Sunday, July 17, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - જુલાઈ ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  જુલાઈ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી અંજુ મુરારી - નરૂલાનો લેખ, ડિજિટલ યુગમાં જીવવું - ગુલામી કે મુક્તાવસ્થા / Living in the Digital Age – Enslaved or Free, આ મહિને પસંદ કરેલ છે.

એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે

ડિજિટલ માહિતી અને એકબીજાં સાથે સરળતાથી જોડાઈ શકવાની ડિજિટલ સુવિધાની સર્વવ્યાપકતાએ ઘરમાં ફરજિયાતપણે પુરાઈ રહેવાની,કોવિડ-પ્રેરિત, પરિસ્થિતિને સહ્ય બનાવી. આપણે બહારની દુનિયામાં ન જઈ શક્યાં; પણ બહારની દુનિયા આપણી પાસે આવી શકી. એ સમયમાં આપણે આપણાં જીવનને ભૌતિક વિશ્વમાંથી આભાસી વિશ્વમાં લઈ ગયાં.

દાદીમાઓ પોતાનાં પૌત્રો/પૌત્રીઓને ઓનલાઇન જ વાર્તા કરી શકતાં હતાં, વાદ્ય કાલાકારોને પોતાનાં વાદ્ય વગાડવા અને વિશ્વમાં ક્યાંય ક્યાંય ફેલાયેલ અન્ય કલાકારો સાથે સંપર્ક સાધવાની ઍપ્પ્સ મળી, ફિલ્મો, સંગીત, વાંચનના ચોવીસ કલાક ઉપલબ્ધ, અખૂટ, સ્ત્રોત એક ક્લિક વારમાં જ હાથવગા થયા.

જોકે ડિજિટલ કન્નેક્ટિવિટીના પાશ્વાત્ય ખયાલમાં આપણને ટકાવી રાખતાં બળના સ્રોત - આપણાં ત્રીજાં - આંતરિક - વિશ્વનો - કોઈ ઉલ્લેખ નથી.

સેઝાનનાં સ્નાનાર્થીઓ (‘Bathers’) ફુરસતનો  સમય માણે છે - ફોટોગ્રાફ કૉરબિસ - સંદર્ભ સ્રોત: Are we liberated by tech – or does it enslave us? - Jenny Judge


ડિજિટલ કન્નેક્ટિવીટિના સકારાત્મક અને ફળદાયી અનુભવો છતાં માનવ સંપર્કની ઝંખનાનો આંતરપ્રવાહ જરા પણ નબળો નથી પડતો.


સવાલ ડિજિટલ કે વાસ્તવિક વિશ્વનાં જોડાણનો નથી, પણ આપણે એ જોડાણોનો લાભ આપણાં અંદરનાં વિશ્વ સાથે જોડાવામાં કેટલો ઉઠાવી શકીએ છીએ તેનો છે. વિલિયમ વર્ડ્સવર્થે કહ્યું છે તેમ 'બહારનું (વિશ્વ)તો આપણી સાથેજ છે - વહેલું કે મોડું. તે મેળવવામાં અને તેનો ઉપયોગ કરવામાં આપણી શક્તિઓ વેડફી નાખીએ છીએ.'

'આપણી અંદરનાં દૈવત્વનો, ગગનભેદી, ઘોષ', એક તબક્કે, ઊઠે છે. આત્માના પોકારને, ગહન માનવતાના ભાવથી, વિવેકાનંદ જેવા જ કોઈ સમજાવી શકે –

ઓહ! હું આ અથાગ બળથી કંટાળ્યો છું;

આ ખેલ હવે મને ખુશ નથી કરતા.

આ તો સતત સાથે દોડતો, પણ ક્યારે ન પહોંચાતો,

કે દૂરથી નજરે પણ પડતો કિનારો છે.

વાસ્તવિક દુનિયામાંથી વીણેલું આપણું બધું જ્ઞાન તો પહેલું પગલું, શ્રવણ, માત્ર છે. મનન અને નિદિધ્યાસન[1]માં સરી જવા માટે તો આપણાં આંતરિક વિશ્વમાં ડૂબકી મારવી આવશ્યક છે, કેમકે સક્ષમ થવું અને અનુભૂતિ પામવી એ જ ખરાં લક્ષ્યો પણ છે અને જીવનભરનો સંઘર્ષ પણ છે.

ડિજિટલ માહિતી અને જ્ઞાનનો જેટલો પણ સંપર્ક છે તે આપણને ગમતાં, કે આપણે જે કરવાનું જ છે, તે કામના અભ્યાસમાં ખૂંપી જવાનું, આપણી પોતાની અંદરના એકલદંડા કારાવાસમાં કેદ થઈ જવાનું, પહેલું પગથિયું છે.

દુનિયાનો  આપણે મુક્તપણે ઉપયોગ જરૂર કરીએ પણ, તે સાથે જ્યારે આપણો ખરો અભ્યાસ ચાલુ થાય ત્યારે તેને બાજુએ મુકી દેવા,કે તેનાથી દુર જતાં રહેવા, તૈયાર પણ રહીએ. ભગવદગીતા - કર્મ સંન્યાસ યોગ, ૫.૨.૪)માં ઈશ્વર પોતે જ જેમ સ્પષ્ટપણે કહે છે

જે નિજાનંદી છે, જેનો આનંદ અંતરનો છે, જેનો પ્રકાશ અંદરનો છે

બ્રહમનમાં પ્રસ્થાપિત એ યોગી બ્રાહ્મણત્વ સાથે વિલય પામે છે.’

તાત્પર્ય એ છે કે કર્મનો ત્યાગ(सांख्य–सन्यास- योग) અને કર્મનો યોગ(कर्म योग),બન્ને પરમાનંદ તરફ લઈ તો જાય છે પણ કર્મયોગનો માર્ગ સંન્યાસ યોગના માર્ગ કરતાં ચડિયાતો છે.

કેટલુંક વધારાનું વાંચન:

Survey X: The Next 50 Years of Digital Life

Are we liberated by tech – or does it enslave us? - Jenny Judge

How we’re becoming slaves to technology, explained by an MIT sociologist, Sherry Turkle - “We’re always on, always plugged in, always stimulated, always in a constant state of self-presentation.”

Connected, but alone? – Sherry Turkle’s TED talk

Connected but alone? Highlights from the TED.com community’s Live Conversation with Sherry Turkle

The Digital Freedom Pass: Emancipation from digital slavery - Dennis Snower

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • ASQ Chair, Blanton (Blan) Godfrey, Shares Stories of the Greats and Hope for a Bright Future - ૧૭ મે, ૨૦૨૨ના રોજ ભરાયેલ વર્લ્ડ કોન્ફરન્સ ઑન ક્વૉલિટી એન્ડ ઈમ્પ્રુવમેન્ટના ઉપક્રમે ASQ સભ્યો સાથે વાત કરતાં બ્લૅન્ટન ગૉડ્ફ્રે તેમના બેલ /એટ એન્ડ ટીના દિવસોની યાદ કરતાં કરતાં વિશ્વના પડકારો માટેનાં ભવિષ્યના ઉપાયો કેમ મળી આવ્યા તે જણાવ્યું.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Coping with Dissatisfaction - અસંતુષ્ટ ગ્રાહકો સંબંધે કેટલાં સ્વીકૃત તથ્યો - 

૧. તમારાં કર્ચારીઓની સાથે બાહ્ય ગ્રાહકની જેમ વર્તો - ટોમ પીટર્સ પોતાનાં પુસ્તક “Thriving

on Chaos,”માં ભારપૂર્વક કહે છે કે જો કર્મચારીઓની સાથે  માન, પ્રમાણિકતા અને વિશ્વાસ સાથે ન વર્તવામાં આવે તો તેમની પાસેથી શ્રેષ્ઠ કામગીરી અશક્ય ગણાય.

૨. આગલી હરોળનાં કર્મચારીઓની પસંદગી અને તાલીમ કાળજીપૂર્વક કરવાં જોઈએ - આગલી હરોળનાં કર્મચારીઓની પસંદગીમાં મહત્ત્વની વર્તનને લગતી ખાસિયતો પર ભાર મુકાવો જોઇએ. તેમની તાલીમ અને પુનઃતાલીમમાં પણ આ બાબતોને મહત્ત્વ આપવું જોઈએ. તેમની તાલીમમાં પણ આગલી હરોળને જ સહભાગી બનાવવી જોઈએ.

૩. પરિસ્થિતિને ઠંડી પાડો અને શાંત મગજનાં લોકોને તેના ઉપાયો શોધવામાં મહત્ત્વ આપો.

૪. શબ્દો માપીતોળીને વાપરો. હુકમ કે વિરોધાભાસી લાગે તેવા શબ્દપ્રયોગો ટાળો.

૫. સહભાગીતા માટે પ્રયત્નશીલ રહો. તમારા પડકારને ગ્રાહકનો પડકાર બનાવી દો.

૬. વ્યક્તિગત સમીકરણો સ્થાપો અને તેમાં રચાતી ભાગીદારીની સહભાગીદારીથી પરિસ્થિતિને હળવી બનાવો.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Ain’t Nothing Like the Real Thing - Technology asks, is there really? - માર્વિન ગેય અને ટૅમ્મી ટૅરીલના ૧૯૬૮નાં ગીત Ain't Nothing Like the Real Thingના બોલ ચિત્ર સામે જોઈને કે પત્ર વાંચીને કહે છે કે ઘણાં જ આરામદાયક હોવ છતાં કોઈના અવાજને સંભળવો કે તેમને જોવાં એ મૂળની અનુભુતિની બદલીમાં તે ઉણાં પડે. તેના પરથી સવાલ થાય કે આપણે ક્યારથી, અને કેમ,મૂળને બદલે અવેજીથી કામ ચલાવતાં  થયાં?  …. શુદ્ધતાનાં આગ્રહીઓનું કહેવું છે અમુક બાબતોમાં જાતે કરવાની અવેજીમાં કંઈ જ ન આવે. ક્વૉલિટી મેગેઝીનના મૅનેજિંગ એડિટર મિશેલ બૅન્ગર્ટ, તેમના લેખ  Future of Quality - How will you use Quality 4.0 ideas at your location?માં કહે છે કે ગુણવત્તા ૪.૦ એ વ્યાપક ગુણવતા રૂપાંતરણનો એક ભાગ જ છે. તેનાં પરિવર્તનો લોકોને 'ડેટા અને સમસ્યા સમાધાનોને કહાનીઓ'  વડે પરિવર્તન કરતાં કરી મુકે છે. 


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1] અભ્યાસના ચારમાંના ત્રણ તબક્કા :

·        સમાન્યસ કે સંપત્તિ - ચાર ભાગનો અભ્યાસ (સાધના ચતુષ્ચય) જે આ ચાર ગુણ વિકસાવે છે

o   નિત્યાનિત્ય વસ્તુ વિવેક (नित्यानित्य वस्तु विवेकम्) — શાશ્વત (નિત્ય) બ્રહ્મન અને ક્ષણભંગુર આયુષ્ય (અનિત્ય) ધરાવતાં વસ્તુ વચ્ચે ભેદ કરી શકવાના સારાસાર (વિવેક)ની ક્ષમતા

o   ઈહામૂર્તાર્થ ફલ ભોગ વૈરાગ (इहाऽमुत्रार्थ फल भोगविरागम्) — આ વિશ્વ (ઈહ) તેમ જ  સ્વર્ગ વગેરે જેવાં પરવિશ્વો (અમૂર્ત)માં  મનને ગમતી વસ્તુઓ (અર્થ ફલ ભોગ)નો ત્યાગ (વિરાગ)

o   શમાદિ ષટક સંપત્તિ (शमादि षट्क सम्पत्ति) — છ પાસાંઓ ધરાવતા ગુણો,

§  શમ - (અંતઃકરણ પરનું નિયમન)

§  દમ - (બાહ્ય સંપર્ક જાળવતી ઈંદ્રિયો પરનું નિયમન)

§  ઉપરતિ (બાહ્ય ઈંદ્રિયોનો નિગ્રહ,  તે સિવાયની વસ્તુઓની તલાશ. તેનો બીજો અર્થ એમ કરી શકાય કે શાસ્ત્રાદેશ મુજબ, નિયત કામોનો ત્યાગ)

§  તિતિક્ષા (આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક તાપત્રયને સહન કરવું

§  શ્રદ્ધા (ગુરુ અને વેદોમાં વિશ્વાસ)

§  સમાધાન (ઈશ્વર  અને ગુરુ પ્રત્યે મન કેન્દ્રિત કરવું

§  મુમુક્ષત્વ (मुमुक्षुत्वम्) — વિશ્વની પ્રકૃતિ જ પીડાદાયક છે, (તેથી) જન્મમૃત્યુનાં ચક્રમાંથી મુક્તિ (મોક્ષ)ની અભિલાષા_

·        શ્રવણ - ઋષિઓ, ઉપનિષદો અને અદ્વૈત વેદાંતની શીખને ધ્યાનથી સાંભળવાં, અને બ્રહ્મસુત્ર જેવાં વેદ પુરાણોનો અભ્યાસ. આ તબક્કામાં શિષ્ય બ્રહ્મની વાસ્તવિકતા પીછાણે છે અને આત્માની ઓળખ મેળવે છે.

·        મનન  - બોધપાઠો પરનાં ચિંતનનો તબક્કો

·        નિદિધ્યાસન(निदिध्यासन) તત્‍ ત્વમ્‍ અસિ - તે તેમજ છો - સત્ય પરનું પ્રગાઢ ચિંતન

સંદર્ભ સ્ત્રોત: https://en.wikipedia.org/wiki/Nididhy%C4%81sana

No comments: