Sunday, June 21, 2020

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જૂન, ૨૦૨૦


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જૂન, ૨૦૨૦ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૨૦ ની આપણે કેન્દ્રવર્તી ચર્ચાના વિષય 'ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ના સડર્ભમાં આપણે
વિશે વાત કરી હતી..
હવે, આ મહિને વિશે આપણે ટુંકમાં તક અભિમુખ અભિગમની નોંધ લઈશું.
જોખમ અભિમુખ વિચારસરણીમાં હવે જોખમની વ્યાખ્યામાં તકનો પણ સમાવેશ થવા લાગ્યો છે. પરિણામે, અનિશ્ચિતતાના સકારાત્મક કે નકારાત્મક પાસાંઓ સાથે સક્રિયપણે કામ લેવા બાબતે જોખમની પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર વધારે વ્યાપક બનવા લાગ્યું છે. તક અને સંભવિત નુકસાન એ બન્નેને જોખમની એક જ વ્યાખ્યામાં સમાવી લેવાથી પ્રક્રિયાનો ઉદ્દેશ સ્પષ્ટ બની જાય છે. અને પરિણામે, બન્ને પાસાંઓનૂ સંચાલન પણ એક સરખું સક્રિયપણે અને લાંબા ગાળાની અસરકારકતાના સંદર્ભમાં કરવાનું પણ સ્વીકારાવા લાગ્યું છે. [1] 
VUCA (ક્ષણિક અસ્થિરતા, અનિશ્ચિતતા, જટિલતા અને સંદિગ્ધતા નું ટુંકું રૂપ) વાતાવરણ જેમ જેમ વધારે જટિલ થતું જાય તેમ તેમ તકો ઝડપથી દેખાશે અને એટલી જ ઝડપથી ખોવાઈ પણ જશે.
એટલે, તક સંચાલન વધારે તો આગવો માનસિક અભિગમ બની રહે છે. એ અભિગમ જોખમોમાં પણ તક જૂએ છે.  એ માટે પરંપરાગત કાર્યકારણ આધારિત નિર્ણયપ્રક્રિયાના તર્કની સાથે બિનકાર્યકારણ  આધારિત નિર્ણયપ્રક્રિયાના તર્ક અભિગમ પણ વણી લેવો રહે. બિનકાર્યકારણ  આધારિત નિર્ણયપ્રક્રિયાને પારિભાષિક ભાષામાં કાર્યસંપન્નતા  (effectuation) તરીકે ઓળખવામાં આવે છે.
જોકે એમ કહેવાનો કોઈ જ આશય નથી કે હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ, સંસ્થાનો સંદર્ભ કે પરિયોજના સંચાલન જેવાં જુનાં અને જાણીતાં તેમજ સચોટ સાધનો સમાં ઘટકોને બન્નેમાંથી કોઈ પણ અભિગમદ્વારા અમલ કરાતા ઉપાયોમાં નજરઅંદાજ કરવાં. [2]
કાર્યસંપન્નતાના ચાર સિધ્ધાંત છે, જે મોટા ભાગની સંસ્થાઓમં અમલ કરાતાં પરંઅપરાગત સંચાલન મૉડેલ્મા વપરાતા કાર્યકાર્ણન અતર્કથી વિપરિત કહી શકાય તેમ છે :
  •    મધ્યમાર્ગી દૃષ્ટિકોણ (જેની સામે છે ઉદ્દેશ્ય અભિમુખ દૃષ્ટિકોણ)  
  •    નિવિષ્ટિ કે નુકસાનની એક મર્યાદા ( જેની સામે અપેક્ષિત વળતર)
  •      સંજોગો અને સંયોગોનો લાભ ઊઠાવવો (જેની સામે તેમને ટાળવાનો અભિગમ રાખવો)
  •      સહભાગીતાઓ (જેની સામે છે સ્પર્ધાત્મક વિચારસરણી)

કાર્યસંપન્નતા કાર્યકારણ તરકથી 'વળણ'ણી રીતે પણ અલગ પડે છે. બન્ને દૃષ્ટિકોણનાં વલણની સરખામણી અહીં રજૂ કરવામાં આવી છે :

કાર્યકારણ તર્ક
કાર્યસંપન્નતા
મૂળભૂત વિચાર
ભવિષ્યની આગાહી અને આયોજન થઈ શકે છે
ભવિષ્યની આગાહી શકય નથી, પણ તેને પ્રભાવિત કરી શકાય
અમલનાં પગલાંમાં જોખમો 
ઉદ્દેશ્ય અભિમુખ
સંસાધન અભિમુખ
જોખમવાળી પરિસ્થિતિઓ વિશેનું વલણ 
અપેક્ષિત વળતર 
શક્ય હોય એટલા પ્રયાસ કે સહી શકાય એટલું નુકસાન
બીજાંઓ તરફનું વલણ
સ્પર્ધાત્મક
સહકારભર્યું
સંયોગ વિશેનું વલણ
ટાળવું
ઉપયોગ કરી લેવો
જોકે 
કાર્યસંપન્નતા કાર્યકારણથી અલગ છે, પણ વિરોધાભાસી નથી, તે પૂરક છે. તે જે સંભવિત છે તેને પાર પાડવા મટેનો એક અભિગમ છે. શું કરવું જોઈએ તે કહેવા મટેની આ કોઈ તકનીક નથી. આ વિચારસરણીના જે કોઈ પણ તબક્કે પરિયોજનાનું આલેખન કે આયોજન શક્ય બને તે જ તબકાથી જ આ વિચારસરણીને અમલમાં મુકી દેવી જોઈએ. [3]

નોંધ:
·        The Principle of Effectuation માં અનિશ્ચિતતા સાથે કામ લેવું તે વ્ગતે સમજાવાયું છે.
·        Planning subject to reservation માં અનિશ્ચિતતા છતાં પણ અર્થપૂર્ણ આયોજન કેમ કરી શકાય તે સમજાવાયું છે.
·        How can I avoid uncertainty? માં તબક્કાવાર અનિશિચિતતા કેમ ઘટાડી શકાય તે માટેના પધ્ધતિસરના સવાલો પુછવામં આવ્યા છે.
આજના , અને હવે પછીના, સંજોગોની એ માંગ બની રહે છે કે વ્યાપાર તેમ જ પેદાશના જીવન ચક્રના દરેક તબક્કે ગુણવત્તા વ્યાવસાયિકો સંસ્થાની અંદર સંસ્થાના સંદર્ભ, હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓની સાથે સુસંગત સંવાદોને ચાલુ રાખે. ગુણવત્તા વ્યાવસાયિકની ભૂમિકા હવે સુધારણા સાંકળની એક મહત્ત્વની કડી બની રહેવાની સાથે સાથે પેદાશો, સેવાઓ, કે પ્રક્રિયાઓની સુધારણા પ્રક્રિયાને સંસ્થાના બદલતા જતા સંદ્ર્ભના પરિપ્રેક્ષ્યમાં સંપોષિત બનાવી રાખવામાં  ઉદ્દીપક તરીકેની પણ બની રહેશે. [4]
સુધારણા અભિમુખ વિચારસરણી કેળવી, સુધારણા માટેની તકો કેમ ખોળવી તે અંગે અનેક નિષ્ણાતોના અનુભવો હવે પધ્ધતિસર રીતે હવે ગ્રંથસ્થ થયેલ પણ જોવા મળવા લાગ્યા છે. તે પૈકી બહુ જ વ્યાવાહારિક ભાષામાં ચર્ચા કરતા ચાર વિડીયો અહીં પસંદ કરેલ છે.
Opportunity Based Thinking – Andrew Isham - અહીં મૂળભૂત તર્ક આલ્બર્ટ આઈન્સ્ટાઇનનાં એ જાણીતા કથન પર આધારિત એ પૂર્વધારણા પર કરાયો છે કે આપણી સમસ્યાઓના હલ જો એ ને એ જ પધ્ધતિથી કરતાં રહીશું તો પરિણામ પણ એ જ આવશે. સમસ્યાને નવી દૃષ્ટિએ જોવા માટે જરૂરી રહેશે કે આપણે આપણી પૂર્વધારણાઓને મૂળથી જ પડકારીએ

Uncommon Sense: Moving from a Problem-Focused to Solution-Focused Mindset | Mel Gill | TEDxVarna  - અહીં સમસ્યાને સમસ્યાને બદલે એક પરિસ્થિતિની નજરે જોવાનું સુચન કરવામા આવી રહ્યું છે. જો બહાર નજર કરતાં એમ કરવું શક્ય ન જણાતું હોય તો આપણે આપ્ણી અંદરની દૃષ્ટિને એ તીતે જોતી કરવી જોઈશે. વિચરણા કર્યા પછી નિર્ણય પર આવવું અને તે પછી અચૂક પહેલું પગલું તો ભરવાનું તો ભુલવું જ નહી. એ પહેલૂ પગલું જ પરિસ્થિતિના બદલાવની સંભાવનામાંથી વાસ્તવિકતા તરફ દોરી જશે. એ સફરમાં નિષ્ફળતાને પોતાનો આખરી મુકામ ગણી લેવાની ભુલ તો ક્યારે પણ કરવી નહી.

How to Identify a Business Opportunity? | Sanjeev Bikhchandani | TEDxSRCC – તક ખોળવા માટે ગ્રાહકની (કે પછી સંબંધિત હિતધારકની) કઈ અપેક્ષા હજૂ પુરી નથી થઈ તે શોધી કાઢવું આવશ્યક છે. એ જ રીતે જે કોઈ સમસ્યાનો હલ નથી મળ્યો તે પણ નવી તકો માટેના સ્રોત તરીકેની ભૂમિકા ભજવી શકે છે.

See Problems As Opportunities | Mona Patel | TEDxNewBedford  - 'મારાથી નહી થાય' એમ કહેવાના અનેક પ્રસંગો આપણાં જીવનમાં બનતા રહે છે. 'નહીં થાય' એમ માનવું એ માનવસહજ લક્ષણ ગણી શકાય, પણ હહીકતે તો તે બહાનાં જ. 'નથી શક્ય'ની પાર નીકળવાનો માર્ગ ખોળવા માટે એ 'નથી શક્ય'ને બરાબર સમજવું પડે. એ પછી, એ સમસ્યાને એક તકની નજરે જોવાનું કરીએ.
એ માટે બહુ પધ્ધતિસરનો અભ્યાસ કરવો આવશ્યક બની રહે છે., જેની શરૂઆત 'તો હવે શું ?" સવાલથી થાય છે.
આ અભ્યાસને પરિણામે તમારી પાસે ઢગલો એક વિકલ્પો આવી પડશે. પધ્ધતિસર સવાલોથી આ વિકલ્પોને ગાળીને અનેક'માંથી 'અમુક'ની સંખ્યામાં લાવી દો. એ વિક્લ્પોમાંથી કેટલાક પર કામ શરૂ કરી શકાશે.

જોખમ, અને તક,ની કોઈ પણ ચર્ચા, નિર્ણય કે અમલના શરૂઆતના તબક્કે એટલું ક્યારે પણ ન ભુલવું કે જે દેખાયું છે એ તો હિમશીલાની ટોચ માત્ર છે.
વધારાનું વાંચન :
Risk and Opportunity Management – Lockheed Martin
નોંધ: તક અભિમુખ અભિગમ ની વધુ વિગત સાથેની નોંધ હાયપર લિંક પર ક્લિક કરવાથી      વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે.
૨૦૨૦નાં વર્ષમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પર મહિને કે લેખના હિસાબે એક અલગ બ્લૉગશ્રેણી કરી રહ્યાં છીએ. આ મહિને તે શ્રેણીમાં આપણે સંસ્થાજન્ય સંસ્કૃતિનું મહત્ત્વ' વિશે વાત કરી છે.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત આજના વિષય સાથે સુસંગત એક વૃતાંત જોઈએ
  • Risk, Organizational Culture and Small Business - પ્રસ્તુત વિડીયોમાં, યુ. એસ, ટેક્નીકલ ઍડવાઈઝરી કમિટી  176 (TAG 176)નાં સભ્ય, ડેનીસૅ રૉબીટાઈલૅ,સમજાવે છે કે ISO 9001 નું નવું સંસ્કરણ જોખમ સાથે શી રીતે કામ પાર પાડી શકે છે અને તેની અસર નાની સંસ્થાઓ પર શું પડી શકે છે.

Jim L. Smithની જૂન, ૨૦૨૦ની Jim’s Gems
  • Change: Management Must Understand Why Changes Fail - તેમનાં પુસ્તક, Beyond the Wall of Resistance: Why 70% of All Changes Still Fail – and What You Can Do About It,” માં રિક મૌરિયર ચાર એવી મોટી ભૂલો ગણાવે છે જે મોટા ભાગનાં પરિવર્તનપ્રેરનાર અગ્રણીઓ કરતા જોવા મળે છે : સમજણને સ્વીકૃતિ અને પ્રતિબધ્ધતા માની લેવાની ભૂલ; કર્મચારીઓ અને સંચાલકોના મનમેળની શક્તિ ન સમજી શકવાની ભૂલ;  ભયની શક્તિને ન સમજી શકવાની ભૂલ અને અગ્રણીમાં રતિભર પણ વિશ્વાસ કે  ભરોસો ન હોય તો ભલભલા સારા પ્રસ્તાવનો મૃત્યુઘંટ વાગી જઈ શકે તે ન સ્વીકારવાની ભૂલ 
  • Keep Going - કોઈ પણ વચન આપતાં (નવી જવાબ્દારી સ્વીકારતાં) પહેલાં તેને બરાબર સમજી લેવું જરૂરી છે. એક વાર વચન આપી દીધા પછી તેને પુરૂં કરવાનું આયોજન બનાવી લો અને તે માટે અમલનાં પગલાં લેવા માંડો….. અમલની દિશામાં આગળ પુનરાવૃત સાતત્ય સાથે આગળ વધતા રહેવા માટે મૂળે એ વચન શા માટે અપાયું હતું તે પોતાની જાતને યાદ કરાવતા રહો . અમલ પર વળગી રહેવા માટે આમ કરવાથી રોકી ન શકાય તેવાં ચાલક બળનો ટેકો સાંપડશે...…. આગળ વધતાં રહો, એક વાર એક ધ્યેય સિધ્ધિની સફર પુરી થાય તો તેની ખુશીમાં થોડો સમય મહાલી ભલે લો, પણ પછી એટલેથી અટકી ન પડશો. પૂરતો વિચાર કરીને, હવે બીજી જવાબદારી સ્વીકારો અને ફરી નવેસરથી શરૂઆત કરો. જીવન એનું જ તો નામ છે.

સંપોષિત સફ્ળતા સિધ્ધ કરવામાં અને જાળવી રાખવામાં ગુણવત્તાની પાયાની બાબતો તેમ જ સંશાજન્ય સંસ્કૃતિની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો અવકાર્ય છે.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: