Saturday, January 30, 2016

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૭ :



રાહી (૧૯૫૩), માન (૧૯૫૪), નાઝ (૧૯૫૪)
રાહી (૧૯૫૩) - દેવ આનંદ, નલીની જયવંત, બલરાજ સાહની - ખ્વાજા અહમદ અબ્બાસે પ્રોડ્યુસ અને ડીરેક્ટ કરેલ ફિલ્મ છે. ફિલ્મ મુલ્ક રાજ આનંદની આસામના ચાના બગીચાઓનાં પશ્ચાદભૂ પર લખાયેલ નવલકથા - “Two Leaves and a Bud” પરથી પ્રેરિત હતી. ફિલ્મનો સમયકાળ ૧૯૪૫નાં આસામનો છે. આ ફિલ્મ અંગ્રેજીમાં ‘The Wayfarer’ નામે પણ બનાવાઈ હતી.

તે પછી ૧૯૫૪માં અનિલ બિશ્વાસનાં સંગીતમાં ‘માન’ અને ‘નાઝ’ એમ બે ફિલ્મો આવી.

'માન'માં મુખ્ય કલાકારો ચિત્રા, ગજાનન જાગીરદાર, કુમાર અને અચલા સચદેવ હતાં.

'નાઝ'માં અશોક કુમાર અને નલીની જયવંત મુખ્ય ભૂમિકામાં છે.
 
રાહી (૧૯૫૩) - પ્રેમ ધવન

એક કલી દો પતિયાં, જાને સબ હમારી બતીયાં
- હેમંત કુમાર, મીના કપુર અને સાથીઓ સાથે 
આ ગીત ફિલ્મમાં ' થીમ સોંગ તરીકે ચાર જૂદી જૂદી રીતે રજૂ થતું રહ્યું છે.

ઓ જાનેવાલે રાહી રૂક જાના જાના

આ ગીતને આપણે મોટા ભાગે ધીમી લયમાં [@5.52 ]જ સાંભળ્યું છે. પ્રસ્તુત વિડીઓ ક્લિપમાં સુધી ગીત પૂર્વાલાપ તરીકે (1.30 સુધી) એક અનોખું વાતાવરણ જમાવે છે અને તે પછી તરત જ દ્રુત લયમાં નવા જ અંદાજમાં નાયિકાના ભાવને રજૂ કરે છે. @11.12 પર ગીતના, અને ફિલ્મના, અંતમાં પણ આલાપની શૈલીનો પ્રયોગ કરાયો છે. 


 'માન' (૧૯૫૪)
અલ્લાહ ભી હૈ મલાહ ભી હૈ - કૈફ ભોપાલી

યેહ પહાડ રૌંદ ડાલે....કહ દો કે મોહબ્બતસે ન ટકરાયે ઝમાના - કૈફ ભોપાલી


ફૈલી હૈ આજ યે ખબર ફૂલોંકી ઝબાની, આઈ હૈ જવાની - કૈફ ભોપાલી


ગુઝરા હુઆ ઉલ્ફતકા ઝમાના - સરદાર 'આહ' 


મેરે પ્યારમેં તુઝે ક્યા મિલા, મેરે દેવતા મૂઝે ભૂલ જા - રાજા મહેંદી અલી ખાન 


                                               'નાઝ' (૧૯૫૪) 
 
અય દિલ દુખડા કિસે સુનાયેં, જિસ ડાલી પે બૈઠે વહી ટૂટી - કિદાર શર્મા 

આખોંમેં દિલ હૈ, હોઠોં પે જાન, તુમ કહાં હો તુમ કહાં - સત્યેન્દ્ર અથૈયા 


ઝિલમિલ સિતારોં તલે, મેરા દામન થામ લે - સત્યેન્દ્ર અથૈયા


કટતી હૈ અબ તો ઝિંદગી, મરને કે ઈંતઝારમેં - પ્રેમ ધવન 


મૈં હૂં એક ઉઝડા હૂઆ આશિયાં, એક મિટતા હૂઆ નિશાન - પ્રેમ ધવન



આ બે ફિલ્મોનાં ગીતો સાંભળીને કદાચ એવું અનુભવાય કે લતા મંગેશકરના સ્વરની કુદરતી ખૂબીઓનો પૂરેપૂરો લાભ ઉઠાવે તેવી ધૂનો બનાવવામાં અનિલ બિશ્વાસની રચનાઓ કંઇક અંશે સુગેય ન હોય. સમાંતરે '૪૦ના દાયકાના અંતમાં, લતા મંગેશકરના ઉદય સાથે ફિલ્મ જગતમાં પ્રવેશેલા સંગીતકારો હવે વધારે પ્રચલિત થવા લાગ્યા હતા.

અનિલ બિશ્વાસની હિંદી ફિલ્મની સફરમાં આવતે મહિને આપણે તેમની ૧૯૫૬ અને ૧૯૫૭ની ફિલ્મોમાં તેમણે રચેલાં લતા મંગેશકરનાં ગીતો સાંભળીશું.
 

No comments: