Sunday, March 20, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - માર્ચ ૨૦૨૨

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  માર્ચ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

આ મહિને પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી સ્વામી આત્મપ્રિયનંદ ના લેખ, ડિજિટલ યુગની જ્ઞાન ક્રાન્તિ - ચાર રસ્તે પહોંચેલું માનવ જ્ઞાન / Knowledge Revolution in the Digital Age – Human Knowledge at Crossroads, પસંદ કરેલ છે.

અહીં પ્રસ્તુત છે એ લેખનો સંક્ષિપ્ત અંશ:

ડિજિટલ યુગના આરંભે માનવ જ્ઞાનની સીમાઓ તૂટી રહી છે કેમકે જે ભાષાથી માનવ જ્ઞાન રજુ થતું હતું તેની બાંધણી તૂટીને તેનુ ડિજિટલકરણ થવા લાગ્યું છે. આ સંક્રાતિકરણે '૬૦  પહેલાંની, '૬૦ થી '૭૦ની ('એક્સ' પેઢી) , '૮૦થી '૯૦ વચ્ચેની ('વાય' પેઢી), '૯૦થી સદીના અંત સુધીની ('ઝેડ' પેઢી) અને એકવીસમી સદીની ('આલ્ફા') પેઢી સહિત દરેક પેઢીઓ  પર અલગ અલગ અસરો કરી છે. દેખીતી રીતે જ '૯૦ પછીની પેઢીએ ડિજિટલ  યુગમાં 'કામ' અને 'ઇન્ટરનેટ' સાથે સંકલિત રીતે કામ કરી શકવા માટેની ક્ષમતાઓ વિકસાવી લીધી છે. આ માટેનાં તકનીકી કૌશલ કરતાં સંકુલ સમયાઓનું માનવીય ધોરણે સમાધાન કરવાનું કળાકૌશલ્ય મેળવવું વધારે જરૂરી છે. તત્ત્વતઃ, આમ કરી શકવા માટે વ્યાવસાયિક કોશલ્યની  નિર્ણયો કરી શકવાની તીવ્ર ઈચ્છાશક્તિ અને વ્યક્તિગત વિનમ્રતાની સમજાવટભરી મૃદુતાનાં વિરોધાભાસી મિશ્રણની જરૂર મહત્ત્વની બની રહે છે. [1]

ડિજિટલ યુગમાં અનેક વિધ પ્રજ્ઞા પર મુકાતો ભાર હિંદુ પ્રાચીન સંસ્કૃતિની પંચ કોશ વિભાવના સાથે એકરૂપ થતો જણાય છે. એ પંચ કોશ - પાંચ પડ છે - અન્નમય (ખોરાક), પ્રાણમય (શ્વાસ દ્વાર મળતી ઉર્જા), મનોમય (મન), વિજ્ઞાનમય (તર્ક બુદ્ધિ),અને આનંદમય (સ્વર્ગીય સુખ). આ દરેક કોશને પોતાની ચેતના (પ્રજ્ઞા) હોય છે.


ડિજિટલ યુગનાં જ્ઞાને જ્ઞાન અને કર્મના બે પ્રવાહોનો સંગમ કરી નાખ્યો છે. આંતરશાખાકીય અને અન્યશાખાકીય અભિગમોએ પ્રાચીન ઋષિઓનાં અખંડ અદ્વૈત દર્શનમાં પણ ફરીથી રસ પેદા કર્યો છે. તે સાથે ઉપનિષદમાં પ્રસ્થાપિત થયેલ પાર વિદ્યા (ઉચ્ચ જ્ઞાન) અને અપાર વિદ્યા (નીચલાં સ્તરનાં જ્ઞાનમાં પણ રસ પેદા કર્યો છે. આ બન્ને કક્ષાની વિદ્યાઓની જરૂરિયાત એકસમાન છે અને બન્નેને એકસરખી વિકસાવવી આવશ્યક છે. આ વિચારબીજ જ્ઞાનવિચરત (knowmad) [2]  વ્યક્તિમાં જોવા મળે છે જે અતિઅભ્યાસી (nerd)અને ડિજિટલ તકનીક કીડો (geek)ની એકીકૃત આવૃત્તિ છે.'નોમૅડ' એ જ્ઞાન પરિશ્રમિક (knowledge worker) અને જ્ઞાનપિપાસુ  (knowledge seekers)થી અલગ જ પ્રજાતિ છે. એ લોકો નિર્બાધ, અપ્રબંધિત, મુક્ત અને ખુલ્લાં હોય છે. એ લોકોએ વણખાયેલા માર્ગો પર વિચરવાનાં કૌશલ્યને વિકસાવેલ હોય  છે અને તેમને વણખેડાયેલ માર્ગો પર સફર કરવામાં અનેરો આનંદ પણ આવતો હોય છે. તેમના વિચારોનું પ્રવેશસામર્થ્ય અને અનુકૂલનશીલતા તેમ જ પથદર્શન (નિર્ણય-શક્તિ)અને કાર્યવાહીઓની સરળતા એ ડિજિટલ યુગની ક્રાંતિકારી નિપજ છે.



નોમૅડ માટે (વ્યાવસાયિક) કામ – Job - એ માત્ર એક રોજગાર છે, જ્યારે કાર્ય (કર્મ) – Work - લાંબા અરસામાં થતી કામગીરી છે જેનો સંબંધ અર્થપૂર્ણ પરિણામો સર્જવા સાથે છે. એટલે એ લોકો માટે કાર્ય (કર્મ) અને રોજગાર /કારકિર્દી એ બન્ને અલગ બાબતો છે. વ્યક્તિગત જ્ઞાન માહિતી તરીકે જોવા મળતાં સુસ્પષ્ટપણે વ્યકત થતાં ઘટક અને અનુભવ અને પ્રયોગો દ્વારા મેળવેલ અવ્યક્ત સૂચિત ઘટકનાં સ્વરૂપે હોય છે. સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે નોમૅડે સતત શીખતાં, શીખેલું ભુલતાં અને જે જાણે છે તેને કટાઈ ન જાય તેમ સાફ કરતાં રહેવું જરૂરી છે. સંસ્થાઓએ નોમૅડને પ્રેરણા મળતી રહે એ રીતની વિકસતી રહેતી જ્ઞાન સાનુકુળ પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થા વિકાતી રહે એવું વાતારવણ પુરૂં પાડવું પડે.

એ માટે, નોમૅડ સમાજ વ્યવસ્થામાં નવા પ્રકારની વિચારસરણી આવશ્યક બને છે જે દરેક હિતધારકમાં, વ્યક્તિગ્ત, સંસ્થાગત તેમ જ નીતિગત કક્ષાએ, આગવાં નેતૃત્વને ખીલવે. આ માટે નોમૅડને માત્ર સહાયક દૃષ્ટિકોણ જ નહીં પણ સંસ્કૃતિનાં સ્તરે મૂળભુત રૂપાંતરણ જોઈએ છે જે વ્યક્તિગ્ત જ્ઞાનને પ્રબળ સામાજિક સાનુકુળતા વડે એ રીતે અથપૂર્ણ ઉપયોગમાં લે કે દરેક વ્યક્તિ પોતાની બધી જ સંભવિત શક્તિઓને નિષ્ફળતાના ડર વિના મહત્તમ સ્તરે ખીલવી શકે.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Quality Professional's Changing Workplace - પ્રસ્તુત વૃતાંતમાં મહામારી અને ડીજિટલ રૂપાંતરણે ગુણવત્તા વ્યાવસાયિકનાં કાર્યસ્થળને કેવું બદલી નાખ્યું છે તે તપાસાયું છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

  • Change Reality- તમે જે ધારો અને સ્વીકારો એ વાસ્તવિકતા છે. તમે જે રીતે  જીવવાનું નક્કી કરો તે રીતે જીવન વહે છે. એટલે જો એ તમારી અપેક્ષાઓ પ્રમાણે ન હોય તો, જરૂરી સમાયોજન કરો  …. જે કંઈ જેમ છે તેમ સ્વીકારી લો. દુનિયા જેવી છે તેવી જ હતી અને રહેશે, તમારી અપેક્ષાઓ અને કામ એ વાસ્તવિકતા મુજબ બદલો. … દરેક પળે, દરેક પરિસ્થિતિમાંતમારાથી બની શકે તેવું અને તેટલું  શ્રેષ્ઠ પ્રદાન કરો. ધીમે ધીમે તમારી આસપાસની વાસ્તવિકતા તમારી પોતાની, નવી, વાસ્તવિકતા બનતી જશે. એવું કેટલું ઝડપથી શક્ય બની શકે તે માટે ઘણાં પરિબળો કારણભૂત બની શકે છે, જેમાંનાં ઘણાં તમારા કાબુમાં હોઈ શકે છે. તમારી આજથી જ આવતીકાલની વાસ્તવિકતાને સિદ્ધ કરવાનું શરૂ કરી દો. તમારી અંદર કેટલું બધું છુપાયેલું પડ્યું છે તે તે મારે જાતે જ ખોળી કાઢવાનું અને નક્કી કરવાનું છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Environmental Influencesસભાન પ્રયાસ કે સ્વાભાવિક પ્રક્રિયા માનવ જીવનના પ્રવેગોનું કારણ બની શકે છે. તે સકારાત્મક કે નકારાત્મક સ્વરૂપે પરિણમી શકે છે અને આપણી દુનિયામાં, કે નાનાં સ્તરે સમાજમાં, સમગ્રપણે બની રહેલી ઘટનાઓનું એક બહુ જ સુક્ષ્મ ઘટક જ હોય છે.…. પરંતુ એ માણસનાં ઝડપથી પરિવર્તન કરી કાઢવાનાં સ્વાભાવિક વલણ સ્વરૂપ ખાળી ન શકાય એવાં બળ અને કુદરતની પોતાની રીતે જ, પારિસ્થિતિકી તંત્રને શક્ય હોય તેટલો અનુકૂલન સમય મળી રહે તે રીતે પર્યાવર્ણીય ફેરફારો વિકસાવવાના ક્રમની ખસેડી ન શકાય તેવી વસ્તુ વચ્ચેનું રાજવી યુદ્ધ તો બની જ રહેતું હોય છે.


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


No comments: