાં જવાબ આપતાં કહ્યુંઃ
"પણ મને તો ખબર છે."

જ્યારે તમને કોઇ જ જોઇ નથી રહ્યું અથવા કોઇ બાબતે તમા્રાથી વિશેષ નથી જાણતું, તમારી એ જાણની પળ તમારી નિતિમત્તાની કસોટીની ઘડી છે. તમારા આત્માના અરીસા સામે તમે બેનકાબ નગ્ન ઉભા હો કે વિશ્વામિત્રની સમક્ષ મેનકા જેવી મોહચલિત થઇ જવાય તેવી ક્ષણ એ તમારાં ખમીરની અગ્નિપરીક્ષાની ઘડી છે.

જે સમયે "પણ મને તો ખબર છે" એમ તમારા અંતરાત્માને ખબર હોય, તે પછીની જ ક્ષણની તમારી લાગણી કે વિચાર કે વર્તન એ તમારાં અંગતનિતિમુલ્યો કથીર છે કે કનક છે તેનું પારખું છે.
૩ અપ્રિલ '૧૧ નાં
Sunday Times - TIMESLIFE!ના
વિનિતા દાવર નાંગિયાના
"Would you like to walk like Sachin" લેખપરથી સાભાર

No comments: