Sunday, October 23, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - ઓક્ટોબર ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  ઓગસ્ટ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી ગીતાંજલિ મુરારીનો લેખ, અલગતાપણામાં પડી રહેલું ભંગાણ / Collapsing Separateness, આ મહિને પસંદ કરેલ છે.

એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે

છેલ્લી બેએક સદીમાં વિજ્ઞાને જે પ્રગતિ કરી છે તેણે માનવી માટે પૃથ્વીના દરેક ભાગમાં થતા માનવજીવનના અનુભવોની સર્વવ્યાપકતા પર ભાર મુકી આપતાં બહુ વિશાળ મેદાનને ખુલ્લું કરી આપ્યું છે.  

વૈજ્ઞાનિક નવીનીકરણના ચમત્કારને પ્રકાશ પાડતાં સ્વામી વિવેકાનંદ સમજાવે છે કે, 'વિચારની શક્તિથી મહાનતમ બળ પેદા થાય છે. વિચારનું ઘટક જેમ ઝીણું તેમ તે વધારે શક્તિશાળી બને છે. વિચારની શાંત શક્તિ લોકોને દૂરથી પણ પ્રભાવિત કરી શકે છે, કેમકે મન જેમ એક છે તેમ અનેક પણ છે. આખું વિશ્વ કરોળિયાનું એક જાળું છે અને આપણાં મન તેમાંના કરોળિયા છે.' આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટનાં રૂપમાં આ વાત વાસ્તવિક બની ગયેલ છે. થોડીક જ સેકંડોમાં દુનિયાના કોઈ પણ છેડાનાં લોકો અપ્રત્યક્ષ સ્વરૂપે એકબીજાંને એવી રીતે મળી શકે છે કે જ્ઞાનના તો બધા જ અંતરાયો ખડી પડ્યા છે.

પતંગિયા પ્રભાવ[1]ના સિદ્ધાંત અનુસાર તો પતંગિયાની પાંખનો ફફડાટ દુનિયાને બીજે છેડે ચક્રવાત

સર્જી શકે છે. આધુનિક ઇન્ટરનેટ તો માત્ર ભૌતિક અંતરની બાબતમાં જ નહીં પણ માનસિક અંતરની બાબતમાં પણ તેના કરતું અનેક ઘણું ઝડપી છે. પરિણામે, મન મન વચ્ચેનાં અંતર ઘટી ગયાં છે. આજથી લગભગ સો વર્ષ પહેલાં તેમનાં વ્યક્તવ્ય 'વેદાંત અને તેની ભારતીય જીવનમાં પ્રસ્તુતતા' /‘Vedanta and Its Application to Indian Lifeમાં સ્વામી વિવેકાનંદે ભાખ્યું હતું કે, 'સમાજ શાસ્ત્ર કે રાજકારણમાં જે પ્રશ્નો દસેક વર્ષ પહેલાં માત્ર રાષ્ટ્રીય કક્ષાના હતા તેમનું હવે દેશના સીમાડામાં પણ સમાધાન નથી થઈ શકતું. એ હવે બહુ વિશાળ અને ગંજાવર સ્વરૂપ લઈ રહ્યા છે. તેનું સમાધાન તો હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ધોળા દિવસે જ આવી શકે તેમ છે.’ આજે પણ આ કેટલું સાચું છે!

વધુને વધુ વૈવિધ્યને આવરી લેવા માટે ઇન્ટરનેટ સતત વિકસતું રહે છે. આ બાબતે તે વૈવિધ્યને સદા બિરદાવતી કુદરતનું જ પ્રતિબિંબ પાડવા તરફ જતું જણાય છે. આ જ સિદ્ધાંત માનવ જાતને પણ લાગુ પડે છે. આપણે બધાં એકબીજાંથી સાવ જુદાં જ દેખાવા ઉપરાંત આપણી આગંળાંની છાપ, વ્યક્તિત્વ, ગમા અણગમા, વર્તણૂક, અને ભગવાન સુદ્ધાં આગવાં જ હોય છે. ૩ જાન્યુઆરી, ૧૮૯૫ના રોજ જસ્ટિસ સુબ્રમન્ય આઈયરને લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદ લખે છે, 'જાતિ એટલે સર્જન. હું એક છું અને અનેક બનું છું. સર્જન પહેલાં ઐક્ય છે, સર્જન વૈવિધ્ય છે. જો આ વૈવિધ્ય અટકી પડે તો સર્જન નાશ પામે. જ્યાં સુધી પ્રજાતિઓ જોમવંત અને સક્રિય છે ત્યાં સુધી તેમણે વિવિધતા પેદા કરતાં રહેવું જોઈએ. જ્યારે તે વૈવિધ્ય પેદા કરતાં અટકે કે તેને અટકાવી દેવામાં આવે, તો તે ખલાસ થઈ જાય છે.’

ડિજિટલ યુગ પૂર્વે, માણસ જ્યારે પોતાનાં જ્ઞાન કે ક્ષેત્રની બહાર અન્ય સંસ્કૃતિઓ જોતો ત્યારે ખુબ ખુશ થતો, પણ તે સાથે જ તેણે પોતાની શક્તિ વાપરીને.સામાજિક યથાસ્થિતિ જાળવી રાખવાને બહાને  ત્યાંની આદિ જાતિઓને ક્યાં તો પોતાને તાબે કરી કે પછી પોતાની જ સંસ્કૃતિમાં પળોટી નાખી. એ સમયમાં અલગ અલગ સમાજો વચ્ચે જે અલગતા હતી તે શાબ્દિક અને લાક્ષણિક રીતે મહાસાગરોના અંતરોમાં જુદી પડતી હતી. જસ્ટિસ આઈયર પરના ઉપર જણાવેલા પત્રમાં જ સ્વામી વિવેકાનંદ ઉમેરે છે કે, 'અત્યારની વર્ણવ્યવસ્થા એ ખરેખર જાતિ નથી પણ તેના વિકાસમાં અવરોધ છે. તેણે જાતિનેની જ્ઞાતિ કે વૈવિધ્યની મુક્ત પ્રવૃત્તિ કરવામાં રોક લગાવી છે.’

ડિજિટલ યુગમાં આપણા વિચારો અને ખ્યાલોના આપસી સતત વિનિમયથી થતાં આપસી જોડાણને પરિણામે ઘણાં લોકોને પોતાનું આગવું મંતવ્ય ખોળવામાં મદદ મળી છે. એક દસકા પહેલાં જે સહ્ય કે સ્વીકાર્ય હતું તે હવે સુક્ષ્મ તપાસના દાયરામાં આવી ગયેલ છે.

માનવીનાં મૂલ્યોમાં સતત થતાં પરિવર્તનનું પ્રતિબિંબ વૈજ્ઞાનિક વિકાસમાં પડે છે. જે જેમ વધારે ઉચ્ચ કક્ષાના સંતોષની આપણી જરૂરિયાત વિકસતી જાય છે તેમ તેમ ટેક્નોલોજિઓ પણ વિકસતી જાય છે.  માસ્લોની જરૂરિયાતો ચડતી શ્રેણી જેમ છેક ટોચ પર સ્વ-યથાર્થીકરણ તરફ દોરી જાય છે તેમ જીવશાસ્ત્રી અને દાર્શનિક, જુલિયન હક્ષલી માને છે કે માનવી અસ્થાયી સંતોષ તરફથી સ્થાયી સંતોષની સ્થિતિ તરફ વહે છે. એ સફરમાં તે એક એક તબક્કો પસાર કરતાં કરતાં આખરે સંપૂર્ણ અને શાશ્વત પરિપૂર્ણતાની કક્ષાએ પહોંચે છે.સ્વામી રંગનાથાનન્દ આ સફરને 'અનેક ઉંચાઈનોને સર કરવાનું' સાહસ કહે છે અને તેમાં સક્રિય લોકોને 'યાત્રાળુઓની મહાન કતાર' કહે છે. …. તમે કંઈ જતું કરો છો કેમકે બદલામાં તમને કંઈ વધારે સારૂં, વધારે મૂલ્યવાન મળે છે, જે આધ્યાત્મિક અનુભૂતિનાં સર્વોચ્ચ સ્તરે પહોંચે છે.'

માનવતાની પૂર્ણતાની ખોજની સાથે સાથે ભવિષ્યની ટેક્નોલોજિઓ વધારેને વધારે અત્યાધુનિક થતી જશે. એક તરફ અસમાનતાઓમાં ઘટાડો થશે તો બીજી તરફ અન્યાયોનાં નવાં નવાં સ્વરૂપો પણ દેખાવા માડશે. આપણે એક બધાં સાથે વધારે અટપટી રીતે જોડાયેલાં હશું એટલે આ અન્યાયોની અસર વધારે ઝડપી અને વધારે ઉગ્ર નીવડશે.

સંપૂર્ણ સુખાકારીમય સ્વતંત્રતા અને સમાનતા મેળવવાં એ આપણો જન્મસિદ્ધ હક્ક છે. સ્વામી વિવેકાનંદ ભારપૂર્વક જણાવે છે કે,'માત્ર સ્વ વિશેનાં જ્ઞાન વડે જ આ શક્ય છે. સર્વાંગ સુખાકારી મેળવવાના બીજા બધા પ્રયાસો શુભાશયી હોવા છતાં અલ્પજીવી હશે.'

અર્થપૂર્ણ, અને પરિણામે શાશ્વત આનંદનું, જીવન પ્રાપ્ત કરવા આપણા પ્રયાસોની સફળતાનો આધાર માત્ર સ્વાર્થને ત્યજીને સંપૂર્ણ સુખાકારીના સ્રોત ભણી આગળ વધવાના આપણા અનુભવોને આપણે કેટલા શુદ્ધ કરી શકીશું તેના પર છે. 

આપણી સમસ્યાઓના કાયમી અંતની જે થોડી ઘણી પણ શક્યતા છે તે ઇન્ટરનેટનાં હાલનાં વ્યાપક અને સમાવેશી સ્વરૂપ દ્વારા આપણી આંતરિક સહજ વૃત્તિ અને બાહ્ય પ્રકૃતિ સમજવા માટે જરૂરી  એવી જિજ્ઞાસા પેદા કરે એવાં વ્યાપક અને સમાવેશી થવામાં અને અને આંતરિક 'વૈભવ'ને અલગતાને કાયમ માટે નષ્ટ કરવામાં રહેલ છે.

વધારાનું વાંચન:

Man’s Search of Meaning[2] - Victor E. Frankl - ફ્રોઈડની 'સુખ માટેની ઈચ્છાપૂર્તિ' કે ઍડ્લરની 'પ્રભાવ માટેની ઈચ્છાપૂર્તિ'ની જેમ ફ્રેક્લનું ધ્યાન માનવીના પ્રેરણા બળ તરીકે 'અર્થપૂર્તિની ઈચ્છા' પર કેન્દ્રીત થાય છે.

4 Keys to your life's meaning - Dr. Viktor Frankl

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Data Storage And Analysis -  વિશાળ માહિતીસામગગ્રી (big data) જવાબદારી પણ સાથે સાથે જ લાવે છે. એ વિશેના પડકારો ઝીલવા માટે ગુણવત્તા વ્યાવસાયિકો પાસે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પણ છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Organizations Need Committed People to Succeed - સ્પષ્ટ વાત તો એ છે કે જ્યારે સંસ્થામાં
    પરિવર્તનો થતાં હોય ત્યારે જો કોઇ ફરીથી એ બાબતે કમર કસી ન શકે તો તેણે જે સંસ્થાની સંસ્કૃતિ સાથે પોતાનો સ્વભાવ મેળ ખાતો હોય ત્યાં જતાં રહેવું સારૂં. … આનો અર્થ એમ નથી કે તમે સંસ્થા પ્રત્યે આંધળી ભક્તિ સેવો. આ વિધાન કદાચ દંભી પણ લાગશે. જોકે 
    પરિવર્તનો થતાં હોય ત્યારે જો કોઇ ફરીથી એ બાબતે કમર કસી ન શકે તો તેણે જે સંસ્થાની સંસ્કૃતિ સાથે પોતાનો સ્વભાવ મેળ ખાતો હોય ત્યાં જતાં રહેવું સારૂં. … આનો અર્થ એમ નથી કે તમે સંસ્થા પ્રત્યે આંધળી ભક્તિ સેવો. આ વિધાન કદાચ દંભી પણ લાગશે. જોકે, કેટલાંક અગ્રણીઓ ઉભય તરફી વફાદારીનું મહત્ત્વ સમજે છે. … એ વાતે નવાઈ ન લાગે કે જે કર્મચારી સંસ્થાનાં નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ અને માન ધરાવે છે તે લોકો, મોટા ભાગે,વધારે સામર્થ્ય અનુભવે છે અને તેમનાં શ્રેષ્ઠ યોગદાન માટે આપોઆપ જ પ્રેરીત રહે છે – એ લોકો બહુ જ સંન્નિષ્ઠ માનવ શક્તિ નીવડે છે.…. જે સંસ્થાઓમાં ખુબ જ સંન્નિષ્ઠ કર્મચારીગણ હોય છે તે સામાન્યપણે તેમનાં હરીફો કરતાં સારી કામગીરી બતાવી શકે છે. જોકે, બદલામાં કર્મચારીને પણ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સ્વરૂપે બદલામાં કંઈ મળે તે ઈચ્છનીય પણ છે અને જરૂરી પણ છે. ... નિષ્ઠા તમારી જાતને, તમારાં કુટુંબને, તમારા મિત્રોને અને તમારી સંસ્થાને તમારા તરફથી મળતી એક બહુમૂલ્ય ભેટ છે. એ સંક્રામક પણ બની શકે છે ! સન્નિષ્ઠપણું તમારાં અને તમારી આસપાસનાં લોકોનાં જીવનને બહુ અર્થપૂર્ણ વળતર આપી શકે છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Prepare for the Worst, Hope for the Best - મંત્ર કવયિત્રી અને કર્મશીલ માયા એન્જુલુ અને વેચાણ નિષ્ણાત ઝિગ ઝિગ્લરે ગાજતો કરેલ છે. - તેનં ખુબ જ ઝીણવટભર્યાં સ્વરૂપમાં તે વ્યક્તિત્વને અનાવૃત કરી નાખનાર,જ્ઞાન-પ્રક્રિયાત્મક, ઉપચાર છે. ... તત્વતઃ એ વિધાનનો સાર એ કે ગમે એટલું ખરાબ થાય તો પણ આપણને તે વિશે, કમસે કમ, ખબર તો હોય, એટલે તેની સાથે કેમ કામ પાર પાડવું તે માટે આપણે ઘણે અંશે તૈયાર રહી શકીએ છીએ.… અનાવૃત ઉપચાર એક કદમ આગળ ચાલે છે. જે પ્રવૃત્તિ કર્યા પહેલાં જ તેનાં પરિણામમાં ખોટું થશે કે કંઈક ઘાતક નીવડશે એવો ભય સતાવ્યા કરતો હોય તે પ્રવૃત્તિને બહુ જ નિયમન હેઠળ વારંવાર કરાવડાવીને એ ભયને વાસ્તવિકતામાં ફેરવી નાખવામાં આવે છે.  જેમ જેમ તે વારં વાર કરવાનો અનુભવ થતો જાય અને જેમ જેમ તેનાં પરિણામ ઘાતક નથી આવતાં એવો વિશ્વાસ બેસવા લાગે તેમ તેમ એ પ્રવૃત્તિ માટેનો આપણો અણગમો શાંત થવા લાગે છે. … વ્યક્તિઓ, વ્યાવસાયિક સંસ્થાઓ અને સરકારો જુદા જુદા આભાસી અભ્યાસો દ્વારા આ કામ કરે છે. તમે ધ્યાનથી યાદ કરશો તો કદાચ યાદ આવશે કે અજાણી ખુરશી પર બેસતાં પહેલાં આપણે ત્ને થોડી ચકાસી લેતાં હોઈએ છીએ, કે દરવાજાને તાળું માર્યા પછી બરાબર બંધ થયું છે કે નહીં તે તપાસવા તેને ખેંચી જોતાં હોઈએ છીએ. ...તૈયારીની આવી ચકાસણી બીજાં બધાં ક્ષેત્ર  કરતાં ઉત્પાદન ક્ષેત્રે, અને તેમાં પણ ગુણવત્તાની બાબતમાં તો ખાસ, કદાચ સૌથી વધારે પ્રયોજાતી જોવા મળે છે.... …. ગુણવત્તા પ્રક્રિયાઓ ઉત્પાદનો માટે માત્ર ભરોસો જ નથી વધારતી પણ તેનું ઉત્પાદન કરતી સંસ્થાઓની તંદુરસ્તી પણ વધારે છે. ..  જોખમની સાથે કામ લેવાને વધારે સરળ બનાવતી અનેક પ્રક્રિયાઓ પૈકી એક લીન ઉત્પાદન છે. … જેનેવીવ ડિસિંગના લેખ Why Lean Principles Stand the Test of Time ની મુલાકત લેવાથી તેના વિશે વધારે જાણી શકાશે.


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


              



[1] Chaos: The science of butterfly effect



[2] 



No comments: