Saturday, November 8, 2014

ફિલ્મી ગીતોમાં પત્રો (૨) - કન્વર્ઝેશન્સ ઑવર ચાય

૧૧ ઑક્ટોબર ૨૦૧૪ના રોજ આપણે ફિલ્મી ગીતોમાં પત્રોનો પૂર્વાર્ધ વાંચીને મમળાવ્યો. આજે હવે આગળ....
ચિઠીયાં હો તો હર કોઇ બાંચે, ભાગ ન બાંચે કોઈ.....સજનવા બૈરી હો ગયે હમાર - તીસરી કસમ (૧૯૬૬) - ગાયકઃ મુકેશ | સંગીતકાર : શંકર જયકિશન | ગીતકાર : શૈલેન્દ્ર
image
પરદેશ વસેલા , સૌતનના ચડાવેલા, સાંવરિયાનો નથી કોઇ સંદેશ કે નથી કોઈ ખબર. આને કારણે ભંવરમાં ડૂબી ચૂકેલી છટપટાતી મમતાની વેદનાની કથની સમા આ ગીતના શબ્દોનો પૂર્વાપર સંબંધ આ ક્લિપની એકદમ શરૂઆતમાં જોવા મળે છે.
નાયિકા હીરાબાઈ તેના 'સાંવરિયા'નો અલવિદાનો સંદેશ વાંચે છે, પણ ગળે નથી ઉતારી શકતી, અને તેમ છતાં તેનાં મનની વેદના "કભી કોઈ અપના નહીં ઈસ જમાનેમેં, ન આશિયાને કે બાહર ન આશિયાને કે અંદર' જેવી પંક્તિઓમાં હોઠ પરથી સરી પડે છે. એ વેદના તેના 'હમસફર' ગાડીવાન હીરામનનાં મોઢેથી આ ગીતનાં સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે.
ખત લિખ દે સાંવરીયા કે નામ બાબુ - આયે દિન બહાર કે (૧૯૬૬) - ગાયિકા : આશા ભોસલે | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર : આનંદ બક્ષી
image

બહારગામ વસતા પ્રિયજનને પ્રિયતમા પોતાની તડપ પહોંચતી કરવા પણ 'ખત'નાં માધ્યમનો સહારો લે અને તેમાં હવે ટપાલી પત્રલેખનનો લહિયો બનવાનો પાઠ પણ નિભાવે એ લોક સંસ્કૃતિ કેટલી રૂઢ હશે એ સમયમાં, કે કૉલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંચ પર નૃત્યનાટિકા તરીકે ભજવવા માટે પણ પત્રલેખનનો વિષય સિક્કા પડાવે છે.
ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં, ફૂલ નહીં મેરા દિલ હૈ - સરસ્વતીચંદ્ર (૧૯૬૮) – ગાયક : લતા મંગેશકર અને મુકેશ | સંગીતકારઃ કલ્યાણજી આણંદજી | ગીતકાર ઈન્દીવર
image

તાજા જ પરિણયના તાંતણે જોડાયાં હોય કે જુગ જુગથી પ્રેમનો પ્રગાઢ સંબંધ હોય, પણ વિરહ એ બે પ્રેમીઓની લાગણીઓને અવનવા સ્વરૂપે અભિવ્યકત કરે જ છે. ગુજરાતીની સીમાચિહ્ન નવલકથા 'સરસ્વતીચંદ્ર' પરથી બનેલી એ જ નામની આ ફિલ્મમાં નાયિકા કુમુદ અને નાયક સરસ્વતીચંદ્રના પ્રણયના નવપલ્લવિત ફૂલને પત્ર દ્વારા મ્હોરતાં કરી મૂકવાની બહુ જ કાવ્યમય રજૂઆત અહીં જોવા/ સાંભળવા મળે છે.
લિખે જો ખત તુઝે વો તેરી યાદમેં સિતારે હો ગયે - કન્યાદાન (૧૯૬૯) ગાયક મોહમ્મદ રફી સંગીતકાર શંકર જયકિશન ગીતકાર નીરજ
image
પ્રેમની યાદમાં લખેલા પત્રો બધાજ રાતના સિતારા અને સવારે ફૂલો બની જાય તેવી છલોછલ ખુશીઓનું ગીત...
આયેગી જરૂર ચિઠ્ઠી - દુલ્હન (૧૯૭૪)- ગાયક : લતા મંગેશકર| સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર આનંદ બક્ષી
image

લગ્નની પહેલી જ રાતે મૂત્યુ પામેલા પતિની યાદથી જેનું દિલ તૂટી ગયું છે પણ આશ નથી છૂટી , તેવી ગામ આખાની તેના માટેની દયા ખાવાની લાગણી ન સમજી શકતી દુલ્હન (?)ની સદા પ્યાસી આંખોમાં કદી ન આવનાર ચિઠ્ઠી જરૂર આવશે તેવો નાસમજ ભોળપણનો આગ્રહ આ ગીતમાં વણી લેવાયો છે.
ડાકિયા ડાક લાયા - પલકોંકી છાઓંમેં (૧૯૭૭) - ગાયકઃ કિશોર કુમાર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર : ગુલઝાર
image
અહીં ઘેર ઘેર ટપાલ વહેંચતા અને ગામડાંના લોકોને તેમના પત્ર(ગાઈને) વાંચતા કે લખતા ટપાલીની છબીનું ચિત્રણ છે.

ગામડાનાં નિરક્ષર લોકોની પણ ભાવનાઓનો શબ્દદેહ તો બળૂકો જ હોય ! પોતાના પતિની રાહ જોતી વ્યથિત નારીનો સંદેશ પણ એક ખેપમાં ડાકિયો આ શબ્દોમાં ગાઈ લખી આપે છે - વિરહમાં રાતો કેમ કરીને પસાર કરવી, સાવનની ભીની ભીની ફુહારોમાં પણ વૈમનસ્ય કનડે છે, વરસાદનું ટીપે ટીપું તારી બાંવરીને અગ્નિની જ્વાળાને જેમ સળગાવે છે. આ મૂઈ નોકરી મૂકીને પણ હવે તો તું મારી પાસે જ આવતો રહે....
આ.. આ... ઈ....ઈઈ..માસ્ટરજીકી આયી ચિઠ્ઠી - કિતાબ (૧૯૭૭) - ગાયિકાઓ ઃ પદ્મિની અને શીવાંગી કોલ્હાપુરે | સંગીતકાર રાહુલ દેવ બર્મન | ગીતકાર ગુલઝાર
image

છોકરાંઓની (અપદ્યાગદ્ય) નિર્દોષ તોફાન મસ્તીની ગુલછડીઓની ધીંગામસ્તી...
અને હવે ગેરફિલ્મી પત્રોની કેટલીક વાત..
કાસિદકે આતે આતે તક ખત એક લીખ રખું - મિર્ઝા ગાલિબ (૧૯૮૮ની દૂરદર્શન પર પ્રસારીત થયેલ સીરીયલ) - ગાયક-સંગીતકારઃ જગજીત સિંગ | શાયર : મિર્ઝા ગાલિબ
તેરે ખુશ્બુમેં ડૂબે ખત મૈં જલાતા કૈસે - ગાયક અને સંગીતકાર - જગજીત સિંગ | શાયર : રાજેન્દ્રનાથ રાહબર
'૭૦ના દાયકા પછીની ફિલ્મોમાં પણ 'ખત', 'ચિઠ્ઠી' સમયે સમયે દેખા તો દે છે, પણ તેની વાત આપણી નિર્ધારિત સીમાઓની પેલે પાર છે.....
અને છેલ્લે, પત્ર, ખત વિષય પરની કેટલીક ફિલ્મોઃ
પ્રેમ પત્ર (૧૯૬૨) - નિર્દેશક : બિમલ રૉય | સંગીતકાર : સલીલ ચૌધરી
image
મેડીકલ કૉલેજમાં ભણતા નાયકને નાયિકાએ લખેલા પ્રેમ પત્રની આસપાસ ગુંથાયેલ એક બહુ સંવેશદનશીલ કથાનકવાળી ફિલ્મ ….
આખરી ખત (૧૯૬૬) - નિર્દેશક : ચેતન આનંદ | સંગીતકાર : ખય્યામ
image

મંદિરમાં ગાંધર્વ લગ્ન કરેલ નાયિકા અને નાયક વિધિસર એક નથી થઇ શક્તાં. અલગ થઇ ચૂકેલા નાયકને નાયિકા મળે છે પણ નાયક તેનો સ્વીકાર નથી કરતો. પણ તેમના પ્રેમનું પુષ્પ ધરતી પર અવતરી ચૂકે છે. નાયિકા નાયકને પત્ર લખીને બધી પરિસ્થિતિની જાણ કરે છે...એક સાવ નાના બાળકની આસપાસ ભમતી ફિલ્મનો એક અનોખો જ પ્રયોગ …..
વેલકમ ટુ સજ્જનપુર (૨૦૦૮) - નિર્દેશક : શ્યામ બેનેગલ | સંગીતકાર : શાંતનુ મોઈત્રા
image
પત્ર લેખન એ આ ફિલ્મના યુવાન નાયકની રોજીરોટીની જ કહાની માત્ર નથી ,પણ તેના પ્રેમની પણ વાત છે. ગ્રામ્યજીવનનાં સામાજિક, રાજકીય, કૌટુંબિક અને વ્યક્તિગત સ્તરે પણ ખતના માહાત્મ્યની પણ આ ફિલ્મ છે.
આશા કરીએ કે આ લેખ વાંચીને આપણને પત્રલેખનની ચાહત ફરીથી જાગશે...કંઇ નહીં તો સ-રસ મજાની કોમેન્ટ્સ તો લખતા રહેવાની મજા માણવાની અને મણાવવાની તો તલપ જાગશે જ...





"કન્વર્ઝેશન્સ ઑવર ચાય " પરના લેખોના અનુવાદ 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત કરવાની, બહુ પ્રોત્સાહક, સંમતિ આપવા બદલ 'ફિલ્મ સંગીતની સફર'ની સંકલન સમિતિ સુશ્રી અનુરાધા વૉરીયરનો હાર્દિક આભાર માને છે.

વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૮ નવેમ્બર, ૨૦૧૪

Monday, November 3, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪ : દરિયાની આંખે આંસુ

શ્રી કીર્તિ ખત્રીના 'કચ્છમિત્ર' સાથેના કાર્યકાળના લેખો પરથી શ્રી માણેકલાલ પટેલ દ્વારા સંપાદિત 'કલમ કાંતે કચ્છ'પુસ્તક શ્રેણીના ૪થા પુસ્તક "દરિયાની આંખે આંસુ"ની વાત આજે કરીશું.

સંપાદન કરતી વખતે લેખક અને સંપાદકે દરેક પુસ્તકના વિષયને બહુ જ સબળ શીર્ષકની મદદથી સ્પષ્ટ કર્યો છે.

કચ્છનો કાંઠો એક સમયે દાણચોરો માટે સ્વર્ગ મનાતો. ભૌગોલિક, ઐતિહાસિક અને રાજકીય કારણોસર કચ્છના દરિયા કિનારાનો સીમાડો દુર્ગમ અને જટિલ રહ્યો છે.તેમ છતાં (અથવા કદાચ, તેને કારણે)દાણચોરીની પ્રવૃત્તિનાં પરિમાણો સમગ્ર રાષ્ટ્રની સલામતી સુધી પોતાનો પ્રભાવ ફેલાવતાં રહ્યાં છે. કીર્તિભાઇની કલમ દેશવિરોધી પ્રવૃત્તિઓની સામે જેહાદ, જાસૂસીની ચકચાર અને આપણી જે તે સમયની સરકારોને જાગતા રહેવાની આલબેલ પોકારતી રહી છે.

દરેક પુસ્તકની શરૂઆતમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓ તેમજ 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરોના લેખ મુકાયા છે. સમગ્ર શ્રેણીમાં જે કેટલાંક પુસ્તકોમાં આ લેખો વિષય પ્રવેશકની બહુ જ અસરકારક ભૂમિકામાં રજૂ થયા છે, તેમાંનું એક આ પુસ્તક 'દરિયાની આંખે આંસુ' છે.

પહેલા પ્રવેશક લેખ 'આદર્શ તંત્રીની સાકાર કલ્પના'(પૃ. ૧૩-૧૭)માં ગુજરાતી એબીપી ન્યૂઝના બ્યૂરૉ ચીફ શ્રી બ્રીજેશકુમાર સિંહ કીર્તિભાઇ સાથેના કેટલાક યાદગાર પ્રવાસોને યાદ કરે છે. તે પૈકી જખૌથી સાંઘી સિમેન્ટ એકમ સુધીના દરિયાઇ માર્ગે કરાયેલા પ્રવાસનાં વર્ણનમાં કીર્તિભાઇના કચ્છને સ્પર્શતા અનેક વિષયોના એનસાઇક્લોપીડિક વ્યાપનો, અને એ જ્ઞાન મેળવવા માટે જાતે જ સ્થળો પર જઇને પ્રશ્નોની વિગતોને અલગ અલગ બાજુએથી સમજવાની તેમની ચીવટ અને જહેમતનો ચિતાર વાચક સમક્ષ તાદૃશ થઇ રહે છે.

આ એક પ્રવાસ ઉપરાંત શ્રી બ્રિજેશકુમાર સિંહે આ પુસ્તકને સ્પર્શતા અન્ય મુદ્દાઓની પણ દાદ પણ એક સમકાલીન વ્યાવસાયિકની નજરે લીધેલ છે.ઉદાહરણ તરીકે એક જ ટાંક બહુ થઇ રહેશે :'ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દશક કરતાં પણ વધુ સમયથી વિવાદોનું કારણ રહેલા ૬૮ કિલોમીટરના નાળાનું સાચું નામ "સિરક્રીક"......અહીં મોટા પ્રમાણમાં મળી આવતી 'સિરિ' નામની માછલીને કારણે પડ્યું (છે)....કોઇ બ્રિટિશકાલીન 'સર'ને કારણે નહીં'

[પરિચયકર્તાની નોંધઃ આવી જાણકારીનું મહત્ત્વ સમજવું હોય તો 'સિર ક્રિક' 'કોરી ક્રીક' કે 'હરામી નાળા' જેવા શબ્દોની ઇન્ટરનેટ પર ખોજ કરી જોવી જોઇએ, જેથી આ વિષયો પર માહિતી વિષેના સ્રોત કેટલા મર્યાદિત છે, અને જે કંઇ માહિતી મળે તે કેટલી અપૂરતી અને અછડતી હોઇ શકે છે તેનો સાચો અંદાજ આવે!]

'કીર્તિભાઈનાં લખાણો સંખ્યાબંધ પત્રકારો માટે પાઠ્યપુસ્તક જેવાં બની રહ્યાં છે'(પૃ. ૧૮ -૨૬)માં કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલ પંડ્યા “સરહદી સલામતી વિષય..(પર)..કીર્તિભાઇએ અત્યાર સુધી આપેલાં યોગદાનની વાત કોઇ ફિલ્મના કથાનક જેવી રસપ્રદ” ગણે છે. તેમણે કીર્તિભાઇના આ વિષયો પરના ઊંડાણભર્યા અહેવાલ અને તે માટેની મહેનત અને દિલધડક પ્રવાસોના "ભારે રોમાંચ” અહીં વર્ણવ્યા છે.

પુસ્તકમાં આવરી લેવાયેલા વિષયોની વાત માંડતાં પહેલાં કીર્તિભાઇ પત્રકારત્વનાં હાર્દની સાથે સાથે દેશહિત અને એવા અન્ય વિરોધાભાસી દૃષ્ટિકોણ વચ્ચે સંતુલન કેમ જાળવતા રહ્યા તે સમજી શકાય તેવા એક કિસ્સાનો શ્રી નિખિલ પંડ્યાએ એમના લેખના અંતમાં કરેલો ઉલ્લેખ (પૃ. ૨૬)અહીં અસ્થાને નહીં ગણાયઃ 'પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ‘જીયે સિંધ’ ચળવળ ચાલતી હતી તે અરસામાં કોટેશ્વરની જેટી પર એક નૌકામાં અમુક લોકો ઊતર્યા અને બસમાં બેસીને જતા રહ્યા... આ શંકાનું પગેરું દાબવામાં આવતાં વળતો જવાબ આવ્યો કે કોટેશ્વરની જેટી પર ઊતરેલા શખ્શો ‘જીયે સિંધ’ ચળવળ સાથે સંકળાયેલા હતા અને તાલીમ લેવા આવ્યા હતા. કોઇ પણ અખબાર માટે કે પત્રકાર માટે આ આંતરરાષ્ટ્રીય મહત્ત્વના સમાચાર હતા. શંકાને સમર્થન આપનાર અધિકારીની, દેશહિતમાં એ સમાચાર ન છાપવાની ભારપૂર્વકની વિનંતિને કીર્તિભાઇએ પ્રાધાન્ય આપ્યું હતું.'

'દરિયાની આંખે આંસુ'માં કુલ ૪૭ લેખોમાં ૧૯૮૫થી છેક ૨૦૧૩ના સમયખંડને આવરી લેવાયો છે.

૧૯૮૫ અને ૧૯૮૭ના સમયના લેખોનાં 'કચ્છની નધણિયાતી દરિયાઈ સીમાઓ' (પૃ.૫૦થી ૫૮), ‘જખૌ નજીક નાપાક ચાંચિયાગીરી : ઊંડા કાવતરાંનો પ્રથમ અંક?’ (પૃ. ૩૭-૪૪) કે 'કચ્છના દાણચોરો દ્વારા એક કાંકરે ત્રણ પક્ષી મારવા પ્રયાસ?' (પ્રુ.૬૦-૬૨) શીર્ષકો જ સમગ્ર વિષયના ફલકને નજર સમક્ષ કરી આપે છે. લેખની વિગતો પ્રશ્નોની તત્કાલીન તાસીર સમજવામાં પડદા પાછળ, અને પડદા પર ભજવાતા, ઘટનાપ્રવાહોની સમજ આપવામાં મદદરૂપ થાય છે.

૧૯૯૩ના લેખ 'મરદ દોસ્ત 'લાલ ટોપી'ને સો સો સલામ' (પૃ. ૮૬-૮૯)માં એક તરફ '૮૦ના દાયકાનાં શરૂઆતનાં ચાર પાંચ વર્ષોમાં કસ્ટમ ખાતાના જિંદાદિલ, નિષ્ઠાવાન અધિકારીઓએ દાણચોરોને તોબા પોકરાવી દીધી હોવાનું બયાન છે. એ જ લેખમાં બીજી બાજુએ, જેને ૧૯૮૭માં રાષ્ટ્રપતિનો એવૉર્ડ પણ મળી ચૂક્યો તેવા કસ્ટમના એક અધિકારી એલ. ડી. અરોડાની હત્યા ૧૯૯૩માં જ શા માટે કરાઇ છે તેનાં સંભવિત કારણોમાં 'કોણ જાણે કેટલાયે મહાનુભાવોના પગમાં રેલા લાવી દે' જેવા બેધડક ઉલ્લેખ પુસ્તકના શીર્ષકમાં 'આંસુ'ના મહત્ત્વને સ્પષ્ટ કરી આપે છે.

૧૯૯૪ના લેખ 'ચરસ પ્રકરણના સૂચિતાર્થો' (પ્રુ. ૯૦-૯૧)માં કીર્તિભાઇ નાર્કો-ટેરરિઝમના છેડા કચ્છ સુધી લંબાતા જોઈ શકે છે. તે જ રીતે ૧૯૯૬ના લેખ 'કચ્છમાં વધુ એક નાપાક જાલીનોટ કૌભાંડ' (પૃ. ૯૨-૯૪)માં 'એકના એક ઇસમ વારંવાર કેમ પકડાય છે', 'અગાઉ નોટ ભારતમાં છપાયેલી હતી, જ્યારે હાલના કિસ્સામાં નોટો પાકિસ્તાનથી આવેલી છે અને ત્યાં જ છપાઇ છે' જેવાં સૂચક નિરીક્ષણોની મદદથી, આ પ્રકારના કિસ્સાઓમાં બંને પક્ષોની મોડસ ઑપરેન્ડીના વિગતવાર વર્ણન સાથે તેનાં લેખાંજોખાંની પણ ચર્ચા જોવા મળે છે.

૧૯૯૯ના લેખ 'કારગિલની ભાવનાને ઝારાની લાગણીમાં પલટાવીએ' (પૃ.૧૦૭-૧૦૯) જેવાં શીર્ષકોમાં તત્કાલીન ઘટનાઓ અને પ્રખ્યાત પાત્રોને મૂકવાથી લેખ તરફ આકર્ષણ તો જન્મે જ છે, પણ તે સાથે લેખ વાંચ્યા પછી તેનો સંદેશ પણ વાચકના દિમાગમાંથી દિલ સુધી અસર કરી જાય છે. જેમ કે, "જાસૂસી વિમાનને અબડાસા પાસે ફૂંકી મારવાની ઘટનાથી કચ્છની ક્રીકની સીમાઓ સમાચાર માધ્યમોમાં ચમકતી થઇ ગઇ હતી. તે કારણે પાકિસ્તાનમાં પેદા થયેલી લાગણીઓના ઊભરાને શાંત કરવા ઘુસણખોર ટુકડીઓને કચ્છની દરિયાઈ સરહદ વાટે ઘુસાડવાની પેરવીઓ થઇ હતી. એમાંના મોટા ભાગના તો દેખાવ અને ભાષાને કારણે જુદા તરી આવે તેથી કદાચ પોલીસ કે અન્ય સલામતી દળો માટે તેમને શોધી કાઢવામાં ખાસ વાંધો ન આવે...પણ રણકાંધીઓ કે સંવેદનશીલ દરિયાકાંઠાની પટ્ટીએ બેઠેલી પ્રજાની એ ફરજ છે કે કોઈ વિદેશી તત્ત્વ નજરે ચડે તો તરત જ તેને ખુલ્લો પડે.'

૧૯૯૯ના બીજા એક લેખ 'જો જો સિરક્રીક બીજું છાડબેટ ન બને !' (પૃ.૧૩૦-૧૩૬)માં 'નધણિયાતી સીમાઓ પર ઘુસી આવીને અડ્ડો જમાવી દીધા પછી વિવાદ ઊભો કરવાની..ખંધી અને નફ્ફટ મોડસ ઓપરેન્ડી' વિષે આલબેલ પોકારતાંની સાથે ૨૦૦૪ની સાલ સુધીમાં ખંડીય છાજલી બાબતના દાવા યુનો સમક્ષ નોંધાવી દેવા, એ વિષેના જે તે સમયની કચ્છની રાજાશાહી સરકાર અને સિંધ (મુંબઇ સરકાર) વચ્ચેના કરાર જેવા પ્રશ્નનાં વિવિધ ઐતિહાસિક પાસાંઓની બહુ જ વિગતે છણાવટ પણ રજૂ કરાઇ છે. આ વિસ્તાર પર પાકિસ્તાનનો ડોળો માત્ર ઘુસણખોરી કે ત્રાસવાદને દાખલ કરવાની બારી જેટલો જ મર્યાદિત ન હોઇને એ વિસ્તારમાંના તેલ અને ગેસના ભંડારો જેવી કુદરતી સંપત્તિ પર પણ કબજો દબાવવાની દાનત હોવાની શકયતા વિષે પણ લેખક પોતાની ચિંતા વ્યક્ત કરે છે.

તે પછીના સમયને સ્પર્શતા લેખો - ક્રીક સીમાએ તરતી ચોકી (૨૦૦૨), ક્રીક સીમાએ આક્ર્મક બોટ (૨૦૦૫), સિરક્રીક વિવાદના જળમાં એક વધુ નાપાક પથરો (૨૦૧૨), કચ્છી 'હરામી નાલો' સીલ કરે જ છૂટકો (૨૦૦૧), શારકામમાં ખચકાટ શાને? (૨૦૦૪)-માં આ વિષયની સમયોચિત ચર્ચાનો દૌર ચાલુ જ રહે છે. તેમાં પુસ્તકના અંતમાં આવેલા બે લેખ ખાસ ધ્યાન ખેંચે છેઃ

('કચ્છમિત્ર'ના વિશેષાંક 'સાઠ વરસનાં સંભારણાં) ૨૦૦૮ના લેખ 'દાણચોરોની સ્વર્ગભૂમિઃ સોનાચાંદીથી આર.ડી.એક્સ.'માં ૧૯૫૦થી ૨૦૦૮નાં વર્ષનો, દાણચોરી, શસ્ત્રો, ઘુસણખોરી અને જાસૂસી એવા પેટા વિભાગોમાં, (કચ્છના દરિયા સીમાડાઓથી ચાલતી) દેશ વિરોધી પ્રવૃતિઓનો ઘટનાક્રમનું દસ્તાવેજીકરણ આ પુસ્તકના મૂલ્યને અનેકગણું વધારી નાખે છે.

તે જ રીતે ૨૦૧૩ના, પુસ્તકના છેલ્લા લેખ – ‘સાવધાન, સોનાની દાણચોરી ફરી શરૂ થઈ ચૂકી છે’ -માં જાણે આંખમાં આંસુ સાથે લેખક પોતાનાં દિલનાં દર્દને આ રીતે વાચા આપે છે :'૧૯૯૨માં સુવર્ણ અંકુશ ધારો રદ્દ થતાં કચ્છથી કેરળ સુધીના વિસ્તારોમાં બંધ થયેલી સોનાની દાણચોરી હાલમાં સોનાની આયાત પરની ડ્યૂટી ૧ ટકાથી વધારીને ક્રમશઃ ૬ ટકાની કરી દેવાતાં...દાણચોરી શરૂ થઇ ગઇ હોવાનો એકરાર કસ્ટમ અને ડી.આર.આઈ. સત્તાવાળાઓ કરી રહ્યા છે....ભૂતકાળની જેમ ફરી મોટા પાયે સંગઠિત..દાણચોરીનો દૌર શરૂ થશે તો રોગ કરતાં ઈલાજ વધારે ખતરનાક બની જશે...આખરે આવી જ દાણચોરીના નેટવર્કનો ઉપયોગ ભારત સામે આતંક ફેલાવવામાં થયો હતો ..એ યાદ ..(કરવું)…એ સમયનો તકાદો છે.'

દરિયાઇ સીમાડે થતી રહેતી દેશવિરોધી પ્રવૃત્તિઓનનાં વિવિધ પાસાંઓની ચર્ચા વચ્ચે '-ને હવે ભુજના જેલ સત્તાવાળાઓનું વલણ વિવાદ સર્જે છે'’ (૧૯૮૭), 'ભુજમાં જેલફોડીનું નાપાક કાવતરું’(૧૯૯૨), ‘જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાંથી સંદિગ્ધ ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા ઈસમોનું નાસી છૂટવું’ (૨૦૦૨),'છ પાકિસ્તાની ભાગી જતાં પોલીસને માથે કલંક' (૨૦૦૮), 'શંકાની સોય કસ્ટમ તરફ' (૧૯૯૪), ‘કોસ્ટ ગાર્ડ શંકાના વમળમાં' (૨૦૦૭), 'કસ્ટમ કચેરી કે દારૂહાટ ?'(૨૦૦૭)જેવા લેખોમાં કૂડા સાથે વસવાને કારણે સરકારનાં વિવિધ તંત્રોમાં પેસી જતા કોહવાટના પાસની આડ અસર માટે ચિંતાની લાગણીનો સૂર જોવા મળે છે.

કચ્છની દરિયાઇ સીમાઓની વાત કરતાં પુસ્તકમાં આપણે અત્યાર સુધી જોયા તેવા જ વિષયો સ્વાભાવિકપણે લગભગ બધી જ જગ્યા રોકી લે તેમ માની લેવાય. પણ કચ્છના દરિયા સાથે કચ્છના ઐતિહાસિક, સામાજિક અને આર્થિક જન જીવનને સ્પર્શતાં બે અન્ય પાસાંઓની વાત કર્યા વગર કચ્છના દરિયાની સમસ્યાઓ પરનું કોઇ પણ પુસ્તક અધૂરું તો રહે જ.

એમાંનું એક પાસું છે માછીમારી. અહીં પણ 'નાના માછીમારોની સમસ્યા' (૧૯૯૭),'પગડિયા માછીમારોનો પ્રશ્ન'(૨૦૦૦),'માછીમારો માટે 'કોમન' ફિશિંગ ઝોન' (૨૦૦૪) અને 'જાનના જોખમે માછીમારી’ (૨૦૦૫)એ ચાર લેખોમાં આ બાબતનો અછડતો કહી શકાય તેવો ઉલ્લેખ છે.

એટલો જ બીજો મહત્ત્વનો મુદ્દો છે કચ્છના દરિયાકાંઠેથી (એક સમયે તો બહુ જ નોંધ પાત્ર કક્ષાએ) થતા આંતરરાષ્ટ્રીય અને આંતર્દેશીય પરિવહન અને વેપારનો, તેમ જ તેની સાથે સંકળાયેલ કચ્છનાં બંદરોઅનેકચ્છના વહાણ બાંધવાના ઉદ્યોગની સમસ્યાઓનો. અહીં આ બાબતની વાત કરતા 'માંડવી બંદરની દુર્દશા!' (૧૯૯૯), માંડવીમાં જહાજનિર્માણ યુનિવર્સિટી (૨૦૦૫) અને 'મુંદરા બંદર પરનું જોખમ' (૨૦૦૨) એવા ત્રણ જ લેખ જોવા મળે છે.

એમ માનીએ કે કીર્તિભાઇના ૩૦૦૦થી વધુ લેખોમાંથી જે લેખો આ પુસ્તકોમાં નથી સમાવી શકાયા તેમાં આ વિષયો પરના લેખો હશે અને ભવિષ્યમાં તેમનાં મહત્ત્વને અનુરૂપ અલગ પુસ્તક સ્વરૂપે આપણી સમક્ષ આવશે. અથવા તો આ પ્રશ્નોએ આ પુસ્તકોના સમયખંડમાં કચ્છના સમાચારોમાં જ બહુ દેખા ન દીધી હોય, એટલે કીર્તિભાઇને તેમના પર બહુ લેખો કરવાનો મોકો જ ન મળ્યો હોય !

એટલે જ, કદાચ, "કચ્છમિત્ર"ના તંત્રીપદે રહીને ૩૩ વર્ષની .. પ્રજાલક્ષી પત્રકારત્વની કારકિર્દી પછી નિવૃત્ત થયા બાદ' લખાયેલા, અને દરેક પુસ્તકના પ્રારંભમાં મુકાયેલા, કીર્તિભાઇના લેખનું શીર્ષક છે :"કચ્છની કેટલીયે લાક્ષણિકતાઓ હજુ આપણે પિછાણી શક્યા નથી."......!!!???


કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪: દરિયાની આંખે આંસુ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 22, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

Saturday, November 1, 2014

બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૧)

દેવ આનંદ અને શમ્મી કપૂર, બંને પોતપોતાની રીતે તેમની ફિલ્મ ભૂમિકાઓમાં તો પ્રેમમાં મસ્ત રહેવામાં માહેર રહ્યા જ છે. સાથેસાથે નારાજ ભાવિ પ્રેમિકાને મનાવવાની પરીક્ષાથી માંડીને પ્રેમમાં ખાબકી ચૂકેલી પ્રેમિકાને ઈઝહાર કે વિરહમાં તરબોળ કરી નાખનારી પ્રેમસફરમાં પણ તેઓ એટલા જ નિપુણ પણ રહ્યા છે. આના કારણે તેમની ફિલ્મોમાં બંને નાયકો એક સમાન પરિસ્થિતિઓમાં મુકાતા પણ હશે જ.
બસ, આ પૂર્વધારણા પર શોધખોળ કરતાં દસ એવી પરિસ્થિતિઓ મળી આવી, જેમાં બંને નાયકો સરખી પરિસ્થિતિમાં તો મુકાયા હતા; પણ દરેકે તે પરિસ્થિતિને ન્યાય પોતાની આગવી અદાઓથી આપ્યો. આપણા માટે મજાની વાત એ કે આપણને એવી પરિસ્થિતિઓનાં ૨૦ ગીતોને, આ નવા અંદાજમાં, માણવાની તક મળી.
એક ફિલ્મમાંથી એક જ ગીત, તેમ જ ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાની ફિલ્મોનાં જ ગીતો, અહીં આવરી લેવાયાં છે.
# # નાયિકાની નારાજગી છતાં કારની સફર તો કરાવવી જ....
દેવ આનંદ કે શમ્મી કપૂર જેવા ઊડતાં પંખીઓ પાડી શકે તેવા છેલછબીલાઓ માટે આ કંઈ બહુ મુશ્કેલ કામ તો ન જ કહેવાય, પણ મજાની વાત તો એ છે કે ગીતની શરૂઆત પહેલાં સાવેસાવ છેડાઈ પડેલી નાયિકા ગીત પૂરું થતાં સુધીમાં તો નાયકને - ભલે ક્યારેક લુચ્ચાઈ ભરેલ- મુસ્કાનથી પલાળતી તો થઈ જ જાય !
જીવનકી સફરમેં રાહી, મિલતે હૈં બિછડ જાને કો - મુનિમજી (૧૯૫૫) | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગાયકઃ કિશોરકુમાર
clip_image002
આજે ભલે ભેગાં થયાં પણ કાલે કદાચ છૂટાં પડી જવાય તેવી ગહન ફિલસુફી જો કોઈ હસતાંગાતાં સંભળાવે તો કોણ ભલા પોતાની નારાજગી પકડી રાખી શકે.....
આડવાતઃ
એક ગીતનાં એ જ ફિલ્મમાં પહેલા ગીતથી જુદા એવા ભાવવાળાં સ્વરૂપનો ઉપયોગ ફિલ્મ સંગીતમાં બહુ જ વ્યાપકપણે થયેલ જોવા મળશે. તેમાં ગાયક એજ હોય, અલગ અલગ હોય, એક ગીત સોલો હોય તો બીજું યુગલગીત હોય તેવા પ્ર-પ્રકારો આગળ જતાં 'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં નવાનવા રંગ પૂરશે.
અહીં આ ગીતને લતા મંગેશકરના સ્વરમાં, કરૂણ ભાવમાં, સાંભળીએ :

રાહી મિલ ગયે રાહોંમેં - દિલ દેકે દેખો (૧૯૫૯) | સંગીતકાર : ઉષા ખન્ના | ગાયક : મોહમ્મદ રફી
clip_image004
કોઈકની ભાવિ પરણેતરને સાથે જીપમાં પરાણે બેસાડી અનોખી મસ્તીથી પોતાની જન્મોજ્ન્મની પ્રેમિકાની અદાથી નાયક સમજાવી દે છે કે મુસાફરીની મજા તો સાથે થઈ જવામાં, અને પ્રેમથી મુસાફરી કરવામાં, જ છે.
## બનાવટી વેશમાં કોઠાની મુલાકાતે
આ કોઠામાં જવાવાળી વાત ભદ્ર સમાજમાં કહેવી કદાચ અનુચિત લાગશે, દેવ આનંદ અને શમ્મી કપૂર જે ફિલ્મોમાં કામ કરતા તેની સામાજિક પશ્ચાદભૂમાં પણ એ બહુ સ્વીકાર્ય નહોતું. એટલે જ તો વેશપલટો કર્યો ને ! ના ભાઈ ના, આ તો પેલા બદમાશો ઓળખી ન જાય ને એટલે વેશપલટો કર્યો છે - પ્રેક્ષક તોય ઓળખી જ પાડે અને અને શરૂઆતની હરોળની બેઠકોમાં બેઠેલાં તો આવા વેશપલટા કરેલા નાયકને જેટલી વાર જુએ તેટલી વાર સિસોટીઓ પણ મારે !
હમ બેખુદીમેં તુમકો પુકારે ચલે ગયે -કાલા પાની (૧૯૫૮) | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગાયક : મોહમ્મદ રફી
clip_image006
જેલમાં સબડતા પોતાના પિતાની ખોટી સાક્ષી પુરાવનાર તવાયફના કોઠા પર નાયક નકલી મૂછો, શેરવાની અને અચકનમાં આંટા મારે છે, તેની શાયરીની ઠઠ્ઠામશ્કરી કરી તેને ઉશ્કેરે છે અને આ ગઝલ પેશ કરે છે. સચિન દેવ બર્મન અને મોહમ્મદ રફીની જુગલબંધીમાં જે કમાલનાં ગીતો થયાં છે, તેમાં આ ગીત ટોચ પરનાં ગીતોમાં સદાબહાર રહ્યું છે.
આડ વાત :
એક ગીતનાં અનેક સ્વરૂપ'માં એક સ્વરૂપ છે, હિંદી ગીતોનાં અન્ય ભાષામાં સમાયેલાં સ્વરૂપો. તેમાં પણ ફિલ્મ જગતના બંગાળી સંગીતકારોએ તેમની મૂળ બંગાળી ધૂનને સાવ નવા જ અંદાજમાં હિંદી ફિલ્મોમાં રજૂ કરી, અને દાદ તો દેવી પડે આ ગીતકારોને જેમણે બની બનાવી ધૂન પર પ્રસ્તુત પરિસ્થિતિને અનુરૂપ દિલબાગ કરી દેતી શાયરીઓ લખી આપી.
આવો સાંભળીએ ખુદ સચીન દેવ બર્મને ગાયેલ મૂળ બંગાળી ગીત – ગૂમ ભૂલેચી નિઝુમ નિશીથે જેગે થાકી
હિંદી ફિલ્મગીતનાં અન્ય ભાષાઓમાં જોવા મળતાં આ પ્રકારનાં ગીતોને આગળ જતાં 'એક ગીતના અલગ પ્રકાર' માં એક પ્ર-પ્રકાર રૂપે અલગથી રજૂ કરીશું.


બડા કાતિલ હૈ મેરા યાર, ચીના ચીન ચુન ચીના - ચાયના ટાઉન (૧૯૬૨) | સંગીતકારઃ રવિ | ગાયક : મોહમ્મદ રફી અને આશા ભોંસલે
clip_image008
અહીં શમ્મી કપૂરે પોતના જોડિયા ભાઈનો સ્વાંગ પહેલાં રચ્યો અને તેમાં પછી આ પરિસ્થિતિમાં તો શાયરનો એક વધારે વેશ ભજવે છે. તે માટે પહેરવેશ આધુનિક ઠઠાડ્યો છે. સામે ગુંડાઓ છે, એટલે જો મારામારી કરવી પડે તો તૈયારી તો રાખવી પડે ને !
## કાશ, થોડો સમય વધારે રોકાઈ શકાય તો...
હિંદી ફિલ્મોમાં આ પરિસ્થિતિ બહુ પ્રચલિત છે અને તેને કારણે બહુ ઘણાં ગીતો પણ બન્યાં છે.
અભી ન જાઓ છોડકે કે દિલ અભી ભરા નહીં - હમ દોનો (૧૯૬૨) | સંગીતકાર : જયદેવ | ગાયક : મોહમ્મદ રફી અને આશા ભોંસલે
clip_image010
'હજુ તો હમણાં જ શું આવ્યાં ને શું ચાલ્યાં' એવાં રૂસણાં-મનામણાંનાં ગીતોમાં આ ગીત અલગ ભાત પાડે છે.- નાયક ગીડગીડાવે, લાગણીની ધમકીઓ દે, પણ નાયિકા… ઠંડે કલેજે ભાવ ખાય.
આ ગીતમાં બે પ્રેમીજનોની વિરહની ઘડીનો તલસાટ બહુ જ માધુર્યથી રજૂ થયો છે.
આડવાત :
'એક ગીતનાં અલગ સ્વરૂપ'માં એક યુગલ ગીત અને બીજું પુરુષ કે સ્ત્રી અવાજમાં એકલ ગીત હોય એવાં અલગઅલગ સ્વરૂપમાં વર્ગીકૃત કરતા આ વિશિષ્ટ પ્રકારની રજૂઆત પણ આપણે આગળ ઉપર માણીશું -
ગીતનાં પહેલાં સ્વરૂપમાં આવી રહેલ વિરહની તડપ છે, તો તેનાં બીજાં સ્વરૂપ - જહાંમેં ઐસા કૌન હૈ કે જિસકો ગમ મિલા નહીં-માં ખરેખર આવી ઊભેલી વિરહની ઘડીની લાગણીઓની ઊંડી સમજને નાયિકા નાયકના દિલમાં ઉતારે છે. આશા ભોંસલેના અવાજના લાગણીશીલ, ગંભીર ઉપયોગનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૈકી એક છે આ ગીત.

આસાન હૈ જાના મહેફિલ સે કૈસે જાઓગે નિકલ કે દિલ સે - જંગલી (૧૯૬૧) | સંગીતકાર : શંકર જયકિશન- ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર
clip_image012
શમ્મી કપૂરનાં રમતિયાળપણાંને પૂરેપૂરો ન્યાય મળે તેવાં ફિલ્માંકરણની મોકળાશ કરી આપે એવી ધૂન, કાશ્મીરનાં હસીન આઉટડોરની સાથે તાલ મિલાવતી સેટ સજ્જા, કલર ફોટોગ્રાફીની કમાલ, વિરહનાં દર્દને રોમૅન્ટિક લાગણીઓની આડશમાં નાજુકાઈથી સમાવતા કાવ્યમય બોલ અને રફી-લતાના અવાજનાં આદર્શ મિશ્રણ સમું આ ગીત ૧૯૬૦ના દાયકામાં પણ '૫૦ના દાયકાની બધીજ ખૂબીઓ જળવાઈ રહેશે તેવી અપેક્ષા જગાવે છે.
## પૈસા કમાવાની તરકીબો પણ અજમાવવી તો પડશે જ
'૬૦ના દાયકામાં દેવ આનંદ અને શમ્મી કપૂરની ભૂમિકાઓ 'આમ આદમી'માંથી અમીર કુટુંબના નબીરાઓ સુધીની તડકી છાંયડીઓ જોતી રહી હતી. અમીર કુટુંબના નબીરા હોવા છતાં તેમણે પૈસા તો કમાવા જ પડે તેવી પરિસ્થિતિઓના વળાંક પણ ફિલ્મોમાં જોવા મળતા.
ઝિંદગી હૈ ક્યા સુન મેરી જાન, પ્યાર ભરા દિલ મીઠી જબાં - માયા (૧૯૬૧) | સંગીતકાર : સલીલ ચૌધરી - ગાયક : મોહમ્મદ રફી
clip_image014
ફિલ્મમાં નાયક એટલો બેતમા દૌલતનો વારિસ છે કે સોનાના ચમચામાં જમીજમીને તે જીવનથી કંટાળી ચૂક્યો છે, એટલે એક ગરીબ બસ્તીમાં રહીને જીવનના ખરા પાઠ ભણવા માગે છે. દાલઆટાના ભાવની સમજ પડવા લાગે છે, આઈસ કુલ્ફીની લારી ચલાવીને પૈસા કમાવા પણ નીકળી પડે છે, પણ પોતાના અમીરી અંદાજમાં....

ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલ બ્રીજ બાલા - બ્લફમાસ્ટર (૧૯૬૩) | સંગીતકાર : કલ્યાણજી આણંદજી - ગાયક : મોહમ્મદ રફી અને સાથીઓ
clip_image016
આ ગીત સાંભળ્યા પછી, પહેલાંના સમયમાં ગોવિંદાઓ મટકી કેમ ફોડતા હશે તે જ બધાં ભૂલી ગયાં છે. આ ગીતને અમરત્વ બક્ષવામાં શમ્મી કપુરની અદાકારી ચડે કે મોહમ્મદ રફીની ગાયકી ચડે તેની ચર્ચા કર્યા સિવાય ગીતની ધૂનમાં ઝૂમી ઊઠીએ.






[આ લેખમાં અર્ધેથી થોડો પહેલાં વિરામ એટલા માટે પાડ્યો છે કે 'આડ વાતે' એ પહેલા ભાગમાં ગીતોનો થોડો ઉલાળ કરી દીધો છે. એટલે આ લેખનો આટલો જ રસપ્રદ બીજો ભાગ આપણે તારીખ ૧ નવેમ્બર, ૨૦૧૪ના રોજ માણીશું]

"ડસ્ટેડઑફ" પરના લેખોના અનુવાદ પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ સુશ્રી મધુલિકા લિડ્ડલનો હાર્દિક આભાર. 
  1. વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૧ નવેમ્બર, ૨૦૧૪

Friday, October 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૦ /૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ' ૧૦ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

આ મહિને તો એક નવી શોધની વાત સહુથી પહેલી કરીએ.'શોધ' શબ્દ વાપરવાનું કારણ તો એ કે આ બ્લોગ પુનઃજીવીત થયો છે ફેબ્રુઆરી ૨૦૧૪માં, પણ નજર કોણ જાણે કેમ આ મહિને પહેલી વાર પડી.

આપણે વાત કરીએ છીએ Songs, Stories, Books and More… Random Musings ની. કાર્નીવલના આ મહિનાન અંકમાં તો આપણે આ અંકમાં સામાન્યતઃ જે સમયને આવરી લેતાં રહ્યાં છીએ, તે સમયની જ આ બ્લૉગપરની પૉસ્ટની વાત કરીશું, પણ સમયોચિત તક મળ્યે થોડા પાછળના સમયની પૉસ્ટની મુલાકાત પણ રસપ્રદ બની રહેશે.

આ અંકની શરૂઆત (૨૮ સપ્ટેમ્બરના રોજ) લતા મંગેશકરનાં જન્મદિવસની યાદને ઉજાગર કરતી બે પૉસ્ટથી કરીશું. નોંધપાત્ર વાત એ છે કે બંને પૉસ્ટ એક બીજા છેડેથી આ વિષયને સ્પર્શે છે, જો કે લતા મંગેશકરની વાત હોય એટલે છેલ્લે તારણ તો એક સરખું રહે તે સ્વાભાવિક જ છે. Happy Birthday, Lata ji એ આશા ભોસલેનાં ચાહક દ્વારા લતા મંગેશકરનાં ગીતોને યાદ કરતાં કરતાં લતા મંગેશકરનાં દીર્ઘાયુની કામના છે. The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas, એ SoYની પરંપરાની પૉસ્ટ છે, જેમાં અનિલ બિશ્વાસ ને લતા મંગેશકરનાં ૩૦ ફિલ્મોના ૧૨૩ ગીતોનાં સહકાર્યમાંથી ચૂટેલાં ગીતોની સ-રસ રજૂઆત છે.

October sets in… oh yes, Happy Birthday Asha Parekh… માં ‘ફિર વહી દિલ લાયા હૂં’નાં ગીતો પસંદ કરયાં છે. જેમાનાં લાખોં હૈ નિગાહમેં સનમ હસીં જવાં સાંભળતાં ‘તુમસા નહીં દેખા’નું જવાનીયાં હૈ મસ્ત મસ્ત બીન પિયે યાદ આવે. લેખક કહે છે કે ગીતો બંને ગમે જ છે, પણ તુમસા નહીં દેખાનું ગીત જોવાનું અને ફિર વહી..નું ગીત સાંભળવાનું ગમે.

Gungunaoonga Yehi Geet Main Tere Liye – Remembering Sachin Dev Burman and Majrooh Sultanpuri – સચીન દેવ બર્મનની ૧૦૮મી અને મજરૂહ સુલ્તાનપુરીની ૯૫મી જન્મ જયંતિની યાદમાં લખાયેલ છે. લેખકને એવું વાંચ્યું હોવાનું યાદ આવે છે કે આ ધુનમાં તલત મહમુદની કંપન પસંદ ન હોવાને કારણે બર્મનદા આ ગીત માટે મોહમ્મદ રફીની તરફેણમાં હતા. પણ તે સમયના તેમના મદદનીશ જયદેવે તેમને તલત મહમૂદ માટે મનાવી લીધા હતા. રહીના ભલભલા ચાહકો ને જલતે હૈં જીસકે લિયેમાં તલત મહમૂદ બહુ જ ગમે છે એ વાતમાં શક નથી.

ગીતા દત્ત અને આશા બોસલેનાં બબ્બે ગીતોની પણ બહુ જ મજેદાર પૉસ્ટ પણ વાંચવાની અને માણવાની મજા આવશે.

Chali Re Chali Re Main toh Des Parayee (Saranga, 1961)માં સરાદાર મલિકે આશા ભોસલેનો બખૂબી ઉપયોગ કર્યો છે. Thank you for the music and memories, Asha ji! માં આશા ભોસલેના જન્મ દિવસના ઉપલક્ષમાં કેટલાંક ગીતો રજૂ કરાયાં છે, જેમાંથી 'કાશ્મીરકી કલી (૧૯૬૪)માં આશા ભોસલેએ જે લહેકથી આ ગુનગુનાહટને લહેરાવી છે તે ફરી ફરીને સાંભળાવાનું મન થશે.

ગીતા દત્તે ગાયેલું ગીત - ઋત ફિરે દિન હમારે - પ્યાસા (૧૯૫૭)માં સમાવાયું નથી, પણ સાહિર લુધ્યાનવી પર એક લેખ તો દરેક અઠવાડીયે કરવો જ એવી નીતિના પરિપાકરૂપે અહીં . Rut Phire Par din Hamare Phire Na (Pyaasa, 1957) સમાવાયેલ છે. નસરીન મુન્ની કબીરનાં Conversations with Waheeda Rehman'માં આ ગીત વિષેની વાત લેખક યાદ કરે છે. ફિલ્મ માટે ગીતનું શુટીંગ પણ કરી લેવામાં આવ્યું હતું,
બધાંને પસંદ પણ આવ્યું હતું, પણ વહીદા રહેમાનથી બોલી જવાયું હતું કે આ ગીત ફિલમની ગતિને ધીરી પાડી દેશે. ગુરૂદત્તે આ વાત સાંભળી હતી, એટલે પહેલાં જ સ્ક્રીનીંગ વખતે લોકોને આ ગીત વખતે ચા પાણી કરવા નીકળી પડતાં જોઇ, તેમણે ગીતને ફિલ્મમાંથી હટાવી નાખ્યું. આ પુસ્તકમાંના કેટલાક અંશ Excerpt | Conversations With Waheeda Rehmanમાં પણ વાંચી શકાય છે. ગીતા દત્તનું બીજું ગીત છે 'કાલા બાઝાર (૧૯૬૦)નું ગીતા દત્ત અને સુધા મલ્હોત્રાના યુગલ અવાજમાં ગવાયેલું ભજન - ના મૈં ધન ચાહું ના રતન ચાહું . Na Main Dhan Chahun Na Ratan Chahun (Kala Bazaar, 1960)માં લેખક યાદ કરે છે કે આ ગીત મૂળ તો જયદેવની રચના છે તેમ કહેવાય છે. અને આ વાતે નવાઇ ન લાગે, કારણ કે જયદેવે તે પછી હમ દોનો (૧૯૬૧)માં 'અલ્લાહ તેરો નામ" અને પ્રભુ તેરો નામ, જો પાયે ફલ પાયે..' જેવાં અમર ભજનો આપણને આપ્યાં જ છે.

ગુરુ દત્તની ૫૦મી મૃત્યુ તિથિના ઉપલક્ષમાં San San San Woh Chali Hawa – Kaagaz Ke Phool, 1959 માં તેની બહુ જ કરૂણ ફિલ્મનું એક મોજમસ્તીનું ગીત એટલે યાદ કરવું છે કે મૃત્યુ સમયે ગુરુ દત્ત માત્ર ૩૯ વર્ષના જ હતા.

તિથીઓની વાતમાં આગળ વધીએ

Happy 88th Birthday, Madam Noor Jehan!માં ૨૦૦૯થી દર વર્ષે નુરજહાંના જન્મદિવસે રજૂ થતી પોસ્ટની લિંક તો છે જ, તે ઉપરાંત '૯૦ના દાયકામાં બીબીસી પર રજૂઅ થયેલા નૂરજહાંના ઈન્ટરવ્યુની પણ ક્લિપ્સ પણ છે તેમાં તેમની ફિલ્મોની વાત તેમની નજરે જોવા/સાંભળવાનો અનેરો મોકો મળી રહે છે.

On Begum Akhtar's birth centenary, a musical tribute at her grave.માં બેગમ અખ્તરનાં જન્મનાં સો વર્ષ
બાદ હવે તેમની મઝારને ફરીથી મરમ્મત કરાઇ છે અને તેમની યાદને લગતા કાર્યક્રમ પણ નિયમિતપણે કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે.

How Begum Akhtar changed my life: a tribute on the singer's 100th birth anniversaryમાં નાનપણમાં સાંભળેલ બેગમની ગાયકીનાં પ્રેમ, આશ્ચર્યો, ઝટકા, એકલતા, જીવન સાથેનો આગવો રોમાંસ કે પોતાની જ ટેવો પર હસી નાખવાના છૂપા અનુભવોને આજે ૪૦ વર્ષની ઉમરે તિષા શ્રીવાસ્તવ ફરીથી જીવે છે.

The Lonely Ghazal Queen: Begum Akhtar સખેદ નોંધે છે કે બેગમ અખ્તર બહુ જ નની વયમાં ખ્યાતિ પામી ચૂક્યાં હતાં. મહેંદી હસન, તલત મહમૂદ, મદન મોહન, પંડિત જસરાજ, અને પંડિત રવિશંકર જેવા દિગ્ગજો સહિત કેટલીય પેઢીઓને ગઝલો માણવાના અનેરા અવસર આપી ચૂક્યાં હતાં, એવાં બેગમ અખ્તરનું અંગત જીવન દુઃખ, પીડા, પોતાનાં જ લોકોના છેહ કે અતિ કષ્ટદાયક સંબંધોનાં કળણમાં ફસાયેલું રહ્યું હતું.

Unfathomable greatnessમાં સલીમ કીદવાઇ નોંધે છે કે ગાતી વખતે શબ્દોને તોડવા કે જોડવાની બાબતે બેગમ અખ્તરની સ્વાભાવિક કુશળતાથી સમજી શકાય છે કે તેઓનું ઉર્દુ ભાષા પર કેવું અદ્‍ભૂત પ્રભુત્વ હતું. ઉર્દુ ભાષા પર આટલું જ પ્રભુત્વ તેમનાં પછીના મહેંદી હસન કે ઇકબાલ બાનો કે ફરીદા ખાનુમ જેવાં કેટલાંક ગાયકોમાં જોવા મળ્યું છે.

Kishore Kumar’s duets by SD Burman - સચીન દેવ બર્મને બીજા કોઇ પણ પુરુષ ગાયક કરતાં વધારે (૧૧૫ ગીતો) કિશોર કુમાર સાથે કર્યાં છે. Surjit Singh’s siteઅનુસાર આમાંથી ૫૩ સોલો છે જ્યારે ૫૧ સ્ત્રી_પુરુષ યુગલ ગીતો, ૮ પુરુષ યુગલ ગીતો અને ૩ અન્ય ગીતો છે. આરાધના (૧૯૬૯) પહેલાંનાં આ પૈકી ઘણાં યુગલ ગીતો બહુ જ મધુર, મસ્તીભર્યાં અને એસ ડી બર્મન તેમ જ કિશોર કુમારાની કળાનાં વૈવિધ્ય જ્યાય આપી શકનારાં હતાં તે તો મોહમ્મદ રફીના અઠંગ ચાહકો પણ સ્વીકારે.

Geet Gaya Paththaron Ne – Rajakamal Studioમાં વી. શાંતારામની ફિલ્મોને બહુ પ્રેમથી યાદ કરાઇ છે. પોસ્ટને અંતે રાજકમલ સ્ટુડિયોની શકુંતલા(૧૯૪)૩થી પિંજરા (૧૯૭૩) સુધીની ફિલ્મોમાંથી એક એક ગીતની લિંક મૂકીને લેખનું મૂલ્ય અનેક ગણું વધારી દીધું છે..

My Favourites: Songs of Yearning - "કોઇક"નો ખ્યાલ બહુ ધુંધળો છે. સામાન્ય રીએ આપણને ખબર નથી હોતી એ વ્યક્તિ કોણ હશે, ક્યાં અને ક્યારે મળી જશે, અરે કદી મળશે કે કેમ તે પણ ખબર નથી હોતી.પણ આપણાં સ્વપ્નો, સંજોગો કે તક઼્દીર કોઇને તો આપણાં જીવનમાં 'વિશિષ્ટ' બનાવી જરૂર રાખે છે, જેની શોધ આપણો જીવન મંત્ર બની જતો હોય છે. અહીં આવી મીઠી તડપનાં ગીતો રજૂ થયાં છે.

Ten of my favourite string instrument songs માં કોઇ વિધિસરનું વાદ્ય વૃન્દ તંતુ વાદ્યો વગાડતું હોય તેમ નહીં, પણ વ્યાવસાયિક વાદ્ય કલાકારનો પાઠ ન ભજવી રહેલ અભિનેતા, કે અભિનેત્રીએ તંતુ વાધ વગાડતાં વગાડતાં ગાયેલાં ગીતોને યાદ કરાયાં છે.

Radio Playback Indiaમાં પંડિત હરિપ્રસાદ ચૌરસીઆની રાગ હંસધ્વનિની રજૂઆત મુકાઇ છે. રાગ હંસધ્વનિ સાથેનું મારૂં મૂળ મુદ્દે સંધાણ 'પરિવાર' (૧૯૫૬)નાં લતા મંગેશકર અને મન્નડેનાં બેનમૂન યુગલ ગીત "જા તો સે નહીં બોલું કન્હૈયા,રાહ ચલત પકડી મોરી બૈંયા'થી છે. તો વળી આ ગીતેને કારણે હંસધ્વનિમાં ગાયેલા તરાનાને કારણે ઉસ્તાદ અમીરખાં સાહેબ માટેનો આદર પણ અનેક ગણ્યો વધ્યો હતો. મજાની વાત તો એ છે કે હંસધ્વનિના આટલા અમથા પરિચયે જ મારી બહુ જ શરૂઆતની એક પોસ્ટના ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩ પણ લખાયા છે.

આપણે દર મહિને શ્રી સુરેશ ચાંદવણકરના લેખની પણ મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. ઑક્ટોબર ગાંધીજીના જન્મનો મહિનો છે, જેના માટે શ્રી ચાંદવણકરે When Bollywood maestros collaborated to put a Gandhi prayer to melody. લેખમાં વસંત દેસાઇઅનાં સંગીતમાં મન્નાડે અને સાથીઓના સ્વરમાં ગાંધીજીની જ કાવ્ય રચનાને સ્વરબદ્ધ કરી તે (૭૮ આર પી એમની) રેકર્ડને યાદ યાદ કરાવી આપી છે.

How a goatherd and Mozart inspired the score for Bimal Roy’s 'Madhumati',માં બિમલ રોયનાં દીકરી રીન્કી રોય ભટ્ટાચાર્યએ લખેલ પુસ્તક Bimal Roy’s Madhumati: Untold Stories from Behind the Scenesમાંથી કેટલીક રસપ્રદ વાતો સંક્ષિપ્તમાં મુકાઇ છે.

તમિળનાડુનાં (માજી) મુખ્યંત્રી, જે. જયલલિતા, પણ ઑક્ટોબર માસમાં સમચારમાં ગાજ્યાં.એટલે તેમનાં ફિલ્મોને યાદ કરતો કોઇ લેખ ન થાય તો જ નવાઇ લાગે. Four dance sequences from classic Jayalalithaa moviesમાં તેમનાં બહુ જ પ્રચલિત એવાં ચાર નત્ય ગીતોને યાદ કરી તેમની નૃત્યકળાની યાદને (પણ) તાજી કરાઈ છે. આપણે તેમાંથી હિંદી ફિલ્મ ઇઝ્ઝત (૧૯૬૭)નું નૃત્ય ગીત - જાગી બદનમેં જ્વાલા, સૈયાં તૂને ક્યા કર ડાલા"ને અહીં યાદ કરીશું.

ચરિત્ર અભિનેતા મનમોહન કૃષ્ણ અચ્છા ગાયક પણ છે. MANMOHAN KRISHNA SINGS FOR OP NAYYAR માં તેમણે ગાયેલાં, ઓ પી નય્યરે સ્વર બદ્ધ કરેલાં બે, અનોખાં, ગેરફિલ્મી ગીતો યાદ કરાયાં છે. બંને ગીતો સરોજ મોહિની નય્યરે લખ્યાં છે.બુઝે દિયે હુઆ અંધેરા તો તેઓ બધાં લાહોર હતાં ત્યારે રેકોર્ડ થયું હતું. જ્યારે દિયા તો જલા સબ રાત રે બાલમ પછીથી ફિલ્મ ‘ઢાકે કી મલમલ’માં સી એચ આત્માના અવાજમાં પણ રજૂ થયું છે.

આ અંકની શરૂઆત આપણે Songs..Books….and Moreથી કરી અને અંત પણ ત્યાં જ મુકાયેલ મોહમ્મદ રફીનાં, એક બહુ અનોખા સંજોગોમાં ગવાયેલાં, ગીતથી કરીશું. Sabhi Kuch Lutakar (Singer – Mohd Rafi, Movie Indrani, 1958) - એ બહુ જ મજાનું રોમેન્ટીક ગીત છે, જે બંગાળી ફિલ્મમાં હિંદી ગીતનાં સ્વરૂપે ફિલ્મમાં મુકાયું છે.

ઑક્ટોબર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
‘બંદીશ એક, સ્વરૂપ અનેક’ –(૨) : વૈષ્ણવજન
ફિલ્મી ગીતોમાં પત્રો (૧)
કાનનદેવી
દુર પપીહા બોલા… – ઉત્તરાર્ધ
                                                             પ્રકાશિત થયેલ છે.

Saturday, October 25, 2014

દુર પપીહા બોલા...અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો - ઉત્તરાર્ધ

"દુર પપીહા બોલા..."ના પૂર્વાર્ધમાં આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલ સુરૈયાની અભિનય અને ગાયનની ભૂમિકાવાળી પાંચમાંથી ત્રણ ફિલ્મોનાં ગીતોની વાત કરી હતી. આજે હવે બાકી રહેલ બે ફિલ્મોનાં અનેરાં ગીતો સાંભળીશું.
clip_image001
પૂર્વાર્ધમાં આપણે ૧૯૪૦ના દાયકાં રજૂ થયેલી ફિલ્મોનાં ગીતની વાત કરી. આપણે તે સમયે પણ જોઇ શકયાં હતાં કે ૧૯૪૩માં થયેલાં ગીતો અને પછીથી ૧૯૪૮ /૪૯માં સંગીતબદ્ધ થયેલ ગીતોમાં અનિલ બિશ્વાસ સ્વરગુંથન અને વાદ્ય-વ્યવસ્થામાં પાશાત્ય શૈલીની ખૂબીઓનો સુપેરે ઉપયોગ કરતા થઇ ગયા છે. વાદ્યવૃંદની સજાવટમાં તેમણે કરેલા પ્રયોગોની બહુ જ ઊંડી અસર પછીના સંગીતકારોમા જોવા મળે છે.

આજના ઉત્તરાર્ધની બંને ફિલ્મો ૧૯૫૦ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોની છે, જ્યારે નૌશાદ, સચીન દેવ બર્મન જેવા ગત દાયકાના ના મધ્ય ખંડમાં 'નવા' ઉભરેલ સંગીતકારોની સાથે (તથાકથિત "નવી" પેઢીના) સી. રામચંદ્ર, રોશન, શંકર જયકિશન, મદન મોહન જેવા સંગીતકારો એ ફિલ્મ સંગીત શીકલ ફેરવી કાઢી હતી.

સો જા રે સો જા બેટે - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

આપણાં ફિલ્મ સંગીતમાં હાલરડાંઓ પણ એક બહુ જ મહત્ત્વનો ગીત-પ્રકાર રહ્યો છે, જેને દરેક સંગીતકારે બહુ જ અલગ અલગ રીતે રજૂ પણ કરેલ છે.

હો મેરે દિલકી ધડકનમેં યે કૌન સમા ગયા - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

પ્રેમમાં ડૂબેલી યુવતીનાં મનની અવઢવને કેવી સુંવાળપથી રજૂ કરી છે !

આ ફિલ્મ રજૂ થતાં સુધીમાં સુરૈયા અને દેવ આનંદનાં પ્રેમ પ્રકરણને 'જાલિમ' જમાનાની નજર લાગી ચૂકી હતી. બંનેએ સાથે કામ કરેલ આ છેલ્લી ફિલ્મ હતી.

મુઝે તુમસે મોહબ્બત હૈ, મગર અબ તક કહાં થે તુમ શિકાયત હૈ - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

પ્રેમનો એકરાર તો છે, પણ તેમાં થોડી શિકાયતનો રંજ પણ છે..

ઓ સાજન દેખ ઈસ દુનિયાસે ક્યા ક્યા - દો સિતારે (૧૯૫૧) - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

કરૂણ ભાવમાં ઊઠતી શિકાયતની તિવ્ર લાગણીને સૌરૈયાએ બહુ અસરકાર રીતે રજૂ કરેલ છે.

રાહી મતવાલે તૂ આ જા એક બાર - વારીસ (૧૯૫૪) - તલત મહમૂદ સાથે- ગીતકારઃ કમર જલાલાબાદી

મૂળ રવીન્દ્ર સંગીતની ધૂનને અનિલ બિશ્વાસે અહીં બહુ જ અભિનવ રીતે ઉપયોગ કર્યો છે. આ યુગલ ગીત મૂલતઃ ટ્રેનની લય અને ગતિની ધ્વનિઅસરનું વાતાવરણ ખડું કરી દેવાયું છે.

ફિલ્મમાં ગીત ત્રણ અલગ અલગ સ્વરૂપે રજૂ થયેલ છે. પહેલું સ્વરૂપ ટ્રેનની સફર દરમ્યાન નાયકના મનમાં ફૂતી રહેલા આનંદના ભાવને ઝીલે છે. અકસ્માતે ટ્રેનના એ જ ડબ્બામાં મળી ગયેલ નાયિકાને પણ એ ભાવ મુગ્ધ કરી નાખવામાં સફળ રહે છે clip_image003
ઉપરની ક્લિપમાં ગીતનું બીજું સ્વરૂપ પણ સામેલ છે, જેમાં પહેલી મુલાકાતની યાદ વિરહની વેદનાને સંકોરે છે.
clip_image005
અને ત્રીજાં સ્વરૂપમાં એકલી પડી ગયેલી નાયિકાની વ્યથા વ્યકત થાય છે.
clip_image007
'હિંદી ફિલ્મ ગીત કોશ'માંની પાદનોંધમાં આ ગીત અનિલ બિશ્વાસે પોતે લખ્યું છે તેવી ટાંક જોવા મળે છે.
આડવાતઃ
મૂળ રવીન્દ્ર સંગીતની ધૂન પરથી રજૂ થયેલ રવિન્દ્રનાથ ઠાકુરનાં કાવ્યને પણ અનેક ગાયકોએ પોતપોતાની રીતે રજૂ કરવાના પ્રયોગો કરેલા છે. તેમાંનો એક અહીં રજૂ કરેલ છે.

૧૯૭૨ માં રજૂ થયેલ, ઉત્તમ કુમાર અને અપર્ણા સેન અભિનીત ફિલમ 'મૅમ સાહેબ'માં સંગીતકાર આશીમ ભટ્ટાચાર્યએ પણ આ ધૂનને રજૂ કરેલ છે. અહીં તેને બંગાળની બાઉલ લોકધૂન પરંપરાનાં સ્વરૂપે રજૂ કરાયેલ છે.
ઘર તેરા અપના ઘર લાગે - વારીસ (૧૯૫૪) - તલત મહમૂદ સાથે- ગીતકારઃ કમર જલાલાબાદી
clip_image009

નાયક અને નાયિકા પરણી ચૂક્યાં છે અને હવે કૌટુંબીક સહજીવનની પળોને માણે છે.

દૂર નહીં હોતે જો વો દિલમેં રહા કરતે હૈં - વારીસ (૧૯૫૪) - તલત મહમૂદ સાથે- ગીતકારઃ કમર જલાલાબાદી clip_image011

'રાહી મતવાલે'ની ઘૂમ લોકપ્રિયતાએ આ ગીતની ખૂબીઓને ઢાંકી દીધી છે એમ કહી શકાય.

દુનિયાકો નહીં મંઝૂર તેરા દર્દ - વારીસ (૧૯૫૪) - ગીતકારઃ કમર જલાલાબાદી

પતિ લડાઇમાં ગૂમ થઇ ગયો છે તેવી પત્ની પોતાના ગમને એકલી એકલી સહન કરે છે. આ વ્યાકુળતાને અલગ અલગ ભાવમાં વાચા આપવા અંતરાને જૂદાં સ્વરૂપે પેશ કરાયો છે. clip_image013


તારોંકી નગરીએ ચન્દાને - વારીસ (૧૯૫૪) - ગીતકારઃ કમર જલાલાબાદી

આ લેખની શરૂઆત પણ આપણે એક હાલરડાંથી કરી હતી. હવે અંત પણ હાલરડાંથી જ કરીશું.
બાળકને સુવરાવી રહેલી માનાં દિલમાં પતિના યુદ્ધમાં ખોવાઇ જવાને કારણે જે દુઃખ છે તેની છાંટ વર્તાય છે. clip_image015

Friday, October 24, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઑક્ટોબર, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઑક્ટોબર, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલનનાં હાર્દને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોની ચર્ચા રૂપ શરૂ કરેલી શ્રેણીમાં આપણે બિનઅનુપાલનનાં વિવિધ પાસાંઓ અને તે પછીનાં સુધારણાત્મક પગલાંની ચર્ચા કરતા અંક અગાઉના મહિનાઓમાં જોઈ ચૂક્યાં છીએ. આ મહિને આપણે હવે તેના પછીનાં સ્વાભાવિક કદમ - પુનરાવૃત્ત સતત સુધારણા-ની વાત માંડીશું.

ગુણવત્તા સંચાલનનાં વિદ્યાર્થી હોય કે પ્રશિક્ષક હોય કે વ્યાવસાયિક હોય, “સતત સુધારણા” શબ્દ, અને વિષય, તરીકે અજાણ્યો નથી જ. એટલે આપણે કોશીશ એ કરીશું કે અહીં જે કંઇ સામગ્રી આ વિષયે રજૂ કરીએ તેમાં કંઇક નવો દૃષ્ટિકોણ હોય.

પુનરાવૃત્ત સતત સુધારણા એટલે શું? What is CONTINUAL IMPROVEMENT?- ફરી ફરીને ઉછાળની જેમ થતી રહેતી સુધારણા.
CONTINUAL IMPROVEMENT WITHIN THE QUALITY MANAGEMENT SYSTEMSમાં આ વિષયની વિવિધ બાજૂઓનું નિરૂપણ છે.
પુનરાવૃત્ત સતત સુધારણા
પુનરાવૃત્ત સતત સુધારણા માટે નેતૃત્વ, પ્રત્યાયન, સંસાધનો,સંસ્થાગત સ્થાપત્ય, લોકો અને પ્રક્રિયાઓ જેવાં સંસ્થામા લાગૂ પડતાં પ્રત્યેક કાર્યક્ષેત્રમાં તેને સંભવિત કરી શકનારાં પરિબળો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. વિભાગીય સુધારણાઓ અવરોધો કે સમસ્યાઓને સમગ્ર પ્રક્રિયા સાંકળમાં એકથી બીજી જગ્યાએ ખસેડે છે.
સુધારણા એ થોડાં સાધનો કે તકનીકોનો પ્રયોગ માત્ર પણ નથી. કે નથી તે માત્ર સુધારણા ટીમોનાં ગઠન કરવાં કે સભ્યોને પ્રશિક્ષણ આપવું. સુધારણા એ પરિણામ છે, એટલે નક્કર ફાયદાકારક બદલાવની અસર સંસ્થાની કામગીરી પર લાંબા સમય સુધી ટકી રહેલી સિદ્ધ થાય તો જ સુધારણા થઇ છે એમ કહી શકાય.
શા માટે સતત સુધારણાને પડતી મૂકવી પડે ? \ Why Continuous Improvement May Need To Be Discontinued - રૉન એસ્કૅનસ
નવીનીકરણ ચિંતક વિજય ગોવિંદરાજનનું કહેવું છે કે "જેમ જેમ કંપની સમગ્ર ગુણવત્તા સંચાલનમાં વધારે ને વધારે વણાતી જાય, તેમ તેમ મોટા પાયા પર થતાં નવીનીકરણને નુક્સાન થતું રહેશે. બીનસાતત્ય નવીનીકરણ માટે જે અભિગમ જોઇએ, જે ક્ષમતાઓ જોઇએ, મપણી માટેનાં જે કોષ્ટકો જોઇએ, સમગ્રપણે જે વાતાવરણ જોઇએ તે જ મૂળભૂત રીતે સાવ અલગ પડે છે."

આ પરિસ્થિતિમાં આપણા દૃષ્ટિકોણને ઝીણી ઝીણી બાબતોથી ઘડવાની જરૂર રહે છે:
§ સતત સુધારણ ક્યાં અને કેમ લાગુ કરવી તેને સ્થિતિની માંગ મુજબ નક્કી કરો. કંપનીના દરેક વિભાગમાં દરેક સમયે એક જ લાકડીથી કામ ન લેવાય.

§ પ્રક્રિયાઓને સુધારવાની જરૂર છે, કે દૂર કરી નાખવાની, કે અટકાવી દેવાની જરૂર છે તે વિષે પ્રશ્ન કરો. એટલી બધી સતત સુધારણા પરિયોજનાઓનું ધ્યાન કાર્યદક્ષતા વધારવા પર કેન્દ્રીત થ ઇ જતું હોય છે કે મૂળ મુદ્દે શું કરવું જોઇએ તે અનુમાનો વિષે વિચારવાનું તો કોઇને યાદ જ નથી આવતું.

§ કંપનીની સંસ્કૃતિપરની અસરોનો પણ ક્યાસ કાઢતાં રહો.
જ્યારે આપણી જ ભૂતકાળની સફળતા આપણા માર્ગમાં અવરોધ બની જાય \ When Your Past Success Becomes An Obstacle - કેરૉલ કીન્સી ગોમં
નવી નવી વિચારધારાઓ કે વર્તણૂકોને ઝડપથી અપનાવાતી રહીને, બદલતા સમયમાં પણ પોતાની ટીમ સફળતાને જ વરેલી રહે,તે માટે ભૂતકાળની કઈ પ્ર્ણાલિકોઆ અને કાર્યપદ્ધતિઓને હટાવવી જરૂરી છે તે નક્કી કરવું એ કોઇપણ સંસ્થાનાં નેતૃત્વ માટે મોટો પડકાર છે.એ માટે તમારી ટીમે આ પાંચ સવાલોને સતત નજર સમક્ષ રાખવા જોઇએ:

૧. આપણી શ્રેષ્ઠતા શેમાં છે ? (કયાં કૌશલ્યો, કૈ ક્ષમતાઓ કે કયા દૃષ્ટિકોણોમાટે આપણને ગર્વ છે ?)

૨. એ પૈકી કયાં કૌશલ્યો , કે ક્ષમતાઓ કે દૃષ્ટિકોણો આપણને ભવિષ્યમાં પણ સફળ રહેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં રહ્શે?

૩. શું અણશીખ્યું કરવાની જરૂર છે (ક્યાં કૌશલ્યો અપ્રચલિત બની ચુક્યાં છે ? ગઇ કાલ સુધી જે કામ આવી એવી દૃષ્ટિકોણ, વર્તણૂકો, કાર્યનીશીઓ વગેરે જેવી પ્રણાલિકાઓ આજે, અને ભવિષ્યમાં, નુકસાનકારક પુરવાર થઇ શકે છે ?)

૪. આપણી કઇ ક્ષમતાઓ નવી ઢબથી કામ કરવામાં રૂકાવટ પરવડતી જણાય છે ? (કોઠે પડી ગયાં હોય, કે બહુ જ વધારે પડતાં ફાવી ગયાં હોય, એવાં કયાં ક્ષેત્રો છે જેને છોડતાં આકરૂં પડે છે?)

૫. સંસ્થામાં મૂલ્યવાન અને પ્રસ્તુત રહેવા માટે કયાં નવાં કૌશલ્યો પર નિપુણતા સિદ્ધ કરવાની જરૂર છે ?
આપણે ક્યાં તો બહેતર થતાં જઇએ અને ક્યાં તો બદતર - બહેતેર થવાના રસ્તા \ You Are Either Getting Better Or You Are Getting Worse - પૌલ બી બ્રાઉન
બહેતર થતાં જ રહેવું જોઇએ - એમ સ્વીકારે તો બધાં જ છે, પણ કદાચ સૈદ્ધાંતિક રાહે જ.વાસ્તવિકતામાં જ્યારે બધું સમુંસુતરૂં ચાલતું હોય છે ત્યારે જ બધુ ખોરંભે ચડી જતું હોય છે...ફરજ પડે ત્યાં સુધી રાહ જોવી એ ક્યારે પણ હિતાવહ નથી….દરરોજ કંઇને કંઇ, થોડું થોડું પણ, સુધારણાને ચાકળે ફરતું રહે તે જ ઇચ્છનીય છે.

બ્લૉગ કાર્નીવલની એક જ પોસ્ટમાં સતત સુધારણાનાં વિવિધ પાસાંઓ અને શોધખોળમાંથી નોંધપાત્ર લાગેલા મોટા ભાગના લેખોને સમાવવું અશક્ય છે. એટલે આપણે હવે પછીના બે અંકમાં પણ આ વિષય પર જ આગળ વાત કરતાં રહીશું.

તે દરમ્યાન આપણા નિયમિત વિભાગો તરફ નજર કરવાનો સમય પણ પાકી ગયો છે.

ASQના મુખ્ય પ્રબંધક બીલ ટ્રૉય ગુણવત્તા માટેની વ્યૂહરચના અને તેની પેલે પાર વિષેની ચર્ચા Charting A Strategy For Quality–And Beyondમાં, છેડે છે
“આખરે વ્યૂહરચાનો આશય તો આ સવાલોનો જવાબ આપાવાનો જ છે : જ્યાં છીએ ત્યાંથી જ્યાં જવું છે ત્યાં પહોંચવું કેમ કરીને? કયો માર્ગ અપનાવવો ? ત્યાં શી રીતે પહોંચીશું,કયા ક્રમમાં શું શું પગલાં ભરવાં પડશે ?

“વ્યૂહરચના અંગે અંગે વિચાર કરવલાયક પાંચ પ્રશ્નો હું રજૂ કરીશ :

૧. મુદ્દાની હકીકતઓ અને અનુમાનો કયાં છે ?

૨. જીત માટેનો આપણો સિદ્ધાંત શું છે ?

૩. વ્યૂહરચનાનાં દરેક પાસાંને સિદ્ધ કરવું શક્ય છે ખરૂં?

૪. તમારી વ્યૂહરચનાની બહાર હોય એવાં કામ થઇ રહ્યાં છે ખરાં?

૫. વ્યૂહરચનાને ચકાસી જોવા માટે જરૂરી સમય આપણાં આયોજનમાં છે ખરો?

“એક તાકીદ: વ્યૂહરચના માટે કેટલો સમય ફાળવી શકાય તેમ છે નક્કી કરી લેવું જોઇએ અને તે પ્રમાણે જ વર્તવું જોઇએ. કામ તો થતાં જ રહેવાં જોઇએ, જેથી વિચારણાનાં વમળમાં કેદ ન થઇ જવાય. પ્રશ્નોથી એક મર્યાદામાં જ અભિભૂત થવાય. લશ્કરમાં અને બે તૃતીયાંશ , એક તૃતીયાંશનો નિયમ પાળતા - વ્યૂહરચનને સમજવા, અમલ કરવા અને તેનથી આગળ જવા માટે બે તૃતીયાંશ સમય તો બીજાં માટે છોડી દેવો જ જોઇએ.

ASQ communicationsનાંજુલીઆ મૅકીન્તોશ September Roundup: What’s the Best Approach to Strategy? માં ASQ Bloggersના એ વિષય પરના રજૂ કરે છે.

અને હવે આપણે ASQ TVનાં વૃતાંત તરફ સુકાન ફેરવીએ. આ મહિને આપણી પાસે બે અલગ અલગ વિષયો પરના વિડીયો સમૂહ અને તેને લગતા અન્ય લેખ જોવા મળશે

Quality Improves Government

દુનિયાભરની સરકારો ગુણવત્તાનાં સાધનો અને પદ્ધતિઓના ઉપયોગ વડે નોંધપાત્ર અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવી સુધારણાઓ કરે છે. ASQ TVના આ વૃતાંતમાં, સરકારનાં કામકાજમાં ગુણવત્તાનાં મહત્ત્વને લગતાં બે સકારાત્મક ઉદાહરણોની વાત છે. તે ઉપરાંત મનુ વોરાના મિલ્વાઉકી પબ્લીક હેલ્થ લેબના ઇન્ટરવ્યુ વિષે પણ વાંચશો.

સંલગ્ન વિડીયોઃ
મનુ વોરા અને વી કે અગ્નિહોત્રી ભારત સરકારમાં હાલમાં, અને ભવિષ્યમાં, ગુણવત્તાની ભૂમિકાની વાત કરવાની સાથે સરકારનાં કામકાજમાં ગુણવત્તાની હિમાયત કરે છે.
Soft Skills-Leadership and Management

આપણા વ્યવસાય કે ઉદ્યોગની અંદર કે બહારની બધી બાબતોમાં પ્રાવીણ્ય હોવું જરૂરી છે, પણ એટલું જ પૂરતું નથી. સફળ નેતૃત્વ માટે અને આપણાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનમાટે અસરકારક દોરવણી પૂરી પાડવા માટે નાની નાની બાબતોનાં કૌશલ્યોમાં નિપુણતા મેળવવી એટલી જ જરૂરી છે. ASQ TVનું આ વતાંત એવાં કૌશલ્યો કયાં છે અને તેમાં નિપુણતા કેમ મેળવવાથી રોજબરોજના સંબંધો માં, અને તેના થકી પોતાની કારકીર્દીમાં કેમ સફળ થવું તેની ચર્ચા કરે છે.

સંલગ્ન વિડીયોઃ
Rosemarie Christopher's Career Corner columns

બીજા સંલગ્ન વિડીયો
લેખક અને વકતા સીમોન ટી.બૈલીનાં કહેવા મુજબ અગ્રણીઓએ પરિવર્તન લાવા માટે બૃહદ ચિત્ર પણ નજર સમક્ષ રાખવું જોઇએ. આ વિડીયોમાં અગ્રણીઓએ પોતાની વાત કઇ રીતે કહેવી જોઇએ, પોતાનાં નેતૃત્વને શી રીતે ટકાવી શકાય અને ગુણવત્તા ક્ષેત્રનાં અગ્રણીઓએ તેમની સંસ્થાઓમાં પહેલ લેવા શું કરવું જોઇએ તેની વાત છે. બૈલીએ ૨૦૧૪ની વિશ્વ પરિષદમાં આપેલ ગુણવત્તા અને સુધારણા પર આપેલ વ્યક્તવ્ય on demand ઉપલ્બધ છે.
કર્મચારીઓને પ્રેરણા પૂરી પાડવા અને ઉચ્ચ કામગીરીનાં સંબંધોને વિકસાવવા માટે અગ્રણીઓએ સમજવું જરૂરી છે કે દરેક લોકોની કંઇને કંઈ જરૂરીયાતો તો કામનાં સ્થળે સંતોષાવી જોઇએ. આ ક્લિપમાં દરેક વ્યક્તિની જરૂરિયાત સમજી અને તેમની સાથે કામ સંબંધી  અર્થપૂર્ણ અને લાંબા ગાળાની ઉત્પાદકતાને જોડતા સંબંધો કેમ બાંચવા તેની વાત કરવામાં આવેલ છે.
Read the Quality Progress article
Listen to the full interview

આ મહિનાના આપણા ASQ’s Influential Voice છે – જોહ્ન પ્રીબે.

જોહ્ન પ્રીબે NBCUniversalમાં વ્યાપાર ગુણવત્તાના વાઈસ પ્રેસીડેન્ટ છે. પ્રક્રિયા સુધારણા, નવીનીકરણ અને
ગુણવત્તા નિયમનનાં ક્ષેત્રમાં તેમને બહોળો અનુભવ છે. તેઓ લીન સિક્ષ સીગ્મા બ્લૅક બેલ્ટ પણ ધરાવે છે. તેમના બ્લૉગ, JohnPriebe.com,ની ટેગલાઇન છે Innovation | Quality | Leadership.
તેમના બ્લૉગ પર ASQ Influential Voices પર ચર્ચાતા વિષયો પર તેમના વિચારોની રજૂઆતની સાથે સાથે વચ્ચે અન્ય રસપ્રદ વિષયોની પણ ચર્ચા જોવા મળે છે.એવી એક પૉસ્ટ છે : The Emergent Culture: Be the Change You Wish to See.. લેખમાં પક્ષીના સમુહમાં 'ઉભરતી વર્તણૂક'ની કુદરતી જૈવિક ઘટનાને સમાંતર જ રચાતી માનવ સમુદાયની વર્તણૂકની વાત કરી છે. માનવ સમુદાય માટે એ કક્ષાએ પહોંચવાનો માર્ગ લાંબો તો છે, પણ "દુનિયાને જે રીતે જોવી છેતેનાં પરિવર્તનની શરૂઆત પોતાથી જ કરીએ"થી સફરની શરૂઆત તો કરી જ શકાય.
આ મહિને પણ Curious Cat Management Improvement Carnivalમાં કોઇ નવી પૉસ્ટ નથી. તેથી હંમેશની જેમ આપણે ત્યાં પ્રસિધ્ધ થયેલી કોઇ એક પોસ્ટની પસંદગી કરીશું . આમ મહિને આપણી પસંદ છે : Take Advantage of the Strengths Each Person Brings to Work.
સંચાલકોએ સંસ્થાની દરેક વ્યક્તિનાં સબળ પાસાંઓનો મહત્તમ ફાયદો ઊઠાવવાની સાથે સાથે તેમનાં નબળાં પાસાંની અવળી અસર ઓછામાં ઓછી થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

આને માટે 'નિષ્ફળતાનો સદંતર અસ્વીકાર"નો અભિગમ અપનાવવો જોઇએ, જેથી કરીને
"એવી તંત્ર વ્યવસ્થા તૈયાર થાય જે કૌશલ્યો ઘડે અને તેના થકી કાર્યરત રહે અને લોકોની શક્તિઓ અને શ્રેષ્ઠ કામ કરવાની ભાવનાનો ભરપૂર ઉપયોગ કરે.'

ડબ્લ્યુ એડવર્ડ્સ ડેમિંગ નું કહેવું છે કે “નેતૃત્વનો ઉદ્દેશ્ય લોકોની ભૂલો શોધી કાઢીને ચોપડે ચડાવવાનો નહીં, પણ નિષ્ફળતાઓનાં કારણો દૂર કરવાનો અને લોકો ઓછી મહેનતે વધારે સારાં કામ કરી શકે તે હોવો જોઇએ.”
આપણા બ્લોગોત્સોવને વધારે માહિતિપ્રદ અને રસપ્રદ બનાવવામાં આપ સહુનાં સૂચનો મળતાં રહેશે, તે સાથે નવાં વર્ષમાટે શુભેચ્છાઓ .....

Monday, October 20, 2014

'કલમ કાંતે કચ્છ': ગ્રંથ - ૫: જળ - મૃગજળ

શ્રી કીર્તિ જયંત ખત્રીનાં 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળના અનુભવોને માનવીય ભાષામાં શબ્દદેહે રજૂ કરતા લેખોનું સંકલન ૮ +૧ ગ્રથમાં શ્રી માણેકલાલ પટેલે કર્યું છે.

"જળ-મૃગજળ" આ સંપૂટનું પાંચમું પુસ્તક છે.

શક્ય છે કે સંકલન સમયે દરેક પુસ્તકના વિષયને કોઇ ક્રમમાં મૂકીને પુસ્તકોના ક્રમાંક નક્કી થયા હોય. પરંતુ આ પરિચયકર્તા પોતાને જે પ્રશ્નોની અગત્ય સમજાય છે તે ક્રમમાં આ પુસ્તક સંપુટને વાચક સમક્ષ રજૂ કરી રહેલ છે.

આ સમગ્ર પુસ્તકશ્રેણીમાં સમાવાયેલા કીર્તીભાઈના લેખો જે તે સમયે જે સ્વરૂપે લખાયા હતા તે જ સ્વરૂપે અહીં ગ્રંથસ્થ થયેલ છે.આને કારણે ઘણી જગ્યાએ પૂર્વાપર વિગતો ખૂટતી કે તૂટતી જણાય છે. તે જ રીતે મૂળ વિષય, તેમાંના પેટા વિષયોની રજૂઆતમાં પણ ક્યાંક એકસૂત્રતા કે સમયક્ર્માનુસારતા પણ ચુકાતી હોય તેવું પણ અનુભવાય છે. જો કે પુસ્તક્શ્રેણીના સંપાદક્શ્રી તેમનાં સંપાદકીય નિવેદનમાં કહે છે, "ગ્રામીણ પત્રકારત્વના અભ્યાસીઓને જે તે સમયે સ્થિતિનો ખ્યાલ આવે એ માટે (લેખોને... અલબત્ત)સંપાદિત જરૂર કર્યા છે, પણ એમાં કોઈ સુધારા વધારા (અપડેટ) કર્યા નથી'”, તે મર્યાદા સ્વીકારીને આપણે આ પુસ્તકોને વાંચવાં અને સમજવાં રહ્યાં.

ગ્રંથ ૫નું શીર્ષક "જળ-મૃગજળ" કચ્છના એક બહુ જ મહત્ત્વના પ્રશ્નને 'ઊંડાણપૂર્વક જોવાનો" પ્રયાસ છે.

'જળ-મૃગજળ'ના સમય કાળની શરૂઆત તકનીકી રીતે તો કીર્તિભાઈની 'કચ્છમિત્ર'ની ઈનિંગ્સના સમયથી પણ પહેલાંથી થાય છે. સ્વાભાવિક છે કે આટલું મહત્ત્વ ધરાવતો, પુસ્તકનો પહેલો જ, લેખ "કાળમુખા દુકાળની ચપેટ" (૨૭-૯-૧૯૭૪ )નો જ હોય. લેખનું પહેલું જ વાકય - કચ્છ માટે દુષ્કાળ એ કંઈ નવી બાબત નથી....પણ (વીસમી સદીના) સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળના સિતમગર સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો..માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બની રહ્યું છે - પ્રશ્નનાં મહત્વની સાથે સાથે તેના કચ્છનાં જનજીવન પર સમગ્રતયા પડતી અસર બહુ જ સ્પષ્ટ કરી મૂકે છે.

પુસ્તકના વિષયોનાં ફલકને સમજવાનો પ્રયાસ કરતાં એમ જોઈ શકાય છે કે 'દુકાળ' શબ્દ લેખનાં શીર્ષકમાં જ હોય તેવા ૧૨ લેખોનો સમયકાળ ૧૯૭૪ થી ૨૦૧૩ સુધીનો જોવા મળે છે. તે પૈકી ૧૯૭૪ના વર્ષના ફેલા લેખ પછીથી કીર્તિભાઇના'કચ્છમિત્ર'ના સમય સાથે શરૂ થતાં ૧૯૮૭ના વર્ષના ત્રણ, ૧૯૯૬,૧૯૯૭ ના દર વર્ષના એક, ૧૯૯૮ના વર્ષના બે , ૨૦૦૨ અને ૨૦૦૩ના દરેક વર્ષના એક અને છેલ્લે ૨૦૧૨ અને ૨૦૧૩નાં વર્ષનો એક લેખ છે. આમ એમ સમજી શકાય છે કે ૧૯૮૭થી લગભગ ૨૦૦૩ સુધી મોટા ભાગના સમયમાં ઓછે વત્તે સમયે દુકાળની પરિસ્થિતિ રહ્યા બાદ, અચાનક જ ૨૦૦૩ પછી સળંગ એક દસકા સુધી ચોમાસાં સારાં ગયાં. તેમ શરુઆતના લેખ '૮૦ના દાયકાના છે તેનું કારણ એ સમયમાં જ કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ની કારકિર્દીની શરૂઆત સમજીએ તો પછી લગભગ દસ વર્ષનો ગાળો કેમ પડી જાય છે તે ક્ચ્છના સમયકાળની તવારીખથી પરિચિત ન હોય તેવા વાચકને માટે, લેખો વાંચવા માત્રથી કદાચ ન સમજાય.

કચ્છની એક ચિરંતર સમસ્યા,અનિયમિત અને અપૂરતાં ચોમાસાં અને તેને સંલગ્ન અન્ય બાબતોનો વ્યાપક ચિતાર રજૂ કરવાનો પુસ્તકનો મૂળ આશય છે. કેટલાક લેખોમાંના અવતરણો વડે આપણે પણ અહીં પુસ્તકમાંની રજૂઆતોનું વિહંગાવલોકન કરીએઃ

'ક્ચ્છ કાળમુખા દુષ્કાળની ચપેટમાં' (૨૭-૯-૧૯૭૪)
"સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળોના..સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો...માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બન્યું છે.

"ધાવણહીન માતા જેવી ધરતી પર મીટ માંડતા, માભોમના સૂકાભઠ્ઠ બદનમાંથી ઊઠતા ફળફળતા નિઃસાસા જેવી લૂ હજૂયે ક્યાંક વાતી રહે છે. દુષ્કાળના રાક્ષસી પંજાએ પહેલા મરણતોલ ફટકામાં દોઢ બે માસના ટૂંકાગાળામાં અંદાજે ૧૩થી ૧૫ હજાર ઢોરોને મોતના ખપ્પરમાં હોમી દીધાં છે.(પૃ. ૩૭)

"રાહત કામ પર મજૂરી કરતા...લોકોના ચહેરા જોઈએ છીએ તો...તેમની આંખોના ડોળામાં સફેદ રંગ તો ભાગ્યે જ જોવા મળે છે, માટી ખોદી ખોદીને તેમની આંખો ધગધગતા અંગારા જેવી લાલચોળ બની ગઇ છે.શરીર પર પહેરેલાં કપડાં તો જાણે કોઇ હાડપિંજર પર લટકી રહેલાં દેખાય છે...કદાચ એટલે જ રતાંધળાપણાના કેસો...ક્ષયરોગનું પ્રમાણ ચોકાવનારું છે." (પૃ. ૬૮)

"જ્યાં જૂઓ ત્યાં અછત બસ અછત. છત છે માત્ર ભૂખ્યાંતરસ્યા જીવની લાશો જેવા માનવીઓની, ઘાસપાણી વિના મોત તરફ આગેકદમ કરતા હજારો ઢોરોની, પોષણયુક્ત આહાર વિના મૂરઝાતાં માસૂમ બાળકોની અને મરેલાં ઢોરોના દેહ ચૂંથતાં ગીધ-કાગડા-કૂતરાંઓની." (પૃ. ૩૯)
'ખુદાકી શાન આપ હમારે ઘર આયે, કભી હમ અપને આપકો કભી ઘરકો દેખતે હૈં' (તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીની ૨૧-૩-૧૯૮૬થી ત્રણ દિવસની મુલાકાત સમયે)
"આવું છે અમારૂં વતન : આઝાદી પછીના ચાર પૈકી ત્રણ દાયકા અછતમાં વીતાવ્યા છે...માનવી કરતાં ઢોરોની સંખ્યા વધુ છે....અફસોસ અપેક્ષિત અને સમતોલ વિકાસ એક યા બીજા કારણસર થઈ શક્યો નથી તેનો છે... રાજય અને કેન્દ્રની કેટલીક યોજનાઓ અમલમાં મુકાઇ પરંતુ તેના પ્રામાણિક અને ઝડપી અમલના અભાવે યા તો રકાસ થયો છે અગર તો તેનાં ફળ છેવાડાનાં આદમીના મોં સુધી પહોંચ્યાં નથી. (પૃ. ૪૮)

"એશિયાના ઉત્તમ ધાસિયા મેદાન તરીકે જાણીતા બનેલા બન્ની વિસ્તારમાં શરૂ થયેલું ગાંડા બાવળોનું આક્રમણ રોકવા હજુ કોઇ પગલાં જ વિચારાયાં નથી (પૃ. ૪૯)

"કચ્છના ૯૬૭ ગામોમાંથી પચાસ ટકા ગામોંમાં સસ્તા અનાજની દુકાન નથી... જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ પૈકી જો ૨૮૦ પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષક્થી ચાલતી હોય અને ૧૦૮૮ ઓરડા તેમજ ૧૩૨ શિક્ષકોની ઘટ હોય....(પૃ. ૪૯)
'ક્ચ્છમાં ચોથા દુકાળનાં ડાકલાં : ઘાસની બૂમ ‘ (૨૫-૭-૧૯૮૭)
"..અમે જોયું તો ત્રણ ઓરતો માથે પાનની ભારી નાખી જઈ રહી હતી.અમે એમને કંઇ પૂછીએ એ પહેલાં જ એમાંની એકે ભારી ફેંકી ચાલતી પકડી. બીજી યુવતીની આખોમાં ભય નજરે ચડ્યો. વાત એમ હતી કે, ઢોરો માટે કંઇ ન મળતાં આ ત્રણ ઓરતો કોઇની વાડીમાં ઘૂસી જઇ રજા લીધા વિના આંબાના ઝાડનાં પાન ઉતારી ઢોરોને ખવડાવવા લઇ જઇ રહી હતી. કેવી લાચારી ! સામાન્ય સંજોગોમાં આ ઓરતો પોતાના ગામમાં કોઇ બહારનો આદમી આવે તો ઘરની બહાર પગ ન મૂકે. અને આજે કુદરતની ક્રૂરતાને પરિણામે પોતાના ઢોર માટે પાંદડાની ચોરી કરવા ગઇ!" (પૃ.૫૭)

'ઢોરવાડાનો વિકલ્પ' (૨૩-૯-૧૯૯૭)
"દુષ્કાળ પડે ત્યારે દાતાઓ દાનની પુનિત ગંગા વહેવડાવે છે. તેઓ જો આ નાણાં સારા વર્ષમાં ઘાસ બૅંક માટે ખર્ચે તો એક જ વારના ખર્ચમાં હંમેશની મુશ્કેલી દૂર થઇ શકે." (પૃ. ૧૧૦)

'દુકાળ આપત્તિને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં સમાવી લો.' (દીપોત્સવી : ૨૦૦૨)
"દુકાળના કાયમી નિવારણ માટે કૂવા રિચારજીંગની, જળ સંરક્ષણ અને સંચય, ઘાસ બેંક, જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ કાર્યક્રમ, ખેત તળાવડી વગેરે યોજનાઓ છે અને બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી લોકભાગીદારીથીતેનો અમલ રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યો છે. લોકોમાં પણ જાગૃતિ આવી છે....ક્ચ્છમાં દશમાંથી સાત વર્ષ દરમ્યાન (દુકાળ રાહતકામ અને) પશુરક્ષા પ્રવૃત્તિ કરવી જ પડે છે.. તેન કારણે સમયાંતરે સ્થાપિત હિત ઊભાં થયાં છે...ભ્રષ્ટાચાર સામે તમામ તાકાત સાથે લડવાનું મનોબળ કોઇ પણ સરકાર દાખવી શકી નથી એ આપણા જાહેરજીવનની સૌથી મોટી કમનસીબી છે."

'દુકાળ સાથેનો પનારો ભૂલીને આપણે મોટી ભૂલ કરી છે' (૨૩-૦૮-૨૦૧૨)
"ભૂકંપ પછી ૨૦૦૨માં અછત સર્જાઈ ત્યારે અગાઉની જેમ ફરી દુકાળ નિવારણ કાર્યક્ર્મ ઘડાયો, પણ પછી સતત વરસાદ પડતાં બધું ભૂલાઇ ગયું.... જોકે જળ સંચય-સંરક્ષણના કામ સારાં થયાં છે...હવે પ્રજા, સંસ્થાઓ અને સરકારે અભિગમ બદલવો પડશે." (પ. ૧૫૫)

'અતિવૃષ્ટિની શક્યતા વિચારાય તો દુકાળની કેમ નહીં ?' (૨-૬-૨૦૧૩)
"કચ્છમાં ૨૦૧૩માં અછતનું વર્ષ એના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂક્યું છે... ૧૯૮૪થી ક્ચ્છમાં દુકાળની પરંપરા શરૂ થઈ તે સમયે પણ આવી જ સ્થિતિ હતી....પૂર અને અતિવૃષ્ટિના તો સીધા અણસાર મળતા હોય છે,છતાં આગોતરી તૈયારી કરાય, પણ જેના અણસાર મળતા નથી અને અનિશ્ચિતતાઓ છવાઇ રહેલી હોય એના સામનાની કે શક્યતાની કોઇ વિચારણા જ કરાય નહી...અછત, દુકાળ કે અર્ધદુકાળ વખતે એની વ્યાખ્યા..તો અંગ્રેજોના સમયના નિયમો છે....સાચી વાત એ છે કે અંગ્રેજોએ આપેલી આનાવારી પદ્ધતિથી અછતનું પ્રમાણ નક્કી કરવાની પ્રથા જ ભૂલભરેલી છે....ખરેખર તો આજના ઇન્ટરનેટ અને (અવકાશ વિજ્ઞાનના યુગમાંઅત્યાધુનિક ઢબે વરસાદ, ખેતી અને ઘાસનો અંદાજ કાઢીને આનાવારી નક્કી થઇ શકે છે....સરકાર જૂની પદ્ધતિને તિલાંજલી આપે એ સમયની માંગ છે." (પૃ. ૧૬૦-૧૬૩)

દુકાળને લગતા વિષયની આ ચર્ચા પછીથી સીધી કોઇ ચર્ચા જોવા નથી મળતી.

અહીં સુધીના લેખોમાં વચ્ચે વચ્ચે પાંજરાપોળો, ઘાસ બેંક, ઢોરવાડા, રાહતકામો , જળસંરક્ષણ જેવા સંલ્ગન વિષયોને સ્પર્શતા લેખો પણ આવરી લેવાયા છે.

અહીંથી હવે પછી કચ્છમાં પાણીના પ્રશ્નનાં નર્મદા જળનાં નવાં પરિમાણનાં મંડાણ 'નર્મદાનાં મૃગજળ ' (૧-૨-૧૯૮૬) લેખમાં ‘દુકાળીયા મુલકને ધોરીધરાર અન્યાય ‘ (પૃ. ૧૭૧)ની તીખી રજૂઆતથી થાય છે.

તે પછી લેખ ૬-૮-૧૯૯૨, ૬-૮-૧૯૯૩ના છે, જ્યાં સુધી પણ સૂર 'અન્યાયોની વણઝાર'નો જ જણાય છે. ૨૫-૯-૧૯૯૪ના લેખ 'નર્મદા પ્રશ્ને સંવાદની પહેલ' શરૂ થવાથી "સરકારનું મન ખુલ્લું છે એની પ્રતીતિ" થતી જણાય છે. ૨૮-૭ -૧૯૯૫ના 'પાઇપલાઇન યોજના અને કચ્છ'માં પાઈપલાઇન કે કેનાલ વડે પાણી પહોંચાડવાની દ્વિધામાં પણ આશાવાદ જીવંત જણાય છે.

૨૪-૮-૧૯૯૬ના લેખ 'ગ્રેવિટી ફ્લોથી નર્મદાનું પાણી'માં ગ્રેવિટી ફ્લોની માગણીની ગાડી પાટે ચઢી છે તેની સહર્ષ નોંધ લેવાની સાથે અંતિમ પરિણામ સુધી જાગૃત રહેવાની ટકોર પણ છે.

૧૨-૭-૨૦૦૨ના લેખ 'કચ્છનાં નર્મદાનાં નીરહરણ માટે જવાબદાર કોણ?'માં "'વિતતી નથી વેદનાની એક પણ, પણ વર્ષો પળવારમાં વીતી ગયાં' જેવા મરીઝની ગઝલના શેરને ટાંકીને ૨૦૦૧ના ધરતીકંપ પછીના બચાવ-રાહતથી નવસર્જન સુધીનાં વિ સ્તૃત લેખાંજોખાં (કરવાના સમયે લેખક નોંધે છે કે) ૧૭મી સદીમાં ગુલામ શાહ કલોરાએ સિંધુનું કચ્છનું વહેણ અટકાવવા બંધ બાંધ્યા હતા, પછી ધરતીકંપે 'અ લ્લાહબંધ' સર્જી દીધો. ૨૦મી સદીમાં નર્મદાનાં પૂરતાં પાણી કચ્છ તરફ વહેડાવવામાં રાજ્ય સરકારોની નિષ્ફળતાની નોંધ પણ, પચાસ સાઠ વર્ષ પછી ઇતિહાસમાં કદાચ એ જ રીતે લેવાશે." (પૃ. ૨૧૫થી ૨૧૭)

૧૭-૫-૨૦૦૩ના લેખ 'ક્ચ્છમાં નર્મદાનાં જળ અને મૃગજળ'માં "વર્ષ ૨૦૦૩માં ૬૫૦ કિ.મી.નો ...પંથ કાપીને… નર્મદાનાં નીરના કચ્છ આગમનને ઉમળકાથી (વધાવતાં) સિંચાઇનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં આવે ત્યાં સુધી એ મૃગજળ જ રહેવાનું છે' એ ફરિયાદનો સૂર કાયમ રહે છે.

નર્મદાનાં પાણીની ફાળવણી કે તેને કચ્છ સુધી પહોંવાડવાના મુદ્દા પર બીજા લેખોમાં ચર્ચાઓનો આવો જ દૌર ચાલતો જોવા મળે છે.

વર્ષ પ્રમાણે ગોઠવાયા હોત તો પુસ્તકના અંતમાં હોય તેવા ૧૨-૧-૨૦૧૪ના લેખ 'નર્મદા કેસના ચુકાદામાં સુપ્રીમની ટકોર ગળે ઉતરે તેવી નથી'માં પણ ઉકેલ અસંતુષ્ટ સ્તરે જ રહેલો જણાય છે.

પણ જો કચ્છને વરસાદની અનિયમિતતા કે બાહ્ય સ્ત્રોતની અપૂરતી અને સમયસર ન હોય તેવી આપૂર્તિ ન કનડે તો કચ્છનું સ્વરૂપ કેવું હોઇ શકે તેનું વર્ણન 'મેઘરાજાની અસીમ કૃપાએ ધીણોદરને હિમાલય જેવું સૌંદર્ય બક્ષ્યું છે...લીલુંછમ કચ્છઃ મૃગજળ નહીં હકીકત'માં જોવા મળે છે : "કચ્છના એકમાત્ર ભાગ્યવિધાતા મેઘરાજા છ-છ દાયકામાં ન વરસ્યા હોય એવી ઠાવકી અદાથી વર્ષ ૧૯૯૪ના ઓક્ટોબરમાં વરસી પડતાં કચ્છની નખશિખ કાયાપલટ થઇ ગઇ...દૂર દૂર રણના કાંધીએ ખારી જમીનમાં પણ રામમોલ લહેરાઇ રહ્યો છે. ડુંગરો પર ઉતરી આવેલી હરિયાળીએ કાળમીંઢ પથ્થરોનેય સૌંદર્ય બક્ષી દીધું છે..ઝરણાં દોડવા લાગ્યાં છે...ડુંગરોને બબ્બે મહિના સુધી બાથ ભીડનાર ભારેખમ વાદળ હવે હલકાંફૂલ બની ગયાં છે. એ હવે વરસાદનાં નહીં ઝાકળનાં (સફેદ) વાદળ બની ગયાં છે...કચ્છના વિખ્યાત ડુંગર ધીણોદર..ને વીંટળાઇ વળેલાં ઝાકળનાં વાદળ.. સોળે શણગાર સજેલી નવોઢાના ગળાંમાં લટકતા હાર જે(વાં ભાસે છે.)...જેમ જેમ ઉપર ચડતા જઇએ તેમતેમ ઝાકળ-ઝંઝા (હા, ઝાકળનાં ઝાંઝવાં)નો પ્રત્યક્ષ અનુભવ થતો જાય...વધુ કંઇ વિચાર કરીએ એ પહેલાં જ તો પશ્ચિમ દિશાએથી હવાનું એક જોરદાર ઝોકું આવી જાય છે અને એના પર સવાર થઇને આવેલું ધુમ્મસ ડુંગર સાથે અથડાઇ પડે છે. એવું લાગ્યું જાણે ઝાકળની ડમરી ઊઠી અને કાળમીંઢ પથ્થરો સાથે અથડાઇને ચૂપકીથી સરી ગઇ.....માતૃભૂમિ આવી લીલીછમ બને એ જ આપણું સપનું છે...પણ મેઘરાજા તો આવી છટાથી આઠ વર્ષમા એકવાર રીઝે છે, તેનું શું કરવું?....આ સવાલનો જવાબ કચ્છીઓ જળસંરક્ષણનાં કામોને આગળ ધપાવીને અને કોટિવૃક્ષ અભિયાન સફળ બનાવીને આપી શકે છે." (૯-૧૦-૯૪)

કચ્છનાં જનજીવન પર પર્યાવરણ અને તેની વિષમતાઓની અસર રૂપે, એક તરફ માનવ સર્જીત ભાતીગળ હસ્તકળા તો બીજી તરફ વનસ્પતિ કે પ્રાણીસૃષ્ટિની અચરજ સમાણી કુદરતી વ્યવસ્થાઓ અને તેને અનુરૂપ પશુપાલન જેવા વ્યવસાયોની જીવનનિર્વાહની સકારાત્મક અસરોનું ચિત્રણ આ પુસ્તકમાંથી દૃષ્ટિગોચર થતું રહે છે. તેની સાથે સાથે રાજકીય તંત્રની દૂરંદેશિતાનો અભાવ, તેમાંથી જન્મતી અમલીકરણની શિથિલતા અને સત્તા તેમ જ પ્રજાની 'ખાયકી' અને 'ઓછી દાનત' જેવા નકારાત્મક રંગ પણ પ્રામાણિકતાથી સંકોરાયેલા છે. આનંદ સાથે આશ્ચર્ય પમાડે તેવાં ઉદાહરણો અને કુદરતની મહેરનાં દિલખુશ કરે તેવાં વર્ણનો વાચકમાં પણ આશાવદનાં કિરણો જગાડી મૂકવામાં સફળ રહે છે.



'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી || ગ્રંથ - ૫: જળ –મૃગજળ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
પૃષ્ઠ : ૩૧૨ મૂલ્ય : રૂ. ૨૩૦/-
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 7, 2014ના રોજ પ્રકાશિત થયેલ.