Sunday, April 17, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - એપ્રિલ ૨૦૨૨

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  એપ્રિલ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

આ મહિને પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી સ્વામી સત્યમયાનંદના લેખ, ઉપનિષદ અનુસાર ગાઢ નિદ્રાની સમજણ / Understanding deep sleep according to Upanishads, પસંદ કરેલ છે.

અહીં પ્રસ્તુત છે એ લેખનો સંક્ષિપ્ત અંશ:

આપણી ઊંઘ અને જાગતા રહેવાનાં ચક્ર સામાન્યપણે જૈવિક ઘડિયાળ તરીકે કે તકનીકી રીતે સિર્કેડિયન રિધમ તરીકે ઓળખાતી બહુ જટિલ શારીરિક અને ચેતાકીય પ્રક્રિયા દ્વારા નિયમન થાય છે. જૂના સમયમાં ઊંઘી જવું એ નિદ્રા મંદિરમાં જવા બરાબર ગણાતું.પરંતુ રોજબરોજની પ્રવૃત્તિઓનાં ડિજિટલાઈઝેશનના અતિરેકને કારણે માનવ જાત અને તેની સાથે સંકળાયેલ દરેક સજીવ પ્રાણીઓની સિર્કેડિયન રિધમ ખોરવાઈ ગઈ છે.

ઊંઘની ઊણપને કારણે આ પ્રકારના રોગો /સ્થિતિઓ પેદા થાય છે :

     i.      ધ્યાન, પ્રજ્ઞા, લાગણીઓ, સમજશક્તિ અને યાદોનું નકારાત્મકતા તરફ વળવું.

    ii.      ઉદાસીનતા અને ચિંતા

   iii.      પાચક રસોની લય ખોરવાઈ જવાથી વધતી મેદસ્વિતા

   iv.       હૃદય રોગો

    v.      મધુપ્રમેહ

   vi.       ઘટતી જતિ રોગ પ્રતિકાર શક્તિ

  vii.      સ્વયંપ્રતિરક્ષા રોગોમાં વધારો

 viii.      ત્વચાનું કવયે વૃદ્ધ થવું

જેમ જેમ અંધારૂં થવા લાગે છે તેમ તેમ શરીરમાં પીનીલ ગ્રંથિમાં મેલાટોનિન ઝરવા લાગે છે, જે ઊંઘના ચક્રની શરૂઆત બતાવે છે. કોઈ પણ સરેરાશ તંદુરસ્તી ધરાવતી વ્યક્તિ, વધતી ઘટતી રહેતી સમય મર્યાદાનાં,  નિદ્રાના છ ચક્રમાંથી પસાર થાય છે.



ડેલ્ટા સ્લીપ, કે મંદ-તરંગ નિદ્રા તરીકે ઓળખાતાં ત્રીજાં ચક્ર દરમ્યાન આંખની અંદરની, પોપચાંની, સ્વયંસંચાલિતત હલચલ ધીમી પડે છે (Non-Rapid Eye Movement, NREM), જે ગાઢ નિદ્રામાં પરિણમે છે. નિદ્રાનો આ તબક્કો આરોગ્ય સંવર્ધક બની રહે છે. ઊંઘના આ તબક્કામાંથી કોઈને પણ જગાડવું ખુબ મુશ્કેલ બની રહેતું હોય છે.



આ સ્થિતિમાં, માનસિક રીતે આપણો અહં પણ સુષુપ્ત બની જાય છે, જણે કે આપણે આપણી ઓળખ જ બાજુએ મુકી દીધી હોય. જ્યારે વ્યક્તિની ઓળખ ઓગળી જાય છે ત્યારે નિર્ભેળ આનંદની સ્થિતિ પ્રવર્તે છે. આપણાં પુરાણોમાં આ સ્થિતિને નિત્ય પ્રલય, દરરોજનું વિલયન - ભાવકાર્યોનો વિલોપ - કહે છે.

આપણે જેટલું વધારે શાંતિમય સ્થિતિમાં ઊંઘશું, એટલી વધારે શક્યતા  આપણી અજ્ઞાન અવસ્થાની નિદ્રામાંથી જાગૃત થવાની રહે છે, જે આપણને આપણા શાશ્વતપણે મુક્ત સ્વભાવની ઓળખ કરાવે છે. 

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Rise of Remote Audits - શેરોંદા જેફ્રીસ આજના વૃતાંતમાં રિમોટ અને સ્થળ પરનાં ઑડીટ વચ્ચેની સમાનતાઓ અને તફાવતો દર્શાવે છે.
    • The Changing Role of Remote Audits and Additional Resources - શેરોંદા જેફ્રીસ હવે ૨૦૧૯માં રિમોટ ઑડીટની ભૂમિકા કેમ વિકસી, તે માટે શું સંસાધનો જોઈએ અને તેમનો શી રીતે ઉપયોગ કરવો તેમજ રિમોટ ઑડિટનાં ભવિષ્યની ચર્ચા કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Regrets આપણે આપણા નિર્ણયો બીજી રીતે કરી શક્યાં હોત એવી લાગણીઓને આપણે દિલગીરી તરીકેઓળખીએ છીએ.…નિર્ણયનાં પરિણામ ક્યાંક અવળી રીતે જણાય કે કોઈ નકારાત્મ્ક પરિસ્થિતિ સર્જી શકે. એટલે ઓળખીએ છીએ.…નિર્ણયનાં પરિણામ ક્યાંક અવળી રીતે જણાય કે કોઈ નકારાત્મ્ક પરિસ્થિતિ સર્જી શકે. એટલે , દિલગીરી આપણી ભૂલો માટેનો ખેદ છે. …. દિલગીરીગ્રસ્ત લાગણીઓ અત્યંત નકારાત્મક ઉર્જા પેદા કરે છે. જો આપણે ધારીએ તો એ ઉર્જાને આપણે વધારે ઉત્પાદક દિશામાં પણ વાળી શકીએ.… એટલે કે, ભૂલ તો થઈ ગઈ, હવે આપણે તેમાંથી પાઠ શીખવાનો છે. એમ કરવાથી આપણી એ દિલગીરી હવે પછી એ ભૂલ ન દોહરાવવાતી સ્મૃતિસુચનામાં ફેરવી નાખી શકીએ.… દીલગીરીઓ એવી અફર હકીકતો છે  જેને અવગણી કે નકારી ન શકાય. એ હકીકતોનો આપણે નવી સિદ્ધિઓ સર કરવામાં સદુપયોગ કરવો જોઈએ. 

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • From Every Theory in Moderation? – or Firing the Silver Bullet? – વાસ્તવિક જિંદગી એટલે દરેક બાબતનો એક જવાબની ખોજ, રૂપેરી ગોળી તાકવાની ખરેખરી તક. ખરો મુદ્દો એ છે કે જે જવાબની આપણને તલાશ છે એવી કોઈ પણ પરિસ્થિતિને સમજવા આપણે કયાં સુચકો પસંદ કરી છીએ …. સમધોરણતા કે અસામાન્યતાથી પાર, સવાલનાં મૂળમાં 'સૂચકો' - અને તેમનો અસરકારક અને સાચો ઉપયોગ - રહેલ છે. ગુણવત્તાની બાબતમાં પણ આ જ લાગુ પડે છે. લેખકો ઈવ્સ વન નોલાન અને ગ્રેસ ડફ્ફી લખે છે તેમ, “ઘણાં લોકો વ્યાપારઉદ્યોગો કે પ્રક્રિયા સંચાલન માટેનાં મહત્ત્વનાં સાધન તરીકે KPIs (key performance indicators)નું મહત્ત્વ ઓછું આંકે છે. પરંતુ KPI વાપરવાથી સંચાલકોને યથોચિત નિર્ણયો લેવામાં મદદ જરૂર મળે છે. જોકે  જે રીતે KPIનો ઉપયોગ થતો રહ્યો છે તેમાં બહુ જ કચાશ રહી જતી હોય છે.”


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: