Sunday, March 6, 2022

સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો : ૧૮ ફિલ્મોનો સંગાથ : એન દત્તા સાથે

સાહિર લુધિયાનવીને, વ્યક્તિ તરીકે (દેખીતી રીતે), કવિ તરીકે કે ગીતકાર  તરીકે દુનિયાએ તેમની કડવાશ (તલ્ખિ), તેમના ચોક્કસ ગમા-અણગમા, તેમના અહં, તેમની તેજાબી વાણી કે ગીતમાં બોલનું મહત્ત્વ જેવી બાબતો વિશેની બહુ સ્પષ્ટ માન્યતાની નજરે જ જોયા. તેમનાં વ્યક્તિત્વના આ સહજ પાસાંઓને કારણે કદાચ વ્યાવસયિક બાબતોમાં તેમ ઘણી બાબતોમાં અળખામણા પડી જતા મનાયા છે.  તેમનાં વ્યક્તિત્વનાં આવાં અમુક ધારદાર પાસંઓને કારણે કદાચ ઓ પી નય્યર જેવા એટલા જ ચોક્કસ વિચારસરણી ધરાવતા સંગીતકાર સાથે તેમના સંબંધ લાંબું નહીં ટક્યા હોય. પણ તો પછી સુરાવલીને જ પ્રાધાન્ય આપતા એસ ડી બર્મન સાથેની તેમની આટલી સળંગ, સફળ અને કાલાતીત ઈનિંગ્સ માટે શું કારણ અપાશે? રોશન, એન દત્તા કે રવિ સાથેનાં સાહિર લુધિયાનવીના સંગાથને ટાંકીને એમ કહેતો એવો એક વર્ગ  પણ રહ્યો છે જે એવું માનતો રહ્યો કે સંગીતની જાણકારી વિશે ગુણી પણ બાકી 'નરમ' સ્વભાવવાળા સંગીતકારો સાથે સાહિરને વધારે બનતું.

વિવાદોને બાજુએ રાખો કે ન રાખો, એન દત્તા (મૂળ નામ દત્તારામ બાબુરાવ નાઈક - જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૨૭ - અવસાન ૩૦ ડિસેમ્બર ૧૯૮૭) અને સાહિર લુધિયાનવીનો (વ્યાવસાયિક) સંગાથ અનેક દૃષ્ટિએ અનોખો હતો એ વિશે તો કોઇ વિવાદ ન હોઈ શકે. ફિલ્મ સંગીતના ક્ષેત્રે પ્રવેશના સમયે થોડો સમય ગુલામ હૈદર સાથે કામ કર્યા બાદ એન દત્તા એસ ડી બર્મનના સહાયક તરીકે તેમની ટીમમાં જોડાયા. જાલ (૧૯૫૨)નાં નિર્માણ સમયે તેમનો સંપર્ક રાજ ખોસલા સાથે થયો. રાજ ખોસલાએ જ્યારે સ્વતંત્ર દિગ્દર્શક તરીકે સૌ પહેલી ફિલ્મ 'મિલાપ' - યે બહારોંકા સમા ચાંદ તારોંકા યે સમા ખો ન જાયે કહીં આ ભી જા -(૧૯૫૫)ની બાગડોર સંભાળી ત્યારે તેમણે એન દત્તાને યાદ કર્યા અને સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને તક આપી. ફિલ્મ તો ખાસ ન ચાલી, પણ એ જ વર્ષે જી પી સિપ્પી નિર્મિત આવેલી 'મરીન ડ્રાઈવ' (અબ વો કરમ કે સિતમ મૈં નશેમેં હૂં) અને તે પછીની 'ચંદ્રકાંતા'  -મૈંને ચાંદ ઔર સિતારોંકી તમના કી થી - (૧૯૫૬)ની સફળતાએ એન દત્તાનું સ્થાન જરૂર બનાવી આપ્યું.


એટલે, જ્યારે બી આર ચોપડા તેમની નવી ફિલ્મ સાધના (૧૯૫૮)નું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે એસ ડી બર્મન અને ઓ પી નય્યરથી વિખૂટા પડી ચુકેલા સાહિર લુધિયાનવીએ એન દતાની ભલામ્ણ કરી. મનમાં ધરબાઈ રહેલ વિદ્રોહના ભાવને અનુરૂપ માર્દવ સાથે રજુ કરતાં ઔરતને જનમ દિયા મરદોંકો અને વિરહની તડપને વ્યકત કરતાં સંભલ અય દિલ તડપને ઔર તડપાને સે ક્યા હોગા ના રૂપમાં  એન દત્તાએ પણ એ વિશ્વાસને વધુ ગાઢ બનાવ્યો.  લગભગ બધા વિવેચકો અને ઇતિહાસકારો એકમત છે કે સાહિર લુધિયાનવી અને એન દતાનો સંગાથ બી આર ફિલ્મ્સની પછીની ફિલ્મ 'ધૂલકા ફૂલ' (૧૯૫૯) જેવી એ સમય માટે ક્રાંતિકારી વિષય સાથે બનેલી ફિલ્મનાં તેરે પ્યારકા આશરા ચાહતા હું, ઝુકતી ઘટા ગાતી હવા સપને જગાયે, દામનમેં દાગ લગા બૈઠે, કે તુ હિંદુ બનેગા ન મસલમાન બનેગા જેવાં શ્રેષ્ઠ ગીતોની સફળતાના રૂપમાં સર્વોત્તમ ઊંચાઈને આંબી રહ્યો. બી આર ફિલ્મ્સની તે પછીની જ ફિલ્મ ધર્મપુત્ર (૧૯૬૧)માં પણ આ જોડીનો જાદુ મહેન્દ્ર કપૂરનાં શ્રેષ્ઠ ગીતોમાં ગણના પામતાં રાગ બિલાવલ થાટનાં ભુલ સકતા હૈ ભલા કૌન યે પ્યારી આંખેં અને આજ કી રાત નહીં શીક઼વે શિક઼ાયત કે લિયે કે મનમાં ઘુંટાતાં દર્દને સંકોરતાં મૈં જબ ભી અકેલી હોતી હું જેવાં ગીતો દ્વારા પ્રસરી રહ્યો. 

બી આર ફિલ્મ્સમાં જ્યારે હવે એન દતાનું સ્થાન પણ કાયમી બની ચુક્યું હતું ત્યારે બી આર ફિલ્મ્સની નવી ફિલ્મ 'ગુમરાહ' (૧૯૬૩) પહેલાં જ એન દતાને, માત્ર છત્રીસ વર્ષની ઉમરે, હૃદય રોગનો હુમલો આવ્યો. એમાથી એ બહાર તો આવ્યા પણ તેમણે માત્ર બી આર ફિલ્મ્સ્નું તેમનું સ્થાન જ નહીં પણ પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધાં હતા. કારકિર્દીની ગાડી પાટા પરથી સાવ ઉતરી  ન જાય એટલે એન દત્તા બી ગ્રેડની દિલ્મો પણ સ્વીકારતા રહ્યા. એ સમયે સાહિર તો તેમની કારકિર્દીની ટોચ પર હતા , તેમ છતાં એન દતાનો સાથ તેમણે આવી બી ગ્રેડની ફિલ્મોમાં પણ એટલી જ નિષ્ઠાથી નિભાવ્યો.  એક તરફ, ૧૯૬૪માં તલત મહમૂદનો સિતારો અસ્તાચળ ભણી હતો ત્યારે એન દત્તાએ તલત મહમૂદનાં શ્રેષ્ઠતમ ગીતોમાં સ્થાન પામતું અશ્કોંને જો પાયા હિ વો ગીતોને દિયા હૈ (ચાંદી કી દિવાર) રચ્યું, તો બીજી તરફ છેક ૧૯૭૦માં પણ પોંછ કર અશ્ક઼ અપની આંખોંસે મુસ્કરાઓ તો કોઈ બાત બને (નયા રાસ્તા) આપ્યું. આ સમયમાં એન દતાએ જાં નિસ્સાર અખ્તર અને મજરૂહ સુલાતનપુરી સાથે પણ વિવિધ ભાવોની યાદગાર રચનાઓ આપી. આમ એન દત્તાનું હીર તો આ ફિલ્મોમાં પણ ઝળકતું જ રહ્યું. પણ હવે નસીબનો તેમને સાથ નહોતો. '૭૦ના દાયકાં તેમની પાસે બહુ જ પાંખુ કામ આવ્યું.   

એન દતાની રચનાઓમાં ખાસ ધ્યાન ખેંચે છે તેની પાશ્ચાત્ય વાદ્યો સાથેની રચનાઓ. કદાચ તેમના ગોવાની સંસ્કૃતિ સાથેનાં જોડાણને કારણે તેમની પાસેથી એ પ્રકારનાં ગીતો આગ્રહ પણ રખાતો હશે ! ખેર, પરંતુ એન દત્તાનાં ગીતોના આ પ્રકારમાં સાહિર લુધિયાનવી અને એન દત્તાના સંગાથનું એક અનોખું પરિમાણ જોઈ શકાય છે. સાહિર લુધિયાનવીએ અન્ય સંગીતકારો માટે પણ હળવા મિજાજનાં કે જરૂર પડ્યે ક્લબ નૃત્યો જેવાં પાશ્ચાત્ય સંગીત જેવાં ગીતો માટે ખુબ સહજતાથી બોલ તો લખ્યા છે, પરંતુ એન દત્તા સાથે રચાયેલાં આ પ્રકારનાં ગીતોમાં સાહિરની જે બાજુ ખુલે છે તે અનોખી છે.

આજના આ મણકા માટે એટલે જ સાહિર લુધિયાનવી-એન દત્તાના સંગાથની નીપજનાં લોકપ્રિય ગીતોનો ઉલ્લેખ જ કરીને બધું ધ્યાન ઓછાં જાણીતાં પણ બન્ને કલાકારોની આગવી  જ પ્રતિભા જોવા મળતી હોય એવાં પ્રેમાનુરાગનાં ગીતોની પસંદગી પર ભાર મુક્યો છે. તે સાથે એન દત્તાએ પ્રયોજેલા ગાયકોમાં પણ વધારેને વધારે ગાયકોનાં ગીતો પણ સમાવી લેવાનો પ્રયાસ કર્યો છે.

બચના ઝરા યે ઝમાના હૈ બુરા …. કભી મેરી ગલીમેં ન આના - મિલાપ (૧૯૫૫) - ગીતા દત્ત મોહમ્મદ રફી, સાથીઓ

મેરી ગલી મેં આનેવાલે

હો જાતે હૈં ગ઼મકે હવાલે

ઈન રાહોં સે જો ભી ગુઝરે

સોચ સમઝ કર દિલકો ઉછાલે

બડે બડે દિલ યહાં બને હૈં નિશાના

ચુપકે ચુપકે નૈન લડાના

નૈન લડા કર દિલ કો લુભાના

દિલકો લુભા કર પાસ બુલાના

પાસ બુલાકર ખુદ ઘબરાના

હો તેરા જવાબ નહીં

ખુદ ઘબરાકર આંખ ચુરાના

આંખ ચુરાકર દિલ કો જલાના

દિલકો જલાકર હોશ ભુલાના

હોશ ભુલાકર અરે મજનુ બનાના

ઈન લયલાઓંકા હૈ ખેલ પુરાના

શોખી સમજેં શર્મ-ઓ-હયાકો

દાવત સમજેં નાઝ અદાકો

ઈન દીવાનોં કા ક્યા કહના

આપ બુલાયેં અપની કજ઼ાકો

ઔર ફિર માંગે હમસે હરઝાના

મોહબ્બત યું ભી હોતી હૈ ….. તબીયત યું ભી આતી હૈ … મુસીબત યૂં ભી હોતી હૈ - મરીન ડ્રાઈવ (૧૯૫૫) - મોહમ્મદ રફી, આશા ભોસલે 

જો મિલતેં હૈં તો આપસમેં

નિગાહેં તક નહીં મિલતીં

અગર ચલતે હૈં તો કદમોંકો

રાહેં તક નહીં મિલતીં

મોહબ્બત પહલી પહલી હો

તો હાલત યૂં હી હોતી હૈ

કઈ ઐસે ભી મજનું હૈં

જો આહેં ભરતે રહતે હૈં

કોઈ ચાહે ના ચાહે

આપ યૂં હી મરતે રહતે હૈં

સમજ઼તે હૈં કે લયલાઓંમેં

શોહરત યૂં  ભી હોતી હૈ

જહાં દેખી ભોલી સુરત

મચલ જાતે હૈં દીવાને

વાહ

ઉઠાકર મુંહ

પહુંચ જાતે હૈં સર પર જૂતિયાં ખાને

શરારત હી શરારતમેં

હજ઼ામત યૂં ભી હોતી હૈ

મુઝકો લગા હૈ સાલ સોલવાં હાયે નહીં છેડના - ચંદ્રકાંતા (૧૯૫૬) - શમશાદ બેગમ

મૈં વો ડાલી હૂં કે જો

છૂને સે કુમ્હલાતી હૈ

ઐસી નઝરોંસે તબીયત મેરી

ઘબરાતી હૈ

છેડખાની મુઝે

ગૈરોંસે કહાં ભાતી હૈ

મૈં તો આઈના દેખું તો

હયા આતી હૈ

હાથાપાયી ન કરો

જાઓ જી રસ્તા છોડો

અપને જૈસી કિસીસે

શર્મસે નાતા જોડો

મૈં  હૂં ભોલી

મુઝે ક્યા ઈલ્મ ચાહત ક્યા હૈ

.. … …  ….. 

ઈશ્ક઼ કેહતે હૈ કિસે

ઔર મોહબ્બત ક્યા હૈ

ઓ ગુમ્બા રુમ્બા ગુમ્બા રુમ્બા ગેલો … કલકી બાત કલ તક છોડો આજ મઝા લે લો - લાઈટ હાઉસ (૧૯૫૯) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

તુઝે કસમ હૈ

.. ….. ….. …  .

ક્યા

જહાં કા ગમ હૈ

દિલવાલોંકો ઈસ મેલેમેં

મૌજ મના લો યારોં

કસ્ટમ વસ્ટમ કલ્ચર વલ્ચર

સબ કો ગોલી મારો

દિલવાલોંકે ઈસ મેલેમેં

મૌજ મના લો યારોં

…. ….. ….   …..

મુફત મિલે જબ દિલકી ગુડીયા

ફીર તકલીફ ક્યોં ઝેલો

નઝારેં હૈ જવાન

….. …. … 

તુ ગુમ હૈ કહાં

ખીલે ખીલે મુર્ઝા ન જાયે

યે ફુલોં કે ચેહરે

ઈન ફૂલોંકો ગુંથ કે પહનો

સર પર બાંધો સેહરે

  ….    …..  ….

દુનિયા તુમ સે ખેલ રહી હૈ

તુમ દુનિયાસે ખેલો

મઝા લે લો

ઐસે વૈસે ઠિકાનોં પે જાના બુરા હૈ …. બચ કે રહેનામેરી જાન ઝમાના બુરા હૈ , … …  દિલ લગાના બુરા હૈ - સાધના (૧૯૫૮) - લતા મંગેશકર

સાખી

જો હમમેં હૈ વો મતવાલી અદા

સબમેં નહીં હોતી 

મોહબ્બત સબમેં હોતી હૈ

વફા સબમેં નહીં હોતી

---

ઝુલ્ફ લહરાયે તો

ઝંઝીર ભી બન જાતી હૈ

આંખ શર્માયે તો

એક તીર ભી બન જાતી હૈ

દિલ લુભાનેકો જો

દિલદાર બના કરતે હૈં

દિલ ઉરા કર વહી

તલવાર બના કરતે હૈં

યે વો મહેફિલ હૈ જહાં

પ્યાર ભી લુટ જાતા હૈ

દિલ તો ક્યા ચીઝ હૈ

ઘર બાર ભી લુટ જાતા હૈ

… ….. …..

ઈસિલીયે તો કેહતી હું

ઐસે વૈસે ઠિકાનોં

પે જાના બુરા હૈ

તકકે હંસતે હૈં તો

મસ્તાના બના દેતે હૈં

ઔર

હંસકે તકતે હૈં તો

દીવાના બના દેતે હૈં

કોઈ નગમેમેં કોઈ

સાઝમેં ખો જાતા હૈ

ઇનસે જો બચતા હૈ

વો નાઝ મેં ખો જાતા હૈ

યું તો ગર્દનને લિપટ જાતી હૈં બાહેં ઈનકી

…… ….. ….. ….

દિલ નહીં જેબ પર હૈં નિગાહેં ઈનકી

ઈસિલીયે તો કેહતી હું

ઐસે વૈસે ઠિકાનોં

પે જાના બુરા હૈ

હમ સિતમ ઢાતે હૈં

બેદાદ કિયા કરતેં હૈં

દિલ લિયા કરતેં હૈં

ઔર દર્દ દિયા કરતેં હૈં

દર્દ લેના હો તો

મેહફિલ મેરી આબાદ કરો

વરના જાઓ જી

કિસી ઔર કા ઘર યાદ કરો

આજ જાઓગે તો કલ લૌટ કે ફિર આઓગે

…. ….. ….. ….. …..

હમ સા માશુક઼ ન દુનિયામેં કહીં પાઓગે

ઈસિલીયે તો કેહતી હું

ઐસે વૈસે ઠિકાનોં

પે જાના બુરા હૈ

જાતે જાતે ઈશારોંસે માર ગયી રે, મૈં તો ઐસે લફંગોસે હાર ગયી રે – ભાઈ બહેન (૧૯૫૯) - મોહમ્મદ રફી, ગીતા દત

બન સંવર કર જિન દમ ચલે

હો દેખનેવાલા દિલ કો મલે

છોડ પીછા

અર્રે મન જલે હો

પડ કિસી દૂસરે કે ગલે

સારે નખરે હૈં જાદુ ભરે

હાયે કોઈ કૈસે ના તુઝ પે મરે

ગાલીયાં દુંગી હટ જા પરે હો

મુઝકો ક્યા તુ જિયે યા મરે

ક્યું જલાતી હૈ ઈતના મુઝે

હાયે

હાય કિસકી તો બનના તુઝે

ચોર લે જાયે ચાહે મુઝે હો

પાસ આને ન દુંગી તુઝે હાયે

તેરે શે્હેરોંસે રાજા હમેં બન હી ભલે, વહાં ચૈન સે તો સોતે થે - નાચ ઘર (૧૯૫૯) - મોહમમ્દ રફી, લતા મંગેશકર

તુઝકો ભી દેખ લિયા

શેહેર ભી તેરા દેખા

જગમગાહટકી હર ઈક તહ મેં અંધેરા દેખા

ઐશ કરતેં હૈં તેરે શેહેર મેં દૌલતવાલે

ઔર ફાંકોકે સિતમ સેહતે હૈં મેહનતવાલેં

તેરે શેહેરોમેં ઝુબાન જૂઠી હૈં

દિલ ખોટે હૈં

બિલ્ડિંગ્સ ઊંચી હૈં

ઈન્સાન બહોત છોટે હૈં

શોર ઈતના હૈં કે દિલકી સદા ખો જાયે

ભીડ ઐસી હૈં કે ખુદ અપના પતા ખો જાયે

ઈશ્ક઼ વાલોંકો યહાં રસ્મ-એ-વફા યાદનહીં

હુસ્ન કો હુસ્નકી શર્મ ઔર હયા યાદ નહીં

જિસ્મ સે રૂહ કા હૈં બૈર તેરે શેહેરોં મેં

નઝર આતેં હૈં સભી ગૈર તેરે શેહેરોં મેં

રિમઝિમ રિમઝિમ સાવન બરસે .. તુમ્હરે મિલન કો જિયરા તરસે, છમ છમ છમ છમ પાયલ છનકે, બોલ સજન કૈસે નીકલું મૈં ઘરસે = દિલ્લી કા દાદા (૧૯૬૨) - મન્ના ડે, આશા ભોસલે

ચંચલ શીતલ પવન જ઼કોરે

વ્યાકુલ મનમેં  અગન લગાયે

ગરજ ગરજ કર કારે બદરવા

દેહકી સોયી પીર જગાયે

નૈન હટત નહીં તુમ્હરી ડગર સે

તુમ્હરે મિલન કો જિયરા તરસે

મોરે આંગનવા લાજ કા પહેરા

બંદ કિવડીયાં ખોલ ન પાઉં

ગીલી લકડીયાં બન બન સુલગું

મુખ સે કુછ ભી ન બોલ પાઉં

મર મર જાઉં જગ કે ડર સે

બોલ સજન કૈસે નીકલું મૈં ઘરસે

અય મેરે મહેરબાન અબ ન લે ઈમ્તિહાન, હમ ભી તેરે હુયે, દિલ ભી તેરા હુઆ અબ હમેં આઝમાના ક્યા - સચ્ચે મોતી (૧૯૬૨) - સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર

શામ કે સાયે ઢલને લગે

દર્દ કરવટ બદલને લગે

જબ ચલી ઠંડી ઠંડી હવા

દિલ કે અરમાં મચલને લગે

સાંસ ઘૂટને લગી

આસ છુટને લગી

ઈસ ક઼દર ભી સતાના હૈ ક્યા

જબ પુકારો ચલે આયેંગેં

દિલકી ધડાકનમેં લહરાયેંગે

હમ કિસી હાલ મેં ભી રહેં

દૂર તુમસે ના રેહ પાયેંગેં

તુમ બુલાતી રહો

જી બુલાતી રહો

તો ખુશી કા ઠીકાના હૈ ક્યા

તુમ રૂકો તો જ઼માના રૂકે

તુમ ચલો તો ચલે ઝિંદગી

તુમ જો હમસે મિલે

મિટ ગયે સબ ગિલે

અબ હમેં ઔર પાના હૈ ક્યા

લાગે તો સે નૈના લાગે …. દરસ બિના ન પાઉં ચૈન…. જાગું સારી રૈન - ચાંદી કી દિવાર (૧૯૬૪) - તલત મહમૂદ, આશા ભોસલે

જબ સે લગી

લગન તિહારી

ભૂલ ગયી સુધ બુધ સારી

કલ ના પડે દિન હો કે રૈન

મનમેં બસી

પીર અનજાની

તનમેં જગી અગન સુહાની

ગયો રે મોરે જિયરાકા ચૈન

ઉમર મોરી કોરી કોરી, ઉમર મોરી બાલી બાલી, ધીરે રંગ ડારો કરો ના જોરા જોરી …… બરસ ભર બીતે તબ આયે કહીં હોરી, જ઼ીજક નહીં હમસે નીકટ આ જા ગોરી - નયા રાસ્તા (૧૯૭૧) - મોહમ્મદ રફી, આશા ભોસલે

ધીરે ધીરે પીચકારી મારો

નહીં મારો બેદર્દી સો કસ કે

દેખો દેખો બૈયાં ન ખીંચો

મેરી રેશમ કી ચોલી ન મસકે

મોહે તુમરી ક઼સમ

મોહે લાગે શરમ

માનો માનો અરઝ માનો મોરી

ચુનર મોરી કોરી

ભીગી ભીગી ચુનરી સે ઝાંકે

તોરે મતવાલે અંગોકે જાદુ

આજા મેરી બાંહોંમેં છુપ જા

ગોરી ઘબરા કે યું ન સિમટ તુ

મિલે તન સે જો તન

બુજે તનકી અગન

કહેં હમ ભી કી આયી હૈ હોરી

આજ સોચા હૈ ખયાલોમેં બુલાકર તુમકો, પ્યાર કે નામ થોડી સી શિકાયત કર લેં - ચેહરે પે ચેહરા (૧૯૮૧) - સુલક્ષણા પંડિત, મોહમમ્દ રફી

ઐસે બીછડે હો કે જૈસે કભી મિલના હી નહીં

ઐસે ભૂલે હો કી જૈસે કભી જાના હી ન થા

અજનબી બન કે અગર યૂં હી સિતમ ઢાના થા

પાસ આના હી ન થા પાસ બુલાના હી ન થા

રંજિશેં ભી વહીં પલતી હૈં

જહાં પ્યાર પલે

પ્યાર હી જિસ સે નહીં

ઉસ સે ગિલા ક્યા હોગા

મેરી ઉમ્મીદ હૈ તુ

તેરી તમન્ના મૈં હૂં

ઔર ચાહત કા સિલા ક્યા હોગા

રંજિશેં ભૂલ કે

ખ્વાબોંકો હક઼ીકત કર લેં

આજ સોચા થા ક્યા કહું મૈં તુમ્હેં

ક્યા સમજ઼ા હૈ ક્યા માના હૈ 

મેરી ચાહતને તુમ્હેં

અપના ખુદા માના હૈ

અપના હિસ્સા હી તુમ્હેં મૈને સદા માના હૈ

જાન કો કીસ ને ભલા તન સે જુદા માના હૈ

જાન ઔર તન સે

જાન ઔર તનસે નયા અહદ-એ-મોહબ્બત કર લેં

સાહિર લુધિયાનવી અને એન દત્તાના ૧૮ ફિલ્મોના સંગાથમાં એક ફિલ્મ, પિકનિક, હતી જે રીલીઝ ન થઈ શકી કેમકે તે પુરી થાય તે પહેલાં ગુરુ દત્તે આત્મહત્યા કરી લીધી હતી. એનાં એકાદ બે ગીતો યુ ટ્યુબ પર મળી આવે છે, તેમાંથી કિતના રંગીન હૈ ચાંદ સિતારોંકા સમા (આશા ભોસલે, મોહમ્મદ રફી) લખ્યું છે તો મજરૂહ સુલ્તાનપુરીએ પણ અહીં ઉલ્લેખ એટલે કરેલ છે કે ધર્મપુત્ર (૧૯૬૧)નાં ગીત આજ કી રાત નહીં શિકવે શિકાયત કે લિયે  સાથે ગીતની ધુન અદ્‍ભૂત સરખાપણું ધરાવે છે.

સાહિર લુધિયાનવી અને એન દત્તાના ૧૮ ફિલ્મોના સંગાથની આજની વાત પુરી કરીએ એ સંગાથનાં એ અનન્ય પાસાંથી, જેમાં એન દત્તાની કારકિર્દીની શરૂઆત આ જોડીની સૌ પ્રથમ (પંજાબી) ફિલ્મ 'બાલો'થી થઈ અને પુરી થઈ આ જોડીની પણ અંતિમ ફિલ્મ ચેહરે પે ચેહરા (૧૯૮૧)થી. એન દત્તાએ '૭૦ના દાયકામાં ભલે બહુ ફિલ્મો ન કરી પણ તવારીખ તો આ સંગાથની સફર ત્રીસ વર્ષની જ ગણે છે.

હવે પછીના, આ શ્રેણીના અંતિમ, મણકામાંપણ આપણે સાહિર લુધિયાનવી અને રવિન એવા જ દીર્ઘકાળના ૧૯ ફિલ્મના સંગાથનાં પ્રેમાનુરાગનાં ગીતોને યાદ કરીશું.

Thursday, March 3, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પહેલું વર્ષ - ૨ - ભય વિના પ્રીતિ નહીં (!) અને ગુંચવાયા વગર માર્ગ નહીં (?)

 


એન્જિનિયરિંગના સ્નાતક કક્ષાના અભ્યાસમાં અને તે પછીની કારકિર્દીમાં રસ હોવાને કારણે કેટલાં વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ લેતાં હશે એવું તો કોઈ સર્વેક્ષણ થયું હશે કે કેમ તે તો મારી જાણમાં નથી ! પરંતુ, હા, જે 'સફળ' વિદ્યાર્થી હોય તો તેણે તેના એ મોભાને અનુરૂપ એન્જિનિયરિંગમાં જ જવું જોઈએ એ તો એ સમયની એક સ્વીકૃત માન્યતા જરૂર હતી. કેટલાંક માટે એન્જિનિયરિંગની ડિગ્રીનું સામાજિક વર્તુળોમાં ઉચ્ચ સ્થાન પણ મહત્ત્વનું હશે એમ પણ માની શકાય.

અલગ અલગ કારણોથી પ્રેરાઈને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને કૉલેજમાં આવ્યા પછી એ અરમાનો, આદર્શો કે પ્રેરણાઓનો સામનો જ્યારે પહેલાં જ વર્ષની વાસ્તવિકતાઓ સાથે થતો હશે ત્યારે મનમાં કેવી કેવી લાગણીઓ જન્મી હશે એ વિચાર આ તબક્કે મારા મનમાં ઘોળાયા કરે છે. મારાં પોતાના એ સમયના પ્રતિભાવો તો મારા મનમાં સ્પષ્ટ થતા જાય છે, પરંતુ મારી પોતાની યાદોને રજૂ કરતાં પહેલાં થોડા અન્ય વિચારો જાણવા વધારે માહિતીપ્રદ રહેવાની સાથે રસપ્રદ પણ બની રહેશે.

આનંદની વાત છે કે મારી ટહેલના પ્રતિભાવ સ્વરૂપે મારી પાસે ત્રણ અન્ય પ્રતિભાવો આવેલ છે. બે પ્રતિભાવો અમારાથી 'સિનિયર' અને એક પ્રતિભાવ મારા સહપાઠીનો છે. બન્ને 'સિનિયર' એ સમયનાં ઈન્ટર સાયન્સ / એફ વાય બી એસસી કર્યા પછી ત્રણ વર્ષના એન્જિનિયરિંગના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ છે.

સુરેશ જાની[1]ને એન્જિનિયરિંગનાં એમનાં પહેલાં જ વર્ષની યાદો બહુ સ્પષ્ટ છે. તે પછી છએક દાયકામાં અપેક્ષાઓ અને વાસ્તવિકતાઓના અનેક સામનાઓના વાળાઢાળાઓ અનુભવી ચુકેલા સુરેશભાઈ એ સમયના તેમને એટલી સ્વસ્થ,નિષ્પક્ષ, દૃષ્ટિએ જોઈ રહ્યા છે કે એ 'સુરેશ જાની' તેમને ત્રીજો પુરુષ એકવચન કળાય છે.

“૧૯૬૧ – જૂન

જૂન મહિનાના એ યાદગાર દિવસે તમે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વ્યાખ્યાન ખંડમાં પહેલી વાર પગ મૂક્યો. એ વખતમાં સૌથી વધારે માંગ વાળી મિકે. એન્જિ. શાખામાં અને માદરે વતન અમદાવાદમાં જ પ્રવેશ મેળવવા તમે સદભાગી થયા હતા. બીજા મિત્રોને કાં તો વિદ્યાશાખા કે કોલેજના સ્થળની બાબતમાં સમાધાન કરવું પડ્યું હતું.

પણ તમારા દિલમાં આ બાબત કશો ઉમંગ ન હતો. ગુજરાત કોલેજમાં ઇન્ટર સાયન્સના આખા વર્ષ દરમિયાન તમે ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રના મનગમતા વિભાગમાં ઘણે ઊંડે સુધી ચાંચ ડૂબાડવા પ્રયાસ કર્યો હતો. બીજા બે સમરસિયા મિત્રોની સંગતમાં તમારો આ રસ કેળવાયો હતો. તમારું સ્વપ્ન હતું – આઈન્સ્ટાઈન કે હાઈસનબર્ગની જેમ એ ક્ષેત્રમાં નામના મેળવવી.  અરેરે! કુટુંબમાં આની ખબર પડતાં, ‘આખી જિંદગી માસ્તરગિરી’ કરવાનો? ‘ અને એવાં અનેક દબાણોને વશ થઈ, તમારે  એ સપનું સંકેલી લેવું પડ્યું હતું. પણ અંતરનો એ ડંખ શૂળની જેમ સતત ભોંકાયા કરતો હતો.

“પહેલું વ્યાખ્યાન શરૂ થયું અને એ શૂળના દર્દની સાથે ગોટપિટ ગોટપિટ ભાષામાં તમને એક પણ વાક્ય ન સમજાયાનું દર્દ ઊમેરાઈ ગયું. તમારું અંગ્રેજી વાંચન સારું હોવા છતાં, સળંગ ગુજરાતી માધ્યમમાં ભણેલા તમે કદી આટલા લાંબા સંભાષણ માટે ટેવાયા ન હતા. રાતે ઘેર આવીને તમારી આંખો આંસુથી ઊભરાતી રહી. ‘સરસ્વતીચન્દ્ર’ની કુમુદ સુંદરીની જેમ ‘ પડ્યું પાનું નિભાવી લેવા’ તમે મજબૂર બની ગયા.

“ધીમે ધીમે એ ડૂમો શમવા લાગ્યો, પણ એકાદ મહિના પછી એની અસર તમારી તબિયત પર જણાવા લાગી. સામાન્ય શરદીમાંથી ઊંટાટિયા જેવી અસહ્ય ઉધરસે તમને ઘેરી લીધા. છેવટે સારવાર માટે તમારે કોલેજ જવાનું બંધ કરવું પડ્યું. ભારેખમ દવાઓથી એ હુમલો ખળાયો તો  ખરો, પણ બહુ અશક્તિનો દોર શરૂ થઈ ગયો.  

“ત્રણ મહિનાની લાંબી ગેરહાજરી પછી, બીજી ટર્મમાં સાઈકલ પર કોલેજ જવાની તાકાત જ ન હતી, આથી તમે પાંચ પૈસા કન્સેશનની ટિકિટ પર મ્યુનિ. બસમાં કોલેજ જવાનું શરૂ કર્યું. જતી વખતે તો બેસવાની જગ્યા મળી જતી, પણ પાછા વળતાં થાકેલાં મન અને શરીર પર આખે રસ્તે ઊભા રહેવાની સજા રોજની રામાયણ બની ગઈ.

“અંતરનો હાયકારો પોકારી પોકારીને ‘જીવન ઝેર બની ગયું.’ના ગાણાં ગાતું રહેતું. પણ ધીમે ધીમે વ્યાખ્યાનોમાં સમજ પડવા લાગી. મોટા ભાગના વિષયોમાં રસ પણ પડવા માંડ્યો. પણ બાકી રહેલા ટર્મ વર્કનું શું? બધી લેબોરેટરીઓ,  ડ્રોઈંગ, અને ખાસ તો શારીરિક શ્રમ માંગી લેતા વર્કશોપના જોબમાં તો ન પૂરી શકાય તેવી ખાધ હતી. ટર્મ ગ્રાન્ટ નહીં થાય અને જિંદગીમાં પહેલી વાર ડ્રોપ લેવો પડશે – એવા ભયનો ઓથાર પણ સતત  ઝળુંબી રહયો  હતો.

“પણ, ‘નિર્બલ કે બલ રામ’ એ ન્યાયે તમારા સહાધ્યાયીઓની બેનમૂન મદદ તમને મળતી રહી. વર્કશોપમાં શિક્ષકોની પણ સહાનુભૂતિના સબબે બેળે  બેળે જોબ બનતા ગયા. એ સહૃદયી શિક્ષકો અને જિંદાદિલ મિત્રોનાં નામ તો યાદ નથી, પણ એમની સહાય અને હમદર્દીની સુખભરી યાદનું પોટલું  જીવનભરની જણસ બની રહ્યું.

“છેવટે અભિમન્યુના બધા કોઠા જીતાયા અને સૌ  સંઘર્ષોના અંતિમ પરિપાક રૂપે તમે પહેલા વર્ષની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. “

ઔપચારિક દૃષ્ટિએ જરૂર મારા 'સિનિયર' પણ કૉલેજ કાળનાં એ વર્ષો દરમ્યાન એક જ વિસ્તારના સહરહેવાસી હોવાને કારણે વધારે તો મારા મિત્ર, દિલીપ વ્યાસ[2], પોતાનાં પહેલાં વર્ષને, એમની સાહજિક રીતે, તાર્કિક દૄષ્ટિકોણથી, યાદ કરે છે –

જો તમે તેજસ્વી વિદ્યાર્થી હો તો એસ એસ સી પછી સાયન્સ (કૉલેજ)માં જવું અને ત્યાં પણ તમે સફળતા મેળવો તો ક્યાં તો મેડિસિન કે નહીં તો એન્જિનિયરિંગમાં સ્નાતક થાવ એ પ્રકારનાં પ્રચલિત ચલણ સિવાય એલ ડીમાં હોવાનું મારી પાસે કોઈ અન્ય કારણ નહોતું. એ સિવાય, બીજાં એક કારણથી પણ હું ખોટી જગ્યાએ હતો. એ સમયે પ્રી-સાયંસ પછી એન્જિનિયરિંગના નવા અભ્યાસક્રમમાં હજુ મર્યાદીત સંખ્યામાં જ પ્રવેશ અપાતો હોવાથી,  (સાવ છેલ્લા ક્રમમાં ગણાતા) સિવિલમાં મને મળતો પ્રવેશ મેં જવા દેવાનું પસંદ કરી ને એફ વાય બી એસસીનો વૈકલ્પિક માર્ગ મેં પસંદ કરીને ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં મિકેનીકલમાં પ્રવેશ લીધો હતો. અમારી બૅચ ત્રણ વર્ષના અભ્યાસક્રમની છેલ્લી બૅચ હતી એટલે, તમને કદાચ યાદ હશે તેમ, નવા અભ્યાસક્રમમં હવે વધારે તેજસ્વી વિદ્યાર્થી આવતા થયા હોવાથી અમારી બૅચનું સ્થાન  સાવકાં સંતાન જેવું હતું. અમારી તરફ અપાતાં એ ઓછાં ધ્યાનની મારા પર તો ખાસ અવળી નીવડી.

ત્યાં સુધીનો મારો બધો જ અભ્યાસ તે સમયની 'શ્રેષ્ઠ' વર્ગની ગણાતી સંસ્થાઓમાં થયો હતો. મારૂં પ્રાથમિક શિક્ષણ રાજકોટની જાહેર શાળામાં થયો. ધોરણ પાંચથી આઠનો અભ્યાસ ત્યાંની વિરાણી હાઈસ્કુલમાં થયો. શાળાએ આવતાં જતાં પણ તમારૂં વર્તન કેવું છે તેની પર ચાંપતી નજર રહે એટલું કડક વિરાણીનું એ સમયનું શિસ્તનું ધોરણ હતું. તે પછી અમે અમદાવાદ આવ્યાં અહીં અગીયારમા ધોરણ સુધી સીએન (વિદ્યાલય)માં અભ્યાસ કર્યો, જે પણ એ સમયનાં તેનાં શિક્ષણ અને શિસ્તનાં ધોરણો માટે અગ્રિમ હરોળની શાળા ગણાતી. સાયન્સ કૉલેજનો મારો અભ્યાસ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સમાં થયો. અહીં તો જો તમે ફિઝિક્સના બે (જ)  પિરિયડમાં ગેરહાજર રહ્યા તો ફાધર બ્રેગાંઝાનો ચેતવણી પત્ર સીધો વાલીના હાથમાં જ હોય.  દ્વિ-માસિક પરીક્ષા પછી ફાધર ડી'સોઝા, વિષયવાર માર્ક્સનો હિસાબ ધરાવતો મોટો બધો ચોપડો લઈને ક્લાસમાં આવે અને દરેક વિદ્યાર્થીને ઊભાં કરીને તેની પ્રગતિ (કે અવગતિ)નો અહેવાલ, સોંસરવો ઉતરી જાય એવાં કડક સ્વરમાં,જણાવે.

આટલું લાંબું પૂર્વકથન કરવાનું કારણ એટલું જ કે જૂના અભ્યાસક્રમમાં તો કૉલેજમાં હાજરી આપવી એ જ વિદ્યાર્થીની મુનસફી પર આધારિત હતું. આમ શિસ્તનાં આવાં ઢીલાંઢફ ધોરણે જ મને સાવ ટાઢો પાડી દીધો. સરેરાશ કરતાં ઉંચા સ્તરના વિદ્યાર્થી હોવાને કારણે મને આમ પણ સારા (કહી શકાય એટલા) માર્ક્સ તો ખાસ કોઈ મુશ્કેલી વગર જ આવી જતા. આમ પણ પહેલે નંબરે જ આવવું એવી તો મારી આકાક્ષાઓ ક્યારેય રહી નથી. એટલે પારિસ્થિતિકી તંત્ર દ્વારા મળતાં ચાલક બળ અને મારી સીમિત સ્વપ્રેરણાનો પ્રભાવનો  અભાવ મારા માટે ઘોર નિષ્ફળતાકારક પરવડ્યાં.[3] એફ ઈમાં, બે જ વિષયમાં, તે પણ થોડા જ માર્ક્સ પુરતું કરીને, હું 'ફેલ' થયો ! એ પછીનાં મારાં બાકીનાં વર્ષો , મનેકમને, હેમખેમ રીતે પસાર થઈ ગયાં.'

સ્વાભાવિક છે અમે લોકો પણ મહદ અંશે આવી જ પશ્ચાદભૂમિકાઓની નિપજ હતા. એટલે અમારામાંના ઘણાને આવાજ  અનુભવો પણ થયા હોઈ શકે છે. જોકે એ સમયની અમારી કંઈક અપરિપક્વતા અને કંઈક સરેરાશ કરતાં વધારે ક્ષમતા અને એન્જિનિયરિંગમાં તો થોડુંઘણું આમ તો હોય તેવી અંદરની લાગણીઓનાં ચાલક બળને કારણે ન તો એ સમયે કે ન તો તે પછી આ બાબતે અમારા વચ્ચે કોઈ ચોક્કસ ચર્ચાઓ થઈ હોય એમ યાદ નથી આવતું.

ડરામણા કે ગુંચવાડાભર્યા અનુભવો સિવાયના રસપ્રદ કે માર્ગદર્શી કે પછી માર્ગનિર્ણાયક અનુભવો પણ પહેલાં વર્ષમાં થયા હતા એવી બે યાદો હજુ મારી સામે છે. એક છે મારા સહપાઠી અશોક ઠક્કરની અને બીજી છે મારી ખુદની.

પણ, એ વાત હવે પછીના મણકામાં જ ઉખેળીએ તો ?

કેમકે, આટલું વાંચીને મારા અન્ય સહપાઠીઓને  પોતાના અનુભવો આપણી સાથે વહેંચવાનું મન થઈ આવે એવી રાહ જોવાની લાલચ મને જરૂર છે !! 



[1] સુરેશ જાનીની સ્નાતક થયા પછીની કારકિર્દી (તે સમયનાં ) એઈસી (અમદાવાદ ઈલેક્ટ્રિસિટિ કંપની લિ.) સાથે યશસ્વી રહી.તે પછી તેઓ અમેરિકામાં સ્થાયી થયા. પોતપોતાની નિવૃત્તિઓ પછી બ્લૉગ લેખનના અમારા પોતપોતાના શોખે અમને વેબ ગુર્જરીના માધ્યમ પર એક સાથ કરી આપ્યા. તેમની એલ ડીની યાદોએ અમને / આપણને 'એક જ કૉલેજના ભૂતપૂર્વ 'વિદ્યાર્થીના સંબંધોના તાંતણે પણ જોડી આપ્યા છે.

[2] દિલીપ વ્યાસ પણ હવે તો અમેરિકાના 'નાગરિક' પણ એલ ડીમાં તેમનો અભ્યાસ સમય ત્રણ વર્ષના અભ્યાસક્રમની છેલ્લી બૅચનો. ૧૯૬૦માં ગુજરાત રાજ્ય બન્યા પછી થોડાં વર્ષો રાજ્ય સરકારની વડી કચેરી અમદાવાદમાં હાલમાં જે સરકારી પોલીટેકનિક છે તેમાં બેસતી. તેની બરાબર સામે સરકારી કર્મચારીઓ માટે બનેલ એચ અને એલ કોલોનીઓમાં એ સમયના  પાંચથી સાત વર્ષના ઉમરના તફાવતનાં સમકાલીન ગૃપના કિશોરો અને યુવાનોની સામુહિક પ્રવૄત્તિઓમાં સાથે રહેતાં રહેતાં સારી મિત્રતાના સ્તર સુધી પણ પહોંચી ગયા હતા.

[3] દિલીપની આ યાદોએ મને પણ યાદ કરાવ્યું છે કે અમારા પણ કેટલાક સહપાઠીઓ પણ પહેલાં વર્ષમાં આંશિક રીતે નિષઅલ તો રહ્યા હશે. કંઈક સંજોગોની અને કંઈક પ્રેરણાની ખામીને કારણે અમુક વિષયોમાં રહેતી જતી કચાશ મને પણ પછીનાં વર્ષોમાં થોડી કનડી હતી, જેની વાત આગળ જતાં કરીશું.